Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૃક્ષોની તદ્દન અવિચારી છટણી : ગુજરાતી સાહિત્ય પરિષદમાં …

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|22 January 2022

આજે પંદરેક દિવસ બાદ અમદાવાદના ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડારમાંથી પુસ્તકો લેવા ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં ગયો. એ વખતે ચોંકી ગયો કે પરિષદના સંકુલના ઓછાંમાં ઓછાં આઠેક વૃક્ષોની બહુ જ ખરાબ રીતે છટણી કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે મૂકેલ ફોટો કોલાજ કદાચ તેનો પૂરો અંદાજ ન પણ આપી શકે. પણ પરિષદ પરિસર સાથે પરિચિત સાહિત્યકારો અને સાહિત્યરસિકોને એનો ખ્યાલ આવી શકે.

પરિષદમાં ઘણાં વર્ષોથી આવતાં-જતાં વ્યક્તિ તરીકે મેં પહેલાં થોડાંક જ ઝાડ હોય એવા આ સંકુલને સરસ હરિયાળું થતું જોયું છે. નદીકાંઠો પરિષદને બિલકુલ અડીને હતો ત્યારે અને રિવરફ્રન્ટ બની ગયાં પછી, બંને સમયે બદલાતી મોસમો પરિષદનાં આંગણાંમાં જોઈ છે.

પરિષદના પૂર્વ નિયામક અને વાર્તાકાર રમેશ ર. દવેએ લાગણી, મહેનત અને સમજથી પરિષદનાં પ્રાંગણમાં જાતભાતનાં છોડ વાવ્યાં હતાં. તેમને ઝાડ તરીકે મોટાં થતાં જોયાં છે. કેટલાંક તો પહેલેથી હતાં. પરિષદનાં નદી તરફના ખુલ્લાં પ્રાંગણમાં માટી ઠીક પ્રમાણમાં જળવાઈ છે. રમેશભાઈની સાથે, મારી છાપ પ્રમાણે, રાજેન્દ્રભાઈ પટેલનો પણ પ્રાંગણને – અત્યારની ભાષામાં કહીએ તો – લૅન્ડસ્કેપને રળિયામણું બનાવવામાં ફાળો હતો. વૃક્ષો, હરિયાળી (અને એક સમયે તો પરિષદના પાછલા છેડે આવતાં નદીકાંઠાને કારણે) પરિષદના મકાનના સ્થાપત્યનું ભારેખમપણું  ઢંકાઈ જાય છે.

આજે આ લખું છું ત્યારે તાજેતરમાં થયેલી ઝાડ-કટાઈને કારણે પ્રાંગણ સાવ સૂકુંભઠ્ઠ થયું છે એવી અતિશયોક્તિ નહીં કરું. પણ એ તો કહીશ જ કે વૃક્ષોને ઘણું જ નુકસાન થયું છે. ઝાડનાં કપાઈ ગયેલાં થડ પીડાકારક છે. એનો કદાચ જોવાથી જ ખ્યાલ આવી શકે.

મને ઘણાં સવાલો થયા. એમ થયું કે જેની સાથે સંવેદનશીલ, પ્રબુદ્ધ માણસો જોડાયેલાં હોય તેવી આ સંસ્થામાં વૃક્ષોની આ કઈ રીતે બન્યું હશે ? વૃક્ષતોડ રાત્રે થઈ હશે ? રજાને દિવસે થઈ હશે ?

વૃક્ષોને માત્ર છાટવાનું, અથવા ટ્રિમિન્ગ કરવાનું કહેવામાં આવ્યું હશે અને તે ખરાબ રીતે કાપવામાં આવ્યાં હશે ? ટ્રિમિન્ગ માટેની કોઈ શરતો અને તે કામનું સુપરવિઝન નહીં હોય ? ટ્રિમિન્ગની સાથે ઝાડનું સંતુલન, પક્ષીઓનાં માળા, પાંદડાં ફૂટવાની મોસમ, બાગકામની સમજ જેવી ઘણી બધી બાબતો સંકળાયેલી છે, એનો કાપનારને, ટ્રિમિન્ગનો નિર્ણય લેનારને, તેનો અમલ કરાવનારને ખ્યાલ નહીં હોય ?

આમ તો ઝાડને પ્રત્યક્ષ કાપનાર વ્યક્તિ વગદાર હશે એટલે ભર શહેરમાંથી આવી રીતે વૃક્ષોનાં મોટાં થડ કાપીને લઈ જઈ શકે. નાના કઠિયારાઓને તો પોલીસ રોકતી/કનડતી હોય છે. આ ઝાડ આઠ-દસ દિવસો પહેલાં કપાયાં એવી મારી માહિતી સાચી હોય, તો એ પછીના દિવસોમાં કોઈએ પરિષદ સાથે કે અન્યત્ર આ અંગે કંઈ વાત કરી હશે ?

એ પણ સવાલ થાય કે એકંદર સાહિત્યકાર વર્ગ માટે વૃક્ષવનસ્પતિ અને પ્રકૃતિ માત્ર કવિતાઓ કે લલિત નિબંધો લખવા માટે જ છે ? એનાથી આગળ કશું નહીં ? કોઈને બંધબેસતી પાઘડી પહેરવી – પહેરાવવી હોય તો ભલે, પણ મારો કોઈ એવો વ્યક્તિલક્ષી ઇરાદો નથી.

દર્શકને ખેતી શીખવનાર અને ‘વાડી પરનાં વહાલાં’ પુસ્તક  લખનાર આપનાર ઇસ્માઇલભાઈ નાગોરીને ક્યાં મૂકશું ? ‘શુડ ગુડ પોએટ મસ્ટ બી અ ગુડ પર્સન ?’  એવી ચર્ચા  કે ‘‘દર્શક’ અને મનુભાઈ બંને જુદાં છે, દર્શક થવું કંઈ રેઢું પડ્યું છે ?’ એ મતલબની મનુભાઈ પંચોળીએ કહેલી વાત યાદ કરવાની થાય. પર્યાવરણ રક્ષણ-સંવર્ધનનાં ઉપક્રમો, તેના માટેની લડતો સાથે ઘનિષ્ઠ અને સક્રિય રીતે સંકળાયેલા સાહિત્યકારો આપણે ત્યાં અને બીજે ખરા? કે એમનું કામ માત્ર લખવાનું ? કે એવી અપેક્ષા જ ન રાખી શકાય ? પરિષદમાં કપાયેલાં વૃક્ષોની બાબતે હવે શું કરી શકાય ?

બી.બી.સી.ગુજરાતીમાં 5 જૂન 2021ના રોજ પત્રકાર અર્જુન પરમારે એવી સ્ટોરી કરી છે કે ‘મોદી સરકારમાં પાછલાં પાંચ વર્ષમાં ‘વિકાસ’ના નામે દર મિનિટે ચાર વૃક્ષ કપાયાં’. હમણાં ઉત્તરાયણનાં જ છાપાંમાં સમાચાર હતા કે ભારતના ‘સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ 2021’ પ્રમાણે ગુજરાતમાં ગયાં બે વર્ષમાં ફૉરેસ્ટ કવરમાં 1,423 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે, અને દેશનાં સાત મેગા-સિટીઝમાં સહુથી વધુ ઝાડ અમદાવાદમાં કપાયાં છે. સ્ટૅચ્યૂ ઓફ યુનિટી માટે વર્ષો જૂનાં વડ સાથેનાં સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું.

એટલે કોઈને એવો પણ સવાલ થાય કે આટલી બધી જગ્યાએ આટલાં બધાં ઝાડ કપાય છે, (આટલા બધા માણસો મરે છે) ત્યાં નહીં, પણ  આ માણસ પરિષદનાં થોડાંક ઝાડની બાબતમાં જ કેમ કચકચ કરે છે ? એનાથી મૃદુહૃદયી સાહિત્યકારોની લાગણી કેટલી બધી દુભાશે ? આ અરણ્યરુદનનો શો અર્થ ?

21 જાન્યુઆરી 2022

તસવીર કોલાજ : નીતિન કાપૂરે

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

22 January 2022 સંજય સ્વાતિ ભાવે
← યજ્ઞેશ દવે : એક મુલાકાત
આઇડિયોલોજીકલ સ્પેસને પોલિટિકલ સ્પેસમાં કઈ રીતે પરિવર્તિત કરવી ? →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved