ભીડ જ એટલી છે કે
દર્શન થવાનું અઘરું છે
પ્રસાદ લઈ લો
દર્શન તો પછી પણ થશે
ઘણા ભક્તો તો પ્રસાદ લઈને
બહારથી જ નીકળી જાય છે
ભગવાનની એટલી દયા તો છે કે
કોઈ ભક્ત પ્રસાદ વગર ન જાય
પણ ભક્તો ધરાતા નથી
એમાં વળી પ્રસાદને બહાને
નાસ્તિકો પણ ઘૂસી આવે
પણ ભગવાનને ન માને તેને તો ન અપાયને !
એ તો સેવકો સારા છે તો પ્રસાદ બચે છે, બાકી …
જો કે, ભગવાને તીર પણ એવાં ચલાવ્યાં છે કે
નાસ્તિકો જ ન રહે
એ પણ છે કે બધાં જ કૈં ભગવાનને પામતાં નથી
પણ ભક્તિ કોને કહી છે !
ભગવાન ન હોય તેથી કૈં
ભક્તો ય ન હોય એવું થોડું છે?
ઘણીવાર મૂંઝવણ થાય કે
ભગવાન ભક્તોને આધીન છે કે
ભક્તો ભગવાનને શરણે છે?
એ પણ છે કે વગર જોયે પણ ભક્તો
ભગવાનનું રક્ષણ કરે છે
તો ભગવાનને પણ ભક્તોમાં અપાર શ્રદ્ધા છે
ભગવાને પથરો નાખ્યો તો ડૂબી ગયો
પણ ભક્તે નાખ્યો તો તરી ગયો
જોયું ને !
રામને નામે રામ તો ના તર્યા
પણ પથરા તરી ગયા છે …
e.mail : ravindra21111946@gmail.com
![]()


આમ થાય છે તે બેવડાં ધોરણોને કારણે. પ્રજા ભ્રષ્ટ છે, તો સરકાર પણ અપ્રમાણિક છે. બધાં જ સચ્ચાઈ દાખવી શકે, પણ કોઈ તેમ કરે એમ નથી, કારણ એમ કરવા જતાં હરામનો પૈસો જતો કરવો પડે ને એને માટે કોઈ તૈયાર નથી. પ્રજા દેખાડો કરે છે તો સરકાર સારું ચિત્ર આપવામાં માને છે. કોરોના આવ્યો માર્ચ, 2020માં. તે જોખમી છે એ વાતની ખબર બધાંને હતી, પણ પ્રમાણમાં કેન્દ્ર સરકાર વહેલી જાગૃત થઈ અને ક્યાં લાગુ કરવા જેવું છે એનો લાંબો વિચાર કર્યા વગર, આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધું. એની આર્થિક વિકાસ પર સીધી અસર પડી. એ પછી બીજી લહેરમાં જ્યાં ઝડપી ને પૂરાં લોકડાઉનની જરૂર હતી, ત્યાં છાશ પણ ફૂંકીને પીવા જેવું થયું. એમાં બીજી લહેર ઘાતક પુરવાર થઈ. લોકો ઓક્સિજનની, વેન્ટિલેટરની, ઈન્જેક્શન્સની કમીને કારણે મર્યાં ને સરકારે ઢાંકપિછોડો જ કર્યા કર્યો.