Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9385129
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમેદ જગવતી, પરંતુ …

દિલીપ મંડલ [અનુવાદ - નિલય ભાવસાર]|Opinion - Opinion|24 January 2024

સિનેમા, કલા, પુસ્તકો, ગીતો આ બધા જ સમાજનું દર્પણ છે. જેની બે બાજુએ અસર થાય છે. આ તમામ સમાજથી પ્રભાવિત છે અને આ તમામ માધ્યમની અસર સમાજ પર પણ પડે છે. જે પૈકી સિનેમાની અસર સૌથી વધારે છે કારણ કે તેનો દર્શક વર્ગ વધારે છે તેમ જ લોકો સિનેમામાં દેખાડવામાં આવેલી વાતને સાચી માની લે છે. ફિલ્મોની ફેશન અને વિચારો પર પણ ઊંડી અસર પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 12th Fail પર એક સમાજશાસ્ત્રીય નજર કરીએ. 

પહેલી નજરે આ ફિલ્મ ગરીબીમાંથી બહાર આવીને ઊંચાઈને સ્પર્શતી તેમ જ સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરતી વાર્તા લાગે છે. જેમાં એક વિદ્યાર્થી હિન્દી મીડિયમની તમામ અડચણોને પાર કરીને અધિકારી બને છે. આ ઉત્સાહ અને જોશ વધારતી ફિલ્મ છે કે જે આશા જગાવે છે. જેમાં એવું પણ દર્શાવાયું છે કે પ્રેમમાં કેવી રીતે કશું કરી દેખાડવાનું જૂનૂન પેદા થાય છે અને આ ફિલ્મ એવો પણ સંદેશ આપે છે કે હાર નહીં માનું. પણ, આ લેખમાં એવું દેખાડવાનો પ્રયાસ કરાશે કે 12th Fail ફિલ્મના હીરો મનોજ શર્માની આ સફરમાં તેને જન્મોથી મળેલા વિશેષાધિકારો એટલે કે પ્રિવિલેજે કેવી ભૂમિકા ભજવી છે, અને જો તેમને આ વિશેષાધિકારો ના મળ્યા હોત તો તેઓ માટે આ તમામ દરવાજા આટલા સરળતાથી ના ખુલ્યા હોત. મનોજ શર્માના જીવન સંઘર્ષમાં તેઓ સાથે એક સપોર્ટ સિસ્ટમ સાથે ચાલી રહી હતી. વિશેષાધિકારો વિના તેમની યાત્રા કદાચ આટલી શાનદાર ના રહી હોત. સાથે જ એ કહેવું પણ એટલું જ જરૂરી છે કે દેશના મોટા ભાગના લોકો પાસે તે વિશેષાધિકારો નથી, માટે જો કોઈ યુવા એવું વિચારતો હોય કે દિલ્હી આવ્યા પછી બધું આટલી સરળતાથી થઈ જશે તો તેને તેનો ભ્રમ માનવામાં આવશે.

હું અહીં વિદ્યાર્થી મનોજ શર્માના કેટલાંક વિશેષાધિકારોનું લિસ્ટ રજૂ કરી રહ્યો છું.

1. દિલ્હી આવ્યા પહેલા મનોજ શર્મા જ્યારે ચંબલના એક ગામમાં રહેતા હતા ત્યારે તેમનો અને તેમના ભાઈનો સ્થાનિક ધારાસભ્યના લોકો સાથે ઝઘડો થયો હતો. કસ્ટડીમાં લીધા પછી તેઓ બંનેને પોલીસ સાથે વિવાદ થાય છે અને મનોજ ભાગીને રાત્રે ડી.એસ.પી.ના સરકારી નિવાસસ્થાનના પ્રાંગણમાં પ્રવેશ કરે છે. તે ડી.એસ.પી.ને પડકારતા સિસ્ટમને અપશબ્દો આપવાનું શરૂ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ડી.એસ.પી. મનોજને લઈને પોલીસ સ્ટેશને પહોંચે છે અને તેઓ બંનેને મુક્ત કરાવે છે. વર્તમાન વ્યવસ્થામાં આ લગભગ અશક્ય વાત છે. હવે એ સમજવાની વાત છે કે મનોજ શર્માના કેસમાં આ કેવી રીતે શક્ય બન્યું અને એ પણ સમજવું પડશે કે શું રાત્રે ડી.એસ.પી.ના ઘરમાં ઘૂસવાનો આત્મવિશ્વાસ ક્યાંક મનોજ શર્મા જે જ્ઞાતિમાંથી આવે છે તેના કારણે તો નથી ને?

2. ઘણાં વિવેચકો આ ફિલ્મને ગરીબોના સંઘર્ષ તરીકે જોઈ રહ્યા છે. પણ, આ ગરીબ પરિવાર બિલકુલ નથી. મનોજના દાદા આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર હતા. દાદીને પેન્શન મળે છે. પિતા સરકારી કર્મચારી હતા જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને આરોપો સામે હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા હતા. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે તેમની પાસે જમીન અને ગાય પણ છે. એટલે કે બી.પી.એલ. પરિવારમાંથી અધિકારી બનવાની આ કોઈ ડ્રીમ સ્ટોરી નથી. એકંદરે તે મધ્યમ વર્ગનું કુટુંબ કહી શકાય.

3. નવાઈની વાત એ પણ છે કે માત્ર મનોજ જ નહીં, સમગ્ર પરિવારને વિશ્વાસ છે કે મનોજ 12મું પાસ થતાં જ તેને સરકારી નોકરી મળી જશે. આ આત્મવિશ્વાસનું કારણ શું છે તે ખબર નથી. આ 1980-1990ની વાત છે અને તે સમયે 12મું પાસ કર્યા પછી નોકરી મેળવવાનો આટલો આત્મવિશ્વાસ હોવો સ્વાભાવિક ન હતો કારણ કે ત્યાં સુધીમાં નોકરીઓ માટેની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ આત્મવિશ્વાસનું કારણ અથવા વિશેષાધિકાર શું હશે તે ફિલ્મ જોઈને જાણી શકાતું નથી.

4. જ્યારે મનોજ ગ્વાલિયરથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે અને રસ્તામાં તેના પૈસા અને સામાન ચોરાઈ જાય છે, ત્યારે તે એક હોટલમાં ખાવાનું માગે છે અને તેને ટેબલ ખુરશી પર બેસાડવામાં આવે છે અને તેને મફતમાં ભોજન આપવામાં આવે છે. શું આ તમને સ્વાભાવિક લાગે છે? ત્યાં તે શ્રીમાન પાંડેને મળે છે જેઓ મનોજ શર્માને પોતાના ખર્ચે દિલ્હી લઈ જાય છે. દરેકના જીવનમાં આટલા બધા સુખી સંયોગો નથી હોતા.

5. ગૌરી ભૈયા મનોજના જીવનમાં ભગવાનની જેમ આવે છે. તે પોતે ઉમેદવાર છે, પરંતુ અન્યોને મફત કોચિંગ આપે છે. તે મનોજને પોતાના શિષ્ય બનાવે છે. બાદમાં, તે મનોજ માટે પોતાનો રૂમ છોડી દે છે અને તેને 24 કલાકનો સહાયક પણ આપે છે. મનોજ શર્માના જીવનમાં આ પણ એક રસપ્રદ સંયોગ બને છે, પરંતુ કેટલા લોકોના જીવનમાં આવા સંયોગો બને છે? અને પછી પણ કેટલા લોકોના જીવનમાં આ સંયોગો સતત બનતા રહે છે? શું આને અમુક પ્રકારના વિશેષાધિકારનું પરિણામ ગણી શકાય? ગૌરી ભૈયાનું પાત્ર માત્ર એ બતાવવા માટે ઊભું કરાયું છે કે મનોજનો સંઘર્ષ કેટલો મહાન છે કારણ કે ગૌરી ભૈયાને છ અને મનોજને ચાર અટેમ્પટ મળવાના છે.

6. મનોજ શર્મા અને શ્રદ્ધા જોષીની લવસ્ટોરી મસાલા ફિલ્મો જેવી છે. હિન્દી ફિલ્મોમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે પ્રેમ થાય, જેથી લગ્નમાં કોઈ મુશ્કેલી ના આવે. થોડી અનિચ્છા પછી શ્રદ્ધાના પિતા પણ સંમત થાય છે. છેવટે, છોકરો સિવિલ સર્વિસનો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો છે અને તે સમુદાયનો પણ છે!

7. ગરીબ મનોજ દિલ્હીની એક પ્રખ્યાત કોચિંગ સંસ્થામાં એડમિશન લે છે. આ પણ એક સંયોગ છે.

8. જ્યારે મનોજ શર્મા મેઈન્સમાં નિષ્ફળ જાય છે, ત્યારે તે કારકિર્દી માર્ગદર્શન માટે સીધા અગાઉના IAS ટોપર પાસે જાય છે, જે હવે વરિષ્ઠ અધિકારી છે. આટલું જ નહીં, અધિકારી બળજબરીથી ઘૂસી આવેલા એક યુવકને બેસાડી તેની સાથે વાત કરે છે અને મહત્ત્વની બાબતો પણ સમજાવે છે. આપણે સમજી શકીએ છીએ કે કયા વિશેષાધિકારને લીધે આ બન્યું હશે. પરંતુ તેને મનોજ શર્માના સંઘર્ષ રૂપે દર્શાવવામાં આવ્યું છે.

9. મનોજ શર્માનો UPSC ઇન્ટરવ્યુ ખૂબ જ નાટકીય અને સનસનાટીભર્યો છે. ઇન્ટરવ્યુ લેનારાઓ તેના જવાબો સાંભળ્યા પછી તેને બહાર કરી દે છે. પછી તેમાંથી એક હસ્તક્ષેપ કરે છે અને મનોજને ફરીથી બોલાવવામાં આવે છે, તેની વાર્તા સાંભળવામાં આવે છે અને તેની પસંદગી કરવામાં આવે છે. આ કાંઈ દરેક લોક સાથે થતો સંયોગ નથી. જે રીતે UPSC ઈન્ટરવ્યુમાં વંચિત વર્ગને નંબર આપવાની પેટર્ન છે તે જોતાં મને નથી લાગતું કે SC, ST કે OBC ઉમેદવારો સાથે આવો સંયોગ બની શકે.

10. હિન્દીના ઉમેદવારોને ઘણી વખત અંગ્રેજી માધ્યમના ઉમેદવારો કરતાં ઓછા આંકવામાં આવે છે. પણ, અન્ય ભારતીય ભાષાઓના મુકાબલે તેઓને સારું પરિણામ મળે છે. દિલ્હીમાં ઈન્ટરવ્યુ થતો હોવાથી અથવા સંરચનાત્મક કારણોથી બોર્ડમાં હિન્દી જાણતા લોકો વધારે હોય છે. માટે મનોજ શર્માની વાત સાંભળવામાં આવી. જો તેઓ તમિલ, તેલુગુ, કન્નડ અથવા ઉડિયા બોલ્યા હોત તો તેમની વાત કોણે સાંભળી હોત?

વાત જાણે એમ છે કે આ ફિલ્મ 12th Failમાં સંઘર્ષ અને પ્રિવિલેજ એટલે કે મહેનત વિના મળેલા વિશેષાધિકારોની અસરનું મિશ્રણ કરવામાં આવ્યું છે. જેથી એ ખ્યાલ નથી આવતો કે આ સંઘર્ષ છે કે પછી પ્રિવિલેજ એટલે કે વિશેષાધિકાર. 

મૂળ લેખ – દિલીપ મંડલ (ThePrint) (દિલીપ મંડલ ‘ઇન્ડિયા ટુડે’ હિન્દી મેગેઝિનના ભૂતપૂર્વ મેનેજિંગ એડિટર છે અને તેમણે મીડિયા અને સમાજશાસ્ત્ર પર પુસ્તકો લખ્યાં છે. વ્યક્ત વિચારો અંગત છે.) અનુવાદ – નિલય ભાવસાર

https://hindi.theprint.in/opinion/12th-fail-gives-hope-but-scratch-the-film-truth-lies-buried-beneath-the-surface/647954/
e.mail : nbhavsarsafri@gmail.com

Loading

24 January 2024 દિલીપ મંડલ [અનુવાદ - નિલય ભાવસાર]
← સમર્પિત સમાજવાદી મધુ દંડવતે, શતાબ્દી સુમિરન
બૂટ પોલિશ: “આજ સે અપના હિન્દુસ્તાન આઝાદ હોતા હૈ, ભીખ માંગના બંધ” →

Search by

Opinion

  • ગૃહસ્થ સંન્યાસ
  • અભી બોલા અભી ફોક
  • માણસ, આજે (૨૯)  
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૫
  • પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવું એ જાત પ્રત્યેની ફરજ છે 

Diaspora

  • આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !
  • ‘માઉન્ટ રશમોર’ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચે શું તફાવત છે?
  • ખરાબાનો નેશનલ પાર્ક !
  • કુદરત પ્રદૂષણ કરતી નથી, માણસ જ પ્રદૂષણ કરે છે !
  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

Gandhiana

  • સેનાપતિ
  • ભગતસિંહ અને ગાંધીજી
  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ

Poetry

  • સાત હાઈકુ
  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved