Opinion Magazine
Number of visits: 10080400
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી એટલે રોકાણ સામે વળતર? :  370 રૂપિયાની બિરયાનીનું બિલ, માનસિકતાનું દેવાળું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 June 2026

જાહેરમાં એક પુરુષ સ્ત્રીને પોતાની મિલકત માનીને વસૂલીની વાત કરે અને લોકો તાળીઓ પાડીને ખિખિયાટા કરે એ આ આખી ઘટનાનું સૌથી વધુ ચિંતાજનક પાસું હતું. સમાજને પેલી 370ની ટિપ્પણી કરનારો હિમાંશુ જાંગરા નડે એ સારું જ છે પણ છતાં ય તેની પર હસનારા લોકો સમાજની ખરી સમસ્યા છે.

ચિરંતના ભટ્ટ

370 રૂપિયાની બિરયાની!!! ખરેખર, હવે આ કહેવાતા આધુનિક સમાજમાં આપણે આ મુદ્દે વાત કરવાનો વખત આવ્યો છે. આધુનિકતા સાથે શાલિનતા અને સંસ્કાર મફતમાં મળતા નથી એની સાબિતી એટલે કૉમેડિયન પ્રણિત મોરેના શોમાં જઇને પોતાના ડેટિંગ અનુભવની વાત કરનારા છોકરા વાળો વિવાદ. હિમાંશુ જાંગરા નામના એ છોકરાનું કહેવું કંઇક એમ હતું કે પોતે પૈસા ખર્ચ્યા એટલે છોકરી પાસેથી ‘કંઇક’ વસૂલવું પડે. પહેલા એ વાયરલ થયો અને પછી નોકરી વગરનો પણ થઈ ગયો. તાજા સમાચાર અનુસાર પ્રણિત મોરે, હિમાંશુ જાંગરા અને આ જ કૉમેડિયનના શોમાં જઇને કૂલ દેખાવા માટે પોસ્ટમોર્ટમ વિશે એલફેલ બોલી આવેલી ડૉક્ટર સેજલ પવાર, એ ત્રણેય પર એફ.આઇ.આર. કરવામાં આવી છે. પણ અહીં વાંક આ બકવાસ કરનારા ત્રણ જણનો જ છે? આ એક વિવાદે એવો મધપૂડો છંછેડ્યો કે એનો ડંખ લાગશે એ માણસ સીધો થઇ જશે.

370 રૂપિયા ખર્ચનારા અથવા તો કોઈ પણ સ્ત્રી માટે પૈસા ખર્ચનારા પુરુષને લાગે છે કે એણે પાકીટ ખોલ્યું એટલે હવે તે સ્ત્રી પાસે જે ઇચ્છે એ કરાવી શકશે. કમનસીબે આર્થિક રીતે સ્વતંત્ર થયેલી સ્ત્રીઓ પણ હવે ‘મન કી બાત’ કહી દે છે અને તેમને ના પાડતા પણ આવી ગયું છે. કમનસીબ એટલે પુરુષોનું કમનસીબ કારણ કે આપણા પિતૃસત્તાક સમાજમાં પુરુષોને ના સાંભળવાની ટેવ જ નથી પડી. કોઇ રડ્યાંખડ્યાં પુરુષો સ્ત્રીની મંજૂરી, તેની ^ચ્છા, તેની હા કે નાને ગણતરીમાં લેતા હોય તો તેમની છાને ખૂણે ઠેકડી ઉડાડનારા મવાલીઓનો તોટો નથી. દમન કરી શકનારો, પોતાની માગણી મનાવી શકનારો અને એમ કહી શકનારો પુરુષ કે તેને પોતાના સમર્પિત રહે, સબમિસિવ હોય, પોતાની વાતમાં હાએ હા કરે એવી છોકરી જ ગમે છે તો એણે ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવું જોઇએ.

સારી વાત છે કે સોશ્યલ મીડિયાને કારણે આ બકવાસ કરનારો છોકરો, પેલો કહેવાતો હાસ્ય કલાકાર બધાં રડારમાં આવ્યા, ચર્ચાને વાવટે ચડ્યા અને જે પગલાં લઇ શકાય એ લેવાયા. મને જે સૌથી વધારે ખૂંચે છે એ બાબત એ છે કે પેલા શોમાં જે વાત થઈ એમાં પૂછનારો અને બોલનારો તો બે જણ હતા પણ આખું ઑડિટોરિયમ ત્યાં બેઠું હતું અને બધાને આ કોમેન્ટ રમૂજી લાગી. ખુદ સ્ટેજ પરથી હસીને એને ‘પીક ગુરગાંવ કન્ટેન્ટ’ કહીને વધાવી લેવામાં આવી. સવાલ માત્ર એટલો જ કે, કેમ? આ બેહુદો બકવાસ સાંભળીને હસનારા લોકોમાં આપણા સમાજનો આયનો છે. આ આપણી માનસિકતા છે. કૂલ લાગવાના મોહમાં, પછાત ન લાગવાના મોહમાં આપણને બધું જ જાહેરમાં બોલવું છે. ડૉક્ટર સેજલ પવાર આનું બીજું ઉદાહરણ. એ જ શોમાં, એ જ કૂલ દેખાવાની હોડમાં, પોસ્ટમોર્ટમ અને ગુપ્તાંગ વિશે એલફેલ બોલીને એક આખા વ્યવસાયની શાલિનતાનો છેદ ઉડાડી દીધો, એવો વ્યવસાય જેને લોકો ઈશ્વર પછી બીજા સ્થાને મૂકે છે. આ વાત ખરેખર બિરયાનીની છે? 370 રૂપિયાની એક પ્લેટ રાષ્ટ્રીય મુદ્દો કેમ બની? વાત પૈસાની હતી? અહીં વાત માનસિકતાની છે. પુરુષ માને છે કે એ પૈસા ખર્ચે એટલે તેના બદલામાં તેને કંઇ મેળવવાનો અધિકાર મળી જાય છે. સ્ત્રી આખી લેવડ-દેવડ માટે કેટલી તૈયાર છે, કેટલી મંજૂરી આપે છે તેની સાથે એ પુરુષને કોઈ લેવાદેવા જ નથી. આ વલણનાં મૂળિયાં આપણે ત્યાં એટલે ઊંડે સુધી જડાયેલાં છે કે પુરુષો સ્ત્રીઓને એક સ્વતંત્ર, સ્વાયત્ત વ્યક્તિ તરીકે જોવા હજી તૈયાર જ નથી. તેમને માટે તો સ્ત્રી એટલે એવી સહભાગી જેના વહેવારો પર તેનું એટલે કે પુરુષનું નિયંત્રણ છે.

એક બાજુ ભોપાલની ત્વિષા શર્મા છે, જેના પરિવારનો આરોપ છે કે દહેજની માગણીએ તેનો જીવ લીધો, તો બીજી તરફ 370 રૂપિયાની બિરયાની છે. ગંભીરતાનો ક્રમ જુદો છે, મૂળ એક જ છે : સ્ત્રી એટલે લેવડ-દેવડની વસ્તુ. સ્ત્રી સંપત્તિ બની જાય છે, કોઇ પણ સંબંધ, સાથે ગાળેલી કોઈ સાંજ કે એક સાદું ડિનર ડેટ પુરુષ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. હવે તો સ્ત્રીઓ આ પ્રકારના સંજોગોમાં ‘ખર્ચો’ વહેંચી લઇશું એમ કહેતી થઇ છે, કોઈ પુરુષ ક્યારેક આ માટે હા પાડે તો કોઈ ના પાડે અને એ બન્ને જણાંની અંગત સમજ પર આધારિત બાબત છે. પણ કમનસીબે સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોમાં પુરુષો રોકાણ અને વળતરની ગણતરી કરતા થયા છે. સ્ત્રીઓ બધી સતી છે એવું નથી, જરા ય નથી પણ છતાં ય હેરાન થનાર, બદનામ થનાર કે વેઠનાર તો મોટે ભાગે સ્ત્રી જ હોય છે એ પણ વાસ્તવિકતા છે. સમાજ સુધરતો નથી એટલે અમુક સ્ત્રીઓ ક્યારેક પોતાના મૂળ સ્વભાવથી પર જઇને સામી થાય છે. દર વખતે તેમની સામા થવાની શૈલી કે રીત સાચી કે યોગ્ય હોય એવું પણ નથી હોતું. પણ છતાં ય જાહેરમાં એક પુરુષ સ્ત્રીને પોતાની મિલકત માનીને વસૂલીની વાત કરે અને લોકો તાળીઓ પાડીને ખિખિયાટા કરે એ આ આખી ઘટનાનું સૌથી વધુ ચિંતાજનક પાસું હતું. સમાજને પેલી 370ની ટિપ્પણી કરનારો હિમાંશુ જાંગરા નડે એ સારું જ છે પણ છતાં ય તેની પર હસનારા લોકો સમાજની ખરી સમસ્યા છે.

લોકો કેવી વાતો પર હસી નાખે છે એ સાબિત કરે છે કે સમાજને શું ચાલે છે, સમાજ શું સ્વીકારે છે કે સહન કરી લે છે. સ્ત્રી પર ઊતરતી કક્ષાની કોમેન્ટ કરવી એ મનોરંજન હોય તો એ સમાજનો ચહેરો કેવો હોય? સોશ્યલ મીડિયાના જમાનામાં આવી બાબત પહેલાં વાયરલ થઇ અને પછી તેની પર સવાલો ઉઠ્યા. જોવાનું એ પણ છે કે આ વાયરલ જ કેમ થયું? ચાર લોકો વચ્ચે આ વાત પહોંચી પછી ચાળીસ, પછી ચારસો અને પછી વધારે અને તેનાથી વધારે અને પછી ક્યાંક કોઇને સમજાયું કે આ ચાલે એવું નથી અને વિવાદ થયો. આ કાર્યક્રમમાં, આ બોલાયું ત્યારે જ બબાલ થવી જોઇતી હતી અને એ વાયરલ થવા જેવું હતું. આ ટિપ્પણી એડિટ કરીને સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવી, એ જ બતાડે છે કે આમ કરવા પાછળ એક સજાગ પસંદગી હતી, કોઈ આંધળુકિયાં નહોતાં. રમૂજ, વ્યંગ, અશ્લીલતા અને પ્રહસન વચ્ચેનો તફાવત ભૂંસાઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવ અને જસપાલ ભટ્ટી જેવા કલાકારો ખરા વ્યંગકાર હતા. અપમાન કરીને હાસ્ય પેદા કરવાની છીછરી આદત આપણને ગમતી હોય તો આપણે જાત તપાસ કરવાનો વખત આવ્યો છે. જેટલું અંગત એટલું દિલને સ્પર્શે એ વાત સર્જનાત્મકતા માટે સાચી છે પણ અંગત બાબતોમાં માન, સન્માન, ગરિમાને નેવે મૂકી દેવાની શરત તો ક્યાં ય નહોતી લખાઇ તો આપણે ત્યાં કાચા પડ્યા?

આપણે શું ચલાવી લઇએ છીએ એ આપણી માનસિકતા છતી કરે છે. બળાત્કાર, છેડતી, હત્યા જેવા ગુનાના સમાચારો આ વિકાસશીલ દેશમાં ઘટી નથી રહ્યા. સ્વતંત્ર બનેલી સ્ત્રીઓને સલામતી અનુભવવાની સો ટકા સ્વતંત્રતા તો નથી જ મળી. કોર્પોરેટ સી.ઇ.ઓ. હોય તો ભલે તે બતાવતી હોય કે તેને કોઈની સાડાબારી નથી પણ તેનાં કપડાં પર કોઇ ટકોર તો નહીં કરેને એવો એક વિચાર તો તેના મનમાં ય ક્યારેક ઝબકી જતો હશે. કોઇ પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે લાગણીને છીછરી કરી દેવામાં આપણે કરુણા, ક્ષમા, દયા અને સંવેદનાની આખી સંસ્કૃતિનો છેદ ઉડાડી રહ્યાં છીએ. તકલીફ એ જ છે કે સ્ત્રીઓ તો આગળ વધી ગઇ છે, આધુનિક થઇ છે પણ પુરુષો હજી ય ક્યાંક ચોથી પાંચમી સદીની માનસિકતામાં જીવી રહ્યા છે. અને એ સદી બદલવાનું કામ કોઈ એફ.આઇ.આર. નહીં કરે, પિતૃસત્તાક સમાજમાં પુત્ર રત્નોને સરખી રીતે ઉછેરવાની કેળવણી દરેક માતા-પિતાએ મેળવવી અને કેળવવી પડશે, એ જ આજનું સત્ય છે.

બાય ધી વે: 

એફ.આઇ.આર. ત્રણ જણ સામે નોંધાઈ છે, નામ, સરનામાં, સમન્સ સહિત. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે અને સુનાવણી થવાની છે. છોકરો નોકરી ગુમાવી ચૂક્યો છે, કૉમેડિયને પોતાનું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું છે. વ્યવસ્થાએ જે કરવાનું હતું એ બધું થઈ રહ્યું છે એવું લાગે, ખરુંને? પણ એ રાત્રે ઑડિટોરિયમમાં બેઠેલા સેંકડો લોકો, જેમના ખડખડાટ વગર આ ટિપ્પણી ‘કન્ટેન્ટ’ બની જ ન શકી હોત, તેમના નામની કોઈ યાદી નથી, કોઈ સમન્સ નથી, કોઈની નોકરી ગઈ નથી. કાયદો માઇક સુધી પહોંચી શકે છે, તાળીઓ સુધી નહીં. અંધારા ઑડિટોરિયમમાં હસનારાનું નામ ક્યારે ય બહાર નથી આવતું અને એ વાતનો તેમને પૂરો ભરોસો છે. એટલે જ એ બધા અત્યારે કદાચ આવતા શોની ટિકિટ બુક કરી રહ્યા હશે. ટિકિટનો ભાવ? 370 રૂપિયાથી તો વધારે જ હશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—345 

દીપક મહેતા|Opinion - Opinion|14 June 2026

એક પુલ, દો માલી : એક ફ્રેંચ, એક ફ્રેરે      

તુઝે સૂરજ કહું યા ચંદા,

તુઝે દીપ કહું યા તારા?

૧૯૬૯માં આવેલી ફિલ્મ ‘એક ફૂલ દો માલી’નું પડદા પર બલરાજ સાહની ગાતા એ ગીત આજે આટલે વરસે યાદ આવવાનું કારણ? હા, જી. અમને ખબર છે: સુજ્ઞ વાચકો વિમાસણમાં પડ્યા હશે કે મુંબઈના બ્રિજ વિષે વાત કરતાં કરતાં આજે આ ભાઈ ફિલ્મી ગીતને રવાડે કેમ ચડી ગયા? કારણ આજે આપણે મુંબઈના એક બ્રિજનાં બે નામ અંગેની આવી જ વાત કરવાની છે. મુંબઈ પર ક્યારે ય ફ્રેંચ શાસન હતું? ના. તો પછી મુંબઈના એક જાણીતા બ્રિજનું નામ ‘ફ્રેંચ બ્રિજ’ કેમ છે? જવાબ : અંગ્રેજ સરકારના એક અધિકારી, જે પછીથી BBCI રેલવે કંપનીની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા ચેરમેન બન્યા હતા. તેમની યાદગીરીમાં આ બ્રિજનું નામ પાડવામાં આવેલું. એમનું આખું નામ લેફ્ટનન્ટ કર્નલ પેટ્રિક થિયોડોર ફ્રેંચ. જન્મ ૧૮૦૫માં, અવસાન ૧૮૯૦માં. આ રેલવે કંપનીના ચેરમેન બન્યા તે પહેલાં તેઓ ૧૮૪૧-૧૮૪૨ દરમિયાન ‘અપર સિંધ’ના પોલિટિકલ એજન્ટ હતા. ૧૮૪૪માં રાજસ્થાનના જોધપુર ખાતે તેમણે એક્ટિંગ પોલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું. પછી થોડા વખત માટે તેઓ મુંબઈ શહેરના ‘ટાઉન મેજર’ બન્યા અને ૧૮૫૧માં બન્યા વડોદરા રાજ્યના રેસિડન્ટ. ૧૮૫૫માં BBCI રેલવે કંપની શરૂ થઈ ત્યારે તેના પહેલા અધ્યક્ષ બન્યા. 

ચાલો, એક આંટી તો ઉકેલાઈ ગઈ. ના, ના. વધુ ગૂંચવાઈ છે. કારણ મુંબઈની મ્યુનિસિપાલિટીના અને રેલવેના જૂના દફતરોમાં આ બ્રિજ ‘ફ્રેંચ બ્રિજ’ તરીકે નહિ, પણ ‘ફ્રેરે બ્રિજ’ તરીકે નોંધાયેલો છે! આજે પણ મુંબઈની મ્યુનિસિપાલિટીનો Mumbai Legacy Project આ બ્રિજને ‘ફ્રેરે બ્રિજ’ તરીકે જ ઓળખાવે છે, ફ્રેંચ બ્રિજ તરીકે નહિ. અને ગૂગલ દેવતાનો નકશો ઉઘાડો તો તેમાં પણ નામ મળશે ‘ફ્રેરે બ્રિજ. તો આ ‘ફ્રેરે’ વળી ક્યાંથી ટપકી પડ્યો? એ હતો કોણ? 

લેફ્ટનન્ટ કર્નલ પેટ્રિક થિયોડોર ફ્રેંચ

જનમેજય કહે સુણો રાજન! ૧૮૬૨થી ૧૮૬૭ સુધી મુંબઈના ગવર્નર હતા તેઓ શ્રી. આખું નામ સર હેન્રી બાર્ટલ એડવર્ડ ફ્રેરે, પહેલા બેરોનેટ. ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે જન્મ. ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે અવસાન. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોલેજનો અભ્યાસ પૂરો કરી ૧૮૩૪માં તેઓ હિન્દુસ્તાન આવ્યા અને બોમ્બે પ્રેસિડન્સીની મુંબઈ ખાતેની ઓફિસમાં એક સાધારણ ‘રાઈટર’ (ક્લાર્ક) તરીકે જોડાયા. એ વખતે બોમ્બે પ્રેસિડન્સીની સરકારમાં જોડાનાર દરેક અંગ્રેજ માટે ઓછામાં ઓછી એક ‘દેશી’ ભાષા જાણવાનું ફરજિયાત હતું. મરાઠી ભાષાની પરીક્ષા પસાર કર્યા પછી તેમની નિમણૂક ૧૮૩૫માં પૂણેના અસિસ્ટન્ટ કલેકટર તરીકે થઈ. સરકારી સીડીનું એક એક પગથિયું ચડતાં ચડતાં છેવટે ૧૮૬૨માં તેમની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. હિન્દુસ્તાનમાંની કંપની સરકારની રાજવટ પૂરી થઈ તે પછી ગ્રેટ બ્રિટનના ‘તાજ’ દ્વારા નીમાયેલા તેઓ પહેલવહેલા ગવર્નર.

હતા તો સરકારી નોકર, પણ કામ કરવાની રીત સરકારી નોકર જેવી નહિ. લોકોના હિત માટે પોતાને જે સાચું અને સારું લાગે તે કરવાનું. વળી રાજા વીર વિક્રમની જેમ અવારનવાર નગરચર્યા કરવા નીકળી પડે. એ વખતનું મુંબઈ બે ભાગમાં વહેંચાયેલું : કોટ, અને બહાર કોટ. તેમાં બહાર કોટમાં એક મકાન. ગવર્નર ફ્રેરેએ નોંધ્યું કે દર બે-પાંચ મહીને મકાનમાં એક-એક માળ વધતો જતો હતો અને હવે તો તે પાંચ માળનું બની ગયું હતું. ગયા મકાન માલિકને મળવા. ‘આ વખતોવખત મકાનમાં નવા માળ કેમ બાંધો છો?’ ‘શું કરીએ સાહેબ! મકાન છે કોટ ફરતી ખાઈની બાજુમાં. તેમાં બારે માસ ગંધાતું પાણી રહે. ગંદકીનો પણ પાર નહિ. મારાં ત્રણ છોકરાં મરી ગયાં, રોગનો ભોગ બનીને. એટલે ખાઈની ગંદકીથી બચવા નવા નવા માળ ઉમેરું છું.

બીજે દિવસે ગવર્નરસાહેબે બધા લાગતાવળગતા અમલદારોની મીટિંગ બોલાવી. કહે : ‘એક જમાનામાં દુ:શ્મનોના આક્રમણથી બચવા કોટ જરૂરી હતો. પણ આજે હવે, ૧૮૫૭ પછી, કોઈની મગદૂર નથી કે મુંબઈ પર નજર બગાડે. એટલે હવે કોટ નકામો થઈ ગયો છે. વહેલામાં વહેલી તકે તેને તોડવાનું કામ શરૂ કરો.’ અમલદારો તો ડઘાઈ ગયા. જરા વારે હિંમત કરી બોલ્યા : ‘પણ સાહેબ! આવા મોટા કામ માટે તો લંડનથી પરવાનગી મેળવવી પડે. એ વગર તાજના પૈસા આપણે વાપરી કઈ રીતે શકીએ?’

‘તાજનો એક સેન્ટ પણ આપણે વાપરશું નહિ. કિલ્લો તોડ્યા પછી, ખાઈ પૂર્યા પછી, જે જમીન છુટ્ટી થશે તે બજાર ભાવે વેચશું. તેમાંથી જે આવક થશે તે કોટ તોડવાના ખરચ કરતાં ઘણી વધુ હશે.’ અને પછી મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ તૂટ્યો, અને એ પણ એવી રીતે કે એની એકાદ ઈંટ પણ યાદગીરી રૂપે સચવાઈ નહિ. આ ગવર્નર સાહેબના નામનો એક રસ્તો પણ મુંબઈમાં હતો, ફ્રેરે રોડ. આઝાદી પછી તેનું નામ બદલીને પી. ડીમેલો રોડ કરવામાં આવ્યું. તેઓ એક જમાનામાં જાણીતા સમાજવાદી મજૂર સંગઠનના નેતા હતા. 

સર બાર્ટલ ફ્રેરે 

પણ હજી પેલો કોયડો તો ઉકેલાયો નહિ. ફ્રેરે બ્રિજ કઈ રીતે બન્યો ફ્રેંચ બ્રિજ? ૧૯૧૭માં પ્રગટ થયેલા પુસ્તક Bombay Place-names and Street-namesમાં Samuel T. Sheppard જણાવે છે કે ફ્રેરે બ્રિજ ૧૮૬૬માં બંધાયેલો. પણ આ સાલ સ્વીકારવી મુશ્કેલ છે. કારણ BBCI રેલવેના ગ્રાન્ટ રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે થયું. એ કંપનીનું મુંબઈનું આ પહેલવહેલું ટર્મિનસ. એટલે કે એ વખતે એ કંપનીના ટ્રેનના પાટા ગ્રાન્ટ રોડથી આગળ જતા નહોતા. તો પછી પાટા ઓળંગવા માટે ૧૮૬૬માં બ્રિજ બાંધવાની જરૂર જ શા માટે પડે? તે પછી ચર્ની રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૮ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે થયું. અને મરીન લાઈન્સ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૯ના જૂનની ૧૯મી તારીખે થયું. બ્રિજ બાંધવાની જરૂર પડે એટલી હદે ટ્રેનોની આવનજાવન વધતાં થોડાં વરસ તો લાગ્યાં જ હોય. ત્યાં સુધી ફાટકથી કામ ચાલ્યું હોય. એટલે બોમ્બે સિટી ગેઝેટિયર (ભાગ ૧, પાનું ૫૦૯) ફ્રેંચ કે ફ્રેરે બ્રિજ બંધાયાની સાલ ૧૮૮૬ આપે છે તે વધારે યોગ્ય લાગે છે. આ બ્રિજ ખાસ્સો લાંબો છે. લેમિંગ્ટન રોડ અને ગ્રાન્ટ રોડના નાકા આગળથી શરૂ થઈને આ બ્રિજ નાના ચોક આગળ પૂરો થાય છે. નાના ચોક આગળ છ રસ્તા ભેગા થાય છે. એટલે વાહનો અને રાહદારીઓની જબરી ભીડ. એ દૂર કરવા માટે આ બ્રિજના નાના ચોકના છેડા પર છ રસ્તાને જોડતો સ્કાઈ વોક બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૧૪ના જુલાઈની ૨૩મી તારીખે થયું હતું. એ દિવસે ભારતીય જનતા પાર્ટીના ‘સ્વયંસેવકો’એ કાળા વાવટા ફરકાવીને આ બ્રિજનો વિરોધ કર્યો હતો. કેમ? તો કે એ બ્રિજની નીચે આવેલા જગન્નાથ શંકરશેઠના પૂતળાને યોગ્ય રીતે શણગારવામાં આવ્યું નહોતું એટલે! આજે આપણને માનતાં વાર લાગે, પણ ૫૮૫ મીટર લાંબો આ લંબગોળ બ્રિજ બાંધવા પાછળ ૫૦.૪ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. પણ હકીકતમાં આ બ્રિજ બાંધવાનો ખર્ચ તેના કરતાં ઓછો થયો હતો, ૪૩.૧૨ કરોડ રૂપિયા! 

લંબગોળ સ્કાઈ વોક, નાના ચોક 

અસલ ફ્રેરે  બ્રિજ જૂનો પુરાણો થઈ જતાં ૧૯૨૧માં તેને ફરી બાંધવામાં આવ્યો. આ કામ કરેલું BBCI રેલવેએ, અને એટલે તે વખતે રેલવેએ તેનું નામ બદલીને રાખ્યું ફ્રેંચ બ્રિજ. ૧૯૨૧માં જ્યારે તે બંધાયો ત્યારે તે વખતની અદ્યતન ટેકનોલોજી પ્રમાણે બંધાયો હતો. અને તેના પરથી ટ્રામ પણ પસાર થતી હતી. આ લખનાર ન્યૂ ઈરા સ્કૂલમાં ભણતો ત્યારે વરસો સુધી આ બ્રિજ પરથી પસાર થતી ટ્રામમાં બેસીને ગોવાળિયા ટેંક ઊતરીને સ્કૂલે જતો. 

આ બ્રિજની આસપાસનો વિસ્તાર એક જમાનામાં ગુજરાતી અને મરાઠી સંસ્કૃતિની પ્રવૃત્તિઓથી ધમધમતો હતો. લેમિંગ્ટન રોડ એટલે આજે કમ્પ્યુટર બજાર. એક જમાનામાં એ બુક બજાર હતું. ગુજરાતી અને મરાઠી છાપખાનાં, નાટકશાળાઓ, સુધારાની પ્રવૃત્તિને વેગ આપતી સંસ્થાઓ, તથા કેટલીક જાણીતી શિક્ષણ સંસ્થાઓ તેની આસપાસના વિસ્તારમાં આવી હતી. આઝાદી માટેની ચળવળની પણ ઘણી મહત્ત્વની ઘટનાઓનો આ બ્રિજ સાક્ષી બન્યો હતો. ૨૦૧૯માં આ પુલ જોખમી જણાતાં તેને તોડવાને બદલે સમારકામ કરવામાં આવ્યું. કેટલાંક કટાઈ ગયેલાં ગર્ડર બદલવામાં આવ્યાં જ્યાં ચણતરકામ ખવાઈ ગયું હતું ત્યાં ફરી કરવામાં આવ્યું અને ૨૦૨૦માં આ બ્રિજ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો. 

આ બ્રિજનું નામ ફ્રેરે બ્રિજ, કે ફ્રેંચ બ્રિજ? આપણા મરાઠીભાષી બહેન-ભાઈઓ કહે તેમ ‘ગમ્મત કાય ઝાલી આહે’ કે પાક્કા મુંબઈગરા તો આ બ્રિજને નથી ઓળખતા ફ્રેંચ બ્રિજ તરીકે, કે નથી ઓળખતા ફ્રેરે બ્રિજ તરીકે. તેમને માટે તો એ છે ‘ગ્રાન્ટ રોડનો બ્રિજ.’ કારણ એ આવ્યો છે ગ્રાન્ટ રોડ સ્ટેશનની નજીક.

૧૯૫૫માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘નાગ દેવતા’માં ગીતા દત્ત અને પિનાકિન શાહે ગાયેલું: ‘કોઈ રે ઉકેલો આંટી, જેની પડે ન પાઈ રાતી.’ આજે બ્રિજના નામની આંટી તો ઉકલી, પણ હવે પછી આપણે ઉકેલવાની છે એક આંટી નહિ, પણ એક જબરી ગૂંચ. મુંબઈની સૌથી વધુ જાણીતી બે-પાંચ જગ્યાઓમાંની એક જગ્યાના નામ અંગેની ગૂંચ.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 મે 2026

Loading

आप लोकतंत्र के योग्य हैं कि नहीं  

कुमार प्रशांत|Opinion - Opinion|13 June 2026

कुमार प्रशांत

जब भारत की न्यायपालिका के सर्वोच्च न्यायाधीश सूर्यकांत साहब, भारतीय गर्मी से बेहाल अपने 77 न्यायाधीशों की टोली लेकर केंद्रीय कानून मंत्री के शीतल साये में लंदन में छुट्टियां मनाते हुए, बैडमिंटन खेल रहे थे, मध्यप्रदेश में चुनाव आयोग सरकार के साथ मिल कर बैडमिंटन खेल रहा था. नतीजा यह हुआ कि मध्यप्रदेश के किसी चुनाव अधिकारी ने कांग्रेस की मीनाक्षी नटराजन की राज्यसभा की उम्मीदवारी का पर्चा खारिज कर दिया. वे बैठे-बैठे हार गईं. अदालत की मौन सहमति से  भारतीय जनता पार्टी के सभी 3 उम्मीदवार बैठे-बैठे जीत गए. यह हमारा नया लोकतंत्र है. फैसला आपको करना है कि आप इस लोकतंत्र के लायक हैं या नहीं.

मध्यप्रदेश में हार कर मीनाक्षीजी की कांग्रेस जब चुनाव आयोग के दरवाजे पहुंची तो उसे बताया गया कि आज दरवाजा बंद है. जब खुलेगा तब आना. एकदम सौ टंच खरा लोकतंत्र है यह ! याद कीजिए, जब बिहार से बंगाल तक करोड़ों मतदाता अपना वोट नहीं डाल सके थे और वे सर्वोच्च न्यायालय के दरवाजे पहुंचे तो न्यायालय ने भी यही कहा था : आज न्याय का दरवाजा बंद है. जल्दी क्या है, अगले चुनाव में वोट डाल लेना ! ऐसा समभाव ! नेता आएं कि जनता, दरवाजा बंद है तो बंद है. लोकतंत्र ऐसा ही होना चाहिए- सबके लिए समभाव !

वैसे मीनाक्षीजी और राहुल गांधी की कांग्रेस को यह पहचानना चाहिए कि वे दोनों हार तो तभी गए थे जब उन्हें अपने 62 विधायकों को हवाई जहाज में बिठा कर कर्नाटक भेजना जरूरी लगा था. कांग्रेस अपने पतन की यह दशा समझ पा रही है ? पिछले लंबे समय से राहुल गांधी अपने कांग्रेस के संगठन को संवारने की जो कोशिशें कर रहे हैं, वह कहां पहुंची है, इसका एक नमूना मध्यप्रदेश के वे 62 विधायक हैं जिनका ख़ुद पर या जिन पर संगठन का इतना भी भरोसा नहीं है कि वे किसी भी हाल में संघी-जाल में नहीं फंसेंगे. जब कांग्रेस अपने राजनीतिक अस्तित्व के सबसे नाज़ुक दौर से गुजर रही है, सारा देश देख रहा है कि राहुल-प्रियंका अपना सारा बल समेट कर इसे पटरी पर लाने में जुटे हैं, संघ परिवार इनसे भयभीत है अौर अपनी पूरी ताकत व चातुरी से इन्हें बदसूरत साबित करने में लगा है, तब राहुल-प्रियंका को इतना भरोसा भी नहीं है कि उनके विधायक न खरीदे जा सकते हैं, न डराए जा सकते हैं. उनके विधायकों में इतना राजनीतिक शील भी नहीं बचा है कि वे अपने नेतृत्व से बता दें कि वे न डरेंगे, न बिकेंगे. क्या कांग्रेस में सिंधिया-संस्कृति से अलग कुछ भी नहीं बचा है; राहुल गांधी की कोशिशों से कुछ भी नहीं बना है ? कांग्रेस के संकट का असली चेहरा यही है.

कांग्रेस के इस आंतरिक पतन को भाजपा का वाह्य व आंतरिक पतन पहचानता है. वह उसका फायदा उठाता है. संघ परिवार हमेशा से इसी दर्शन में मानता आया है कि अपना फायदा ही पहला व अंतिम फायदा है. वह जो मानता है, उसी अनुरूप चलता है. कांग्रेस अब कुछ मानती नहीं है, वह केवल चाहती है. चाहने से कुछ मिलता नहीं है, यह वह भूल गई है.  यह कांग्रेस का संकट है. वह इस सच को पहचाने कि नहीं, वह इससे जूझे कि नहीं, यह वह जाने.

ऐसा ही कुछ ममता बनर्जी के साथ हुआ. अपनी तृणमूल कांग्रेस को उन्होंने कभी समझाया ही नहीं कि इस तृण का मूल कहां है. उन्हें सत्ता की तलाश थी, सो उन्होंने यही सच सबको समझाया कि सत्ता जैसे व जहां मिले, हथियानी है. इस अंधे, अनैतिक दर्शन में इतनी ही संभावना है कि वह आपको दो-चार चुनाव जिता दे. उसने ममताजी को जिता दिया. वे जीतती गईं, और फिर हार गईं. ऐसी हारीं कि अब वापसी संभव नहीं है. सारे क्षेत्रीय दल इसी दर्शन से चलते आए हैं और अपनी वक्ती जीत को अपनी असली ताक़त मान कर फूलते रहे हैं. गुब्बारा फूलने की भी एक हद तो होती है न ! फिर वह फूट जाता है. फूट जाता है, तो फिर फूलता नहीं है. नेतृत्व की कसौटी यही है कि वह बताए-सिखाए कि हवा कब, कितनी भरनी है और कब ठहर जाना है. इसलिए प्राय: सभी क्षेत्रीय दल अपने अस्तित्व की अंतिम कगार पर हैं. तमिलनाड के थलपति विजय इससे कुछ सीख सकें, तो सीखें. उनके सामने संभावनाओं का संसार खुला धरा है. उस संसार को समेटने का इल्म उनमें है कि नहीं, विजय को साबित करना है. वे दूसरे चंद्रबाबू नायडू बनेंगे तो हाराकिरी करेंगे.

भारतीय राजनीति भी आज अत्यंत संभावनाओं के समक्ष खड़ी है. एक तरफ संघ परिवार है जो सत्ता का सत्य समझ चुकी है और इसलिए वह ऐसा हर कुछ कबूलती जा रही है जो उसके ही घोषित आदर्शों के विपरीत है. संघ जिस रास्ते पर चल पड़ा है उससे उसकी वापसी भी मुश्किल है. आज इनके हाथ से सत्ता निकल जाए तो यह सारा ढांचा खोखला हो कर भहरा जाएगा. इस सरकार की भी अपनी कोई नैतिक रीढ़ नहीं है. यह सत्ता-लोभ की गोंद से चिपकी हुई है और सांप्रदायिकता व दूसरी तमाम संकीर्णताओं के उन्माद को अपनी ताकत बना रही है. यह बहुमत खो चुकी है और जिस बैसाखी पर यह चल रही है वह लगातार कमजोर होती जा रही है.

दूसरी तरफ खंड-खंड विपक्ष है. राजनीतिक सार्थकता की निम्नतम पायदान पर यह खड़ा है. इसे यहां से उठना ही है, क्योंकि इससे नीचे जाने की कोई जगह नहीं है. राहुल गांधी को इस बात का श्रेय है कि उन्होंने न केवल कांग्रेस को खड़ा रखा है बल्कि विपक्ष का राष्ट्रीय कद भी बना कर रखा है. इंडिया गठबंधन कांग्रेस की अक्षमता व दूसरे घटकों की बेमाप आकांक्षा का शिकार रहा है. ये सभी साथ आने के लिए साथ नहीं आए, अपना-अपना सिक्का जमाने व जताने के लिए साथ आए. इन्होंने राज्यों को राज की तरह बांट लिया – बंगाल ममता का, उत्तरप्रदेश अखिलेश का, बिहार यशस्वी का, महाराष्ट्र उद्धव का, वामपंथियों ने केरल को अपना घोषित कर लिया, कश्मीर अब्दुल्ला-मुफ्ती की अपनी खिचड़ी कश्मीर में.   कांग्रेस को इन सबने अपने राज से दूर रखने की सावधानी रखी और अब हाल यह है कि ये सब टके सेर हुए जा रहे हैं. ये चाहते थे कि जो उच्छिष्ट बचा है, राहुल उसी में सीमित रहें. इस हाल में भी राहुल भारत से छोटी पहचान से जुड़े नहीं.

उन्होंने इन सबसे अलग हो कर जब कदम बाहर निकाला तो भारत जोड़ो की हवा बहाई. भाजपा को पता है कि जाति-धर्म-भाषा-लिंग से ऊपर उठी यह भारतीयता उसके लिए खतरा है अौर राहुल कांग्रेस को साथ ले कर देश में यह भाव जगा सकते हैं. इसलिए प्रधानमंत्री से ले कर भाजपा का हर छुटभैय्या राहुल को पप्पू अौर नेहरूवाली कांग्रेस को नाकारा साबित करने में जुटी रही. शुरू में इसने एक माहौल बनाया भी जिसे अंधभक्तों ने ख़ूब उछाला. लेकिन इतिहास भी अपना चक्र पूरा करता ही है. अब उस माहौल की हवा निकल रही है. यह नई राजनीतिक बेचैनी है जो संघ परिवार को घेरती जा रही है.

जब दोनों तरफ अपनी-अपनी तरह की बेचैनी फैली हो तभी नई पहल का सही समय होता है. तिकड़म अलग चीज है. इस कला में भारतीय जनता पार्टी व सरकार को महारत हासिल है. जिसने नैतिकता, संविधान, लोकतांत्रिक परंपरा आदि-आदि को गंदे कपड़ों-सा उतार फेंका हो, उन सबके लिए ऐसी महारत हासिल करना संभव है. भारतीय जनता पार्टी इसी मुकाम पर खड़ी है. वह कोई नई पहल नहीं कर सकती है. इसलिए कोई नई पहल संभव है तो ‘इंडिया’ की तरफ से संभव है. शर्त यह है कि वह पहल शुद्ध हो, संविधानसम्मत हो, लोकतंत्र के बुनियादी असूलों को पूरा करती है और सारे देश को समेट कर चलती हो. विपक्ष वाली तिकड़मों की भी यहां जगह नहीं होगी. क्या कांग्रेस के नेतृत्ववाली ‘इंडिया’ में यह समझ व प्रतीति है ? देश यही समझना चाहता है, देश यही होता हुआ देखना चाहता है.

(13.06.2026) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...37383940...506070...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved