જ્યારે સંવિધાનની ચર્ચા થઈ રહી છે, જ્યારે સંસ્કૃતિની ચર્ચા થઈ રહી છે, ત્યારે શક્ય છે કે આપણને દેશદ્રોહી ઠરાવી દે !

સપના પાઠકજી
આ હોલમાં બેઠેલા લોકોમાંથી કેટલાંએ બંધારણ વાંચ્યું છે? સંવિધાન રાતોરાત બન્યું નથી. ઘણા સંઘર્ષો બાદ બંધારણ બન્યું છે. આજે આપની સમક્ષ હું બોલી રહી છું તે સંવિધાનના કારણે ! પહેલાં આપણી સંસ્કૃતિ એવી હતી કે પતિનું મૃત્યુ થાય તો પત્નીને સતિના નામે મારી નાખવામાં આવતી હતી.
આપણે બંધારણની વાતો કરવાની છે, ધર્મની વાતો બંધ કરવાની છે. ધર્મની વાતો બંધ કરવાથી આપણે સારી રીતે જીવી શકીશું. આપણી સંસ્કૃતિ સારી છે તો આપણા યુવાનો વિદેશ શા માટે જાય છે? આપણા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો લખેલાં છે. આપણે ગીતા / કુરાન / બાઇબલ વાંચ્યું હશે પણ બંધારણ વાંચ્યું નહીં હોય; જે આપણને માનવવાદી બનાવે છે. આપણી પ્રતિબદ્ધતા કોઈ વ્યક્તિ પ્રત્યે નહીં, સંવિધાનની પ્રત્યે હોવી જોઈએ. ‘રુલ ઓફ લો – કાયદાનું શાસન’ શું છે તેની જાણકારી હોવી જોઈએ. વિદેશોમાં કોઈ વ્યક્તિ ભક્તિ નથી, રાજકીય ભક્તિ નથી; ત્યાં ‘રુલ ઓફ લો’ છે. કાયદાથી ઉપર કોઈ નથી.
આપણને એ ખબર જ નથી કે સરકાર પાસે આપણે શું માંગવું જોઈએ. હું વારંવાર કહું છું કે રાજનીતિને સમજો. રાજનીતિ એ વસ્તુ છે કે બાળક માતાના પેટમાં હોય અને તે જીવન પૂર્ણ કરી મૃત્યુ પામે ત્યાં સુધી રાજનીતિ જોડાયેલી હોય છે. આપણે આપણા પરિવાર પાસે / માતાપિતા પાસે બધી ચીજવસ્તુઓ માંગીએ છીએ. કપડાં / રોટી / શિક્ષણ ! માબાપ ના પાડતાં નથી. માબાપ ભૂખ્યાં રહીને પણ સંતાનોને બધી વસ્તુઓ આપે છે. રાજનીતિમાં જે લોકો બેઠા છે તેમની પાસે પણ આપણે હકો માંગવા જોઈએ; સોશિયલ સિક્યોરિટી માંગવી જોઈએ. તેઓ આપણા રક્ષક છે. જ્યાં સુધી બંધારણના બેઝિક સ્ટ્રક્ચરને / મૂળભૂત અધિકારોને આપણે નહીં સમજીએ ત્યાં સુધી બંધારણનાં મૂળભૂત માળખાંને હાનિ પહોંચાડનારને ઓળખી શકીશું નહીં; આપણે આગળ વધી શકીશું નહીં. આપણે એ પણ વિચારવાનું છે કે મૂળભૂત અધિકારોમાં ‘રાઈટ ટુ વર્ક’નો સમાવેશ થવો જોઈએ.
આ બધું ત્યારે સમજી શકીએ જ્યારે આપણે ધાર્મિક ઉન્માદથી દૂર રહીએ. આપણે મસ્જિદની નીચે મંદિર શોધીએ છે, પણ આપણે રોજગારનું વિચારતા નથી. આપણને સારું શિક્ષણ મળતું નથી, એની ચિંતા નથી ! વિદેશોમાં 12 ધોરણ સુધીનું શિક્ષણ બિલકુલ ફ્રી છે; આપણે ત્યાં આવું કેમ ન થઈ શકે? આપણે ત્યાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો છે તે બીજી બાબતો માટે કરવામાં આવે છે. પ્યુન અને પ્રધાન મંત્રીના બાળકોને એક સરખું શિક્ષણ મળવું જોઈએ. કલ્યાણ રાજ્યની સ્થાપના થવી જોઈએ. આજે મોંઘવારી અને બેરોજગારીની વાત કરીએ તો દેશદ્રોહી ઘોષિત કરી દે છે. આપણે એ જોવાનું છે કે કોણ બંધારણીય મૂલ્યો સાથે છે, માનવવાદી મૂલ્યો સાથે છે.
ટૂંકમાં કોઈ રાજકીય પક્ષની ભક્તિ કરવાની નથી; ભક્તિ કરવી હોય તો ‘રુલ ઓફ લો’ની કરવાની છે !
[સૌજન્ય : સપના પાઠકજી, 8 ડિસેમ્બર 2024, સુરત]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




ગોવર્ધનરામ એક સર્જક નિ:શંક છે, પણ નકરા સર્જક તો એ મુદ્દલ નથી. એમના નાયકે નવીનચંદ્ર એ નામ તો ધારણ કીધું, પણ રાજકારણની રીતે લેખક ને નાયક, 1920થી બેસેલા અસહકાર યુગ સામે કંઈક મવાળ પણ લાગે. જો કે, ગોખલે તો જાણે કે સમજ્યા, પણ સ્વરાજ્યને જન્મસિદ્ધ અધિકાર કહેતા તિલક પણ હોમરુલ લીગમાં જ હતા ને? એમાં પૂર્ણ સ્વરાજની વાત નહોતી. ગો.મા.ત્રિ.એ સ્વદેશી સ્ટોર્સનું ઉદ્દઘાટન પણ કરેલું અને અમદાવાદમાં 1902માં કાઁગ્રેસ મળી ત્યારે સામેલ પણ થયેલા. બલકે, ત્યારે માંડ દસેક વરસના ઈન્દુલાલ યાજ્ઞિકની સ્મૃતિમાંયે એ સચવાયેલું છે કે અમદાવાદની કાઁગ્રેસમાં પ્રતિનિધિ તરીકે સામેલ થવાનો અનુરોધ એ ‘પાકી ચરોતરિયા બોલી’માં કરતા.
ગાંધીજીએ પોતાના આશ્રમો સારુ સ્વીકારેલાં અગિયાર વ્રતોમાંથી પહેલાં પાંચ એટલે કે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય તો એવાં હતાં કે જેને સર્વધર્મોની માન્યતા મળેલી છે. ગાંધીજી આ વ્રતોને એક એક કરીને પૂર્ણપણે વિકસાવવા માગતા હતા. એની સાથેસાથે આ પાંચે મહાવ્રતોને તેઓ એકસામટાં પણ જોતા હતા. તેમને તે પાંચેય એક-બીજા સાથે સંબંધિત લાગતાં હતાં. તેથી અપરિગ્રહનો વિકાસ કર્યા વિના અહિંસાનો પૂરો વિકાસ ન થઈ શકે એમ માનતા હતા. એ જ રીતે સત્ય અહિંસાની દિશામાં પૂર્ણતા તરફ આગળ વધવું હોય તો બ્રહ્મચર્ય વ્રતને પણ ખંતપૂર્વક પાળવું જોઈએ એવી તેમની માન્યતા હતી. આ માન્યતાને લીધે ગાંધીજી બીજા સાધકો કરતાં જુદા તરી આવતા હતા. બીજા સાધકો આ વ્રતોનો વિચાર નોખો નોખો કરતા હોય છે તેથી એક વ્રતના પાલન સારુ બીજા વ્રતોની અનિવાર્યતા નહોતા માનતા. ગાંધીજી આ પાંચે વ્રતોને એક-બીજા સાથે સંકળાયેલા માનતા તેથી જ પોતાની અહિંસામાં પરાકાષ્ઠા સારુ બ્રહ્મચર્યમાં પરાકાષ્ઠા સુધી પહોંચવા માગતા હતા. વળી તેમને એ પણ વિશ્વાસ હતો કે સાચી સામાજિક-રાજનૈતિક શક્તિ માણસમાં શુદ્ધિથી આવે છે, અને શુદ્ધિ વ્રતોના નિષ્કપટ પાલનથી આવે છે. તેથી એવો પણ વિચાર કરેલો કે જો તેઓ બ્રહ્મચર્યના પાલનમાં પોતાના છેવટના આદર્શ સુધી (દાખલા તરીકે શુકદેવજી જેવું સહજ નિશ્છલ બ્રહ્મચર્ય પાલન સુધી) પહોંચી શકે તો જેઓ તેમને એક નંબરના દુ:શ્મન માને છે તેમનું દિલ જીતવાની તાકાત તેમનામાં આવી શકે. આમ ગાંધીજી વ્રત, શુદ્ધિ અને નૈતિક તાકાતને પરસ્પર સંકળાયેલી ગણતા. જેમને ગાંધીજીની આવી તર્કસાંકળ સમજાતી નહોતી કે માન્ય નહોતી તેમને સારુ વ્રતપાલન વિષેનો આગ્રહ મૂંઝવનારો કે અકળાવનારો થઈ પડતો. પરંતુ ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન કાળથી તપ, તેજ અને તાકાતના સંબંધને માનેલા છે.
ગાંધીજીની એક વિશેષતા એ હતી કે પોતાની ક્રાંતિકારી સાધનાના પથ પર તેમણે પોતાની દૃષ્ટિએ એક બીજો વિવેક પણ સાધ્યો હતો. તે વિવેક હતો પોતાની માગણી અંગે કઈ બાબતમાં બાંધછોડ કરવી અને કઈ બાબતમાં મક્કમ રહેવું તે અંગેનો. સાદી ભાષામાં કહીએ તો ગાંધીજી યુદ્ધને અંતે વાટાઘાટોને પ્રસંગે જેને તેઓ ગૌણ કે વિગતો અંગેના મુદ્દા માનતા હતા તે બાબતમાં બાંધછોડ કરવા તૈયાર હતા. પણ જેને પાયાના, મુખ્ય કે મૂળ તત્ત્વ સાથે સંકળાયેલા મુદ્દા માનતા હતા તેને મક્કમપણે વળગી રહેતા. આ બાબત એવી હતી કે જે ગાંધીજીના પોતાના આક્લન પર આધાર રાખતી. જનરલ સ્મટ્સ સાથેની વાટાધાટો વખતે તેમણે આંગળાંનાં નિશાન આપવાની વાતને ગૌણ માનીને તે સ્વેચ્છાપૂર્વક અપાય, ફરજિયાત નહીં; એની ઉપર ભાર દીધો હતો. વળી રજિસ્ટ્રેશનનો કાયદો પાછો ખેંચી લેવામાં આવશે એવું તેમણે જનરલ સ્મટ્સ પાસે આશ્વાસન મેળવ્યું હતું. તેમણે કબૂલ્યું હતું કે જો લોકો સ્વેચ્છાએ પોતાનાં નામો નોંધાવી દેશે તો તેઓ કાયદો પાછો ખેંચી લેશે. કાયદો પાછો ખેંચાય એ હિંદી કોમ માટે અગત્યનું હતું. પહેલાં આંગળીનાં નિશાન નહીં આપીએ એમ કહ્યા પછી એ આપવાનું સ્વીકારવું એ ગાધીજીને મન ગૌણ હતું. અલબત, આ કિસ્સામાં જનરલ સ્મટ્સ વચન આપ્યા પછી, પાછળથી ફરી ગયા હતા. પણ એ અવસ્થામાં ફરી સત્યાગ્રહ ઉપાડવાનું તો હિંદીઓના હાથમાં હતું જ.