તામિલનાડુના કોઈમ્બતુરની સાવ નજીક આવેલા વડીવેલાપલાયમ્ ગામના એક ઘરમાં વહેલી સવારે ગેસના ચૂલા પર ધમધમાટ ઈડલી રંધાઈ રહી છે. બધો ઘાણ તૈયાર થયા પછી એ ઈડલી / સંભાર ૧/- રૂપિયાના ભાવે ચપોચપ વેચાઈ જશે! એક મહિલા રોજ ૬૦૦ ઈડલી બનાવે છે અને ગરીબોની ભૂખ સંતોષે છે. ૮૫ વર્ષનાં કમલાતાઈ ૩૦ વરસથી આ નફા વગરની સેવા આપી રહ્યાં છે. પણ તે ઈડલી અમ્મા તરીકે વધારે જાણીતાં છે. ઘણાં વર્ષ સુધી અમ્મા લાકડાના ચૂલાથી જ કામ ચલાવતાં હતાં. પણ એમની સેવાભાવનાની જાણ થતાં કદરદાન સજ્જનોએ એમને ગેસનો ચૂલો ભેટ આપ્યો હતો.
૨૦૨૨માં મધર્સ ડેના પ્રસંગે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમને એક ખાસ ભેટ આપી છે. હવે અમ્મા પાકા ઘરમાં રહે છે.
૨૦૨૧માં અમ્માને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમની સેવાની સરાહના કરી છે.
હવે તો અમ્મા ઘણી પ્રસિદ્ધિ પામ્યાં છે; પણ તેમના આરંભકાળ વિશે ખાસ કાંઈ વિગત જાણીતી નથી. કદાચ કોઈક ઘડીએ આ સાવ સામાન્ય મહિલાના દિલમાં સામાન્ય માણસોને બદલાની કોઈ અપેક્ષા વિના ઈડલી જમાડવાનો ભાવ જાગ્યો હશે અને આ યજ્ઞની શરૂઆત થઈ હશે.
આપણા મનમાં તો આ વાંચીને એક ભાવ જરૂર ઉપસી આવે – પૂણ્ય પરવાર્યું નથી.
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/M_Kamalathal
https://www.youtube.com/watch?v=3YUAgpUkPrA
E.mail : surpad2017@gmail.com
![]()



આ કંઇ ફલોરલ ગાર્ડનનું જ રડવાનું નથી, શહેરનું પાલ એક્વેરિયમ ( 2025-2026ના એક રિપોર્ટ મુજબ) 10 મહિનાથી બંધ પડ્યું છે. એક્વેરિયમ બનવાને હજી તો 10 વર્ષ માંડ થયાં છે, પણ ઈમારતમાં તિરાડો પડી ગઈ છે. આવું જર્જરિત બાંધકામ ઈમાનદારીથી થયેલ કામનું પરિણામ નથી જ ! આ બધું શુદ્ધ બુદ્ધિથી થયું હોય એવું પણ નથી જ ! આજકાલ ખાયકીનો રોગ કોરોના કરતાં ય વધુ ઝડપથી ફેલાય છે ને એમાંથી ભાગ્યે જ કોઈ બાકાત હશે. પાલ એક્વેરિયમ 2014માં ખુલ્લું મુકાયું હતું. આ એક્વેરિયમ એક સમયે લોક આકર્ષણનું મહત્ત્વનું કેન્દ્ર હતું ને ગમ્મત તો એ છે કે તે બંધ પડ્યું છે, પણ ઓનલાઈન તો તે ‘ઓપન’ જ બતાવતું હોવાને કારણે બહારથી આવનારાઓને ફેરો માથે પડે છે. એક્વેરિયમ બંધ રહેવાને કારણે શાર્ક પુલ, ટર્ટલ ટચપુલ, ફિશપોન્ડ જેવાં આકર્ષણો પણ નકામાં જેવાં થઈ ગયાં છે. એન્જીનિયર્સ ન હતા ત્યારે તાજમહાલ, મીનાક્ષી મંદિર, સુવર્ણ મંદિર બન્યાં તેને રિપેરીંગની જરૂર પડી હશે, પણ તે નવરાં કે ખંડેર થયાં નથી, જ્યારે આજની ઈમારતો તો 10 વર્ષમાં ખંડેર થઇ જાય છે, તે કેટલી હદે ભ્રષ્ટતા કારભારમાં પ્રવેશી હશે તેનો જીવંત પુરાવો છે. આ માત્ર એક્વેરિયમ પૂરતું જ સાચું નથી, બીજી પણ ઈમારતો છે જે આ વાતની સાક્ષી પૂરે છે.