Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9292910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

वक्फ एक नकली मुद्दा है 

कुमार प्रशांत|Opinion - Opinion|28 April 2025

कुमार प्रशांत

वक्फ विवाद को अपनी मर्जी से हल करने के लिए बनाई गई संसदीय समिति की लंबी बैठकों में जो बात न कही जा सकी, न सुनी जा सकी, सुप्रीम कोर्ट ने वह सारा सुना भी, सरकार से टेढ़े-मेढ़े सवाल पूछे भी और फिर कहा कि इन सबका सरकारी जवाब आ जाए फिर हम अपनी बात कहेंगे. उसने सरकार को ‘स्टैच्यू’ कर दिया है. सरकार अपने जवाबी हलफनामे में बहुत कर के भी इतना ही कह पा रही है कि ‘वक्फ एमेंडमेंट एक्ट 2025’ मजबूत संवैधानिक आधार पर खड़ा है. वह मजबूत संवैधानिक आधार क्या है, यह बात उसके जवाब में कहीं अाई नहीं है.

अदालत के रुख से कुपित सरकार के इशारे पर भारतीय जनता पार्टी के दो सांसदों ने हमारे चीफ जस्टिस संजीव खन्ना साहब को इसके पीछे का ‘शैतानी दिमाग’ तथा गृहयुद्ध भड़काने वाला बता दिया. बात जो कहनी थी, कह दी गई; बात जहां पहुंचनी थी, पहुंचा दी गई फिर पार्टी अध्यक्ष ने कहा कि हम इन सांसदों से नहीं, उनकी बातों से ख़ुद को अलग करते हैं. यह कुछ वैसा ही हुआ जैसे यह होता रहा है कि चोरी का माल घर में रख लिया और चोर को पिछले दरवाजे से भगा दिया.

  कहना कठिन है कि अपने अंतिम फैसले में अदालत क्या रुख लेती है. अभी तक का अनुभव यही रहा है कि हमारी सर्वोच्च अदालत कहती कुछ है और लिखती कुछ है. हम अब तक यह भी नहीं समझ सके हैं कि चीफ जस्टिस यदि देश के भीतर चल रहे तमाम गृहयुद्धों के ‘मास्टरमाइंड’ हैं, तो वे अपने पद पर बने कैसे हैं; और यदि ऐसा नहीं है तो सरकारी सांसद पर अदालत की अवमानना की कार्रवाई क्यों नहीं हो रही है ? अरुंधती राय व निशिकांत दुबे में अदालत इतना फर्क कैसे कर सकती है ? यह मुकदमा किस अदालत में पेश किया जाए ?

अखबारों की मानें तो प्रधानमंत्री ने वक्फ बिल पारित होने के बाद अपनी पहली प्रतिक्रिया में कहा कि इस कानून के द्वारा उन्होंने कांग्रेस की चाल को नाकाम कर दिया है. क्या कांग्रेस की चालों को नाकाम करने के लिए कानून बनते या बदलते हैं ? क्या सिर्फ इस कारण से एक गैर-कानूनी कानून देश का कानून बन गया ? हमारा संविधान किसी भी सरकार को इसकी इजाजत नहीं देता है कि उसका कोई भी कानून या कदम ऐसा हो कि जो इस देश के नागरिकों के बीच भेद करता हो.

आज यदि देश का कुछ उधार है सरकारों पर तो एक ऐसी तरमीम उधार है जो किसी भी स्तर पर, किसी भी तरह का कानूनी भेद-भाव यदि कहीं बचा हो तो उसे भी समाप्त करे. वक्फ भेद-भाव का ऐसा कोई मुद्दा है ही नहीं. बिलाशक वक्फ की आड़ में बहुत कुछ नाजायज व मनमाना होता रहा है. उसे रोका जाए व किसी कानूनी प्रक्रिया के तहत उसे नियंत्रित किया जाए, इसकी जरूरत थी भी, और है भी. लेकिन ऐसा कुछ करने से पहले यह भी तो देखा जाए कि क्या हर धर्म के अपने-अपने वक्फ नहीं हैं ? आप उन सबका क्या करने वाले हैं? हर धर्मसत्ता ने अपने वक्त की अनुकूल राजसत्ता से सांठ-गांठ करके अपने लिए विशेष सुविधाएं हासिल की हैं. जमीनें हैं, दान-चढ़ावा पर एकाधिकार है, ट्रस्ट आदि की सुविधाजनक व्यवस्थाएं हैं, धार्मिक शिक्षा के नाम पर अपने धर्म के प्रचार की सहूलियतें हैं, विभिन्न पर्दों की आड़ में धर्म-परिवर्तन का चलन है, रवायतों के नाम पर ऐसी सामाजिक प्रथाओं को जारी रखने की चालाकी है जो लिंगभेद पर आधारित हैं आदि-आदि. सारे धर्म-संगठन निरपवाद रूप से एक-दूसरे के प्रति नफरत फैलाते हैं. ये सब लोकतंत्र का विकास ही रुद्ध नहीं कर रहीं बल्कि उसे विकृत भी बनाती जा रही हैं.

जब हमने संविधान बनाया था तब हमारा लोकतंत्र बहुत कच्चा था. बड़े अभागे दौर से गुजरते हुए हम अपनी आजादी तक पहुंचे थे. नेतृत्व नया भी था व बंटा हुआ भी था. एक गांधी थे कि जिनमें इतना आत्मबल था कि वे कैसी भी बाजी पलट सकते थे लेकिन आजादी पाते ही हमने सबसे पहले उनसे ही आजादी पा ली. वे क्या गए कि हमने अपना कंपास ही खो दिया.

अंग्रेजों ने देश को खोखला कर छोड़ा था तो विभाजन ने प्रशासन को छिन्न-भिन्न कर डाला था. उस वक्त एक ही प्राथमिकता थी : देश की एकता व संप्रभुता को अक्षुण्ण रखा जाए ! जरूरत थी कि देश के हर नागरिक व समुदाय को स्वांत्वना दी जाए, सबमें भरोसा पैदा हो, नयी लोकतांत्रिक व्यवस्था के प्रति किसी समुदाय के मन में नाहक शंका न बने. बहुत कुछ था जो तब दांव पर लगा था, इसलिए बहुत कुछ था कि जिनकी अनदेखी जरूरी थी. हमारे तब के प्रौढ़ नेतृत्व ने बहुत सारी बातें कबूल कर लीं और कदम-दर-कदम देश को उस अभागे दौरे से निकाल लाए. वह सब पीछे छोड़ कर हम अब दूर निकल आए हैं.

हम दूर निकल आए हैं, इसका मतलब यह नहीं है कि हम मनमाना कर सकते हैं. इसका मतलब इतना ही है कि अब हम संवैधानिक समता व एकता को मजबूत करने की दिशा में कुछ नये कदम उठा सकते हैं. इसके लिए हमारे पास एक नायाब औजार भी है जिसे संविधान कहते हैं. संविधान हमें यह नहीं बताता है कि हमें नया क्या करना है; वह बताता है कि हमें जो भी करना है, वह कैसे करना है. हमें संगठित धर्मों के एकाधिकार को ढीला करना है; हमें धर्म व परंपरा के नाम पर जारी सामाजिक कुरीतियों को समाप्त करना है; हमें राज्य का धर्मनिरपेक्ष चरित्र मजबूत भी करना है व उजागर भी करना है; हमें आर्थिक विपन्नता, अमानवीय विषमता तथा अकल्पनीय शोषण को रोकना है. हमें राज्य को उसकी संवैधानिक मर्यादा बतानी भी है.

इतना कुछ है जो अब हम कर सकते हैं, हमें करना चाहिए. लेकिन यहां भी दो सवाल हैं जिनका सामना हमें करना है. पहला यह कि जो यह करना चाहते हैं, क्या उनकी मंशा साफ है ? मंशा का सवाल हमारी बनाई या कही बातों पर निर्भर नहीं करता है बल्कि समय उसकी गवाही देता है. हमारा इतिहास व हमारा वर्तमान बताता है कि जो धर्म, संस्कृति व परंपरा के आधार पर भारतीय समाज में भेद-भाव करते रहे हैं, उन्होंने उसका एक सिद्धांत गढ़ रखा है. वे  घृणा, कठमुल्लापन, अवैज्ञानिक अवधारणाओं को हथियार की तरह बरतते हैं. ऐसे सारे लोग इस नई शुरुअात के पात्र नहीं हैं. जिनके वर्तमान पर देश को भरोसा नहीं है, उनके हाथ में कोई अपना भविष्य कैसे सौंप सकता है ? इसलिए हमें वह पात्रता अर्जित करनी होगी जो सत्ता की कुर्सी अर्जित करने से नहीं मिलती है. दूसरा सवाल यह है कि क्या आप भारतीय समाज से वैसे परिवर्तनों के लिए सहमति प्राप्त कर सकते हैं जिन्हें आप ख़ुद पर लागू नहीं करते हैं ?

वक्फ की मर्यादा तय करनी ही चाहिए लेकिन उसी के साथ, उसी सांस में यह भी करना चाहिए कि हिंदू धर्म संस्थानों की, चर्चों व गुरुद्वारों की, आतशबहेरामों की मर्यादा भी तय हो. आज के हिंदुस्तान में कोई भी मंदिर-मस्जिद-गुरुद्वारा-गिरिजा-आतशबहेराम यह कैसे घोषणा कर सकता है कि उसके यहां दूसरे धर्मों का प्रवेश वर्जित है ? 75 से अधिक सालों से साथ रहने वाले हम लोग क्या सहजीवन का इतना शील भी नहीं सीख पाए हैं? अगर संविधान व सहजीवन की इतनी लंबी संगत में हम यह पूरी तरह नहीं सीख पाए हैं तो अब संवैधानिक पहल व सरकारी निर्देश की मदद लेनी पड़ेगी. आज के हिंदुस्तान में कोई भी धर्म संस्थान, शिक्षा संस्थान ऐसा नहीं हो सकता है जो अपने लोगों को भारतीय समाज की विविधता का, भारतीय सामाजिक बुनावट का, हमारे पर्व-त्योहारों का, हमारी संवैधानिक व्यवस्थाओं का, हमारे राष्ट्रीय प्रतीकों का सम्मान करना न सिखाए. मदरसों का लोकतांत्रिक मिजाज बनाना जितना जरूरी है, उतना ही जरूरी है सरस्वती शिशु मंदिर सरीखे संस्थानों का लोकतांत्रिक मिजाज बनाना. यह किसी के खिलाफ नहीं, सबके हित में संविधानसम्मत पहल होगी. सांप्रदायिक राजनीति से यह काम करेंगे तो अाप समाज को ज्यादा प्रतिगामी, कठमुल्ला तथा हिंसक बना देंगे. तो रास्ता गांधी का ही पकड़ना होगा कि संवेदना के साथ व्यापक सामाजिक संवाद, लोक-शिक्षण व लोक-संगठन का अभियान चलाना होगा. किसी धर्म, किसी वर्ग, किसी दल को निशाने पर लेंगे तो आप अपने समाज की संरचना पर घात करेंगे. चुनावी गणित से यह काम करेंगे तो कुर्सी भले वक्ती तौर पर आपके हाथ आ जाए, देश अंतिम तौर पर आपके हाथ से निकल जाएगा.

वक्फ के मामले पर विचार करते वक्त सर्वोच्च न्यायालय ख़ुद भी संविधान की कसौटी पर है. हमारा संवैधानिक इतिहास बताता है कि सर्वोच्च न्यायालय हमेशा इस कसौटी पर खरा नहीं उतरा है. आप संविधान की शाश्वत मालिक जनता से पूछेंगे तो अपार बहुमत से आपको यही जवाब मिलेगा कि आपातकाल का संदर्भ तो है ही, सर्वोच्च न्यायालय उससे पहले भी और उसके बाद भी संविधान को समझने व उसकी रक्षा करने में बारहा विफल होता आया है. कारण यह है कि उसने संविधान से इतर कारणों को अपने निर्णय का आधार बनाया है. हमारे एक न्यायाधीश महाशय ने तो यह भी कहा है कि वे भगवान से पूछ कर फैसला करते थे !  जिसका भगवान ही संविधान है, उसे किसी दूसरे भगवान के पास जाने की जरूरत ही कैसे पड़ी ? जब न्यायाधीश भगवान से फैसला पूछने लगते हैं तब राजनीति कपड़ों से अपने नागरिक पहचानने लगती है. इसलिए न्यायपालिका से जुड़े हर व्यक्ति को यह समझना चाहिए कि संविधान के बाहर जो है, वह न तो उसका क्षेत्र है, न उसकी संवैधानिक भूमिका है.

राहुल गांधी इतिहास कैसे पढ़ें व उससे क्या निष्कर्ष निकालें, यह तय करना अदालत की संवैधानिक भूमिका है ही नहीं. अदालत को इतना ही देखने व जांचने का अधिकार है कि राहुल गांधी को अपनी तरह से इतिहास पढ़ने व अपना नजरिया बनाने का अधिकार है या नहीं; अौर यह भी कि ऐसा करते हुए राहुल गांधी किसी का अपमान या किसी को अपशब्द तो नहीं कह रहे ? ऐसा हो तो अदालत को राहुल गांधी को पकड़ना चाहिए लेकिन अदालत को यह अधिकार कहां से मिला कि वह राहुल गांधी को धमकाए कि वह सावरकर को खारिज नहीं करें अन्यथा हम उन्हें अदालत में खींचेंगे ?

वक्फ का पिटारा खुला है तो यह सब उसके भीतर से निकल रहा है. सर्वोच्च न्यायालय को इन सबको समेट कर वह फैसला करना है जिसका इंतजार यह देश कर रहा है.

(27.04.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

હિમાયલમાં ‘અટકી’ ગયેલા એટકિન; નંદાને મુગટ બનાવી અને ગંગાને ગોદ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 April 2025

રાજ ગોસ્વામી

‘જ્યારે મેં 1959માં દુનિયાનું ભ્રમણ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને હિમાલય વિશે લગભગ કંઇ ખબર નહોતી. એવરેસ્ટ શિખર પર ધ્વજ ફરકાવતા તેનજિંગને જોઈને મને વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાનો એવો કોઈ જાદુ મહેસૂસ નહોતો થયો, જેટલો મારી અંદર એ વિશ્વાસ મજબૂત થયો કે હિમાલયની ઊંચાઈ જ તેની અસલી પહેચાન નથી. મારા માટે સાધનામાં લીન યોગીઓવાળી કંદરાઓમાંથી મળતી અંતર્દૃષ્ટિની સંભાવના કંઇક વધુ લલચામણી હતી. જ્યારે મેં મહાત્મા ગાંધીના ધર્મશાસ્ત્ર પર એમ.એ.ની થિસીસ પૂરી કરી, ત્યારે મારા પરીક્ષકે મને ભારતમાં કોઈનું નામ અને સરનામું આપ્યું હતું. મારા માટે તો, વિશ્વના પૂર્વી છેડા તરફનું આ ભ્રમણ તુલનાત્મક ધર્મ સમજવા માટે માત્ર એક ફિલ્ડ ટ્રિપ જ હતું, જે આ પ્રવાસ પછી બ્રિટનમાં મારા શિક્ષણ કાર્યને થોડું સન્માનજનક બનાવશે. ધરતીની પરિક્રમા કરવાની મેં જે યોજના બનાવી હતી તેનો એક તૃતીયાંશ હિસ્સો પણ હું ક્યારે ય પૂરો કરી ન શક્યો. મારા માર્ગમાં આવેલી અડચણો બીજું કશું નહીં પણ હિમાલયનું સંમોહન હતું.’

‘ફૂટલૂસ ઇન ધ હિમાયલ’ નામના એક પુસ્તકમાંથી આ એક અંશ છે. શીર્ષકનો અર્થ થાય છે; હિમાયલનો સ્વચ્છંદી. બિલ એટકિન નામના એક પ્રવાસીએ 2003માં આ પુસ્તક લખ્યું હતું. હિન્દીમાં આ જ પુસ્તકનો અનુવાદ ‘એટકિનનો હિમાલય’ ત્રણ વર્ષ પહેલાં જ થયો હતો.

બિલ એટકિન સ્કોટલૅન્ડમાં જન્મ્યા હતા. 65 વર્ષ પહેલાં તે દુનિયા ફરવા નીકળ્યા હતા અને ધરતીનું ચક્કર લગાવીને પાછા પોતાના દેશ જતા રહેવાના હતા. તે વખતે તેમની પાસે ખાલી 50 પાઉન્ડ હતા. પાછા જવાની તેમની યોજનામાં હિમાલય તેમની ‘આડે’ આવ્યો. 

તેઓ 1959માં ભારત આવ્યા હતા અને સાત વર્ષમાં તે હિમાલયના પ્રેમમાં એવા ‘વટલાઈ’ ગયા કે 1966માં મસૂરીમાં કાયમ માટે વસી ગયા હતા. એટકિનને અહીં ‘અટકી’ જવાનો અફસોસ નહોતો. તેમણે ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું એટલું જ નહીં પણ ભારતીય દર્શન અને સંસ્કૃતિને પણ આત્મસાત કરી હતી. તેમને પહાડોથી એટલો પ્રેમ હતો કે હિન્દી અને ગઢવાલી બોલી પણ શીખી લીધી હતી.

ગયા અઠવાડિએ 91 વર્ષના બિલ એટકિનનું અવસાન થઇ ગયું. તેમની ઈચ્છા પ્રમાણે હિંદુ રીત-રિવાજ અનુસાર ગંગા કિનારે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. તેઓ ઘરકામ દરમિયાન ગબડી પડ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમનું સ્વાસ્થ્ય અલમસ્ત હતું. તેઓ રોજ બે વખત પાંચ કિલોમીટર ચાલતા હતા અને ઘરનું કામ જાતે જ કરતા હતા. 

બીલ એટકિન

તેમણે તેમના પ્રકૃતિ અને આધ્યાત્મના પ્રેમના નીચોડ રૂપે ફૂટલૂસ ઇન ધ હિમાયલ, 1000 હિમાલય ક્વિઝ, શ્રી સત્યસાઇ બાબા – અ લાઇફ, નંદાદેવી અફેર, ટ્રાવેલ બાય લેસર લાઇન, ટચિંગ અપ ઓન ધ હિમાલય, સેવન સેક્રેડ રિવર, રાઈડિંગ ધ રેંજીસ સહિત 14 પુસ્તકો લખ્યાં હતાં. તેમને મસુરીના મશહુર બાળલેખક રસ્કિન બોન્ડની સમકક્ષના લેખક માનવામાં આવે છે.

દહેરાદૂનમાં રહીને તેઓ મા નંદા દેવીના ભક્ત બની ગયા હતા. 2022માં એક ઇન્ટરવ્યુમાં એટકિને કહ્યું હતું કે, ‘દિવ્યતા શું છે તે સમજવા માટે મેં (લીડ્સ યુનિવર્સીટીમાં) તુલનાત્મક ધર્મનો અભ્યાસ કર્યો હતો, અને મને તેનો જવાબ નંદા દેવીમાં મળ્યો હતો.’

નંદા દેવી પર્વત ભારતનું બીજું અને વિશ્વનું 23મું સૌથી ઊંચું શિખર છે. તેનાથી ઊંચું શિખર કાંચનજંઘા છે. નંદા દેવીને પાર્વતીની બહેનના રૂપમાં જોવામાં આવે છે. પૂરા ઉત્તરાંચલમાં તેની પૂજા થાય છે અને તે કુમાઉના કત્યુરી રાજવંશની ઇષ્ટદેવી ગણાય છે.

પહાડો પ્રત્યેનો એટકિનના પ્રેમનું મૂળ સ્કોટલૅન્ડમાં તેમના બાળપણમાં છે. તેમણે કહ્યું હતું, ‘હું દુમ્યાત નામની એક નાનકડી ટેકરીની નિશ્રામાં જન્મ્યો હતો. બહુ મોટી નહોતી, પરંતુ મેદાનમાંથી જુવો તો ભવ્ય લગતી હતી. મને ચર્ચ જવાનું ગમતું નહોતું. તેના બદલે હું ટેકરીની ટોચે જઈને બેસતો હતો. ત્યાં મને બ્રહ્માંડ સાથે એકતાનો અનુભવ થતો હતો. અને મને થતું હતું કે આ જ તો દિવ્યતા છે.’

ભારત ભ્રમણ દરમિયાન તેઓ કલકત્તામાં હતા, ત્યારે એશિયાટિક લાઈબ્રેરીમાં તેમના હાથમાં બ્રિટિશ યાત્રી એરિક શિપટને લખેલું ‘નંદા દેવી’ નામનું પુસ્તક હાથમાં આવ્યું હતું. તે પુસ્તક તેમની જિંદગી બદલી નાખવાનું હતું. 

એટકિન કહે છે, ‘જે માણસ લાઈબ્રેરીમાં ગયો હતો, તે બહાર નીકળ્યો ત્યારે એ નહોતો. હું સંમોહિત થઇ ગયો હતો. મારી નિયતિ પહાડોમાં હતી. મને થયું કે મારે જઈને દેવીનો ચરણસ્પર્શ કરવો છે.’

1960માં તેઓ ઉત્તરાખંડના કૌસાની સ્થિત એક આશ્રમમાં માળી કામ કરવા આવ્યા. ત્યાં તે ચાર વર્ષ રહ્યા. અહીં તેમને પહેલીવાર નંદા દેવીનું શિખર જોવા મળ્યું હતું. તેમણે સ્થાનિક કુમાઉની અને ગઢવાલ સંસ્કૃતિમાંથી નંદા દેવી વિશે જાણકારી એકત્ર કરવાનું શરૂ કર્યું. એમાંથી તેમને દર બાર વર્ષે યોજાતી નંદા દેવીની યાત્રાની પણ ખબર પડી.

બિલ એટકિન ત્યાં ‘દેવતા નાચ’માં ભાગ લેતા હતા, જેને આશ્રમના લોકો અંધવિશ્વાસ ગણતા હતા. એકવાર તેમને ટાઈફોડ થઇ ગયો હતો. તેમણે દવા લેવાને બદલે 40 દિવસના ઉપવાસ કર્યા હતા. તે દિવસોમાં તેમને બ્રહ્માંડના યથાર્થનો અનુભવ થયો હતો.

હિમાલયના પ્રેમની એ શરૂઆત હતી. જ્યારે પણ સમય મળે, એટકિન નંદા દેવીની આસપાસના ક્ષેત્રમાં ભટકવા નીકળી પડતા, જેથી પર્વત વિશે બને એટલી જાણકારી મળે અને તેનો અનુભવ પણ. તેમની મૂળ ઈચ્છા નંદાની તળેટીમાં જવાની હતી. નંદા દેવીનો પર્વત એકસરખા ઊંચા પહાડોનાં બે વર્તુળો વચ્ચે છે એટલે તેની પાસે જવું સહેલું નથી. એટકિન છેક 1980માં નંદા સુધી પહોંચી શક્યા હતા.

‘એ જુલાઈનો મહિનો હતો,’ તેમણે તે દિવસો યાદ કરીને કહ્યું હતું, ‘ચોમાસું ચરમ પર હતું. દસ દિવસ સુધી મને બરફનું શિખર જોવા ન મળ્યું. હું વાદળો તરફ તાકીને બેઠો હતો અને અચાનક બધું સાફ થયું અને મને પર્વતનું શિખર જોવા મળ્યું. એક જાણે વિશેષ દર્શન હતાં. મારી યાત્રાઓની એ પરાકાષ્ઠા હતી. એ મારી દેવી છે. તેણે મારા જીવનને અર્થ બક્ષ્યો છે.’ 

એટકિન કહેતા હતા કે હિમાલયનું મહત્ત્વ તેનાં ઊંચા શિખરો કરતાં વધુ તો ત્યાં મળતા વિરાટ અનુભવોમાં છે. તેઓ પર્વતારોહણની આંધળી દોડના ઘોર વિરોધી હતા. ‘ફૂટલૂસ ઇન ધ હિમાયલ’માં તેઓ લખે છે;

‘આ કુદરતી ભવ્યતા જોઇને મેં હંમેશાં જાતને યાદ આપવી છે કે આપણે અહીં ફક્ત મહેમાનો છીએ, ભગવાનના મહેમાન, આ ગ્રહના મુસાફરો છીએ, કોઈ માલિક નહીં. જ્યારે આપણે આ વિશાળ બ્રહ્માંડમાં આપણે આપણી તુચ્છતાને ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે પ્રકૃતિ પર વિજય મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. પર્વતારોહણ કરતા અને શ્રદ્ધાવાળા બે જૂથો એક વિરોધાભાસને સ્પષ્ટ બતાવે છે. એક લોકો એવા છે જે સંખ્યામાં ઓછા છે અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે પર્વત ચઢે છે અને બીજા લોકો એ છે જે પ્રસિદ્ધિ અને પૈસાની લાલચમાં ચઢે છે.’

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 27 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીજીનો ઘરડો દોસ્ત

રામુ પંડિત|Gandhiana|28 April 2025

લૉસ એંજલીસની વૃદ્ધાઓની એક કલબમાં હિંદ વિષે વાતો કરવા ગયો હતો. વાર્તાલાપ પૂરો થયો એટલે બધાં વિખરાવા માંડ્યાં. એક ઘરડી ડોસી મારી સાથે હિંદ વિષે વાતે ચડી. થોડીવાર પછી મને કહે છે કે મારો 84 વર્ષનો ડોસો બહાર મોટરમાં ઝોકાં ખાતો હશે. તું એને મળવાનું પસંદ કરશે?

‘શા માટે નહીં?’ મેં કહ્યું.

80 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી ચાલતી એ ડોસી મને થોડે દૂર ઊભેલી એક મોટર પાસે દોરી ગઈ. લાલચોળ ને તગડા શરીરવાળો એક વૃદ્ધ સ્ટીઅરિંગ વ્હીલ પર માથું ટેકવીને ઊંઘતો હતો.

‘અરે ઓ! ઊઠે છે કે? હિંદના એક જવાનિયાને તને મળવા લઈ આવી છું.’ ડોસીએ ડોસાના માથા પર ટપલી મારી.

આંખ ઉઘાડીને ડોસાએ તરત મને સ્મિતપૂર્વક આવકાર્યો : ‘છોકરા! ગાંધીના દેશમાથી આવે છે કે ?’

‘હા જી.’

‘તમારો હિંદુ સમાજ તો નાલાયક કે બીજું કાંઈ ?’

આવા અણચિંતવ્યા આક્રમણથી મૂંઝાઈ જઈને મેં કહ્યું : ‘શા માટે?’

‘જે માણસ હિંદુ ધર્મનો સાચો અને સૌથી સારો અનુયાયી હતો એને મારી નાખતા તમને લોકોને શરમ ન આવી? મેં જ્યારે ગાંધી હિંદુને હાથે મરાયાની વાત સાંભળી ત્યારે મને ખૂબ દુઃખ થયેલું. તને નહિ ખબર હોય, છોકરા, પણ ગાંધી ને હું બોઅર યુદ્ધ વખતે સાથે હતા. 1898-99 દરમિયાન. એ વખતે તો કદાચ તારા બાપનો પણ જન્મ નહિ થયો હોય. શું ગાંધીની સેવાવૃત્તિ! બધા ગોરા અમલદારો એનું કામ જોઈને સડક થઈ ગયેલા. હું ઘવાયેલો તે ગાંધીની કાળજીને લીધે જ બચ્યો. તે દિવસોમાં પથારીમાં વેદના સહન કરતાં કરતાં મને એના જ વિચારો સતાવ્યા કરતા. એમ થતું કે  ફ્લોરેન્સ નાઈટિન્ગેલ એક સ્ત્રી પરિચારિકા તરીકે વિશ્વમાં અમર બની ગઈ; એમ ગાંધી પુરુષ પરિચારક તરીકે અમર બનશે. પરંતુ ગાંધી તો ઘણો મહાન બની ગયો. આ મારી ડેાશીને હું ઘણી વાર કહું છું કે ગાંધી ન હોત તો તું વિધવા બની હોત.’

અને એ વાક્ય બોલતાં બોલતાં એ ડોસાની આંખમાંથી આંસુનું એક ટીપું પડીને સ્ટીઅરીંગ વ્હીલ પર થંભી રહ્યું.

28 ઍપ્રિલ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 298

Loading

...10...19202122...304050...

Search by

Opinion

  • ‘ગુજરાત સમાચાર’ : હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!
  • મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 
  • ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  
  • વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો
  • પાયમાલ થઇ ગઇ… 

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved