Opinion Magazine
Number of visits: 9843023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સો વરસના ઉંબર મહિને રા.સ્વ.સંઘ ક્યાં, કેટલે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 September 2025

અવસર

સંગઠન અને સત્તાયોગનો સવાલ

સત્તાયોગ અને શીર્ષ પલટાના હાકોટાછીંકોટાનું તો જાણે સમજ્યા પણ વિચારધારાકીય રીતે જે પથ–સંસ્કરણ બલકે આમૂલ સુધાર જરૂરી છે, એનું શું એ સો ટકાનો સવાલ છે.

પ્રકાશ ન. શાહ

ઑગસ્ટ ઊતરતે સરસંઘચાલક મોહન ભાગવતે, હવે તરતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સો વરસ પૂરાં થવામાં છે તેની ઉજવણીની લગભગ નાન્દીરૂપ ત્રણ વ્યાખ્યાનો લુટિયનને ટીંબે – નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આપ્યાંઃ પાંચેક વરસ પર આપેલાં વ્યાખ્યાનો પછી ખાસ કોઈ નવી ભોં ભાગ્યાનું જણાતું નથી. 

જેમ 2018માં તેમ 2025માં આ બેઉ વિશેષ વ્યાખ્યાનમાળાઓનો સમયસંદર્ભ એ રીતે અગત્યનો હતો અને છે કે આ સંગઠનને કેન્દ્રમાં પોતાની સુવાંગ સરકાર મળેલી છે. જનસંઘની સ્થાપના વખતે તો નહીં જ, પણ મોરારજી સરકારમાં જનતા ઘટક તરીકે જનસંઘને સ્થાન મળ્યું તેમ જ વાજપેયીનાં છ વરસ એમ ત્રણેક વખત સંઘને સત્તાયોગ થયો છે જરૂર – પણ, 2014થી શરૂ થયેલ સત્તાયોગ એ બધાં કરતાં ક્યાં ય આગળ ગયેલો છે. એટલે એક સંગઠન તરીકે વિચારધારાકીય સવાલો તેમ પોતાની સરકાર સાથેના સત્તાયોગમાં અનુકૂલનના સવાલો આ દોરમાં મહત્ત્વના બને છે. 

સંગઠન અને સત્તાયોગનો સવાલ શતવર્ષીના ઉંબર મહિને પ્રથમ લઈએ તો ન.મો.ની કથિત રવાનગી વાટે સંગઠનનો પક્ષ પરનો અખત્યાર પુરવાર કરવાની વાત કંઈ નહીં તોપણ છેલ્લા વરસેકથી તો હાકોટાછીંકોટાથી આગળ વધી શકી નથી. 

મુદ્દે જનસંઘ મૌલિચંદ્ર શર્મા સરખા આગંતુકથી માંડી બલરાજ મધોક સરખા સ્થાપક નેતા (અને સંઘ પ્રચારક)ને સંઘને કહ્યે કાઢી શક્યો હશે તો હશે, હવે સત્તાયોગમાં વડા પ્રધાનને માતૃસંગઠન હટાવી શકે એ પૂર્વવત સરળ રહ્યું નથી. મુદ્દે, ક્યારેક ગુરુદક્ષિણા પર નભવાનું સમુચિત ગૌરવ લેતું આ સંગઠન એની પોતાની તરેહવાર સંસ્થાગૂંથણી વાટે સરકારી આર્થિક સ્રોતોથી ખદબદતું થઈ ગયું છે અને એનો જેમ લાભ તેમ વણછો પણ ચોખ્ખો છે. એનું ચારિત્ર્ય સપાટાબંધ ગ્રાન્ટજીવિનીમાં ફેરવાઈ રહ્યું છે. શીર્ષ સત્તાસ્થાને ધારો કે ધાર્યો પલટો એ ક્વચિત કરાવી શકે તોપણ સંગઠન પૂર્વને સ્વાયત્ત હોઈ શકવાનું નથી તે એનું અંગીકૃત આર્થિક વાસ્તવ છે અને ઉત્તરોત્તર વિકસતા સુવિધાભોગી અભિગમનું અનિવાર્ય પરિણામ છે. 

મોહન ભાગવત

અને વૈચારિક રીતે ? 2018નાં તેમ 2025નાં વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાંથી જે સૂરતમૂરત ઊપસે છે તે ઉપરી વરખસ્થાપનથી ઊંડે ઝમી શક્યાનું હજી તો જણાતું નથી. મુદ્દે, વડા પ્રધાન અને સર સંઘચાલક ગમે એટલા વૈચારિક વરખવાઘાંનો આસરો લે, એમની વાસ્તવિકતા એવી છે જેવી ‘ડાઇરેક્ટ એક્શન’ પછી ઝીણાના સેક્યુલરિઝમની હતી. 

એક વાત સાચી કે દાયકાઓ લગી સંઘનું બાઇબલ રહેલ ગોળવલકરની કિતાબ ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ હવે સંગઠનમાં કોઈ ખુલ્લા વિમર્શ વગર લગભગ બાજુએ મુકાઈ છે. રાષ્ટ્રનિર્માણના હિટલરી અભિગમ પર વારી જતી અને હિંદુ સંસ્કૃતિ નહીં સ્વીકારનારને વળી નાગરિક અધિકાર તો શું સામાન્ય અધિકાર નહીં એવી ભૂમિકામાં ખોડાયેલી એ ચોપડી હતી. તે વણચર્ચ્યે કોરાણે મેલી કે શીંકે ચડાવી સગવડપૂર્વક આગળ ચાલી જવાયાથી કશુંક પી.આર. પ્રબંધન થયું હોય તો ભલે, પણ હોર્મોન્સ ને જિન્સ જે ગોળવલકર બાઇબલથી બંધાયા તે બંધાયા એવો ઘાટ છે. 

સર સંઘચાલક ભાગવત સંઘવિચારની રજૂઆતમાં ગાંધીના ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથના ‘સ્વદેશી સમાજ’ પ્રકારની સામગ્રીનો વરખવિનિયોગ કરે છે પણ મૂલતઃ અગર તો હાડે કરીને સંધી રાષ્ટ્રવાદ ને ગાંધીરવીન્દ્ર દર્શન જુદાં પડે છે એ પાયાની વાત કાં તો એમના આકલન બહાર છે કે પછી સભાન નહીં તો અભાનપણે તે ગુપચાવવામાં એમને સાર જણાય છે.

ઉત્તર દીનદયાલે એકાત્મ માનવવાદના અભિગમથી સાવરકરી – ગોળવલકરી હિંદુત્વના શોધન-વર્ધનની એક કોશિશ કીધી હતી. તે અધૂરી અણસમજી ઠીંગરાયેલ છે. સત્તાયોગ રહો ન રહો, સુવિધાભોગી અભિગમ છૂટો અને આ શોધન-વર્ધનની પ્રક્રિયા સમજીને આગળ વધારો બાકી તો સો વરસે પણ એ ઇતિહાસનિયતિ હોવાની જે ડાઇરેક્ટ એક્શન પછી ઝીણાના સેક્યુલરિઝમની હતી અને છે. સ્થાપના દિવસ(વિજયાદશમી)ના સરસંઘચાલકી સંબોધનનો એક મહિમા છેઃ કાશ, તરતના અઠવાડિયાઓમાં આ દિવસે કશીક ભોં ભાંગે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2025

Loading

શારદામંદિરના શિક્ષક વશરામભાઇ બારડ

રીતિ શાહ|Opinion - Opinion|5 September 2025

લગભગ બે દાયકા પછી, ગયા મહિને, ‘દર્શક’ના દેશમાં અણધાર્યા મળી આવેલા શિક્ષક વશરામભાઈ. થોડાં વર્ષો પહેલા તેમના વિષે લખેલ એક નાનકડી પોસ્ટ –

વશરામભાઈ બારડ અને રીતિબહેન શાહ

આજે આમ તો નથી ગુરુપૂર્ણિમા કે નથી શિક્ષકનો જન્મદિવસ પણ જે શિક્ષકે આપણાં ઘડાતા  કિશોર મનને બંધિયાર પાઠ્યપુસ્તકની દુનિયા બહારના વિશાળ જગત વિષે વિચારતું કર્યું હોય તેમની વાત માંડવા શું ગુરુપૂર્ણિમા કે શિક્ષક દિવસની રાહ જોવી પડે? 

સમયના પ્રવાહમા ભૂલાઇ ગયેલા, સુષુપ્ત થઈ ગયેલા, અનેક સંબંધો ફેસબુકે પુન:જીવિત કરી આપ્યા. તેમાંના એક તે મારા શાળા જીવનના શિક્ષક વશરામભાઈ બારડ. આ શિક્ષક સાવ ભૂલાઇ ગયેલા એમ તો કેમ કહેવાય? સાઉથ દેલ્હીમાં જે.એન.યુ.ની પડખે મુનિરકાની અગાશીમાં ઘર માંડ્યું, ત્યારે મનમાં વશરામભાઈ સાથેના સહેજે દસ-બાર વર્ષ પૂર્વે કરેલા કુલુમનાલી પ્રવાસના દિવસો રમતા હતા. માત્ર પ્રવાસમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરવાથી જીવનનો આનંદ-મજા કઇંક નોખો જ અનુભવાય તેવા બીજ તે પ્રવાસે રોપ્યા હતા. 

અમદાવાદની જાણીતી શાળા શારદામંદિરના ગણિત અને વિજ્ઞાનના તે શિક્ષક. વિશાળ વાંચન ધરાવતા સાહેબના મનનો કબજો લીધો હતો.  તે દિવસોમાં લીધો હતો “ઝેર તો પીધા છે જાણી જાણી”ના ગોપાળબાપાએ. તે ભૂગોળ કે ગુજરાતીના શિક્ષક તરીકે પણ ચોક્કસ સફળ થયા હોત તેમ હું ખાતરીપૂર્વક કહી શકું. વિષય તો ગમે તે હોય, સ્થળ પણ ગમે તે હોય, શાળાની  ચાર દીવાલો વચ્ચેનો ઓરડો કે પછી હિમાલયના પહાડો, સારા નાગરિકોનો ફાલ ઉતરે એવી એમની અભિલાષા. તે માટે સતત પ્રયત્નશીલ. ખૂબ ઉત્સાહી શિક્ષક. હિમાલય ટ્રેકિંગ જેટલો જ ઉત્સાહ  વર્ગખંડમાં  પણ છલકાય, ગણિત- વિજ્ઞાનથી ભાગતા વિદ્યાર્થીઓને પણ ઉત્સુક્તાથી વશરામભાઈના તાસની પ્રતિક્ષા કરવી ગમે. એક વખત તેમણે વર્ગમાં ભણાવતી વખતે કહ્યું હતું કે જેને ગણિત આવડે છે તે જીવનમાં ક્યારે ય પાછો પડતો નથી. ગમે તેવી મુશ્કેલીમાથી જીવનમાં રસ્તો કરી લે છે. તે પછી મેં ગણિતમાં વિશેષ રસ લેવાનો શરૂ કરેલો, કોયડા ઉકેલતા આવતા બગાસા ગાયબ થવા લાગેલા અને ગણિતમાં મજા આવવા લાગેલી. આમ  તેમના એ વિધાને તે વર્ષોમાં તો સારી અસર કરેલી, પણ  આજે  જિંદગીના  ચોથા દાયકે  પણ આ  વિધાન સાબિત કરવા અસમર્થ છું. ગણિતના દાખલાથી વિશેષ તો એ ઉગતા વિદ્યાર્થી મનના કોયડા ઉકેલી જાણતા. કિશોર મનની સાયકોલોજી પર જબરી પકડ હતી તેમની. વિદ્યાર્થીઓની નિબંધની નોટો પણ ફ્રી પિરિયડમાં વાંચતાં એવું આછું-આછું યાદ આવે છે.     

1993માં સત્તર-અઢારની ઊગતી ઉમરે, અમે દસ-બાર વિદ્યાર્થીઓએ તેમની અને મંજુબહેન (ગુરુપત્ની) સાથે કુલૂમનાલી ટ્રેકિંગનો આનંદ લીધો હતો. ટ્રેકિંગમાં પણ ટંકે-ટંકે ચટાકેદાર ખાવાની માંગણી કરતાં આગળની બેચના વિદ્યાર્થીઓની વાત કરતા તેમના ચહેરા પર સ્પષ્ટ નારાજગી વંચાતી. ગાડી-બંગલાધારી શેઠિયાઓનાં સંતાનો સાથે તેમની easy going મની મેંટાલિટી અંગે મિત્રવત ચર્ચા કરતાં. દસ-બાર દિવસ તેમની સાથે પહાડોમાં ગાળ્યા પછી ચંડીગઢ-દેલ્હી આવતા અમે મિત્રો એકબીજાને કહેતા થયેલા “પછી અમદાવાદ જઈને છરી-કાંટાથી ખાજે, અત્યારે તો નિરાંતે  હાથથી ઝાપટ”. માત્ર પહાડોમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરીને કેવું સુંદર જીવન માણી શકાય તેવી તેમની ફિલોસોફીએ મારા  કિશોર મન પર તે દિવસોમાં ઠીક-ઠીક અસર જમાવેલી. અમદાવાદ સ્ટેશન આવતાં જ કુલી કરતાં વિદ્યાર્થીઓને તેમણે ટપારેલા. 

ટાપટીપ માટે અતિ સજાગ છોકરીઓને ગુરુપત્ની કહેતાં “સાહેબ (વશરામભાઇ) હંમેશાં કહે છે જે ઓળખે છે એ આપણને ઓળખે છે અને જે નથી ઓળખાતા તે નથી ઓળખાતા. માટે બાહ્ય દેખાવ અંગે બહુ ચિંતા કરવી નહીં.”

બુદ્ધિવિલાસથી પ્રયત્નપૂર્વક  દૂર રહેતા, સાહેબ અર્થપૂર્ણ જીવન જીવાય તે માટે સજાગ છે. ખૂબ ચીવટથી પુસ્તકોની પસંદગી કરતા. સાહેબ અત્યારે નવરાશની પળોમાં  સૂફી, ઝેન, તિબેટિયન સંસ્કૃતિ વિષે વિશેષ જાણવા ઉત્સુક રહે છે. ગતિશીલ છે. એટલે જ કોઈ ફિલોસોફર કે વિચારધારાથી પ્રભાવિત થયા પછી મુક્ત પણ થઈ શકે છે. 

એક સાધારણ શિક્ષક તરીકે પોતાની ઓળખ આપતા વશરામભાઈએ કાચા કિશોર-કિશરોને ઘડવામાં અસાધારણ ભૂમિકા ભજવી એમ કહું તો અતિશયોકિત નહીં  થાય.

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

10 और 5 का शर्मनाक खेल 

कुमार प्रशांत|Opinion - Opinion|5 September 2025

कुमार प्रशांत

कलम में जितनी संभव है शर्म की उतनी स्याही भर कर, अपने देश ने नाम जितने संभव हैं उतने खून के आंसू पी कर, और भारतीय न्यायपालिका की तरफ पछतावे से भरी आंखों से जितना देखना संभव है, उतना देखते  हुए मैं यह लेख लिख रहा हूं. रात के 3 बज रहे हैं लेकिन मैं चाह कर भी आंखें बंद नहीं कर पा रहा हूं, क्योंकि यह सारा माहौल खुली आंखों से जितना सर्द व घुटता हुआ लगता है, बंद आंखों में वह उससे भी भयावह व दमघोटूं बन जाता है. आपने कभी महसूस किया है कि जब अंधकार सामने आ कर आपको घूरने लगता है तब वह कितना अंधेरा होता है ! वह अंधकार से भी अंधेरा हो जाता है, क्योंकि तब वह बोलने भी लगता है.

आज ही दिल्ली हाईकोर्ट ने अपने देश के उन 10 नागरिकों को जमानत देने से मना कर दिया जो पिछले 5 सालों से जेलों में बंद हैं. न्यायमूर्ति नवीन चावला व शालिंदर कौर की बेंच ने जमानत रद्द करते हुए जो कहा उससे मुझे ख्याल आया कि सच, मूर्तियां भी कहीं न्याय करती हैं क्या ! कर सकती हैं क्या ? करें तो वे मूर्तियां न रहें ! कौन हैं ये 10 लोग ? नाम ही काफी है : सरजिल इमाम, उमर ख़ालिद, गुफिशा फातिमा, अख़्तर खान, अब्दुल ख़ालिद सैफी, मुहम्मद सलीम खान, शिफा-उर रहमान, मीरान हैदर और शादाब अहमद. 10वें अपराधी तसलीम अहमद की जमानत रद्द करने का श्रेय न्यायमूर्ति सुब्रमोनियम प्रसाद तथा हरीश वैद्यनाथन शंकर की बेंच को जाता है. इन दसों का अपराध एक ही है कि इन सबने “सोच-समझ कर, बखूबी बनाई योजना के तहत 2020 में राजधानी दिल्ली में दंगों को अंजाम दिया !”

क्या मैं इन दसों को याकि इनमें से किसी एक को भी जानता हूं ? नहीं, हर्गिज नहीं ! लेकिन मैं इनमें से एक-एक को जानता हूं, क्योंकि जीवन के जो 75 से अधिक वसंत मैंने अभी तक बिताए हैं, उनमें ये ही लोग मेरे अग़ल-बगल रहे, बोले, चले, खेले हैं. मैं अगर इन 10 लोगों के नाम आपको फिर से बताऊं तो मेरी बात समझना शायद आसान हो जाए आपके लिए – शिवशंकर प्रसाद, राज कुमार जैन, शरद यादव, मीरा कुमारी, सुब्रमण्यम स्वामी, सदानंद सिंह, कार्तिक उरांव, बिशन सिंह बेदी, कुंती मुर्मू और प्रकाश झा. ये 10 लोग हैं जिन्होंने 75 से ज्यादा सालों से बड़े हो चुके हमारे गणतंत्र की जड़ें खोदने की योजनाबद्ध साजिश की. ये 10 यदि सप्रमाण पकड़े न गए होते तो हमारे सामने हमारा गणतंत्र नहीं, उसका मलबा पड़ा होता आज !

इस सूची को देखते ही मेरी तरह आपके मन में भी तक्षण यह सवाल पैदा होगा कि क्या कभी ऐसा संभव है कि कोई 10 लोग मिल कर, करोड़ों की आबादी वाले इस महान देश की जड़ें खोद दें ? अगर ऐसा कभी हुआ तो मैं कहूंगा कि इसकी जड़ थी ही नहीं ! फिर मेरी तरह आपके जहन में भी ख्याल आएगा कि यदि इतना बड़ा षड्यंत्र रचा गया तो इस बहुधर्मी देश में यह कैसे संभव हुआ कि सिर्फ हिंदू ही इसमें लिप्त थे ? यह बात तो अब तक बड़ी मजबूत लगती आ रही थी, बड़े-बुजुर्गों द्वारा हमें समझाई जा रही थी कि अपराध व अपराधी की जाति-धर्म का ठिकाना नहीं होता है. तो फिर यह कैसे हुआ कि इस मामले में यह ठिकाना पक्का व पुख्ता हो गया ?  लगता है कि कहीं कुछ गड़बड़ है ! कोई उन्मत्त हो कर कहेगा कि ( एक भद्दी-सी गाली देते हुए जैसी ‘गोली मारो …’ का नारा खुलेआम लगाते हुए हमारे एक-दो-तीन-चार ….सत्ताधारी कुंवरों व बादशाह ने दी थी, देते ही रहते हैं ! ) कि सबको फांसी चढ़ा दो ! मैं कहूंगा : क्या बात कही है, एकदम मेरे मन की बात है ! लेकिन आप कहेंगे कि नहीं, नहीं, जरा जांच-परख लो ! फांसी का क्या है, वह तो अपने कानून के हाथ में आज भी है, कल भी रहेगा ! लेकिन संविधान है न हमारा, और उसकी बनाई न्यायपालिका है न, तो उसे अपना काम करने दो; इन सारे अपराधियों पर आज-के-आज मुकदमा चले, इनका अपराध प्रमाण सहित देश जान ले और फिर इनको फांसी दे दी जाए ! मैं कहता हूं कि भाई, क्या बात कही है आपने ! एक सभ्य समाज में, जिसमें इंसान बसते हैं, वहां ऐसा ही होना चाहिए !

आप ऐसा कहेंगे तो इन 10 में से कोई एक ( याकि सभी-के-सभी ! ) कह उठेंगे कि हम तो पिछले 5 सालों से जेल में बंद हैं. न कभी मुकदमा चला है इन सालों में, न हमारी पेशी हुई है, न उधर से कभी वकील खड़ा हुआ है, न इधर से ! हम पर जो भी आरोप हैं, जो पुलिस के कागजात हैं, वे सब हमें दिए जाएं ताकि हम भी और हमारे वकील भी उसे देख कर यह तो समझ सकें कि आरोप क्या हैं, और हमारा जवाब क्या है ? मुकदमा चले और माननीय न्यायमूर्ति उसे सुनें, देश भी जाने, संविधान भी उसे परखे और फिर साबित हो कि फांसी पड़नी चाहिए तो पड़े !! हम जो मांग रहे हैं वह रिहाई नहीं है, जमानत है. आपने ही हमें बताया-सिखाया है कि हमारे लोकतंत्र में जमानत नागरिक का स्वाभाविक अधिकार है, जेल अंतिम अपवाद है ! तो हमारे मामले में यह क्यों नहीं हो रहा है ? संविधान कहता है कि बिना मुकदमा चलाए किसी को जेल में बंद रखना उसके लोकतांत्रिक अधिकारों का हनन है. इस हनन को रोकने के लिए ही तो हमने न्यायपालिका नाम का इतना बड़ा सफेद हाथी पाल रखा है. यह खाता बहुत है, करता क्या है, यह समझना अब भारी हुआ जाता है.

आपको भी लग रहा है न कि इस दूसरी सूची के अपराधियों का यह कहना एकदम खरा है ! आज ही मुकदमा चलाओ और कल फांसी दे दो, कोई एतराज नहीं करेगा ! लेकिन जब हम यही बात दूसरी नहीं, पहली सूची के लिए कहते हैं, सब पलट जाते हैं. तो बात ऐसी बनती है कि अपराध व अपराधी का फैसला हम नाम देख कर करते हैं. यह शर्मनाक है, यह अंधेरा है, यह दमघोंटू है. यह लोकतंत्र की हत्या है.

क्या हमारे न्यायमूर्तियों को कभी इसका अहसास होता है कि जितनी बार वे पहली सूची के लोगों की जमानत रद्द करते हैं, उतनी-उतनी बार न्यायपालक की उनकी छवि धूमिल होती जाती है ? क्या हमारी न्यायपालिका को इसका अहसास है कि भारतीय नागरिक के मन में आज अपने चुनाव आयोग की विश्वसनीयता जिस गतालखाने में चली गई है, न्यायपालिका की विश्वसनीयता उसके आसपास ही है ?

बहुमत के नशे में चूर कोई सरकार ऐसा कानून बना देती है जिसमें व्यवस्था यह बनाई गई है कि यूएपीए के मामले में की गई गिरफ्तारी न्यायपालिका की समीक्षा के भीतर नहीं आएगी; ऐसा चुनाव आयोग बनाया जाता है कि जो हमेशा सरकार की तरफ ही झुका रहेगा; ऐसा कानून बनाया जाता है कि चुनाव आयुक्तों पर कभी, किसी अदालत में मुकदमा नहीं चलाया जा सकता है आदि और हमारी न्यायपालिका देखती रह जाती है, तो वह अपने अस्तित्व का मतलब ही खो देती है.

हम भारत के नागरिकों ने अपने संविधान की संरचना ऐसी बनाई जिसमें हमने अपनी न्यायपालिका में यह आदेश दिया है कि आपको निरंतर चौकन्ना रह कर यह देखना है कि कोई भी विधायिका या कोई भी कार्यपालिका या न्यायतंत्र का कोई भी पुर्जा कहीं से, कभी संविधान पर हाथ न डाल सके ! ऐसा होने से पहले, ऐसा होने के बाद या ऐसी संभावना भांप कर न्यायपालिका को संविधान की तलवार ले कर खड़ा हो जाना है. इसलिए संविधान में हमने एक ही ऐसी संरचना बनाई है, न्यायपालिका जिसे सतत विपक्ष में रहना है यानिकी संविधान के पक्ष में रहना है. हमारा संविधान अलिखित नहीं, लिखित है और उसे सिर्फ वकील साहबान नहीं, हम भी पढ़ पाते हैं. जब आपकी व्याख्याएं बहुत जटिल होती हैं, तब हम आसानी से समझ जाते हैं कि आप संविधान के शब्दों के पीछे छिपी भावना को समझने में चूक रहे हैं या फिर संविधान की अपनी लक्ष्मण-रेखा पर पांव धर रहे हैं. यह वह लोकतांत्रिक अपराध है जिसकी सजा आपकी नहीं, हमारी अदालत में दी जाती है. सरकारों को भले पांच साल में एक बार ( या जब भी चुनाव हो !) हमारी अदालत में आना पड़ता है, आप तो हर रोज हमारी अदालत में होते हैं, यह न हम भूलें, न आप !

2020 का दिल्ली दंगा पूर्वनियोजित था. भारतीय नागरिकों ने उस दौर में अपूर्व एकता व साहस के साथ दिल्ली में ही नहीं, देश भर में अपने संविधान के आईने में अपनी छवि खोजी थी. तब की सरकार को वह बहुत बड़ी व गहरी चुनौती थी कि “ किधर से बर्क चमकती है देखें ऐ वाइज / मैं अपना जाम उठता हूं, तू किताब उठा !” 30 जनवरी 1948 नहीं आई होती और महात्मा गांधी जीवित होते तो वे भी 2020 में अपने युवकों के साथ उसी तरह खड़े होते जिस तरह सन् 42 में हुए थे. लेकिन इतिहास बताता है कि उस दौर में भी लोग भटके थे, गलत रास्तों की ओर गए थे और तब गांधी ने ही अपनी अदालत में उनकी पेशी ली थी. वैसी ही सावधानी आज भी करनी है. इसलिए बगैर पल गंवाए इस लेख की पहली सूची के लोगों पर मुकदमा चलाया जाए व रोज-रोज की सुनवाई के साथ अदालत अपना फैसला सुनाए. फिर संविधान के जाल में फंसता कौन है, किसे फांसी होती है, यह तमाशा हम सब देखेंगे. इसलिए हमारे लोकतंत्र को आज व अभी जमानत चाहिए.

(05.09.2025 ) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...204205206207...210220230...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved