આ તે કેવી વિટંબણા !
ને આ તે કેવી બીમારી ?
ના મળવાનું કે ના ભળવાનું,
બસ, ઘરમાં જ પુરાઈ રહેવાનું.
ન કામે જવાનું, ન ભણવા જવાનું,
બસ, ઘરમાં જ પુરાઈ રહેવાનું.
કોઇની ફૅક્ટરી બંધ,
તો કોઇનું કારખાનું બંધ.
રોડ પર કામ કરતાં માણસો પણ
ઝૂંપડામાં બંધ.
ઝૂંપડામાં ઊના ઊના શ્વાસો ભરતું
બાળક પૂછે :
મા, રોટલો ક્યારે બનશે ?
માની આંખમાંથી ટપકતાં
ખારાં ખારાં આંસુઓમાં
રોટલો ઢૂંઢે બાળક
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020
![]()


ભલભલાનાં ભેજાં ફરી જાય એવો તાપ પડે છે. એનાથી વાયરસ મરી જાય એવું કહેવાય છે, તેથી કૈં માણસને ઓછો તડકે મૂકી દેવાય છે! ધારો કે મૂકીએ ને વાયરસ રહી જાય ને માણસ ઉકલી જાય એવું બને, તો? એ ચાલવા દેવાય? એ વાત જુદી છે કે વાયરસે દુનિયાની વસ્તી ઘટાડવા માણસને બાનમાં લીધો છે, પણ તે રાજકીય 'હસ્તી' ઘટાડી શકે એમ નથી. એ સાચું કે માણસ કોયડો છે ને તેને ઉકેલવાનો હોય, પણ એવી રીતે નહીં કે માણસ ઉકલી જાય ને કોયડો જ રહે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ટી.વી., રેડિયો, અને છાપાંઓમાં દિવસ ને રાત કોરોના વાયરસ સિવાય બીજું કાંઈ દેખાતું કે સંભળાતું જ નથી. પણ ઇતિહાસમાં આવી વિનાશક ઘટનાઓ બનતી જ રહી છે. છેલ્લાં સોએક વર્ષોમાં જ કૈંક ભૂખમરાઓ, ધરતીકંપ, જંગલોની આગ, પ્રલય સમા પૂર, અને ભયંકર વાવાઝોડાઓ થયાં છે. જો કે આ બઘી હોનારતોમાં કોરોના વાયરસ કૈંક જુદો તરી આવે છે એનું એક કારણ એ છે કે એ વિશ્વવ્યાપી છે. તેમાંથી છટકવું મુશ્કેલ છે. એનાથી બચવા માટે ક્યાં જાવું?