Opinion Magazine
Number of visits: 9962726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભ્રષ્ટ રાજનીતિમાં આદર્શ યુવાનો શા માટે આવે …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 December 2021

ભારતમાં યુનિવર્સિટીઓ 'વાંઝણી' થઇ ગઈ છે. યુનિવર્સિટીઓમાંથી લીડર પેદા થતા બંધ થઇ ગયા છે. ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણને તેની ચિંતા સતાવે છે. દેશમાં પાછલા અમુક દાયકાઓથી વિધાર્થી સમુદાયમાંથી કોઈ મોટો લીડર નથી આવ્યો, એવું જજ સાહેબે કહ્યું છે.

તાજેતરમાં નેશનલ લો યુનિવર્સિટીના કોન્વોકેશન પ્રસંગે જસ્ટિસ રમણ બોલ્યા હતા કે, "વિધાર્થીઓ સમાજનો અભિન્ન હિસ્સો છે. તેઓ અલગથલગ જીવી ન શકે, પરંતુ ભારતીય સમાજ પર નજર રાખવાવાળી વ્યક્તિને ધ્યાનમાં આવશે કે છેલ્લા અમુક દાયકાઓથી વિધાર્થીઓમાંથી કોઈ મોટો લીડર આવ્યો નથી."

જસ્ટિસ રમણે તેનું કારણ આપતાં કહ્યું હતું કે ભારતમાં આર્થિક ઉદારીકરણ પછી સામાજિક મુદ્દાઓમાં વિધાર્થીઓની ભાગીદારી ઓછી થઇ ગઈ છે. તેમનો ઈશારો એવું કહેવાનો હતો કે ઉદારીકરણના પગલે પૈસા કમાવાની અને વાપરવાની ઊભી થયેલી જબરદસ્ત તકોના કારણે યુવાનો ભૌતિક સુખ-સુવિધા મેળવવામાં પડી ગયા છે, અને સામાજિક-રાજકીય મુદ્દાઓમાં તેમનો રસ ઘટી ગયો છે.

જજ સાહેબનો મુદ્દો સાચો છે. વિધાર્થીઓમાં જાહેર જીવનમાં આવવા માટેની પ્રેરણા ઘટતી જાય છે. એનું કારણ, તેમણે નોંધ્યું તેમ, ભૌતિક સુખ-સુવિધાઓની લાલચ હશે જ. કોઈ કોર્પોરેટ કંપનીમાં વર્ષે દહાડે જો ૨૦-૨૫ લાખના પગારનું પેકજ મળતું હોય, તો કયો વિધાર્થી આવેદનપત્રો આપવાની કે ભૂખ હડતાલ કરવાની કે મોરચા કાઢવાની જફામાં પડે?

પણ આ એક જ કારણ છે? જજ સાહેબ જાણકાર અને અનુભવી વ્યક્તિ છે. રાજનીતિમાં સક્રિય વિધાર્થીઓ સાથે પોલીસ, ન્યાયતંત્ર અને સ્થાપિત રાજકીય પક્ષો કેવો વ્યવહાર કરે છે તે હકીકત પણ તેમનાથી છૂપી નહીં હોય. વિધાર્થીઓ નેતાઓને ‘લીડર’ બનવા દેવાને બદલે ક્રિમીનલ બનાવી દેવાનું કામ પણ એટલું જ તાકાતથી થઇ રહ્યું છે, જેટલી તાકાતથી તેમને કંપનીઓમાં મેનેજર બનવા માટે લલચાવવામાં આવે છે.

રાજનીતિ એક જમાનામાં સૌથી નૈતિક કર્મ કહેવાતું હતું. રાજનીતિનું જેમ જેમ પતન થયું છે, તેમ તેમ તેમાં સારા માણસો આવતા બંધ થઇ ગયા છે. વિધાર્થીઓમાંથી કેવા-કેવા લીડર આવ્યા હતા! ‘સંપૂર્ણ ક્રાંતિ’ના જનક જયપ્રકાશ નારાયણ, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવ, હાલના મુખ્ય મંત્રી નિતીશ કુમાર બિહારના વિધાર્થી નેતા હતા.

બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, સ્વર્ગસ્થ અરુણ જેટલી, સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજે યુનિવર્સિટી કેમ્પસમાં રાજનીતિના પાઠ ગોખ્યાં હતા. આસામના સૌથી યુવા મુખ્ય મંત્રી બનેલા પ્રફુલ્લ કુમાર મહંત શક્તિશાળી અખિલ ભારતીય આસામ વિધાર્થી સંઘના નેતા અને પાછળથી અધ્યક્ષ બન્યા હતા. ૧૯૭૪માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ સામે અમદાવાદની એલ.ડી. કોલેજમાંથી નવનિર્માણ અંદોલન શરૂ થયું હતું. ચીમનભાઈ પટેલ ખુદ વિધાર્થી નેતા હતા, અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના સૌથી પહેલા અધ્યક્ષ ચૂંટાયા હતા.

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર પોલિટીકલ સ્ટડીઝનાં પ્રોફેસર ડો. સુધા પાઈ ‘ધ હિંદુ’ અખબારમાં એક જગ્યાએ કહે છે કે, “વિધાર્થી રાજનીતિનું દેશભરમાં દરેક જગ્યાએ પતન થયું છે, પણ તેના માટે માત્ર વિધાર્થીઓ જ દોષિત નથી. રાજકીય પક્ષોએ પણ ઘણું આત્મમંથન કરવાની જરૂર છે. મોટા રાજકીય પક્ષો તેમને આંબા-પીપળી બતાવીને ભ્રષ્ટ બનાવી દે છે, અને તેમને તેની ખબર પડે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.”

દિલ્હીની ઝાકીર હુસેન કોલેજના પોલિટીકલ સાયન્સના ફેકલ્ટી રવિ રંજન એ જ લેખમાં કહે છે, “દેશના મોટાભાગના પક્ષો ભાવિ લીડરોની આળપંપાળ કરવાને બદલે પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાઓને સિંચવાનું કામ કરે છે. આવા પક્ષોએ અંગત હિતોને પ્રોત્સાહન આપીને તેમ જ સેવાને બદલે પૈસાને મહત્ત્વ આપીને વિધાર્થી ચળવળને અને રાજનીતિને બદનામ કરી છે. વિધાર્થી રાજનીતિ શું કહેવાય અને તેમાં શું કરવું જોઈએ તેનો એક પણ રાજકીય પક્ષ પાસે કાર્યક્રમ નથી.”

આનું સૌથી તાજું ઉદાહરણ અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી અંદોલન છે. ૨૦૧૧માં, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના નામથી અન્ના અને અન્ય નેતાઓએ પાટનગરમાં જબ્બર અંદોલન કર્યું હતું. તેમાં યુવાનોની હિસ્સેદારી સૌથી વધુ હતી. બધાને ભ્રષ્ટાચાર મુક્ત ભારત જોવું હતું. આખા દેશના યુવાનોમાં તેનાથી જોશ આવી ગયો હતો અને ખૂણે-ખૂણે વિધાર્થીઓએ તેનો ઝંડો ઉપાડી લીધો હતો.

એ અંદોલનના કારણે જ ડો. મનમોહન સિંહની સરકારનું પતન થયું હતું અને ૨૦૧૪માં ‘અબ કી બાર મોદી સરકાર’ માટે રસ્તો સાફ કર્યો હતો. આજે એ અંદોલનનું શું થયું? જન લોકપાલ બેસાડવાનું શું થયું? ભ્રષ્ટાચાર ઘટ્યો કે વધ્યો? એમાંથી જ આમ આદમી પાર્ટીનો જન્મ થયો હતો. કેજરીવાલને યાદ પણ છે કે તેઓ ક્યા હેતુથી રાજનીતિમાં આવ્યા હતા? એ અંદોલનના ઘણા નેતાઓ આજે સત્તામાં છે અને અને એ સત્તા કેમ જાળવી રાખવી તેમાં મશગૂલ છે.

એ આખું અંદોલન સત્તા માટેનું હતું. જજ સાહેબ કહે છે તેવી વિધાર્થીઓની હિસ્સેદારી ઇન્દિરા ગાંધીની કટોકટીમાં ભારતે જોઈ હતી. આજે જે જવાહરલાલ યુનિવર્સિટીના કેમ્પસને બદનામ કરવામાં આવે છે, તેના જ વિધાર્થીઓએ ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીના રાક્ષસી દમન સામે લડાઈ કરી હતી.

એક અંદોલનમાં વિધાર્થીઓએ સત્તાને ઝુકાવી હતી, બીજા અંદોલનમાં સત્તા મેળવવા માટે વિધાર્થીઓને હાથો બનાવવામાં આવ્યા હતા.  ભારતની વિધાર્થી રાજનીતિની આટલી પ્રગતિ છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 ડિસેમ્બર 2021

Loading

एक योद्धा संत का अंत

कुमार प्रशांत|Opinion - Opinion|27 December 2021

ऑज के इस बौने दौर में डेसमंड टूटू जैसे किसी आदमकद का जाना बहुत कुछ वैसे ही सालाता है जैसे तेज आंधी में उस आखिरी वृक्ष का उखड़ जाना जिससे अपनी झोंपड़ी पर साया हुआ करता था. जब तेज धूप में अट्टहास करती प्रेत छायाओं की चीख-पुकार की सर्वत्र गूंजती हो तब वे सब लोग खास अपने लगने लगते हैं जो संसार के किसी भी कोने में हों लेकिन मनुष्यता का मंदिर गढ़ने में लगे थे, लगे रहे और मंदिर गढ़ते-गढ़ते ही विदा हो गए. यह वह मंदिर है जो मन-मंदिर में अवस्थित होता है; और एक बार पैठ गया तो फिर आपको चैन नहीं लेने देता है. गांधी ने अपने हिंद-स्वराज्य में लिखा ही है न : “ एक बार इस सत्य की प्रतीति हो जाए तो  इसे दूसरों तक पहुंचाए बिना हम रह ही कैसे सकते हैं !”

डेसमंड टूटू एंगलिकन ईसाई पादरी थे लेकिन ईसाइयों की तमाम दुनिया में उन जैसा पादरी गिनती का भी नहीं है;  डेसमंड टूटू अश्वेत थे लेकिन उन जैसा शुभ्र व्यक्तित्व खोजे भी न मिलेगा; डेसमंड टूटू शांतिवादी थे लेकिन उन जैसा योद्धा उंगलियों पर गिना जा सकता है. थे तो वे दक्षिण अफ्रीका जैसे सुदूर देश के लेकिन हमें वे बेहद अपने लगते थे क्योंकि गांधी के भारत से और भारत के गांधी से उनका गर्भ-नाल वैसे ही जुड़ा था जैसे उनके समकालीन साथी व सिपाही नेल्सन मंडेला का. इस गांधी का यह कमाल ही है कि उसके अपने रक्त-परिवार का हमें पता हो कि न हो, उसका तत्व-परिवार सारे संसार में इस कदर फैला है कि वह हमेशा जीवंत चर्चा के बीच जिंदा रहता है. गांधी के हत्यारों की यही तो परेशानी है कि लंबे षड्यंत्र और कई असफल कोशिशों के बाद के, 30 जनवरी 1948 को जब वे उसे 3 गोलियों से मारने में सफल हुए तो पता चला कि यह आदमी उस रोज मरा ही नहीं. उस रोज हुआ इतना ही कि यह आदमी भारत की परिधि पार कर, सारे संसार में फैल गया. डेसमंड टूटू संसार भर में फैले इसी गांधी-परिवार के अनमोल सदस्यों में एक थे. खास बात यह भी थी कि वे उसी दक्षिण अफ्रीका के थे जिसने बैरिस्टर मोहन दास करमचंद गांधी को सत्याग्रही गांधी बना कर संसार को लौटाया था. गांधी की यह विरासत मंडेला व टूटू दोनों ने जिस तरह निभाई उसे देख कर महात्मा होते तो निहाल ही होते.

श्वेत आधिपत्य से छुटकारा पाने की दक्षिण अफ्रीका की लंबी खूनी लड़ाई के अधिकांश सिपाही या तो मौत के घाट उतार दिए गए या देश-बदर कर दिए गए या जेलों में सदा के लिए दफ्न कर दिए गए.  डेसमंड टूटू इन सभी के साक्षी भी रहे और सहभागी भी फिर भी वे इन सबसे बच सके तो शायद इसलिए कि उन पर चर्च का साया था. 1960 में वे पादरी बने और चर्च के धार्मिक संगठन की सीढ़ियां चढ़ते हुए 1985 में जोहानिसबर्ग के बिशप बने. अगले ही वर्ष वे केप टाउन के पहले अश्वेत आर्चबिशप बने. दबा-ढका यह विवाद तो चल ही रहा था कि डेसमंड टूटू समाज व राजनीति के संदर्भ में जो कर व कह रहे हैं क्या वह चर्च की मान्य भूमिका से मेल खाता है ? सत्ता व धर्म का जैसा गठबंधन आज है उसमें ऐसे सवाल केवल सवाल नहीं रह जाते हैं बल्कि छिपी हुई धमकी में बदल जाते हैं. डेसमंड टूटू ऐसे सवाल सुन रहे थे और उस धमकी को पहचान रहे थे. इसलिए आर्चबिशप ने अपनी भूमिका स्पष्ट कर दी : “मैं जो कर रहा हूं और जो कह रहा हूं वह आर्चबिशप की शुद्ध धार्मिक भूमिका है. धर्म यदि अन्याय व दमन के खिलाफ नहीं बोलेगा तो धर्म ही नहीं रह जाएगा.” वेटिकन के लिए भी आर्चबिशप की इस भूमिका में हस्तक्षेप करना मुश्किल हो गया.

रंगभेदी शासन के तमाम जुल्मों की उन्होंने मुखालफत की. वे नहीं होते तो उन जुल्मों का हमें पता भी नहीं चलता. वे चर्च से जुड़े संभवत: पहले व्यक्ति थे जिन्होंने दक्षिण अफ्रीका की चुनी हुई श्वेत सरकार की तुलना जर्मनी के नाजियों से की और संसार की तमाम श्वेत सरकारों को लज्जित कर, लाचार किया कि वे दक्षिण अफ्रीका की रंगभेदी सरकार पर आर्थिक प्रतिबंध कड़ा भी करें तथा सच्चा भी करें. हम डेसमंड टूटू को पढ़ें या सुनें तो हम पाएंगे कि वे उग्रता से नहीं, दृढ़ता से अपनी बात रखते थे. उनकी मजाकिया शैली के पीछे एक मजबूत नैतिक मन था जिसे खुद पर पूरा भरोसा था. इसलिए सत्ता जानती थी कि उनकी बातों को काटना संभव नहीं है; कहने वाले को झुकाना संभव नहीं है.

नैतिक शक्ति कितनी धारदार हो सकती है, इसे पहचानने में हम गांधी के संदर्भ में अक्सर विफल हो जाते हैं क्योंकि उसे पहचानने, सुनने व समझने के लिए भी किसी दर्जे के नैतिक साहस की जरूरत होती है. डेसमंड टूटू में यह साहस था. वे श्वेत सरकार के क्षद्म का पर्दाफाश करने में लगे रहे तो वे ही आंदोलकारियों की शारीरिक देखभाल व आर्थिक मदद आदि में भी सक्रिय रहे.

नेल्सन मंडेला ने जब दक्षिण अफ्रीका की बागडोर संभाली तो रंगभेद की मानसिकता बदलने का वह अद्भुत प्रयोग किया जिसमें पराजित श्वेत राष्ट्रपति दि’क्लार्क उनके उप-राष्ट्रपति बन कर साथ आए. फिर ‘ट्रुथ एंड रिकौंसिलिएशन कमिटी’ का गठन किया गया जिसके पीछे मूल भावना यह थी कि अत्याचार व अनाचार श्वेत-अश्वेत नहीं होता है. सभी अपनी गलतियों को पहचानें, कबूल करें, डंड भुगतें तथा साथ चलने का रास्ता खोजें. सामाजिक जीवन का यह अपूर्व प्रयोग था. अश्वेत-श्वेत मंडेला-क्लार्क की जोड़ी ने डेसमंड टूटू को इस अनोखे प्रयोग का अध्यक्ष मनोनीत किया. दोनों ने पहचाना कि देश में उनके अलावा कोई है नहीं कि जो उद्विग्नता से ऊपर उठ कर, समत्व की भूमिका से हर मामले पर विचार कर सके.

सत्य के प्रयोग हमेशा ही दोधारी तलवार होते हैं. ऐसा ही इस कमीशन के साथ भी हुआ. सत्य के निशाने पर मंडेला की सत्ता भी आई. अफ्रीकन नेशनल कांग्रेस की आलोचना भी डेसमंड टूटू ने उसकी साहस व बेबाकी से की जो हमेशा उनकी पहचान रही थी. सत्ता व सत्य का नाता कितना सतही होता है, यह आजादी के बाद गांधी के संदर्भ में हमने देखा ही था; अब डेसमंड टूटू ने भी वही देखा. लेकिन कमाल यह हुआ कि टूटू इस अनुभव के बाद भी न कटु हुए, न निराश ! बिशप के अपने चोगे में लिपटे टूटू खिलखिलाहट के साथ अपनी बात कहते ही रहे.

अपने परम मित्र दलाई लामा के दक्षिण अफ्रीका आने के सवाल पर सत्ता से उनकी तनातनी बहुत तीखी हुई. सत्ता नहीं चाहती थी कि दलाई लामा वहां आएं; टूटू किसी भी हाल में ‘ संसार के लिए आशा के इस सितारे’ को अपने देश में लाना चाहते थे. आखिरी सामना राष्ट्रीय पुलिस प्रमुख के दफ्तर पर हुआ जिसने बड़ी हिकारत से उनसे कहा :  “मुंह बंद करो और अपने घर बैठो !” 

डेसमंड टूटू ने शांत मन से, संयत स्वर में कहा : “ लेकिन मैं तुमको बता दूं कि वे बनावटी क्राइस्ट नहीं हैं !”

डेसमंड टूटू ने अंतिम सांस तक न संयम छोड़ा, न सत्य ! गांधी की तरह वे भी यह कह गए कि यह मेरे सपनों का दक्षिण अफ्रीका नहीं है.

भले डेसमंड टूटू का सपना पूरा नहीं हुआ लेकिन वे हमारे लिए बहुत सारे सपने छोड़ गए हैं जिन्हें पूरा कर हम उन्हें भी और खुद को भी परिपूर्ण  बना सकते हैं.

(27.12.2021)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com    

Loading

સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો આમાં અકલ્પનીય શું છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|26 December 2021

જગતમાં કલ્પના પણ ન કરી હોય એવી ઘટનાઓ બની રહી છે. સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આરોપ એવો છે કે એ સંગઠન ત્રાસવાદી છે અને કબ્રપરસ્ત છે. જે વાચકો ઇસ્લામ વિષે બહુ જાણકારી નહીં ધરાવતા હોય તેમને આ બીજો આરોપ સહેજે નહીં સમજાય. બીજું, આ લેખનું પહેલું જ વાક્ય વાંચીને કોઈના મનમાં સવાલ ઉપસ્થિત થાય કે સાઉદી અરેબિયાએ તબલીગી જમાત ઉપર પ્રતિબંધ મૂક્યો આમાં અકલ્પનીય શું છે?

છે. તમે એક જમાનમાં મુસલમાનોને વિદાય વખતે ‘ખુદા હાફીઝ’ બોલતા સાંભળ્યા હશે. હવે કેટલાક મુસલમાનો ચાહી કરીને ધરાર ‘અલ્લા હાફીઝ’ બોલે છે. તમે એક જમાનામાં મુસ્લિમ સ્ત્રીઓને સાડીમાં જોઈ હશે, હવે મોટાભાગની મુસ્લિમ સ્ત્રીઓ સલવાર પહેરે છે. તમે એક જમાનામાં મુસ્લિમ પુરુષોને તુર્કી ટોપી, ફેંટો, ચોરણી જેવા જે તે પ્રદેશના સ્થાનિક લેબાશમાં જોયા હશે, પણ હવે તમે મોટી સંખ્યામાં મુસલમાનોને ટૂંકો લેંઘો, લાંબો ઝભ્ભો અને ગોળ ટોપીમાં જોતા હશો. એક જમાનામાં તમે મુસલમાનોને પીરની દરગાહ પર માથું ટેકવતા, ચાદર ઓઢાડતા, કવ્વાલી ગાતા સાંભળ્યા છે; પણ આજે હવે તેનો વિરોધ કરનારા મુસલમાનો મોટી સંખ્યામાં જડી આવશે. એક વાર મુંબઈમાં એન્ટોપ હિલ વિસ્તારમાંથી પસાર થતા મેં મારા મુસ્લિમ ટેક્સી ડ્રાઈવરને મીસરીની દરગાહ તરફ આંગળી ચીંધીને પૂછ્યું હતું કે, મિયાં યહાં ઉર્સ (વાર્ષિક મેળો) કબ હોતા હૈ? તેણે જવાબમાં મને કહ્યું હતું કે કિસી ઝાહીલ (અભણ) કો પૂછો. તમે મુસલમાનોને કોઈના મૃત્યુ પછી માતમ મનાવતા, મૃત્યુભોજન જમાડતા, પહેલા ગર્ભાધાન વખતે સીમંત સંસ્કાર કરતાં જોયા હશે, પણ હવે એવું બહુ ઓછું જોવા મળતું હશે.

આ જે પરિવર્તન થયું છે એ તબલીગી જમાતના કારણે. આ પરિવર્તન શા માટે કરવામાં આવ્યું એનો લાંબો ઇતિહાસ છે.

ભારતમાં અઢારમી સદીમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું, સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા, મુસ્લિમ સૂબાઓ રાજ મેળવવા આપસમાં લડવા માંડ્યા, હિંદુ મરાઠાઓનો ઉદય થયો, અંગ્રેજો વેપારીમાંથી શાસકો બનવા માંડ્યા ત્યારે કેટલાક મુસલમાનોના મનમાં પ્રશ્ન થવા લાગ્યો કે મુસલમાનોના પતનનું કારણ શું? બીજો સવાલ અનુક્રમે સ્વાભાવિક હતો એ પતનને રોકી કેમ શકાય અને ગુમાવેલું ઐશ્વર્ય પાછું મેળવી કેમ શકાય?

એ મનોમંથનમાં એક નિદાન આવ્યું કે મુસલમાનોના પતનનું કારણ ભારતના મુસલમાનોને સાચા મુસલમાનો નથી બનાવવામાં આવ્યા એ છે. જે ભારતીય હિંદુઓ ધર્મપરિવર્તન કરીને મુસલમાન બન્યા છે એ હજુ પણ અડધા હિંદુ છે, તેમને પૂરા અને સાચા મુસલમાન બનાવવા જોઈએ. મુસલમાન એક વખત અલ્લાહપરસ્ત સાચો મુસલમાન બની ગયો પછી અલાહનું કલ્યાણ રાજ્ય આપોઆપ આવવાનું, કારણ કે સાચા મુસલમાનની ઔલાદ પણ સાચા મુસલમાનની બનેલી હશે.

બીજું, મુસ્લિમ શાસકો નામ પૂરતા મુસ્લિમ શાસકો છે, તેમનું રાજ્ય ઇસ્લામિક રાજ્ય નથી. તેઓ સત્તા માટે દરેક પ્રકારનાં સમાધાનો કરે છે. એક મુસ્લિમ શાસક બીજા મુસ્લિમ શાસક સામે લડે છે, લડવામાં હિંદુની મદદ લે છે, સૈનિકો અને સેનાપતિઓ હિંદુ હોય છે, દરબારમાં હિંદુઓને મુસ્લિમ દરબારીઓ જેટલું જ અને કેટલીક વાર તો તેનાથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે, દરબારની ભાષા પર્શિયન છે અને પ્રજા સાથેના વહેવારની ભાષા સંસ્કૃત-પર્શિયન-અરેબીક અને દેશી ભાષાઓથી મિશ્રિત હિંદુસ્તાની છે વગેરે. સૌથી વધુ તો ગરીબ નીચલા વરણના હિંદુઓ જે ધર્માંતરિત થઈને મુસલમાન બન્યા છે તેમની તો સાવ ઉપેક્ષા કરવામાં આવે છે. ટૂંકમાં મુસ્લિમ શાસકોનું રાજ સત્તા માટેનું હતું, તેને ઇસ્લામ અને ઉમ્માહ (મુસ્લિમ પ્રજા) સાથે કોઈ સંબંધ નથી. પણ જો મુસ્લિમ પ્રજા સાચી મુસલમાન બની જાય તો મુસ્લિમ શાસકોની મજાલ નથી કે તે ઇસ્લામિક રાજ્યના આદેશોને લાગુ કરતા રોકી શકે.

એ પછી ભારતીય મુસલમાનોને સાચા મુસલમાન બનાવવાનું અને ભારતીય ઇસ્લામની હિંદુપ્રભાવવાળી અલાયદી ઓળખને મીટાવવાનું એક અભિયાન શરૂ થયું. જો પહેલું થાય તો બીજું આપોઆપ થાય. પણ સવાલ એ હતો કે ભારતીય મુસલમાનને સાચો મુસલમાન બનાવવો હોય તો કેવો અને કોના જેવો બનાવવાનો? ઈરાનીઓ જેવો? ના ભારતીય ઇસ્લામ ઘણે અંશે ઈરાની પ્રભાવ ધરાવે છે એ તો સમસ્યા છે. ઈરાનમાં શિયાઓ બહુમતીમાં છે અને શિયાઓ ઈમામમાં માનનારા શિર્ક (કોઈ વ્યક્તિને પૂજીને એ પૂજ્ય વ્યક્તિને ઈશ્વરની બરાબરીનો દરજ્જો આપવાનું પાપ) અને બુતપરસ્ત છે. એ સિવાય તેઓ તેમની ઇસ્લામ પહેલાંની સંસ્કૃતિ અને તેમની પર્શિયન ભાષા માટે ગર્વ અનુભવે છે. ગર્વ માત્ર અને માત્ર મુસ્લિમ હોવાનો લેવાય. મુસ્લિમ હોવાપણામાં જ બધું આવી ગયું. અલ્લાહનિર્દિષ્ટ સાચા યુગનો પ્રારંભ ઇસ્લામના પ્રાદુર્ભાવથી થયો છે અને તેની પહેલાંનું બધું કથીર છે.

આમ ઈરાન અને ઈરાનીઓ ભારતીય ઇસ્લામ અને મુસલમાનો માટે રેફરન્સ પોઈન્ટ કે રોલમોડેલ ન બની શકે. ઊલટું ભારતીય ઇસ્લામને અને મુસલમાનોને ઈરાની પ્રભાવથી મુક્ત કરવા જરૂરી છે. સત્તરમી સદીમાં આની શરૂઆત થઈ. ભારતમાં વહાબી, સલ્ફી, અહલે હદીસ, દેવબંદી એવી એકબીજાની પુરક, પણ કેટલાક મતભેદ ધરાવતી ચળવળ શરૂ થઈ જે એકંદરે મૂળભૂતવાદી હતી. આ ચળવળને પરિણામે ઉપર ગણાવ્યાં એવાં પરિવર્તનો થવાં લાગ્યાં. આ ચળવળને પરિણામે ભારતીય મુસલમાનો ઉપર ઈરાની પ્રભાવ હતો એ ઘટતો ગયો. આ ચળવળને પરિણામે હિંદુ અને ઈરાની પ્રભાવયુક્ત ભારતીય ઇસ્લામનો ચહેરો બદલાવા લાગ્યો અને ભારતીય ઇસ્લામ સાઉદી ઇસ્લામની નજીક જવા લાગ્યો. મૂળભૂતવાદી મુસલમાનો એમ માને છે કે સાચી સભ્યતાની શરૂઆત ઇસ્લામના પ્રાદુર્ભાવ પછી અરબસ્તાનથી થઈ છે, માટે ભારતીય મુસલમાન માટે રેફરન્સ પોઈન્ટ અને રોલમોડેલ સાઉદી અરેબિયા હોવાં જોઈએ. માટે સાચા મુસલમાને ખુદા હાફીઝ નહીં અલ્લા હાફીઝ કહેવું જોઈએ કારણ કે ખુદા શબ્દ પર્શિયન છે અને તે જરથોસ્તી ધર્મનો શબ્દ છે. પારસીઓ આજે પણ ભગવાન માટે ખુદા અને ખુદાવંદ શબ્દ વાપરે છે. કુરાનમાં ભગવાન માટે અલ્લાહ શબ્દ છે એટલે અલ્લા હાફીઝ કહેવાનું.

તબલીગી જમાત આ કામ કરે છે જે દેવબંદી સ્કૂલની સંસ્થા છે. એમ કહેવાય કે આ જમાત ૧૮૦ દેશોમાં સક્રિય છે અને તેના ચારથી પાંચ કરોડ સભ્યો છે. તેનું કોઈ બંધારણ નથી અને કોઈને સભ્ય તરીકે નોંધવામાં આવતા નથી. તબલીગી જમાત ત્રાસવાદી સંગઠન નથી. તબલીગીઓ ધર્માંતરણ પણ કરાવતા નથી. તેમની તો એવી શ્રદ્ધા છે કે એકવાર મુસલમાન સાચો મુસલમાન બની ગયો પછી અલ્લાહનું કલ્યાણરાજ એની મેળે અવતરવાનું. કલ્યાણરાજને  માણસ બનવા સાથે કે માણસાઈ કેળવવા સાથે સંબંધ નથી, મુસ્લિમ હોવાપણા સાથે સંબંધ છે. આજકાલ હિન્દુત્વવાદીઓ પણ માણસ બનવાની અને માણસાઈ કેળવવાની જગ્યાએ સાચા હિંદુ બનીને રામરાજ ધરતી પર ઉતારવા માગે છે. તબલીગીઓ માને છે કે અલ્લાહનું કલ્યાણરાજ જોઇને કાફિર (ગૈર-મુસલમાન) પોતાની મેળે ઇસ્લામનો સ્વીકાર કરશે.

જે જમાત તેનાં લગભગ સો વરસના ઇતિહાસમાં ભારતીય ઇસ્લામ અને ભારતીય મુસલમાનને સાઉદી ચહેરો આપવાનું કામ કર્યું એનાં ઉપર સાઉદી અરેબિયામાં જ પ્રતિબંધ મુકવામાં આવ્યો એ થોડું વિચિત્ર ભાસે છે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2021

Loading

...102030...1,7711,7721,7731,774...1,7801,7901,800...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved