જે આ ગાંડપણમાં ભળશે નહીં
માર્યા જશે
કઠેડામાં ઊભા કરી દેવાશે
જે વિરોધમાં બોલશે
જે સાચું બોલશે, માર્યા જશે
સાંખી નહીં લેવાઈ કોઈનું ખમીસ
હોય
‘એમના’ ખમીસથી વધુ સફેદ
જેના ખમીસ પર ડાઘ નહીં હોય, માર્યા જશે
ધકેલી દેવાશે કલાની દુનિયાની બહાર
જે ચારણ નથી
જે ગુણ નહીં ગાય, માર્યા જશે
ધર્મની ધજા ઉઠાવી જે નહીં જાય સરઘસમાં
ગોળીઓ વીંધી નાખશે એમને, દ્રોહી ગણવામાં
આવશે
સૌથી મોટો અપરાધ આ સમયે
છે નિ:શસ્ત્ર અને નિર્દોષ હોવું
જે અપરાધી નથી
માર્યા જશે.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

