Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરસ્વતી પૂજા કરવામાં આવે એમાં ખોટું શું છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2023

રમેશ ઓઝા

દરેક યુગમાં અને દરેક સમાજમાં સત્તાધારીઓને અનુકૂળ થઈને લાભ મેળવવા લાળ પાડનારાઓ અને પૂંછડી પટપટાવનારાઓ હોય જ છે, પરંતુ જો તેમની સંખ્યા વધી જાય અને લાજશરમ છોડીને ઘાંટા પાડવા માંડે ત્યારે સમજી લેવું કે સમાજ સાંસ્કૃતિક સંકટનો સામનો કરી રહ્યો છે. સ્વતંત્ર અવાજો અને સ્વાભાવિક રીતે જ એકલદોકલ અવાજો જ સમાજને એક ડગલું ઉપર લઈ જઈ શકે. ઇતિહાસ આમ કહે છે.

હમણાં ગુજરતી સાહિત્ય પરિષદનાં અમદાવાદ ખાતેના વડામથક ગો.મા.ત્રિ. (ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી) ભવનમાં સરસ્વતી પૂજા કરવામાં આવી અને એને કારણે વિવાદ જાગ્યો છે. સમર્થકો કહે છે કે સરસ્વતી પૂજા કરવામાં આવે એમાં ખોટું શું છે? વાત તો બિલકુલ સાચી છે, સરસ્વતી પૂજા કરવામાં આવે એમાં ખોટું શું છે? માં સરસ્વતી વિદ્યાની દેવી છે અને એ રીતે આરાધ્ય છે. મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના થઇ ત્યારથી તેનાં ગ્રંથાલયમાં દર વર્ષે અશ્વિની નવરાત્રમાં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ગ્રંથાલયમાં ઉલબ્ધત હજારો પુસ્તકોમાં જ્ઞાન, વિચાર, દૃષ્ટિકોણ તેનાં સમગ્ર વૈવિધ્ય અને પરસ્પર પ્રતિરોધ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. એમાં ચાર્વાક પણ છે અને નારદનું ભક્તિસૂત્ર પણ છે. એમાં બાયાબલ પણ છે અને નિત્શે પણ છે. એમાં અખો પણ છે અને મીરાં પણ છે. એમાં કબીર પણ છે અને તુલસી પણ છે. ગ્રંથાલય વિવિધ અવાજોનો બગીચો હોય છે. માત્ર ભારતીય વિદ્યા ભવન નહીં, ભારતમાં અનેક ગ્રંથાલયોમાં સરસ્વતી પૂજા કરવામાં આવે છે. ગ્રંથાલયો વિચારોનાં સરવાળાની જગ્યા છે, બાદબાકી ત્યાં કરવામાં આવતી નથી.

આમ સરસ્વતીની પૂજા કરવામાં આવે એમાં કાંઈ જ ખોટું નથી; સવાલ માત્ર એટલો જ છે કે તેની પાછળ દૃષ્ટિકોણ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, સમર્પણ હોવું જોઈએ, પ્રતિબદ્ધતા હોવી જોઈએ, સાતત્ય હોવું જોઈએ અને માનવમુખે બોલતા માં સરસ્વતીના પ્રત્યેક અવાજ માટે સહિષ્ણુતા હોવી જોઈએ.

સવાલ એ છે કે ગો.મા.ત્રિ. ભવનમાં જે સરસ્વતી પૂજા કરવામાં આવી એ શા માટે કરવામાં આવી હતી? કારણ બહુ દેખીતું છે. શાસકોના દરબારમાં હાજરી પૂરાવવા. ભૂલતા નહીં હો સાહેબ અમે તમારી ભાષા બોલીએ છીએ. અમે તમને ગમે એવી પ્રવૃત્તિ કરીએ છીએ. અમે તમારા એજન્ડામાં તમારી સાથે છીએ. અમે તમારા વિરોધીઓને સંસ્કૃતિની આડશે મૂંઝવી રહ્યા છીએ. અમે એવું કશું જ નથી બોલતા, કરતા કે હાજરી પૂરાવતા જે આપને ન ગમે. ભૂલતા નહીં હોં, ભગવાન! તેમને શાસકોની કૃપા જોઈએ છે, સરસ્વતી તો એક બહાનું છે. નજરે પડવા માટેનો અને નજરમાં રહેવાનો આખો પ્રપંચ છે. બાકી જો સરસ્વતી માટે પ્રેમ હોત તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? કોણે રોક્યા હતા?

કમાલની વાત તો એ છે કે જેમણે સરસ્વતી પૂજા કરી એ લોકોને સરસ્વતી વરી નથી. અંગ્રેજીમાં જેને મિડિયોકર કહેવાય એવા એ લેખકો છે. જેમને સરસ્વતી વરી છે એ લોકો સરસ્વતી પૂજાનો દેખાડો કરતા નથી. નરસિંહ નર્મદથી લઇને નીરવ પટેલ સુધીના સર્જકો ફોટોગ્રાફરો(જૂના જમાનામાં ચિતારાઓ)ને લઇને સરસ્વતી પૂજા નહોતા કરતા. જો સરસ્વતી પૂજા કરવાથી સર્જક બની શકાતું હોય તો ઘરે ઘરે રવીન્દ્રનાથ જનમવા જોઈએ. બીજું સરસ્વતી મન ભરીને એને વરે છે જે લાઈન તોડીને બોલવાની તાકાત ધરાવે છે. સ્વતંત્ર અવાજો સરસ્વતીને બહુ જ ગમે છે એટલે સરસ્વતી મન ભરીને તેમને વરે છે. કોઈની તમા રાખ્યા વિના શાસકોને, સ્થાપિત હિતોને, પ્રસ્થાપિત વ્યવસ્થાને, રૂઢ થયેલા વિચારોને કે માન્યતાઓને, ખુદ સરસ્વતીને જે પડકારે અને બેખુદીથી પોતાને અભિવ્યક્ત કરે એને સરસ્વતી વરે છે. કામુ, કાફકા, દોસ્તોયેવસ્કી વગેરે આનાં પ્રમાણ છે. જે કૃપા માગે છે એને સરસ્વતી મળતી નથી અને જે સરસ્વતી કૃપા માગતા પણ નથી તેને સરસ્વતી બે હાથે આપે છે. બાકી ચીલે ચાલનારા, સાવધાન રહેનારા, પવન જોઈને પાંખ બદલનારા, ગમતું બોલનારા, યાચકવૃત્તિ ધરાવનારા લેખકો સાથે સરસ્વતી ઉલ્હાસનો અનુભવ કરે ખરી? વળી લાભની આંગળી પકડનારાઓ સરસ્વતીની આંગળી ઝાલી પણ ન શકે અને ઝાલે તો ખમી ન શકે.

બર્ટ્રાંડ રસ્સેલે પાશ્ચાત્ય ફિલસૂફીનો ઇતિહાસ લખતાં કહ્યું છે કે જિંદગીની ઊથલપાથલને ઊથલપાથલ કરનારા વિચારો સાથે સંબંધ છે. તેમણે ઇમેન્યુલ કેન્ટ અને લૂડવિગ વિટગેનસ્ટાઇનનો દાખલો આપ્યો છે. જિંદગીમાં ઊથલપાથલ ધરાવનારા વિટગન્સ્ટાઈને ગણતરીનાં દાર્શનિક કથનો દ્વારા વીસમી સદીમાં પાશ્ચાત્ય ફિલસૂફીમાં ઊથલપાથલ મચાવી દીધી હતી. સામે કેન્ટનું જીવન ઘટનારહિત હતું અને કંઇક અંશે વિચારો પણ. ટૂંકમાં વિચારવ્યાપાર અને સાચી સર્જકતા સામે તીરે તરાનારાઓને જ મળે છે. લાભલક્ષી સલામત જિંદગી જીવનારાઓનું કામ નથી, પછી ભલે સરસ્વતીનું માદળિયું ગળામાં બાંધીને ફરે.

મોરારિબાપુએ સરસ્વતી પૂજાનો બચાવ કર્યો છે. મોરારિબાપુની અવસ્થા જોઇને દયા આવે છે. એક જમાનામાં દરબારી લેખકો મોરારિબાપુના દરબારમાં હાજરી પૂરાવતા હતા. આજે સ્થિતિ એવી બની છે કે બાપુએ દરબાર સમેટી લીધો છે અને ખૂદ દરબારમાં દરબારસાહેબને ગમે એવાં કથનો બોલીને અને ન ગમે એવાં કથનો નહીં બોલીને દરબારી તરીકે હાજરી પૂરાવે છે. દાયકા પહેલાંની અખંડ માણસાઇને બાથમાં લેવાની જહેમત તેમણે છોડી દીધી છે. તેમણે બાથને અદબમાં ફેરવી નાખી છે. કવિ પ્રીતમના કથનમાં પ્રાસંગિક પરિવર્તન કરીને કહી શકાય કે માણસાઇનો મારગ છે શૂરાનો ….

ગુજરાતને આજે નવા સ્વરૂપમાં અને અનેકવિધ માધ્યમોમાં ભાયાતોનો અનુભવ થઈ રહ્યો છે. તેઓ રંઝાડવાથી લઇને રંજન કરવા સુધીની રેન્જ ધરાવે છે.

જય જય ગરવી ગુજરાત!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ડિસેમ્બર 2023

Loading

10 December 2023 રમેશ ઓઝા
← ચલ મન મુંબઈ નગરી—226
જવાહરલાલ નહેરુ : વખોડવાની લ્હાયમાં, દેશના આ ઘડવૈયાનું યોગદાન રખે ભૂલતાં →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved