હોઠ ઉઘડે તો પરિચય થાય છે
આદમી ક્યાં મૌનથી સમજાય છે!
આ નગરમાં એક મોસમ વાય છે,
આદમીથી આદમી ગભરાય છે.
શિસ્તને બદલે દુકાનો પર હવે,
વાહ વાહની ભાવના વેચાય છે.
ફક્ત સંભળાતું હતું ,એ આજ સૌ,
દૂરથી……સંભળાય ને દેખાય છે.
પહેલાં નજરો, એ પછી જો દિલ મળે,
તો મહોબ્બતની ગઝલ સર્જાય છે.
અમદાવાદ.
e.mail : siddiq948212@gmail.com
![]()



આ કંઇ ફલોરલ ગાર્ડનનું જ રડવાનું નથી, શહેરનું પાલ એક્વેરિયમ ( 2025-2026ના એક રિપોર્ટ મુજબ) 10 મહિનાથી બંધ પડ્યું છે. એક્વેરિયમ બનવાને હજી તો 10 વર્ષ માંડ થયાં છે, પણ ઈમારતમાં તિરાડો પડી ગઈ છે. આવું જર્જરિત બાંધકામ ઈમાનદારીથી થયેલ કામનું પરિણામ નથી જ ! આ બધું શુદ્ધ બુદ્ધિથી થયું હોય એવું પણ નથી જ ! આજકાલ ખાયકીનો રોગ કોરોના કરતાં ય વધુ ઝડપથી ફેલાય છે ને એમાંથી ભાગ્યે જ કોઈ બાકાત હશે. પાલ એક્વેરિયમ 2014માં ખુલ્લું મુકાયું હતું. આ એક્વેરિયમ એક સમયે લોક આકર્ષણનું મહત્ત્વનું કેન્દ્ર હતું ને ગમ્મત તો એ છે કે તે બંધ પડ્યું છે, પણ ઓનલાઈન તો તે ‘ઓપન’ જ બતાવતું હોવાને કારણે બહારથી આવનારાઓને ફેરો માથે પડે છે. એક્વેરિયમ બંધ રહેવાને કારણે શાર્ક પુલ, ટર્ટલ ટચપુલ, ફિશપોન્ડ જેવાં આકર્ષણો પણ નકામાં જેવાં થઈ ગયાં છે. એન્જીનિયર્સ ન હતા ત્યારે તાજમહાલ, મીનાક્ષી મંદિર, સુવર્ણ મંદિર બન્યાં તેને રિપેરીંગની જરૂર પડી હશે, પણ તે નવરાં કે ખંડેર થયાં નથી, જ્યારે આજની ઈમારતો તો 10 વર્ષમાં ખંડેર થઇ જાય છે, તે કેટલી હદે ભ્રષ્ટતા કારભારમાં પ્રવેશી હશે તેનો જીવંત પુરાવો છે. આ માત્ર એક્વેરિયમ પૂરતું જ સાચું નથી, બીજી પણ ઈમારતો છે જે આ વાતની સાક્ષી પૂરે છે.