Opinion Magazine
Number of visits: 10080375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|29 April 2026

ઠેર રસ્તામાં સફર થઈ ગઈ,
મોજડી આ ઠેસભર રહી ગઈ.

શખ્સ શબપેટી થઈ ગયો ને,
વાંઝણી એની કબર રહી ગઈ.

આ ક્ષણોના ડંખ ડામવામાં,
ઝેરની કાતિલ અસર રહી ગઈ.

લ્યો ફળ્યું તકદીર ટાઢનું એમ,
કામળી ઓઢ્યા વગર રહી ગઈ.

ને  જનારા તો જતા રહ્યાં પણ,
મર્મભેદી રહગુજર  રહી ગઈ.

28.4.26
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

जब कैमरा बोला करता था … 

कुमार प्रशांत|Opinion - Opinion|29 April 2026

कुमार प्रशांत

26 अप्रैल 2026 को जब रघु राय ने अपने कैमरे का शटर दबाया होगा, तब उन्हें इल्म हुआ होगा कि उनका कैमरा बंद हो गया है. अब वह न कभी खुलेगा, न कभी बोलेगा !

उनका कैमरा बोलता था. रघु राय के कैमरे में व दूसरों के कैमरे में यही फर्क था. दूसरों का कैमरा बोलता नहीं था, देखता था; रघु राय का कैमरा गूंगा होने को तैयार नहीं था. वह बोलता था. महान कनाडियन कैमराकार यूसुफ कार्श का कैमरा नहीं बोलता था, उनके पोट्रेट बोलते थे. उनके पोट्रेट के पात्रों की आंतरिक विशेषताओं को उनका कैमरा जैसे छू लेता था. वह कहता कुछ नहीं था, हमारे सामने उस व्यक्ति को खड़ा कर देता था.

मैंने ऐसा ही कुछ पहली बार पटना की उस मित्र-मंडली में कहा था जिसमें रघु राय भी मौजूद थे. चेहरे पर सदा खिली रहने वाली आत्मीय मुस्कान के साथ वे मुझे सुन रहे थे : रघु राय के फोटोग्राफ्स बोलते हैं इसलिए हमें उनके पास ठहरना पड़ता है ताकि उन्हें सुन सकें; रघु राय के फोटोग्राफ्स दौड़ते हैं इसलिए हमें उनके साथ तेज दौड़ लगानी पड़ती है ताकि कहीं पीछे न छूट जाएं ! मुझे कई बार लगा है कि उनके फोटोग्राफ्स की एक श्रृंखला देखते-देखते सांस फूलने लगती है.

रघु राय

मैं आज कहना चाहता हूं कि रघु राय हमारे दौर के सबसे तेज रफ्तार कैमराकार थे जो गति, शब्द व चित्र, तीनों का अप्रतिम संतुलन साध पाते थे. मैं यह आज इसलिए कहना चाहता हूं, क्योंकि रघु राय अब नहीं हैं. अब वह आंख नहीं है जो कैमरे से जुड़ कर वह संसार उजागर कर जाती थी जिसे देखते हुए भी हम देख नहीं पाते थे. उनकी आंखों में कैमरा लगा था और उस कैमरे में महाभारतवाले संजय की आंख लगी थी. कई लोग कहते रहे, उनकी विदाई-लेखों में भी लिखा जा रहा है कि वे आलादर्जे के न्यूज-फोटोग्राफर थे. रघु राय के परिचय में जब ऐसा कहा जाता है तब मुझे ऐसा प्रतीत होता है जैसे कोई जवाहरलाल नेहरू के परिचय में कहे कि वे भारत के पहले प्रधानमंत्री थे. यह परिचय सच है लेकिन जवाहरलालजी का इससे बौना परिचय दूसरा हो नहीं सकता है. वे बहुत कुछ और भी थे जिसके साथ भारत के प्रधानमंत्री भी थे. रघु राय बहुत कुछ और भी थे जिसके साथ न्यूज-फोटोग्राफर भी थे.

हम बहुत कम समय तक एक-दूसरे को जानते रहे. फिर एकदम अलग हो गए. फिर इधर के दिनों में, जब मैं दिल्ली आया तो फिर कुछ मिलना हुआ. इसलिए निजता का मेरा कोई दावा नहीं है. लेकिन 1974 से जो शुरू हुई, वह सौहार्दपूर्ण पहचान बनी रही. मैंने उनसे भी कहा था और आज भी उसे दोहराता हूं कि रघु राय के कैमरे को 1974-77 के दौर में वह संस्कार मिला जिसने उन्हें फोटोग्राफर से कहीं आगे खड़ा कर दिया. अपना कैमरा ले कर जब रघु राय जयप्रकाश नारायण व उनके आंदोलन के क़रीब पहुंचे तब उन्हें भी अंदाजा नहीं था कि उनका कैमरा यहां से अपना चरित्र बदलने वाला है. मुझे पता नहीं है कि रघु राय 1974 से पहले जयप्रकाश से परिचित थे य़ा नहीं. कभी पूछा नहीं, कभी `ऐसी बात निकली नहीं. लेकिन सिताबदियारा की वह रात मुझे खूब याद है जब दिन भर की तूफानी सभाओं व सार्वजनिक जयकारों-हाहाकारों से निकल कर हम देर शाम जयप्रकाश के पैतृक गांव सिताबदियारा पहुंचे थे.

अपना वह गांव और अपना वह खपड़ैल मकान जयप्रकाश को बहुत प्यारा था. उसकी उष्मा में वे विभोर हो कर रहते थे – चाहे जितना रह सकें !  उस शाम बेहद थके होने के बाद भी वे वैसे ही मगन-मन थे. वहां जगह भी कम थी, सुविधाएं तो और भी कम; और उसमें औचक आ पहुंचे 10-15 शहरी मेहमान ! सबकी व्यवस्था थी. सबको उनकी जगह पहुंचा कर, खाना आदि करवा कर थोड़ी राहत मिली. जयप्रकाश भी थकान आदि से निबट कर थोड़े स्थिर हुए तो सब मेहमानों की व्यवस्था आदि की जानकारी ली. बिस्तर, मच्छरदानी, पीने का पानी, बाथरूम सब पूछा : ‘इनमें से कुछ होंगे जिन्हें सोने से पहले चाय-कॉपी की जरूरत होती होगी. वह सब पूछा न ?’ पूछा तो था लेकिन बहुत आग्रह से नहीं, इसलिए जवाब में थोड़ा संशय था…रात भी ज्यादा हो रही है, सोने वाले सो भी गए होंगे… व्यवस्थापकों का जवाब पूरा भी नहीं हुआ था कि जयप्रकाश बिस्तर से नीचे उतरे और बोले : ‘ चले, जरा देख लूं !’

मेहमानों में संकोच भरी खलबली हुई. इतनी रात गए, थके जयप्रकाश एक-एक के बिस्तरे तक पहुंचे, बड़ी आत्मीयता से जो पूछना-बताना था, वह सब किया- यहां सुविधाएं कम हैं, परेशानी होगी आपको, सुबह कितने बजे उठते हैं, नहाने का गर्म पानी यहां मिल जाएगा, चाय कितने बजे लेंगे, चाय के साथ क्या लेंगे… मैं देख रहा था कि रघु राय सिकुड़ते जा रहे थे. जिसके पीछे कैमरा ले कर वे सुबह से भाग रहे थे, वह अब उनके कैमरे की जद से बाहर, उनके सामने खड़ा था, और उन्हें अपने कैमरे में बंद कर रहा था.

“आपने रोका क्यों नहीं… दिन भर मैंने इस बूढ़े आदमी को जवानों को मात देने वाली एनर्जी से काम करते देखा है… अब हमारी बेहूदा-सी जरूरतों की चिंता में…”रघु राय को सूझ नहीं रहा था कि वे कैसे, क्या कहें… शब्द बता नहीं पा रहे थे कि वे कैसा महसूस कर रहे थे… फिर हम देर रात तक सिताबदियारा के कच्चे रास्तों पर हल्के कदमों व दबी आवाज में बात करते घूमते रहे … वे एक इवेंट कवर करने आए थे, और यहां मिला उन्हें एक ऐसा व्यक्ति जो इतिहास समेटता हुआ, इतिहास बदल रहा था… आप देखिए न, न यह कैमरा मेरा बनाया है, न मेरे कैमरे के सामने जो घट रहा है वह मेरा रचा है… सब मुझे बना-बनाया मिला है. मैं कर तो इतना ही रहा हूं न कि शटर दबा रहा हूं… रघु राय कुछ और कहते कि मैंने टोका : शटर तो मैं भी दबा सकता हूं लेकिन उसमें से रघु राय का फोटो बनेगा नहीं, क्योंकि कहां, कब व कैसे शटर दबाना है यह न मशीन को मालूम है, न मशीन के सामने घटती घटनाओं को… यह तो रघु राय को ही पता है… कला व कलाकार के बीच का यह रिश्ता ही अंतिम सत्य है… ऐसी कितनी ही बातें उस रात हुईं… जयप्रकाश कर क्या रहे हैं, लोकतंत्र के विकास में इस आंदोलन का रोल क्या है, दमन के सामने बहादुरी से खड़े इन नौजवानों की प्रेरणा क्या है जैसी कितनी ही बातें हम कर गए… रघु राय तब अपने फोटो का नया एंगल खोज रहे थे. जिसे हम न्यूज-फोटोग्राफी कह कर निकल जाते हैं और जो न्यूज़ के साथ ही दम तोड़ जाती है, रघु राय उसके पार जाते थे क्योंकि वे क्षण को नहीं, वक्त को दर्ज करने वाले कैमराकार थे.

बिहार आंदोलन में गति व उमंग का विस्फोट हुआ था. रघु राय उसे पकड़ सके थे, क्योंकि वे उसे समझ सके थे. उनका कैमरा साक्षी-भाव नहीं रखता था, वह भागीदार बन सका था. बिहार आंदोलन के उनके फोटो का संकलन ‘बिहार शोज़ द वे’ आप देखें तो समझ सकेंगे कि वे लिखे शब्दों व विवरणों को व्यर्थ-सा बना देते हैं, क्योंकि वे सारे फोटोग्राफ्स बोलते भी हैं, भागते भी हैं. लेकिन आपको एकदम अलग रघु राय मिलते हैं जब आप मदर टेरेसा के पास उन्हें देखते हैं. उनका कैमरा वहां ध्यान करता मिलता है : नि:शब्द प्रार्थना ! रूपाकार नहीं, करुणा ही आकार ले लेती है. संगीतकारों की उनकी श्रृंखला मुझे इसलिए बहुत प्रिय है कि कैमरे को उस तरह गाते कभी सुना नहीं था. इंदिरा गांधी का उनका अलबम एकदम अलग भाषा में बोलता है – सत्ता की धमक-चमक व आतंक का रस वहां हर ओर बिखरा मिलता है.

वह सारा कुछ जो काल की हथेली पर उन्होंने बिखरा रखा था, अब सिमट चुका है. उसमें कुछ नया जोड़ने वाली आंख नहीं रही. कैमरा भी है, विषय भी हैं लेकिन रघु राय नहीं हैं.

वह वादा भी अब कभी पूरा नहीं होगा जो जयपुर में गांधी-वाटिका बनाते समय उन्होंने मुझसे किया था : कुमार, आपकी गांधी-वाटिका के लिए मैंने कुछ अलग सोच रखा है… मैं वह आपको दूंगा…

वह वाटिका भी अब श्रीहीन हो चुकी है … 

(28.04.2026)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

હમ ‘આપ’ કે હૈં કૌન?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 April 2026

રવીન્દ્ર પારેખ

હિન્દી ફિલ્મનું ટાઈટલ છે, આ. આમ આદમી પાર્ટી(આપ)ના ત્યારે દૂર દૂર સુધી કોઈ વાવડ ન હતા. આમ આદમી પાર્ટી(આપ)ની સ્થાપના 2012માં થયાની વાત છે ને ફિલ્મ 1994માં આવી હતી. પણ આજે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આ પાર્ટીએ ઘણી આશાઓ બંધાવી, દિલ્હી ને પંજાબમાં વિજેતા પણ નીવડી, પણ સરવાળે તો તે ‘આમ આદમી’ જેવી જ નીકળી. આમ આદમી પાર્ટીના કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવાને તો જેલવાસ પણ ભોગવવો પડ્યો, પણ પાર્ટી ટકી ગઈ. સુરત જેવામાં પણ કાઁગ્રેસની જમીન ઢીલી પડતાં, આપને પગ પેસારો કરવાની તક મળી ગઈ. જો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આપ મિથ્યાભિમાની ને મતલબી પુરવાર થઈ છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના 7 સભ્યો સાથે ભા.જ.પ.માં જોડાવું પસંદ કર્યું. આમ આદમી પાર્ટી સાથે ન રહેવાય એવું લાગતાં રાજ્ય સભાના આપના 7 સભ્યો ભા.જ.પ.ના અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા. નીતિન નવીને આ સભ્યોને આવકાર્યા ને મોઢું મીઠું કરાવ્યું. પંજાબમાં 10 મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે, ત્યાંના જ 6 સાંસદો તૂટીને પાર્ટીથી અલગ થયા ને એ રીતે આપમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ભંગાણ છે.

એક તરફ પાર્ટી ગુજરાત અને પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને પડકાર આપવા કમર કસી રહી છે, ત્યાં રાજ્યસભાના રાઘવ સહિતના સાત સભ્યો આપ સાથેનો છેડો ફાડીને ભા.જ.પ.માં જોડાય, તો હાલત કફોડી જ થાય કે બીજું કંઇ? પત્રકાર પરિષદમાં અશોક મિત્તલ હાજર હતા. તેઓ લવલી પ્રોફેશનલ યુનિ.ના ચેરમેન છે ને 15 એપ્રિલે જલંધરના ઘર પર EDએ દરોડા પાડયા હતા. પત્રકાર પરિષદમાં સ્વાતિ માલીવાલ હાજર ન હતાં, પણ તેમણે કહ્યું કે હું ઇટાનગરમાં છું. સાંજે દિલ્હી આવ્યા પછી વાત કરીશ. રાજ્યસભાના દસ સાંસદમાંથી અશોક મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની, રાજેન્દ્ર ગુપ્તા જેવા 7 સભ્યો ભા.જ.પ.માં જતાં, હવે ત્રણ જ સભ્યો બચ્યા છે. ભા.જ.પ. અધ્યક્ષ નીતિન નવીને આ સભ્યો માટે ’x’ પર લખ્યું પણ ખરું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યની દિશામાં સક્રિય રહો એવી શુભેચ્છાઓ. દેખીતું છે કે એ આપને માફક ન જ આવે. આપે ભા.જ.પ. પર ‘ઓપરેશન લોટસ’નો આરોપ લગાવતા કહ્યું કે આ પંજાબ સરકારની કામગીરી રોકવાનું કાવતરું છે. એમ પણ કહેવાયું કે પંજાબ સરકારની પીઠમાં છરો ભોંકવાની કોશિશ થઈ છે.

રાઘવ સહિત આપના સાત સભ્યો ભા.જ.પ.માં જતાં માછલાં ધોવાનું શરૂ થઈ ગયું છે. જે ભા.જ.પ.ને રાઘવે ગુંડાઓની પાર્ટી કહી હતી, એને જ ખોળે બેસવાનું તેઓ કેવી રીતે સ્વીકારી શકે? 31 જુલાઈ, 2023ને રોજ દિલ્હી વટહુકમ પર રાઘવે આમ પણ કહ્યું, આ બિલ ચૂંટાયેલી સરકારને કામ કરતા અટકાવશે. આ દિલ્હી સરકારને ઉથલાવી દેવાનું ભા.જ.પ.નું કાવતરું છે. દિલ્હી વટહુકમ પર રાઘવે કહ્યું, આ બિલ લોકશાહીને બાબુક્રેસી બનાવી દેશે, તે એ અર્થમાં કે લોકોની સરકારને બદલે નોકરશાહી પ્રભુત્ત્વ જમાવશે.

આમ તો આ પક્ષ પલટુ કહી શકાય એમ નથી, કારણ કુલ સાત સભ્યો આપમાંથી ભા.જ.પ.માં ગયા છે. એવું પણ નથી લાગતું કે રાઘવે પૈસા બનાવવાને ઈરાદે પક્ષ બદલ્યો છે, કારણ કે તેમની માતા અલકાએ બે શરતે જ રાઘવને રાજકારણમાં પ્રવેશવાની રજા આપેલી. 1. CAનો અભ્યાસ ચાલુ રાખવો અને 2. રાજકારણમાંથી પૈસા ન બનાવવા, એટલે રાઘવ પૈસા બનાવવા આપ છોડીને ભા.જ.પ.માં ગયા હોય એમ લાગતું નથી.

રાઘવે આપ વિષે ટીકા કરતાં કહ્યું પણ ખરું કે આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાનો હું એક છું. 15 વર્ષથી હું પાર્ટીને ખૂન પસીનાથી સીંચતો આવ્યો છું, આપ પાર્ટી તેના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. પાર્ટી દેશ માટે નહિ, પણ અંગત હિતો માટે કામ કરી રહી હોય એવું લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાઘવને લાગતું હતું કે સાચો માણસ ખોટી પાર્ટીમાં આવી ચડ્યો છે. અમે બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને ભા.જ.પ.માં ભળી જવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીથી અલગ થવાની વાત રાઘવે પત્રકાર પરિષદમાં કરી હતી. આ અગાઉ સ્વાતિ માલીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પાર્ટીમાં વિદ્રોહ પોકારેલો, હવે રાઘવ સહિતના અન્ય સભ્યોએ ભા.જ.પ.માં જોડાઈને આપ સાથેનો છેડો ફાડ્યો છે ને રાજ્યસભામાં 10માંથી ૩ સભ્યો જ બચ્યા છે, ત્યારે કેજરીવાલની તાકાત અડધાથી પણ ઓછી થઈ ગઈ છે, એટલું જ નહીં, પાર્ટીનું ભવિષ્ય પણ દાવ પર લાગ્યું છે.

રાઘવે પાર્ટીમાં પોતાની ભૂમિકા એવી રાખી હતી કે તેમનાથી કોઈ મત કે માન્યતા જાહેર ન થઈ જાય. જેમ કે, દારૂ કૌભાંડમાં કેજરીવાલની 2024માં ધરપકડ થઈ, તો રાઘવ ચૂપ રહ્યા. ન બોલ્યા, ન લખ્યું. ફેબ્રુઆરી, 2025માં દિલ્હીની ચૂંટણીમાં આપની હાર થઈ ને સત્તામાં ભા.જ.પ. આવ્યું, ત્યારે પણ રાઘવ મૌન રહ્યા, એટલું જ નહીં, પાર્ટીના કોઈ કાર્યક્રમમાં પણ ન જણાયા. 2025ની શરૂઆતમાં જ રાઘવના સોશિયલ મીડિયા પરથી આપનો પ્રચાર ઘટવા લાગ્યો હતો. ફેબ્રુઆરી, 2026માં કેજરીવાલ અને મનીષ સીસોદિયાને દારૂ કૌભાંડમાંથી CBIના કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા ને આપ પાર્ટીએ તેની ઉજવણી કરી, પણ રાઘવ એનાથી દૂર રહ્યા. ઈરાન યુદ્ધ વખતે રાઘવે પાર્ટીલાઈન પર સંસદમાં બોલવાનો ઇન્કાર કર્યો. વ્હીપ હેઠળ આપ સાંસદોએ વોકઆઉટ કર્યું, ત્યારે રાઘવ ગૃહમાં હાજર રહ્યા. એટલા પરથી એવું લાગતું હતું કે રાઘવ પાર્ટીથી સંતુષ્ટ ન હતા. આ ગતિવિધિ જોઈને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું કે રાઘવને અહીં ગૂંગળામણ થતી હતી. હકીકતે તેઓ સરપંચ બનવાની પાત્રતા પણ ધરાવતા ન હતા.

આમ આદમી પાર્ટીએ 2 એપ્રિલ. 2026ને રોજ રાઘવને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે પદ પરથી હટાવ્યા ને એ કામગીરી પંજાબના સાંસદ અશોક મિત્તલને સોંપવામાં આવી. એની પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે મને ચૂપ કરાવવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી. હું એ દરિયો છું જે સમય આવ્યે પૂર પણ બની શકે છે. આપ નેતાઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાઘવ PM મોદીથી ડરે છે. તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે સમોસાના ભાવ જેવા નાના મુદ્દાઓ ઉઠાવે છે. સમોસાના વધતા ભાવ સંસદનો મુદ્દો હોઈ જ ન શકે એ ઠીક નથી. પંજાબને મુદ્દે પણ રાઘવે સ્પષ્ટતા કરી છે કે પંજાબ માત્ર એક વિષય જ નથી. તે મારું ઘર છે, કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. આપના નેતાએ એ પણ નોંધ્યું કે રાઘવે મોદી વિરોધી તમામ જૂની પોસ્ટ ડિલીટ કરી છે. રાઘવ ભા.જ.પ.ના ખોળામાં બેઠા છે …

રાઘવે એ સ્પષ્ટતાઓ પણ કરી કે મારી વિરુદ્ધ સરકાર કેમ્પેન ચલાવી રહી છે. આ એક સંકલિત હુમલો છે. હું સંસદમાં ઘોંઘાટ કરવા ગયો નથી, પણ જનતાના મુદ્દા ઉઠાવવા ગયો છું, પણ હકીકત એ છે કે ભા.જ.પ.ને પંજાબીઓ સાથે નથી બનતું. માનનું કહેવું છે કે અમારી સરકાર સત્તામાં આવી તો અમારા RDF ભંડોળને બંધ કરી દેવામાં આવ્યું. પછી અમારા પોતાનાં MMS ગ્રૂપ બનાવી તેને માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખેડૂતોના વિરોધ દરમિયાન પણ ભા.જ.પે. અમારી સાથે દગો કર્યો. મુખ્ય મંત્રી માને કહ્યું કે આપણા સાંસદોને પોતાની સાથે સામેલ કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેનો પંજાબમાં મજબૂત આધાર નથી. અહીં માન પોતાને જ વિરોધાવે છે. એક તરફ તેઓ રાઘવને સરપંચ થવાને પણ લાયક ગણતા નથી, બીજી તરફ ‘આપના’ સાંસદોને ભા.જ.પ. પોતાની સાથે સામેલ કરે છે, તો અફસોસ પણ વ્યક્ત કરે છે. રાઘવની ભા.જ.પ. સામેલગીરીને કાઁગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે પાર્ટીના ‘મેન આર્કિટેક્ટ’ જ છોડી ગયા છે, તો તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જે નેતાઓએ પહેલાં બીજા પર સવાલો ઉઠાવ્યા હતા, તેમણે હવે પોતાનાં સંજોગો સમજાવવા પડશે.

રાઘવ જેવા આપના નેતાએ આપ સાથે દગો કર્યો હોય તો પણ, આપ પાર્ટીનું અહિત તેમણે કર્યું નથી. કેટલાક જેન્યુઈન મુદ્દાઓ પર તેમણે સંસદમાં સોય ઝાટકીને વાત કરી છે. એક સ્વચ્છ ઈમેજ ધરાવતો માણસ પાર્ટીમાં રહીને પોતાની કામગીરી, કોઈની પણ ખુશામત વગર ઈમાનદારીથી કરતો હોય તો તેવા માણસને પાર્ટીએ સાચવવો જોઈએ, પણ તેણે જે પક્ષનો વિરોધ કર્યો હોય તેને જ ખોળે બેસવું પડે એ વ્યક્તિની અને શાસક તેમ જ વિપક્ષની કમનસીબી છે. હવે આપ માટે ‘હમ ‘આપ’ કે હૈં કૌન?’ ગાવું પડે એવા દિવસો આવ્યા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઍપ્રિલ 2026

Loading

...102030...63646566...708090...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved