Opinion Magazine
Number of visits: 10080166
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

लोकतंत्र का एंकाउंटर हो रहा है  

कुमार प्रशांत|Opinion - Opinion|28 June 2026

कुमार प्रशांत

बिहार की राजधानी पटना; पटना से निकट भोजपुर; और भोजपुर का नया चर्चित चेहरा भरत तिवारी ! कहानी की तरह जो बात हर कहीं कही व छापी जा रही है, वह कुछ यूं है कि कुछ लोग भरत तिवारी को अपराधी करार दे रहे हैं, कुछ उन्हें रॉबिनहुड का अवतार बता रहे हैं. लेकिन इन सारी आवाजों व शोर के बीच जो बात उभर ही नहीं पा रही है वह है राज्य द्वारा नागरिकों का शिकार ! इसे एनकाउंटर कहिए या फेंक एनकाउंटर कहिए, हत्या कहिए या शिकार कहिए, सच्ची व ठोस हकीकत यह है कि एक कोई भरत तिवारी नाम का युवक था कि जो पुलिस के काबू में नहीं आ रहा था. पुलिस ने आत्मसमर्पण के बाद उसे घेर कर, खुले आसमान के नीचे  गोली मार कर काबू में कर लिया. पुलिस के मुताबिक जो अपराधी था, वह नहीं रहा तो कहानी तमाम होती है. लेकिन क्या सच में कहानी तमाम होती है ?

2005 का गुजरात ! सारा देश सोहराबुद्दीन शेख नाम के आतंकी के एंकाउंटर की कहानी से गूंज रहा था. तब आलम ऐसा बनाया गया था मानो आतंकियों का कोई अंतरराष्ट्रीय गैंग है जिसने गुजरात में अपनी तमाम ताकत झोंक दी है. वहां से पुलिस-आतंकवादियों के मुठभेड़ की रोज एक-न-एक कहानी सामने आती ही थी, और कमाल यह था कि हर कहानी के अंत में ‘आतंकवादी’ मारे जाते थे, पुलिस को खरोंच तक नहीं आती थी. ऐसा कैसे होता है कि जान देने की पूरी तैयारी से आए आतंकवादी ताश के पत्तों से ढह जाते थे ? पुलिस लाशें गिनती थी, प्रशासन उनका प्रदर्शन करता था और कहता था कि सत्ता की सबसे ऊंची कुर्सी इनके निशाने पर थी. हमने उसका काम तमाम कर दिया. आज सोहराबुद्दीन शेख व एनकाउंटर के ऐसे तमाम मामले अदालतों में गहरे शक के घेरे में हैं; और कई मामले ऐसे भी हैं कि जिनमें अदालत ने तथाकथित अपराधियों को निर्दोष बता दिया है.

आतंकी कार्रवाईयों का चरम था मुंबई बमब्लास्ट ! उस केस में भी सालों मुकदमे के बाद भी पुलिस-प्रशासन अदालत को संतुष्ट नहीं कर सका कि वह जिन्हें आतंकवादी या आतंकी षड्यंत्र का सफरमैना कह रहा है, उसमें सत्य व तथ्य हैं. वर्षों जेल में रहने के बाद एक-एक कर वे सभी निरीह लोग रिहा होते गए जिनका जीवन बर्बाद हो चुका था. क्या ये सब निर्दोष थे ? कौन कहे ? पुलिस ने किसी को ऐसा कहने लायक़ नहीं छोड़ा ! लेकिन यह बात दिन के उजाले की तरह साफ है कि पुलिस की अपनी भूमिका पर अदालत को गहरा संदेह है.

हैदराबाद का 2019 का वह मामला याद कीजिए जब वहां की पुलिस ने 4 लोगों का दिन-दहाड़े एंकाउंटर किया था और कारण यह बताया था कि ये अपराधी पुलिस से उसका हथियार छीन कर, उस पर हमला करने की कोशिश में थे. पुलिस ने बड़ी वाहवाही लूटी कि उसने ऐसे दुर्दांत अपराधियों का काम तमाम कर दिया. बाद में इस कहानी के दूसरे पन्ने खुले और खुलते चले गए. आखिरी पन्ना यह कहता है कि जिस तरह इन 4 अपराधियों का काम तमाम किया गया, उसे पुलिसिया गुंडागर्दी कहना चाहिए. आंध्रप्रदेश हाईकोर्ट की यह टिप्पणी किसी भी पुलिस संगठन को सर उठा कर चलने देगी क्या जिसमें वह कहती है कि पुलिस वर्दीधारी गुंडों की जमात है ?

हैदराबाद का 2019 का वह मामला याद कीजिए जब वहां की पुलिस ने 4 लोगों का दिन-दहाड़े एंकाउंटर किया था और कारण यह बताया था कि ये अपराधी पुलिस से उसका हथियार छीन कर, उस पर हमला करने की कोशिश में थे. पुलिस ने बड़ी वाहवाही लूटी कि उसने ऐसे दुर्दांत अपराधियों का काम तमाम कर दिया. बाद में इस कहानी के दूसरे पन्ने खुले और खुलते चले गए. आखिरी पन्ना यह कहता है कि जिस तरह इन 4 अपराधियों का काम तमाम किया गया, उसे पुलिसिया गुंडागर्दी कहना चाहिए. आंध्रप्रदेश हाईकोर्ट की यह टिप्पणी किसी भी पुलिस संगठन को सर उठा कर चलने देगी क्या जिसमें वह कहती है कि पुलिस वर्दीधारी गुंडों की जमात है ?

ऐसा जाली मुकाबला सरकार व नागरिकों के बीच, संविधान व उसकी बनाई एजेंसियों के बीच भी इन दिनों ख़ूब चल रहा है. एसआईआर इसका सबसे ख़तरनाक उदाहरण है. संविधान को बाजू कर, जब आप निहत्थे नागरिकों को घेर कर, उनका तमाम कर देते हो तब इसे लोकतंत्र का एंकाउंटर कहते हैं. आप देखिए कि यहां बंदूक़ चुनाव आयोग के हाथ में है, ट्रिगर पर अंगुली सत्ताधारियों की है और संविधान न्यायपालिका के काले लबादे की जेब में धरा घुट रहा है.

संविधान या ऐसे तमाम दस्तावेजों की एक दिक्कत है — उनके शब्द और उनके हेतु के बीच एक खाई है. शब्द व अर्थ के बीच ऐसी खाई हर जगह है और यह एकदम स्वाभाविक भी है, क्योंकि शब्द हमेशा बेजान होते हैं. शब्द जो कहना चाहते हैं, वे तभी पूरी तरह कह पाते हैं जब कोई उन शब्दों को आचरण में उतारता है. शब्द आचरण में उतरते ही बला के शक्तिवान हो उठते हैं. लेकिन जब आप शब्दों को आचरण से दूर कर देते हैं तो वे बेजान व अर्थहीन हो जाते हैं. मसलन, संविधान ने कहा कि पुलिस अपराधी को पकड़कर अदालत के सामने खड़ा करे, यही उसका काम है. न आगे, न पीछे. अब पुलिस भी जानती है और हम भी जानते हैं कि अपराधी हाथ बांध कर तो सामने आएगा नहीं कि लो पुलिस भाई, हम यहां खड़े हैं, आओ और अपनी संवैधानिक जिम्मेवारी पूरी कर लो ! वह भागेगा, धोखा देगा, धमकी देगा, कभी हमला भी कर सकता है लेकिन पुलिस को अपनी संवैधानिक भूमिका यदि याद है, तो वह ऐसी तमाम कोशिशें को नाकाम करते हुए, बगैर उत्तेजित होते हुए उसे घेरती रहेगी, बांधती-साधती, निरुपाय करती रहेगी. चूहा-बिल्ली का यह खेल लंबा नहीं चल सकता है, क्योंकि अपराधी या आतंकी हमेशा कमजोर पिच पर खेलता होता है व उसका बल्ला भी खोखला होता है. नियमतः: चलने वाली पुलिस के पीछे सारा देश, पूरे-का-पूरा संविधान खड़ा होता है. तो अंततः वह अपराधी टूटेगा ही. इधर वह टूटा, उधर पुलिस को अपना काम पूरा करने का मौका मिला. इसमें जितना वक्त लगेगा, पुलिस को जितना धैर्य रखना पड़ेगा, वह संविधान के पालन की कीमत है. लोकतंत्र की यह कम-से-कम क़ीमत है जिसे सबको अदा करनी चाहिए. पुलिस अपनी विफलता, भ्रष्ट आचरण, अपने ऊपर के अधिकारियों के अहं की तुष्टि याकि सत्ताधीशों के स्वार्थ को पूरा करने का औजार बन जाती है तब एंकाउंटर वाला रास्ता खुलता है.

वह स्वर्णाक्षरों में लिखी जाने वाली हिदायत याद रखें हम कि भले कई अपराधी छूट जाएं लेकिन एक निरपराध को सजा नहीं मिलनी चाहिए. यह हिदायत अपराधियों को नजरंदाज करने या उन्हें किसी तरह की छूट देने की बात नहीं करती है. यह बताना चाहती है कि अपराधी व निरपराधी के बीच एक अत्यंत पतली लकीर होती है जिसे कोई पार न कर जाए, इसकी सावधानी प्रशासन को, सरकार को रखनी ही चाहिए. ऐसा नहीं हुआ तो समाज एक ऐसे जंगल में बदल जाएगा जिसमें हर शक्तिवान अपने से कम शक्तिवान का शिकार खेलेगा. हम ऐसे जंगल में रहना चाहते हैं कि समाज में ? इसके जवाब में आप जो कहेंगे उससे निर्धारित होगा कि आप लोकतंत्र के नागरिक हैं या किसी के पोशीदा हेतु को पूरा करने के औजार ? 

(26.06.2026) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 June 2026

ભારતની સૌથી કિંમતી નિકાસ મરી–મસાલા કે સોફ્ટવેર નથી. એ ભારતને સમજીને મેળવેલી અને કેળવેલી સમજણ છે. ભારતીય ગ્રાહકને સમજવાની, માર્કેટની જરૂરિયાતો કળવાની અને તેના વર્તનને પારખવાની આવડત વૈશ્વિક કંપનીઓને નફો રળવામાં મદદ કરે છે.

ચિરંતના ભટ્ટ

ભારતના ટેક્નોલૉજીકલ વિકાસની વાત થાય ત્યારે એક મોટો ભેદ આંખે ઊડીને વળગે છે. આપણને આપણા કામ માટે વાહવાહી તો મળી જાય છે, પણ તેની અનિવાર્યતાને મામલે આપણે હજુ પાછળ છીએ. ભારતે એવી ટેક્નોલૉજી બનાવી, જેને દુનિયા વખાણે છે. પરંતુ હજી સુધી આપણે એવી ટેક્નોલૉજી કેમ નથી બનાવી શક્યા જેના વિના દુનિયાનું કામ અટકી જાય? આ સવાલનો જવાબ માત્ર આપણી ક્ષમતામાં નહીં, પરંતુ આપણી વિચારસરણી, સંસ્થાઓ અને ટેક્નોલૉજી પ્રત્યેના અભિગમમાં રહેલો છે.

પ્રશંસા અને અનિવાર્યતા, પહેલી નજરે બંને સરખાં લાગે, પરંતુ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. જે ટેક્નોલૉજીને વૈશ્વિક મંચો પર વખાણવામાં આવે છે તે પ્રશંસનીય હોય છે, પરંતુ કેટલીક ટેક્નોલૉજી એવી હોય છે કે તેની હાજરીનો અહેસાસ પણ થતો નથી. કારણ કે તે વિશ્વની વ્યવસ્થામાં એટલી ગૂંથાઈ ગઈ હોય છે કે એક દિવસ તે ખોરવાય તો માત્ર લોકોને તકલીફ ન પડે, આખું તંત્ર ખોરવાઈ જાય.

અત્યાર સુધી બનેલી પેમેન્ટ સિસ્ટમ્સમાંથી વિઝા શ્રેષ્ઠ છે એવું કંઈ નથી. GPSની શોધ પણ અમેરિકા બહેતર નકશા બનાવવા માગતું હતું એટલે થઈ નહોતી. છતાં આજે આ બંને વિશ્વની વ્યવસ્થાનો અભિન્ન ભાગ છે. કારણ માત્ર ટેક્નોલૉજીકલ શ્રેષ્ઠતા નહોતું. તેની પાછળ મોટું બજાર, જિઓપોલિટિકલ સમર્થન અને નેટવર્ક ઇફેક્ટની એવી સાંકળ હતી કે આખી દુનિયાએ પોતાની વ્યવસ્થા તેની આસપાસ ગોઠવી દીધી.

આપણે એક રાષ્ટ્ર તરીકે હજી એવી ટેક્નોલૉજી દુનિયાને આપી શક્યા નથી. આ નિષ્ફળતા નથી. આ એક અધૂરું વાક્ય છે. આગળની ‘ઇન્ડિયા સ્ટોરી’ આપણે હજી લખવાની બાકી છે.

કુણાલ શાહ

ચોખવટ કરું કે આપણે આ મુદ્દે કેમ વાત કરી રહ્યાં છીએ. કુણાલ શાહ, છેલ્લા અઠવાડિયામાં ભારે ચર્ચામાં રહેલું નામ. CREDના સ્થાપક અને ભારતીય ફિનટેક ક્ષેત્રના અલગ વિચારધારા ધરાવતા ઉદ્યોગસાહસિક તરીકે તેમની ઓળખ છે. તેમના વિશે થયેલી ચર્ચાએ ફરી એક સવાલ ઊભો કર્યો છે. ભારતીય ગ્રાહક પૈસા, વિશ્વાસ, રિસ્ક અને મહત્ત્વાકાંક્ષા વિશે કેવી રીતે વિચારે છે તેની ઊંડી સમજ ધરાવતી વ્યક્તિ ફરી એકવાર વૈશ્વિક ટેક્નોલૉજી કંપની માટે મૂલ્ય સર્જી રહી છે.

ભારતની સૌથી કિંમતી નિકાસ મરી-મસાલા કે સોફ્ટવેર નથી. એ ભારતને સમજીને મેળવેલી અને કેળવેલી સમજણ છે. ભારતીય ગ્રાહકને સમજવાની, માર્કેટની જરૂરિયાતો કળવાની અને તેના વર્તનને પારખવાની આવડત વૈશ્વિક કંપનીઓને નફો રળવામાં મદદ કરે છે. આપણી ટેક્નોલૉજીની વાર્તા શરૂ થાય એટલે ગૂગલ, માઇક્રોસોફ્ટ, IBM અને એડોબ જેવી વૈશ્વિક કંપનીઓના સુકાન ભારતીયોના હાથમાં હોવાનો ઉલ્લેખ અચૂક થાય. આ યાદી હવે એટલી લાંબી થઈ ગઈ છે કે તેમાં એક વધુ નામ ઉમેરાય તો ખાસ સમાચાર પણ રહેતા નથી. પરંતુ આ યાદીની સબટેક્સ્ટ વધારે મહત્ત્વની છે.

વૈશ્વિક ટેક્નોલૉજી ઉદ્યોગે ભારતીય બુદ્ધિ અને એન્જિનિયરિંગ પ્રતિભાને અસાધારણ મૂડી તરીકે ઓળખી લીધી છે અને તેને પોતાની વ્યવસ્થાનો અભિન્ન ભાગ બનાવી દીધી છે. ભારતીય મગજોએ પ્રોડક્ટ્સ બનાવી. પણ તેની વૈશ્વિક અસર, બજાર પરનો પ્રભાવ અને આર્થિક શક્તિ મોટાભાગે તે ઇકોસિસ્ટમના ભાગે ગઈ જ્યાં આ પ્રોડક્ટ્સ વિકસ્યાં.

આ વ્યક્તિગત સફળતાની ટીકા નથી. આ વૈશ્વિક વેલ્યુ ચેનમાં ભારત ક્યાં ઊભું રહ્યું છે તેનું નિરીક્ષણ છે. ખરો સવાલ એ નથી કે ભારત પાસે પ્રતિભા કે વિચારોની ખોટ છે. સવાલ એ છે કે જે વ્યક્તિ અમેરિકાની સિલિકોન વેલીમાં જઈને ટેક્નોલૉજીની દુનિયામાં ક્રાંતિ સર્જી શકે છે, તે જ વ્યક્તિ ભારતમાં ઘણીવાર નિયમો, મંજૂરીઓ, પ્રક્રિયાઓ અને સરકારી તંત્ર વચ્ચે કેમ અટવાઈ જાય છે?

આ સવાલનો જવાબ સરકારી નીતિઓમાં નથી મળવાનો. તે આપણા આખા તંત્રમાં વણાયેલો છે. અમેરિકાની સિલિકોન વેલી માત્ર હોશિયાર એન્જિનિયરોના આધારે ઊભી થઈ નથી. એવા એન્જિનિયરો તો ભારતમાં પણ દર વર્ષે હજારોની સંખ્યામાં તૈયાર થાય છે. ફરક એટલો છે કે અમેરિકાએ એવી વ્યવસ્થા ઊભી કરી જ્યાં મોટું સપનું જોવું અને તેને સાકાર કરવામાં જોખમ લેવું દેશના વિકાસનો ભાગ ગણાય છે. મૂડી, સંશોધન, યુનિવર્સિટીઓ અને સમાજ; ચારેય મળીને નવી કંપનીઓને આગળ ધપાવે છે.

બીજી તરફ ચીને જુદો માર્ગ અપનાવ્યો. રાજ્યએ નક્કી કર્યું કે દેશે કયા ક્ષેત્રોમાં આગળ વધવું છે અને ખાનગી મૂડીને પણ એ જ દિશામાં વાળી. Huawei, Alibaba અને ByteDance જેવી કંપનીઓ પાછળ માત્ર માર્કેટ નહોતું, રાષ્ટ્રીય વ્યૂહરચના પણ હતી.

ભારત બંનેમાંથી એકેય રસ્તે નથી ચાલ્યો. આપણી પાસે મોટા પાયે વિકસતા ખાનગી ઉદ્યોગો પ્રત્યે એક પ્રકારની સ્વભાવગત અસ્પષ્ટતા છે. નેહરુની વિચારધારાનો વારસો ઊંડો હતો અને તેમાં ઇરાદા પણ નેક હતા. પરંતુ તેની અસર એ પણ થઈ કે મોટા ખાનગી નફા પ્રત્યે શંકાની દૃષ્ટિ કેળવાતી ગઈ. કોઈ કંપની અસાધારણ સફળ થાય તો તેને પોતાની યોગ્યતા સતત સાબિત કરવાની ફરજ પડે છે. આ વિચારધારા માત્ર એક રાજકીય પક્ષ પૂરતી મર્યાદિત નથી, તે આપણી રાજકીય સંસ્કૃતિમાં ઊંડે સુધી વ્યાપેલી છે.

આનો અર્થ એમ નથી કે નિરંકુશ મૂડીવાદ જ એકમાત્ર રસ્તો છે. મુદ્દો સમયનો છે.

કોઈ ટેક્નોલૉજી વિશ્વ માટે અનિવાર્ય બની જાય તેવી તક ઘણી વખત બહુ ટૂંકા સમય માટે જ મળતી હોય છે. આ સમયમાં સૌથી મહત્ત્વની બાબત ઝડપ છે.

આપણું વહીવટી માળખું ઝડપ કરતાં સાવચેતીને વધુ પ્રાધાન્ય આપે છે.

ભારતમાં કોઈ વિચાર જન્મે અને તે માર્કેટમાં પહોંચે તે પહેલાં મંજૂરીઓ, નિયમન, વિવિધ મંત્રાલયોની પ્રક્રિયાઓ અને વર્ષોથી ચાલતી આવતી લાલફિતાશાહી એટલે કે રેડટેપ વચ્ચે વર્ષો પસાર થઈ જાય છે.

ઘણી વખત મંજૂરી મળે ત્યાં સુધી તકનો દરવાજો જ બંધ થઈ ચૂક્યો હોય છે.

અને કદાચ આ આખી વાતની સૌથી મોટી પીડા પણ એ જ છે.

જે ભારતીય એન્જિનિયર સિલિકોન વેલીના રિસ્ક ઉઠાવતા અને મોટા પાયે વિચારતા ઇકોસિસ્ટમમાં સફળતા મેળવે છે, અબજો લોકો ઉપયોગ કરે એવી પ્રોડક્ટ્સ બનાવે છે, કરોડો-અબજો ડૉલરનું રોકાણ આકર્ષે છે અને સમગ્ર ઉદ્યોગોને બદલી નાખે છે, તે જ વ્યક્તિ જ્યારે ભારતમાં પરત ફરે છે ત્યારે ઘણી વખત એ જ મહત્ત્વાકાંક્ષા તેના માટે શંકાનું કારણ બની જાય છે.

ભારતીય પ્રતિભા બદલાતી નથી. બદલાય છે તેની આસપાસનું વાતાવરણ.

એક જ વ્યક્તિમાંથી અલગ-અલગ ઇકોસિસ્ટમ અલગ-અલગ પરિણામો બહાર લાવે છે. અમેરિકા પૂછે છે, ”તમે કેટલા મોટા બની શકો છો?”

ભારત ઘણી વખત પૂછે છે, “તમે સાવચેતી રાખીને કેટલા આગળ વધી શકશો?

બંને સવાલ સરખા નથી.” (રિસ્ક હૈ તો ઈશ્ક હૈ, હર્ષદ મહેતાની સિરીઝનો ડાયલૉગ છે એનો અર્થ એમ નહીં તે આપણી સર્વવ્યાપી માનસિકતા પણ છે.)

અને એટલે જ બંને દેશોમાં ઊભી થતી કંપનીઓ પણ એકસરખી નથી.

જો કે આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ અગત્યની છે. આપણે હોહા કર્યા વિના, જેટલી પ્રશંસા મળવી જોઈએ એટલી મળ્યા વિના, એવું કંઈક ઘડ્યું છે જે ન તો સિલિકોન વેલી કરી શકી કે ન શેનઝેન. કારણ કે આપણે તેમની કરતાં અલગ સમસ્યા ઉકેલવા નીકળ્યા હતા. સિલિકોન વેલીનો સવાલ હતો કે, “આખી દુનિયામાં વિસ્તરે એવી કંપની કેવી રીતે ઊભી કરવી?” બેઇજિંગનો સવાલ હતો, “ટેક્નોલૉજીના ક્ષેત્રે આત્મનિર્ભરતા કેવી રીતે મેળવવી?”

ભારતે ત્રીજો સવાલ પૂછ્યો, “એક અબજથી વધુ લોકોને એવી ડિજિટલ જાહેર વ્યવસ્થા કેવી રીતે આપવી જેમાં તેમની ઓળખ, તેમનો ડેટા અને તેમનું આર્થિક જીવન ગણતરીના ખાનગી પ્લેટફોર્મ્સના હાથમાં ન જાય?”

આધાર, UPI, India Stack અને ONDC માત્ર પ્રોડક્ટ્સ નથી. તે આ સવાલના જવાબો છે.

અને ભારતે જે જવાબ શોધ્યો, તે વિશ્વની અગ્રણી ટેક્નોલૉજી શક્તિઓએ અપનાવેલા મોડેલથી મૂળભૂત રીતે અલગ છે. UPIને તેના પોતાના સંદર્ભમાં સમજવાની જરૂર છે. તે વિઝા સામે સ્પર્ધા કરતી કંપની નથી. તે જાહેર ડિજિટલ માળખું છે, એવી વ્યવસ્થા જેના પર ખાનગી કંપનીઓ સ્પર્ધા કરી શકે છે, પરંતુ જેના મૂળભૂત માળખા પર કોઈ એક કંપનીની માલિકી નથી.

એટલા માટે જ હવે વિશ્વના અનેક દેશો ભારતના આ મોડેલમાં ગંભીર રસ દાખવી રહ્યા છે. સૌથી મહત્ત્વનો વિકાસ ત્યારે થયો જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોતાના રિયલ-ટાઇમ પેમેન્ટ પ્લેટફોર્મને UPI સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો. આ માત્ર પ્રવાસીઓની સગવડ માટેની વ્યવસ્થા નથી. યુરોપ પ્રથમ વખત ભારતીય પેમેન્ટ આર્કિટેક્ચરને વૈશ્વિક નાણાકીય માળખાના ભાગ તરીકે જોવાનું શરૂ કરી રહ્યું છે. આ માત્ર પ્રશંસા નથી. આ સ્વીકાર છે.

અને કદાચ અનિવાર્યતા તરફનું પહેલું પગલું પણ. પણ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી.

અહીં ઇતિહાસ આપણને એક અગત્યનો પાઠ શીખવે છે. 2022માં જ્યારે રશિયાને SWIFTમાંથી બહાર કરવામાં આવ્યું, ત્યારે તે માત્ર બેન્કિંગનો નિર્ણય નહોતો. તે દુનિયાની નાણાકીય વ્યવસ્થાના માળખામાં રહેલી ભૂરાજકીય શક્તિનું પ્રદર્શન હતું. પાંચ દાયકાથી ઊભી થયેલી નિર્ભરતાએ એક જ નિર્ણયને વૈશ્વિક અસર આપવાની તાકાત આપી.

GPSની વાત પણ કંઈક એવી જ છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે વિકસાવેલી આ ટેક્નોલૉજી આજે એવા સ્તરે પહોંચી છે કે અમેરિકાની નીતિઓ સાથે અસહમત દેશો પણ પોતાના પ્રદેશમાં રસ્તો શોધવા અમેરિકાના સેટેલાઇટ્સ પર આધાર રાખે છે.

આ બંને ઉદાહરણો એક જ વાત કહે છે. કોઈ ટેક્નોલૉજી માત્ર સારી હોવાથી અનિવાર્ય બનતી નથી. તે અનિવાર્ય બને છે જ્યારે વર્ષો સુધી તેને આંતરરાષ્ટ્રીય ધોરણો, વેપાર કરારો, સરકારી વ્યવસ્થાઓ અને લોકોના રોજિંદા જીવન સાથે સાંકળી દેવામાં આવે. ટેક્નોલૉજી જેટલું જ આ કામ રાજદ્વારી અને વ્યૂહરચનાનું પણ છે.

ભારતે અત્યાર સુધી ઘણી ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. દુનિયાએ તેની નોંધ લીધી છે. તેનો અભ્યાસ પણ કર્યો છે. પણ દુનિયા હજી તેના પર નિર્ભર થઈ નથી. UPIના વધતા વૈશ્વિક સ્વીકારથી પ્રથમ વખત એવું લાગે છે કે ભારત પોતાની ટેક્નોલૉજીને ભૂરાજકીય સાધન તરીકે પણ જોવાનું શરૂ કરી રહ્યું છે. જો આ દિશા સતત આગળ વધે, તો ભારત ડિજિટલ ગ્લોબલ સાઉથ માટે માત્ર બજાર નહીં, પરંતુ મૂળભૂત માળખું પણ બની શકે છે. 

પરંતુ આખરે સવાલ ફરી ત્યાં જ આવીને ઊભો રહે છે. શું આપણે આપણા જ સપનાઓ પર એટલો વિશ્વાસ રાખી શકીશું કે દુનિયા જેને માત્ર વખાણે નહીં, પરંતુ જેના વિના ચાલે પણ નહીં એવી ટેક્નોલૉજી અહીંથી ઊભી કરી શકીએ? કારણ કે ઇતિહાસ દેશોને તેમની શોધ માટે નહીં, પરંતુ દુનિયા જેને છોડવાની હિંમત ન કરી શકે એવી શોધ માટે યાદ રાખે છે. દુનિયા એવી ટેક્નોલૉજી પર નથી ચાલતી જેને તે માન આપે છે. દુનિયા એવી ટેક્નોલૉજી પર ચાલે છે, જેના વિના તે ચાલી ન શકે.

બાય ધ વેઃ

બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝ? એક સમય હતો જ્યારે આપણે ‘બ્રેઇન ડ્રેઇન’ની ચિંતા કરતા હતા. આજે કદાચ વાત ‘બ્રેઇન લીઝ’ની છે. ભારતીય પ્રતિભા દેશ છોડે કે ન છોડે, તેની સૌથી મોટી આર્થિક અને વ્યૂહાત્મક કિંમત ઘણીવાર બીજી કંપનીઓ અને બીજા દેશો વસૂલતા હોય છે. દર વર્ષે આપણે સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન્સ અને ફંડિંગની ઉજવણી કરીએ છીએ. પરંતુ કદાચ હવે એક નવો સવાલ પૂછવાનો સમય આવી ગયો છે. આપણે યુનિકોર્ન બનાવી રહ્યા છીએ કે યુનિકોર્ન માટે માણસો? અને સૌથી અગત્યનો સવાલ … આવતીકાલે ભારતની કઈ ટેક્નોલૉજી બંધ થાય તો આખી દુનિયાનું કામ અટકી જશે? ટૂંકમાં આપણને આપણી આવડતોની કિંમત થશે તો આગળ વધવામાં પાછા નહી પડીએ. ઘર કી મુર્ગી દાલ બરાબરના માનસિકતા આપણને નડી ન જાય તે આપણી જવાબદારી છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જૂન 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—347

દીપક મહેતા|Opinion - Opinion|27 June 2026

સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!

અમે જૂના નકશાને ઉઘાડ્યા, ઉછીની વાત માગી

કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!

અમે ટાઈમ ટેબલની કોરે, શોધ્યું ટ્રેનોની દોરે,

કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!

અમે ગોત્યું AIની પાંખે, ને ગૂગલની આંખે, 

કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!

અમે શોધ્યું કિતાબની કોરે, ને નેટને હિંડોળે, 

કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!

અમે ગોત્યું કંઈ છાપાંની વાટે ચોપાનિયાંને ઘાટે ,

કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!

અમે જોઈ વળ્યા દિશ દિશની બારી, મુંબઈની અટારી, 

કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું ને ક્યાં ય ના જડ્યું!

સૌથી પહેલાં તો આપણા મોટા ગજાના કવિ ઉમાશંકર જોશીની માફી માગી લઈએ. જો કે તેમણે જ કહ્યું છે કે ‘નિશીથ હે નર્તક રુદ્રરમ્ય’ કાવ્યનો લય તેમને મુંબઈની લોકલ ટ્રેનના લયમાંથી મળ્યો હતો. એટલે ઉમાશંકરની કવિતાને મુંબઈની લોકલ ટ્રેન સાથે ભલે દૂરનું, પણ સગપણ તો ખરું. તો બીજી બાજુ આપણી મુશ્કેલી વધુ છે. કવિએ તો એક ગીત ગોતવાનું હતું. આપણે ગોતવાનું છે ખોવાયેલું રેલવે સ્ટેશન. કહે છે કે બિહારમાં આખેઆખા પુલ ચોરાઈ જાય છે. પણ મુંબઈનું આ રેલવે સ્ટેશન કાંઈ ચોરાયું નથી. તો?

વાત જાણે એમ છે કે સૌથી પહેલાં બી.બી.સી.આઈ. રેલવેનું ટર્મિનસ હતું ગ્રાન્ટ રોડ. લોકલ અને બહારગામની ટ્રેનો ત્યાંથી શરૂ થાય, ત્યાં જ પૂરી થાય. પછી ૧૮૬૯ના સપ્ટેમ્બરની ૧૨મી તારીખે તૈયાર થયું ચર્ની રોડ સ્ટેશન. ૧૮૮૭માં પ્રગટ થયેલ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાં કથાનાયક નવીનચંદ્ર ગૃહત્યાગ કરે છે ત્યારે તેની અંગત ઘોડા ગાડી ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવે છે. એ જ વરસે મોટા ગજાના બીજા એક નવલકથાકાર કનૈયાલાલ મુનશીનો ભરૂચમાં જન્મ થાય છે, ડિસેમ્બરની ૩૦મી તારીખે. પણ મુનશીની કર્મભૂમિ તો મુંબઈ. એલ.એલ.બી.નો અભ્યાસ કરવા માટે ૧૯૦૭ના જૂન મહિનાના કોઈ એક દિવસે મુનશી મુંબઈ આવે છે ત્યારે એ જ ચર્નીરોડ સ્ટેશન પર ઊતરે છે. સ્ટેશનની બહાર લાઈન બંધ ઘોડા ગાડીઓ ઊભી છે. પણ ગાડી ભાડું પોસાય તેમ નહોતું, એટલે મજૂરને માથે પેટી ચડાવીને ચાલતા ચાલતા પીપલ વાડીમાં મામાને ઘરે પહોંચે છે. એટલે કે આપણા બે મોટા ગજાના નવલકથાકારોને ચર્ની રોડ સ્ટેશન સાથે ઘરોબો.

કોલાબા રેલવે સ્ટેશન

પછી આવ્યું મરીન લાઈન્સ સ્ટેશન, અને ૧૮૭૦ના જાન્યુઆરીની ૧૦મી તારીખે શરૂ થયું ચર્ચગેટ સ્ટેશન. આ ત્રણે સ્ટેશન બંધાયાં ત્યારે લગભગ દરિયાને અડીને આવેલાં. આજે પણ ત્રણે સ્ટેશન તો હતા ત્યાંનાં ત્યાં જ છે. પણ દરિયો ખસતો ખસતો આઘો ગયો છે. તે વખતની બી.બી.સી.આઈ. રેલવેની લોકલ અને બહાર ગામની બધી ટ્રેનો માટેનું ટર્મિનસ બન્યું આ ચર્ચગેટ. પણ પછી બી.બી.સી.આઈ. રેલવે આગળ વધી. ૧૮૭૩ના ઓક્ટોબરની પહેલી તારીખે શરૂ થયું કોલાબા સ્ટેશન. એ બંધાયું એ જગ્યા હતી સરકારની માલિકીની. એટલે સરકારે રેલવે કંપનીને કહેલું કે અહીં સ્ટેશન ભલે બાંધો, પણ અમે માગીએ ત્યારે જમીન પાછી આપવી પડશે. એટલે પહેલું સ્ટેશન કંપનીએ બાંધ્યું તે હતું લાકડાનું. એક તો ખરચ ઓછો, અને બીજી બાજુ સરકાર મા-બાપ કહે ત્યારે સહેલાઈથી તોડીને જમીન પાછી આપી દેવાય. થોડાં વરસ પછી એ લાકડિયા સ્ટેશનથી થોડે દૂર, પથ્થરનું, એ જમાનામાં આલીશાન કહી શકાય એવું નવું સ્ટેશન બંધાયું. એ શરૂ થયું ૧૮૯૬માં. આ સ્ટેશન બાંધવાના ખર્ચ પેટે સરકાર માબાપે બી.બી.સી.આઈ. રેલવેને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. અને મુંબઈના છેક છેવાડાના દક્ષિણ ખૂણે આવેલું આ સ્ટેશન બન્યું બી.બી.સી.આઈ. રેલવેનું ટર્મિનસ. એમાં હતાં ત્રણ લાંબા પ્લેટફોર્મ. સ્ટેશનના મકાનનો બહારનો ભાગ પથ્થરનો બનેલો હતો.  બાજુમાં ‘કલોક ટાવર’ જેવો એક મિનારો હતો. લોખંડની કોતરકામવાંળી જાળીથી શોભતો એક પુલ પણ હતો. અને આખા સ્ટેશનમાં ગેસના દીવાથી રોશનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચર્ચગેટ અને કોલાબા વચ્ચે બીજું એક્કે સ્ટેશન નહિ. અને ત્યાં સુધીના પાટા પણ દરિયા કિનારાને અડીને. બી.બી.સી.આઈ.ની બધી લોકલ અને બહારગામની ટ્રેનો કોલાબાથી શરૂ થાય, કોલાબા પૂરી થાય. 

આજની ભાષામાં વાત કરીએ તો ચર્ચગેટથી ઊપડેલી ટ્રેન ઓવલ મેદાનની પશ્ચિમ ધાર આગળથી પસાર થતી, અને પછી જે વિસ્તાર બેક-બે રેક્લમેશન બન્યો ત્યાંથી પસાર થતી.  બેક-બે રેકલમેશન, નરીમાન પોઈન્ટ, કફ પરેડ જેવા વિસ્તારોમાંથી પસાર થઈ છેવટે કોલાબા સ્ટેશને પહોંચતી. આજે જ્યાં એક્સપ્રેસ ટાવર, એર ઇન્ડિયા બિલ્ડિંગ (જે હવે મહારાષ્ટ્ર સરકારે ખરીદી લીધું છે), મરીન ડ્રાઈવનો દક્ષિણ છેડો, અને નરીમાન પોઈન્ટ આવેલાં છે તેની પાસેથી પસાર થઈ કોલાબા પહોંચતી. એટલે કે ચર્ની રોડથી કોલાબા સ્ટેશન સુધીની રેલવે લાઈન લગભગ દરિયાને અડીને આવેલી હતી. ચર્ચગેટથી ટ્રેન દક્ષિણ દિશામાં  કોલાબા તરફ આગળ વધે એટલે તરત પહેલાં ચર્ચગેટનું ફાટક આવતું. કોલાબાનું સ્ટેશન આવેલું હતું આજે જ્યાં બધવાર પાર્કની ઇમારત ઊભી છે ત્યાં. કેટલાક તેનો ઉચ્ચાર ‘બુધવાર’ પાર્ક કરે છે. પણ હકીકતમાં આ નામ પડ્યું છે ઇન્ડિયન રેલવે બોર્ડના પહેલા હિન્દી ચેરમેન ફતેહચંદ બધવારના માનમાં. એટલે કે હજી આજે પણ થોડીક જગ્યા રેલવેના કબજા હેઠળ છે. એ ઉપરાંત આજની જી.ડી. સોમાણી સ્કૂલ અને ઇલેક્ટ્રિક હાઉસની જગ્યાનો ઘણો ભાગ પણ આ સ્ટેશને રોકી લીધો હતો. 

વોડહાઉસ બ્રિજ પરથી એક બાજુ દેખાતું કોલાબા સ્ટેશન, બીજી બાજુ દેખાતો દરિયો 

એ જમાનાની નજરે જોઈએ તો કોલાબાનું સ્ટેશન ભવ્ય ગણાય. મુસાફરો માટે મોટો હોલ, હારબંધ ઘોડા ગાડી અને રડીખડી મોટરો માટે પાર્કિંગની વિશાળ જગ્યા. ત્રણ મોટાં પ્લેટફોર્મ. સ્ટીમ એન્જિનની જાળવણી અને મરામત માટેની સગવડો. કોલાબા સ્ટેશનથી પહેલાં, થોડે દૂર એક બ્રિજ પણ હતો, વોડહાઉસ બ્રિજ. સર ફિલિપ એડમન્ડ વોડહાઉસ (૧૮૧૧-૧૮૮૭) હતા મુંબઈના ગવર્નર, ૧૮૭૨થી ૧૮૭૭ સુધી. એ બ્રિજ સાથે જોડાયેલો રસ્તો પણ તેમના જ નામે ઓળખાતો. એ રસ્તાનું આજનું નામ છે નાથાલાલ પારેખ માર્ગ. આજે એક હકીકત લગભગ ભૂલાઈ ગઈ છે: ૧૯૨૮માં બી.બી.સી.આઈ. રેલવેએ પહેલવેલી ઇલેક્ટ્રિક લોકલ ટ્રેન દોડાવી તે કોલાબાથી બોરીવલી વચ્ચે દોડી હતી, ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે નહિ. 

સર ફિલિપ એડમન્ડ વોડહાઉસ, મુંબઈના ગવર્નર, ૧૮૭૨–૧૮૭૭

ચર્ચગેટથી કોલાબા – ટ્રેન ટ્રેકનો નકશો 

બોમ્બે સેન્ટ્રલ, ૧૯૩૦માં બંધાયું ત્યારે 

પણ પછી મુંબઈના સત્તાવાળાઓને થયું કે શહેરનો વિસ્તાર વધારવાની જરૂર છે. એટલે ૧૯૨૦ના દાયકામાં મોટે પાયે રેકલમેશનનું કામ શરૂ થયું. ત્યારે સરકારને લાગ્યું કે ચર્ચગેટ અને કોલાબા વચ્ચેની રેલવે લાઈન અને કોલાબા સ્ટેશન રેકલમેશનના કામમાં આડે આવે છે. અને બી.બી.સી.આઈ. રેલવેને જગ્યા લીઝ પર આપતી વખતે દસ્તાવેજમાં મૂકેલી એક શરતનો લાભ લેવાનું સરકારે નક્કી કર્યું. એ શરત હતી કે જો ક્યારે ય સરકારને એ જમીનની જરૂર પડે તો રેલવે કંપનીએ ચર્ચગેટ અને કોલાબા સ્ટેશનો વચ્ચેની બધી જમીન પાછી આપી દેવી. એટલે કે કોલાબા સ્ટેશનના જન્માક્ષરમાં જ તેના મૃત્યુનું કારણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું! રેલવે કંપનીએ બને તેટલું મોડું કરવાના પ્રયત્નો કર્યા. પણ હવે નવું ટર્મિનસ બાંધ્યા વગર છૂટકો નહોતો. એટલે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું. અને ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે તે વખતના મુંબઈના ગવર્નર સર ફ્રેડરિક હ્યુઝ સ્કાઈસને હાથે તેનું ઉદ્ઘાટન થયું. જ્યારે બંધાયું ત્યારે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન બહુ વિશાળ લાગતું હતું. પણ પછી બહારગામની ટ્રેનો વધતી ચાલી તેમ તે નાનું પડવા લાગ્યું. એટલે દાદર અને વાંદરાને પણ વધારાનાં ટર્મિનસ તરીકે વિકસાવવામાં આવ્યાં. બોમ્બે સેન્ટ્રલના ઉદ્ઘાટન પછી લગભગ તરત, ૧૯૩૦ના ડિસેમ્બરની ૩૧મી તારીખથી કોલાબા સ્ટેશન હંમેશ માટે ખોવાઈ ગયું. ચર્ચગેટ અને કોલાબા વચ્ચેના પાટા પણ તાબડતોબ ઉખેડી નાખવામાં આવ્યા. આજે એ લાઈનનો એકાદ ખીલો પણ ક્યાં ય જડે તેમ નથી. એવી જ રીતે કોલાબા સ્ટેશનની એકાદ ઈંટ પણ સચવાઈ નથી. હા, બધવાર પાર્કની દીવાલ પર ટ્રેનનાં કેટલાંક ચિત્રો દોરેલા છે. ૨૦૦૮માં આ બધવાર પાર્ક રાતોરાત ઘણું નામચીન બની ગયું હતું. એ વરસના નવેમ્બરની ૨૬મી તારીખે અજમલ કસાબ અને બીજા આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. બધવાર પાર્ક પાસે એ દસ આતંકવાદીઓ મોડી સાંજે હોડીમાંથી ઊતર્યા હતા અને પછી મુંબઈની જુદી જુદી મહત્ત્વની જગ્યાઓ પર પહોંચી ગયા હતા. 

ચાલો! તો છેવટે ખાધું, પીધું, ને તારાજ કર્યું? ના, ના. હજી બીજા એક ખોવાયેલા સ્ટેશનને પણ ગોતવાનું છે. પણ એ કામ હવે આવતે શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 જૂન 2026

Loading

...1020...28293031...405060...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved