Opinion Magazine
Number of visits: 9842140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

जब कैमरा बोला करता था … 

कुमार प्रशांत|Opinion - Opinion|29 April 2026

कुमार प्रशांत

26 अप्रैल 2026 को जब रघु राय ने अपने कैमरे का शटर दबाया होगा, तब उन्हें इल्म हुआ होगा कि उनका कैमरा बंद हो गया है. अब वह न कभी खुलेगा, न कभी बोलेगा !

उनका कैमरा बोलता था. रघु राय के कैमरे में व दूसरों के कैमरे में यही फर्क था. दूसरों का कैमरा बोलता नहीं था, देखता था; रघु राय का कैमरा गूंगा होने को तैयार नहीं था. वह बोलता था. महान कनाडियन कैमराकार यूसुफ कार्श का कैमरा नहीं बोलता था, उनके पोट्रेट बोलते थे. उनके पोट्रेट के पात्रों की आंतरिक विशेषताओं को उनका कैमरा जैसे छू लेता था. वह कहता कुछ नहीं था, हमारे सामने उस व्यक्ति को खड़ा कर देता था.

मैंने ऐसा ही कुछ पहली बार पटना की उस मित्र-मंडली में कहा था जिसमें रघु राय भी मौजूद थे. चेहरे पर सदा खिली रहने वाली आत्मीय मुस्कान के साथ वे मुझे सुन रहे थे : रघु राय के फोटोग्राफ्स बोलते हैं इसलिए हमें उनके पास ठहरना पड़ता है ताकि उन्हें सुन सकें; रघु राय के फोटोग्राफ्स दौड़ते हैं इसलिए हमें उनके साथ तेज दौड़ लगानी पड़ती है ताकि कहीं पीछे न छूट जाएं ! मुझे कई बार लगा है कि उनके फोटोग्राफ्स की एक श्रृंखला देखते-देखते सांस फूलने लगती है.

रघु राय

मैं आज कहना चाहता हूं कि रघु राय हमारे दौर के सबसे तेज रफ्तार कैमराकार थे जो गति, शब्द व चित्र, तीनों का अप्रतिम संतुलन साध पाते थे. मैं यह आज इसलिए कहना चाहता हूं, क्योंकि रघु राय अब नहीं हैं. अब वह आंख नहीं है जो कैमरे से जुड़ कर वह संसार उजागर कर जाती थी जिसे देखते हुए भी हम देख नहीं पाते थे. उनकी आंखों में कैमरा लगा था और उस कैमरे में महाभारतवाले संजय की आंख लगी थी. कई लोग कहते रहे, उनकी विदाई-लेखों में भी लिखा जा रहा है कि वे आलादर्जे के न्यूज-फोटोग्राफर थे. रघु राय के परिचय में जब ऐसा कहा जाता है तब मुझे ऐसा प्रतीत होता है जैसे कोई जवाहरलाल नेहरू के परिचय में कहे कि वे भारत के पहले प्रधानमंत्री थे. यह परिचय सच है लेकिन जवाहरलालजी का इससे बौना परिचय दूसरा हो नहीं सकता है. वे बहुत कुछ और भी थे जिसके साथ भारत के प्रधानमंत्री भी थे. रघु राय बहुत कुछ और भी थे जिसके साथ न्यूज-फोटोग्राफर भी थे.

हम बहुत कम समय तक एक-दूसरे को जानते रहे. फिर एकदम अलग हो गए. फिर इधर के दिनों में, जब मैं दिल्ली आया तो फिर कुछ मिलना हुआ. इसलिए निजता का मेरा कोई दावा नहीं है. लेकिन 1974 से जो शुरू हुई, वह सौहार्दपूर्ण पहचान बनी रही. मैंने उनसे भी कहा था और आज भी उसे दोहराता हूं कि रघु राय के कैमरे को 1974-77 के दौर में वह संस्कार मिला जिसने उन्हें फोटोग्राफर से कहीं आगे खड़ा कर दिया. अपना कैमरा ले कर जब रघु राय जयप्रकाश नारायण व उनके आंदोलन के क़रीब पहुंचे तब उन्हें भी अंदाजा नहीं था कि उनका कैमरा यहां से अपना चरित्र बदलने वाला है. मुझे पता नहीं है कि रघु राय 1974 से पहले जयप्रकाश से परिचित थे य़ा नहीं. कभी पूछा नहीं, कभी `ऐसी बात निकली नहीं. लेकिन सिताबदियारा की वह रात मुझे खूब याद है जब दिन भर की तूफानी सभाओं व सार्वजनिक जयकारों-हाहाकारों से निकल कर हम देर शाम जयप्रकाश के पैतृक गांव सिताबदियारा पहुंचे थे.

अपना वह गांव और अपना वह खपड़ैल मकान जयप्रकाश को बहुत प्यारा था. उसकी उष्मा में वे विभोर हो कर रहते थे – चाहे जितना रह सकें !  उस शाम बेहद थके होने के बाद भी वे वैसे ही मगन-मन थे. वहां जगह भी कम थी, सुविधाएं तो और भी कम; और उसमें औचक आ पहुंचे 10-15 शहरी मेहमान ! सबकी व्यवस्था थी. सबको उनकी जगह पहुंचा कर, खाना आदि करवा कर थोड़ी राहत मिली. जयप्रकाश भी थकान आदि से निबट कर थोड़े स्थिर हुए तो सब मेहमानों की व्यवस्था आदि की जानकारी ली. बिस्तर, मच्छरदानी, पीने का पानी, बाथरूम सब पूछा : ‘इनमें से कुछ होंगे जिन्हें सोने से पहले चाय-कॉपी की जरूरत होती होगी. वह सब पूछा न ?’ पूछा तो था लेकिन बहुत आग्रह से नहीं, इसलिए जवाब में थोड़ा संशय था…रात भी ज्यादा हो रही है, सोने वाले सो भी गए होंगे… व्यवस्थापकों का जवाब पूरा भी नहीं हुआ था कि जयप्रकाश बिस्तर से नीचे उतरे और बोले : ‘ चले, जरा देख लूं !’

मेहमानों में संकोच भरी खलबली हुई. इतनी रात गए, थके जयप्रकाश एक-एक के बिस्तरे तक पहुंचे, बड़ी आत्मीयता से जो पूछना-बताना था, वह सब किया- यहां सुविधाएं कम हैं, परेशानी होगी आपको, सुबह कितने बजे उठते हैं, नहाने का गर्म पानी यहां मिल जाएगा, चाय कितने बजे लेंगे, चाय के साथ क्या लेंगे… मैं देख रहा था कि रघु राय सिकुड़ते जा रहे थे. जिसके पीछे कैमरा ले कर वे सुबह से भाग रहे थे, वह अब उनके कैमरे की जद से बाहर, उनके सामने खड़ा था, और उन्हें अपने कैमरे में बंद कर रहा था.

“आपने रोका क्यों नहीं… दिन भर मैंने इस बूढ़े आदमी को जवानों को मात देने वाली एनर्जी से काम करते देखा है… अब हमारी बेहूदा-सी जरूरतों की चिंता में…”रघु राय को सूझ नहीं रहा था कि वे कैसे, क्या कहें… शब्द बता नहीं पा रहे थे कि वे कैसा महसूस कर रहे थे… फिर हम देर रात तक सिताबदियारा के कच्चे रास्तों पर हल्के कदमों व दबी आवाज में बात करते घूमते रहे … वे एक इवेंट कवर करने आए थे, और यहां मिला उन्हें एक ऐसा व्यक्ति जो इतिहास समेटता हुआ, इतिहास बदल रहा था… आप देखिए न, न यह कैमरा मेरा बनाया है, न मेरे कैमरे के सामने जो घट रहा है वह मेरा रचा है… सब मुझे बना-बनाया मिला है. मैं कर तो इतना ही रहा हूं न कि शटर दबा रहा हूं… रघु राय कुछ और कहते कि मैंने टोका : शटर तो मैं भी दबा सकता हूं लेकिन उसमें से रघु राय का फोटो बनेगा नहीं, क्योंकि कहां, कब व कैसे शटर दबाना है यह न मशीन को मालूम है, न मशीन के सामने घटती घटनाओं को… यह तो रघु राय को ही पता है… कला व कलाकार के बीच का यह रिश्ता ही अंतिम सत्य है… ऐसी कितनी ही बातें उस रात हुईं… जयप्रकाश कर क्या रहे हैं, लोकतंत्र के विकास में इस आंदोलन का रोल क्या है, दमन के सामने बहादुरी से खड़े इन नौजवानों की प्रेरणा क्या है जैसी कितनी ही बातें हम कर गए… रघु राय तब अपने फोटो का नया एंगल खोज रहे थे. जिसे हम न्यूज-फोटोग्राफी कह कर निकल जाते हैं और जो न्यूज़ के साथ ही दम तोड़ जाती है, रघु राय उसके पार जाते थे क्योंकि वे क्षण को नहीं, वक्त को दर्ज करने वाले कैमराकार थे.

बिहार आंदोलन में गति व उमंग का विस्फोट हुआ था. रघु राय उसे पकड़ सके थे, क्योंकि वे उसे समझ सके थे. उनका कैमरा साक्षी-भाव नहीं रखता था, वह भागीदार बन सका था. बिहार आंदोलन के उनके फोटो का संकलन ‘बिहार शोज़ द वे’ आप देखें तो समझ सकेंगे कि वे लिखे शब्दों व विवरणों को व्यर्थ-सा बना देते हैं, क्योंकि वे सारे फोटोग्राफ्स बोलते भी हैं, भागते भी हैं. लेकिन आपको एकदम अलग रघु राय मिलते हैं जब आप मदर टेरेसा के पास उन्हें देखते हैं. उनका कैमरा वहां ध्यान करता मिलता है : नि:शब्द प्रार्थना ! रूपाकार नहीं, करुणा ही आकार ले लेती है. संगीतकारों की उनकी श्रृंखला मुझे इसलिए बहुत प्रिय है कि कैमरे को उस तरह गाते कभी सुना नहीं था. इंदिरा गांधी का उनका अलबम एकदम अलग भाषा में बोलता है – सत्ता की धमक-चमक व आतंक का रस वहां हर ओर बिखरा मिलता है.

वह सारा कुछ जो काल की हथेली पर उन्होंने बिखरा रखा था, अब सिमट चुका है. उसमें कुछ नया जोड़ने वाली आंख नहीं रही. कैमरा भी है, विषय भी हैं लेकिन रघु राय नहीं हैं.

वह वादा भी अब कभी पूरा नहीं होगा जो जयपुर में गांधी-वाटिका बनाते समय उन्होंने मुझसे किया था : कुमार, आपकी गांधी-वाटिका के लिए मैंने कुछ अलग सोच रखा है… मैं वह आपको दूंगा…

वह वाटिका भी अब श्रीहीन हो चुकी है … 

(28.04.2026)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

હમ ‘આપ’ કે હૈં કૌન?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 April 2026

રવીન્દ્ર પારેખ

હિન્દી ફિલ્મનું ટાઈટલ છે, આ. આમ આદમી પાર્ટી(આપ)ના ત્યારે દૂર દૂર સુધી કોઈ વાવડ ન હતા. આમ આદમી પાર્ટી(આપ)ની સ્થાપના 2012માં થયાની વાત છે ને ફિલ્મ 1994માં આવી હતી. પણ આજે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આ પાર્ટીએ ઘણી આશાઓ બંધાવી, દિલ્હી ને પંજાબમાં વિજેતા પણ નીવડી, પણ સરવાળે તો તે ‘આમ આદમી’ જેવી જ નીકળી. આમ આદમી પાર્ટીના કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવાને તો જેલવાસ પણ ભોગવવો પડ્યો, પણ પાર્ટી ટકી ગઈ. સુરત જેવામાં પણ કાઁગ્રેસની જમીન ઢીલી પડતાં, આપને પગ પેસારો કરવાની તક મળી ગઈ. જો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આપ મિથ્યાભિમાની ને મતલબી પુરવાર થઈ છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના 7 સભ્યો સાથે ભા.જ.પ.માં જોડાવું પસંદ કર્યું. આમ આદમી પાર્ટી સાથે ન રહેવાય એવું લાગતાં રાજ્ય સભાના આપના 7 સભ્યો ભા.જ.પ.ના અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા. નીતિન નવીને આ સભ્યોને આવકાર્યા ને મોઢું મીઠું કરાવ્યું. પંજાબમાં 10 મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે, ત્યાંના જ 6 સાંસદો તૂટીને પાર્ટીથી અલગ થયા ને એ રીતે આપમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ભંગાણ છે.

એક તરફ પાર્ટી ગુજરાત અને પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને પડકાર આપવા કમર કસી રહી છે, ત્યાં રાજ્યસભાના રાઘવ સહિતના સાત સભ્યો આપ સાથેનો છેડો ફાડીને ભા.જ.પ.માં જોડાય, તો હાલત કફોડી જ થાય કે બીજું કંઇ? પત્રકાર પરિષદમાં અશોક મિત્તલ હાજર હતા. તેઓ લવલી પ્રોફેશનલ યુનિ.ના ચેરમેન છે ને 15 એપ્રિલે જલંધરના ઘર પર EDએ દરોડા પાડયા હતા. પત્રકાર પરિષદમાં સ્વાતિ માલીવાલ હાજર ન હતાં, પણ તેમણે કહ્યું કે હું ઇટાનગરમાં છું. સાંજે દિલ્હી આવ્યા પછી વાત કરીશ. રાજ્યસભાના દસ સાંસદમાંથી અશોક મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની, રાજેન્દ્ર ગુપ્તા જેવા 7 સભ્યો ભા.જ.પ.માં જતાં, હવે ત્રણ જ સભ્યો બચ્યા છે. ભા.જ.પ. અધ્યક્ષ નીતિન નવીને આ સભ્યો માટે ’x’ પર લખ્યું પણ ખરું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યની દિશામાં સક્રિય રહો એવી શુભેચ્છાઓ. દેખીતું છે કે એ આપને માફક ન જ આવે. આપે ભા.જ.પ. પર ‘ઓપરેશન લોટસ’નો આરોપ લગાવતા કહ્યું કે આ પંજાબ સરકારની કામગીરી રોકવાનું કાવતરું છે. એમ પણ કહેવાયું કે પંજાબ સરકારની પીઠમાં છરો ભોંકવાની કોશિશ થઈ છે.

રાઘવ સહિત આપના સાત સભ્યો ભા.જ.પ.માં જતાં માછલાં ધોવાનું શરૂ થઈ ગયું છે. જે ભા.જ.પ.ને રાઘવે ગુંડાઓની પાર્ટી કહી હતી, એને જ ખોળે બેસવાનું તેઓ કેવી રીતે સ્વીકારી શકે? 31 જુલાઈ, 2023ને રોજ દિલ્હી વટહુકમ પર રાઘવે આમ પણ કહ્યું, આ બિલ ચૂંટાયેલી સરકારને કામ કરતા અટકાવશે. આ દિલ્હી સરકારને ઉથલાવી દેવાનું ભા.જ.પ.નું કાવતરું છે. દિલ્હી વટહુકમ પર રાઘવે કહ્યું, આ બિલ લોકશાહીને બાબુક્રેસી બનાવી દેશે, તે એ અર્થમાં કે લોકોની સરકારને બદલે નોકરશાહી પ્રભુત્ત્વ જમાવશે.

આમ તો આ પક્ષ પલટુ કહી શકાય એમ નથી, કારણ કુલ સાત સભ્યો આપમાંથી ભા.જ.પ.માં ગયા છે. એવું પણ નથી લાગતું કે રાઘવે પૈસા બનાવવાને ઈરાદે પક્ષ બદલ્યો છે, કારણ કે તેમની માતા અલકાએ બે શરતે જ રાઘવને રાજકારણમાં પ્રવેશવાની રજા આપેલી. 1. CAનો અભ્યાસ ચાલુ રાખવો અને 2. રાજકારણમાંથી પૈસા ન બનાવવા, એટલે રાઘવ પૈસા બનાવવા આપ છોડીને ભા.જ.પ.માં ગયા હોય એમ લાગતું નથી.

રાઘવે આપ વિષે ટીકા કરતાં કહ્યું પણ ખરું કે આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાનો હું એક છું. 15 વર્ષથી હું પાર્ટીને ખૂન પસીનાથી સીંચતો આવ્યો છું, આપ પાર્ટી તેના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. પાર્ટી દેશ માટે નહિ, પણ અંગત હિતો માટે કામ કરી રહી હોય એવું લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાઘવને લાગતું હતું કે સાચો માણસ ખોટી પાર્ટીમાં આવી ચડ્યો છે. અમે બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને ભા.જ.પ.માં ભળી જવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીથી અલગ થવાની વાત રાઘવે પત્રકાર પરિષદમાં કરી હતી. આ અગાઉ સ્વાતિ માલીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પાર્ટીમાં વિદ્રોહ પોકારેલો, હવે રાઘવ સહિતના અન્ય સભ્યોએ ભા.જ.પ.માં જોડાઈને આપ સાથેનો છેડો ફાડ્યો છે ને રાજ્યસભામાં 10માંથી ૩ સભ્યો જ બચ્યા છે, ત્યારે કેજરીવાલની તાકાત અડધાથી પણ ઓછી થઈ ગઈ છે, એટલું જ નહીં, પાર્ટીનું ભવિષ્ય પણ દાવ પર લાગ્યું છે.

રાઘવે પાર્ટીમાં પોતાની ભૂમિકા એવી રાખી હતી કે તેમનાથી કોઈ મત કે માન્યતા જાહેર ન થઈ જાય. જેમ કે, દારૂ કૌભાંડમાં કેજરીવાલની 2024માં ધરપકડ થઈ, તો રાઘવ ચૂપ રહ્યા. ન બોલ્યા, ન લખ્યું. ફેબ્રુઆરી, 2025માં દિલ્હીની ચૂંટણીમાં આપની હાર થઈ ને સત્તામાં ભા.જ.પ. આવ્યું, ત્યારે પણ રાઘવ મૌન રહ્યા, એટલું જ નહીં, પાર્ટીના કોઈ કાર્યક્રમમાં પણ ન જણાયા. 2025ની શરૂઆતમાં જ રાઘવના સોશિયલ મીડિયા પરથી આપનો પ્રચાર ઘટવા લાગ્યો હતો. ફેબ્રુઆરી, 2026માં કેજરીવાલ અને મનીષ સીસોદિયાને દારૂ કૌભાંડમાંથી CBIના કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા ને આપ પાર્ટીએ તેની ઉજવણી કરી, પણ રાઘવ એનાથી દૂર રહ્યા. ઈરાન યુદ્ધ વખતે રાઘવે પાર્ટીલાઈન પર સંસદમાં બોલવાનો ઇન્કાર કર્યો. વ્હીપ હેઠળ આપ સાંસદોએ વોકઆઉટ કર્યું, ત્યારે રાઘવ ગૃહમાં હાજર રહ્યા. એટલા પરથી એવું લાગતું હતું કે રાઘવ પાર્ટીથી સંતુષ્ટ ન હતા. આ ગતિવિધિ જોઈને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું કે રાઘવને અહીં ગૂંગળામણ થતી હતી. હકીકતે તેઓ સરપંચ બનવાની પાત્રતા પણ ધરાવતા ન હતા.

આમ આદમી પાર્ટીએ 2 એપ્રિલ. 2026ને રોજ રાઘવને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે પદ પરથી હટાવ્યા ને એ કામગીરી પંજાબના સાંસદ અશોક મિત્તલને સોંપવામાં આવી. એની પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે મને ચૂપ કરાવવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી. હું એ દરિયો છું જે સમય આવ્યે પૂર પણ બની શકે છે. આપ નેતાઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાઘવ PM મોદીથી ડરે છે. તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે સમોસાના ભાવ જેવા નાના મુદ્દાઓ ઉઠાવે છે. સમોસાના વધતા ભાવ સંસદનો મુદ્દો હોઈ જ ન શકે એ ઠીક નથી. પંજાબને મુદ્દે પણ રાઘવે સ્પષ્ટતા કરી છે કે પંજાબ માત્ર એક વિષય જ નથી. તે મારું ઘર છે, કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. આપના નેતાએ એ પણ નોંધ્યું કે રાઘવે મોદી વિરોધી તમામ જૂની પોસ્ટ ડિલીટ કરી છે. રાઘવ ભા.જ.પ.ના ખોળામાં બેઠા છે …

રાઘવે એ સ્પષ્ટતાઓ પણ કરી કે મારી વિરુદ્ધ સરકાર કેમ્પેન ચલાવી રહી છે. આ એક સંકલિત હુમલો છે. હું સંસદમાં ઘોંઘાટ કરવા ગયો નથી, પણ જનતાના મુદ્દા ઉઠાવવા ગયો છું, પણ હકીકત એ છે કે ભા.જ.પ.ને પંજાબીઓ સાથે નથી બનતું. માનનું કહેવું છે કે અમારી સરકાર સત્તામાં આવી તો અમારા RDF ભંડોળને બંધ કરી દેવામાં આવ્યું. પછી અમારા પોતાનાં MMS ગ્રૂપ બનાવી તેને માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખેડૂતોના વિરોધ દરમિયાન પણ ભા.જ.પે. અમારી સાથે દગો કર્યો. મુખ્ય મંત્રી માને કહ્યું કે આપણા સાંસદોને પોતાની સાથે સામેલ કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેનો પંજાબમાં મજબૂત આધાર નથી. અહીં માન પોતાને જ વિરોધાવે છે. એક તરફ તેઓ રાઘવને સરપંચ થવાને પણ લાયક ગણતા નથી, બીજી તરફ ‘આપના’ સાંસદોને ભા.જ.પ. પોતાની સાથે સામેલ કરે છે, તો અફસોસ પણ વ્યક્ત કરે છે. રાઘવની ભા.જ.પ. સામેલગીરીને કાઁગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે પાર્ટીના ‘મેન આર્કિટેક્ટ’ જ છોડી ગયા છે, તો તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જે નેતાઓએ પહેલાં બીજા પર સવાલો ઉઠાવ્યા હતા, તેમણે હવે પોતાનાં સંજોગો સમજાવવા પડશે.

રાઘવ જેવા આપના નેતાએ આપ સાથે દગો કર્યો હોય તો પણ, આપ પાર્ટીનું અહિત તેમણે કર્યું નથી. કેટલાક જેન્યુઈન મુદ્દાઓ પર તેમણે સંસદમાં સોય ઝાટકીને વાત કરી છે. એક સ્વચ્છ ઈમેજ ધરાવતો માણસ પાર્ટીમાં રહીને પોતાની કામગીરી, કોઈની પણ ખુશામત વગર ઈમાનદારીથી કરતો હોય તો તેવા માણસને પાર્ટીએ સાચવવો જોઈએ, પણ તેણે જે પક્ષનો વિરોધ કર્યો હોય તેને જ ખોળે બેસવું પડે એ વ્યક્તિની અને શાસક તેમ જ વિપક્ષની કમનસીબી છે. હવે આપ માટે ‘હમ ‘આપ’ કે હૈં કૌન?’ ગાવું પડે એવા દિવસો આવ્યા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઍપ્રિલ 2026

Loading

આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 April 2026

આશાજીનાં ગીતોની યાદી, તેમની ગાવાની શૈલીની જેટલી વાતો થાય એટલી ઓછી છે પણ વાસ્તવિકતા એ છે કે જિંદગીની કડવાશને ફરિયાદમાં નહીં, સૂરોમાં ફેરવીને જીવી શકાય એ કદાચ તેમનાં થકી જ શીખી શકાય. 

એક બહુ જાણીતું ગીત છે જેમાં ગાયક એવી વસ્તુઓની યાદીનું ગીત ગાય છે જે તેને એ પુરુષ પાસેથી પાછી જોઇએ છે, જેને તેણે એક સમયે પ્રેમ કર્યો હતો. આ યાદીમાં ઘરેણાં કે વચનોની વાત નથી. એને વરસાદી દિવસો, હાથે લખેલા કાગળમાં લપેટાયેલી રાત અને પ્રેમની ઉષ્માથી ગરમાઈ ગયેલી રાત ઓલવીને પાછી જોઇએ છે. આ એવાં સ્મરણો છે જે પીડામાં ઝબોળાયેલાં છે. “વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો ...” એ રાત ઓલવી નાખ, મને મારો સામાન પાછો આપ. સપાટી પરથી જોતાં આ બધી સામાન્ય અરજ લાગે પણ ખરેખર તો પ્રેમમાં સાથે વહેંચેલી આ ક્ષણોના કોઈ કાળે પરત કરવી શક્ય નથી. 1987માં ગુલઝારે ‘ઇજાઝત’ ફિલ્મ બનાવી અને તેનું આ ગીત, ‘મેરા કુછ સામાન, તુમ્હારે પાસ પડા હૈ …’ આશાજીએ ગાયું અને આ ગીત ગાવા બદલ તેમને તેમનો બીજો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. જે પણ વ્યક્તિ ગુલઝારે લખેલા આ ગીતના શબ્દોની આરપાર કે આર.ડી. બર્મને સ્વરબદ્ધ કરેલી આ પંક્તિઓને સોંસરવી સમજી શક્યું હશે તેને આ ગીત ગાનાર સ્ત્રી વિશે પણ કદાચ સમજાયું હશે. આ ગીત આશા ભોસલે સિવાય કોઈ  પણ બીજી ગાયિકાએ ગાયું હોત તો તેમાં આ દર્દ, આ તૃષ્ણા અને તમામ યાદો સાથે દફનાઈ જવાની ચાહ ગીતના સ્થાયી ભાવ તરીકે સાંભળનારને હૈયે સોંસરવી ન ઉતરી હોત. 

ચિરંતના ભટ્ટ

92 વર્ષની વયે, 12 એપ્રિલના રોજ આશાજીનું નિધન થયું. 12 હજારથી વધુ ગીતો, આઠ દાયકાની ગાયકી, મોટાં બહેન લતા મંગેશકરનો પ્રભાવ, આર.ડી. બર્મનનાં સાથી, કેબ્રે ક્વીન, ગઝલની મલિકા – આ બધું તેમને વિશે લખાયેલી બધી જ સ્મરણાંજલીમાં લખાયું. આ બધું જ સાવ સાચું છે. આ બધું જ તેમની ઓળખ ઘડનારી બાબતો છે પણ છતાં ય અપૂરતું છે એમ કહેવું પડે. આશાજી એક એવો અવાજ, એક એવું માધ્યમ અને એક એવી સ્ત્રી, જેણે દરેક પસાર થતા દિવસની શરૂઆતે જાતને કહ્યું કે જિંદગી ભલે કસોટી લે પણ અવાજના માધુર્યને વાસ્તવિક કઠોરતાની કડવાશ કરતાં વધારે મહત્ત્વ આપવાનું છે. આવા વ્યક્તિત્વને વર્ણવવા માટે માહિતી કે આંકડાનું કોઈ કેટલૉગ ન હોઈ શકે. તેમની સિદ્ધિઓ કે વ્યક્તિત્વના કેટલૉગ તો એ પોતાની ગાયક તરીકેની જિંદગીમાં પહેરેલાં અનેક ચહેરા મહોરાં માટે સાથે રાખતા પણ એ જે હતાં તે કંઇક અલગ જ હતાં. 

શરૂઆત તેમનાં અવાજથી જ કરવી પડે કારણ કે જિંદગીની કૂંપળ જ ત્યાંથી ફૂટી. શાસ્ત્રીય સંગીતમાં ગાયકી – ગાવાની શૈલી, અભિગમ અને ગાયકની પસંદગીનું ઘડતર તથા અવાજ જે એક કાચું માધ્યમ છે એ મુખ્ય છે, પાયાની બાબતો છે. ઘણા ગાયકોનો અવાજ મધ જેવો મીઠો હોય છે અને ગાયકી પરંપરાગત હોય છે. બહુ ઓછા કલાકારો પાસે અવાજ અને શાસ્ત્રીય ઢાંચામાં પોતાની ઓળખ સમી ખડી કરેલી ગાયકી એમ બન્ને બાબતો હોય. પરંપરાગત રીતે જોઈએ તો આશાજી પાસે કદાચ આ બન્ને નહોતાં અને એટલે જ એ અસાધારણ ગાયક હતાં. કોન્સર્ટ હોલમાં ગાનારા સોપ્રાનો જેવો અણીશુદ્ધ મીઠાશ વાળો અવાજ એક ચોક્કસ ડિઝાઈન ધરાવે છે, તેમનો અવાજ એવો તો નહોતો. તેમના અવાજમાં એક ખરજ હતી, એક એવો જીવંત ગુણ જે બસ હતો. તેમના અવાજમાં અંદરની તરફની ગહેરાઈનું એવું ઘેરાપણું હતું જે મંદ્ર સપ્તકમાં જાય ત્યારે તાલીમ ઓછી અને અનુભવનું પરિણામ વધારે લાગે. જો લતા મંગેશકરના અવાજને આપણે ગાયકીમાં ખયાલ સાથે સરખાવીએ જે શુદ્ધ, શિષ્ટ, ઉન્નત અને મંચ માટે હતો તો આશાજીનો અવાજ ઠુમરી ગાયકી સમાન હતો; અંગત, સાકાર, આઝાદ અને એ વાત કહેવા તત્પર જેનો ઉલ્લેખ કરતાં બીજા પ્રકારની ગાયકી ખચકાય. 

આશાજીએ તેમના આ તોફાની, આઝાદ, બેખોફ અવાજનો ઉપયોગ એ બધાં જ પ્રકારનાં ગીતો ગાવા માટે કર્યો જેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જરૂર તો હતી પણ એ જરૂર હોવાની કબૂલાત હંમેશાં કરાતી નહીં. મુજરો, કેબ્રે, મોડી રાત્રે ગવાતું ગીત, એવું ગીત જેણે તમને એ કહેવા કે કરવાની હિંમત આપી જેને તમારા મને હજી મંજૂરી નહોતી આપી. જ્યારે દિગ્દર્શકોને પડદા પર એવી સ્ત્રી દેખાડવી હતી જે ઇચ્છાને નજીકથી સમજતી – દૂરથી નહીં, થિયરીમાં નહીં પણ અંતરની ચાહની માફક ત્યારે તેમની પહેલી પસંદ હંમેશાં આશાતાઇનો અવાજ જ રહ્યો. શિષ્ટ શબ્દોમાં આડંબર કરી સુષ્ઠુ સુષ્ઠુ બોલતા સમાજમાં જે આઝાદ સ્ત્રીઓના રણકાને ગણતરીમાં ન લેવાતો, તેની નોંધ પણ ન લેવાતી તેવા અવાજને, તે લહેકાને આશાજીએ ઓળખ આપી. બિંધાસ્ત પણ ઋજુ, આઝાદ પણ પ્રેમમાં હાથે કરીને સપડાવા માગતા સ્ત્રીત્વને આશાજીએ ગાયું, તેને સ્વર આપ્યો, સૂર આપ્યો અને કાયમી બનાવ્યું. 

વળી તેમના અવાજની આઝાદી અને અલ્લડપણાની જ નોંધ લઇએ તો ય બહુ મોટી ભૂલ થઈ જાય. 1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં સંગીત નિર્દેશક ખૈયામજીએ તેમની પીચને અડધા સૂર જેટલી નીચે લાવીને તેમની પાસે ગવડાવ્યું. આશાજીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પોતે આટલું અલગ રીતે ગાઈ શકશે તેની તેમને કલ્પના નહોતી. પરિણામ હતું એવી ગઝલો જેમાં દર્દની સ્થિરતા વર્તાઈ. એ અવાજ કોઈ સ્ટુડિયોમાંથી નહોતો આવ્યો બલ્કે શ્વાસ અને પીડા જ્યાં એક સાથે વસતા હોય એવા ગળામાંથી રેલાયો હતો. તેમના સૂરને સહેજ નીચો લાવવો કોઈ ટેક્નિકલ એડજેસ્ટમેન્ટ નહોતું પણ સૂરના મામલે એક નવો દરવાજો ખોલાયો હતો. એ દરવાજેથી જે પ્રવેશ્યું તેમાં એક હતો આશાજીને મળેલો પહેલો નેશનલ એવોર્ડ, એક એવો પુરાવો જેણે તેમના અવાજની રેન્જ માત્ર ક્ષિતિજ સમી સમાંતર નથી એ સાબિત કર્યું. જો કે એ પુરાવાની કંઈ જરૂર તો નહોતી જ. ઊંડી અને ઘેરી રેન્જ વર્ટિકલ હોય છે, અવાજનું ઊંડા ઉતરવું એક અલગ પ્રવાસ હોય છે. આ ક્ષમતા બધામાં નથી હોતી.  

તેમનાં અવાજના આ ઊંડા અને ઊંચા આયામો તે જે જીવ્યાં તેમાંથી જ તેમણે મેળવ્યાં હશે. સોળ વર્ષની વયે પોતાનાંથી ઉંમરમાં ઘણા મોટા એવા ગણપતરાવ સાથે ભાગીને લગ્ન કરનારાં આશાજી સાથે પરિવારે છેડો ફાડ્યો. એ લગ્નમાંથી તે બહાર આવ્યાં ત્યારે તેમને બે સંતાનો હતા અને ત્રીજું ગર્ભમાં ઉછરી રહ્યું હતું. પુરુષપ્રધાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે સિંગલ મધર હતાં, બીજા બધાં ય કરતાં તે વધારે ગીતો ગાતાં હતાં. તે બહુ પ્રતિષ્ઠીત હતાં કે સ્ટાર બની ગયાં હતાં એટલે નહીં પણ તેમને કામની જરૂર હતી એટલે! તેમણે પોતાની જાતને આકસ્મિક ગાયક કહેલાં, એક્સિડેન્ટલ સિંગર જે ગીતો સાંભળીને, અન્યોને ગાતાં જોઈને જરૂરિયાત હોવાથી ગાતાં શીખ્યાં. અનિવાર્યતાને તેમણે નિપૂણતામાં એવી રીતે ફેરવી કે એ પરિવર્તન કયા વળાંકે થયું તે ક્યારે ય વર્તાયું નહીં. 

એક બિન-ફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’નું એક ઓછું જાણીતું ગીત છે, ‘જાને દો મુઝે જાને દો’. આ આલ્બમ ગુલઝાર, આર.ડી. બર્મન અને આશાજી વચ્ચેનું એક મજાનું કોલાબરેશન હતું. આ ગીતમાં એક સંતાનો દ્વારા ત્યજાયેલી મા પોતાના છેલ્લા શ્વાસ લઈ રહી છે. શ્રધ્ધાંજલિ સભાઓમાં ક્યાં ય આ ગીત નથી વગાડાતું. આ ગીત તમે ત્યારે જ ગાઈ શકો જ્યારે તેમને ત્યજાઈ જવાની પીડા ખબર હોય. આશાજીને આ લાગણી સારી પેઠે ખબર હતી. આ પીડા, આ લાગણીની સમજથી જાતને બચાવી રાખવાને બદલે તેમણે પોતાના માઇક્રોફોન મારફતે તેને ગુંજવા દીધી, સંગીત અને સૂરના વાઘાં પહેરાવી તેમણે આ પીડા દુનિયાને પાછી આપી અને તેમણે આ પીડાને ફરિયાદમાં ક્યારે ય ન ફેરવાવા દીધી. 

આ જીવનમાં વેઠેલા આઘાતને કારણે પ્રકૃતિમાં વણાયેલી બાબતો છે. સંવેદનશીલ વ્યક્તિ તે કળી શકે પણ કદાચ સમજાવી ન શકે એમ બને. તેમણે પોતાનાં દર્દને મલમલમાં લપેટીને કોઈ નવા રૂપે ગીતોમાં વણીને લોકોની સામે મૂક્યાં. દરેક ઇન્ટરવ્યુ, દરેક દાયકા, દરેક ઝલકમાં – આશાજી ખડખડાટ હસતાં, સરસ મજાના ઘરેણાં પહેરતાં, વાળમાં ફૂલો સજાવતાં, એંશીની વયે પણ લિપસ્ટિક કરીને માહોલ રણકાવતાં. તે ખુલ્લા દિલે મન મૂકીને વાત કરતાં, નિખાલસ રહેતાં, લોકોનું પેટ ભરાય એટલે પોતે મન ભરીને રાંધતા. તેમની પ્રતિભામાં લાગણીઓને નામને કંજુસાઈને કોઈ સ્થાન નહોતું. દર્દ સાચું હતું પણ કડવાશને સ્થાન નહોતું, જિંદગીને હતું. આ તેમની લયકારી હતી, મધુરપ ભરી પંક્તિઓ પર તાલની ચોક્કસ પકડ હતી, તેમને ખબર હતી ક્યાં વજન મુકવાની જરૂર હતી અને શું જતું કરવાનું હતું; માત્ર ગીતોમાં નહીં, જિંદગીમાં પણ.

ગુજરાતી સંગીતના રસિકો માટે એક અલગ આશાજી હતાં, રાષ્ટ્રીય સ્તરની શ્રદ્ધાંજલીઓમાં તેમણે આપણી ભાષામાં ગાયેલા ગરબા, ભજનો, લોક સંગીતના રસમાં ઘોળાયેલાં ગીતો અને ગુજરાતી ફિલ્મો માટે ગાયેલાં તેમનાં ગીતોનું ચાતુર્ય કદાચ એટલું ન ઘુંટાયું હોય જેટલી આપણને અપેક્ષા હોય. એક ગાયક તરીકે તેમનામાં ક્યાં ય પણ કવચ નહોતાં, તે જે ગાતા તેને પૂરી રીતે પોતાનું કરી દેતાં અથવા તો એમ કહીએ કે એ ભાષાનાં થઈ જતાં. તેમનાં મા ગુજરાતી હતાં અને આપણી ભાષા સાથે આશાજીનું જોડાવું સરળ હતું કારણ કે એ સંબંધ ગર્ભનાળ સાથે સર્જાયો હતો. કૌશલ્ય આલા દરજ્જાનું હોય છતાં ય સહજતાનું મૂળ કંઇક અનોખું જ હોય છે, જે તેમના કિસ્સામાં હતું.  

તેમણે ઇજાઝત ફિલ્મનું ‘મેરા કુછ સામાન..’ ગાયું ત્યારે એ ગીતના સંગીતકાર આર.ડી. બર્મન તેમના જીવનસાથી હતા. આર.ડી. બર્મને આશાજીના અવાજને દાયકાઓ સુધી આશાજીના અવાજમાં નવા સરનામા શોધ્યા. ખુવાર થયેલી વ્યક્તિમાં ફરી વહી ન જવાનું એક નિયંત્રણ આપમેળે ઘડાય છે, એ આશાજીના અવાજમાં હતું તે આર.ડી. સારી પેઠે જાણતા હતા. તેઓ બંને સાથે હોવા છતાં ય આગવી રીતે પોતાનાં સહિયારાં વિશ્વમાં જીવતા હતાં. કલાને માથે સત્ય પીરસવાની જેટલી જવાબદારી હોય તેના કરતાં કંઇ વધુ જવાબદારી આર.ડી. અને આશાની જોડીએ પીરસી હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 

1994માં આર.ડી. બર્મનનું નિધન થયું. આશાજીની દીકરી વર્ષાએ 2012માં દુનિયા છોડી અને દીકરા હેમંતનું  2015માં મૃત્યુ થયું. આટલી બધી ખોટ અને આઘાત જીરવી જનારાં આશાજીનાં મિજાજને, તેમનામાં જીવતા પરમાનંદને, તેમના સ્વરના સ્મિતને કોઈ ચળાવી નહોતું શક્યું. અમસ્તા નથી લખાયું કે, ‘દર્દ કા હદ સે ગુઝર જાના હૈ દવા હો જાના.’ તે છેક સુધી જાહેર જીવનમાં પ્રવૃત્ત રહ્યાં, હસતાં રહ્યાં, લોકોને જમાડતાં રહ્યાં, ગજરા અને ફૂલો સાથે મૈત્રી કેળવી રાખી. જિંદગીની અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલી એક એવી સ્ત્રી જે દરેક પીડા સાથે નવું, ધારદાર, ચમકદાર પાસું કેળવતી ગઇ.

સંગીતમાં ‘મીંડ’ એટલે બે સૂર વચ્ચેનું એક નાનકડું ચઢાણ, બે સૂર વચ્ચે જે જગ્યા હોય ત્યારે જે ધ્વનિ જન્મે એ – મીંડ આ બેમાંથી કોઈપણ એક સૂરની નથી હોતી, તે સફર કરે છે, બે સૂરની વચ્ચે. સુંદરતા જળવાય એ રીતે એ સફર માંડવી સહેલી નથી પણ આશાજીની મીંડ હંમેશાં માત્રને માત્ર તેમની જ રહી. સંપૂર્ણ કે પરફેક્ટ કહી શકાય એવી નહીં છતાં ય એટલી બધી તેમની કે અવાજ કાને પડે તે પહેલાં એ સૂર વચ્ચેની જગ્યા ઓળખાઈ જાય. આ બે સૂરો વચ્ચેની ચોકસાઈ જ ટકી જવાની તાકાત છે. કેટલાં ગીતો, કેટલા એવોર્ડ્ઝ અગત્યનાં નથી હોતાં. એક વ્યક્તિનો અવાજ, એક ચોક્કસ ક્ષણમાં જે હતું અને જે હશે તેની વચ્ચે ચઢાણ કરે છે, સરકે છે; બસ એ જ સત્ય છે. 

બાય ધી વેઃ 

કદાચ આશાજી જાણતાં હતાં કે બુઝાયેલી રાતો પાછી નથી મળતી પણ તેમને એ પણ ખબર હતી કે તેમાંથી કંઇક સાર્થક જડી શકે છે. આ જ 92 વર્ષની તેમની સફર હતી. આજે જે પણ સ્ત્રીઓ કોઈની પરવાનગી વિના, માફી માગ્યા વિના, ઇચ્છા અને પીડાઓ અને ચોક્કસ પ્રકારની એકલતા વિશે મીઠી મધુરી થયા વિના જો ગાઈ શકે છે તો તેમને ખબર પણ નથી કે તે કોનું ઋણ લઈ રહી છે. આશાજીએ કોઈ દરવાજા નહોતા તોડ્યાં, કોઈ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો શોર નહોતો કર્યો, તેમણે સમાજ અને લાગણીઓની સખત દિવારોની આરપાર ત્યાં સુધી ગાયું જ્યાં સુધી એ દીવાલોને સમજાયું નહીં કે આ અવાજ સામે પોતે નહીં ટકી શકે. લોકોની અપેક્ષા પ્રમાણે નહીં જીવેલી દરેક સ્ત્રી, જેણે દેકારો કર્યા વિના, ચોધાર આંસુએ રડ્યા વિના વધારે ઇચ્છ્યું, વધારે માગ્યું, વધારે અનુભવ્યું અને વધારે મેળવ્યું એ અવાજ માત્ર તેમનો નહોતો, આશાજીનો હતો. ‘ 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઍપ્રિલ 2026

Loading

...6789...203040...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved