Opinion Magazine
Number of visits: 9736156
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

પ્રકાશ ન. શાહ|Gandhiana|28 January 2026

શું ગાંધીહત્યા એ માત્ર એક વ્યક્તિનો ઉન્માદ હતો, કે પછી ગોડસેથી ગોળવલકર સુધી ફેલાયેલું કોઈ સુનિયોજિત રાજકીય કાવતરું?

પ્રકાશ ન. શાહ

ગાંધીનિર્વાણના ઉંબર કલાકોમાં લખી રહ્યો છું ત્યારે ચિત્તમાં કંઈક હથોડાબંધ ટકોરા દઈ રહેલો વૈકલ્પિક પ્રયોગ ગાંધીહત્યા બલકે ગાંધીવધ છે. બાકી દુનિયાએ જે ઘટનાને એક બલિદાની અંતિમ સમર્પણ તરીકે જોઈ, કંઈક અંશે નિર્ઘૃણ હત્યા રૂપે જોઈ, એને આતતાયી વધ તરીકે જોનારા જેમ ત્યારે હશે તેમ અત્યારે પણ છે.

સાધારણપણે ત્રીસમી જાન્યુઆરી પ્રાર્થનાભાવ જગવતી રહે છે – અને એ ઠીક જ છે. પણ કંઈક અવસાદ પ્રેરતી એટલી જ ગીતાપ્રોક્ત મન્યુ જગવતી ઘટના એ નથી એમ તો કહી શકાતું નથી: નિર્વાણથી માંડી વધ સુધીનાં આ વિચારઝોલાંનું તત્કાળ નિમિત્ત હજુ હમણેના કલાકોમાં ગુજરાતવગાં થયેલાં બે પુસ્તકોએ પૂરું પાડ્યું છે: ‘લેટ્સ કિલ ગાંધી’ (તુષાર ગાંધી) અને ‘ગાંધીનો હત્યારો ગોડસે’ (ધીરેન્દ્ર ઝા).

તુષાર અલબત્ત ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તેમ જ અજંપ ઉધમાત થકી જાણીતું નામ છે. એને મુકાબલે ધીરેન્દ્ર ઓછા જાણીતા હશે. જો કે, તાજેતરનાં વરસોમાં સંઘકારણના અચ્છા અભ્યાસી તરીકેની એમની પ્રતિભા ચીલેચલુ પત્રકારિતાને વટી ગઈ છે, અને છબછબિયે રાજી રહેતા કલમનવીસોને મુકાબલે ઊંડું અવગાહન કે સંશોધન કરનાર તરીકે ઊભરી છે. 

‘લેટ્સ કિલ ગાંધી’ના ગુજરાતી અનુવાદ સાથે તુષાર ગાંધીના એ ફરિયાદબોલ પણ આપણી સામે આવે છે કે અંગ્રેજીમાં પ્રગટ થયાનાં ખાસાં દસબાર વરસે ગુજરાતી વાચક સુધી પહોંચવાનું બન્યું છે. ‘ગોડસે’ વિશે પૂરા કદનું ઠીક ઠીક સંશોધનમંડિત પુસ્તક ગુજરાતીમાં જ નહીં પણ ત્રણ-ચાર વરસ પર અંગ્રેજીમાં આવ્યું ત્યારે ય કદાચ પહેલું જ હશે.

મુદ્દો એ છે કે ગાંધીહત્યા પછી તપાસ થઈ, કેસ ચાલ્યો, ગોડસેને સજા પણ થઈ છતાં કેમ જાણે આખી પ્રક્રિયામાં કદાચ જાણતે છતે પણ કંઈક ચુકાઈ ગયું તે ચુકાઈ જ ગયું. તુષાર ગાંધીએ બધી વિગતો સંકોરીસમેટી કકળતી આંતરડીએ આપેલું ચિત્ર એ છે કે મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ આ પ્રશ્ને કેટલી શિથિલ રીતે વરતી હતી અને પૂર્વસંકેત સમજી જરૂરી ચોંપમાં મુંબઈનું ખેર-મોરારજી પ્રશાસન કેટલું ઊણુંઊતર્યું હતું.

ગોડસેને ફાંસી થઈ, બીજાઓને ય ઘટતી સજા થઈ, પણ તપાસની કસર તો છેક 1966માં કપૂર પંચ સાથે જ પૂરી થઈ – કોરોબરેટિવ પુરાવાને અભાવે બાઈજ્જત (ખરું જોતાં, બેનિફિટ ઓફ ડાઉટ, બહુ બહુ તો) સાવરકર બહાર આવ્યા હતા, એ સાફ થયું.

સ્વરાજ આગમચ અને વાંસોવાંસ, આગળપાછળ મળીને સાવરકર અને સંઘને આ સંદર્ભમાં સમજવા માટે ધીરેન્દ્રનું ‘ગોડસે’ અને થોડા વખતમાં ગુજરાતીમાં આવનારું ‘ગોળવલકર’ મજબૂત સંશોધનમંડિત સામગ્રી લઈને આવે છે. મુદ્દે, 1948-49માં તપાસ અને કેસના દોરને અંતે સંઘ સૂત્રોએ આપેલી બલકે ઊપજાવેલી છાપ એ હતી કે અમારે અને ગોડસેને કોઈ સંબંધ જ નથી. આરંભે આ પ્રકારના દાવા પછી કેટલીક વિગતોના ઉજાસમાં આ સૂત્રોએ લગીર કોર્સ-કરેક્શનની રીતે એવી મુદ્રા અંગીકાર કરી કે ભાઈ, નથુરામ સંઘમાં પૂર્વે હતો તો ખરો, પણ પછી એ છૂટો થઈ ગયેલો અને ‘હિંદુ રાષ્ટ્ર દળ’ ચલાવતો હતો. 

આ વિગત, દાયકાઓ સુધી વિશેષ તપાસને અભાવે જડબેસલાક જામી પડી અને જનતા પક્ષના ઉદ્દભવથી માંડી લોકસભામાં વાજપેયીની છટાદાર રજૂઆત મારફતે એ અધોરેખિત થતી રહી. જો કે, વચમાં 1964માં ગોપાલ ગોડસેએ છૂટ્યા પછી ચોખ્ખું લખ્યું હતું કે અમે અમારી જુબાનીમાં તાત્યારાવ(સાવરકર)ને અને સંઘને બચાવી લીધા હતા. સંઘ-જનસંઘ એ વખતે એટલા ચિત્રમધ્ય નહોતા કે વ્યાપકપણે એની નોંધ લેવાય અને પ્રજાકીય સ્મૃતિમાં તે ઝમે.

ધીરેન્દ્રનું સંશોધન આગળ જાય છે. દસ્તાવેજી સામગ્રીને આધારે એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના સંઘચાલક કાશીનાથ લિમયે અને સાવરકરના સક્રિય સહયોગમાં આ હિંદુ રાષ્ટ્ર દળ કાર્યરત હતું. દળના બૌદ્ધિક વર્ગોમાં ને શિબિરોમાં મુખ્ય વક્તાઓ ઘણે ભાગે સંઘના રહેતા. હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરંભથી ગાંધીહત્યા સુધી ઓછાવત્તા સંકળાયેલા રહ્યા. હિંદુ રાષ્ટ્ર દળના સંચાલનમાં કાશીનાથ લિમયે મારફત સંઘ અને હિંદુ મહાસભા સહયોગી હતા.

ગુજરાતીમાં સદ્યપ્રકાશ્ય ‘ગોળવલકર’માં ધીરેન્દ્રે ઉપસાવેલો મુદ્દો એ છે કે સ્વરાજપૂર્વ થોડાં વરસોમાં સંઘે રજવાડાઓમાં પાકો પ્રવેશ જમાવ્યો હતો અને ભાગલા નજીક જણાયા ત્યારે રાજાઓને આગળ કરીને પોતાનું પ્રભાવક્ષેત્ર ઊભું કર્યું હતું. સ્વતંત્ર રહેવા ઇચ્છતા રજવાડામાં સંભવિત ‘હિંદુ રાજ્ય’ની આશા ને શક્યતાની રાજકીય ગણતરી હતી. એક પછી એક રજવાડામાં સંઘ સ્વયંસેવકોની રાજસલામીથી એક લશ્કરી અર્ધલશ્કરી માહોલ ઊભો કરાયો હતો.

ને થોડું ‘ગાંધી આસપાસ. નેહરુપટેલ ભાગલાની દિશામાં એકતરફી આગળ વધી ગયા પછી ગાંધીએ પોતાની વિરોધ લાગણી છતાં કોમી ઉત્પાતના કારી ઘાને ખાળવા ને રૂઝવવામાં સાર્થક્ય જોયું. બંગાળમાં શાંતિ સ્થાપન પછી ગાંધી પંજાબ જતાં દિલ્હી રોકાયા તે શાંતિસ્થાપન અર્થે રોકાઈ જ પડ્યા. એક રીતે હવે એ એકલા જેવા હતા. દેખીતો ઓસરતો પ્રભાવ હતો. પણ ધીરેન્દ્ર દસ્તાવેજી વિગતો સાથે સમજાવે છે કે શાંતિના નેહરુ પ્રયાસોમાં ને સરદારની મથામણમાં એક એક મોટું બળ બની રહ્યા.

રજવાડે થનગન ને દિલ્હીજેતા થવાનું સપનું જોતા સંઘને માટે આ એક મોટી રુકાવટ હતી. લગભગ એવી લાગણી હતી કે ગાંધી દિલ્હી છોડે પછી આપણે સારુ અવકાશ મળી રહેશે. અમે તોફાનોમાં નથી અને શાંતિ-સહભાગી છીએ એવી અપીલ કરવાનું ગાંધીનું સૂચન ગોળવલકરને ગ્રાહ્ય નહોતું.

ગાંધીહત્યાનો વિધિવત વિરોધ અને આતતાયી વધને અનુમોદના, સંઘ શતાબ્દીએ આની કળ વળશે, ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 જાન્યુઆરી  2026

Loading

जो कार्नी नहीं कह सके …

कुमार प्रशांत|Opinion - Opinion|27 January 2026

कुमार प्रशांत

2026 में मैं अपनी बात 1948 से शुरू करूं, तो आप एतराज तो नहीं करेंगे ? मैं भी क्या करूं, अौर आप भी क्या करेंगे कि इतिहास इसी तरह हमारे साथ चलता है, और हम कहते हैं कि इतिहास स्वयं को दोहराता है !…

वह 27 जनवरी 1948 की सुबह थी. सांप्रदायिक हिंसा की अकल्पनीय आग में झुलसते, अपने खास साथियों के बदले तेवर से आहत, एकदम अकेले पड़ गए महात्मा गांधी बाजी पलटने की अपनी आखिरी कोशिश का नक्शा बनाने में लगे थे कि उस रोज सुप्रसिद्ध अमरीकी पत्रकार विन्सेंट शीन मुलाकात के लिए पहुंचे. गांधी के लिए शीन केवल पत्रकार होते तो उन्हें आज मिलने का वक्त न मिला होता, क्योंकि गांधी हर तरह की मुलाकात से तब इंकार कर रहे थे. शीन गांधी के आत्मीय अध्येता भी थे. इसलिए गांधी ने उन्हें बुला लिया था. लेकिन आज शीन गहरी उलझन में थे. उनका व्यथित मन कुछ सोच-समझ नहीं पा रहा था तभी वे गांधी तक पहुंचे थे. जिस दूसरे विश्वयुद्ध का शीन ने गांधी से अलग जा कर, जी-जान से समर्थन किया था, मित्र-राष्ट्रों के पक्ष में ख़ुद को झोंक दिया था, उसकी असलियत अब सामने आ रही थी जो बेहद कुरूप व डरावनी थी.

“ लोकतंत्र को मजबूत बनाने के अच्छे उद्देश्य से जो विश्वयुद्ध लड़ा गया, उसका परिणाम इतना उल्टा क्यों आया ?  एक हिटलर का मुकाबला करने जो लोग निकले थे, आज उनके भीतर से कितने ही छोटे-बड़े हिटलर पैदा हो गए हैं !” शीन का सवाल था.

“ सारा खेल साधनों का है !”, गांधी ने नि:शंक जवाब दिया, “ साध्य अच्छा हो, इतना काफी नहीं है, साधन शुद्ध हों, यह उससे भी ज्यादा जरूरी है. अशुद्ध साधन अच्छे साध्य को भी विकृत बना देते हैं.”

“ क्या हर स्थिति में, हर वक्त ऐसा ही होता है ?”

“ हमेशा ऐसा ही होता है, होगा; क्योंकि सत्य बदलता नहीं है.”

यह 1948 की दिल्ली थी; आज हम 2026 के दावोस में हैं. दोनों के बीच सिर्फ 78 साल का फासला नहीं है बल्कि यह भी है कि आज हमारे बीच कोई गांधी नहीं हैं. हम यहां गांधी को नहीं, कनाडा के प्रधानमंत्री मार्क कार्नी को सुन रहे हैं. वे दावोस के वर्ल्ड इकॉनोमिक फोरम में कह रहे हैं कि महाशक्तियों के वर्चस्व के खिलाफ हम ‘दोयम शक्तियों’को इकट्ठा होना होगा. वे कह रहे हैं कि अमरीकी साम्राज्यवादी शक्तियों का मुकाबला करने की सशस्त्र ताकत नहीं होगी हमारी तो हम कहीं के नहीं रहेंगे : “ वह देश जिसके पास अपनी ज़रूरत का खाना नहीं है, जिसके पास अपनी जरूरत की ऊर्जा नहीं है, जो अपनी रक्षा में स्वंय समर्थ नहीं है, उसके लिए आज की दुनिया में ज्यादा कुछ विकल्प है नहीं. जब अंतरराष्ट्रीय विधि-विधान आपका संरक्षण नहीं कर सकते तब आपको अपना संरक्षण स्वयं करना होता है.”

यह संभवतः: पहला ही अवसर था जब नाटो के मंच से, किसी यूरोपीय देश ने अमरीका का नाम ले कर, उसके वर्चस्व को ललकारा ही नहीं बल्कि उससे छूटने के लिए नाटो देशों के साथ आने की बात कही. स्वाभाविक ही था कि डोनल्ड ट्रंप कार्नी से खार खाए बैठे हैं और चीख रहे हैं कि अमरीका के बिना कनाडा एक बड़ा जीरो है जिसे हम उसकी औकात बता देंगे ! यह अंतरराष्ट्रीय संवाद की नई भाषा है. हम भारतीय तो 2014 से ही ऐसी भाषा के आदी हो गए हैं.

आगे चलने से पहले हम इतिहास का एक दूसरा पन्ना भी पलटते चलते हैं. तब दूसरा विश्वयुद्ध समाप्त हुआ था. तथाकथित मित्र-राष्ट्रों ने विजेता की भूमिका में दुनिया की कुंडली लिखनी शुरू कर दी थी. वे देशों के मनमाना विभाजन किए जा रहे था, अरबों की धरती पर बंदूक का हल चला कर इसराइल की खेती की जा रही थी. ऐसे वक्त में जवाहरलाल नेहरू नाम का एक आदमी सामने आया. उसने कहा था कि हम महाशक्तियों के इस खेल में किसी की तरफ नहीं हैं. हमारा रास्ता तीसरा है. तटस्थ राष्ट्रों का हम अपना संगठन बनाएंगे. महाशक्तियों के निर्दयी अंतरराष्ट्रीय खेल के बीच यह परम साहस की सोच थी, अंधेरे में लगाई एक वीरतापूर्ण छलांग थी. कोई जवाहरलाल ही ऐसी पहल कर सकता था, क्योंकि उसने गांधी की छाया में सांस ली थी.

नेहरू के आवाज उठाई तो साथ आ जुड़े इंडोनेशिया के सुकार्णों, मिस्र के गमाल नासेर. फिर तो यह बात रफ़्तार पकड़ गई और एक वक्त 120 देश इसमें शामिल हुए. यूगोस्लाविया के मार्शल टीटो भी साथ आ खड़े हुए. रूसी व अमरीकी खेमा कौतुक से इस नई शक्ति के उदय को देखता रहा. जवाहरलाल ने 120 देशों की तरफ से कहा कि हम वे हैं जो अपना रास्ता ख़ुद बनाते हैं. लेकिन यह साहसी पहल धीरे-धीरे बिखरने लगी, क्योंकि सवाल सिर्फ राजनीतिक तटस्थता का नहीं था, सवाल तो शक्ति की पूरी अवधारणा का था. शक्ति की अवधारणा वैसी ही हो जैसी महाशक्तियों की है, तब तटस्थता सधती नहीं है. साध्य व साधन के विवेक की जो बात गांधी शीन को समझा रहे थे, जवाहरलाल न उसे समझ सके, न समझा सके. आज तटस्थ राष्ट्रों की वह सारी परिकल्पना ढह चुकी है, तो इसलिए कि तटस्थ राष्ट्रों के मानक भी महाशक्तियों जैसे ही थे. इसलिए हम यह शोकांतिका भी देखते हैं कि तटस्थ राष्ट्रों के मलबे में से एक-के-बाद एक तानाशाह या एकाधिकारी शासक उभर आए. नासेर, सुकार्णो, एंक्रूमा, टीटो अादि सबने सत्ता अपनी जेब में रखी ली. अपवाद रहे केवल जवाहरलाल जो तटस्थ कितने रहे यह विवाद का विषय है लेकिन लोकतंत्र को सीने से लगाए रहे, इसकी गवाही इतिहास भी देता है.

मार्क कार्नी क्या यह समझ पाते हैं कि तटस्थता का यह पूरा भव्य दर्शन क्यों विफल हुआ ? इसलिए, सिर्फ इसलिए कि जवाहरलाल समेत सारे तटस्थ नेताओं की आंखों में सपना तो यही था कि हम अमरीका या रूस जैसे कैसे बनें. जवाहरलाल अपने भारत के लिए अमरीका-रूस की एक विचित्र-सी खिंचड़ी बनाने में व्यस्त थे. यहां भी हाल वैसा ही है. कार्नी के कनाडा समेत नाटो के सभी देश अंतरराष्ट्रीय राजनीति में आज तक अमरीकी त्रिशूल भांजते चले हैं. अमरीका से ज्यादा अमरीकी बनने की होड़ में इन देशों ने वह सब किया जो अमरीका ने चाहा. वे लुटेरी अमरीकी राजनीति के सिपाही बने रहे, लूट में हिस्सेदारी करते रहे. कनाडा तो जी-7 के उस क्लब का सदस्य रहा जो सारी दुनिया में पूंजी के बल पर अट्टहास करता रहा है. यह बात अलग है कि आका जितनी छूट देता था, इन्हें उतने से ही संतोष करना होता था. जंगल का एक सच यह है कि शेर अपना शिकार खा कर जो बचा-खुचा छोड़ देता है, भेड़िए और सियार उसका भोग लगाते हैं. इसलिए कार्नी ने यह नहीं कहा कि ‘मध्यम शक्तियों’ को शक्ति की नई परिभाषा बनानी होगी तथा उसका राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर पर पालन भी करना होगा. कार्नी ने यह नहीं कहा कि सारा यूरोप अमरीका का उच्छिष्ठ खाता रहा है. उन्होंने दुख भरे शब्दों में यह जरूर कहा कि हम ‘मध्यम शक्ति’ वालों ने गलत क्या-क्या किया लेकिन यह नहीं कहा उन गलतियों से बचने के लिए अब कनाडा क्या-क्या अलग करेगा ? हम देख ही तो रहे हैं कि उसी ट्रंप की कृपादृष्टि पाने की कोशिशें आज भी चल रही हैं.

बोर्ड ऑफ पीस का जो नया पासा ट्रंप महाशय ने फेंका है, उसे लपकने वालों की कमी नहीं है. यह नया नाटो है, यह नया संयुक्त राष्ट्रसंघ बनाने की चालाकी है इस सावधानी के साथ कि अब कोई अमरीकी सत्ता को ( ट्रंप को !) आंख न दिखा सके. इसलिए ट्रंप ने घोषणा की है कि बोर्ड ऑफ पीस का अध्यक्ष अमेरिका का राष्ट्रपति नहीं, डोनल्ड ट्रंप हैं जिन्हें कोई हटा नहीं सकता है. उन्होंने यह भी बता दिया है कि आज जो भी इस बोर्ड की सदस्यता लेंगे वे केवल 3 सालों के लिए सदस्य रहेंगे. स्थायी सदस्यता उन्हें ही मिलेगी जो सदस्यता के पहले वर्ष में ही अमरीकी खजाने में 1 बीलियन डॉलर की फीस नकद भरेंगे. जिस बोर्ड ऑफ पीस की आधी-अधूरी परिकल्पना ट्रंप महाशय ने सिर्फ गजा के संदर्भ रखी थी, अब सारी दुनिया उसके दायरे में आ गई है. जब ट्रंप का दावा सारी दुनिया में युद्ध रुकवाने का है तो वे उसकी कीमत सारी दुनिया की स्वायत्तता को अपनी मुट्ठी में कर के क्यों न वसूलें !

भारत ने तो देश-दुनिया के उन सारे सवालों के बारे में मौन धार लिया है जिनके बारे में कोई नैतिक भूमिका न लें आप तो उसे राजनीतिक चातुरी नहीं, राजनीतिक कायरता या अवसरवादिता कहते हैं. इसलिए अंतरराष्ट्रीय राजनीति में आज भारत की कोई हैसियत नहीं है याकि जैसा ट्रंप बार-बार साबित करते रहते हैं कि भारत अंतरराष्ट्रीय विदूषक भर रह गया है.

दूसरे विश्वयुद्ध के बाद से दुनिया की जो बंदरबांट चली है, उसका आधार रूसी व अमरीकी गुटों का निहित स्वार्थ रहा है. अब रूसी गुट जैसा कुछ बचा नहीं है. इधर के दिनों में रूस-चीन गुट-सा जो दिखाई देता है, वह अमरीकी गुट से डरे पुतिन-जिनपिंग की चालबाजी भर है. जो एक-दूसरे से भयभीत हों, जैसे उनकी साझेदारी संभव नहीं है वैसे ही जिनका एक-दूसरे पर रत्ती भर भरोसा न हो, उनकी साझेदारी भी संभव नहीं है. चोरों की साझेदारी भी इसलिए निभती है कि वे एक-दूसरे पर भरोसा करते हैं.

ले-दे कर बच रहा था अमरीकी खेमा जिसके साथ नाटो था, पाकिस्तान भी जिसे नमस्कार करता था, हिंदुस्तान तो घुटनों पर ही था, इसराइल तथा ऐसे ही दूसरे मुल्क भी थे जिन्हें अॉक्सीजन के लिए अमरीका की तरफ देखना पड़ता था. ट्रंप ने इन सबमें पलीता लगा दिया. यह पागलपन नहीं है. ‘अमेरिका फर्स्ट’ का शंखनाद हो कि ‘मेक अमेरिका ग्रेट अगेन’ का उद्घोष हो ( विश्वगुरू !), दोनों कहते यही हैं कि दुनिया में दूसरा कोई भी ऐसा न बचे कि जिसकी गर्दन तनी रहे. इसलिए ट्रंप हैं, इसलिए अमरीका है.

हम ऐसे अमेरिका के सामने हैं, अौर हमें उसके साथ अपना रिश्ता सुनिश्चित करना है. नरेंद्र मोदी के भारत ने तय किया था कि ट्रंप के कंधों पर बैठ कर भारत को बड़ा दीखना है. वह सारी फूहड़ डिप्लोमेसी आज सड़क किनारे धूल खाती पड़ी है, क्योंकि ट्रंप जैसों को अपने कंधों की बराबरी का कोई देश नहीं चाहिए. इसलिए कार्नी हों कि मैक्रोंन कि खुमैनी कि दूसरे कोई, हर किसी को अंतिम तौर पर समझ लेना चाहिए कि छोटा अमेरिका बनने की हसरत न पालें, क्योंकि बड़े ट्रंप साहब को ऐसी बराबरी सख्त नापसंद है.

कार्नी ‘मध्यम शक्ति’ की जिस नई भूमिका की बात करते हैं वह अपना रास्ता गढ़ने की बात है. लेकिन इसमें एक पेंच है. अपना रास्ता दूसरों को दबा या कुचल कर न बनाया जा सकता है, न उस पर चला जा सकता है. अपनी पसंद का रास्ता बनाने व उस पर चलने की कीमत अदा करनी पड़ती है जिसे गांधी ‘साधन की शुद्धता’ कहते हैं. जो साधन की शुद्धता की  कीमत अदा करने को तैयार नहीं होते हैं उन्हें ट्रंप के अंगूठे के नीचे जीने की आदत बना लेनी चाहिए. 

(27.01.2026) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

આશા બૂચ|Gandhiana|27 January 2026

આશા બૂચ

ફરી ગાંધી નિર્વાણ દિન આવી પહોંચ્યો. ગાંધીને યાદ કરવા પડશે, એમની સમાધિ પર ઉછીની લાવેલી સૂતરની આંટી પહેરાવવી પડશે. શું કરીએ, ત્રણ ત્રણ ગોળી મારી 78 વર્ષો પહેલા કાયમ માટે શાંત કરી દીધા તો ય દુનિયા આખી એ મહાત્માને ભૂલતી જ નથી, એટલું જ નહીં, તેમના વિચારોને હજુ વધુ ને વધુ સુસંગત માનીને અનુસરવા કોશિશ કરવા માંડી છે. એટલે લાજે શરમે પણ આપણે એક દિવસ પૂરતો એમને આદર આપ્યાનો દેખાવ કરવો પડશે.

આજના દિવસે ભારતના સર્વોચ્ચ પદે વિરાજતા મહામહિમ વડા પ્રધાન અને અન્ય નેતાઓ મનમાં આમ વિચારીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવાની ઔપચારિક વિધિ કરતા માલૂમ પડશે.

ખરેખર તો ગાંધીની હત્યા કોણે કરી એ પૂછવાનું હોય જ નહીં. નથુરામ ગોડસેના હાથે ગાંધીજીની છાતી પર ત્રણ ગોળી છૂટી અને ‘હે રામ’ના ઉચ્ચાર સાથે પ્રાણ તજ્યા એ તો જગ જાહેર ઘટના છે. તો હવે બીજા ગુનેગાર આટલાં બધાં વર્ષો પછી શોધવા જવાનું કારણ?

ભારતમાં વરિષ્ઠ પ્રાધ્યાપક રહી ચૂકેલા બ્રિજમોહન હેડા હાલમાં કેલિફોર્નિયામાં રહે છે. તેમણે ગાંધી વિશે લખાયેલાં ઘણાં પુસ્તકોનો મરાઠીમાં અનુવાદ કર્યો છે. તાજેતરમાં તેમના દ્વારા લિખિત 2nd October 1947… The last birthday of Mahatma Gandhi લેખ વાંચવામાં આવ્યો અને આ સવાલે મારા મનનો કબજો જમાવ્યો.

ભારતે સંપૂર્ણ અહિંસક માર્ગે આઝાદી મેળવી. તેને માટે આપણે ગાંધીજી અને તેમના અનુયાયીઓને યશ આપતા આવ્યા છીએ. આઝાદી બાદ ભારતની સરકાર અને પ્રજાએ અહિંસક માર્ગે શાસન ચલાવ્યું છે એમ કહી શકાશે? તો આપણું દેશનું સુરક્ષાનું અંદાજપત્ર શિક્ષણ અને સ્વાસ્થ્યનાં અંદાજપત્ર કરતાં મોટું ન હોત. તો આપણા પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો વિકસ્યા હોત. તો આપણી પાસે અણુશસ્રોની માલિકી ન હોત.

થયું એવું કે લોહીનું એક પણ ટીપું વહાવ્યા વિના ભારતે સ્વતંત્રતા હાંસલ તો કરી, પણ તે પછી તરત રાષ્ટ્રની ધુરા સંભાળનારા નેતાઓ દેશનું સૈન્યબળ મજબૂત કરવા લાગ્યા. તેમને મન દેશની સુરક્ષા સક્ષમ સૈન્ય દળમાં રહેલી છે. આમ માનવાનું કારણ સીધું ને સટ છે. ખરા અહિંસક માર્ગે ચાલવા માટે દરેક નાગરિક અને નેતાગણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભાઈચારાની અને સમાનતાની ભાવના વિકસાવવાની તાકાત હોવી જોઈએ અને મન, વચન, કર્મથી તેનું પાલન કરવાની તમન્ના હોવી જોઈએ. ગાંધીજી પોતાના પ્રાર્થના પ્રવચનોમાં આવો સમાજ રચવાની ચાવી બતાવતા, પણ એમનું સાંભળે કોણ? એવું ચારિત્ર્ય ઘડતર કરવું એ કઠિન કામ છે. જ્યારે  પ્રજા અને દેશના નેતાઓ પોતાની સુરક્ષા માટે શસ્ત્રો પર આધાર રાખતા થાય ત્યારે તેમને નૈતિક રીતે વર્તવાની કોઈ જરૂર ન પડે, માત્ર તેવો દેખાવ કરો તો ચાલે.

આઝાદી મેળવવામાં કાઁગ્રેસનું મહત્ત્વનું પ્રદાન રહ્યું હતું, પરંતુ દેશને મુક્તિ મળતાં જ એનું કામ તો પૂરું થઇ ગયું. આથી જ તો ગાંધીજીએ તેને બરખાસ્ત કરી દેવાનું સૂચવેલું. પરંતુ કાઁગ્રેસ કાર્યકર્તાઓને પોતે મેળવેલી આઝાદીના ફળ ચાખવાની એષણા જાગી, એટલે સ્વતંત્રતા મળેવવાના સાધન(અહિંસા)ની પવિત્રતા હવે કાળબાહ્ય લાગવા માંડી. અને ભારતનો વહીવટ અન્ય લોકશાહી દેશોની માફક સર્વ સાધારણ રીતે ચાલવા લાગ્યો. ગાંધીજીએ સ્વતંત્રતા અપાવી એ યાદ રાખ્યું, તેમના ઉસૂલોને તેમના અસ્થિ સાથે ગંગામાં વિસર્જિત કરી દીધા. અસ્થિ વિસર્જન તો ગાંધીજીના અનુયાયીઓએ કરેલું ને?

ગાંધીજીને સ્થૂળ દેહ ધારક એક વ્યક્તિ તરીકે નહીં પણ એક આર્ષદૃષ્ટા તરીકે પહેચાનીએ. તેમની ઓળખ 11 વ્રત અને 18 રચનાત્મક કાર્ય દ્વારા આપી શકાય. છેલ્લા સાત દાયકામાં ભારતે આ બંને વિચારધારાઓને એક બાજુ હડસેલી દીધી એમ નથી લાગતું? વ્યક્તિનો દેહાંત કાં તો કુદરતની મરજીથી થાય અથવા માનવીય હિંસાથી થાય. પણ તેના વિચારોનું હનન તેને ન અનુસરીને થાય. તો, મારો સવાલ એ છે કે નથુરામ ગોડસેએ ગાંધીજીના દેહની હત્યા કરી, એમ માનીને એ દુનિયા તેને ભૂલી જશે. પણ તેમના વિચારો, આદર્શો અને આદેશોને ન અનુસરીને તેમની સૂક્ષ્મ હિંસા કરવા માટે આપણને આવનારી પેઢી માફ કરશે?

ગાંધીજીના જીવનનાં છેલ્લાં પાંચેક વર્ષોમાં એમના જ નિકટના સાથીદારો અને આમ જનતા એમની વાતો સાંભળતા નહોતા અને દેશની જે અવદશા થઇ રહી હતી એ જોઈને એમનું હૃદય અત્યંત દૃવી જતું એ જાણીએ છીએ. નહીં તો ઈશ્વર પર અડગ શ્રદ્ધા ધરાવનારા ગાંધીજી ‘હે ઈશ્વર, કાં મને અત્યારે જે કંઈ બની રહ્યું છે એ બદલવાની શક્તિ આપ, નહીં તો મોત આપ.’ એવી પ્રાર્થના કરે? એટલું ન નહીં, લેડી માઉન્ટબેટન એમના જન્મદિવસ નિમિત્તે દેશ અને આખી દુનિયામાંથી આવેલા પત્રો અને તાર લઈને ગયાં ત્યારે પણ તેમણે કહ્યું, “મારી આસપાસ આટલી આગ ફેલાઈ રહી છે ત્યારે હું મારો જન્મદિવસ કેવી રીતે ઉજવું? એટલે કાં તો આ આગ બુઝાવો, અથવા પ્રાર્થના કરો કે ઈશ્વર મને તેની પાસે બોલાવી લે.” તો ગાંધીજીની આ વેદના ભરી સ્થિતિ માટે શું તેમના નિકટના સાથીઓ અને જેને માટે લડતા રહ્યા એ પ્રજા જવાબદાર નથી?

ગાંધીજી માટે વિદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્તિ મેળવવી જેટલું મહત્ત્વનું હતું એટલું જ, કદાચ એથી પણ વધુ મહત્ત્વનું હતું ભારતની પ્રજામાં ઐક્યની ભાવના કેળવવી અને તેને સામાજિક દૂષણોથી મુક્ત કરવી. આથી જ તો 15 ઓગસ્ટ 1947ને દિવસે દિલ્હીમાં આઝાદીનો જશન માણવાને બદલે તેઓ નોઆખલીમાં કોમી દાવાનળને શમાવવા ઘૂમી વળેલા. વલ્લભભાઈ  પટેલ સાથે ગાંધીજીનો નિકટનો નાતો. મતભેદ ખુલ્લા દિલે વ્યક્ત કરી શકે, સાથે બેસીને અત્યંત મહત્ત્વના નિર્ણયો લઇ શકે, સરદાર તેમની ટીખળ કરી શકે અને ગાંધીજી તેમની પાસે દુઃખ પણ વ્યક્ત કરી શકે તેવો. પોતાના છેલ્લા જન્મદિવસે તેઓ સરદારને પૂછી બેઠા, “મેં એવો કયો ગુનો કર્યો, કે મારે આ દુઃખના દહાડા જોવા પડે છે?” એ સાંભળીને મણિબહેન પટેલે નોંધ્યું, “અમે ઉત્સાહ અને ઉમંગ સાથે બાપુને મળવા ગયેલા, પણ ભારે હૃદયે પાછા આવ્યા.” એમના હૃદયમાં વેદના સિવાય કશું નહોતું. આજે તેઓ એકલા પડી ગયા હતા. તેમને પ્રજા પાસેથી માત્ર એમ જ સાંભળવા મળતું હતું કે એ લોકો મુસ્લિમોને સ્વતંત્ર ભારતમાં નહીં રહેવા દે. (આજના માહોલ સાથે 1947ના પ્રજાના વલણમાં સામ્ય વર્તાય છે). એવી વેદનાભરી ક્ષણોમાં ગાંધીજી તેમને અભિનંદન પાઠવતા પત્રો કેવી રીતે સ્વીકારી શકે? એમને મન તો એ આશ્વાસન પાઠવવાનો સમય હતો. તે વખતે બાપુએ લોકોને પોતાના દિલ-દિમાગમાંથી ધિક્કારની લાગણી દૂર કરીને હૃદયને પાવન કરવા વિનંતી કરી હતી. આજે તેઓ હયાત હોત તો પણ એ જ શબ્દો કહેત. ત્યારે આપણે એમની વાત ન સાંભળી. એક આદમીએ એ અવાજને કાયમ માટે શાંત કરી દીધો. આજે પણ આપણે ગાંધીજીની વાતને અવગણીએ છીએ. હવે તેમનો પાર્થિવ દેહ નથી રહ્યો, પણ આપણે તેમના વિચારોના તો હત્યારા ઠરીએ ને?

ભારતને સ્વતંત્રતા મળી એ ખરું, પણ જે લોકોએ ભારતને એક અખંડ દેશ રાખવા મથામણ કરેલી તેમને માટે તેના ભાગલા પડ્યા અને એક ઘરમાં વસતી બે કોમ વચ્ચે કાયમી વેરનાં વાવેતર થયાં એ ભારે વેદના જીરવવી ઘણી મુશ્કેલ હતી. તેમાં ય સહુથી વધુ વેદના ગાંધીજીની હતી, કેમ કે તેઓ તો આપણા ‘બાપુ’ હતા, ‘મહાત્મા’ હતા ને? કયો પિતા પોતાના સંતાનોને એકબીજાના ગળાં કાપતા જોઈને ચૂપ બેસી રહે? કદાચ ભારતના કોઈ સ્વાતંત્ર્યવીર કે પ્રજાજનોમાંથી કોઈએ સર સ્ટાફર્ડ ક્રિપ્સે જે લખ્યું તે ગાંધીજીને કહ્યું નહોતું. સર સ્ટાફર્ડ ક્રિપ્સ દૂરથી ભારતના ભાગલા પડતા જોઈ રહ્યા હતા, દેશ કપરી કસોટીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમણે ગાંધીજીને જાણી જોઈને કોઈ સંદેશો નહોતો મોકલ્યો. કદાચ ભારતની આ દુઃખદ હાલત માટે બ્રિટિશ સરકારનો જે ફાળો હતો તેને તેઓ નજરઅંદાજ નહીં કરી શક્યા હોય. પરંતુ તેમણે નોંધ લીધેલી કે ઈંગ્લેન્ડમાં ગાંધીજીની બુરાઈ સામે ભલાઈ વર્તવાની નીતિની ઘણા લોકોએ સરાહના કરી હતી; અને તેની જાણ તેમણે ગાંધીજીને કરી પણ ખરી. વધુમાં સર સ્ટાફર્ડ ક્રિપ્સે કબૂલ્યું કે બ્રિટને ભૂતકાળમાં કરેલી ભૂલોને કારણે આજની (1947ની) હિંસક અને અશાંત સ્થિતિ સર્જાઈ તેને માટે તેઓનો આત્મા ડંખે છે અને સતત પીડા ભોગવે છે. એટલું જ નહીં, તેમણે ભારતને તેના ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી અને એ કોમી દાવાનળ ઓલવાઈ જશે તથા ફરી બે દેશો એક બની જશે એવી ભાવના વ્યક્ત કરી હતી!

આપણામાંથી કોઈએ સર સ્ટાફર્ડ ક્રિપ્સ જેવી હમદર્દી તે સમયે ગાંધીજી પ્રત્યે દર્શાવી હતી કે વર્તમાનમાં વિષમ પરિસ્થિતિને પડકારતા વીરલાઓ માટે દર્શાવી છે? આપણે ભારત-પાકિસ્તાન વચ્ચે ઐક્ય તો શું, દોસ્તીનો સંબંધ પણ કેળવી ન જાણ્યો.

તો મારો સવાલ એ છે કે ગાંધીની હત્યા માત્ર 30 જાન્યુઆરીને દિવસે નાથુરામ ગોડસેએ કરી, કે એમની હયાતીમાં અને ત્યાર બાદ એ વિચારોને અમલમાં ન મૂકીને આપણે સહુએ એક ઉમદા વિચારધારાનું હનન કરવામાં ભાગ ભજવ્યો?

જો ગાંધી વિચારની આજના યુગમાં સુસંગતતા જોનાર વર્ગ એ માર્ગદર્શક સિદ્ધાંતોને અમલમાં મૂકતા નહીં થાય તો ગાંધીજીના હત્યારાને પગલે ચાલતો વર્ગ એ હત્યાને વ્યાજબી ઠરાવી દેશે. ગોડસે એક અત્યંત પવિત્ર દેહની હત્યા કરનારો અને આપણે સહુ એક અજોડ માર્ગદર્શકના ચીંધેલા માર્ગે ન ચાલીને તેમના આત્મબળને હણનારા કહેવાશું.

ગાંધી ચિંધ્યા 11 વ્રતોમાંથી કોઈ પણ બે વ્રત લઈને તેનું પાલન કરતા થઈએ અને 18 રચનાત્મક કાર્યમાંથી કોઈ પણ બે કાર્ય કરવામાં રોજિંદા જીવનમાંથી થોડો સમય ફાળવીએ તો ગાંધી નિર્વાણ દિને તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.

જય જગત!

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...38394041...506070...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved