Opinion Magazine
Number of visits: 10080937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંધભક્તો સનાતન ધર્મના સ્વઘોષિત એમ્બેસેડર બની જાય છે !

રમેશ સવાણી|Opinion - Opinion|7 October 2025

6 ઓક્ટોબર 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક દુઃખદ ઘટના બની. CJI-ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈ સાહેબ સમક્ષ ચાલતા કેસ દરમિયાન વકીલ રાકેશ કિશોરે (ઉંમર  71) ચીફ જસ્ટિસ તરફ જૂતું ફેંકવાની કોશિશ કરી હતી અને નારા લગાવ્યા હતા કે ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન.’

ચીફ જસ્ટિસ સાહેબે બિલકુલ ચલિત થયા વિના કેસની સુનાવણી ચાલુ રાખી. એટલું જ નહીં વકીલ રાકેશ કિશોરને તેમનું જૂતું પરત કરાવ્યું અને જૂતું ફેંકનારને છાંડી મૂકવા પોલીસને સૂચના આપી !

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલ રાકેશ કિશોરને તાત્કાલિક અસરથી વકીલાતની પ્રેક્ટિસ કરવામાંથી સસ્પેન્ડ કરી દીધો છે. 

આ દુઃખદ ઘટના બાદ શરમજનક ઘટના એ બની કે કેટલાક ગોડસેવાદીઓએ જૂતું ફેંકવાની બાબતનું સમર્થન કર્યું ! અંધભક્તોને તો વકીલ રાકેશ કિશોરમાં ગોડસેના દર્શન થયા ! માની લઈએ કે ચીફ જસ્ટિસે સનાતન ધર્મનું અપમાન કર્યું હોય તો તેની સજા આપવાનો અધિકાર વકીલ રાકેશ કિશોર પાસે હતો? હિંસક બની જૂતું ફેંકવાનું? શું કોઈ ગોડસેની જેમ કોઈ વકીલ ધર્મનો ‘સ્વઘોષિત ઠેકો’ લઈ શકે? શું સનાતન ધર્મ જજ પર જૂતું ફેંકવાની મંજૂરી આપે છે? ચીફ જસ્ટિસ દલિત છે, એ બાબત સ્વઘોષિત ઠેકેદારોને કઠી હશે? 

બંધારણ અને સનાતન વચ્ચેનો સંઘર્ષ એ જ દિવસે શરૂ થયો હતો જ્યારે CJI બન્યા પછી જસ્ટિસ બી.આર. ગવઈ પહેલી વાર મુંબઈ આવ્યા હતા, પરંતુ મુખ્ય મંત્રી ફડણવીસ કે DGP શુક્લા તેમને મળવા પણ ગયા ન હતા. મુંબઈમાં આ વર્તન કે દિલ્હીમાં જૂતું ફેંકવાની ઘટના ગોડસેવાદી માનસિકતાનું ઉદાહરણ છે.

ખજુરાહો મંદિરમાં ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિના પુનઃનિર્માણ માટેની અરજીને અયોગ્ય ઠરાવતા CJI ગવઈએ કહ્યું હતું કે “આ અરજી વ્યર્થ છે અને પ્રચાર માટે છે. જો અરજદારોને ભગવાનમાં શ્રદ્ધા હોય, તો તેમણે પોતે ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ. અને ધ્યાન કરવું જોઈએ. કારણ કે આ મુદ્દો ASI-ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારક્ષેત્રમાં આવે છે.” આટલી ટિપ્પણીમાં સનાતનનું અપમાન થઈ ગયું ! 

વિચારો; જો દેશના ચીફ જસ્ટિસ સાથે શરમજનક હરકત થઈ શકતી હોય તો દેશના સામાન્ય લોકો પર ગોડસેવાદીઓ કેટલો જુલમ કરતા હશે? સનાતનનું ભૂત વિશેષ વર્ગના લોકોમાં કઈ રીતે ધૂણી રહ્યું છે? 71 વર્ષની ઉંમર થઈ છતાં વિવેક કેમ ગુમાવી દીધો હશે?

દેશમાં વર્ષોથી એટલું ઝેર ફેલાવ્યું છે કે હવે મોદીજી તેને રોકી શકે તેમ નથી. CJI તરફ જૂતું ફેંકવાની ઘટના, ત્યારબાદ કેટલાક લોકો દ્વારા તેમને ટેકો આપવો, એ કોઈ સામાન્ય ઘટના નથી. વડા પ્રધાન જ્યારે જાહેર મંચો પરથી નફરત ફેલાવતા હોય ત્યારે અંધભક્તો સનાતન ધર્મના સ્વઘોષિત એમ્બેસેડર બની જાય છે ! મોદીજી જાણે છે કે દેશની મોટાભાગની સિસ્ટમો હવે તેના ઈશારે ચાલે છે. સંસદ, મીડિયા, એજન્સીઓ, ચૂંટણી પંચ – તેમણે દરેક વસ્તુ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પરંતુ એક ક્ષેત્ર એવું છે જે હજુ પણ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં આવ્યું નથી – ન્યાયતંત્ર ! અને તે હવે વાસ્તવિક લક્ષ્ય છે ! નિશિકાંત દુબેનું નફરતી નિવેદન ‘ભૂલ’ નહોતી, તે એક સંકેત હતો. નફરત ઇકોસિસ્ટમમાંથી જારી કરાયેલ કોડ, જે સમગ્ર મશીનરીને સક્રિય કરે છે. જેનો વાસ્તવિક હેતુ ન્યાયતંત્ર પર નિયંત્રણ છે.

તેઓ જાણે છે જ્યારે અંતિમ ન્યાય પણ ડરી જશે, તો અંતિમ આશા પણ મરી જશે !

ભારતીય બંધારણની ડ્રાફ્ટ કમિટીના ચેરમેન ડો. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું : “જો હિન્દુ રાષ્ટ્રની રચના થાય, તો તે નિઃશંકપણે આ દેશ માટે ગંભીર ખતરો ઊભો કરશે. હિન્દુઓ ગમે તે કહે, પણ હિન્દુત્વ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ખતરો છે. હિન્દુરાજને કોઈપણ કિંમતે અટકાવવું જોઈએ.” 

06 ઓક્ટોબર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

आइए, गांधी से मिलते हैं !  

कुमार प्रशांत|Gandhiana|6 October 2025

कुमार प्रशांत

आज 2 अक्तूबर है – महात्मा गांधी का जन्मदिन जो इस वर्ष दशहरे की पोशाक पहन कर आया है. हम दशहरे में दशानन को याद करें या गांधी को, बात एक ही है. इंसान है, इंसान की कमजोरियां हैं लेकिन मां दुर्गा हैं तो इंसान की कमजोरियों का शमन भी है; गांधी हैं तो कमजोरियों से ऊपर उठने का इंसानी अभिक्रम भी है. देख रहे हैं न आप, हर तरफ़ मां दुर्गा की झांकी नानाविध सजी हुई है लेकिन सारी झांकियां बात एक ही कह रही हैं : अपनी कमजोरियों से लड़ो, अपनी कमजोरियों से ऊपर उठो !

ऐसा ही तो गांधी के साथ भी है.

हमारे देश के हर नगर-महानगर-कस्बे-गांव-पंचायत में एक-न-एक ऐसा एक चौराहा जरूर होगा जिस पर एक बूढ़े की घिसी-टूटी-बदरंग मूर्ति लगी होगी- झुकी कमर व हाथ में लाठी ; कहीं चश्मा होगा कहीं टूट गया होगा. आप चेहरा आदि मिलाने-खोजने जाएंगे तो फंस जाएंगे, क्योंकि नए-पुराने सारे लोग जानते होंगे कि यह गांधी-चौक है और यह बूढ़ा दूसरा कोई नहीं, महात्मा गांधी हैं. बहुत उपेक्षित होगा वह चौक लेकिन मैंने कई जगह देखा है कि किसी 2 अक्तूबर या 30 जनवरी को किसी ने आ कर वहां कुछ गंदगी साफ कर दी है, दो-चार फूल रख दिए हैं.

ये देश के गांधी हैं ! लेकिन हमारे गांधी कौन हैं ? कभी न सोचा हो तो अभी, इस 2 अक्तूबर को सोच कर देखिए. यह इसलिए भी जरूरी है कि देख रहा हूं कि इधर आ कर बात कुछ बदली है और देश के युवा — संख्या की बात नहीं है यहां ! — जब घिरते हैं अपने सवालों से और  जवाब मांगने सड़कों पर उतरते हैं तो गांधी को खोज कर साथ रखते हैं.

यह भी देश के गांधी हैं – ग्रेटा थनबर्ग की आवाज में कहूं तो दुनिया के गांधी हैं. इतने जाने-पहचाने हैं गांधी कि हमारे लिए एकदम अजनबी हो गए हैं. इसलिए, आइए, फिर से उनसे मिलते हैं.

उनका जीवन जिन रास्तों पर चला, जिन मोड़ों से गुजरा-मुड़ा और जिस मंजिल पर ताउम्र उनकी नजर रही, उन सबकी पर्याप्त चर्चा भी नहीं कर सके हैं हम अब तक, आकलन तो दूर की बात है. इसलिए सबसे आसान रास्ता हमने अपनाया है कि 30 जनवरी और 2 अक्तूबर को उनका फोटो सजा लेना व कुछ अच्छी लेकिन गांधीजी के संदर्भ में अर्थहीन-सी बातें कर लेना. दिल्ली के राजघाट पहुंच कर सत्ताधारी सर झुका आते हैं और कुछ लोग ऐसे निकल ही आते हैं कि जो अपनी गहरी समझ का प्रमाण-सा देते हुए गांधीजी से अपनी असहमति जाहिर करते हैं. वह असहमति भी अधिकांशतः अर्थहीन होती है, क्योंकि जिसे हम ठीक से जानते भी नहीं हैं, उससे सहमति या असहमति कितना ही मानी रखती है ! जयप्रकाश नारायण ने कभी बड़ी मार्मिक एक बात कही थी : “ गांधी की पूजा ऐसा एक खतरनाक खेल है जिसमें आपको पराजय ही मिलने वाली है.” पूजा नहीं, गांधी के पास पहुंचने के लिए साधना की जरूरत है – गुफा वाली आसान साधना नहीं, समाज के बीच की जाने वाली निजी व सामूहिक कठिन साधना !

यह बात सबसे पहले पहचानी थी रूसी साहित्यकार-दार्शनिक लियो टॉल्सटॉय ने. तब बैरिस्टर गांधी दक्षिण अफ्रीका में अपनी साधना की धरती बनाने में लगे थे और टॉल्सटॉय की किताबें पढ़ कर चमत्कृत-से थे. उन्हें लगा कि वे जो रास्ता खोज रहे हैं, यह आदमी उस दिशा में कुछ दूर यात्रा कर चुका है, सो बैरिस्टर साहब ने उन्हें पत्र लिखा. जिसने पत्र लिखा, उसे रूसी नहीं आती थी, जिसे पत्र लिखा उसे रूसी भाषा के अलावा दूसरी कोई भाषा नहीं आती थी. संप्रेषण-संवाद कितना कठिन रहा होगा ! लेकिन इस अजनबी ‘हिंदू युवक’ का अंग्रेजी में लिखा पत्र किसी से अनुवाद करवा कर जब पढ़ा टॉल्सटॉय ने तो वे चमत्कृत रह गए. अपने एक मित्र को गांधी का परिचय देते हुए लिखा : इस हिंदू युवक पर नजर रखना ! यह कुछ अलग ही इंसान मालूम देता है. हम सब अपनी साधना के लिए कहीं एकांत में, गांव-पहाड़-गुफा आदि में जाते हैं. देखते ही हो कि मैं भी नगर से निकल कर दूर देहात में आ गया हूं. लेकिन यह आदमी लोगों की भीड़ के बीच बैठ कर अपनी साधना कर रहा है.

तब गांधी ने दक्षिण अफ्रीका के जोहानिसबर्ग शहर में अपना टॉल्सटॉय फार्म बनाया ही था. 1910 में बना यह कृषि-केंद्र अहिंसक सत्याग्रहियों का प्रशिक्षण-स्थल था.

गांधी अत्यंत सरल व्यक्ति थे लेकिन वे अविश्वसनीय हद तक कठिन व्यक्ति थे. उनके साथ जीना भी बहुत कठिन था, उन जैसा होना तो असंभव-सा ही है. ऐसा क्यों है ?

इसलिए है कि गांधी ने अपनी जैसी कठोर कसौटी की, अपने प्रति वैसी कठोरता निभाना बहुत मुश्किल है. वे दूसरों के लिए बेहद उदार हैं, एकदम कमलवत् ! अपने बनाए सारे कड़े नियम-कायदे भी बाजवक्त दूसरों के लिए ढीले करते ही रहते हैं. अपने सेवाग्राम आश्रम में बादशाह खान अब्दुल गफ्फार खान के लिए मांसाहारी भोजन का प्रबंध करने का आदेश उन्होंने ही दिया था : “ यह बेचारा तो भूखा ही रह जाएगा ! उसका यही भोजन है!”; यह बात दूसरी है कि बादशाह खान ने वैसी व्यवस्था के लिए न केवल मना कर दिया बल्कि यह भी कह दिया कि अब मैं भी शाकाहारी हूं. जवाहरलाल हवाना से लौटे तो वहां मिले उपहार गांधीजी को दिखला रहे थे. हवाना की बेशकीमती सिगार भी उसमें थी. गांधीजी ने लपक कर उसे अलग निकाल लिया : “ अरे यह ! … यह तो मौलाना को दे दूंगा ! उन्हें सिगार बहुत पसंद है.”

उनके पास सबके लिए सब कुछ था, अपने लिए अल्पतम ! जो सबके लिए नहीं है, वह मेरे लिए भी नहीं है, इस बारे में वे लगातार सावधान रहे. ऐसे गांधी के साथ किसकी निभेगी ? जो अपने को कोई छूट न देने का संकल्प साधने में लगा हो, वही गांधी की छाया छूने की आशा कर सकता है. यह पेंच समझने लायक है न कि गांधी संभव हद तक कम कपड़े पहनते थे लेकिन कांग्रेस के लिए उन्होंने कभी यह आग्रह नहीं किया कि सभी घुटने तक की धोती पहनें. खादी पहनने व कातने का आग्रह कभी किया जरूर लेकिन सम्मति नहीं मिली तो वह भी छोड़ दिया. लेकिन अपने लिए नियम ही बना रखा था कि हर दिन निश्चित सूत काते बिना सोना नहीं है.

दिन भर की देहतोड़ दिनचर्या के बाद जब सभी सोने जाते थे, गांधी अपना चर्खा ले कर बैठते थे : कताई का अपना लक्ष्यांक पूरा कर तो लूं !… अपने लिए कभी यह तय कर दिया कि मेरे भोजन में पांच से अधिक चीजें नहीं होंगी, तो फिर गिनती के बगैर खाना नहीं; फिर यह भी बता दिया कि मेरे भोजन का खर्च इससे अधिक नहीं होना चाहिए. दूसरे गोलमेज सम्मेलन में लंदन पहुंचे तो भोजन की थाली सामने आने पर अपने मेजबान से दो ही सवाल पूछते थे : इस थाली की कीमत कितनी है ? इस थाली में से कितनी चीजें इंग्लैंड में पैदा हुईं हैं ? कमखर्ची व स्वदेशी ! उनके लिए ये दोनों जीवन-मंत्र थे. आज संसार का हर पर्यावरणवादी इन्हीं दो मूल्यों की बात करता है. मतलब क्या हुआ ? 83 साल पहले हमने जिस इंसान को मार डाला था, उसका जीवन-मंत्र ही आज के इंसान का जीवन-मंत्र बने तो धरती बचे, प्राण बचे. कितना कठिन रहा होगा यह आदमी !

इस गांधी से हम जितनी दोस्ती कर सकेंगे, उतने ही इंसान बन सकेंगे.  

तुम भी ग़ालिब कमाल करते हो 

उम्मीद इंसानों से लगा कर शिकायत खुदा से करते हो

(30.09.2025)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ગુજરાતનું શિક્ષણ તળિયે ગયું છે, ત્યારે શિક્ષણ વિભાગ તળિયું ટાઢું કરી રહ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 October 2025

રવીન્દ્ર પારેખ

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગનાં રાષ્ટ્રીય સર્વેક્ષણ-2024 ‘પરખ’(પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ)ના રિપોર્ટ મુજબ ગુજરાતનાં શિક્ષણનું ધોરણ એટલું કથળ્યું છે કે તે ટોપ ટેનમાં તો નથી જ, પણ સૌથી નબળું પ્રદર્શન કરનારા રાજ્યોમાં પણ તે તળિયે છે. રિપોર્ટમાં પંજાબ લગભગ તમામ કેટેગરીમાં ટોચ પર છે. વર્ષ 2024 માટે થયેલાં સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે દેશની 74,229 શાળાના 21,15,૦22 બાળકોનાં શિક્ષણની સમીક્ષા કરી ને તેમાં 781 જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા. એમાં ટોચના 50 જિલ્લાઓમાં ગુજરાતનો ક્યાં ય પત્તો નથી, પણ સૌથી નબળું પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં ગુજરાતના જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, પોરબંદર જેવા અનેક જિલ્લાઓ છે. સૌથી નબળા 50 જિલ્લાઓમાં ખેડાનો 44, છોટાઉદેપુરનો 47 અને પોરબંદરનો 48મો ક્રમ છે.

શાળાકીય સ્તર સુધારવા ગાંધીનગરમાં 5  કરોડને ખર્ચે 2019માં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. એ કેન્દ્ર ચલાવવા 85 લાખનું આંધણ કરાયું છે, એમાં અધિકારીઓનું આર્થિક ધોરણ જરૂર સુધર્યું હશે, પણ શાળાકીય શિક્ષણનું ધોરણ તળિયે ગયું છે. એક શિક્ષકના કહેવા મુજબ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાછળ કરોડોનો ધુમાડો થયો છે ને દર મહિને લાખોનો ખર્ચ થાય છે, પણ અધિકારીઓ વાતો ને વીડિયો કોન્ફરન્સ કરીને રાજી રહે છે. ઓનલાઈન મોનિટરિંગની વાતો થાય, પણ તે વાતો જ રહે તેની કાળજી રખાય છે. કેટલા ય ખાઈ બદેલા અધિકારીઓને દૂર કરવાની માંગણીઓ થઈ છે, પણ ઉપર બેઠેલાં માઈબાપ સાથે ઘરોબો હોવાથી એ શક્ય બને એમ નથી. અંદરોઅંદર ગુણવત્તાનું એનાલિસિસ થતું રહે છે, પણ તે કુલડીમાં ગોળ ભાંગવાથી વિશેષ કંઇ નથી. એવું ન હોત તો ‘પરખ’ દ્વારા આવેલા રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણ આટલું ઉઘાડું ન પડ્યું હોત !

આમ થવામાં સરકાર શિક્ષકોની ભરતીને મામલે આંગળાં ચાટીને પેટ ભરી રહી છે, તે અનેક કારણોમાંનું મુખ્ય કારણ છે. હકીકત એ છે કે ગુજરાતનાં બજેટમાં સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગનું છે, પણ મોટે ભાગની રકમ ગુણોત્સવ, પ્રવેશોત્સવ, જેવા તાયફામાં ખર્ચાતી હોય તો નવાઈ નહીં ! 2011થી 2025 સુધીમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં માધ્યમિકમાં 7,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 5,500 શિક્ષકોની ઘટ છે. 700 જેટલા આચાર્યો ખૂટે છે. રાજ્યની લગભગ 1,6૦૦ જેટલી સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. દેશનું કોઈ રાજ્ય આટલું ગરીબ અને રીઢું નથી, જે આટલો સર્વનાશ જોઇને પણ આંખ આડા કાન કરી શકે છે … 

ગુજરાતમાં શિક્ષણ વિભાગ મુખ્યત્વે બે કામ કરે છે – ફતવાઓ બહાર પાડે છે અને ડેટા કલેક્ટ કરે છે. એમ કરવાથી શિક્ષણ સુધરી જશે એમ તે માને છે. ફતવા પણ એવા કે એક બહાર પાડીને ભૂલી જવાનો ને બીજો એમ જ વિચાર્યા વગર બહાર પાડી દેવાનો. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 6 ઓક્ટોબરથી (14 ઓક્ટોબર) એટલે કે આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એ કાર્યક્રમ પણ સરકારે જ જાહેર કર્યો છે ને તેમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે પરીક્ષા દરમિયાન કોઈ જિલ્લામાં રજા આવતી હોય તો તે રદ કરીને પણ પરીક્ષા ચાલુ રાખવાની રહેશે. તેની ધૂળધાણી કરતો બીજો ફતવો એવો બહાર પડ્યો છે કે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ શરૂ થાય છે, તો તેના કાર્યક્રમો યોજીને તેના ફોટા મોકલી આપવાના રહેશે. આ બંને ફતવા બહાર પાડનાર શિક્ષણ વિભાગને એ ખબર જ નહીં પડતી હોય કે આમાં અક્કલનું પ્રદર્શન થઈ રહ્યું છે? શિક્ષણનું થવાનું હોય તે થાય, પણ વિકાસ(કે વિનાશ?)ના કાર્યક્રમો યોજી બધું બહુ સરસ ચાલી રહ્યું છે તેવા દેખાડા કરવાની સ્કૂલોને ફરજ પડાઈ રહી છે. સ્કૂલોમાં થતાં સરકારી ઉજવણાંઓએ શિક્ષણનું તો ઉઠમણું જ કરી નાખ્યું છે.

આવું બધું ચાલે છે, તે જોનારું આખા ગુજરાતમાં કોઈ જ નથી? આટલા શિક્ષકો, આટલા આચાર્યો, આટલા વાલીઓને આ બધું દેખાતું જ નથી કે તેમણે બાળકોને નમાલાં ને કાયર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે? આ વેપલામાં ભણાવવાનું તો ક્યાં ય આવતું જ નથી. કમાલ છે ને ! કોઈ કંઇ બોલતું જ નથી. કોઈને કંઇ થતું જ નથી. આટલી મોટી સંખ્યામાં મરેલું જીવનારાં તો કોઈ કાળે ન હતાં !

બને ત્યાં સુધી શિક્ષણનું સ્તર કથળતું જ જાય એને માટે શિક્ષણ વિભાગ બહુ મહેનત કરે છે. આ વખતે શ્રેષ્ઠ નબળાં રાજ્યોમાં કદાચ ગુજરાત સાતમાં ક્રમે છે. આવતે વર્ષે તે દસમાં ક્રમે પહોંચે તે માટે શિક્ષણ ખાતું બનતું બધું કરી છૂટે એમ છે. જો કે, આટલા નમાલા શિક્ષકો, આચાર્યો, વાલીઓ છે, એટલે સરકારને છેક તળિયે જવામાં વાંધો નહીં આવે. આખું રાજ્ય શિક્ષણ વિભાગની પડખે છે. જેમ કે, સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ૨૦૩6માં યોજાનારી ઓલિમ્પિકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતવીરો તૈયાર કરવા માંગે છે. તેને માટે યુનિફોર્મ ને બૂટ પણ આપી દેવાયા છે. ખરેખર રમતવીરો તૈયાર થાય તો આનંદ અને ગૌરવ થાય, પણ બાળકો યુનિફોર્મ-બૂટથી રમતવીર ના થઈ જાય તે સમિતિ પણ જાણે છે. ખરેખર તો તેની તાલીમ પણ અપાવી જોઈએ ને વાસ્તવિકતા એ છે કે શિક્ષણ સમિતિના દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે વ્યાયામ શિક્ષકો ગણીને 50 છે. આ આંકડો પાછો શાસકો જ આપે છે ને સાથે ઉમેરે છે કે બીજા વ્યાયામ શિક્ષકો દિવાળી પછી આવી જશે. કઈ દિવાળીએ, તેની સ્પષ્ટતા નથી, કારણ કે અગાઉની દિવાળીઓમાં પણ શિક્ષકોનો દુકાળ તો હતો જ !

400 સ્કૂલોમાં 50 વ્યાયામ શિક્ષકો રાખીને સમિતિ 2036ની ઓલિમ્પિક સુધી જવાની છે? સમિતિ હોલસેલમાં હાંકે છે. સમિતિના સજ્જનો તો બચાવમાં એવું પણ કહે છે કે બધા વિદ્યાર્થીઓને કંઇ સંગીત કે વ્યાયામની તાલીમની જરૂર નથી. સમજી શકાય એવું છે કે કેટલા અક્કલવાળા સજ્જનો સમિતિ શોભાવી રહ્યા છે. એમાં સમિતિનો વાંક જ નથી. શિક્ષકોની ઘટ એ આખા રાજ્યનો રાજરોગ છે.

વારુ, જે છે તે શિક્ષકોને ભણાવવા દેવાય છે? એમને તો કારકૂનીમાં કે અન્ય સેવાઓમાં ધકેલાય છે ને યુનિયનો હોવા છતાં તેમને શિક્ષણ સિવાય રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓમાં જોતરી દેવાય છે. શિક્ષણ સમિતિના શિક્ષકોને ચાર મહિનામાં 40 પ્રકારની કામગીરી સોંપી દેવાઈ છે. આ અંગે શિક્ષકો કે તેમના યુનિયનોએ કંઇ કહેવાનું નથી? જો કે, બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, અરવલ્લીના મંત્રી અને પ્રમુખે બાયડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, મોડાસાને ૩ ઓક્ટોબર, 2025ને રોજ પત્રમાં જણાવ્યું છે કે શિક્ષક, શિક્ષણ સિવાયની ઓનલાઈન 56 કામગીરીઓ કરે છે. પત્રને અંતે એક સવાલ મુકાયો છે કે આ કામગીરી સરેરાશ 110 દિવસ ચાલે એમ હોય ને સત્ર એમાં જ પૂરું થઈ જાય તો શિક્ષક ભણાવે ક્યારે? શિક્ષકોએ ખરેખર તો ભણાવવાનું જ હોય ને અન્ય કામગીરી માટે કારકૂનોની નિમણૂક કરવાની હોય. આવા તમામ યુનિયનોના પત્રો સરકાર સુધી પહોંચે તો સરકારને ખબર પડે કે માસ્તર કૈં મજૂર નથી.

પરખના રિપોર્ટમાં ગુજરાત સર્વશ્રેષ્ઠ નબળું ઘોષિત થયું તેનો એવો આઘાત શિક્ષણ વિભાગને લાગ્યો કે રિપોર્ટ આવતાંની સાથે જ સ્કૂલોના એક્રિડિટેશનમાં ફેરફાર કરવાની જાહેરાત થઈ ગઈ, એટલું જ નહીં, સમિતિની રચના પણ કરી દેવાઈ ને તેની પહેલી મીટિંગ પણ થઇ ગઈ ને બીજી મીટિંગ 9મીએ મળે ત્યારે તેણે રિપોર્ટ પણ સબમિટ કરી દેવાનો છે. આ ધડાધડી ન થઈ હોત, જો પરખના રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણ તળિયે ન ગયું હોત. સમિતિના વેપલામાં શિક્ષણનું સ્તર કેટલું સુધરશે તે શિક્ષણ વિભાગ જાણે, પણ ગુણોત્સવ કાર્યક્રમ એટલે કે સ્કૂલ એક્રિડિટેશન માટેના ફેમવર્કમાં ફેરફાર કરવાનું તો નક્કી થયું જ છે. આ બધાંમાં ખૂટતા શિક્ષકોની નિમણૂકની કોઈ વાત નથી, વળી છે તે શિક્ષકો વર્ગમાં જઈને ભણાવે તેવા પણ કોઈ એંધાણ નથી, તો સવાલ એ થાય કે સમિતિના રિપોર્ટથી શિક્ષણ સુધરી જશે એવું સરકારને કઈ રીતે લાગે છે?

સો વાતની એક વાત એ કે શિક્ષકો વગર શિક્ષણ કોઈ પણ જન્મમાં સુધરવાનું નથી. એ સિવાયના તમામ વેપલા ખાતર પર દિવેલ સાબિત ન થાય એટલું જોવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઑક્ટોબર 2025

Loading

...102030...229230231232...240250260...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved