Opinion Magazine
Number of visits: 10080253
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સગડ

સુરેશ જાની|Opinion - Opinion|29 May 2026

આગલા દિવસે વરસાદ પડ્યો હતો, એટલે ગઈકાલે પાર્કમાં ચાલતાં આ ત્રણ સગડ (પગેરાં) જોવાં મળ્યાં.

પહેલી ટ્રેક્ટરના પૈડાંની છાપ તો કોન્ક્રિટના રસ્તા પર પડી હોવાના કારણે જલદી નીકળી જશે. પણ કાદવમાં પડેલાં બીજાં બે પગલાં હવે પછી સૂર્યના તડકામાં સૂકાઈને સચવાઈ રહેશે.

આમ તો  આ સાવ સામાન્ય ઘટના છે પણ કોણ જાણે કેમ એણે મનમાં વિચારોનાં ટોળેટોળાં ખડાં કરી દીધાં. આપણે સામાન્ય જીવો આવા સગડ અજાણે જ છોડી જતાં હોઈએ છીએ. એની કોઈ યાદ આપણા દિમાગમાં રહેતી નથી. પણ, અમારા ગામથી પચાસેક માઈલ દૂર આવેલા એક સ્થળમાં કરોડો વર્ષ પહેલાં નદીના પટમાં ચાલેલા ડાયનોસોરના આવા સગડ હજુ આજે પણ જોવા મળે છે.

પ્રચંડ ધરતીકંપોના કારણે તહસ નહસ થઈ ગયેલી ધરતીના પડનાં આવાં દૃશ્યો પણ એવી કુદરતી ઘટનાનાં સગડ છે.

પણ કોઈક અસામાન્ય વીરલાઓ અને હીરલાઓને પોતાનાં સગડ કાયમી રીતે સચવાઈ રહે તેવા અભરખા હોય છે! દુનિયાને જીતી લેવાના અભરખાવાળા અમૂક તો બીજાંની સલ્તનતો અને મહાલયોને તહસ નહસ કરી ખંડેરમાં ફેરવી લેવામાં ગૌરવ માણે છે. નાલંદાનાં આ ખંડેર એવા જુલમીઓના સગડ છે.

ઘણા માંધાતાઓ પોતાના જીવન બાદ પણ લોકો એમને યાદ કરે – એ માટે પોતાની પ્રતિમાઓ જેવાં સગડ છોડી જતા હોય છે. અથવા એમના અવસાન બાદ એમના પ્રશંસકો આવાં શિલ્પ બનાવી એમની યાદ સાચવી રાખે છે. એ પણ સગડ જ ને?!

અવકાશી પદાર્થો અને ઘટનાઓ વર્ણવતું એક પુસ્તક વાંચતાં પ્રચંડ ધડાકાથી નષ્ટ થઈ જતા તારાઓની વાત વાંચવા મળી.

આપણા સૂર્ય કરતાં અનેક ગણા વિશાળ તારાના નષ્ટ થઈ ગયાના આ સગડ!

અમાપ બ્રહ્માંડની સરખામણીમાં સાવ રજકણ જેવી પૃથ્વી પર રજકણથી પણ નાના એવા આપણા માનવજીવોની ક્ષુદ્રતા પર હસવું કે રડવું?

e.mail : surpad2017@gmail.com

Loading

‘જસ્ટ બિઇંગ’ : ઇતિહાસકાર રોમિલા થાપરનાં સંસ્મરણો

કિરણ કાપુરે|Opinion - Opinion|29 May 2026

‘દિલ્હી યુનિવર્સિટીમાં પાછા ફરતા જ મને લાગ્યું કે વિશ્વમાં અન્ય ભાગોમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનની થોડી અસર ભારત સુધી પણ પહોંચી છે. જો કે તે અસર મર્યાદિત અને હાંસિયામાં હોય એવાં ક્ષેત્ર સુધી જ હતી. તેનાથી અનેકગણું પ્રભાવશાળી ડાબેરી આંદોલનનું દેશમાં જન્મવું હતું; વિશેષ રીતે નક્સલ આંદોલન અથવા ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા’(માર્ક્સવાદી-લેનિનવાદી) [CPI-ML]. નક્સલવાદ મૂળે એક ગ્રામિણ આંદોલન હતું. કેટલાંક વિદ્યાર્થીઓ ગ્રામિણ ક્ષેત્રમાં જઈને કામ કરવા ઇચ્છતા હતા. તેમાંથી ઘણાનો આગ્રહ હતો કે તેઓ ‘CPI-ML’ના કેડર કે નક્સલીઓના રૂપમાં કામ કરશે. તે વેળાએ નક્સલીઓને અસામાજિક તત્ત્વ કે આંતકવાદી માની લેવામાં આવ્યા હતા. પોલિસ તેમની ધરપકડ કરી રહી હતી અથવા તથાકથિત ‘એન્કાઉન્ટર’માં તેઓને મારવામાં આવ્યા હતા. તત્કાલિન પ્રશ્નોનું સમાધાન ક્રાંતિ છે તેવું માનનારા અને પોલિસ કે સ્થાનિક વહિવટીતંત્ર વચ્ચે હિંસક અથડામણ વધી રહી હતી. તેમના લેખનના સંદર્ભમાં ચીનના ક્રાંતિકારી માઓ આવતા હોવાથી તેઓને ઘણાં લોકો ‘માઓવાદી’ પણ કહેવા લાગ્યા. જો કે આ શબ્દને લઈને ઘણી અસમંજસ હતી.’

જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપરનાં સંસ્મરણોનો ભાવાનુવાદિત-સંપાદિત આ એક હિસ્સો છે; જેમાં તેઓ નક્સલ સંબંધિત તેમનાં જીવનનાં અનુભવને ટાંકી રહ્યાં છે. રોમિલા થાપર ઇતિહાસકાર છે અને તેમને ‘જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી’ દ્વારા ‘ઇમેરિટ્સ’ની પદવી આપવામાં આવી છે. મતલબ કે તેઓ સેવાનિવૃત્ત થયાં હોવા છતાં તેમનું પદાધિકાર જાળવી રાખવાનો તેમને અધિકાર આપવામાં આવ્યો છે. રોમિલા થાપરને ‘યુનિવર્સિટી ઑફ શિકાગો’, ‘યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ’, ‘યુનિવર્સિટી ઑફ એડનબર્ગ’, ‘યુનિવર્સિટી ઑફ કોલકત્તા’, ‘યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ’ અને ‘યુનિવર્સિટી ઑફ પ્રિટોરિયા’ જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમને માનદ્દ ડૉક્ટરેટ ડિગ્રી આપવામાં આવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી બૃહદ્દ છે અને ઉપરાંત આજે 94 વર્ષે પણ તેઓ પ્રોફેસર તરીકેની પોતાની જવાબદારી અદા કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ અનેક જાહેર મુદ્દે ખુલીને બોલતાં રહ્યાં છે અથવા તેમનું વલણ અન્યાય સામેનું રહ્યું છે. 1975-77 દરમિયાન જ્યારે દેશમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી ત્યારે તેઓ ‘જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી’માંનાં ગણ્યાગાંઠ્યા પ્રોફેસરમાંથી એક હતાં, જેમણે ઇન્દિરા ગાંધીનાં પ્રશંસા અર્થે લખાયેલા કાગળ પર સહી કરવાનો  ઇન્કાર કર્યો હતો. આ ઘટનાના પ્રતિક્રિયારૂપે તેમનાં ઘરે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા. તેમની કારકિર્દી ઉતાર-ચઢાવની રહી છે અને તેમણે આ સંસ્મરણોનું નામ આપ્યું છે : ‘જસ્ટ બિઇંગ’ મતલબ કે બસ હયાતી હોવી – તેવો થાય છે. ગુજરાતીમાં હજુ ય તેમનાં સંસ્મરણનાં મથાળાંનો સારો ભાવાનુવાદ થઈ શકે છે.

રોમિલા થાપર

તેઓ આગળ લખે છે કે, ‘નક્સલીઓનું નામ બંગાળના નક્સલબારી ક્ષેત્રમાં થયેલી પહેલી અથડામણના કારણે પડ્યું. આજકાલ સ્વતંત્ર બુદ્ધિજીવીઓને બદનામ કરવા અર્થે ઉપયોગમાં લેવાનારો ‘અર્બન નક્સલ’ જેવો નિરર્થક શબ્દ પૂર્ણ રીતે ખોટો છે. આ શબ્દનો ઉપયોગ કરનારા – તેના ખરા અર્થથી અજાણ છે અને એ લોકો આ શબ્દ દ્વારા બૌદ્ધિક-વિરોધી માનસિકતાનો સંકેત આપે છે. … સાથે આ શબ્દનો ઉપયોગ સત્તાધારીઓને અસહજ સ્થિતિમાં મૂકનારાઓની બોલતી બંધ કરવા માટે પણ કરવામાં આવે છે. ‘દિલ્હી યુનિવર્સિટી’માં અમારામાંથી ઘણાં પ્રોફેસરો નક્સલ આંદોલનથી પ્રભાવિત વિદ્યાર્થીઓથી સંવાદ કરતા હતા. તે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ હતો, પરંતુ અમને તે ઉત્સાહ ચિંતા પણ કરાવતો હતો. કારણ કે તેઓ એ સમજી નહોતા શકતા કે જો તેઓ ગામડાંઓમાં જશે તેમ છતાં તેમનું જોડાણ ગ્રામિણ સમાજથી નહીં થઈ શકે. અમે તેમને માત્ર સમજાવવાની અને અટકાવવાનો પ્રયાસ કરી શકતા હતા. વિદ્યાર્થી વિરોધથી એક સ્તરે દેશની યુનવર્સિટીઓનું ચિત્ર સ્પષ્ટ રીતે સામે આવ્યું અને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ સાથેના સંપર્ક અને તેમના પ્રશ્નો તરફ જોવાનું ધૂંધળું થઈ ચૂક્યું છે. કેટલાંક વિદ્યાર્થીઓ સપનાં – ભલે તેઓ સંખ્યાની રીતે ઓછા હતા – બીજાના બેપરવાઈભર્યા સંતોષ પર તેઓ પ્રશ્નો ઉઠાવતા હતા. તેઓ આરામદાયક શહેરી નોકરીમાં અને તેના દ્વારા મળનારી સગવડના આસપાસ જીવન વિતાવવા ઇચ્છતા હતા. તેમાં મને કોઈ વાંધો નહોતો. પંરતુ આપણે એ સ્વીકારવું જોઈએ કે સમાજ ત્યારે જ યોગ્ય દિશા-માર્ગમાં જઈ શકે જ્યારે તેના માળખાને લઈને સતત ચર્ચા થતી હોય. વિદ્યાર્થીઓના માર્ગદર્શક હોવાના નાતે આ ચર્ચા-સંવાદો પ્રત્યે આપણે વધુ સંવેદનશીલ હોવા જોઈએ.’

રોમિલા થાપરનું નામ અળખામણું કેમ થયું તેનાં કારણોમાં એક તો કટોકટીકાળનું પ્રકરણ છે. તે ઉપરાંત પણ તેમને લાગ્યું કે ઇતિહાસ સાથે ચેડાં થઈ રહ્યાં છે ત્યારે તેઓ ખુલીને વિરોધ કરવા આગળ આવ્યાં છે. જેમ કે, 2002માં તત્કાલિન ભા.જ.પ.ની સરકારે સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસના પાઠ્યપુસ્તકના કેટલાંક હિસ્સા બદલી કાઢ્યા હતા. ધોરણ છઠ્ઠામાં ‘એન્સિઅન્ટ ઇન્ડિયા’ નામનાં પ્રકરણના લેખિકા રોમિલા થાપર હતાં. તેમણે જ્યારે જોયું કે પ્રાચીન ભારતમાં ગૌમાંસ ખવાતું હતું – તે હિસ્સાની બાદબાકી કરવામાં આવી છે – ત્યારે તેનો વિરોધ કર્યો હતો. તેમણે આ રીતે ઇતિહાસ સંબંધિત છબરડાં થતાં હોય ત્યાં લડત આપી છે. તેઓ બે વાર પદ્મભૂષણ સન્માન નકારી ચૂક્યાં છે. તેમનું કહેવું છે કે તેઓ શિક્ષણ જગત સંબંધિત જ સન્માન સ્વીકારશે, રાજ્ય દ્વારા પ્રેરીત સન્માન ક્યારે ય સ્વીકારશે નહીં!

રોમિલા થાપર સતત વિદ્યાર્થીઓથી ઘેરાયેલા રહ્યાં અને તેથી તેમણે વિદ્યાર્થીઓનો પ્રેમ તો મેળવ્યો, પણ વિદ્યાર્થીઓને જાણવા-સમજવામાં તેઓ ખૂબ આગળ નીકળી ગયાં. તેથી તેઓ એક સ્થાને ટાંકે છે : ‘હું વ્યક્તિગત રીતે મારા વિદ્યાર્થીઓ સાથેનાં સંવાદથી ખૂબ શીખી છું. વિશેષ કરીને જે વિષય અંગે અમે તેમને શીખવતા હતા. શું આ શિક્ષણ તેમને વર્તમાન સમાજમાં ભવિષ્ય માટે તૈયાર કરી રહી હતી? તેનાથી મને સમજવાની તક મળી કે યુવાનો દુનિયાને કંઈ દૃષ્ટિથી જુએ છે. – જે શિક્ષણના સંદર્ભે ખૂબ અગત્યનું છે. મારા પોતાના યુવાવસ્થાના વિચાર અને રાષ્ટ્રવાદનો વિચાર, જેને અમારી પેઢીએ આકાર આપ્યો હતો, તે યુવાનોના મનમાં ઘરમૂળથી બદલાઈ ચૂકી હતી. રાષ્ટ્રવાદ હવે વિદેશી શાસનને હટાવવા સુધી મર્યાદિત ન રહ્યો હતો. વિદેશી સત્તા તો જઈ ચૂકી હતી. હવે પ્રશ્ન હતો કે પોતાના સમાજની અસમાનતાથી કેવી રીતે લડીએ? આ આગળનો તાર્કિક ડગ હતો.’ આગળ તેઓ કહે છે કે, ‘જેમ-જેમ આપણે વૃદ્ધ થતા જઈએ છીએ, તેમ આપણે આપણા જૂના વિચારો અને અનુભવો નવી પેઢી પર થોપવાનો પ્રયાસ કરીએ છીએ. ઘણી વાર તો વાસ્તવિક સ્થિતિ સમજ્યા વિના. નક્સલવાદ તેનું જ ઉદાહરણ છે. સત્તામાં બેસનારા લોકો હંમેશાં નક્સલવાદને કાયદા-વ્યવસ્થાનો પ્રશ્ન જ ગણ્યો હતો. જ્યાં દરેક નક્સલીને તેના વિચારો અને રાજ્યવિરોધી કૃત્ય અર્થે દંડીત કરવામાં આવ્યા છે. તેથી પોલિસ આજે પણ જેમના ઘરમાં ડાબેરીઓનું સાહિત્ય મળે છે ત્યારે તેમના પર નક્સલી અને રાષ્ટ્રવિરોધી આરોપ લગાવવામાં આવે છે. આવાં લોકોની સંખ્યા ઘણી વધુ છે, કારણ કે ઘણાં લોકો બૌદ્ધિક જિજ્ઞાસાના કારણે પણ આ સાહિત્યને વાંચતા હોય છે.’

આજે જ્યારે જનરેશન- ઝેડનો ડંકો વાગી રહ્યો છે અને ‘ક્રૉક્રોચ જનતા પાર્ટી’ની સ્થાપના પછી તો જાણે પૂરા દેશમાં એક માહોલ જન્મ્યો છે કે હવે ‘ક્રૉકોચ જનતા પાર્ટી’ થકી જોરશોરથી વિરોધ થશે. અહીંયા તેઓ કહે છે કે, ‘અમારામાંથી ઘણાં લોકો એવું માને છે કે નક્સલ આંદોલન માત્ર કાયદા-વ્યવસ્થાનો મુદ્દો નથી. આ અનેક તબક્કાનું સંકટ છે. યુવાન પોતાના શિક્ષણથી માત્ર ડિગ્રી નહીં, બલકે તેનાથી ઘણું વધુ ઇચ્છે છે. ભારતીય સમાજ સમક્ષ ઊભા જોખમો પ્રત્યે તેમની ચિંતાને પણ દર્શાવે છે. હિંસક સમાધાન સ્વાભાવિક રીતે સ્વીકાર્ય નથી. ઐતિહાસિક રીતે જોઈએ તો આજે પણ ભારતીય સમાજ ઊંડા પરિવર્તનના કાળમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક એવું તથ્ય છે જેન નજરઅંદાજ ના કરી શકાય. શાસન વર્ગ આ પ્રશ્નોનું સમયસર સમાધાન નથી કરી રહ્યા. નક્સલવાદ એક સમયે આ સમસ્યા પર ધ્યાન ખેંચ્યું હતું પણ તેમની પાસે પણ કોઈ ઉકેલ નહોતો.’

e.mail : kirankapure@gmail.com 

Loading

किसी वैभव का इंतजार

कुमार प्रशांत|Opinion - Opinion|28 May 2026

कुमार प्रशांत

क्रिकेट जैसे तेज खेल में, उसकी आईपीएल जैसी गलाकाट स्पर्धा वाली श्रृंखला में भी जब ठहराव व उबासी आने लगे तब किसी वैभव सूर्यवंशी की जरूरत पड़ती है. वह आता है और ऐसा विस्फोट करता है कि सारी जड़ता, ऊब व पस्ती की चिंदियां उड़ जाती हैं. क्रिकेट फिर निखर उठता है. और कमाल यह भी है कि वैभव का खेल क्रिकेट की सारी बारीकियों व नजाकत को संभाल कर चलता है. उसका खेल छक्का उड़ाने की डंडेबाजी नहीं है, क्रिकेट का संपन्न विस्तार है वह. क़रीब से देखिए तो आप पाएंगे कि वैभव गावस्कर, सचिन और क्रिस गेल का वैसा मिश्रण है जिसमें वीरेंद्र सहवाग की छौंक भी लगती रहती है. अभी वह आया ही है, ठीक से उसके पांव भी जमे नहीं हैं लेकिन उसने बड़ी गहराई से क्रिकेट का व्याकरण बदल दिया है.

भारतीय समाज को और उसकी राजनीतिक बुनावट को भी किसी वैभव सूर्यवंशी का इंतजार है. आज हमारा सामाजिक-राजनीतिक माहौल  इतना बेजान व प्रेरणाहीन हो गया है कि अब उसमें से अधिकाधिक पतन व सडांध ही निकल सकती है. यह माहौल बना रहा व इसे हम खींचते व चलाते रहे तो हमारा सारा समाज अंधकूप में अधिकाधिक गिरता जाएगा. वह लगातार गिरा रहा है.

जब देश की सर्वोच्च न्यायपालिका यह कहे कि लाखों-लाख मतदाताओं का नाम मतदाता सूची में से काट देना कोई ऐसी बड़ी बात नहीं है कि जिससे हमारी नींद हराम हो : “इस बार न सही, आप अगली बात वोट डाल लेना !” तो हमारी न्यायपालिका के पतन का अंदाजा लगाया जा सकता है. वह फैसला सुनाती है कि चुनाव आयोग को पूरा संवैधानिक अधिकार है कि वह मतदाता सूची को दुरुस्त करती रहे और इसलिए बिहार से बंगाल तक चली ‘सर’ की प्रक्रिया पूर्णतः वैध है. कोई अदालत से पूछे कि किसने, कब कहा कि मतदाता सूची को दुरुस्त करना चुनाव आयोग की संवैधानिक जिम्मेवारी नहीं है ? कब कहा ? वह उसकी ही जिम्मेवारी है जिसे उसने निभाया नहीं है. वह अपनी उस विफलता का ठीकरा मतदाता के सर कैसे फोड़ सकती है ?

चुनाव आयोग मतदाताओं का आका नहीं है, मतदाताओं की सुविधा देखने व मतदान का विधिसम्मत संचालन करने की एक एजेंसी भर है. हमारा संविधान उसे मनमाना करने की इजाजत नहीं देता है. चुनाव से ठीक पहले, बग़ैर किसी मान्य प्रक्रिया के व मतदाताओं को न्यायपूर्ण समय दिए बिना मतदाताओं के नाम काटने व जोड़ने का अधिकार चुनाव आयोग को है, यह कहां लिखा है संविधान में ? मी लार्ड, संविधान आप ही नहीं, हम भी पढ़ते हैं; उसे आप ही नहीं, हम भी समझते हैं. इसलिए हमें समझाइए तो कि ‘सर’ की प्रक्रिया के बारे में संविधान कहता क्या है ? हम आपसे कहना चाहते हैं कि हमारी नागरिकता व मतदाता की हमारी हैसियत किसी सरकार या आयोग या अदालत की कृपा से नहीं है. यह हमें हमारे बनाए संविधान से मिली है और हमने ही इसके संरक्षण व संवर्धन के लिए विधायिका, कार्यपालिका, न्यायपालिका आदि बनाई है. हम मतदाता स्थाई हैं, आप समेत बाकी सारी संरचनाएं अस्थाई हैं. यह इतनी भी बारीक बात नहीं है कि ज्ञानियों की समझ में न आए. लेकिन जो बारीक बात समझने में दिक़्कत आती है वह बात है लोकतंत्र की ! यह राजतंत्र की मानसिकता से न समझा जा सकता है, न चलाया जा सकता है. इसके लिए एक अलग प्रतिबद्धता व अनुशासन की जरूरत है जिसका हमारे यहां सिरे से अभाव है. जैसे औपनिवेशिक शासन की चाकरी में लगी नौकरशाही रातोंरात स्वतंत्र देश की सेवा करने वाली सेना नहीं बन सकती है, वैसे ही औपनिवेशिक मानसिकता से आप लोकतांत्रिक न्यायपालिका का दायित्व नहीं निभा सकते हैं. जिस न्यायपालिका ने आपातकाल में हमारे जीवन के अधिकार को भी राज्य की कृपा पर छोड़ कर अपना मुंह फेर लिया था, वह आज इतनी संवेदनशील व विवेकवान हो जाएगी कि संविधान के साथ खड़ी रहे, ऐसी खामख्याली हम नहीं पालते हैं. इसलिए हम आग्रह करते हैं कि न्यायपालिका की ऊंची कुर्सी पर बैठ कर नहीं, ज़मीन पर आ कर हमसे संवाद कीजिए. आपकी भाषा में कहूं, तो कॉक्रोच जहां रहते हैं, वहां पहुंचिए.

हमें आप बता सकें तो बताएं कि डेरा सच्चा सौदा के बलात्कारी प्रमुख गुरुमीत राम 16वीं बार पैरोल पा बाहर आ गए हैं, तो कैसे ? कैदियों के भी संवैधानिक अधिकार हैं, और उनका पालन भी होना चाहिए लेकिन कोई न्यायमूर्ति बताएं तो हमें कि संविधान में इस तरह पैरोल बांटने की व्यवस्था कहां है ?

  ‘नीट’ की परीक्षा का पेपर लीक होना अाज इतना स्वाभाविक हो गया है कि अगर वह न हो तो, उस झटके से ही लोग मूर्छित हो जाएंगे. इसलिए हमारे ओडिशा से देश को उपहार में दिया गया देश का शिक्षामंत्री बड़ी आसानी से बोल पड़ता है : ‘ कोई बात नहीं, हम यह परीक्षा रद्द कर, परीक्षा की नई तारीख घोषित कर रहे हैं; और हमारी उदारता देखिए कि हम इस परीक्षा के लिए बच्चों से फ़ीस भी नहीं लेंगे. हताश-निराश बच्चों को वे डपटते हैं : अरे पैसा नहीं ले रहे हैं न, अब जान लोगे क्या ?’ अगले चुनाव में वोट डाल लेना, अगली परीक्षा दे लेना, अगली बार पैरोल नहीं देंगे भाई जैसे जुमले प्राणहीन व्यवस्था का प्रमाण देते हैं.

सीबीएसई की परीक्षा की कापियां कौन जांचता है ? सच कहूं तो मुझे मालूम नहीं था कि यह काम भी अब कंप्यूटर कर रहा है. 17,68,962 छात्रों की कॉपियां स्कैन कर कंप्यूटर में डाली गईं, और परीक्षकों से कहा गया कि कंप्यूटर के पर्दे के सामने बैठ कर, इन कॉपियों की ऑनस्क्रीन जांच कीजिए व छात्रों के भविष्य की घोषणा कीजिए. स्कैनर कैसा है, स्कैन छवि कितनी साफ है, परीक्षक कंप्यूटर से कितना परिचित है, वह ऐसी जांच-प्रक्रिया से कितना सहज है, इस काम के लिए उसका प्रशिक्षण कब, कैसे व कितना हुआ है आदि बातें व्यर्थ हैं. अपना कंप्यूटर है न तो बात खत्म ! गांधीजी ने मशीनों के पीछे की इसी अंधी दौड़ से मानवता को सावधान किया था. कॉपियों का परीक्षण अध्यापक प्रत्यक्ष करते थे, उसमें ऐसी क्या खामी थी कि आपने शिक्षक की जगह मशीनों को दे दी ? आप मशीनों से वोटिंग और मशीनों से कॉपियों की जांच में कोई साम्य पाते हैं ? दोनों जगह कोशिश यह है कि इस प्रक्रिया को आदमी की पहुंच से दूर कर दिया जाए. इधर आलम यह है कि आदमी ही तो लोकतंत्र की प्राथमिक व अंतिम इकाई है ! उससे जितनी दूर जाएंगे आप, लोकतंत्र से उतनी ही दूरी बनती जाएगी. गांधी ‘डाइरेक्ट डिमोक्रेसी’ का संधान चाहते थे, अाप ‘डिमोक्रेसी’ का ‘डाइरेक्शन’ ही बदल देना चाहते हैं.

  4,04,319 छात्रों ने अपनी स्कैन कॉपियों की मांग की है, ताकि उसकी फिर से समीक्षा की जा सके. आपकी ही बनाई यह व्यवस्था भी है, तो शिक्षा मंत्रालय के हाथ-पांव फूल रहे हैं और वह बहाने बना रही है. स्कैन कॉपियों की फिर से जांच की यह प्रक्रिया मुफ्त भी नहीं है. बच्चों से इसके लिए खासी रकम वसूली जा रही है. किसकी जिम्मेवारी है यह ? कौन किससे पूछे ? आप ख़ुद से भी जवाब नहीं देते हैं, प्रेसवार्ता भी नहीं करते ! तो गूंगों का समाज बनेगा क्या ? अदालत इसकी तरफ कैसे ध्यान देगी, वह तो सत्ता-संस्थानों की वैधता स्थापित करने में जुटी हुई है. उसके पास समय कहां है कि वह पूछे कि जिस सरकार के पास कल तक पेट्रोल-डीजल-गैस का पर्याप्त भंडार था, वह चुनाव खत्म होने की रात से ही खत्म कैसे हो गया? हर दिन इनकी कीमतों में बढ़ोत्तरी कैसे व क्यों हो रही है ? अंतरराष्ट्रीय बाज़ार के भाव व हमारे भाव में कोई तर्कसंगत संतुलन है क्या ? कहा जा रहा है कि तेल कंपनियों को घाटा हो रहा है, तो लोगों का गला कटा जा रहा है, यह आपको नहीं दीखता है?

कभी जयप्रकाश नारायण ने कहा था : भ्रष्टाचार ऊपर से चल कर नीचे तक पहुंचता है. गंगोत्री में ही जहर मिला हो तो नीचे गंगा का प्रवाह शुद्ध कैसे हो सकता है ? ऐसे सवाल पूछने वाला व इनके जवाब के लिए जूझ पड़ने वाला कोई वैभव सूर्यवंशी हमें चाहिए. हमें उसका इंतज़ार नहीं करना है, उसकी खोज में निकल पड़ना है. यह किसी दूसरे के लिए आह्वान नहीं है, आंतरिक प्रतीति है. 

(28.05.2026)   
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...48495051...607080...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved