Opinion Magazine
Number of visits: 9950187
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

आप लोकतंत्र के योग्य हैं कि नहीं  

कुमार प्रशांत|Opinion - Opinion|13 June 2026

कुमार प्रशांत

जब भारत की न्यायपालिका के सर्वोच्च न्यायाधीश सूर्यकांत साहब, भारतीय गर्मी से बेहाल अपने 77 न्यायाधीशों की टोली लेकर केंद्रीय कानून मंत्री के शीतल साये में लंदन में छुट्टियां मनाते हुए, बैडमिंटन खेल रहे थे, मध्यप्रदेश में चुनाव आयोग सरकार के साथ मिल कर बैडमिंटन खेल रहा था. नतीजा यह हुआ कि मध्यप्रदेश के किसी चुनाव अधिकारी ने कांग्रेस की मीनाक्षी नटराजन की राज्यसभा की उम्मीदवारी का पर्चा खारिज कर दिया. वे बैठे-बैठे हार गईं. अदालत की मौन सहमति से  भारतीय जनता पार्टी के सभी 3 उम्मीदवार बैठे-बैठे जीत गए. यह हमारा नया लोकतंत्र है. फैसला आपको करना है कि आप इस लोकतंत्र के लायक हैं या नहीं.

मध्यप्रदेश में हार कर मीनाक्षीजी की कांग्रेस जब चुनाव आयोग के दरवाजे पहुंची तो उसे बताया गया कि आज दरवाजा बंद है. जब खुलेगा तब आना. एकदम सौ टंच खरा लोकतंत्र है यह ! याद कीजिए, जब बिहार से बंगाल तक करोड़ों मतदाता अपना वोट नहीं डाल सके थे और वे सर्वोच्च न्यायालय के दरवाजे पहुंचे तो न्यायालय ने भी यही कहा था : आज न्याय का दरवाजा बंद है. जल्दी क्या है, अगले चुनाव में वोट डाल लेना ! ऐसा समभाव ! नेता आएं कि जनता, दरवाजा बंद है तो बंद है. लोकतंत्र ऐसा ही होना चाहिए- सबके लिए समभाव !

वैसे मीनाक्षीजी और राहुल गांधी की कांग्रेस को यह पहचानना चाहिए कि वे दोनों हार तो तभी गए थे जब उन्हें अपने 62 विधायकों को हवाई जहाज में बिठा कर कर्नाटक भेजना जरूरी लगा था. कांग्रेस अपने पतन की यह दशा समझ पा रही है ? पिछले लंबे समय से राहुल गांधी अपने कांग्रेस के संगठन को संवारने की जो कोशिशें कर रहे हैं, वह कहां पहुंची है, इसका एक नमूना मध्यप्रदेश के वे 62 विधायक हैं जिनका ख़ुद पर या जिन पर संगठन का इतना भी भरोसा नहीं है कि वे किसी भी हाल में संघी-जाल में नहीं फंसेंगे. जब कांग्रेस अपने राजनीतिक अस्तित्व के सबसे नाज़ुक दौर से गुजर रही है, सारा देश देख रहा है कि राहुल-प्रियंका अपना सारा बल समेट कर इसे पटरी पर लाने में जुटे हैं, संघ परिवार इनसे भयभीत है अौर अपनी पूरी ताकत व चातुरी से इन्हें बदसूरत साबित करने में लगा है, तब राहुल-प्रियंका को इतना भरोसा भी नहीं है कि उनके विधायक न खरीदे जा सकते हैं, न डराए जा सकते हैं. उनके विधायकों में इतना राजनीतिक शील भी नहीं बचा है कि वे अपने नेतृत्व से बता दें कि वे न डरेंगे, न बिकेंगे. क्या कांग्रेस में सिंधिया-संस्कृति से अलग कुछ भी नहीं बचा है; राहुल गांधी की कोशिशों से कुछ भी नहीं बना है ? कांग्रेस के संकट का असली चेहरा यही है.

कांग्रेस के इस आंतरिक पतन को भाजपा का वाह्य व आंतरिक पतन पहचानता है. वह उसका फायदा उठाता है. संघ परिवार हमेशा से इसी दर्शन में मानता आया है कि अपना फायदा ही पहला व अंतिम फायदा है. वह जो मानता है, उसी अनुरूप चलता है. कांग्रेस अब कुछ मानती नहीं है, वह केवल चाहती है. चाहने से कुछ मिलता नहीं है, यह वह भूल गई है.  यह कांग्रेस का संकट है. वह इस सच को पहचाने कि नहीं, वह इससे जूझे कि नहीं, यह वह जाने.

ऐसा ही कुछ ममता बनर्जी के साथ हुआ. अपनी तृणमूल कांग्रेस को उन्होंने कभी समझाया ही नहीं कि इस तृण का मूल कहां है. उन्हें सत्ता की तलाश थी, सो उन्होंने यही सच सबको समझाया कि सत्ता जैसे व जहां मिले, हथियानी है. इस अंधे, अनैतिक दर्शन में इतनी ही संभावना है कि वह आपको दो-चार चुनाव जिता दे. उसने ममताजी को जिता दिया. वे जीतती गईं, और फिर हार गईं. ऐसी हारीं कि अब वापसी संभव नहीं है. सारे क्षेत्रीय दल इसी दर्शन से चलते आए हैं और अपनी वक्ती जीत को अपनी असली ताक़त मान कर फूलते रहे हैं. गुब्बारा फूलने की भी एक हद तो होती है न ! फिर वह फूट जाता है. फूट जाता है, तो फिर फूलता नहीं है. नेतृत्व की कसौटी यही है कि वह बताए-सिखाए कि हवा कब, कितनी भरनी है और कब ठहर जाना है. इसलिए प्राय: सभी क्षेत्रीय दल अपने अस्तित्व की अंतिम कगार पर हैं. तमिलनाड के थलपति विजय इससे कुछ सीख सकें, तो सीखें. उनके सामने संभावनाओं का संसार खुला धरा है. उस संसार को समेटने का इल्म उनमें है कि नहीं, विजय को साबित करना है. वे दूसरे चंद्रबाबू नायडू बनेंगे तो हाराकिरी करेंगे.

भारतीय राजनीति भी आज अत्यंत संभावनाओं के समक्ष खड़ी है. एक तरफ संघ परिवार है जो सत्ता का सत्य समझ चुकी है और इसलिए वह ऐसा हर कुछ कबूलती जा रही है जो उसके ही घोषित आदर्शों के विपरीत है. संघ जिस रास्ते पर चल पड़ा है उससे उसकी वापसी भी मुश्किल है. आज इनके हाथ से सत्ता निकल जाए तो यह सारा ढांचा खोखला हो कर भहरा जाएगा. इस सरकार की भी अपनी कोई नैतिक रीढ़ नहीं है. यह सत्ता-लोभ की गोंद से चिपकी हुई है और सांप्रदायिकता व दूसरी तमाम संकीर्णताओं के उन्माद को अपनी ताकत बना रही है. यह बहुमत खो चुकी है और जिस बैसाखी पर यह चल रही है वह लगातार कमजोर होती जा रही है.

दूसरी तरफ खंड-खंड विपक्ष है. राजनीतिक सार्थकता की निम्नतम पायदान पर यह खड़ा है. इसे यहां से उठना ही है, क्योंकि इससे नीचे जाने की कोई जगह नहीं है. राहुल गांधी को इस बात का श्रेय है कि उन्होंने न केवल कांग्रेस को खड़ा रखा है बल्कि विपक्ष का राष्ट्रीय कद भी बना कर रखा है. इंडिया गठबंधन कांग्रेस की अक्षमता व दूसरे घटकों की बेमाप आकांक्षा का शिकार रहा है. ये सभी साथ आने के लिए साथ नहीं आए, अपना-अपना सिक्का जमाने व जताने के लिए साथ आए. इन्होंने राज्यों को राज की तरह बांट लिया – बंगाल ममता का, उत्तरप्रदेश अखिलेश का, बिहार यशस्वी का, महाराष्ट्र उद्धव का, वामपंथियों ने केरल को अपना घोषित कर लिया, कश्मीर अब्दुल्ला-मुफ्ती की अपनी खिचड़ी कश्मीर में.   कांग्रेस को इन सबने अपने राज से दूर रखने की सावधानी रखी और अब हाल यह है कि ये सब टके सेर हुए जा रहे हैं. ये चाहते थे कि जो उच्छिष्ट बचा है, राहुल उसी में सीमित रहें. इस हाल में भी राहुल भारत से छोटी पहचान से जुड़े नहीं.

उन्होंने इन सबसे अलग हो कर जब कदम बाहर निकाला तो भारत जोड़ो की हवा बहाई. भाजपा को पता है कि जाति-धर्म-भाषा-लिंग से ऊपर उठी यह भारतीयता उसके लिए खतरा है अौर राहुल कांग्रेस को साथ ले कर देश में यह भाव जगा सकते हैं. इसलिए प्रधानमंत्री से ले कर भाजपा का हर छुटभैय्या राहुल को पप्पू अौर नेहरूवाली कांग्रेस को नाकारा साबित करने में जुटी रही. शुरू में इसने एक माहौल बनाया भी जिसे अंधभक्तों ने ख़ूब उछाला. लेकिन इतिहास भी अपना चक्र पूरा करता ही है. अब उस माहौल की हवा निकल रही है. यह नई राजनीतिक बेचैनी है जो संघ परिवार को घेरती जा रही है.

जब दोनों तरफ अपनी-अपनी तरह की बेचैनी फैली हो तभी नई पहल का सही समय होता है. तिकड़म अलग चीज है. इस कला में भारतीय जनता पार्टी व सरकार को महारत हासिल है. जिसने नैतिकता, संविधान, लोकतांत्रिक परंपरा आदि-आदि को गंदे कपड़ों-सा उतार फेंका हो, उन सबके लिए ऐसी महारत हासिल करना संभव है. भारतीय जनता पार्टी इसी मुकाम पर खड़ी है. वह कोई नई पहल नहीं कर सकती है. इसलिए कोई नई पहल संभव है तो ‘इंडिया’ की तरफ से संभव है. शर्त यह है कि वह पहल शुद्ध हो, संविधानसम्मत हो, लोकतंत्र के बुनियादी असूलों को पूरा करती है और सारे देश को समेट कर चलती हो. विपक्ष वाली तिकड़मों की भी यहां जगह नहीं होगी. क्या कांग्रेस के नेतृत्ववाली ‘इंडिया’ में यह समझ व प्रतीति है ? देश यही समझना चाहता है, देश यही होता हुआ देखना चाहता है.

(13.06.2026) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

બુદ્ધ વિના પ્રબુદ્ધ નહીં થવાય : ટાગોર

સોનલ પરીખ|Opinion - Opinion|13 June 2026

હું જે કઈં કહું છું તે પરંપરાથી કહેવાયું છે માટે ખરું માનશો નહીં. એ આપણા પવિત્ર ગ્રંથોમાં છે તેથી કે લૌકિક ન્યાય એવો છે તેથી એને ખરું માનશો નહીં. એ સુંદર, શ્રદ્ધાને અનુકૂળ કે શ્રવણપ્રસિદ્ધ છે માટે કે મને પૂજનીય ગણતા હો તેથી ખરું માનશો નહીં. પણ તમારી વિવેકબુદ્ધિથી જ્યારે મારું કથન તમને સાચું લાગે ત્યારે જ તેને ગ્રહણ કરજો. 

— ભગવાન બુદ્ધ

ગુરુદેવ ટાગોર અને ભગવાન બુદ્ધ સાથે સાથે યાદ આવવાનાં બે કારણ. એક તો ટાગોરનો જન્મદિન અને  બુદ્ધપૂર્ણિમા આ બે દિવસો વચ્ચે બહુ અંતર નથી હોતું. ટાગોરનો જન્મદિન 7 મેએ આવશે અને બુદ્ધપૂર્ણિમા એટલે કે વૈશાખ મહિનાની પૂનમ આ વર્ષે 1 મેએ હતી. આ એક. અને બીજું એ કે ટાગોરને જાતકકથાઓ બહુ ગમતી. જાતકકથાઓ એટલે બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ – માનવજીવનને સદાચાર તરફ વાળવાનો પ્રયાસ કરતી બોધકથાઓ. આ કથાઓની સંખ્યા 550 જેટલી છે અને મહાયાન અને હીનયાન આ બંને બૌદ્ધ સંપ્રદાયો જાતકકથાઓનો આદર કરે છે.

ટાગોરના પિતા ભગવાન તથાગતના ભક્ત હતા. ટાગોરના મોટા બે ભાઈઓએ બૌદ્ધ ચિંતન વિષે ઘણું લખ્યું છે. ટાગોરની શરૂઆતની કૃતિઓ પર બૌદ્ધ ફિલોસોફીની અસર છે. પોતે બ્રહ્મોસમાજી હતા એટલે મૂર્તિપૂજામાં ન માનતા, પણ ભગવાન બુદ્ધની મૂર્તિને ચરણે શીશ ઝુકાવતા અને એમને શ્રેષ્ઠતમ મહાપુરુષ કહેતા. બૌદ્ધ ચિંતન વિષે તેમણે લખ્યું છે અને પ્રવચનો પણ આપ્યાં છે. બૌદ્ધ ધર્મ જ્યાં જન્મ્યો તે સારનાથ ને બોરોબુદુરથી માંડીને એશિયન જે દેશોમાં તે વ્યાપ્યો તે મોટા ભાગનાં સ્થળે ટાગોર ગયા હતા, ત્યાંના વિદ્વાનોને મળ્યા હતા અને વ્યાખ્યાનો આપ્યાં હતાં. જે જાપાની-ચીની વિદ્વાનો બૌદ્ધ હસ્તપ્રતોની તલાશમાં આવતા તેમને ટાગોર મળતા અને ધર્મતત્ત્વની ચર્ચા કરતા. બૌદ્ધ ધર્મને ભારતમાં પુનર્જીવિત કરવામાં તેમને સારો એવો રસ હતો. 

સુદાસ માળીની વાત આપણે બધા જાણતા જ હોઈએ, પણ ટાગોર લખે ત્યારે એ વાત જુદી થઈ જાય:

એ રાત્રે તોફાન અને ગાજવીજ સાથે વરસાદ થયો. સુદાસે વહેલી સવારે જોયું તો કમળતળાવડીનાં તમામ પુષ્પો નાશ પામ્યાં હતાં. ફક્ત એક કમળ તેના પર કમળપત્રોની કુદરતી છત્રી રચાવાથી બચી ગયું હતું. ‘આજે પુષ્પોની તંગી થશે. આ કમળ રાજાને આપીશ તો મોં માગ્યાં દામ મળશે.’ વિચારતો સુદાસ કમળ લઈને રાજાના મહેલે જવા નીકળ્યો. હજી મહેલના દરવાજે પહોંચે છે ત્યાં એક શ્રેષ્ઠી મળ્યા, ‘ભાઈ, આ કમળ મને આપી દે, સોનાનો સિક્કો આપીશ.’ 

ત્યાં તો રાજાની સવારી નીકળી, ‘હે માળી, સારું થયું તું મને આ સુંદર પુષ્પ સાથે મળ્યો. આપ મને.’ 

‘માફ કરો અન્નદાતા, આ પુષ્પ આ શ્રેષ્ઠી ખરીદી ચૂક્યા છે.’ 

‘તેઓ આપશે તે કરતાં પાંચગણું દ્રવ્ય આપીશ. પણ પુષ્પ મને આપ.’ 

શ્રેષ્ઠી બોલ્યા, ‘મહારાજ, બીજો વખત હોત તો હું જ આ પુષ્પ આપને અર્પણ કરી દેત. પણ અત્યારે હું ભગવાન બુદ્ધનાં દર્શને જઈ રહ્યો છું. તેમનાં ચરણે ધરવા માટે જ પુષ્પ ખરીદી રહ્યો હતો. અવિવેક માફ કરજો, ગમે તેટલું દ્રવ્ય આપીને પણ પુષ્પ તો હું જ લઇશ.’

‘શ્રેષ્ઠી, બીજો વખત હોત હું પણ એક પુષ્પ માટે તમારી સાથે ચડસાચડસીમાં ન ઊતરત. પણ હું પણ ભગવાન બુદ્ધનાં દર્શને જઈ રહ્યો છું. મારે પણ તેમનાં ચરણે ધરવા માટે જ આ પુષ્પ જોઈએ છે. ગમે તેટલું દ્રવ્ય આપવા હું પણ તૈયાર છું.’ 

સુદાસે વિચાર્યું, ‘જે મહાનુભાવને માટે પુષ્પ ખરીદવા આ બંને તત્પર છે એમને જો હું જ આ પુષ્પ આપું તો મને અનેકગણું દ્રવ્ય મળે.’ રાજા અને શ્રેષ્ઠીની માફી માગી એ ગામબહાર બુદ્ધવિહારમાં ગયો. ગામલોકોએ બુદ્ધ માટે સિંહાસન, છત્રચામર વગેરેની વ્યવસ્થા કરી હતી, પણ બુદ્ધ તો એક મોટા વૃક્ષની છાયામાં બેઠા હતા. સુદાસ એમના મોં પરની આભા અને આંખોમાંથી વરસતી કરુણા જોઈને પોતે અહીં શા માટે આવ્યો છે તે ભૂલી ગયો. ક્યાં ય સુધી તેને એમ જ ઊભેલો જોઈ બુદ્ધ બોલ્યા, ‘વત્સ, અહીં આવ.’ સુદાસે છલકતી આંખે બુદ્ધનાં ચરણમાં મસ્તક અને ફૂલ બંને મૂકી દીધાં. 

‘કહે વત્સ, તને શું જોઈએ છે?’

‘આપશો? તો તમારાં ચરણનો એક રજકણ આપો. તેની સામે આખો સંસાર તુચ્છ છે.’ 

સુદાસ માળીની આ જાણીતી વાર્તા ટાગોરે કાવ્યરૂપે લખી છે. ગદ્યરૂપે લખાયેલી બીજી એક સુંદર વાર્તા જોઈએ: 

પટાચારા નામની એક શ્રીમંત કન્યા પોતાની પસંદગીના ગરીબ પુરુષ સાથે લગ્ન કરી દૂરના ગામે રહેતી હતી. એક બાળકના જન્મ પછી બીજું બાળક અવતરવાનું હતું ત્યારે પટાચારાને પિતા પાસે આવવાનું મન થયું. બાળકને લઇ પતિપત્ની ચાલી નીકળ્યાં. રસ્તામાં પ્રસૂતિ થશે એમ લાગતાં તેને સલામત જગ્યાએ બેસાડી પતિ લાકડાં કાપવા ગયો. બેત્રણ દિવસ સુધી તે આવ્યો નહીં. અહીં પટાચારાને દીકરો થયો. જરા ઠીક થતાં તે બંને બાળકને લઇ પતિને શોધવા નીકળી. જંગલમાં તેનું શબ મળ્યું. સર્પે તેને દંશ દીધો હતો. 

પતિને અગ્નિદાહ આપી બાળકોને લઇ તે પિતા પાસે જતી હતી ત્યાં રસ્તામાં નદી આવી. મોટા બાળકને કાંઠે બેસાડી તે નાના બાળકને લઇ નદીમાં ઊતરી. સામે કાંઠે બાળકને મૂકી તે પાછી ફરતી હતી ત્યાં એક બાજ નાના બાળકને માંસનો લોચો સમજી ઉઠાવી ગયું. પટાચારા બાજની પાછળ પાછી ફરી એ જોઈ માની રાહ જોતું મોટું બાળક નદી તરફ ખસવા લાગ્યું ને પાણીમાં પડી તણાઇ ગયું. તાજી પ્રસૂતિ ને એક સામટાં ત્રણ મૃત્યુ – પટાચારા પાગલ થઈ ગઈ. ન ખાવાપીવાનું ભાન રહ્યું, ન વસ્ત્રોનું. કલ્પાંત કરતી તે ભટકવા લાગી અને ભગવાન બુદ્ધ જૈતવનમાં ઉપદેશ આપતા હતા ત્યાં આવી ચડી. 

તેનાં હાલહવાલ જોઈ લોકોએ તેને રોકી. ભગવાન બોલ્યા, ‘તેને આવવા દો.’ અને પટાચારાને કહ્યું, ‘તારી ચેતના પાછી લાવ, ભગિની.’ એ ભગવાનના ચરણોમાં પડી હૈયાફાટ રડી અને પછી બેભાન થઈ ગઈ. 

ભાન આવ્યું ત્યારે તથાગત હાથપગ ધોઈ રહ્યા હતા. કહે, ‘જો, પુત્રી! આ ઢોળાતા પાણીને જો. પહેલા જે પાણી ઢળ્યું તે થોડું દૂર જઈને અટકી ગયું. બીજું પાણી તેથી થોડું દૂર અને ત્રીજું પાણી તેનાથી થોડું દૂર જઈને અટકી ગયું. જીવન આવું છે. કોઈનું થોડું વહેલું તો કોઈનું થોડું મોડું, પણ બધાનું જીવન અટકે છે. બધું મરણધર્મી છે, બધું અનિત્ય છે. તું પણ, હું પણ.’

ધીરે ધીરે પટાચારા શાંતિ પામી. તેણે પ્રવજ્યા લીધી અને પંડિતા થઈ.

ટાગોરને જાતકકથાઓ ખૂબ પ્રિય હતી. કહેતા, ‘જાતકકથાઓ દ્વારા બુદ્ધનું શ્રેષ્ઠ લોકોના હૃદય સુધી પહોંચ્યું છે. આ જ જ્ઞાન જો તેમણે સંસ્કૃતમાં અને શાસ્ત્રોની ભાષામાં આપ્યું હોત તો એક મોટો સમુદાય તેનાથી વંચિત રહ્યો હોત. બુદ્ધને લોકો સુધી પહોંચવું હતું માટે તેમણે કથાઓ દ્વારા, ત્યારની બોલાતી ભાષામાં વાત કરી અને સમાજમાં અનેક પરિવર્તન આણ્યાં.’

બુદ્ધ એમના સમયના મોટા રેશનાલિસ્ટ અને રિવોલ્યુશનરી બંને હતા. જાતિભેદ, વર્ણભેદ, યજ્ઞમાં પશુબલિ, માંસાહાર, સ્ત્રીઓને આત્મસાધના ન કરવા દેવી જેવી ત્યારની રૂઢિઓને તેમણે તોડી. ધર્મનો અર્થ અંત:કરણમાં શુભ વૃત્તિઓની સ્થાપના એવો કર્યો અને પોતાની મુક્તિ પોતે જ સાધવાની છે એમ કહી કર્મકાંડનો છેદ પણ ઉડાડી દીધો. એમનાં વચનો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે જેટલાં ત્યારે હતાં. ટાગોરે સાચું જ કહ્યું છે, બુદ્ધ વિના પ્રબુદ્ધ નહીં થવાય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 મે  2026

Loading

કુછ દિલ ને કહા, કુછ ભી નહીં 

સોનલ પરીખ|Opinion - Opinion|12 June 2026

ઐસી ભી બાતેં હોતી હૈં, ઐસી ભી બાતેં હોતી હૈં

કુછ દિલ ને કહા, કુછ ભી નહીં

કુછ દિલ ને સુના, કુછ ભી નહીં

 

લેતા હૈ દિલ આંગડાઇયાં ઇસ દિલ કો સમજાયે કોઈ 

અરમાં ન આંખેં ખોલ દે, રુસવા ન હો જાયે કોઈ 

પલકો કી ઠંડી સેજ પર સપનોં કી પરિયાં સોતી હૈં 

 

દિલ કી તસલ્લી કે લિયે, જૂઠી ચમક જૂઠા નિખાર 

જીવન તો સૂના હી રહા સબ સમજે આઈ હૈ બહાર 

કલિયોં સે કોઈ પૂછતા હંસતી હૈં વો યા રોતી હૈં  

જ્યારે હૃદયને કઈં કહેવું હોય, અને હોઠ એ ન કહીને પણ કહેવાનો પ્રયત્ન કરે ત્યારે વાત કેટલી નાજુક બની જાય? આવી નાજુક વાતને એક ફિલ્મના ગીત તરીકે લખવી એ ભારે ગજું માગી લે એવી બાબત છે. આપણે નસીબદાર છીએ કે આપણા કેટલાક ગીતકારો ઉત્તમ શાયર પણ છે, જે આવી નાજુક વાતને શબ્દોમાં એવી ખૂબીથી મૂકી શકે છે કે ગીત કવિતા બની જાય, ક્લાસિક બની જાય, કલ્ટ બની જાય. આવા એક શાયર એટલે સૈયદ અખ્તર હુસૈન રિઝવી. ન ઓળખ્યા? તો તેમનું બીજું નામ કહું – કૈફી આઝમી. ૧૦ મેએ કૈફી આઝમીની પુણ્યતિથિ છે, એ નિમિત્તે યાદ કરીએ એમને અને એમની અનુપમ ‘અનુપમા’ને. 

વાત ચાલતી હતી અભિવ્યક્તિની નજાકતની. નાજુક અભિવ્યક્તિ માટે પ્રેમીનું, કવિનું ગજું હોય તો જ કળીને નુકસાન ન થાય એવી ઋજુતાથી તેની પાંખડી જરા જેટલી ખસેડીને અંદર છુપાયેલી સુગંધને મુક્ત કરી શકાય. આ કોઈ રેંજીપેંજીનું કામ નથી. ‘અનુપમા’નું ગીત ‘કુછ દિલ ને કહા, કુછ ભી નહીં’ સાંભળીએ ત્યારે આપણને એવી ગજાદાર પણ કુસુમકોમળ કલમનો પરિચય થાય. સ્ત્રીત્વની આવી નજાકતનો સ્નેહ-આદર કરનાર કવિ જ્યારે સ્ત્રીને ગરમ શ્વાસોની આંચમાં પીગળી જવા માટે ઠપકો આપે અને કહે, ‘રુત બદલ ડાલ અગર ફૂલના-ફલના હૈ તુઝે, જિસ મેં જલતા હૂં ઉસી આગ મેં જલના હૈ તુઝે’ ત્યારે તેમાંથી ક્રાંતિની જ્વાળાઓ પણ પ્રગટે. સાચું જ છે, કલમના વ્યાપનો કોઈ અંત નથી. એટલે જ તો આ ગીત બન્યાને 60 વર્ષ થઈ ગયાં છતાં તે આપણને દુનિયાની આટલી ધમાલ વચ્ચે પણ વહેલી સવારની હવા જેવું તાજું અને ફૂલની પાંખડી પર અટકેલી ઝાકળ જેવું ભીનું લાગે છે. આમ થવાનાં બીજાં કેટલાક કારણ પણ છે : જેનાં નામ છે સંગીતકાર હેમંતકુમાર, ગાયિકા લતા મંગેશકર, ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોરની જોડી અને લેખક-દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીનું કલાત્મક સાદગીભર્યું ફિલ્માંકન. 

‘અનુપમા’નું મુખ્ય પાત્ર અનુપમા (શર્મિલા ટાગોર) અત્યંત શાંત છે કારણ કે તે ખૂબ એકલી છે. તેની મા તેને જન્મ આપતાં મૃત્યુ પામી છે. પિતા આ ઘટનાના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી અને એટલે દીકરીને અપનાવી શક્યા નથી. અનુપમાનાં લગ્ન અમેરિકન દેવેન વર્મા સાથે નક્કી થયાં છે. બંને એકબીજાને ઓળખે છે, પણ મૈત્રી થઈ શકી નથી. આવા સમયે એક લેખક અશોક (ધર્મેન્દ્ર) ધીરેથી અનુપમાની એકલતામાં પ્રવેશે છે. આ એ નાજુક પળનું ગીત છે. લોકો વચ્ચે ભાગ્યે જ એકાદ શબ્દ બોલતી અનુપમા પહાડોમાં ઊગી રહેલી સવારના એકાંત સૌંદર્ય વચ્ચે મન ખોલે છે અને તેનાં સ્વપ્નો, તેની એકલવાઈ જિંદગીને કહે છે, ‘ઐસી ભી બાતેં હોતી હૈ, ઐસી ભી બાતેં હોતી હૈં’ બે વાર અમસ્તું નથી કહેવાયું. પુનરાવર્તન પછી પણ છે : ‘કુછ દિલ ને કહા, કુછ ભી નહીં, કુછ દિલ ને સુના, કુછ ભી નહીં’ માત્ર એક શબ્દના ફરકથી આખી વાત કેવી અર્થસભર બની જાય છે! અશોક દૂરથી તેને એકલી ફરતી, ગુંજતી હોય એમ ગાતી જુએ છે. અશોક માટે એ પળ અનુપમાના મૌનને, તેના ક્યાં ય વ્યક્ત ન થયેલા મનને સમજવાની શરૂઆત છે. ખૂબ અસરકારક રીતે અને ખૂબ સંયમથી આખી સ્થિતિ મુકાઇ છે. ગીત એવું બન્યું છે કે જેને પામી શકાય, સમજાવી શકાય નહીં. 

એ વર્ષનો બેસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીનો ઍવોર્ડ ‘અનુપમા’ માટે જયવંત પઠારેને મળ્યો હતો. આ ગોટ માટે તેમણે લીધેલો એંગલ જ કેટલો અદ્દભુત છે મહાબળેશ્વરના પહાડી રસ્તા પર નાયક ઉભેલો છે, નીચે ઊંચાં વૃક્ષો વચ્ચે ચાલતી-ગાતી નાયિકા છે અને એની ય નીચે કહીં વિસ્તરેલી દેખાય છે. આમ ઊંચાઈ અને ઊંડાઈનાં ત્રણ સ્તર એકસાથે દર્શકની નજરને આવરે છે અને જિંદગીનાં, સંવેદનનાં વિવિધ સ્રોતો નું જાને પ્રતીક બની જાય છે. 

એક સુંદર ફિલ્મ હોવા ઉપરાંત ‘અનુપમા’ અનેક કારણોસર હિંદી સિનેમાના અભ્યાસીઓએ પણ જોવા જેવી છે. આ ફિલ્મ બિમલ રૉયને સમર્પિત કરાઈ છે. મોટા ભાગની ટીમ બિમલદાની જ છે અને હૃષિદાની શૈલી પણ એમની યાદ અપાવે તેવી છે. મુખ્ય પાત્રો સાથે શશીકલા, ડૅવિડ અને દેવેન વર્માનો અને સગી દીકરી માટે પ્રેમ અને ધિક્કાર જેનામાં એકસાથે વસે છે તેવા પિતા તરીકે તરુણ બૉઝનો અભિનય સુંદર છે. 

સિનેમેટોગ્રાફી, પટકથા, એડિટિંગ, સંગીત અને અભિનય આ પાંચ ફિલ્મની કસોટી છે. એ દરેક કસોટીમાંથી ‘અનુપમા’ ખરી ઊતરી છે. કલાવિવેચકો તેને ‘ધ બ્લૅક એન્ડ વ્હાઈટ ક્લાસ ડ્રામા ધૅટ સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ ઇંડિયન પોપ્યુલર સિનેમા ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા’ કહે છે તે યોગ્ય જ છે. 

આઝમગઢના મિઝવાન ગામે 1919માં જન્મેલા કૈફી આઝમીએ પહેલી ગઝલ 11 વર્ષની ઉંમરે લખી. શરૂઆતની ગઝલો પારંપરિક પ્રેમ-વિરહ વગેરે વિષયોમાં લખાઈ. એ પછી ડાબેરી વિચારધારા, કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાણ અને પ્રોગ્રેસિવ રાઈટર્સ મુવમેન્ટમાં સક્રિયતાના પરિણામે એમની શાયરીમાં સામાજિક ક્રાંતિ અને અન્યાય-શોષણનો વિરોધ સામેલ થયા. અને તેમના શબ્દો એક જુદો જ રંગ, જુદો જ મિજાજ લઈ વ્યક્ત થવા લાગ્યા. 

આમ કૈફી આઝમીની પ્રતિભા શાયર કરતાં વિરાટ હોવા છતાં તેમની સૌથી મોટી અને તેમના વ્યક્તિત્વનાં અન્ય પાસાંઓ પર એક કે બીજી રીતે છવાઈ રહેલી ઓળખ તો એક શાયર તરીકેની જ છે. ‘ઝુમ ઝુમ ઢલતી રાત’, ‘મૈં યે સોચકર ઉસકે દર સે ચલા થા’, ‘ઊઠ મેરી જાન’, કર ચલે હમ ફિદા’, ‘કોઈ યે કૈસે બતાયે કિ વો તનહા ક્યોં હૈ’, ‘મેરી આવાઝ સુનો, ‘તુમ્હારી ઝુલ્ફ કે સાયે મેં’ ‘જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ યે આંખે મુઝમેં’ જેવાં ગીતો તેની સાહેદી પૂરે છે.

પચાસ વર્ષની યાત્રામાં તેમણે પચાસેક ફિલ્મોનાં ગીતો લખ્યાં. એમના ઘણા સમકાલીનોએ આટલાં સમયમાં આનાથી ઘણાં વધારે ગીતો આપ્યાં છે, પણ ગુણવત્તાની વાત થાય ત્યારે કૈફી આઝમી એમાંના મોટા ભાગના કરતાં ઘણા વધારે આગળ હોય છે. ખરું જોતાં સાહિર, કૈફી અને જાંનિસાર અખ્તરે સ્વાતંત્ર્યોત્તર ન્યૂ વૅવ સિનેમામાં ગીતોની કાયાપલટ કરી નાખી એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કે.એ. અબ્બાસ અને બિમલ રૉય પોતાનાં આધુનિક સર્જનો માટે સાહિર અને મજરુહ જેટલા જ કૈફીને પસંદ કરતા. પદ્મશ્રી સહિત અનેક સન્માનપ્રાપ્ત કૈફી આઝમીના નામનો એક રસ્તો નવી દિલ્હીમાં બન્યો છે. 

‘પલકોં કી ઠંડી સેજ પર સપનોં કી પરિયાં સોતી હૈં’માં કેવી નમણી સુંદરતા છે અને ‘જાને કયા ઢૂંઢતી રહતી હૈ યે આંખેં મુઝમેં, રાખ કે ઢેર મેં શોલા હૈ ન ચિનગારી હૈ’માં કેવી આઘાતજનક કઠોરતા છે! કૈફીનાં ગીતો આપણને ફરીવાર એ સત્ય સમજાવે છે કે શાયરનાં સુખ-દુ:ખ નિરાળાં હોય છે, એને બીજું કોઈ જાણી શકે નહીં. ઐસી ભી બાતેં હોતી હૈં … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 01 મે 2026

Loading

...891011...203040...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved