Opinion Magazine
Number of visits: 9954240
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

भारत कब स्वाधीन हुआ

राम पुनियानी|Opinion - Opinion|24 January 2025

राम पुनियानी

सांसद और बॉलीवुड कलाकार कंगना रनौत ने भारत की स्वतंत्रता के संबंध में अपनी समझ को पहली बार तब जाहिर किया था जब उन्होंने हमें बताया था कि भारत दरअसल 2014 में तब स्वतंत्र हुआ जब मोदी जी ने देश की सत्ता संभाली. 2014 में पहली बार भाजपा को अपने दम पर लोकसभा में बहुमत हासिल हुआ था. इस टिप्पणी का क्या अर्थ था? इसका अर्थ यह था कि 2014 से पहले तक भारत एक गुलाम देश था. या तो वह विदेशी शासकों का गुलाम था या ऐसी सरकारों का जो धर्मनिरपेक्ष और प्रजातांत्रिक मूल्यों की पैरोकार थीं. कंगना रनौत का मतलब था कि मोदी सरकार के आते ही हिन्दू राष्ट्रवाद का देश में बोलबाला हो गया और यही भारत की असली आजादी थी. एक अन्य फिल्म कलाकार विक्रांत मैसी ने हाल में यही बात दोहराते हुए कहा कि भारत को आजादी सन 2015 में हासिल हुई जब ‘हमें’अपनी हिन्दू पहचान को अभिव्यक्त करने की स्वतंत्रता मिली.

अब आरएसएस के मुखिया मोहन भागवत ने देश के ‘असली स्वतंत्रता’ हासिल करने की एक नई तारीख घोषित कर दी है. मध्यप्रदेश के इंदौर में एक कार्यक्रम में बोलते हुए उन्होंने कहा कि भारत को 22 जनवरी 2024 को आजादी मिली थी. उन्होंने कहा कि “इस दिन को प्रतिष्ठा द्वादशी व भारत के असली स्वाधीनता दिवस के रूप में मनाया जाना चाहिए.” उन्होंने कहा कि “भारत को कई सदियों तक विदेशी हमलों का सामना करना पड़ा और इन हमलों से उसे 22 जनवरी 2024 को स्वतंत्रता मिली.” उन्होंने यह भी कहा कि “भगवान राम, कृष्ण और शिव के आदर्श और जीवनमूल्य भारत के ‘स्व’ का हिस्सा हैं और ऐसा नहीं है कि ये केवल उन लोगों के देव हैं जो उनकी आराधना करते हैं.”

भागवत ने आगे बताया कि बाहरी हमलावरों ने देश के मंदिरों को नष्ट किया ताकि भारत का ‘स्व’  मर जाए. राम मंदिर की प्राण प्रतिष्ठा को हमारी सारी सामाजिक समस्याओं का हल बताते हुए भागवत ने कहा कि “मैं लोगों से पूछता हूँ कि 1947 में स्वतंत्रता हासिल करने के बाद से ही हमने समाजवाद की बात कही,हमने गरीबी हटाओ का नारा दिया, हम लगातार यह कहते रहे कि हमें लोगों की आजीविका की चिंता है. मगर इस सब के बाद भी 1980 के दशक में भारत कहाँ था और इजराईल और जापान जैसे देश कहाँ पहुंच गए थे.” आरएसएस के मुखिया ने यह भी कहा कि वे ऐसे लोगों से कहा करते थे कि उन्हें यह याद रखना चाहिए कि “खुशहाली और रोजगार का रास्ता भी राम मंदिर से होकर जाता है.”

भागवत तो कंगना रनौत और विक्रांत मैसी से एक कदम और आगे बढ़ गए हैं.  वे बाबरी मस्जिद को ढहाने के अपराध को औचित्यपूर्ण ठहराना चाहते हैं. वे इस देश की विविध सांस्कृतिक और धार्मिक परंपराओं को दरकिनार कर केवल भगवान राम को देश का एकमात्र सांस्कृतिक प्रतीक साबित करना चाहते हैं. हिन्दू धर्म में भी शिव, कृष्ण और काली जैसे अन्य देवी-देवता हैं. फिर हमें भगवान महावीर, गौतम बुद्ध, नानक और कबीर की परंपराओं को भी याद रखना होगा. वे भी उस विशाल कैनवास का हिस्सा हैं जिसे हम भारत कहते हैं.

जेनेटिक अध्ययनों से यह साफ है कि आर्य भी बाहर से भारत आए थे और उनके आने से पहले इस भूमि पर अन्य लोग रहते थे. भारत में आने वाले अलग-अलग नस्लों और क्षेत्रों के लोगों को केवल आक्रांता बताना ठीक नहीं है. चोल राजा श्रीलंका पर राज करते थे. सिकंदर ने भी भारत को जीतने की कोशिश की थी. शक, हूण,खिलजी और मुगल – ये सभी भारतीय उपमहाद्वीप का हिस्सा थे. इन सब को सम्प्रदायवादी ‘हमारी’ सभ्यता पर हमला करने वालों के रूप में देखते हैं. जबकि भारत की स्वाधीनता के लिए लड़ने वाले इस ऐतिहासिक प्रक्रिया को विविध लोगों का एक दूसरे के साथ घुलमिल जाना मानते थे. वे यह भी मानते थे कि इसी कारण भारत की नींव विविधताओं से भरी हुई है. जवाहरलाल नेहरू ने इस स्थिति का बहुत सारगर्भित वर्णन किया है. उन्होंने भारत को एक ऐसी प्राचीन स्लेट बताया है जिस पर एक के बाद एक कई परतों में विचार और आकांक्षाएं दर्ज किए गए. मगर कोई भी परत न तो पिछली परतों को पूरी तरह ढंक सकी और न ही उनमें लिखे को मिटा सकी.

आरएसएस के मुखिया के अनुसार आक्रांता मंदिरों को गिराकर हमारी आत्मा को कुचलना चाहते थे. मध्यकालीन भारत और देश के प्राचीन इतिहास के अंतिम दौर में मंदिरों को केवल सत्ता और दौलत के लिए ढहाया गया. इसके पहले ब्राह्मणवाद के चलते जैन और बौद्ध आराधना स्थलों को ढहाया गया था. इसलिए मंदिरों को गिराने के लिए केवल मुस्लिम शासकों का दानवीकरण करना उचित नहीं है. मगर मुसलमानों के खिलाफ नफरत फैलाने के लिए कई तरह के मिथक गढ़ लिए गए हैं,जिनका सच से कोई लेना-देना नहीं है. इस संदर्भ में दो उदाहरण पर्याप्त होंगे. जहां औरंगजेब ने करीब 12 मंदिरों को गिराया वहीं उसने सैंकड़ों हिन्दू मंदिरों को दान भी दिया और कश्मीर के 11वीं सदी के शासक राजा हर्षदेव के दरबार में एक अधिकारी का काम केवल यह था कि वो मंदिरों की मूर्तियां उखाड़कर उनके नीचे जमा सोने और हीरे-जवाहरात के खजाने को खोद निकाले.

भागवत और उनके जैसे अन्य लोग भारत को एक संकीर्ण ब्राह्मणवादी नजरिए से देखते हैं. भारत को एक राष्ट्र का स्वरूप ब्रिटिश औपनिवेशिक काल में मिला. केवल यही वह काल था जिसे हम भारत की गुलामी का दौर कह सकते हैं. उसके पहले जो आक्रांता यहां आए वे यहीं बस गए और देश के सांस्कृतिक जीवन का अंग बन गए. उनकी पीढ़ियां भारत की धरती पर ही दफन हैं. अंग्रेजों की फूट डालो और राज करो की नीति के चलते यह प्रचार किया गया कि हमलावरों ने भारत को लूटा और मंदिरों को नष्ट किया. अंग्रेजों के पहले के भारतीय शासक देश की संपत्ति को बाहर नहीं ले गए. केवल अंग्रेज ही भारत से संपत्ति को लूटकर उसे इंग्लैंड ले गए जिससे भारत कंगाल हो गया. अंग्रेजों ने भारत को गुलाम बनाया और उनके विरूद्ध जो संघर्ष हुआ केवल उसे ही स्वाधीनता संग्राम कहा जा सकता है और कहा जाना चाहिए. स्वाधीनता संग्राम के नतीजे में 15 अगस्त 1947 को भारत आज़ाद हुआ और 26 जनवरी 1950 को हमारे देश में हमारा अपना नया संविधान लागू हुआ.

जो लोग 15 अगस्त 1947 के अलावा किसी भी दूसरी तारीख को भारत के स्वतंत्र होना की तारीख बताते हैं वे दरअसल धार्मिक राष्ट्रवादी हैं और स्वाधीनता,समानता और बंधुत्व के उन मूल्यों में आस्था नहीं रखते जो हमारे संविधान का आधार है और जो स्वाधीनता संग्राम से उपजे थे. भागवत ने देश की समृद्धि के बारे में भी अपने विचार साझा किए. उन्होंने कहा कि “हमने हमेशा समाजवाद, रोजगार, और गरीबी की बात की लेकिन हुआ क्या. हमारे साथ चले जापान और इजराईल आज कहां से कहां पहुंच गए.”

भागवत को इस बात पर विचार करना चाहिए कि जापान और इजराईल ने जो हासिल किया है उसके लिए वे किस राह पर चले. क्या ये दोनों देश इसलिए समृद्ध और उन्नत बन सके क्योंकि उन्होंने पुराने धार्मिक स्थलों को गिराकर उनकी जगह नए धार्मिक स्थल बनाए? भागवत को यह भी समझना चाहिए कि राममंदिर आंदोलन से भारत की प्रगति बाधित हुई है और उसकी एकता कमजोर हुई है. स्वास्थ्य, पोषण और शिक्षा के विभिन्न मानकों पर हम खराब स्थिति में हैं.

भारत की आर्थिक, शैक्षणिक, वैज्ञानिक और औद्योगिक प्रगति और समृद्धि की नींव सन 1980 के दशक में राममंदिर के लोगों को बांटने वाले आंदोलन से बहुत पहले रख दी गई थी.

सोमवार 20 जनवरी, 2025
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ઉકળતી હિમનદી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|22 January 2025

સીમાએ અમરના શબ્દો સાંભળ્યા હતા, પણ સીમા ચૂપ રહી. અમરે ફરી કહ્યું, “સીમા, કંઈક તો બોલ! બસ આજે આપણે ખૂબ મોજ મસ્તીને વાતો જ કરવી છે. સીમા, તું ચૂપ કેમ છો? તબિયત તો સારી છે ને?”

અમરે ઘીમેથી હળવા પગે સીમા પાસે જઈ મોઢા ઉપરથી પાનેતરનો છેડો દૂર કરી એકદમ પોતાની બાહોમાં જકડી લીધી. બે પળ પછી સીમા ચીસ પાડીને અમરથી અળગી થઈ, દોડીને ધ્રૂજતી ધ્રૂજતી ખુરશીમાં બેસી ગઈ. અમર હતપ્રત થઈ ગયો. તેને સમજાયું નહીં કે સીમાને એકાએક શું થયું. અમરે સીમાને પાણી આપ્યું. થોડેક દૂર બેસી પ્રેમથી ધીમા અવાજે પૂછ્યું, “હવે કેમ છે?”

“મને સારું છે પણ બહુ ઊંઘ આવે છે. હું થાકી ગઈ છું. મારે સૂઈ જવું છે.”

અમર મેચ્યોર અને સમજુ હતો. “સારું તું આરામ કર. આપણે કાલ વાત કરીશું. આપણી પાસે આખી જિંદગી વાતો અને પ્રેમ કરવા માટે પડી છે. હું પણ થાકી ગયો છું. હું તને આ વાત કહેવાનો જ હતો.”

અમર વિચારમાં પડી ગયો. કારણ કે તે સીમાને ઘણાં વર્ષોથી જાણતો હતો. બંને ખૂબ સાથે ફર્યાં હતાં. પણ કદી સંયમની રેખા ઓળંગી નહોતી. અમરને વિચાર આવ્યો કે જેમ મને આજે મારા પરણિત મિત્રોએ જાત જાતની વાતો કરીને, સલાહ સૂચનો આપીને મુંઝવ્યો હતો. તેવું સીમા સાથે તો નહીં બન્યું હોય ને? સીમાના મનમાં તેની સહેલીઓએ કલ્પિત ભય તો ઊભો કરી દીધો નહીં હોય ને? અને સીમાની પ્રતિક્રિયા તેનું પરિણામ હોય. આજનો બનાવ તેના માટે આશ્ચર્યજનક હતો. કારણ કે, ભૂતકાળમાં આવું વર્તન સીમાએ ક્યારે ય કર્યું નહોતું. ક્યારેક અમરે આવેશમાં આવીને સીમાને બાથમાં ભીડી દીધી હતી. હળવું ચુંબન પણ કર્યું હતું. ત્યારે સીમાએ પણ એ જ પ્રતિક્રિયા આપી હતી. અમર વિચારમાં પડી ગયો, ‘કંઈક તો ગરબડ છે. મારે સીમા સાથે સરળતાથી અને સહાનુભૂતિથી આગળ વધવું પડશે.’ અમરે, તેના સાઇક્રેટિક્સ ડૉક્ટર મિત્રને બનાવની વાત કરી.

“તું એમ કર કાલે ભાભીને લઈને આવ. તારે ભાભીને આવી કોઈ વાત કરવાની નથી. ફક્ત મને મળવા સિવાય કંઈજ ન કહેતો. હું તને લીલી ઝંડી ન આપું ત્યાં સુધી તું શાંતિ રાખજે. હું ભાભી સાથે મારી રીતે વાત કરી લઈશ, તું ચિંતા ન કરતો.”

“અમર, ભાભી એકદમ નોર્મલ છે. ચિંતાજનક કોઈ વાત નથી. પણ તેં જે વાત કરી એ પ્રમાણે મારા મતે ભૂતકાળમાં કોઈક ખરાબ બનાવ ભાભી સાથે બન્યો હશે અને તેનો ડર ભાભીના મનમાં બેસી ગયો છે. જે, તેને તારી પ્રતિક્રિયાથી યાદ આવી ગયો. એટલે આંતરિક છૂપા ડરથી ડરીને ભયભીત થઇ ગયાં હતાં. તું એમ કર કોઈક હિલ સ્ટેશન ઉપર હનીમૂનનો પ્રોગ્રામ બનાવ અને ધીમેધીમે તારી કોઈ ચેષ્ટા કે પ્રતિક્રિયા સિવાય તેના મનમાં બેસી ગયેલા ડરનું કારણ જાણ. બીજી એક મહત્ત્વની વાત, તું ભાભી સાથે વાતચીતનો દોર શરૂ રાખજે પણ તને એમ લાગે કે હવે અહીંયાં અટકી જવું પડશે, તો વાતની બીજી તરફ વાળી દેજે. તું શારીરિક સંબંધમાં આગળ વધવા માટે તારા તરફથી કોઈ ચેષ્ટા ન કરતો. ભાભીને ધીમેધીમે આગળ વધવા દેજે એટલે મારું જે અનુમાન છે, એવું જો ભૂતકાળમાં ભાભી સાથે બન્યું હશે તો એ ડર ભાભીના મનમાંથી નીકળી જશે. WISH YOU ALL THE BEST.”

અમરે, માઉન્ટ આબુમાં સારી હોટલમાં રૂમ બુક કરાવીને હોટલવાળાને સૂચના આપી હતી કે ‘અમે હનીમૂન માટે આવીએ છીએ એટલે તે પ્રમાણે રૂમની સજાવટ કરજે.’ હોટલવાળાએ હનીમૂન સ્વીટને અનુરૂપ રૂમમાં વ્યવસ્થા ગોઠવી દીધી હતી. રૂમમાં ઝાંખી પણ રોમેન્ટીક મૂડ વધારતી રંગબેરંગી લાઈટ હતી. રૂમમાં માદક અત્તરની સુગંધ ફેલાયેલી હતી. સીમા રૂમમાં દાખલ થઇ, રૂમની સજાવટ જોઈને ખુશ થઈ ગઈ.

અમરે સીમાનો રોમેન્ટીક મૂડ જોઈને પૂછ્યું, “સીમા, એક વાત પૂછું! આપણી પ્રથમ રાત્રિ પછીથી તું મૂંઝાયેલી, ડરેલી અને કંઈક ભયભીત લાગે છે. વાત શું છે? આપણા પ્રેમ લગ્ન છે. પણ, તું આપણા લગ્નથી ખુશ તો છો ને?”

“અમર એવી કોઈ વાત નથી. હું તો આપણા લગ્નથી ખૂબ ખુશ છું, હા! પણ …”

“કેમ અટકી ગઈ? તારી જે કંઈ તકલીફ હોય, મનમાં કોઈ બાબતનો ડર હોય, જે હોય તે. તું મને નિશ્ચિંત થઈને કહે. હું અત્યારે પણ તારી સાથે છું અને ભવિષ્યમાં પણ તારી સાથે જ રહીશ.”

“અમર, અમારું સંયુક્ત કુટુંબ છે. એટલે ઘરમાં કેટલા ય મહેમાનો અને સંબંધીઓનો આવરો-જાવરો રહે. અમારા ઘરે ક્યારે ય કોઈને એકલા રહેવાનો પ્રસંગ ન બને. કારણ કે, કોઈક ને કોઈક તો ઘરમાં સાથે હોય જ પણ એક વખત એવું બન્યું કે ખૂબ જ નજીકના સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે બધાંને જ જવાનું હતું. સાથે ધાર્મિક પ્રસંગ પણ હતો. મને અડચણ આવી ગઈ. ધાર્મિક પ્રસંગ હોવાથી હું જઈ શકું તેમ નહોતી; એટલે હું ઘરે એકલી રહી. સવાલ ફક્ત સવારથી સાંજ સુધીનો હતો એટલે કંઈ ચિંતા જેવું નહોતું.

હું, ઘરે એકલી હતી. એક પરિચિત સંબંધી આવ્યા. એ વારંવાર અમારે ઘરે આવતા હતા. હું તેને ઓળખતી હતી. ચિંતાનું કે બીજું કંઈ વિચારવાનું કોઈ કારણ નહોતું એટલે હું તેમને આવકાર આપી, ડ્રોઇંગ રૂમમાં બેસાડી, અંદર તેમના માટે ચા બનાવા ગઈ. તેમણે અચાનક મારી પાછળ આવી મને એકદમ બાથ ભીડી દીધી. મેં છૂટવા ખૂબ પ્રયત્ન કર્યા પણ એ મારી કરતાં મજબૂત હતા. મારે તેની સાથે બહુ ઝપાઝપી થઈ, અંતે મેં ચીસાચીસ કરી મૂકી એટલે બીકથી મને છોડી એ ભાગી ગયા. હું બારણું બંધ કરીને ક્યાં ય સુધી ખૂબ રડી. ઘરનાને વાત કરી. તેની સાથે ખૂબ મોટો ઝઘડો થયો. એ આવીને મારી માફી માગી ગયા પણ એ બનાવ પછી મારા મનમાં છૂપો ડર પેસી ગયો હતો. હું રૂમમાં આવતાં પણ ડરતી હતી. તે પ્રેમથી મને તારી બાહોમાં જકડી, પણ ભૂતકાળના બનાવથી મનમાં ઘુસી ગયેલા કલ્પિત ભય અને ડરથી હું ચીસ પાડી તારાથી અળગી થઈ ગઈ.”

વાત કરતાં કરતાં સીમા રડવા લાગી. અમરે તેને રડવા દીધી અને સીમા રડતાં રડતાં સૂઈ ગઈ. અમરને સીમાના મુખ પરથી કલ્પિત ભયની છાયા હટી ગઈ હોય એવું લાગ્યું.

બીજે દિવસે સવારે સીમા ઊઠી ત્યારે ફ્રેશ હતી. સીમાએ રૂમ સર્વિસમાં સર્વ કરવામાં આવેલી ચામાંથી અમરની પસંદગીની ચા બનાવી કપ લઈને અમર પાસે આવી.

“અમર તારો ખૂબ ખૂબ આભાર. જો તું મને ન સમજ્યો હોત તો મારું શું થાત? તું મારા માટે શું વિચારત?”

“સીમા, મેં કંઈ નથી કર્યું. મારો મિત્ર સાઇક્રેટિક્સ છે. તેની પાસે તારી જેવા ભૂતકાળમાં કોઈની સાજિશ કે અનિચ્છનીય બનાવોના ભોગ બન્યા હોય એવા કેસ આવતા હોય છે. મેં તેને આપણી પ્રથમ રાતના બનાવની વાત કરી એટલે એ સમજી ગયો અને તેના કહેવાથી અહીંયાં આવવાનો, તારી સાથે મુક્ત મને વાત કરવાનો પ્રોગ્રામ બનાવ્યો. સીમા આપણા સમાજમાં આ એક ખામી છે. જે પીડિત છે તેને સહાનુભૂતિ, સહકાર કે આશ્વાસન આપવાના બદલે આપણે તે ઘટના માટે તે જ વ્યક્તિ કારણભૂત હોય એવું વર્તન કરીએ છીએ. પરિણામે પીડિત વ્યક્તિ વધારે તૂટી જાય છે અને જે અસામાજિક તત્ત્વો છે, એ તેનો લાભ લઈને છૂટી જાય છે. તને જેમ તારા ઘરનાએ આ ઘટના માટે દોષિત ન માની અને તરત જ એક્શન લીધી એમ જો બધાં જ વિચારીને કરે, તો દુષ્ટ માણસોને સજા આપવા માટે કાયદો તો પૂરેપૂરો સક્ષમ છે.”

સીમા પ્રેમભર્યા નયનથી અમર સામે જોઈ રહી. સીમાને આજે અમર પૂરેપૂરો સમજાઈ ગયો હતો. હવે તેના મનમાં કોઈ પ્રકારનો ભય રહ્યો નહોતો.

સીમાનો મૂડ જોઈને અમરે નખ્ખી લેકમાં બોટિંગનો પ્રોગામ બનાવ્યો. સીમાએ બધી જ વાત અમરને કરી દીધી એટલે મનથી હળવી થઇ ગઈ હતી. તેમ જ અમરે જે વાત કરીએ સાંભળીને સીમાએ બધું ભૂલી, ખૂબ મજા માણી. રાત્રે ડિનર પછી અમરે કહ્યું,

“સીમા મને જરા તારા ખોળામાં માથું રાખી માથું દાબી દે ને. તારા મૃદુ હાથના સ્પર્શથી મારુ માથું જલદી ઉતરી જશે.”

સીમા, અમરનું માથું દબાવતાં દબાવતાં ધીમેધીમે કલ્પિત ડરમાંથી બહાર આવતી ગઈ અને અમરમય બનતી ગઈ. અમર પણ ધીમેધીમે પ્રતિભાવ આપતો હતો. અંતે અંદરથી પ્રેમથી ઉકળતી પણ લાગણીથી થીજેલી હિમનદી અમરમય બનીને અમરમાં ઓગળી ગઈ….

(ભાવનગર, ગુજરાત)
e.mail : nkt7848@gmail.com

Loading

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી

સુમન શાહ|Poetry|22 January 2025

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૧)

Tyranny — જુલમ 

રે હૃદયહીન નારી, 

દોષ ભૂલી જનારી તારી જુલમી બુદ્ધિ, 

સુસજ્જ ચોખ્ખી બેપરવાઈ, 

હે આકાશપુત્રી, 

એ વડે 

મારા આ નિ:સંગ સમયમાં

મારી વ્હારે ધા. 

સાગર સમો સભર કાળ,

નવી ચીજ સમો વ્યગ્ર વ્રણ,

મારી ભાવનાની જિદ્દી જડને આવરીને

મારા સલામતી-કેન્દ્રને

કરકોલી રહ્મા છે.

ઊછળે છે હૃદયના ધબકાર,

અનેક મોજાં ભેગું જાણે એક મોજું.

ઊંચકાયેલું છે

કૂદીને મરી જવા નિરાશ 

મારું આ મસ્તક …

મારી અચળતામાં વિપરીત કશુંક 

ધ્રૂજે છે,

આંસુ ઊમટે એ તળિયેથી  

ઊગે છે,

અણિયાળા પાનવાળું 

સૂકું એક ઝાંખરું …

= = =

(2 March 99 – 19 Jan 25 USA)

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૨) 

Slaw Lament — મન્દ વિલાપ

સભર નિશામાં ધીમેશથી 

સરે છે નામ તારું …

જળ એનાં વહે છે અને 

પડીને તૂટે છે અને 

તૂટીને પ્રસરે છે 

શાન્તતામાં …

આછી ઇજા સારુ

પથ ભૂલેલા પથિકના 

સંભળાઇ જતા પદરવ સમું

પોતાના અપાર પણ 

ક્ષણિક સન્માનને સારુ …

અચાનક સમજાયેલું 

કશુંક ખિન્ન મનથી 

પ્રસરેલું 

ઉભરાય છે હૃદયમાં

ક્રૂર પાનખરના 

શમણા સમું …

પૃથ્વીનું જાડું મોટું પૈંડું, 

ટાયર એનું વિસ્મૃતિ-ભીનું 

ગબડે છે અને

કાપે છે સમયને 

ન મપાય એવાં અડધિયાંમાં. 

વરસાદી સરસરાટીમાં ફૅંકાતા 

કમજોર તેજ-તણખા.

એનાં કઠિન જળપાત્ર.

તારા સ્થાનભ્રષ્ટ હૃદયને 

આ ઠંડી ધરામાં 

ઢાંકે છે.

= = =

(3 March 99 -21 Jan 25 USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...493494495496...500510520...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved