પરિભાષા
સારા શબ્દોમાં
આ અનુ-સત્યયુગ
ના કળિયુગ.
*
‘પોસ્ટ-ટ્રુથ’
ચાલો જપીએ
અસત્ય એ જ તથ્ય
યુગમંત્ર જે.
*
કળિયુગ
માનવી જાણે
જંતર, ફરે જેમ
કળ ફેરવ્યાં.
*
વસુધૈવ કુટુંબકમ્
કોણ બોલે છે
માણસ કે પોપટ
ફેર પડે છે.
*
શૂરાનો મારગ
વાર તો લાગે
અહિંસાને મારગ
વેર ના જાગે.
બોસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 15
![]()


દર્શકના એટલે કે મનુભાઈ પંચોળીના ‘સ્વરાજધર્મ’ (૧૯૯૬) પુસ્તક વિશે વિગતે વાત કરતાં પહેલાં લેખકનો આપણે પરિચય કરી લેવો જોઈએ. ગુજરાતી સાહિત્યના આ અગ્રગણ્ય સાહિત્યકાર અને કેળવણીકાર છે. પિતા પ્રાથમિક શિક્ષક હતા. મનુભાઈએ કિશોરવયે ૧૯૩૦ના સત્યાગ્રહમાં ભાગ લેવા શાળાનો અભ્યાસ નવમા ધોરણ પછી છોડી દીધો. દક્ષિણામૂર્તિ અને આંબલામાં ગૃહપતિ અને શિક્ષક તરીકે ઘડાયા પછી ૧૯૫૩માં સણોસરા ખાતે લોકભારતીની સ્થાપના અને સંચાલનમાં તેઓ જોડાયા. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા અને ૧૯૭૦માં બહુ ટૂંકા ગાળા માટે ગુજરાતના શિક્ષણમંત્રી પણ થયેલા.
પોપ્યુલેશન ફર્સ્ટ નામની મુંબઈસ્થિત સ્વૈચ્છિક સંસ્થા દ્વારા દર વર્ષે લિંગભેદ જેવી સામાજિક સમસ્યા પર પ્રિન્ટ, ટીવી કે બ્લોગ જેવાં માધ્યમોમાં અહેવાલ, ફીચર, લેખો, ન્યૂઝ રિપોર્ટ, ઇન્વેિસ્ટગેટિવ સ્ટોરી કરનારા પત્રકારો કે મહિલાકેન્દ્રી વિશેષ ઝુંબેશ ચલાવનારા અખબાર કે મીડિયા જૂથને પ્રોત્સાહન આપવા માટે ‘લાડલી મીડિયા ઍન્ડ ઍડવર્ટાઇઝિંગ ઍવોર્ડસ ફૉર જેન્ડર સેન્સિટિવિટી’ આપે છે. દેશના અલગ અલગ ઝોનમાં જુદી જુદી ભાષામાં કામ કરનારા મીડિયાકર્મીઓને આપવામાં આવતા આ ઍવોર્ડના તાજેતરમાં યશભાગીઓમાં ‘નિરીક્ષક’ને જેમની આત્મીય કુમક યથાપ્રસંગ મળતી રહે છે એ તરુણ સાથી દિવ્યેશ વ્યાસ પણ છે. પ્રત્યાયનના માધ્યમ તરીકે એસ.એમ.એસ.ની અસરકારકતા પરના શોધનિબંધ માટે ડૉક્ટરેટ મેળવનાર દિવ્યેશભાઈને અભિનંદન સાથે અહીં ‘દિવ્ય ભાસ્કર’(૧૬-૧૨-૨૦૧૫)ની કળશ પૂર્તિમાં પ્રકાશિત એમની કૉલમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સાભાર ઉતારીએ છીએ.