Opinion Magazine
Number of visits: 10080007
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2026

રમેશ ઓઝા

તમને ખબર છે આજથી સો વરસ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? હિન્દુઓને બહાદુર બનાવવા. હિંદુઓની અંદર શૌર્યનું સિંચન કરવા. હિંદુઓની આવનારી નસલ જરૂર પડ્યે બહાદુરી બતાવવામાં અન્ય પ્રજાથી જરા ય પાછળ ન રહે એ માટે. સંઘના વૈચારિક ગુરુ (આઈડિયોલોગ) વિનાયક દામોદર સાવરકરે તો આ વિષે વિગતે વિવેચન કર્યું છે. સંઘના પ્રકાશિત સાહિત્યમાં (સંઘ બે પ્રકારે વિચાર-વ્યાપાર કરે છે. એક પ્રકાશન દ્વારા અને દશેરા જેવા જાહેર વ્યાખ્યાન દ્વારા જે આપણા માટે હોય છે અને બીજું કર્ણોપકર્ણ જે સ્વયંસેવક માટે જ હોય છે. એને છાપવામાં નથી આવતું કે જાહેરમાં કહેવામાં નથી આવતું, કાનમાં કહેવામાં આવે છે અને એ પણ નિર્ધારિત સીનિયોરિટી પ્રાપ્ત કરનારાને જ ફક્ત) પણ આ વાત કહેવાઈ છે. 

તેઓ એમ માને છે અને હમણાં કહ્યું એમ સાવરકરે તો તેમની આક્રમક શૈલીમાં વિવેકની પરવા કર્યા વિના કહ્યું છે કે હિંદુ દાર્શનિક પરંપરાએ અને એમાં ઓછુ હતું તે શ્રમણ પરંપરા (મહાવીર અને બુદ્ધ) એ હિંદુઓને કાયર બનાવ્યા છે. મહાવીર અને બુદ્ધ માટે તો એ આકરી ભાષામાં લખે છે. તેમણે મધ્યકાલીન હિંદુ સંતોને પણ છોડ્યા નથી. એમાં વળી હિંદુઓના દુર્ભાગ્ય કે જ્યારે જગતમાં પોતાની જગ્યા બનાવવાની હોડ શરૂ થઈ છે અને જે તે પ્રજા એકબીજાનાં ગળાં કાપે છે ત્યારે હિંદુઓના દુર્ભાગ્યે ગાંધીજી આવ્યા. આ માણસ અહિંસાની ગાંડીઘેલી વાતો કરે છે અને હિંદુઓને હજુ વધુ કાયર બનાવે છે. આ મોહનદાસ ગાંધી નામના પેરેસાઈટ, પ્લેગ (આ ગાંધીજી માટે સાવરકરે વાપરેલા તેમના જ શબ્દો છે.) 

સંઘના સ્થાપક કે.બી. હેડગેવારના એક બીજા ગુરુ પણ હતા જેનું નામ ડૉ બાલકૃષ્ણ સીતારામ મુંજે હતું. તેઓ નાગપુરના હતા અને દાકતરી પ્રેક્ટીસ કરતા હતા. મુંજેએ કહ્યું કે હિંદુઓના દુર્ભાગ્ય તો જુઓ; આ ગાંધી નામના માણસથી હિંદુઓને છોડાવી શકે એવો કોઈ હિંદુ નેતા બચ્યો નથી. લોકમાન્ય તિલક ગુજરી ગયા છે, બિપિન ચન્દ્ર પાલ લંડન જતા રહ્યા છે, લાલા લાજપત રાય છે, પણ એ ગાંધીને મદદ કરતા થઈ ગયા છે. મદનમોહન માલવિય મવાળ છે. ચાલો, આપણે પોંડીચેરી જઈએ અને અરવિંદ ઘોષને સમજાવીએ કે તેઓ રાજકારણમાં પાછા આવે અને સદીઓથી રાંકડા હિંદુઓને આ ગાંધી હજુ વધુ રાંકડા બનાવી રહ્યો છે તેને રોકે. કાયર હિંદુ કેવી રીતે નિર્મમ વિધર્મીઓનો સામનો કરશે. એમ કહેવાય છે કે અરવિંદ ઘોષે ત્યાંને ત્યાં જ રાજકારણમાં પાછા ફરવાની ના પાડી હતી. કેટલાક લોકો એમ પણ કહે છે કે અરવિંદે સાધના છોડીને રાજકારણમાં પાછા ફરવાનો કેટલોક સમય વિચાર કર્યો હતો અને એ પછી ના પાડી હતી. જ્યારે અરવિંદની ના આવી એટલે ડૉ મુંજે ૧૯૩૧ની સાલમાં ઇટલી ગયા અને બેનેટીન મુસોલિનીને મળ્યા. મુસોલિની ઈટાલિયનોને મર્દ બનાવવા અને જરૂર પડ્યે મર્દાનગી બતાવવા કેવી રીતે તાલીમ આપી રહ્યો છે અને કેવી રીતે સંગઠિત કરી રહ્યો છે તે જોવા સમજવા. મુસોલિનીની પ્રેરણાથી સ્વયંસેવકોને અર્ધ-લશ્કરી તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું અને તેમણે નાસિકમાં ભોંસલા મિલીટરી સ્કૂલ સ્થાપી. સંઘનિર્મિત બહાદુર હિન્દુત્વવાદી હિંદુઓ જ દેશને સંકટથી બચાવી શકશે. આ ગાંધી હિંદુઓને નપુંસક બનાવી રહ્યો છે.

આ લાંબી પૃષ્ઠભૂમિ આપવાનું કારણ એ છે કે તમને ખ્યાલ આવે કે બહાદુરી માટે તેમને કેટલું આકર્ષણ છે. તેમની વાણીમાંથી બહાદુરી ટપકતી જોવા મળશે. નરેન્દ્ર મોદી જેવા વાચાળ લોકોના મોઢામાંથી તો બહાદુરી ટપકતી નથી, વહે છે. ચોવીસે કલાક તેઓ બહાદુર હિંદુઓનાં સપનાં જુએ છે. બહાદુર હિંદુઓનાં દૃષ્ટાંતો આપે છે. ઐતિહાસિક પુરુષોની બહાદુરીનાં અતિરંજક વર્ણનો કરે છે અને ઉદાહરણ આપે છે. કોઈ બહાદુરનો પરાજય થયો હોય તો તેને વિજયમાં ફેરવે છે, જેમ કે હવે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો પરાજય નહોતો થયો, વિજય થયો હતો. ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓના ઓવારણા લે છે. તેમને એ ખબર નથી કે બહાદુરી લડવામાં છે, જય-પરાજય ગૌણ છે. જે લડવા માટે મેદાનમાં ઉતરે એ બહાદુર. આ વાક્ય યાદ રાખજો, સંઘની બહાદુરી સમજવા માટે આ લેખમાં આગળ કામમાં આવશે. 

અહિંસાના અતિરેકે હિંદુઓને કાયર બનાવ્યા છે એમ માત્ર સાવરકરે એકલાએ નથી કહ્યું, સાવરકરના એક નંબરના દુ:શ્મન ગાંધીજીએ પણ કહ્યું છે. પણ દૃષ્ટિકોણમાં ફરક છે. તેમણે કહ્યું હતું કે અહિંસાનો કેવળ શબ્દિક અર્થ અપનાવવાના કારણે હિંદુઓ કાયર બન્યા છે. અન્યાય સામે લડવું તો હિંસા કરવી પડે અને શાસ્ત્રોમાં હિંસા વર્જ્ય છે તો પછી અન્યાય સહન કરવા સિવાય બીજો શું વિકલ્પ? આ અહિંસાની ખોટી સમજ છે. ગાંધીજીએ એક વખત નહીં, અનેક પ્રસંગે કહ્યું છે કે અન્યાય અને અત્યાચારનો સામનો કરવા જરૂર પડ્યે હિંસા કરવી પડે તો એ ધર્મ છે, પણ અન્યાય અને અત્યાચાર સહન કરવા, કે તેને જોતા રહેવું કે મૂંગા રહેવું એ કાયરતા છે. 

હવે લાખ રૂપિયાનો સવાલ અથવા મુદ્દાની વાત: 

હિંદુઓની બહાદુરી જોવા તમે તલસો છો, સો વરસથી બહાદુર હિંદુ પેદા કરવા માટે પરસેવો પાડો છો, તમે હિંદુ શૌર્યનું નેરેટિવ વિકસાવ્યું છે, હિંદુ શૌર્યનો ખાસ ઇતિહાસ લખ્યો છે, ત્યારે આય રિપીટ ત્યારે, જન્તર મન્તર અને દેશભરમાં અન્યત્ર લબરમૂછિયા હિંદુ તરુણોની બહાદુરી જોઇને તમારી છાતી તો ગજ ગજ ફૂલવી જોઈતી હતી. તમારી આંખ ભીની થવી જોઈતી હતી જેમ આ લખનારની થઈ હતી. રાણા પ્રતાપ, શિવાજી મહારાજ અને બીજા જે કોઈ બહાદુર હિંદુઓ થઈ ગયા છે એ સ્વર્ગમાંથી તરુણોની બહાદુરી જોઇને ફૂલ વરસાવતા હશે. તો તમને કઈ વાતનું ઓછું પડ્યું? એક યુવતી (હિંદુ સ્ત્રી) એકલે હાથે પોલીસની વેનને રોકે, એક માં (હિંદુ માં) પોતાનાં બે બાળકોને પોલીસને આપે અને કહે કે મારી નાખો આને, એક યુવક ભાગ્યા વિના ખામોશ ઊભો રહીને પોલીસની લાઠી ખાય, એક યુવક પોલીસને પૂછે કે, “આજ અશ્રુ ગેસ કી વ્યવસ્થા નહીં હૈ ક્યા?” એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.” અને આવા તો હિંદુ યુવાઓની બહાદુરીનાં સેંકડો દૃશ્યો જોવા મળ્યાં હતા જે તમે પણ જોયા હશે. 

જે લોકો હિંદુઓની બહાદુરી જોવા તલસે છે એને કઈ વાતનું ઓછું પડ્યું? કઈ કસર રહી ગઈ હિંદુ યુવાઓની બહાદુરીમાં? આ જ તો તમારું ધ્યેય છે ને? તમે તમારું આયખું અને સો વરસની તપશ્ચર્યા આવો રૂડો દિવસ જોવા માટે ખર્ચ્યું છે ને? એ રૂડો દિવસ આવ્યો તો પછી તમને કઈ વાતે ઓછું પડ્યું? શું જોઈએ છે આના કરતાં વધુ? પાછો કેવો થનગનાટ! કેવી ઉર્જા! કેવી મૌલિકતા! કેવી બુદ્ધિપ્રતિભા! કેવો વિનોદ! કેવો આત્મવિશ્વાસ! અહિંસક માર્ગ અપનાવીને હિંદુ તરુણોએ કેવી બહાદુરી બતાવી! તમે તો આવી બહાદુરી ક્યારે ય બતાવી નથી. આઝાદીની લડતમાં ભાગ લીધો નહોતો. શહીદી કે ખુવારી વહોરી નથી. અન્યાય સામે સંઘર્ષ કર્યો નથી. સો વરસમાં એક પણ સ્વયંસેવક શહીદ થયો નથી. થનગનાટ, મૌલિકતા, તાર્કિકતા, વિનોદ અને આત્મવિશ્વાસ તો દૂરની વાત છે. માત્ર ગાળો દેતા આવડે છે, ચર્ચા પણ કરી શકતા નથી. અને ભય? ટીકાકારોનો ભય, સ્વતંત્ર પત્રકારોનો ભય, પ્રશ્નનો ભય, વિદ્વાનોનો ભય, વિરોધ પક્ષોનો ભય, સંસદનો ભય, મુક્ત ચર્ચાનો ભય, સ્વતંત્ર નાયતંત્રનો ભય, કલાકારોની કૃતિનો ભય એમ સર્વત્ર તમને ભય દેખાય છે અને ભય તમારા ચહેરા પર પણ દેખાય છે. ભારત માતાને તમારા જેવા હિંદુઓનો ખપ છે કે જન્તર મન્તર અને અન્યત્ર નજરે પડેલા તરોતાજા થનગનાટથી છલકતા બહાદુર હિંદુઓનો? કોના થકી ભારત માતાનું ભવિષ્ય સુરક્ષિત છે?  

તો વાત એમ છે કે સંઘની સ્થાપના વખતે કહેવામાં આવે છે એમ બહાદુર હિંદુઓ પેદા કરવા માટે સંઘની રચના થઈ હતી તો પછી તમને કઈ વાતનું ઓછું પડ્યું? અને તાર્કિક રીતે જોઈએ તો આ યુવાઓ તમારી શાખામાંથી પેદા થયેલા હોવા જોઈતા હતા, કારણ કે બહાદુરી તો તમે શીખવાડો છો. એવો તમારો દાવો છે. જેણે બહાદુરીનો જાપ જપવામાં આયખું ખર્ચ્યું એ સો વરસમાં ક્યારે ય બહાદુરી બતાવી શક્યા નથી અને જેનો કહેવાતા બહાદુરો સાથે દૂરદૂરનો સંબંધો નથી એ બહાદુરી બતાવવામાં આગળ નીકળી ગયા. 

કારણ શું? કારણ એ છે કે સંઘની સ્થાપના બહાદુર હિંદુઓ પેદા કરવા માટે નહોતી કરવામાં આવી, ધૂર્ત હિંદુઓ પેદા કરવા માટે કરવામાં આવી છે. ગાંધીજી સાથે તેમનો વાંધો અહિંસાને લઈને નથી, નૈતિકતાને લઈને છે, સાધનશુદ્ધિને લઈને છે. આ વાત સંઘનું પ્રકાશિત સાહિત્ય વાંચવાથી નહીં સમજાય, પણ તેમનું આચરણ જોઇને સમજાશે. આ સિવાય સાવરકરને વાંચવાથી સમજાશે. સાવરકર અભિવ્યક્તિમાં કંઈક અંશે પ્રામાણિક હતા. ગાંધીજી સદ્દગુણની ઉપાસના કરતા હતા અને સાવરકરે સદ્દગુણને વિકૃતિ કહી છે. છેતરપીંડી, વિશ્વાસઘાત અને કોઈ પણ રીતે બચી નીકળવાનો તેમણે મહિમા કર્યો છે. ખાતરી કરવી હોય તો સાવરકરને વાંચી જાઓ. 

સંઘની સો વરસની જહેમત પછી પણ બહુમતી હિંદુઓ મુઠ્ઠીમાં આવ્યા નથી અને સંઘનાં શતાબ્દી વર્ષમાં ૨૦-૨૫ વરસના તરુણ તરુણીઓએ તો કેપ્ચરીંગ હિંદુઝના પ્રોજેક્ટના ફુરચા બોલાવી દીધા. 

કારણ? વિચારી જુઓ. જવાબ મળી રહેશે. જવાબ શોધવો જરા ય અઘરો નથી.  

Loading

 પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 August 2026

રવીન્દ્ર પારેખ

એવું ક્યાંક વાંચ્યાનો ખ્યાલ છે કે વિદ્યાસહાયક યોજના નિષ્ફળ ગઈ છે, પણ એમાં તો ભરતીઓ ચાલુ જ છે ને આ વખતે 11,000થી વધુ ભરતી થવાની છે. એ સાથે જ 700 જેટલી જગ્યાઓ અનામત પણ રાખવામાં આવી છે. 11,000ની ભરતીની વાત તો જૂની છે, તે 2026 સુધી આવી છે. કદાચ આવતે વર્ષે પણ એ 11,000નો આંકડો ફરી દેખાય તો નવાઈ નહીં. પાછળથી એવી હકીકત પણ બહાર આવી છે કે પ્રવાસી શિક્ષક યોજના નિષ્ફળ ગઈ છે ને તેને બદલે જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવી છે. યોજનાઓ ઘડ્યા કરવામાં શિક્ષણ વિભાગનો જોટો નથી. 2015 – ‘16માં શરૂ થયેલી પ્રવાસી શિક્ષક યોજના બંધ એટલે થઈ કે એમાં પગાર ઓછો આપવામાં આવતો હતો. એ યોજના 2023માં જ્ઞાન સહાયકમાં બદલાતાં પગાર બમણો થઈ ગયો છે, પણ આશ્ચર્ય એ છે કે 2016માં શરૂ થયેલી પ્રવાસી શિક્ષક યોજના 2023 સુધી પણ માંડ ચાલી, તો એવી તઘલખી યોજનાઓ બનાવવાનો મતલબ શું છે? આજની તારીખમાં પણ યોજના માટે ઉમેદવારો મળતા નથી, એટલે જ્ઞાન સહાયક યોજના કેટલું ટકશે તે પણ જોવાનું રહે. આ યોજના મુજબ પ્રાથમિકમાં 21 હજાર, માધ્યમિકમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 26,00૦નું ઉચ્ચક માનદ્દ વેતન સ્વીકારાયું છે. એ પણ છે કે ભરતીની જાહેરાત થતી રહે છે, એટલી ભરતી થતી નથી. 

તાજેતરમાં કાનૂની વિવાદ છતાં વિદ્યાસહાયકોની ભરતી કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એ હિસાબે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની વાત ફરી એક વાર સામે આવી છે. જો કે ટેટ-1 પરીક્ષાને આધારે વિદ્યાસહાયકોની ભરતીને પડકારતી અરજી સંદર્ભે 700 સીટ અનામત રાખવાનો પણ આદેશ છે. ગુજરાતમાં ટેટ-1 પરીક્ષાને આધારે ભરતીની પ્રક્રિયા શરૂ થઇ હતી, પણ કેટલાક ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવતા ને ભરતીના નિયમો સામે વાંધા ઉઠાવતી ઢગલો રિટ અરજીઓ થતાં સમગ્ર ભરતી પ્રક્રિયા અટવાઈ પડી હતી. એમાં અન્યાય, લાયક ઉમેદવારોને થતો હોવાથી હાઈકોર્ટે ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી છે. છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાસહાયકોની ભરતીનો ઉદ્દેશ, ભરતી પ્રક્રિયાને સરકાર દ્વારા આગળ ધપાવવાનો લાગે છે. સરકારી વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે વિવાદી 700 સીટને અલગ રાખીને બાકીની દસેક હજાર જગ્યાઓ પર ભરતીની મંજૂરી હાઈકોર્ટ આપે. સરકાર તરફથી અદાલતનું એ મુદ્દે ધ્યાન ખેંચવામાં આવ્યું હતું કે જે મુદ્દે અરજીઓ કરવામાં આવી છે, તેનાં હિતોનું રક્ષણ પણ કરવામાં આવશે. 

તે ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા 2027 સુધીમાં બીજી પાંચેક હજાર ભરતીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ થતાં જેમણે હાલ અરજી કરી છે તેમને પણ ભરતીનો પૂરતો લાભ મળશે. હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા પછી ભરતીનો આદેશ આપ્યો છે, પરિણામે ભરતીની મોકળાશ વધી છે.

એક તરફ વિદ્યાસહાયકોની ને અન્ય પદોની ભરતી માટે સરકાર કરકસર કરે છે ને બીજી તરફ ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય એવી સ્થિતિ પણ છે. આ સ્થિતિ સ્કૂલ, કોલેજ સંદર્ભે જ નથી, યુનિવર્સિટી કક્ષાએ પણ ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોય એવી સ્થિતિ છે. બધી જ શરમ બાજુ પર મૂકીને કુલપતિ લેવલની વ્યક્તિ આટલી ભ્રષ્ટ હોય એ આઘાત આપનારી બાબત છે. યુનિવર્સિટીઓ આજકાલ રાજકીય પ્રવૃત્તિઓનો અખાડો બની ગઈ છે ને કુલપતિ કક્ષાની વ્યક્તિઓ એમાંથી બાકાત નથી. યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક જ રાજકીય વગની મહોતાજ છે. કુલપતિના પદ પર એકેડેમિશિયનની અપેક્ષા લગભગ રહી નથી, પણ રાજકીય વગ કઈ હદની છે, તે વાત વધારે મહત્ત્વની છે. શિક્ષણ નહીં, પણ રાજકારણ એ કુલપતિની વધારાની લાયકાત છે. હવે ખાનગી કે જાહેર યુનિવર્સિટીમાં કુલપતિનો એવો પ્રભાવ રહ્યો નથી કે એક વિશાળ સમૂહને આકર્ષી શકે ને એવા વિદ્યાર્થીઓ પણ નથી કે તે કોઈ રાજકીય પક્ષનો હાથો બન્યા વગર સક્રિય હોય. વિદ્યાર્થીઓ રાજકારણ શીખે એનો તો શો વાંધો હોય, પણ રાજકારણ કરે ત્યારે વિચારવાનું રહે. 

નીરજા ગુપ્તા

ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે, પણ તેની જે પ્રતિષ્ઠા હતી, તે હવે રહી નથી, તે એટલે પણ કે કુલપતિઓને રાજકીય સંસ્પર્શ વગરનું જીવન હવે માફક જ આવતું નથી. એ યુનિવર્સિટીનું એટલે જ એવું કૌભાંડ બહાર આવ્યું છે, જે ગુજરાતમાં બેજોડ છે. ગુજરાત યુનિવર્રસિટીના ને ગુજરાતની યુનિવર્સિટીઓમાં આવો કાંડ ઇતિહાસમાં પહેલી વાર થયો છે ને તે યુનિવર્સિટીના પૂરા દસ માનનીય સભ્યોને સસ્પેન્ડ કરવાનો – 

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની રહેમ નજરથી 10 સભ્યોને અઢી લાખથી 5 લાખનાં માસિક પગારની લ્હાણી, ત્રણ વર્ષ સુધી કરવામાં આવી હતી. સરકારની ઢીલાશ અને નિયમો બાજુ પર મૂકીને રાષ્ટ્રપતિ કક્ષાનો પગાર ચૂકવાયો ને એવું કોઈ ખાસ કામ યુનિવર્સિટીનું થયું નથી. તેમાં એક સભ્ય તો બબ્બે જગ્યાએથી પગાર લેતા હતા. નીરજા ગુપ્તા તો નિવૃત્ત થઇ ચૂક્યાં છે અને હાલના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ ત્રણ સભ્યોની એક કમિટી નીમી છે ને નિષ્પક્ષ તપાસ થઈ શકે એ માટે આ દસેય સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીને કોઈ કુલપતિ નિરાંતે લૂંટાવા દે તેવો આ પહેલો કિસ્સો છે. વારુ, આ સભ્યો કોઈક વિષયના નિષ્ણાત હોય અને તેમના દ્વારા યુનિવર્સિટી અદ્દભુત વિકાસ સાધી શકી હોય, તો આટલો ધુમાડો કૈંકે લેખે લાગે, પણ એવી વાત પણ આ સભ્યોમાં ન હતી. તો, એ સવાલ થાય કે આ દસ સભ્યો પાછળ આટલાં નાણાં વેડફવાની જરૂર કેમ પડી? 

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ દસમાંના બે સભ્યો તો મેડમના પીએચ.ડી.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. એ જ રીતે બીજા સભ્યો પણ કોઈને કોઈ કારણે પરિચયમાં હતા. નીરજા ગુપ્તાનો પગાર કેટલો હતો એ નથી ખબર, પણ તે 5 લાખ નહીં હોય એમ બને. તો, તેમના કર્મચારીઓને અઢીથી પાંચ લાખ પગાર ચૂકવવાનું શું કારણ હતું તે નથી સમજાતું. 

મોટે ભાગે નિવૃત્તોને ફરી નોકરીએ રખાય તો તેને મૂળ પગારથી ઓછો પગાર જ ચૂકવાય છે. આમાંના કોઈને પાંચ લાખનો પગાર પૂર્વ નોકરીમાં ન હતો, તો અઢીથી પાંચ લાખ કેમ ચૂકવાયા તે તપાસ સમિતિ શોધી લાવે તો ખબર પડે. આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી ગેરકાયદે નિમણૂકો રદ્દ કરવાની લેખિત રજૂઆત થઇ હતી. સાત ઓગસ્ટે યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નકલી નોટો ઉછાળવામાં આવી હતી. આમ તો ભા.જ.પ. સાથેની સાંઠગાંઠ એ.બી.વી.પી.ની છે જ, છતાં તેની જ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે સૂચક છે.

જીયુસેકમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર પાંચ લાખનો પગાર મેળવતા અધિકારીને ત્રણ વર્ષમાં પોણા બે કરોડ જેટલો પગાર ચૂકવાયો હતો. કોઈ પણ નિવૃત્ત અધિકારીને ફરી નોકરીમાં લેવાય તો દેખીતી રીતે જ પાંચ લાખનો પગાર હોય નહીં, છતાં કુલપતિ તરીકે નિયુક્ત થયેલ નીરજા ગુપ્તાએ તેમના પરિચિતોને હંગામી ગણાતી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂકો આપી હતી. આ અધિકારીઓ બેંક, ઓ.એન.જી.સી.ના નિવૃત્ત અધિકારીઓ હતા. આ નિયુક્તિ સામે પણ વિવાદ થયેલો, તો પણ તેમને હટાવવામાં આવ્યા ન હતા કે ન તો પગાર ધોરણ ઘટાડવામાં આવ્યું હતું. વિવાદ થવાનું સીધું કારણ આ અધિકારીઓને ચૂકવાતા અઢી લાખથી પાંચ લાખ સુધીનું તોતિંગ પગાર ધોરણ હતું. વિવાદનું બીજું કારણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર અપાયેલી સીધી નિમણૂકો પણ હતું. ત્રણ વર્ષથી તોતિંગ પગાર ખાતાં નિવૃત્તોને કારણે યુનિવર્સિટીનો ખર્ચ આસમાને પહોંચ્યો હતો. અત્યારે હલ્લા બોલ અને ભારે આક્રોશ ઠાલવતાં વિદ્યાર્થી સંગઠનો પર એવો આરોપ પણ છે કે તેઓ અત્યારે જાગ્યા તો એ જાગરણ શરૂઆતમાં જ થઇ શક્યું હોત. 

એ દુખદ છે કે કુલપતિ કક્ષાની વ્યક્તિ જવાબદારીનાં ભાન વગર વર્તી શકે છે ને યુનિવર્સિટીને ખોટના ધંધામાં ઉતારી શકે છે. એક તરફ વિદ્યાસહાયકોને 26 હજાર પગાર ચૂકવવામાં ટાઢ ચડતી હોય ને બીજી તરફ પાંચ લાખનો પગાર જરા પણ તપાસ વગર લુટાવી દેવાય એ શરમજનક છે. આ સંતુલન ગુજરાત શિક્ષણનો મૃત્યુઘંટ વગાડે તેમાં નવાઈ નથી. ગુજરાત પછી છેલ્લેથી વધુ છેલ્લે ધકેલાય નહીં તો થાય શું? 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑગસ્ટ 2026

Loading

૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું

લિપ્યંતર અને અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Interview|9 August 2026

અમૅરિકન પત્રકાર અને લેખક ક્રિસ હૅજ્જિસ (Chris Hedges) અને ટર્કિશ પત્રકાર અને લેખક ઍજ્જે ટમૅલકુરન (Ece Temelkuan) વચ્ચેનો વાર્તાલાપ

ટ્રાન્સક્રિપ્ટ નબળી હોવાને કારણે વાર્તાલાપ સાંભળીને સીધું લિપ્યંતર કરવામાં આવ્યું છે. અનુવાદ માટે AIનો સહેજ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ વખતના બૂકર પ્રાઈઝના લોંગ લિસ્ટમાં બે નવલકથાઓ સામેલ કરવામાં આવી છે— Kenan Orhan લિખિત The Renovation જેનો વિષય તુર્કિયેના રાજકીય દેશવટા વિશે છે અને Elizabeth Strout લિખિત The Things We Never Say જેનો વિષય છે ટ્રમ્પનું અમૅરિકા અને પૅન્ડિમિક બાદની ચિંતાઓ.

— રૂપાલી બર્ક

•

ક્રિસ હેજ્જિસ : ઍજ્જે ટમૅલકુરાન લિખિત બે પુસ્તકો વાંચવાની હું સખત ભલામણ કરું છું —How to Lose a Country: The Seven Steps from Democracy to Fascism અને Nation of Strangers: Rebuilding Home in the 21st Century. આપણે બન્ને પુસ્તકોની ચર્ચા અહીં કરીશું. ભારતથી લઈને યુનાઈટેડ સ્ટેટ્સ સુધીના દેશોના વિવિધ કિસ્સાઓમાં તે સાત વૈશ્વિક ભાતનું વિવરણ કરે છે જેનું પુનરાવર્તન થયા કરે છે અને જેને ઓળખી શકાય છે. સમાજને બે ભાગમાં વિભાજીત કરવાની ચળવળથી આ ભાતના મંડાણ થાય છે. સાચા લોકો  વિરુદ્ધ ભ્રષ્ટ ભદ્ર વર્ગ અને એવો નેતા જે ભારપૂર્વક એમને સાચા લોકો કહે છે. સત્યનું વિસર્જન કરવું અને શિષ્ટાચારને બદલે વફાદારીને અગ્રતા આપવી, એ બીજુ પગલું છે. ત્યારબાદ શરમને ઉખેળવામાં આવે છે. લાંબા ગાળાના રાજકીય અને નૈતિક સર્વસંમતિને અભૂતપૂર્વ નિર્દયતાથી તોડી નંખાય છે. જેટલા વધારે એ સત્તામાં રહે છે તેટલું શું સ્વીકાર્ય છે એની સીમાઓ વિસ્તરતી જાય છે. જે પહેલા વિચારવું શક્ય નહોતું અથવા ઘૃણાસ્પદ ગણાતું એ હવે ક્રમશ: સામાન્ય બનતું જાય છે.  જેમ લોકશાહીને જાળવી રાખતી સંસ્થાઓને ગુપચુપ રીતે ખોખલી કરી દેવામાં આવે છે અને લોકશાહીની વ્યાખ્યાનું બહુમતિના રાજ તરીકે  પુન:લેખન કરવામાં આવે છે. 

વૈશ્વિક મૂલ્યો, માનવ ગૌરવ અને કાયદાના રાજને બદલે ઉગ્ર રાષ્ટ્રવાદ, પીડિત હોવાનું ગૌરવ અને ઇતિહાસના પુન:લેખનને સ્થાન આપવામાં આવે છે. ક્રૂરતા અને નિર્દયતાને રાજકારણના ઊંચા સ્તરે જ નહીં પરંતુ રોજીંદા જીવનના સ્તરે પણ ન્યાયી માનવામાં આવે છે. ‘આપણે’માં ગણાતા લોકોનું વર્તુળ નાનું થતું જાય છે અને લાખો સહનાગરિકોને કાયમી શંકાસ્પદો તરીકે બીબાંમાં પુન: ઢાળવામાં આવે છે. ઍજ્જે નોંધે છે કે આ પથ પર ચાલેલા અન્ય રાષ્ટ્રોના લોકોની માફક સંસ્થાઓ દ્વારા ચીંધેલા આભાસી માર્ગ પર ચાલીને અમૅરિકનો પોતાના ડરને શાંત પાડે છે. એમના ભાવિ દેશને ઓળખવાની એમનામાં હિમ્મત હોતી નથી. ટ્રમ્પના અમૅરિકાના નવા નિયમોનું જો એ લોકો પાલન નહીં કરે તો ટૂંક સમયમાં એમને નાગરિક તરીકે સ્વીકારવામાં આવશે નહીં. એ તો ઠીક છે પણ ઍજ્જે લખે છે કે જો ડોનલ્ડ ટ્રમ્પ, રૅજૅપ ટાઇપ ઍડોવાન, નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન અથવા નાઈજલ ફૅરાજ અદૃશ્ય થઈ જાય તો એમના દ્વારા જોશ ભરેલા કરોડો લોકો હાજર જ હશે અને એવા જ બીજા વ્યક્તિના આદેશોનું પાલન કરવા એટલા જ તત્પર હશે. કમનસીબે અમે જે તુર્કિયેમાં ખૂબ વિનાશક રીતે અનુભવ્યું, તમે રાજકારણની દુનિયાથી દૂર રહેવા મક્કમ હોવ તો પણ બગલિયા તમને શોધી કાઢશે, તમારા અંગત સ્થળમાં, એમનાં મૂલ્યોથી સજ્જ અને એમના જેવા નહીં હોય એમને પાડી દેવા તત્પર રહેશે. 

જેને એના ઓછા સુઘડ નામ ‘ગળાકાપ હરીફાઈ’થી કદાચ વધારે સારી રીતે સમજવામાં આવે છે, એ નવ્ય ઉદારવાદના આપણા લોકતાંત્રિક સંસ્થાઓ પરના છ દાયકાઓના ભીષણ આક્રમણને લીધે આ સંસ્થાઓ સંપૂર્ણપણે ઉખેળાઈ ગઈ છે. ઘા પ્રાણઘાતક છે. આપણે ખંડેરો, સામાજિક અસમાનતા અને સડી ગયેલી સંસ્થાઓ વચ્ચે જીવી રહ્યાં છીએ જેમાં વિધાનસભા, ન્યાયાલય, શૈક્ષણિક જગત, અને મીડિયાનો સમાવેશ થાય છે અને આપણી પોતાની ફાસીવાદી સરકારનું દૃઢિકરણ સુનિશ્ચિત કરીએ છીએ. ઍજ્જે લખે છે કે આપણે જે ખોઈ બેઠા છીએ એના માટે નહીં પરંતુ આપણે જાણીએ છીએ કે કાળક્રમે શું ખોવાના છીએ એના માટે આપણે વિલાપ કરીએ છીએ. ઇતિહાસમાં પ્રથમ વખત માનવતા ભવિષ્ય કાળમાં વિલાપ કરી રહી છે. ‘How to Lose a Country: The Seven Steps from Democracy to Fascism’ અને ‘Nation of Strangers: Rebuilding Home in the 21st Century’, આ બન્ને પુસ્તકોની ચર્ચા કરવા મારી સાથે ઍજ્જે ટમૅલકુરન જોડાયાં છે. આપણે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા એનાથી શરૂઆત કરીએ. તમે આ અનુભવેલું છે, તુર્કિયેમાં ઍડોવાનની સરમુખત્યારશાહી હેઠળ જ્યાંથી તમને દેશ બહાર ધકેલી દેવામાં આવ્યાં હતાં. ઘણાં લેખકોનું માનવું છે કે લોકતાંત્રિક સંસ્થાઓને ખોખલી કરી કાઢવા પાછળનું વિચારધારા સંબંધી ઓજાર નવ્ય ઉદારવાદ છે એના વિશે તમે વાત કરો. 

ઍજ્જે ટમૅલકુરન: એમ જ છે. તમે કહ્યું તેમ મેં 2016માં દમનને કારણે દેશ છોડ્યો. મારા જેવી વ્યક્તિઓને યોગ્ય રીતે જીવવા, લખવા કે વિચારવા દેવામાં આવતા નહોતા. જેવી હું 2016માં યુરોપ આવી મને સ્પષ્ટ સમજાયું કે અમે જે તુર્કિયેમાં વેઠ્યું હતું તે યુરોપમાં અને અમૅરિકામાં પણ થઈ રહ્યું છે. એટલે મેં વૈશ્વિક ભાત, આપણે જે વેઠી રહ્યાં છે એના સાત ડગલાં શોધવા  ‘How to lose a country…’ લખવાની શરૂઆત કરી. મેં એને ફાસીવાદ કહ્યો છે. ઘણાં લોકો એને વધુ અનુકુળ નામોથી ઓળખવાનું પસંદ કરે છે જેવાં કે સરમુખત્યારશાહી અથવા જમણેરી લોકવાદ, પરંતુ મેં એને ફાસીવાદ કહ્યો છે. તેથી ‘How to lose a country…’માં મારે ફાસીવાદ અને નવ્ય ઉદારવાદ વચ્ચેનો સ્પષ્ટ માર્ગ, સ્પષ્ટ અનુસંધાન દર્શાવવા હતા. બહોળા અર્થમાં કહું તો મારી મુખ્ય દલીલ એ છે કે અકલ્પનીય સામાજિક અન્યાય અને સમાનતાના અભાવને કારણે લોકતંત્ર પોતાનો જ રંગમંચ બની ગયો, છીછરો રંગમંચ, બીજા શબ્દોમાં એક ખેલ બની ગયો છે જેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોને લોકતંત્રમાંથી વિશ્વાસ ઊઠી ગયો. તમે જાણો છે જ્યારે મોદી, ઍડોવાન, ટ્રમ્પ, પુતિન, વગેરે જેવા શક્તિશાળી નેતાઓ વૈશ્વિક રાજકારણમાં દેખાવવા લાગ્યા, એમણે લોકોને વિશ્વાસ આપ્યો કે વૉશિંગ્ટનમાં, અંકારામાં, એટલે કે રાજધાનીમાં એ એમનો ખાસ વ્યક્તિ હશે. લોકોને અનેક કારણોસર વિશ્વાસ બેઠો, એમાંનું એક છે કે ખાસ કરીને 1970, વધુ કદાચ 1980 પછી, અવારનવાર પરિવર્તનના અપાયેલા જૂઠાં વચનોથી લોકો થાકી ચૂક્યા હતા. તમે મને પૂછો તો નવ્ય ઉદારવાદ લોકતંત્રને ગળી ગયો છે અને આના પરિણામે આ તંત્રના સાઈડ પ્રોડક્ટ તરીકે આવા નેતાઓ ઊભા થયા છે. મને લાગે છે કે 1980માં જેની શરૂઆત થઈ એનો આપણે અત્યારે છેલ્લો અંક જોઈ રહ્યાં છીએ. 

હેજ્જિસ : એમના અનુયાયીઓ વિશે મેં લખ્યું છે, આ નેતાઓ કોઈ પંથના પ્રણેતા હોય એમ એમના અનુયાયીઓ એમને પૂજે છે. ટ્રમ્પે પોતાની આખી જિંદગી પોતાના કેસીનો અને નકલી યુનિવર્સિટીઓમાં દરેક પ્રકારના લોકોને શિકાર બનાવી ને ખંખેર્યા છે અને હવે એની ક્રિપ્ટો કરન્સી આવી છે. આવી વ્યક્તિમાં વિશ્વાસ કરવાની જે અસાધ્ય જરૂરિયાત છે એની તમે વાત કરો.  વાસ્તવિક્તા ઉપરાંત આવું જ ઍડોવાન, મોદી અને અન્યો સાથે થતા તમે જોતાં હશો. 

ઍજ્જે : આ કહાનીનો અમુક હિસ્સો સમજાય એવો છે કારણ કે 1980થી ગળાકાપ મૂડીવાદનું આગમન થઈ ગયું. યુનાઈટૅડ સ્ટેટ્સમાં, યુરોપમાં, મધ્ય પૂર્વ એશિયામાં, તુર્કિયેમાં જે કોઈ નેતા સત્તામાં આવ્યા એમણે લોકોને વચન આપ્યું કે પરિસ્થિતિ બદલાશે અને થયું એવું કે પરિસ્થિતિ બદલાઈ નહીં. ઊલટાનું, ખાસ કરીને 2008 પછી પરિસ્થિતિ વણસી ગઈ. આપણા બધાં માટે એ વણસી અને જાણે બદલો લેવા લોકો લોકતંત્રને પાડી દેવા માગતા હતા. એમને જાણ છે, જાણતા કે અજાણતા એ આવું કરે છે પરંતુ એમને ખાતરી છે કે હવેની રમતના નવા નિયમો ચાસણી ચઢાવેલા કદાપિ નહીં હોય. લોકતંત્ર અને સામાજિક ન્યાયના ધોવાણને લીધે, કાયદાનું રાજ, લોકતંત્ર, સામાજિક અધિકાર જેવા શબ્દો પોતાનો અર્થ ક્યારના ય ગુમાવી રહ્યાં હતા. આ તરફ, આ નવી વ્યક્તિઓ, આ નવા નેતાઓ, આ ભયાનક વિદૂષકો લોકોને ‘ડૉગ વિસલ’(એવો સંદેશો જે સામાન્ય પ્રજાને નિષ્પક્ષ જણાય પરંતુ એક વિશિષ્ટ જૂથ માટે ખાસ ખાનગી અર્થ ધરાવતો હોય)માં કહેવાય એમ લોકોને કહે છે કે અમને ખબર છે કે આ નિયમો એવા નથી. આપણને જે કહી રહ્યા છે તે આ કે તેથી અમે નવા નિયમોથી રમીશું અને તમારા માટે રમીશું. આથી જ નેતા સાથે આમૂલ નાતો બંધાય છે. ટ્રમ્પના કિસ્સામાં કે ઍડોવાનના કિસ્સામાં લોકો આ નેતાઓને વધુ સમાનતાભરી અથવા વધુ ન્યાયભરી જિંદગી મેળવવા, વગેરેની આશામાં સહકાર નથી આપી રહ્યાં. એમને ખબર છે કે જીતનારા પણ હશે અને હારનારા પણ હશે અને જો તમે અંગત અને રાજકીય ધોરણે નેતા સાથે જોડાવ છો તો તમે એ જીતનારા જૂથનો હિસ્સો બનો છે. મને ઘણી વખત પૂછવામાં આવે છે કે 20 વર્ષની આટલી ક્રૂરતા, આટલી નિર્દયતા બાદ પણ ઍડોવાન આટલા લોકપ્રિય શા માટે છે? મારા મતે અમૅરિકનોને અત્યાર સુધીમાં ખ્યાલ આવી જવો જોઈએ કે એમની સાથે આવું જ બનશે …ઍડોવાન સાથે બધાં પ્રેમમાં પડી ગયા હતા એવું નથી. વાત એ છે કે જે રાજકીય અને અંગત-મનોવૈજ્ઞાનિક જોડાણ નાણાંકીય અને આર્થિક જોડાણ બની જાય છે. એટલે જે ઍડોવાને તુર્કિયેમાં કર્યું એ હાલ અમૅરિકામાં થઈ રહેયું છે. ઍડોવાને એક નાણાંકીય જાળ રચી અને એ તુર્કિયેની કોશીકા તંત્રમાં પ્રવેશ્યું. એટલે સાવ નાના ગામડામાં એમને મત આપતા છેવાડાના માણસ સાથે ઍડોવાન હકિકતે ગાઢ રીતે જોડાયેલા હતા. આ નાના માણસની જિંદગી ઍડોવાનના રાજકીય વિજય પર નિર્ભર છે, એટલે આવા લોકો એમને એ હદે સહકાર આપે છે જાણે પોતાના જીવન માટે સંઘર્ષ કરતા હોય કારણ કે વાસ્તવમાં એ લોકો એમના જ જીવન માટે લડી રહ્યા છે. આવું હજુ યુનાઈટૅડ સ્ટેટ્સમાં નથી બન્યું, જ્યારે એ નાના માણસની જિંદગી ટ્રમ્પના રાજકીય વિજય સાથે જોડાશે ત્યારે એમને ખરેખર કટ્ટર ટેકેદારો, ભક્તો મળશે. એટલે મોટા ભાગે આ બાબત રાજકીય છે પરંતુ એટલાં જ પ્રમાણમાં નાણાં સંબંધી પણ છે અને બીજી કોઈ પણ બાબત કરતાં આ સૌથી ભયાનક બાબત છે. 

હેજ્જિસ : Nation of Strangers…માં કદાચ એક દૃશ્ય છે અથવા તમે લખ્યું છે, હું શબ્દ ભુલું છું, કે દેશનું હિત ઇચ્છતા ડાબેરીઓ બહાર નીકળીને ગામડાઓમાં જઈ સમજાવે છે કે ઍડોવાન કેમ ભ્રષ્ટ છે અને ત્યાંથી ડાબેરીઓની વિદાય બાદ ઍડોવાનની પાર્ટી, સત્તારૂઢ પાર્ટી મોટી ટ્રક ભરીને ખાવાનું અથવા બીજું કંઈક લઈને આવે છે અને ગામડામાં વહેંચે છે. આપણે કેવી તંત્રવ્યવસ્થા સાથે પનારો પાડી રહ્યાં છીએ એ સમજવા કે પ્રતિસાદ આપવા માટે, આ વધતા ફાસીવાદનો વિરોધ કરનારા તરીકે આપણી અક્ષમતા અંગેનું આ તમારું ચિંતન હતું. 

ઍજ્જે : બિલકુલ એમ જ. આ પરિસ્થિતિ સાથે સંકળાયેલા સામાજિક અન્યાયના ઊંડાણના પૂરા ખ્યાલ વગર આપણે બૌધિક ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. હું વૈશ્વિક સ્તરની વાત કરી રહી છું, કઈ રીતે સામાજિક અન્યાય લોકતંત્રને અશક્ય બનાવી દે છે જ્યારે લોકો ભૂખથી પીડાતા હોય ત્યારે એ સમજુ અને યોગ્ય રાજકીય નિર્ણય લઈ શક્તા નથી. ખાસ કરીને જ્યારે કોઈ એક નેતા, એક ઉમેદવાર ખાવાનું આપી રહ્યા હોય. આ પ્રશ્ન 2016થી, ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી વધુ વૈશ્વિક બની ગયો છે. ત્યારબાદના 10 વર્ષમાં આપણે બૌદ્ધિક, બૌદ્ધિકરણ કરેલો પ્રતિસાદ આપવા મથીએ છીએ અને તમે કદાચ મારી સાથે સંમત થશો કે આપણામાંના અમુક, અભિપ્રાય ઘડનારા, લેખકો, પત્રકારો અને રાજકારણીઓ ઝટપટ ઉપાય શોધી રહ્યાં છીએ, અને એવા ભ્રમમાં રાહત અનુભવી રહ્યાં છીએ કે જો ટ્રમ્પ અથવા પુતિન અથવા મોદી સત્તામાં નહીં રહે તો બધુ રાબેતા મુજબ થઈ જશે. એવું કંઈ જ નથી. આ તંત્રની સમસ્યા છે. અગાઉ ઉલ્લેખ કર્યો એ લોકોને આમાં દિલાસો અનુભવાય છે કારણ કે એ લોકો માને છે કે ટ્રમ્પ પૂર્વે, 1980 બાદ જે લોકતંત્ર હતું તે પર્યાપ્ત હતું. મારા મતે જે આપણે જોઈ શક્તા નથી તે આ છે — ટ્રમ્પ કારણ નથી પરંતુ પરિણામ છે, છેલ્લાં કેટલાં ય દસકાઓનું પરિણામ છે. એ જ રીતે તુર્કિયેમાં ઍડોવાન 1980ના લશ્કરી બળવાનું ફળ છે, જે બળવાને CIAનું સમર્થન હતું અને જેણે દેશને એક રૂઢિવાદી, લશ્કરશાહી અને ઉગ્ર રાષ્ટ્રવાદી પૂર્વસ્થિતિએ લાવીને મૂકી દીધો. આ પૂર્વસ્થિતિની નીપજ છે ઍડોવાન. અને ટ્રમ્પ શેની નિપજ છે એ જાણી ઘણાંના હૃદયો ભાંગી જશે પરંતુ એના માટે રૅગન જવાબદાર હતા. વિશ્વ આખામાં આવા નેતાઓના આગમન માટે રૅગન અને થૅચર જવાબદાર હતાં. એ બન્ને ભળી ગયાં અને કહ્યું કે કોઈ વિકલ્પ નથી. ગળાકાપ નવ્ય ઉદારવાદની, ગળાકાપ મૂડીવાદની શરૂઆત આ બન્નેએ કરી. જ્યારે લોકોને સમજાયું કે કોઈ વિકલ્પ નથી, આપણે કંઈ બદલી શકીએ એમ નથી, ના મતદાન દ્વારા, નથી આપણે આપણું જીવન બદલી શકવાના, ના કેવળ આ રાજકીય શુષ્કતા સર્જાઈ જેમાં આપણો પનારો આ નેતાઓ સાથે પડ્યો, પરંતુ એણે અસ્તિત્તવવાદી સમસ્યા પણ સર્જી. મારે મતે આપણે લોકતંત્રમાં શ્રદ્ધા ગુમાવી બેઠા, આમ તો આપણે સામાન્ય રીતે ભવિષ્યમાં શ્રદ્ધા ગુમાવી બેઠા. આપણે બધાં લોકતંત્રમાં શ્રદ્ધા ગુમાવી બેઠા એ આજની બહુ મોટી સમસ્યા છે. ભલે આપણે ટ્રમ્પ કે એમના જેવા બીજાઓથી છૂટકારો કેમ ના પામી લઈએ. ખાસ કરીને આજના સમયમાં લોકતંત્રની જે અવસ્થા છે તે જોતા મને ખાતરી નથી કે આપણે વધુ સારા નેતાઓને ઉપજતા જોઈ શકીશું. 

હેજ્જિસ : તમે વિપક્ષની પણ નાદારી જુઓ છો, બ્લૅર નીચેની લેબર પાર્ટી, ક્લિન્ટનના કાર્યકાળ દરમ્યાન ડૅમોક્રૅટિક પાર્ટીએ તો અનિવાર્યપણે પોતાને રિપબ્લિકન પાર્ટીમાં પરિવર્તિત કરી નાખી અને નવ્ય ઉદારવાદી નીતિઓને સંપૂર્ણપણે ભેટીને એનો પ્રચાર કર્યો. NAFTAએ યુનાઈટૅડ સ્ટેટ્સમાં સંસ્થાઓનો નાશ કર્યો, FCCએ GlassSteagallને રદ્દ કરી મૂડીરોકાણ અને વ્યાપારી બેંકો વચ્ચે ફાયરવૉલ (એવું ડિવાઈસ અથવા પ્રોગ્રામ જે લોકોને ઈન્ટરનેટથી જોડાયેલા કમ્પ્યુટર પર પરવાનગી વિના માહિતી જોતા અથવા વાપરતા રોકે છે) ઊભી કરી દીધી. આ બધું જ ડૅમોક્રૅટ્સ હેઠળ થયું. એટલે પર્યાયનો અભાવ સર્જાયો.

ઍજ્જે : હું માનું છું કે એટલે જ મમદાની, કેદમાં બંધ ઈસ્તાનબુલના મેયર મમલુ, આ રાજકીય વ્યક્તિઓ મહત્ત્વના છે કારણ કે એ લોકો કંઈક સચોટ વચનો આપી રહ્યાં છે. જ્યારે મમદાની સામાજિક અન્યાયની વાત કરે છે ત્યારે વિશ્વભરનો ઉત્સાહ આપણને સાંપ્રત સમયના સંજોગો, રાજકીય સંજોગો વિશે અને આટલા સમયથી જે ખૂટતું હતું તે વિશે કંઈક કહે છે. વિશ્વ આખાના લોકો, વિશ્વના નાગરિકો અત્યાર સુધીના ઠગારા વચનોથી વાજ આવી ગયા છે. 2008માં જે થયું એ જોઈને લોકોને ખ્યાલ આવ્યો કે એમને મોટી રાજધાનીના કાળા કરતૂતોની કિંમત ચૂકવવાની આવી છે. લોકો પૂરતી માત્રામાં આ ઉદાર લોકતંત્રથી, ખોટા વચનોથી, જે ક્યારે ય પૂરા કરવામાં આવ્યા નહીં, છેતરાઈ ચુક્યા છે. એટલે એ લોકો સમગ્ર રાજકીય વ્યવસ્થા સામે, સમગ્ર વિશ્વના ડૅમોક્રૅટ્સ સામે, બદલો લઈ રહ્યાં છે. આમાંથી પાઠ લેવાવો જોઈએ અને સામાજિક સમાનતા, સામાજીક ન્યાય વિશે વિચારતી વખતે વધુ હિમ્મતવાન, વધુ બહાદુર બનવું જોઈએ.

હૅજ્જિસ : ડૅમોક્રૅટિક નેશનલ કમિટીના અભ્યાસ પરથી આપણે જાણી શક્યા છીએ કે એવું નહોતું અને મમદાનીના મોટામાં મોટા શત્રુઓ ડૅમોક્રૅટિક પાર્ટીના જ છે. 

ઍજ્જે : બિલકુલ સાચું. આ બહુ ડરામણું છે. મને ખ્યાલ નથી કેટલા લોકોને ખબર છે, લોકો એટલે સક્રિય રાજકારણમાં પડેલા લોકો, કે આપણે અંત સમયને પહોંચવા આવી ગયા છીએ અને આના ઘણાં કારણો છે. એટલે આ સમય બહાદુર બનવાનો છે, બીજો કોઈ વિકલ્પ નથી. આપણે અમુક નિષેધોને દૂર કરવા પડશે કારણ કે ડૅમોક્રૅટ્સ, ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં, અને યુરોપમાં પણ, હજુ શીત યુદ્ધના પ્રચારના પીંજરામાં પુરાયેલા છે. જો આપણે સામાજિક ન્યાયની વાત કરીશું તો એ આપણને સામ્યવાદી કહેશે, સામાજિક અસમાનતાની વાત કરીશું તો સામ્યવાદી જેવા લાગીશું. આ પ્રચાર આપણા રાજકારણમાં, વૈશ્વિક રાજકારણમાં એટલો અગ્ર છે, એટલો પ્રભાવશાળી છે કે ડૅમોક્રૅટ્સ એ લકવામાંથી ઉગરી શક્યા નથી. એટલું હું કહું છું કે શીત યુદ્ધના ભયને ઝાટકી નાખવાની, બહાદુર બનવાની અને ખરા પ્રશ્નોની વાત કરવાની જરૂર છે. ખરો પ્રશ્ન ટ્રમ્પ કે ઍડૉવાન નથી, ખરો પ્રશ્ન છે આપણે સાચા લોકતંત્ર માટે, સાચા સામાજિક ન્યાય માટે વૈશ્વિક હિતસંબંધ કઈ રીતે સ્થાપી શકીએ. આ સૌથી વધુ અંધકારનો સમય છે; પરંતુ ભવિષ્ય માટે એક દર્શન રચવાનો પણ આ સમય છે. આપણે ત્યાં ઘણાં લાંબા સમયથી સુખાવતીઓનો અભાવ રહ્યો છે, આ પ્રકારની વાતચીતનો અભાવ રહ્યો છે. How to lose a Country લખવા પાછળનું આ એક કારણ છે અને Nation of Strangers લખવા પાછળનું પણ આ જ કારણ છે. આપણે કંઈક ગુમાવી રહ્યાં છીએ, ફક્ત રાજકીય, તાત્ત્વિક કે અસ્તિત્ત્વવાદી સ્તરે જ નહીં. હું માનું છું કે ભયથી પોતાને મુક્ત કરવાનો સમય પાકી ગયો છે. અંત સમય, લોકોને આ શબ્દો અંધકારમય લાગે છે પરંતુ એ મુક્તિદાયક પણ છે કારણ કે જે તમામ સંકટો તમે અને મેં જોયા એમાંથી આપણે જાણ્યું છે કે બાબતોને તદ્દન સ્પષ્ટ કરી આપવાની સંકટની આદત છે. તે નરસાને સ્પષ્ટ દેખાડે છે અને સારાને પણ સ્પષ્ટ દેખાડે છે. યુદ્ધો, સંકટો, આ બધાં સ્થળોએ લોકો પોતાને વીર તરીકે દેખાવાની અનુમતિ આપતા હોય છે. આપણે એ સમયમાં હજુ પ્રવેશ્યા જ છે અને હું આશા કરું છું કે લોકોને એ મુકિતનો અનુભવ થાય જેથી એ વીર તરીકે વર્તી શકે. સમજાય એવું છે ને? 

હેજ્જિસ : તમે સાચું કહ્યું. મને લાગે છે કે અજાણ્યાઓનું આ રાષ્ટ્ર છે અને છેવટે આપણને રાજકીય ક્રાંતિ નહીં પરંતુ નૈતિક ક્રાંતિની આવશ્ક્તા છે. 

ઍજ્જે : હા. પૅન્ડૅમિક દરમ્યાન બહાર પડવાને કારણે મારું બીજું પુસ્તક જે પ્રથમ જેટલું નથી ચર્ચાયું, કોઈને એની જાણ નથી. એનું શિર્ષક છે Together: A Manifesto against a Heartless World. મારે લોકોને કહેવું હતું કે આપણે માત્ર લોકતંત્ર નથી ગુમાવ્યું, આપણે ઘણી બીજી ચીજો ગુમાવી છે, વિશેષ કરીને માનવ ગૌરવ. આ સદીના રાજકારણની સૌથી વિકટ સમસ્યા આ છે. મારા મતે આપણે માનવ ગૌરવને કેન્દ્રમાં રાખવાની જરૂર છે અને અમલમાં મૂકવા માટે આ સૌથી અઘરી વાત છે. મેં બીજાં દસ મૂલ્યો, નૈતિક સંવેદનાઓની યાદી બનાવી જેને આપણે બધાએ ભેગા મળીને સુરક્ષિત રાખવાની છે. Nation of Strangers સહેજ જુદું છે કારણ કે મારે લોકોને ભાષા આપવી હતી જેની સહાયતાથી બધાં ભેગા મળી શકે. મારા મત મુજબ વૈશ્વિક સ્તરે એનો અભાવ છે. આક્રોશ પૂરતા પ્રમાણમાં છે, ક્રૂરતા, નિર્દયતા પૂરતા પ્રમાણમાં છે, બધી ભયાનક ચીજો, માનવસંહાર પૂરતા પ્રમાણમાં થઈ રહ્યાં છે. બીજી તરફ, આ તમામ ચીજોમાં પરિવર્તન લાવવાના ખ્યાલો પણ પૂરતા પ્રમાણમાં છે. આ બન્ને છેડાને ભેગા કરવા માટે જે ખૂટે છે તે દયાભાવ છે, ભાષા છે. મને જણાયું કે લોકોમાં ભાષાનો અભાવ છે અને મારે એમને ભાષા આપવી હતી. Nation of Strangersમાં મારે લોકોને વિનમ્રતાની, સત્યનિષ્ઠતાની અને જો ઉમેરું તો માનવ પ્રેમની ભાષા પૂરી પાડવી હતી. છેવટે તો, નવ્ય ઉદારવાદ, ફાસીવાદ, બધું ભયની મૂળભૂત લાગણીમાંથી ઉપજે છે. આ બધાં નેતાઓ ભયનું આયોજન કરે છે અને એને ગતિશીલ બનાવે છે અને એમાંથી દુશ્મનાવટ અને ઘૃણાનું ઉત્પાદન કરે છે. એટલે નૈતિક અને દાર્શનિક સ્તરે આપણે ઉત્તર શોધવો પડશે. પ્રગતિશીલો, ડૅમોક્રૅટ્સ, તમારે જે નામથી ઓળખવા હોય, ફાસીવાદ-વિરોધી…એ સ્તરે આપણે માનવ પ્રેમનું આયોજન કરવું પડશે. આપણે આ કેવી રીતે કરી શકીશું? સાંપ્રત સમયમાં વૈશ્વિક રાજકારણની આ સૌથી મોટી સમસ્યા છે, કારણ કે લોકો લડી શકે એ માટે જુસ્સો પેદા કરવા માટે, માનવ, માનવીય જીવન માટે આપણને કવિતાની, એ વિશેષ ભાષાની જરૂર છે જેથી ટ્રમ્પ, ઍડોવાન જેવા નેતાઓ અને ભવિષ્યમાં આવા બીજા કેટલા ય આવશે એમની સામે વૈશ્વિક સુદૃઢતા શક્ય બને. 

હૅજ્જિસ : આવી અભિવ્યક્તિને નિર્દયતાથી કચડી નાખવામાં આવી છે અને હું સવિશેષ એ બહાદુર વિદ્યાર્થીઓને યાદ કરી રહ્યો છું જે માનવસંહારના વિરોધમાં ખડા થઈ ગયા. પડાવો બંધ કરી દેવાયા, અને અમૅરિકાની યુનિવર્સિટીઓમાં માનવસંહાર વિરુદ્ધ અભિવ્યક્તિની સ્વતંત્રતાને જાકારો આપી દેવાયો છે, ઘણાં બધાં વિદ્યાર્થીઓને નિલંબિત કરવામાં આવ્યા, કાઢી મૂકવામાં આવ્યા, કોલંબિયા જેવા કેમ્પસોમાં પોલિસ બોલાવવામાં આવી, બર્બરતાથી એમને કાર્ય કરવા દેવામાં આવ્યા. તમે જર્મનીમાં રહો છો, જર્મનો અભિવ્યક્તિની સ્વતંત્રતાને હણી લેવા કેટલી અતિ કઠોર હદે ગયા છે એની તમને જાણ છે. ત્યારબાદ ટ્રમ્પ છે જે આમૂલ ડાબેરીનું જીવવાનું હરામ કરવાની પેરવીમાં છે. એમણે ઈમીગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍનફોર્સમૅન્ટ (ICE) જેવો પોતાનો પૅરા-મિલિટરી ફોર્સ તૈયાર કર્યો છે જેણે હ્યુસ્ટનમાં એક નિ:શસ્ત્ર અમૅરિકન નાગરિકને ગોળીએ ઠાર માર્યો. એટલે જેમ સભાનતા વધી છે તેમ તમે તુર્કિયેમાં જોયું છે એમ દમનના વધુ ને વધુ કઠોર સ્વરૂપો ઊભા થયા છે.

ઍજ્જે : જો મારી ભૂલ ના થતી હોય તો તમે ગાઝાને એક બ્લૂ-પ્રિન્ટ કહો છો અને હું એને પ્રયોગ કહું છું અને આ પ્રયોગ એ તપાસવા માટે છે કે વિશ્વ કેટલું ગળે ઉતારી શકે છે. આ સમયમાં એક નવી વિશ્વ-વ્યવસ્થા સ્થપાઈ રહી છે, તાજેતરમાં અંકારામાં યોજાયેલું NATOનું શિખર સંમેલન એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, સર્વશ્રેષ્ઠ પુરાવો છે, બીજા ઘણાં આયોજનો થયા, દાવોસમાં થયું, આ બધું દર્શાવે છે કે એક નવી વિશ્વ-વ્યવસ્થા સ્થપાઈ રહી છે, ઘડાઈ રહી છે.  ગાઝામાં પ્રયોગ થયો તે જોવા માટે હતું કે શું આ નવી વિશ્વ-વ્યવસ્થા સહેલાઈથી સ્થાપી શકાય એમ છે? માનવતાના સારા એવા હિસ્સાએ ના કહી દીધી પણ એમને સાંભળવામાં આવ્યા નહીં. એટલા માટે હું કહું છું કે આપણે લોકતંત્રમાં શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ, ના કેવળ નવ્ય ઉદારવાદને કારણે પરંતુ માનવ ગૌરવની સુરક્ષા માટે ઊભા કરાયેલા તમામ રાષ્ટ્રિય અને આંતર-રાષ્ટ્રિય સંસ્થાઓની નિષ્ફળતાને કારણે. ઇરાક પર આક્રમણ થયું ત્યારથી આ નિષ્ફળતાની શરૂઆત થઈ. 2003નું યુદ્ધ ગઠબંધન મને યાદ આવે છે. આખું વિશ્વ રસ્તા પર આવી ગયું હતું. અમારે યુદ્ધ નથી જોઈતું એવું તુર્કિયેમાં એક પ્રવક્તાએ કહ્યું હતું, આપણને, વિશ્વને યુદ્ધ નહોતું જોઈતું. તેમ છતાં યુદ્ધ થયું. બીજો અંક આપણે ગાઝામાં જોઈએ છીએ. સમગ્ર વિશ્વ આ વખતે પણ રસ્તા પર આવી ગયું હતું. એમને માનવ-સંહારને રોકવો હતો, પણ ના, નેતાઓ અને સંસ્થાઓએ સાંભળવાનો ઈન્કાર કરી દીધો અને લોકોની માંગણીને ગ્રાહ્ય રાખી નહીં. એટલે આવી રીતે આપણે લોકતંત્રમાં શ્રદ્ધા ગુમાવી બેસીએ છીએ. વધુ ઘૃણાસ્પદ હતું દાવોસમાં જેરડ કુશનરનું પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન. એમણે સ્પષ્ટ કહ્યું કે ગાઝામાં માનવ-સંહાર ફક્ત એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે એમને ત્યાં રિસોર્ટ બાંધવો છે. વૈશ્વિક સમુદાયની માનવીય માંગણીઓ અને આ નવી વિશ્વ-વ્યવસ્થાના મનોવિકૃત અંધાપા વચ્ચેની આ વિસંગતતા હતી. પ્રયોગ એ હતો કે શું આ આપણે કરી શકીએ એમ છે? શું આપણે લોકોને આપણા જેટલાં જ મનોવિકૃત બનાવી શકીએ એમ છે? હજુ સુધી આપણે એવા નથી બન્યા, પરંતુ આ બધું જે બની રહ્યું તે નિરાશાજનક છે. ગાઝા હજુ ચાલે છે અને ઘણાં બધા લોકોને ગાઝામાં શાંતિ-વાર્તા શબ્દો સાંભળીને હાશકારો થાય છે. ઘણાં બધાં લોકોએ ત્યાં આશ્રય લીધો પરંતુ ગાઝા વિશે વાત કરવા તૈયાર નથી. પરંતુ મેં કહ્યું તેમ આપણે શ્રદ્ધા રાખવાની જરૂર છે, માનવોમાં શ્રદ્ધા રાખવી એ નૈતિક વલણ છે. આ વ્યવસ્થા કરતાં હું લોકોમાં વિશ્વાસ રાખવાનું પસંદ કરું છું. મારા મતે આપણે આ દિશામાં જઈ રહ્યાં છીએ. આપણે મૂળભૂત માનવ જુસ્સાની પડખે ઊભા રહેવું પડશે. ના કેવળ રાજકારણ, લોકતંત્ર અને લોકતાંત્રિક સંસ્થાઓ પરંતુ નૈતિક મૂલ્યોની રખવાળી કરવી પડશે અને સૌથી ભયાનક આ છે.

હૅજ્જિસ : શાસન જેટલું વધુ દમનકારી બને, અને હું એવા ઘણાંમાં રહ્યો છું, પોતાનું માનવ ગૌરવ પ્રતિપાદિત કરવાની ચેષ્ટા, બીજાઓ માટે કરુણા રાખવી શાસનની દૃષ્ટિમાં ઉપદ્રવ છે. 

ઍજ્જે : એટલે હું સંકટ કહું છું. મેં તુર્કિયેમાં જોયું છે અને હજુ જોઉં છું કે ઘણા બધા લોકો આટલા પ્રચંડ દમન હેઠળ હોવા છતાં, ના કેવળ રાજકીય હિંસા દ્વારા રાજકીય રીતે પરંતુ આર્થિક દમન સહન કરતા હોવા છતાં, લોકો હજુ પ્રતિકાર કરી રહ્યાં છે. આ આશ્ચર્ય પમાડે એવું છે, ખૂબ પ્રશંસનીય છે. ચોક્કસપણે માનવ ગૌરવ ગુનો બની રહ્યો છે, માનવ ગૌરવ વિશે વાત કરવી ગુનો ગણાવવા લાગ્યો છે. પણ હું આશા કરું છું કે આ પણ માનવ ગૌરવના પક્ષમાં ઊભા રહેતા લોકોની બહાદુરીને સ્પષ્ટ કરશે. 

હૅજ્જિસ : તમને ચૂંટણી વિશે પુછવા માગું છું. તમારા પ્રથમ પુસ્તકમાં એના વિશે લખ્યું છે — આપણે વચગાળાની અણી પર છીએ. ટ્રમ્પ સરકાર ચૂંટણીનો નકાર કરનારાઓને નિયુક્ત કરીને, અનેક બીજાં પગલાં લઈને આ ચૂંટણીઓને તોડીમરોડી નાખવાનો પ્રયત્ન કરી રહી છે. આની પાછળ ટ્રમ્પનો ખોટો દાવો છે કે બાઈડન સામે એ ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવેલા. ટ્રમ્પે દ્વિપક્ષીય ચૂંટણી પંચને જાકારો આપી દીધો, ટપાલથી મોકલાતા લાખો મત રોકી રહ્યાં છે, વોટર લિસ્ટ મંગાવી રહ્યાં છે. મને યાદ છે તમે તુર્કિયેમાં ચૂંટણી ગોટાળા વિશે લખ્યું છે. અહીં જે થઈ રહ્યું છે અને તુર્કિયેમાં જે થયું એ સમાંતરો વિશે વાત કરો.

ઍજ્જે : અમૅરિકનો 2016માં એક બાબત સમજી ના શક્યા, આશા કરું છું કે હવે સમજતા થયા હશે. આ લાંબી રમત છે. ગુસ્સે થવું, લાગણીશીલ થવું, આક્રોશથી ભરાઈ જવું — આ બધી બાબતોનું કોઈ મૂલ્ય નથી. આ સહનશીલતાની રમત છે એટલે ગુસ્સાને બદલે કોઈ પણ દેશે સાવધાનીનું આયોજન કરવું જોઈએ, આવા નેતાથી છુટકારો પામવો હોય તો સક્રિય ધ્યાન એકત્રિત કરવું જોઈએ. અમૅરિકા હજુ સારી સ્થિતિમાં છે કારણ કે ઍડોવાન જે કરી શક્યા એ ટ્રમ્પ હજુ સુધી એમના શાસનનું સંસ્થાકીયકરણ નથી કરી શક્યા. એમની પાસે એમના દર્શન મુજબ એક પેઢી તૈયાર કરવાનો સમય નહોતો, ઍડોવાન એવું કરી શક્યા. પોતાની નિયતિ બદલવા માટે અમૅરિકા માટે કદાચ આ છેલ્લી તક હોય શકે છે. જ્યારે કોઈ દેશ આવું શાસન અનુભવે છે ત્યારે શરૂઆતનાં વર્ષોમાં એક સામાન્ય ભૂલ એ કરે છે તે દુષ્ટતા અને નિર્દયતાના તમાશાથી દિગ્મૂઢ થઈ જાય છે. જ્યારે પણ ટ્રમ્પ કશુંક અજુગતું કરે છે, એમણે એટલી બધી ભૂલો કરી છે કે કોઈ એક અત્યારે યાદ કરવી શક્ય નથી, હું વિચારું છું કે ટ્રમ્પે આ અજુગતું વર્તન કર્યું અને બધાંને એના વિશે વાત કરવાની મજા પડે છે. મોટા ભાગે શક્ય છે કે કદાચ બંધ બારણે એ સંસ્થાઓ અંગે કંઈક કરી રહ્યા હોય, સંસ્થાઓ અથવા કાયદાઓમાં કંઈક ગંભીર પરિવર્તનો કરી રહ્યાં હોય પણ સોશ્યલ મીડિયાને લીધે લોકો પેલી અજુગતી બાબતની ચર્ચામાં વ્યસ્ત હોય, જેવી કે ‘એમણે કોઈકને કંઈ કહ્યું’, જે એક પ્રકારે કહાનીના રિયાલિટી શો જેવું છે. યુનાઈટૅડ સ્ટેટ્સે સૌથી સાવધાન જે બાબતે હોવું જોઈએ તે કાયદાની સંસ્થાઓમાં કરવામાં આવતા પરિવર્તનો છે. આ બાબત ગંભીર છે. હું આશા કરું છું કે અમૅરિકનો સમજતા હશે કે ટ્રમ્પ કોઈ પસાર થતી રાજકીય કલ્પના નથી. ટ્રમ્પ વાસ્તવ છે અને એટલા નિર્દય અને બેશરમ છે કે વિશ્વની નવી વ્યવસ્થાને અમૅરિકાની સત્તા મારફતે વૈશ્વિક સ્તરે સ્થાપવા માગે છે. કમનસીબે જ્યારે અમૅરિકનો મત આપે છે એ આપણા બધાં માટે મત આપે છે. એમની જવાબદારી અંગે એ સભાન હોય એવી આશા કરું છું. 

હૅજ્જિસ : સાચું કહ્યું. ડૅમોક્રૅટ્સ ફરીથી કાઁગ્રેસની, વચગાળાની ચૂંટણીમાં સૅનૅટની અને હાઉસની લગામ સંભાળે તો ટ્રમ્પ એને નકારવા ખૂબ મહેનત કરશે. મને વચગાળાની ચૂંટણીની ચિંતા થાય છે. તમે તમારા પુસ્તકમાં લખ્યું છે કે તુર્કિયેમાં ચૂંટણી પ્રક્રિયાના અધિગ્રહણને કારણે તંત્રમાંથી બહાર નીકળવાની આશા જ ના બચી. કાશ અમે એ જ દિશામાં ના જતા હોઈએ.

ઍજ્જે : લગભગ એવું નથી. ઍડોવાનને જે કરવા માટે વીસ વર્ષ લાગ્યાં તેના માટે ટ્રમ્પને એક કે બે વર્ષ લાગ્યાં. ટ્રમ્પની અસાધારણ પ્રતિભાને કારણે આવું નથી બન્યું. આનું કારણ છે કે તુર્કિયેનો સમાજ રાજકીય ધોરણે ઍડોવાન કરતાં વધુ સંગઠિત હતો. ટ્રમ્પે એક જ વર્ષમાં જે કર્યું તે ઍડોવાન પક્ષના રાજકારણમાં અને પક્ષના રાજકારણની બહાર વિપક્ષમાં વિરોધને કરી શક્યા નહીં. પણ તમે સાચું કહ્યું કે તમારા રાજકીય વિરોધી, પછી એ ટ્રમ્પ હોય કે ઍડોવાન, એ આવી હલકી દુશ્મનાવટથી થાકતા નથી. એ બધી જ હલકી કરામતો કરશે. જ્યારે બીજી તરફના, ડાબેરીઓની કે ડૅમોક્રૅટ્સની, જે નામથી ઓળખો, સૌથી મોટી સમસ્યા છે કે એ ભાવનાત્મક રીતે થાકી જાય છે. વળી, આટલું જ નહીં તમે ચૂંટણી પ્રક્રિયામાં શ્રદ્ધા પણ ગુમાવી બેસો છો. તમને ખબર છે કે આમાંથી ચૂંટણી દ્વારા બહાર નથી નીકળી શકાવાનું. પણ તુર્કિયેમાં આનાથી સાવ જુદું બન્યું, ચૂંટણીઓ જાણે શેરી રાજકારણનો હિસ્સો, ઉગ્રવાદનો હિસ્સો, રાજકીય ઉગ્રવાદનો હિસ્સો બની ગઈ, જેથી ત્યાં જઈને બૅલૅટ બૉક્સ આગળ ચોકી ભરવી કે જેથી ચૂંટણીમાં ગેરરીતિ, વગેરે થતી અટકાવી શકાય. મોટી સંખ્યામાં, ના ભૂતો ન ભવિષ્યતી એટલી સંખ્યામાં લોકો બૅલૅટ બૉક્સના સાક્ષી બન્યા હતા. હું આશા કરું છું કે અમૅરિકનો ચૂંટણીને આ રીતે જોઈ શકે, ના કેવળ મતદાન કરવા માટે પરંતુ બૅલૅટ બૉક્સની સુરક્ષા માટે, ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા માટે. આનાથી એ ઉત્સાહિત પણ થશે, જુદી રીતે પક્ષના રાજકારણમાં પણ ઉત્સાહવર્ધન થશે અને ખોટાં વચનો આપતી વખતે ડૅમોક્રૅટ્સને પણ અસહજતાનો અનુભવ થશે. 

હૅજ્જિસ : Nation of Strangersમાં તમે રસ્તા પર છલકાતા લોકો વિશે લખ્યું છે, તમે ‘કાર્નિવલ’ શબ્દ વાપર્યો છે. એ બિલકુલ સાચું છે. મારી ઉર્જા, મારી થેરાપિ કોલંબિયા કે પ્રિન્સ્ટનના પડાવોમાં પહોંચતી હતી. હું પ્રિન્સ્ટનમાં રહું છું, ઝુકાટી પાર્કમાં ઓક્યુપાઈમાં ઘણો સમય વિતાવતો હતો, ખૂબ તાજગી આપનાર અનુભવ હતો, આપણા જેવા માટે, તમારા જેવા માટે જે લાંબા સમયથી આ અંગે પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં હતા.  Nation of Strangersમાં ખાસ મારા ધ્યાન પર આવ્યું તે એ કે શરણાર્થી હોવાનો તમારે અનુભવ કેવો છે અને તમે શરણાર્થીઓ અને દેશવટો થયેલા વચ્ચે જે ભેદ બતાવ્યો છે. શરણાર્થીઓથી વિરુદ્ધ દેશવટો પામેલા લોકો વધુ સુઘડ, પોતાના દેશમાંથી બળજબરીપૂર્વક કાઢી મુકાયેલા લોકોનું કદાચ વધુ રોમાંચક વૃત્તાંત છે, પરંતુ તમને બધાંને શરણાર્થીઓ તરીકે જ જોવામાં આવે છે, પછી તે વિસા માટેની કે મુદ્દત લંબાવવા માટેની કતારમાં ઊભા રહેવાનું હોય. મને તમારા પુસ્તકમાં એક મુદ્દો ખાસ મર્મસ્પર્શી લાગ્યો કે વિશ્વ તમને અજાણ્યા વ્યક્તિ તરીકે, સામાજિક પરિવેશ બહારના વ્યક્તિ તરીકે જોતા હોય, તમે એમને કહો છે ‘ના’, તમારે પણ સમજવું પડશે કે તમે એ જ દિશામાં આગળ વધી રહ્યા છો, તમે પણ ‘unhomed’ (બેઘર) થવાના છો, તમે આ શબ્દ વાપર્યો છે. 

ઍજ્જે : હા. ‘Unhomed’ બહુ જૂનો અંગ્રેજી શબ્દ છે, ૧૮મી સદીનો શબ્દ છે જેને મેં પુનર્જીવિત કર્યો છે. રસપ્રદ છે, કટાક્ષરૂપ છે કે મેં એક પુસ્તક બ્રિટનમાં પ્રકાશિત કર્યું એના થોડાંક જ દિવસમાં મિનિયાપૉલિસ થવા લાગ્યું અને મેં કહ્યું ‘લો શરૂ થઈ ગયું Nation of Strangers’. લોકોને homeless હોવાનો, પોતાના જ દેશમાં unhomed થવાનો અનુભવ કરાવવામાં આવે છે. મધ્યમ વર્ગીય શ્વેત અમૅરિકનો માટે આ પ્રથમ વખત હતો કે મૂળભૂત માનવ મૂલ્યોનું રક્ષણ કરતા હોવા છતાં સરકાર એમના પર દુશ્મન હોય એ રીતે નિશાન તાકતી હતી. પોતે unhomed હોય એવો એમને અનુભવ થયો. એમાંના અમુક તો ખરેખર અજાણ્યા લોકો હતા, વિદેશીઓ હતા, અપ્રવાસીઓ હતા. મને લાગે છે કે Nation of Strangers ત્યાં લઘુ સ્તરે રચાયું, લોકો બીજા બધાંના, બધાં અપ્રવાસીઓના ટેકામાં ઊભા થયા અને કહ્યું કે આ દેશ આપણને બધાં ને સમાવી લેશે. હું આ સુખાવતી વિશે વિચારી રહી હતી, કલ્પના કરી રહી હતી અને પુસ્તકના પ્રકાશનના એક જ સપ્તાહ બાદ એવું ખરેખર બન્યું. એ રસપ્રદ હતું. હા, હું ચોક્કસ માનું છું કે આપણી સદીની મુખ્ય સમસ્યા છે ‘home’ શબ્દ. આપણે ઘણા સ્તરે ઘર ગુમાવી રહ્યાં છીએ. અમારામાંના કેટલાં ય ખરેખર અપ્રવાસી, શરણાર્થીઓ છીએ. યુદ્ધ, ફાસીવાદને લીધે તો આપણે ઘર ગુમાવીએ જ છીએ, પરંતુ ટ્રમ્પ જેવા નેતાઓને કારણે પણ ઘર ગુમાવવાનો વારો આવે છે. તમે તમારા દેશને જુઓ, બધાં ચીસો પાડતા ભક્તો, બીજા શબ્દોમાં જેને આશ્રિતો કહીશું, ત્યારે તમને લાગે છે કે શું હજુ આ મારો દેશ છે? શું મારો દેશ હજુ મને મારા ઘર જેવો લાગે છે? 

આપણે ઘર ગુમાવીએ છીએ પર્યાવરણ સંકટને કારણે, આપણે ઘર ગુમાવીએ આપણે જેમાંથી પસાર થઈ રહ્યાં છીએ તે નૈતિક અધ:પતનને કારણે, કબજા હેઠળના દેશનું પાવર પોઈન્ટ પ્રેસન્ટેશન જોઈને એક સામાન્ય અનુભવ, એક માનવસંહારના  સાક્ષી બનીએ છીએ. આ તમામ બાબતો આપણને આ વિશ્વમાં, આ સમયમાં, આ નવી વિશ્વ વ્યવસ્થામાં બેઘર હોવાની અનુભૂતિ કરાવે છે. એટલે આપણે બધાં અજાણ્યા લોકો છીએ. શું આપણે એકબીજા સાથે અનુસંધાન સાધી શકીએ એમ છે? મારા પુસ્તકનો આ મુદ્દો છે. મારે જે કરવું હતું, મને લાગે છે, તે આ કે ‘હા, હું દેશવટો પામેલી છું, કેટલાં બધાં શરણાર્થીઓ છે, કેટલા બધાં અપ્રવાસીઓ છે, આપણા યુગ માટે જરૂરી સમજણના આ લોકો વાહકો છે. બધું ગુમાવનારા અમે લોકો છીએ અને અમારે શૂન્યમાંથી અમારા ઘર ફરી ઊભા કરવાના આવ્યા અને ટૂંક સમયમાં વિશ્વએ આવું કરવાનું આવશે અને આના અનેક જુદાં કારણો છે. શું અહીંથી આપણે આપણા સંબંધો સ્થાપી શકીએ? શું આ હકીકતમાંથી, આ મળતાપણામાંથી, આ સમાન કપરી અવસ્થામાંથી  રાજકારણ ઊભું કરી શકીએ?

હૅજ્જિસ : તમારા પુસ્તકમાં એક વાક્ય છે — ઘર નથી, હું એની કતલ કરીશ, ઘર એ નથી જ્યાંના તમે છો, પરંતુ ઘર એ છે જ્યાં કોઈ તમને યાદ કરે છે. એવું કંઈક છે, બરાબર છે?

ઍજ્જે : ના, વાક્ય આમ છે — ઘર એ નથી જે તમે યાદ કરો છો, પરંતુ જ્યાં તમને યાદ કરવામાં આવે છે.

હૅજ્જિસ : હા, જ્યાં તમને યાદ કરવામાં આવે છે. એ ખ્યાલ સમજાવો.

ઍજ્જે : આપણે હંમેશાં એવું વિચારીએ છીએ કે ઘર એ સ્મૃતિ છે. જ્યારે આપણને ઘર યાદ આવે છે, વાસ્તવમાં આપણે કોઈ જગ્યાની ખોટ સાલતી નથી હોતી, પરંતુ આપણને કોઈ સમયની ખોટ સાલતી હોય છે. એટલે મને લાગે છે કે ઘરે પાછા ફરવું અશક્ય છે. તેથી જ્યારે કોઈ તમને વચન આપે છે, દા.ત. ટ્રમ્પ વચન આપે કે તમારું ઘર ફરીથી મહાન બનાવી દેશે એ તદ્દન કઢંગાપણું છે. ઘણા લોકો માને છે કે ઘર એટલે જે તમે યાદ કરો છો, જે બધી ચીજો તમે યાદ કરો છો. જ્યારે એકવાર તમે તમારો દેશ છોડો છો અને બીજા દેશમાં પહોંચો છો જ્યાં તમને કોઈ ઓળખતું નથી, જ્યાં કોઈ તમને યાદ કરતું નથી, તમે જાણે તમારા પોતાના અસ્તિત્વ પર શંકા કરવા લાગો છો. આ ખૂબ ભયાનક કોરી સ્લેટ છે જે તમે મેળવો છો. આ મને મારા અનુભવ પરથી જડ્યું છે. કમનસીબે તમને યાદ કરવામાં આવે તે ઘર છે, તમે લોકોને યાદ કરો તે નહીં. 

હૅજ્જિસ : મીડિયાની વાત કરીએ. આપણે બન્ને મીડિયાના માણસો છીએ. તમારા પુસ્તકમાં તમે તમારા સંઘર્ષ વિશે લખ્યું છે, તટસ્થતાના ખ્યાલ વિશે, જેને તમે નિષ્પક્ષતા કહ્યું છે, પરંતુ આપણને આ મુકામ પર પહોંડવામાં મીડિયા સંડોવાયેલ છે. એના વિશે તમારું શું કહેવું છે?

ઍજ્જે : બિલકુલ સાચું કહ્યું. આ બીજા પ્રકારનું બેઘરપણું છે સાંપ્રત સમયમાં. અમૅરિકન પત્રકારો આ અનુભવ કરી રહ્યાં છે કારણ કે આપણા ઘર છીનવાઈ રહ્યાં છે. દા. ત. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પત્રકારો રાતોરાત બેઘર થઈ ગયા હતા, અને અમારા જેવા કેટલાં ય તુર્કિયેમાં, આમ તો આખા વિશ્વમાં પણ. વહેલા પંખીઓમાંની (મારું ઉમેરણ: અંગ્રેજીમાં કહેવત છે The early bird gets the worm. {જે પંખી પહેલું પહોંચે એને અળસિયું મળે}) હું એક છું. હું મારા પુસ્તકો, મારી કટારો ખૂબ વહેલી લખી કાઢું છું અને એ સમસ્યા છે. બઢાઈ મારતી હોવ એમ લાગે, ઊલટાનું મારી જિંદગી અઘરી થઈ પડી છે. મેં પહેલા ઍડોવાન વિશે લખ્યું કે આ ખૂબ મોટી અને જુદી પ્રકારની સમસ્યા સાબિત થવાની છે. 2002નું વર્ષ હતું. બધાં, ના બધાં નહીં પરંતુ ઘણા બધાં એમના પ્રેમમાં હતા. હું માનું છું કે સંડોવણી એટલા માટે નથી હોતી કે લોકો દુષ્ટ હોય છે અને એમને સત્તાની નજીક રહીને લાભ મેળવવા હોય છે. એવું હોય છે પરંતુ સત્તાથી અંજાઈ જવાનું પણ હોય છે. સત્તાથી અંજાઈ જવા તરફ ઢળેલા હોવું, કશાંકમાં વિશ્વાસ કરવાની સત્તા અને આ ખૂબ જોખમી છે કારણ કે એ ખૂબ સુક્ષ્મ હોય છે. એને ચીંધીને તમે સંડોવણી નથી કહી શક્તા. ઍડોવાનમાં આ ખૂબ જ હાજર હતું. આ મુદ્દે અમૅરિકા ઘણું નસીબદાર છે. તમારું સાવ દેખીતું છે. ઍડોવાન આવા નહોતા. ઓબામા પણ ઘણા સમય સુધી એમના પ્રેમના પ્રેમમાં હતા. રાષ્ટ્રિય અને આંતર-રાષ્ટ્રિય સ્તરે એમને ટેકો આપવાનું ક્ષોભજનક બન્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ત્યાં સુધીમાં તો એ ખૂબ શક્તિશાળી બની ગયા હતા. પત્રકારત્વની સંડોવણી ઍડૉવાન પૂર્વે જ દેખીતી રીતે ચાલુ થઈ ગઈ હતી. મને લાગે છે 1980ના દાયકામાં એ ચાલુ થઈ હતી જ્યારે આપણને નિષ્પક્ષતાને તટસ્થતા તરીકે જોવા માટે ગૂંચવ્યા હતા. આપણને ભુલાવવામાં આવ્યું કે પત્રકારત્વનું હાર્દ સત્તાના વિરોધમાં હોવામાં, વિરોધ કરવામાં સમાયેલો છે, કમ સે કમ સત્તાને પ્રશ્ન પુછવામાં. પરંતુ પ્રચારને લીધે સત્યની નવ્ય ઉદારવાદ પ્રેરિત સમજણ એટલી ઊંડી, એટલી શક્તિશાળી હતી કે આપણને એ ભુલાવી દેવામાં આવ્યું કે આપણે અવાજ વગરના લોકો માટે અવાજ બનવું જોઈએ, જો એવી કોઈ ચીજ છે, અથવા આપણે ગરીબો સાથે, નિર્બળો સાથે, શોષિતો સાથે ઊભા રહેવું જોઈએ. 

હૅજ્જિસ : આપણે ના હોઈએ તો એ લોકોનો અવાજ ના હોય.

ઍજ્જે : બિલકુલ. મને બરાબર યાદ છે. હું બાવન વર્ષની છું, ૧૯ વર્ષની હતી ત્યારે મેં પૂર્ણ સમયના પત્રકારત્વની શરૂઆત કરી હતી. મને યાદ છે એ લોકોએ કેવી રીતે ભાગ પાડેલા. પ્રથમ, અર્થતંત્ર સંવાદદાતાઓ, ત્યારબાદ બે જૂથ, વેપાર સંવાદદાતાઓ અને શ્રમ સંવાદદાતઓ. સામ્યવાદી વિચારધારાને કારણે શ્રમ સંવાદદાતોઓથી અંજાઈ જવાતું. સમય જતા મેં જોયું કે વેપાર પત્રકારત્વ વધુ મહત્ત્વનું બનતું ગયું અને દૈનિકોમાં એમને વધુ માન અપાતું હતું. જાણે બહારની દુનિયામાં જે પરિવર્તન થઈ રહ્યું હતું તે નાના પાયે દૈનિકોમાં થઈ રહ્યું હતું. 

હૅજ્જિસ : આ જ ઘટના અમૅરિકાના દૈનિકોમાં પણ બની. બહુ ઓછા દૈનિકો, કદાચ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં હજુ શ્રમ સંવાદદાતા હશે પરંતુ કદાવર વેપાર વિભાગ 2008નું દેવાળું ચૂકી ગયો કારણ કે એ બધાં જૅમી ડાઈમન્ડ જેવાનો ઈન્ટરવ્યુ કરી રહ્યાં હતા. તમે સાચું કહ્યું આવું જ અમૅરિકન પત્રકારત્વ સાથે બન્યું. 

ઍજ્જે : આ બધા બાબતો વિશે વાત કરવું નિષેધ હતું. જાણે અદૃશ્ય હાથ વડે એને અદૃશ્ય કરી દેવામાં આવ્યું હતું. આમ તો એ દૃશ્યમાન હતું કારણ કે રાજકારણ હતું પરંતુ હા, એ સમય જુદો હતો. મને યાદ છે કામદાર સંઘો વિશે લખનારા પત્રકારો સાથે સામ્યવાદી હોય એવો વ્યવહાર કરવામાં આવતો હતો. 

હૅજ્જિસ : તમારા પુસ્તક Nation of Strangersમાં સત્તાની નજીક હોવાનું તમે લખ્યું છે, તમે એ મુદ્દો પણ નોંધ્યો છે કે એટલી નિષ્કપટતા હતી કે એમને ખ્યાલ જ ના આવ્યો કે આપણે બૌદ્ધિક વર્ગ વિશે પણ વાત કરતા હતા. ઍડોવાનને એ લોકો ઓળખી શક્યા નહીં અને એમની ચોતરફ જે બની રહ્યું હતું એ અંગે પણ બેખબર રહ્યાં. તમે એ વાત કહો છો અને તમે કરેલા વાર્તાલાપો વિશે લખો છો. મારે એ મુદ્દા પર પાછું જવું છે. મને લાગે છે કે અહીંના સંદર્ભમાં પણ એ સાચુ છે. 

ઍજ્જે : પાછું વળીને જોતાં મને એ ઘમંડ લાગે છે, એટલે કે તુર્કિયે તરફ પાછું વળીને જોતાં, જ્યારે કે આજે યુનાઈટૅડ સ્ટૅટ્સ અથવા યુરોપ અંગે હું બહુ સહેલાઈથી ઘમંડ કહી શકું એમ છું. વળી આ બહુ ખાનગી, સુક્ષ્મ પ્રકારનો ઘમંડ છે. એમને હજુ એવું લાગે છે કે બૌદ્ધિક વર્ગ, સાંસ્કૃતિક ભદ્રવર્ગ, અભિપ્રાય સર્જનારા, પાર્ટીના રાજકારણીઓ, વગેરેનું વજૂદ છે. આપણું વજૂદ નથી. આપણે આ સ્વીકારવું પડશે અને આ હકીકતથી આપણે મુક્તિનો અનુભવ કરવો પડશે, તમામ શિષ્ટાચારથી મુક્તિ લેવી પડશે જેના કારણે આપણને લાગે છે કે આપણે સીમિત થઈ જઈએ છીએ. આ ઘમંડ બહુ સમસ્યાઓ ઊભી કરે છે અને એ સંડોવણીથી વધુ મહત્ત્વનો છે. આપણને હજુ એવું લાગે છે કે આપણું વજૂદ છે, આપણા શબ્દોનું વજૂદ છે, લોકો આપણને સાંભળશે પરંતુ કમનસીબે એવું બિલકુલ નથી. એક નાનો દાખલો આપું. જ્યારે મારા પુસ્તક Nation…નું લોકાર્પણ હતું, એક અત્યંત જમણેરી ફ્રેન્ચ વેપારીએ એક બહુ જ મહત્ત્વનું પ્રકાશન ગૃહ ખરીદ્યું હતું. એ પ્રકાશન ગૃહના તમામ લેખકોએ રાજીનામું આપી દીધું અથવા વિરોધમાં છોડી દીધું. મેં મારા ફ્રેંચ મિત્રો અને સહકાર્યકરોને કહ્યું કે તમને કેમ એવું લાગે છે કે તમારી ગેરહાજરીનું વજૂદ છે? જ્યારે કે તમારી હાજરીનું જ વજૂદ નથી. તમે નવા વિશ્વને નથી સમજી શક્યા. એટલે હું ઉગ્રવાદની વાત કરું છું, કદાચ એ આકરો શબ્દ છે પરંતુ હું ભયથી મુકિતની વાત કરું છું. હું વિનમ્રતાની વાત કરું છું. હું સત્યનિષ્ઠતા અને આપણી વાસ્તવિક્તાનું મૂલ્યાંકન કરવાની હિમ્મતની વાત કરું છું. સંસ્કૃતિ અને રાજકારણ અને શબ્દના લોકો તરીકેની માત્ર આપણી જ વાસ્તવિક્તા નહીં પરંતુ વિશ્વની વાસ્તવિક્તા. આપણે એ મુકામ પર છીએ જ્યાં ઘણું બધું ગુમાવવું પડશે. મને લાગે છે કે આપણી પાસે બે વિકલ્પો છે. આપણામાંના અમુક એવું કરશે કે તવંગર અને શક્તિશાળી લોકોના, કલાકારોના, સાંસ્કૃતિક લોકોના, લેખકોના અને રાજકારણીઓના બંકરોમાં આશ્રય લેશે અને બીજાને સમજાશે કે લોકો સાથે ઊભા રહેવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી અને સ્વીકારવું પડશે કે આપણે ખરેખર સમાન છીએ અને એકબીજા સિવાય આપણી પાસે કશું નથી જે મારા મતે પર્યાપ્ત છે. 

હૅજ્જિસ : જોસફ રોથની પ્રેમિકાની એક નવલકથામાં, એક ખૂબ ઓછી જાણતી નવલકથા મેં વાંચેલી જેમાં રોથ એક પાત્ર છે અને તમારી માફક એમણે નાત્સીઓને લલકારેલા. 20ના દાયકામાં એમને બરાબર ખબર હતી કે શું થવા જઈ રહ્યું છે. એ બહિષ્કૃત હતા, મહાન પત્રકાર હતા અને મહાન નવલકથાકાર પણ હતા પરંતુ એક ઠેકાણે એ કહે છે કે ‘હિમપ્રપાત સામે ચૂં ચૂં કરતું એક ઊંદર હોઉં એમ લાગે છે, પણ ચૂં ચૂં તો મારે કરવું જ રહ્યું’.  

ઍજ્જે : કેટલું સાચું કહ્યું. હું ખડખડાટ હસી રહી છું અને મને લાગે છે કે યુરોપિયનોએ અને અમૅરિકનોએ આ પ્રકારનું હાસ્ય જલદીથી શીખી લેવું પડશે, આપણને જોખમ સામે સાંત્વના આપે એ હાસ્ય નહીં પરંતુ જે હાસ્ય આપણને બધાંને ભેગા કરે અને વધુ શક્તિશાળી બનાવે. આ ઘોર હાસ્ય છે પરંતુ ઘોર હાસ્ય આપણે કરવું જ રહ્યું, બરાબર ને?

હૅજ્જિસ : તમે પુસ્તકમાં એ લખેલું છે. હું યુદ્ધમાં લડેલો છું એટલે ઘોર હાસ્યની વાત હું બરાબર સમજુ છું. મને સ્પષ્ટ યાદ નથી આવતું પરંતુ કદાચ તમને વિઝા નહોતો મળી રહ્યો અને તમે એક મિત્રને ફોન કર્યો અને એ પણ જોખમી પરિસ્થિતિમાં હતા અને મિત્ર તમને રમૂજમાં પૂછે છે કે તમે આત્મહત્યા ક્યારે કરવાના છો. મેં વાર્તા બરાબર કહી ને?  આપણને આજે એની જ જરૂર છે.

ઍજ્જે : હા, એવું જ બન્યું હતું. ઘણી વખત જ્યારે 2016ના તુર્કિયેની હું વાત કરું છું, મને યાદ છે હું લિંકન સેન્ટરમાં 3,000 સ્ત્રીઓ સાથે વાત કરીને એમને કહી રહી હતી કે ઘણાં અમૅરિકનોને, ખાસ કરીને ન્યુયોર્કમાં હતા તેમને, લાગતું હતું કે ટ્રમ્પ એક વર્ષથી વધુ નહીં ટકે. મેં એમને કહ્યું કે એ એક વર્ષ ટકશે અને ફરી પાછા આવશે. લંબાણપૂર્વક મેં વાત કરેલી અને હસી હતી. તે વખતે હતા એના કરતા આજે 10 વર્ષ બાદ અમૅરિકનો આ પ્રકારના હાસ્યથી પરિચિત બન્યા છે. એ સારું થયું છે. Nation of Strangers આજે કેટલી ય ભાષાઓમાં પ્રકાશિત થઈ છે એની મને ખબર પણ નથી. હું છેલ્લાં 6 મહિનાથી યુરોપના પ્રવાસ પર હતી, એક અસાધારણ ઘટના બની જે મને બહુ રસપ્રદ લાગી. દરેક શહેરમાં, દરેક યુરોપિયન શહેરમાં, દરેક શ્રોતાગણમાં ધ્રૂજતા અવાજ અને ભીની આંખોવાળી એક અમૅરિકન વ્યક્તિ હોતી હતી. એમાંના દરેકે મને કહ્યું કે ‘દેશવટો પામીને મેં યુરોપમાં આશ્રય લીધો છે.’ અને મને થયું ‘ઓહ, આ તો મકાર્થી યુગ છે. આ, મને ખબર નથી, આ તો વળી ફરીને હૅમિંગ્વે છે.’ વિદેશવાસીઓ, દેશવટો પામેલા અમૅરિકનો, આ નવી અસાધારણ ઘટના છે. મને વિચાર આવે છે, હું સમય કરતાં પહેલા પુસ્તકો લખી કાઢું છું પરંતુ Nation of Strangers સીધું નિશાન પર જઈ વાગે છે. આજે આપણે એક યા બીજી રીતે બેઘર થઈ રહ્યાં છીએ અને કદાચ પ્રથમ વખત અમૅરિકા ક્યારે ય ન હતું એટલું બાકીના વિશ્વની નજીક આવી ગયું છે. 

હૅજ્જિસ : તમે લખ્યું છે કે ‘હું જે ચાહું છું તે લખું છું.’ મને યાદ આવે છે માર્ગરૅટ ઍટવૂડે એક વેળાએ કહ્યું હતું કે આશા પ્રત્યેની પશ્ચિમી ઘેલછાને એ નથી અનુસરતા. પરંતુ તમે લખ્યું છે કે તમને ‘આશા’ શબ્દ નથી ગમતો. તમને ‘અવજ્ઞા’ શબ્દ ગમે છે, બરાબર કહ્યું ને?

ઍજ્જે : મેં લખ્યું છે કે મને ‘શ્રદ્ધા’ શબ્દ ગમે છે કારણ કે મારા પુસ્તક Together: A Manifesto against a Heartless Worldનો એ મુખ્ય વિષય હતો. ઘણાં લોકોને લાગે છે કે આપણે આશા રાખવી જોઈએ, આપણા આશાવાદી રહેવું જોઈએ, વગેરે. મને ખબર છે, સમયને કારણે, ખાસ કરીને How to Lose a Country લખ્યા બાદ, બે વખત વિશ્વની યાત્રા કર્યાં બાદ અને આશાની માંગણી કરી રહેલા શ્રોતાગણો સાથે વાત કર્યાં બાદ, મેં નોંધ્યું કે એ લોકો આશાની માંગ નથી કરી રહ્યાં પરંતુ એ લોકો વિશ્વાસ કરી શકે એવું કારણ માગી રહ્યાં છે, એ લોકો અર્થ કાઢી શકે એવા કારણની માંગ કરી રહ્યાં છે જેથી એ લોકો એના માટે અને એની સાથે કાર્ય કરી શકે. નવ્ય ઉદારવાદે માત્ર અકલ્પનિય સામાજિક અન્યાય અને કદરૂપા, અસભ્ય નેતાઓ જ નથી સર્જ્યા પરંતુ માનવતામાં આપણી શ્રદ્ધા, માનવ હોવાના આપણી ભૂમિકામાં, રાજકીય ભૂમિકા અને એવી બીજી ભૂમિકાઓમાં આપણી શ્રદ્ધા ચોરી લીધી છે. આનું કારણ છે કે ફાસીવાદની માફક નવ્ય ઉદારવાદ આપણને કહે છે કે માનવો સ્વાર્થી, સ્વકેન્દ્રી અને ભયાનક જીવો છે. આવી રીતે આપણા માનવપણામાં, આપણા માનવ ભવિષ્યમાં આપણી શ્રદ્ધા આપણી પાસેથી ચોરી લેવાઈ છે. એનું કારણ છે કે આપણે એ વ્યાખ્યાને આનાકાની વગર સ્વીકારી લીધી. કોઈક કારણસર આપણી સમગ્ર આર્થિક અને સામાજિક વ્યવસ્થા સ્વાર્થી, સ્વ-કેન્દ્રી, અનઅધિકૃત બનાવી દેવાયેલા માનવોની એ મૂળભૂત વ્યાખ્યા પર આધારિત છે. હવે આ બદલવા માટે આપણને આશાની જરૂર નથી. આપણને શ્રદ્ધાની જરૂર છે પરંતુ જેમ કોઈ પણ શ્રદ્ધા સંદર્ભે હોય છે તેમ શ્રદ્ધાના વિષયમાં નહીં, પરંતુ પોતાના માટે, કારણ કે માનવોમાં, માનવતામાં, મનુષ્યોના ભવિષ્યમાં તમે શ્રદ્ધા કરવા લાગશો એટલે તમે તમારી જાતમાં શ્રદ્ધા કરવા લાગશો અને આપણા રાજકીય સંઘર્ષનું આ શરૂઆતનું બિંદુ છે. માનવતામાં આપણી શ્રદ્ધાને કેવી રીતે પુન: તાજી કરી શકીએ? જુઓ, તમે જ્યારે પડાવોમાં જાવ છો ત્યારે એક પ્રકારનો આનંદ અનુભવાય છે. એ આનંદ માનવ ગૌરવનો છે. એ ખૂબ વિશિષ્ટ આનંદ છે. તમે શા માટે ત્યાં જાવ છો? તમે એક વાર જાવ છો, તમે આનંદ અનુભવો છો, તમને સુખાકારીનો અહેસાસ થાય છે. તમે વારંવાર ત્યાં કેમ જાવ છો? એ જાત્રા જેવું છે. મનુષ્યોમાં તમે તમારી શ્રદ્ધાને પુન: તાજી કરવી હોય છે. તમારા જેવા મનુષ્યોને તમે જોવા ઇચ્છો છો અને ભૂલવા નથી માગતા કે આપણે અહીં છીએ અને આટલા બધાં છીએ. આ કૃત્યો, જે તમામ લોકોએ ગાઝા માટે અવાજ ઊઠાવ્યો અને જે લોકો હજુ ઘણા બધા અન્યાયો સામે અવાજ ઊઠાવી રહ્યાં છે, આ લોકો માનવોમાં, માનવતામાં, આપની જાતમાં આપણી શ્રદ્ધાને પુન: તાજી કરી રહ્યાં છે. અને જો આપણે આપણી જાતમાં શ્રદ્દા રાખી શકીએ તો, માત્ર સાચા નેતાને મત આપવો જ પર્યાપ્ત નથી, સમગ્ર વિશ્વમાં રાજકારણનું પોત, રાજકારણનો હાર્દ જ બદલી શકાય તેમ છે. એટલા માટે મમદાની અને અન્ય સ્થાનિક નેતાઓ આ શ્રદ્ધાના વાહકો બની રહ્યાં છે જેથી આપણે વિચારી શકીએ કે આપણે સુંદર છીએ, સજ્જન છીએ, આપણે દુષ્ટ નથી. આપણે નિ: સ્વાર્થ છીએ, સુંદર જીવો છીએ. મને લાગે છે કે આપણને આવું જોવાની વધુ જરૂર છે અને એમાં વિશ્વાસ કરવાની વધુ જરૂર છે. 

હૅજ્જિસ : જબરદસ્ત. આભાર. ટોમસ અને મૅક્સને આ શો પ્રોડ્યુસ કરવા બદલ આભાર. તમે મને chrishedges.substack.com પર શોધી શકો છો. 

ઍજ્જે : આભાર, ક્રિસ. ખૂબ ખૂબ આભાર. 

*સ્રોત: https://youtu.be/GtXQR50UFg4?si=3xXGn2u8T3Fd3BnN

The Chris Hedges YouTube Channel 

 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

1234...102030...

Search by

Opinion

  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353
  • એકલો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved