અટકી ગયો દેહ
હવા બહાર તો હતી
પણ હવે શ્વાસ બનતી …
રક્ત બનેલું એટલું જ રહ્યું
નવું બનતું અટકી ગયું
આંસુ
હૈયેથી આંખ સુધી આવતાં
વચ્ચે જ થંભી ગયું હતું
એમાં ખારાશ ભળતાં ભળતાં રહી ગઈ હતી
જળ ગળામાં જ અટકી પડ્યું હતું
અન્ન રહી ગયું હતું ઉદરમાં
એનું રક્ત બનવા લાગ્યું હતું
પણ પછી ન અન્ન કહેવાય કે ન રક્ત એવું કૈંક …
પછી હું પોતે ફરી વળ્યો મારામાં
ખૂણે ખૂણો જોઈ વળ્યો
આંસુ
આંખ તરફ ઊંચે ચડતું હતું
એમાં ખારાશ ભળતી હતી
પણ ક્યાંથી તે …
બહુ કોશિશ કરી પણ
હર્ષ બનાવનારું બિંદુ ક્યાંયથીય હાથ ના લાગ્યું
અન્ન
રક્ત બનતું હતું
પણ ક્યાંથી અન્ન રહેતું ન હતું
ને ક્યાંથી રક્ત બનતું હતું એ …
જીવંત રાખનારું કૈક તો હતું
પણ એ શું હતું?
રક્ત?
તે તો મૃતમાં પણ હતું
હવા?
તે પણ મૃતની બહાર તો હતી જ !
પ્રશ્ન એ હતો કે
એને શ્વાસ કોણ બનાવતું હતું તે …
000
e.mail : ravindra21111946@gmail.com
‘એતદ્દ -231‘માં પ્રગટ કાવ્ય; જુલાઈ – સપ્ટેમ્બર 2021; પૃ. 18
![]()


પાકિસ્તાનમાં જેટલા પણ વડા પ્રધાન આવ્યા એ સૌમાં સૌથી નબળા વડા પ્રધાન ઇમરાનખાન છે. તે ભારત માટે તો ઝેર ઓકે જ છે, પણ પાકિસ્તાનનું પણ તેમણે ભલું કર્યું હોય તેવું જણાતું નથી. એક નાના છોકરાએ તેની કવિતામાં પાક. વડા પ્રધાનની એમ કહીને ધોલાઈ કરી છે કે પાકિસ્તાન સંભાળવાના ઠેકાણાં નથી ને તાલિબાનમાં માથું મારે છે. તાલિબાનને માન્યતા અપાવવા યુ.એન.માં પણ ઇમરાનખાને તાલિબાનની દલાલી કરતાં કહ્યું છે કે તેનાં વચનો પર ભરોસો કરો. તેઓ સુધરવા ને સુધારવા માંગે છે. દુનિયા જોઈ રહી છે કે તાલિબાનો જરા પણ સુધર્યા નથી, બલકે, વધારે ઝનૂનથી અનાચારનો પુરસ્કાર કરી રહ્યા છે. અફઘાન સ્ત્રીઓ મોતની પરવા કર્યા વગર શિક્ષણ અને મુક્તિની માંગ કરી રહી છે તેના પરથી સમજી શકાશે કે તાલિબાન કેવી રીતે પ્રજા સાથે વર્તે છે !