Opinion Magazine
Number of visits: 9949985
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

किसी वैभव का इंतजार

कुमार प्रशांत|Opinion - Opinion|28 May 2026

कुमार प्रशांत

क्रिकेट जैसे तेज खेल में, उसकी आईपीएल जैसी गलाकाट स्पर्धा वाली श्रृंखला में भी जब ठहराव व उबासी आने लगे तब किसी वैभव सूर्यवंशी की जरूरत पड़ती है. वह आता है और ऐसा विस्फोट करता है कि सारी जड़ता, ऊब व पस्ती की चिंदियां उड़ जाती हैं. क्रिकेट फिर निखर उठता है. और कमाल यह भी है कि वैभव का खेल क्रिकेट की सारी बारीकियों व नजाकत को संभाल कर चलता है. उसका खेल छक्का उड़ाने की डंडेबाजी नहीं है, क्रिकेट का संपन्न विस्तार है वह. क़रीब से देखिए तो आप पाएंगे कि वैभव गावस्कर, सचिन और क्रिस गेल का वैसा मिश्रण है जिसमें वीरेंद्र सहवाग की छौंक भी लगती रहती है. अभी वह आया ही है, ठीक से उसके पांव भी जमे नहीं हैं लेकिन उसने बड़ी गहराई से क्रिकेट का व्याकरण बदल दिया है.

भारतीय समाज को और उसकी राजनीतिक बुनावट को भी किसी वैभव सूर्यवंशी का इंतजार है. आज हमारा सामाजिक-राजनीतिक माहौल  इतना बेजान व प्रेरणाहीन हो गया है कि अब उसमें से अधिकाधिक पतन व सडांध ही निकल सकती है. यह माहौल बना रहा व इसे हम खींचते व चलाते रहे तो हमारा सारा समाज अंधकूप में अधिकाधिक गिरता जाएगा. वह लगातार गिरा रहा है.

जब देश की सर्वोच्च न्यायपालिका यह कहे कि लाखों-लाख मतदाताओं का नाम मतदाता सूची में से काट देना कोई ऐसी बड़ी बात नहीं है कि जिससे हमारी नींद हराम हो : “इस बार न सही, आप अगली बात वोट डाल लेना !” तो हमारी न्यायपालिका के पतन का अंदाजा लगाया जा सकता है. वह फैसला सुनाती है कि चुनाव आयोग को पूरा संवैधानिक अधिकार है कि वह मतदाता सूची को दुरुस्त करती रहे और इसलिए बिहार से बंगाल तक चली ‘सर’ की प्रक्रिया पूर्णतः वैध है. कोई अदालत से पूछे कि किसने, कब कहा कि मतदाता सूची को दुरुस्त करना चुनाव आयोग की संवैधानिक जिम्मेवारी नहीं है ? कब कहा ? वह उसकी ही जिम्मेवारी है जिसे उसने निभाया नहीं है. वह अपनी उस विफलता का ठीकरा मतदाता के सर कैसे फोड़ सकती है ?

चुनाव आयोग मतदाताओं का आका नहीं है, मतदाताओं की सुविधा देखने व मतदान का विधिसम्मत संचालन करने की एक एजेंसी भर है. हमारा संविधान उसे मनमाना करने की इजाजत नहीं देता है. चुनाव से ठीक पहले, बग़ैर किसी मान्य प्रक्रिया के व मतदाताओं को न्यायपूर्ण समय दिए बिना मतदाताओं के नाम काटने व जोड़ने का अधिकार चुनाव आयोग को है, यह कहां लिखा है संविधान में ? मी लार्ड, संविधान आप ही नहीं, हम भी पढ़ते हैं; उसे आप ही नहीं, हम भी समझते हैं. इसलिए हमें समझाइए तो कि ‘सर’ की प्रक्रिया के बारे में संविधान कहता क्या है ? हम आपसे कहना चाहते हैं कि हमारी नागरिकता व मतदाता की हमारी हैसियत किसी सरकार या आयोग या अदालत की कृपा से नहीं है. यह हमें हमारे बनाए संविधान से मिली है और हमने ही इसके संरक्षण व संवर्धन के लिए विधायिका, कार्यपालिका, न्यायपालिका आदि बनाई है. हम मतदाता स्थाई हैं, आप समेत बाकी सारी संरचनाएं अस्थाई हैं. यह इतनी भी बारीक बात नहीं है कि ज्ञानियों की समझ में न आए. लेकिन जो बारीक बात समझने में दिक़्कत आती है वह बात है लोकतंत्र की ! यह राजतंत्र की मानसिकता से न समझा जा सकता है, न चलाया जा सकता है. इसके लिए एक अलग प्रतिबद्धता व अनुशासन की जरूरत है जिसका हमारे यहां सिरे से अभाव है. जैसे औपनिवेशिक शासन की चाकरी में लगी नौकरशाही रातोंरात स्वतंत्र देश की सेवा करने वाली सेना नहीं बन सकती है, वैसे ही औपनिवेशिक मानसिकता से आप लोकतांत्रिक न्यायपालिका का दायित्व नहीं निभा सकते हैं. जिस न्यायपालिका ने आपातकाल में हमारे जीवन के अधिकार को भी राज्य की कृपा पर छोड़ कर अपना मुंह फेर लिया था, वह आज इतनी संवेदनशील व विवेकवान हो जाएगी कि संविधान के साथ खड़ी रहे, ऐसी खामख्याली हम नहीं पालते हैं. इसलिए हम आग्रह करते हैं कि न्यायपालिका की ऊंची कुर्सी पर बैठ कर नहीं, ज़मीन पर आ कर हमसे संवाद कीजिए. आपकी भाषा में कहूं, तो कॉक्रोच जहां रहते हैं, वहां पहुंचिए.

हमें आप बता सकें तो बताएं कि डेरा सच्चा सौदा के बलात्कारी प्रमुख गुरुमीत राम 16वीं बार पैरोल पा बाहर आ गए हैं, तो कैसे ? कैदियों के भी संवैधानिक अधिकार हैं, और उनका पालन भी होना चाहिए लेकिन कोई न्यायमूर्ति बताएं तो हमें कि संविधान में इस तरह पैरोल बांटने की व्यवस्था कहां है ?

  ‘नीट’ की परीक्षा का पेपर लीक होना अाज इतना स्वाभाविक हो गया है कि अगर वह न हो तो, उस झटके से ही लोग मूर्छित हो जाएंगे. इसलिए हमारे ओडिशा से देश को उपहार में दिया गया देश का शिक्षामंत्री बड़ी आसानी से बोल पड़ता है : ‘ कोई बात नहीं, हम यह परीक्षा रद्द कर, परीक्षा की नई तारीख घोषित कर रहे हैं; और हमारी उदारता देखिए कि हम इस परीक्षा के लिए बच्चों से फ़ीस भी नहीं लेंगे. हताश-निराश बच्चों को वे डपटते हैं : अरे पैसा नहीं ले रहे हैं न, अब जान लोगे क्या ?’ अगले चुनाव में वोट डाल लेना, अगली परीक्षा दे लेना, अगली बार पैरोल नहीं देंगे भाई जैसे जुमले प्राणहीन व्यवस्था का प्रमाण देते हैं.

सीबीएसई की परीक्षा की कापियां कौन जांचता है ? सच कहूं तो मुझे मालूम नहीं था कि यह काम भी अब कंप्यूटर कर रहा है. 17,68,962 छात्रों की कॉपियां स्कैन कर कंप्यूटर में डाली गईं, और परीक्षकों से कहा गया कि कंप्यूटर के पर्दे के सामने बैठ कर, इन कॉपियों की ऑनस्क्रीन जांच कीजिए व छात्रों के भविष्य की घोषणा कीजिए. स्कैनर कैसा है, स्कैन छवि कितनी साफ है, परीक्षक कंप्यूटर से कितना परिचित है, वह ऐसी जांच-प्रक्रिया से कितना सहज है, इस काम के लिए उसका प्रशिक्षण कब, कैसे व कितना हुआ है आदि बातें व्यर्थ हैं. अपना कंप्यूटर है न तो बात खत्म ! गांधीजी ने मशीनों के पीछे की इसी अंधी दौड़ से मानवता को सावधान किया था. कॉपियों का परीक्षण अध्यापक प्रत्यक्ष करते थे, उसमें ऐसी क्या खामी थी कि आपने शिक्षक की जगह मशीनों को दे दी ? आप मशीनों से वोटिंग और मशीनों से कॉपियों की जांच में कोई साम्य पाते हैं ? दोनों जगह कोशिश यह है कि इस प्रक्रिया को आदमी की पहुंच से दूर कर दिया जाए. इधर आलम यह है कि आदमी ही तो लोकतंत्र की प्राथमिक व अंतिम इकाई है ! उससे जितनी दूर जाएंगे आप, लोकतंत्र से उतनी ही दूरी बनती जाएगी. गांधी ‘डाइरेक्ट डिमोक्रेसी’ का संधान चाहते थे, अाप ‘डिमोक्रेसी’ का ‘डाइरेक्शन’ ही बदल देना चाहते हैं.

  4,04,319 छात्रों ने अपनी स्कैन कॉपियों की मांग की है, ताकि उसकी फिर से समीक्षा की जा सके. आपकी ही बनाई यह व्यवस्था भी है, तो शिक्षा मंत्रालय के हाथ-पांव फूल रहे हैं और वह बहाने बना रही है. स्कैन कॉपियों की फिर से जांच की यह प्रक्रिया मुफ्त भी नहीं है. बच्चों से इसके लिए खासी रकम वसूली जा रही है. किसकी जिम्मेवारी है यह ? कौन किससे पूछे ? आप ख़ुद से भी जवाब नहीं देते हैं, प्रेसवार्ता भी नहीं करते ! तो गूंगों का समाज बनेगा क्या ? अदालत इसकी तरफ कैसे ध्यान देगी, वह तो सत्ता-संस्थानों की वैधता स्थापित करने में जुटी हुई है. उसके पास समय कहां है कि वह पूछे कि जिस सरकार के पास कल तक पेट्रोल-डीजल-गैस का पर्याप्त भंडार था, वह चुनाव खत्म होने की रात से ही खत्म कैसे हो गया? हर दिन इनकी कीमतों में बढ़ोत्तरी कैसे व क्यों हो रही है ? अंतरराष्ट्रीय बाज़ार के भाव व हमारे भाव में कोई तर्कसंगत संतुलन है क्या ? कहा जा रहा है कि तेल कंपनियों को घाटा हो रहा है, तो लोगों का गला कटा जा रहा है, यह आपको नहीं दीखता है?

कभी जयप्रकाश नारायण ने कहा था : भ्रष्टाचार ऊपर से चल कर नीचे तक पहुंचता है. गंगोत्री में ही जहर मिला हो तो नीचे गंगा का प्रवाह शुद्ध कैसे हो सकता है ? ऐसे सवाल पूछने वाला व इनके जवाब के लिए जूझ पड़ने वाला कोई वैभव सूर्यवंशी हमें चाहिए. हमें उसका इंतज़ार नहीं करना है, उसकी खोज में निकल पड़ना है. यह किसी दूसरे के लिए आह्वान नहीं है, आंतरिक प्रतीति है. 

(28.05.2026)   
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 May 2026

ચંદુ મહેરિયા

સાક્ષર ગામ, સમરસ ગામ, સ્વચ્છ ગામ, વ્યસનમુક્ત ગામ, પ્રદૂષણમુક્ત ગામ એવું તો આપણે જોયું, વાંચ્યુ, સાંભળ્યું છે. પણ ગાળમુક્ત ગામ? હા, ગાળમુક્ત ગામ. આશરે ૬ હજારની વસ્તીના મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોરસર ગામે ગાળમુક્ત ગામ બનવાનો સંકલ્પ કર્યો છે. ગામમાં ગાળોનું ભારે ચલણ. એથી કંટાળીને પંચાયત અને લોકોએ મળીને ગાળોને ગામવટો આપવાનો નિર્ધાર કર્યો છે. તેમણે ગાળોથી મુક્તિનું અભિયાન તો આદર્યું છે. સાથે ગાળ બોલનારને રૂ. ૫૦૦નો દંડ અને એક મહિના સુધી ગામની સફાઈની સજા પણ નક્કી કરી છે. એની કેટલી અસર પડશે અને બોરસર ગાળમુક્ત બનવામાં સફળ થશે કે કેમ એ તો કાળના ગર્ભમાં છૂપાયેલું છે. પરંતુ ગાળમુક્તિની ઝુંબેશ અને સંકલ્પ જ સરાહનીય પહેલ છે અને અનેક ગામો, નગરો, શહેરોએ તેનું અનુકરણ કરવા જેવું છે. 

અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ એટલે ગાળ. એવો અર્થ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં જણાવ્યો છે. પરંતુ માણસ આવો ખરાબ કે ભૂંડો બોલ કેમ, કોને, ક્યારે અને ક્યાં બોલે, લખે, આચરે છે તે વિચારવા જેવું છે. માણસ હાલતા-ચાલતા, હરતા-ફરતા, વાતવાતમાં, ઘરમાં, ઓફિસમાં, શાળા-કોલેજમાં, મોલમાં અને મંદિરમાં; દુકાને અને સ્મશાને, સડક પર અને ક્યારેક સંસદમાં, સાઈકલ ચલાવતા અને મોંઘી મર્સિડીઝ હાંકતા, ખેતરમાં કામ કરતા અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેતા, રેડિયો સાંભળતા અને રેંટિયો કાંતતા, સર્જરી કરતા અને શર્ટને બટન ટાંકતા – એમ સમય-સ્થળના કશા ય બાધ વિના ગાળો બોલતો હોય છે. 

કહે છે કે વાદ-વિવાદ અને ચર્ચા-વિમર્શ કરતાં દલીલો કે તર્ક ખૂટી જાય ત્યારે માણસ ગાળાગાળી પર ઉતરી આવે છે. પોતાનાથી નબળાને ઉતારી પાડવા, અપમાનિત કરવા, તેની લાગણીને ઠેસ પહોંચાડવા, તેનું ચારિત્ર્ય હરણ કરવા ગાળો બોલાય છે. ગાળો બોલનાર વ્યક્તિ ગુસ્સો, ક્રોધ, નિરાશા, હતાશા અને પોતાની સુપ્રીમસી સ્થાપવા ગાળો બોલે છે, ભાષાનો અતિ આક્રમક ઉપયોગ કરીને લોકો ગાળો બોલે છે, એવું મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે.

ગાળો પુરુષો બોલે છે તેમ સ્ત્રીઓ પણ બોલે છે. યુવાનો અને આધેડો, નાના બાળકો અને વયોવૃદ્ધો પણ ગાળો બોલે છે. ગાળો કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી. તેનો વ્યાપ વિશ્વ આખામાં છે. કોઈ ચોક્કસ લિંગ, ભાષા, વર્ણ, વર્ગમાં બંધાય એ ગાળ શાની? આ એક પુરાણી એટલી જ ચિંતાજનક ભારતીય પરંપરા છે. જેને દેશવટો આપવાની જરૂર છે. લગભગ બધી જ ગાળો મહિલાઓને કેન્દ્રમાં રાખીને, તેના શરીરના અંગ-ઉપાંગને સંબંધિત હોય છે. મા, બહેન, દીકરીને જ ઉતારી પાડતી ગાળો જ બહુધા બોલાય છે. ગાળ વ્યક્તિના મર્મસ્થાને ઘા કરે છે. વ્યક્તિ માટે ઘરની મહિલાઓનું માન-અપમાન, ઈજ્જત – આબરુ મહત્ત્વના છે એટલું જ નહીં પવિત્ર છે. એટલે મહિલાની પવિત્રતાને લાંછન લગાડતી, તેના ચારિત્ર પર ડાઘ લગાડતી ભૂંડામાયલી ગાળો બોલાય છે. 

ભારતમાં ગાળો સામાજિક રીતે અસ્વીકાર્ય વ્યવહાર છે અને કાયદાની દૃષ્ટિએ દંડનીય અપરાધ છે. તેમ છતાં ગાળોનું ચલણ ઘટતું નથી. ગાળો પર કંઈ સમાજના નીચલા વર્ગનો જ ઈજારો નથી. ઉચ્ચ શિક્ષિત અને જ્ઞાતિ કોટિક્રમમાં ટોચે રહેતી જ્ઞાતિના લોકો પણ ગાળો બોલે છે. ગુજરાતી કે દેશની સ્થાનિક ભાષામાં તો ગાળો બોલાય જ છે. વિશ્વભાષા અંગ્રેજીમાં પણ ગાળો બોલાય છે. જેની માતૃભાષા અંગ્રેજી નથી તે જો અંગ્રેજીમાં ગાળો બોલે તો મોર્ડન  અને ફેશનેબલ ગણાય છે! 

ગાળોનો ઉદ્દભવ ભાષાના ઉદ્દભવ અને વિકાસ સાથે જ થયો હશે. લગ્નના ફટાણામાં અને લોકગીતોમાં જે ગાળો બોલાય છે તેની બોલનાર અને સાંભળનાર બેઉ મજા માણે છે. જ્યાં સુધી સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતા હતી અને માતૃસત્તાક સમાજ હતો ત્યાં સુધી ગાળો નહોતી કે તેનું આટલું બધું ચલણ નહોતું. પરંતુ સ્ત્રી-પુરુષ બરાબર ગણાતી અટકી, સમાજમાં તેનું સ્થાન બીજા દરજ્જાનું કે દરજ્જા વગરનું બન્યું અને પિતૃસત્તાક સમાજની બોલબાલા વધી પછી ગાળો પણ સમાજમાં વધી લાગે છે. મહિલાઓને ગાળો બોલીને શિકાર બનાવવાનું અને પુરુષોના મર્મસ્થાને ઘા કરવાનું આસાન બન્યું હશે. ગાળોનો વરસાદ વરસે પછી મારામારી અને મર્ડર સુધ્ધાં થાય છે. એટલે ગાળો હિંસક છે અને અતિહિંસાનો આરંભ છે.

ગાળો બોલવાની સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. તે કદાચ તણાવ અને ગુસ્સો ઘટાડે છે. તો તેના થકી સામાજિક વિભાજનો વધુ દૃઢ થાય છે. ઝઘડાના મૂળ નંખાય છે કે ઝઘડાને વધુ મોટો કરે છે. આજકાલ ફિલ્મો અને ઓ.ટી.ટી. પર આવતા કાર્યક્રમોમાં અપશબ્દો અને ગાળોની ભરમાર જોવા મળે છે. ઘરમાં કુટુંબ સાથે બેસીને ન જોઈ શકાય તેવા ટી.વી. કાર્યક્રમો પ્રચૂર માત્રામાં પ્રસારિત થાય છે. તેનો સૌથી વધુ ભોગ બાળકો અને કિશોરો બને છે. કેટલાક સાહિત્યમાં પણ વાસ્તવના નામે ભરપૂર ગાળો હોય છે. એટલે ગાળોથી બચવું મુશ્કેલ બન્યું છે. ફિલ્મો અને બીજાં માધ્યમોમાં જે અપશબ્દો, દ્વિઅર્થી સંવાદો અને ગાળો હોય છે તેના ટીકાકારોને એવું સંભળાવવામાં આવે છે કે અમે તો સમાજમાં જે છે તે જ ફિલ્મોમાં દર્શાવીએ છીએ. કૂવામાં છે તે હવાડામાં આવે છે અને તે હવાડાની ગંદકી આપણા ઘરમાં અને જીવનમાં ઠલવાય છે. 

ગાળો બોલનારને કાયદેસર દંડ અને સજા થાય છે. એ રીતે તેના પર કાનૂનની લગામ છે ખરી. પણ તેનાથી તે અટકી નથી. ગાળોની વિરુદ્ધ કોઈ જોરદાર ચળવળ થયાનું જાણમાં નથી.” ધ ગાલી પ્રોજેકટ” ગાળોને લોકોના શબ્દકોશમાંથી અને દિમાગમાંથી હઠાવવાનો પ્રયત્ન જરૂર છે. આ પ્રકલ્પ લોકોને ગાળોનો વિકલ્પ આપે છે. તેમાં અપશબ્દોને હળવા કરી રમૂજ અને હાસ્યમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ થયો છે. આરંભમાં આ પ્રોજેકટમાં લોકો પાસેથી મંગાવવામાં આવેલી લગભગ ૮૦૦ ગાળો પર કામ કરી તેના અહિંસક અને હળવા વિકલ્પો સૂચવ્યા છે. આખરે તો માનવીના શેતાન મગજમાં જ્યાં સુધી ભૂંડા વિચારો, શબ્દો જન્મતા રહેશે ત્યાં સુધી ગાળો રહેવાની. તે મહિલાઓ અને કમજોરને નિશાન બનાવતી અટકે, જાહેરમાં બોલાતી ઓછી થાય તો બોરસર ગામ અપવાદ ન રહેતાં આખો માનવ સમાજ બની શકે. આવું ક્યારે શક્ય બનશે? 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

કીડી પર કટક, કોક્રોચ પર સી.બી.આઈ. : કોઈથી ના બીઉં, પણ ટાઢા ટબુકલાથી બીઉં.

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 May 2026

પરિપ્રેક્ષ્ય : સર્વોચ્ચ સત્તાસ્થાનેથી ‘આંદોલનજીવી’ ને ‘ઝોલા છાપ’ સંજ્ઞાઓ વહેતી રહી છે

કાશ, પોતાને ‘નવનિર્માણની ઓલાદ‘ કહેતી પ્રતિભાને સોનમ વાંગચૂકનો ખરી હૂંટીનો અવાજ સંભળાય … મૈં ભી કોક્રોચ! હમણાં તો, સ્થાપિત સત્તા પરત્વે અજંપ યૌવનના સંભવિત સુનામી–સંકેત તરીકે કોક્રોચ ઘટનાને જોવી રહી.

પ્રકાશ ન. શાહ

કીડી પર કટક તો સાંભળ્યું હતું – પણ હવે એક નવી કહેવત બારણાં ખખડાવી રહી છે : કોક્રોચ પર સી.બી.આઈ.! સ્વનામધન્ય અને વ્યવસ્થાયવીરલા એક વકીલબાબુએ સર્વોચ્ચ અદાલતની દેવડીએ ધરાર ધા નાખી કે તપાસ કરો આ કોક્રોચ ઝુંબેશની સદ્દભાગ્યે, જેમનાં વચનોએ સહસા કોક્રોચ સુનામી જગવી એ સી.જે.આઈ. સૂર્યકાન્તે એમને કહ્યું કે આમ લાગણીવેડાની શી જરૂર છે. એવો તે શો ભય છે કથિત ઝુંબેશ તરફથી. 

મુદ્દે,મે અધવચ સર્વોચ્ચ પીઠ પરથી કોઈક મુદ્દે ટિપ્પણી કરતાં માનનીય મુખ્ય ન્યાયાધીશે આ બધા કોક્રોચ શેના હાલી નીકળ્યા છે. એમણે આ પ્રયોગ કર્યો એમાં કર્મશીલ સમુદાય પણ અભિપ્રેત છે. પછીથી એમણે સફાઈ જરૂર આપી છે કે મેં સૌને નહીં પણ કેટલાંક તત્ત્વોને અનુલક્ષીને આ કહ્યું હતું. પણ હવે, ઘોડા ભાગી છૂટ્યા પછી તબેલે તાળું દીધાનો શો અરથ. સર્વોચ્ચ સત્તાસ્થાનેથી ‘આંદોલનજીવી’ ને ‘ઝોલાછાપ’ જેવી સંજ્ઞાઓ કેમ જાણે કોઈ શત્રુખોજ બહાલ થઈ હોય એ રીતે વહેતી રહી છે. અર્બન નક્સલ જેવો પ્રયોગ તો ગાજ્યો તો એવો ગાજ્યો કે સાહિત્યક્ષેત્રે પણ એ પ્રયોજાયો. જે ‘સહિત’તાને સહૃદયતાનું ક્ષેત્ર, ત્યાં પણ આવો પ્રયોગ? અધૂરામાં પૂરું, નાગપુરના વિજ્યાદશમી સંબોધનમાં તો ઘોર અમેરિકી પ્રયોગ ‘વોક’ પણ સાંભળવા મળ્યો છે. આ પ્રકારના પ્રયોગોએ અને એની પાછળની માનસિકતાએ સરજેલ પ્રદૂષણ પછી ‘કોક્રોચ’ જેવી ટિપ્પણી આવે અને સી.જે.આઈ.ને કદાચ અભિપ્રેત નયે હોય એ હદે અવળી સમજાય ને જંગલના દવ પેઠે વ્યાપી વળે, એમાં શું આશ્ચર્ય. 

અભિજીત દીપકેએ બોસ્ટન પેઠે વાત વહેતી મૂકી ન મૂકી ને આ સૂચનના સમર્થક-શુભેચ્છક સમુદાયની સંખ્યા ભા.જ.પ.ની આઈ.ટી. સેલની પહોંચને ક્યાં ય આંબી ગઈ. એની વેબસાઈટ અને હેન્ડલને બ્લોક કરવાની ચેષ્ટા થઈ … અને મિજાજ તો જુઓ દીપકે બહાદુરનો : ચેનલ ચોવીસાની ચિચિયારીઓના કામણે ખેંચાવાતો ધરાર નનૈયો ભણ્યો. કહ્યું કે તમારે મને – અમને ‘ટુકડે ટુકડે’થી માંડી ‘ટ્રેઇટર’ ને એવી તેવી ઓળખ આપી તમારો ટી.આર.પી. રેટ વધારવાના ધંધા કરવા હોય તો એમાં અમે શા સારુ સંકળાઈએ. બલકે, વાસ્તવિકતા તો એ છે કે રવીશ જેવા અપવાદો બાદ કરતાં કોક્રોચ અપીલ ચાલુ ચેનલોની કથિત લોકપ્રિયતાને ક્યાં ય આંબી જઈ સોશ્યલ મીડિયામાં પોતાને ભલે તાત્પૂરતી પણ ‘સબ સે આગે’ પુરવાર કરી રહી છે. 

આમ તો, તમે કહેશો, કોઈ પણ કહી શકે, સીધા આંદોલન વગરની નકરી ચાંપચાલુ મીડિયાઈથી શેક્યો પાપડ પણ ન ભાગે. એવું તો નથી ને કે. ગિજુભાઈની બાળવારતા માંહેલું કોઈ ટાઢું ટબૂકલું છે? મુદ્દો એ છે ભાઈ, કે જે અજંપ લોકમત દસકાને અંતે નેતા પ્રતિપક્ષ પ્રકારના ઉદયથી કંઈક પ્રગટ થયો હતો તે હજુ વ્યાપ ને વેગ સાથે પ્રગટ થવા કરે છે. 

હમણેના વરસ  બે વરસમાં આપણી નજીક નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશમાં જે યુવા ઉદ્રેક, જેન ઝેડ ઉપાડો જોયો છે તે અહીં કેમ નથી, એવા સવાલનો આ એક જવાબ જાણે કે છે વડા પ્રધાને થોડા દિવસ પર ગુજરાતની મુલાકાત વખતે સગર્વ પોતાને ‘નવનિર્માણની ઓલાદ’ તરીકે ઓળખાવવા તક ઝડપી હતી. જો એમને, તેનો સ્પંદ ખરેખાત હોય તો કોક્રોચ પ્રતિભાવ પકડાવો જોઈએ. 1971ની બાંગલા ઘટના સાથે ટોચની કીર્તિએ પહોંચેલાં ઇંદિરાજી સામે તરતનાં વરસોમાં મોંઘવારી ને ભ્રષ્ટાચારના માહોલમાં જે એક જુદો જ પ્રજાકીય પ્રઘાત અનુભવાયો હતો તે સંભારવા જેવું છે. 

હરિયાણામાંથી ઇલેક્શન કમિશન સમક્ષ આ કોક્રોચ જનતા પાર્ટીના રજિસ્ટ્રેશનની માંગ થયાના સમાચાર છે. અલબત્ત, આ પ્રકારની ચર્ચા કદાચ ઉતાવળી લેખાશે. હમણાં તો, સ્થાપિત સત્તા પરત્વે અજંપ યૌવનના સંભવિત સુનામી-સંકેત તરીકે કોક્રોચ ઘટનાને જોવી રહી. દરમિયાન સોનમ વાંગચૂકના શબ્દોમાં મૈં ભી કોક્રોચ.

ગુરુવાર, 27 મે 2026
Editor: nireekshak@gmail.com
છબિ સૌજન્ય : વિકિપીડિયા

Loading

...10...19202122...304050...

Search by

Opinion

  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …
  • મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’: 4500 વર્ષથી યથાવત્ હતી, 21મી સદીએ તેને ‘સુધારી’?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved