Opinion Magazine
Number of visits: 9666155
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશને ન-વિરોધી કરવાનો આ પ્રયાસ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 December 2023

રમેશ ઓઝા

દેશપ્રેમીઓએ શું શું નથી કર્યું દેશને બચાવવા? ઈલેક્ટોરલ બોન્ડ્સ લાવીને એ દેશદ્રોહીઓનાં ચૂંટણી લડવા માટેનાં નાણાંકીય સ્રોતને સુકવી નાખ્યાં, પક્ષો અને તેની સરકારો તોડી, સંસદસભ્યો અને વિધાનસભ્યોને ખરીદ્યા, ઈ.ડી. અને બીજી એજન્સીઓને કામે લગાડીને ડરાવ્યા – ધમકાવ્યા અને જે ડરતા નહોતા કે ખરીદાતા નહોતા તેમને જેલમાં નાખ્યા, ચૂંટણીપંચને અનુકૂળ કરી નાખ્યું, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને સ્પીકરો આંખને ઇશારે કામ કરે છે, સર્વોચ્ચ અદાલત પણ હવે તો અનુકૂળ ચુકાદાઓ આપે છે, ગોદી મીડિયા એ જ બોલે છે જે તેમને બોલવાનું કહેવામાં આવે છે, વહીવટીતંત્રમાં દરેક મહત્ત્વના સ્થાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસોને ગોઠવવામાં આવ્યા છે, મોટી સંખ્યામાં દેશપ્રેમી ભક્તો છે જે વિરોધીઓની પાછળ પડી જાય છે અને છતાં ય એ દેશદ્રોહીઓનું નિર્મૂલન થતું નથી. એટલે આખરે સંસદમાંથી ૧૪૧ સંસદસભ્યોનું સભ્યપદ રદ્દ કરવું પડ્યું. પરશુરામે જેમ પૃથ્વીને નક્ષત્રીય કરી હતી એમ આપણા યુગપુરુષ ભારતને ન–વિરોધી (અવિરોધી નહીં, ન–વિરોધી. અવિરોધ અને ન–વિરોધમાં જમીન આસમાનનો ફરક છે. અવિરોધ ગાંધીજીનો માર્ગ હતો અને ન–વિરોધ હિટલર અને મુસ્સોલિનીનો.) કરવા માગે છે. દેશદ્રોહીઓને ક્યાં સુધી સહન કરવાના! 

દેશમાં જે કાંઈ થઇ રહ્યું છે એ બધું જ દેશહિતમાં થઈ રહ્યું છે. જે લોકો લોકશાહીની, ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર જેવી બંધારણીય સંસ્થાઓની નિર્ભયતા તેમ જ સ્વતંત્રતાની, ન્યાયની, સમાનતાની, સમાન અવસરની, ખુલ્લા અવાજની, ખુલ્લા સમાજની, તાર્કિક મિજાજની, વિચારવાની, શંકા કરવાની તેમ જ પ્રશ્નો પૂછવાની  આઝાદીની  માંગણી કરી રહ્યા છે એ દેશદ્રોહીઓ છે. આ એવા લોકો છે જે તાળીઓ પાડવાની જગ્યાએ આંગળી ઊંચી કરે છે, આંગળી ચીંધે છે, પ્રશ્નો કરે છે, શંકાઓ કરે છે અને બીજું શું શું નથી કરતા! એ દેશદ્રોહીઓએ મંદિરો બાંધવાની જગ્યાએ આઈ.આઇ.ટી. અને ઈસરો જેવી શિક્ષણસંસ્થાઓ સ્થાપી. આપણે જગતનું બધું જ જ્ઞાન ધરાવીએ છીએ, આપણે તો વિશ્વગુરુ છીએ, જગત આપણું ઋણી છે ત્યારે વળી વિશ્વગુરુએ વિદ્યાર્થી બનવાનું હોય! વિદ્યાર્થી તો એ બને જેની પાસે વિદ્યા ન હોય અને વિદ્યાને અર્થે ગુરુ પાસે જાય. આપણે તો સાક્ષાત વિશ્વગુરુ છીએ. આપણે જ્યારે મંત્રશક્તિથી અવકાશમાં જઈ શકતા હોઈએ તો ઈસરોની શી જરૂર છે? પણ એ લોકોએ તો મંદિરો બાંધવાની જગ્યાએ શિક્ષણસંસ્થાઓ સ્થાપી અને પાછો જવાહરલાલ નેહરુ નામનો દોઢ ડાહ્યો કહે છે કે આ તો આધુનિક યુગનાં મંદિરો છે, બોલો! છે કોઈ લાજશરમ! માટે આપણા પ્યારા ભારતને આવા લોકોથી ન-વિરોધી કરી નાખવા જ રહ્યા.

કાઁગ્રેસે શરૂઆતના દસકાઓમાં શુદ્ધ લોકતાંત્રિક અવિરોધી (અવિરોધી, ન-વિરોધી નહીં) વલણ અપનાવીને બધાને બોલવા દીધા હતા. દેશમાં જુદા જુદા અને એકબીજાથી વિરોધી અવાજોની કાગારોળ ચાલતી હતી. કાગારોળ જ ને! બીજું શું? જો કે એ ડાયલા લોકો તો પાછા કહે છે કે એને કાગારોળ ન કહેવાય, વિવિધ પક્ષીઓનું મધુર ગાન કહેવાય! સુરોનો સંગમ કહેવાય. જે.એન.યુ. અને તેના જેવી બીજી શિક્ષણસંસ્થાઓમાં, અખબારોનાં સંપાદકીય પાનાંઓમાં, ટી.વી.ની ડીબેટોમાં ૨૦૧૪ પહેલાં જે ચાલતું હતું એ શું સુરોનો મધુર સંગમ હતો? કાન ફાડી નાખ્યા હતા આ સા… વિચારનારાઓએ અને પ્રશ્ન કરનારાઓએ. બોલ્યા નહીં કે પ્રતિવાદ કર્યો નહીં, બોલ્યા નહીં કે બીજો સૂર આલાપ્યો નહીં. માનસિક રોગીઓ છે. પાછા અળવીતરા એવા કે તેમને ફિલ્મ બનાવતા આવડે, નાટક લખતા અને ભજવતા આવડે, લખતા આવડે, બોલતા આવડે, નૃત્ય કરતા આવડે, ચિત્ર બનાવતા આવડે, આડે કેડે ચાલતા આવડે, ચીલો ચાતરતા આવડે, નવો કેડો પાડતા આવડે, વગેરે વગેરે. હદ તો એ વાતની છે કે તેઓ આવી પ્રવૃત્તિ એવી ઝીણી ભાષામાં અને એવાં ઝીણાં સંકેતોમાં કરે કે આપણને કાંઈ ગમ જ ન પડે. પૂછો તો કહે કે એના માટે સંવેદનશીલ કાન, સંવેદનશીલ નેત્રો અને ખુલ્લું ચિત્ત જોઈએ. આ લાવવા ક્યાંથી એવો સવાલ જો પૂછીએ તો શું કહે છે ખબર છે! એ તો સમુદ્રમાં તરવાથી મળે, ખાબોચિયામાં ન મળે. એ તો નિબીડ જંગલમાં મળે, કિચન ગાર્ડનમાં ન મળે. એ તો મનચાહી નિર્ભય જિંદગી જીવવાથી મળે, કોઈનાં પીંજરામાં પૂરાઈને કોઈની ભાષામાં બોલતા પોપટોને ન મળે. ઓલા વિવેક અગ્નિહોત્રીને આ લોકોનો મુકાબલો કરવા મદદ કરી અને તે બિચારો ફિલ્મો બનાવે છે, પણ જાણકારો કહે છે કે એને કલાકૃતિ ન કહેવાય, પોદળો કહેવાય. એ લોકોની ગુસ્તાખી તો જુઓ!

તેમણે (એટલે કે ઉપર કહી એવી મોકળાશ ઇચ્છનારાઓએ) પોતે જ બંધારણ ઘડીને અને બંધારણમાં એવી જોગવાઈ કરીને અને તેને વફાદાર રહીને પોતાનાં કાંડા કાપ્યાં હતાં. હવે ભોગવો! તમારી સીડી પર ચડીને હવે તમારી સીડીનાં જ પગથિયાં તોડવામાં આવી રહ્યા છે. દેશને ન-વિરોધી કરવાનો આ પ્રયાસ છે. એક પક્ષીય અને માત્ર કલેવર ધરાવનારી પ્રાણહીન લોકશાહી આકાર લઈ રહી છે.   

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 ડિસેમ્બર 2023

Loading

कश्मीरः इतिहास का तोड़ना-मरोड़ना शांति की राह में बाधक

राम पुनियानी|Opinion - Opinion|20 December 2023

राम पुनियानी

कश्मीर से अनुच्छेद 370 हटाते समय यह दावा किया गया था कि इससे घाटी में शांति स्थापित होगी और परेशानहाल कश्मीरी पंडित समुदाय को सुरक्षा मिल सकेगी. पिछले 3 सालों में घाटी में 8 से अधिक कश्मीरी पंडितों को मौत के घाट उतारा जा चुका है. जाहिर है कि यह निर्णय मूलतः गलत था.

देश पर नोटबंदी लादते समय कहा गया था कि इससे कश्मीर में आतंकवाद पर रोक लगेगी. नोटबंदी से जनता को भले ही कितनी ही परेशानियां हुई हों इससे आतंकवादियों को कोई तकलीफ हुई है, ऐसा नहीं लगता.

अपने दावों के खोखला सिद्ध होने के बाद भाजपा ने फिर एक बार नेहरू को दोषी ठहराने की अपनी नीति का  प्रयोग करना शुरू कर दिया है. केन्द्रीय मंत्री किरण रिजिजू ने कहा कि कश्मीर के हालात के लिए नेहरू की गलतियां जिम्मेदार हैं. उत्तरप्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने फरमाया कि अनुच्छेद 370 सारी समस्याओं की जड़ है. इससे बड़ा झूठ कुछ नहीं हो सकता. इतिहास को तोड़-मरोड़कर प्रस्तुत करने के लिए कांग्रेस के महासचिव जयराम रमेश ने रिजिजू को ‘डिस्टारशियन’ बताया.

रिजिजू के अनुसार यह कहना गलत है कि कश्मीर के महाराज भारत से विलय के मामले में असमंजस में थे या ना-नुकुर कर रहे थे. उनका कहना है कि हरिसिंह तो भारत का हिस्सा बनने के लिए तत्पर थे समस्या तो नेहरू ने खड़ी की. सच यह है कि भारत के स्वाधीन होते समय राजे-रजवाड़ों को यह स्वतंत्रता दी गई थी कि वे या तो भारत में शामिल हो जाएं या पाकिस्तान में या अपना स्वतंत्र अस्तित्व बनाए रखें. कश्मीर के शासक महाराजा हरिसिंह ने स्वतंत्र रहने का निर्णय लिया. भारत का हिस्सा न बनने के उनके निर्णय को तत्कालीन प्रजा परिषद का समर्थन प्राप्त था. इसी प्रजा परिषद के सदस्य आगे चलकर भारतीय जनसंघ का हिस्सा बने और यही जनसंघ वर्तमान भाजपा का पूर्व अवतार है. कश्मीर के शासक अपने विशेषाधिकार नहीं खोना चाहते थे और इसलिए उन्होंने भारत और पाकिस्तान दोनों के साथ ‘स्टेंडस्टिल एग्रीमेंट’ करने का प्रस्ताव किया था. पाकिस्तान ने यह प्रस्ताव स्वीकार कर लिया और इसलिए स्वाधीनता के बाद कश्मीर के डाकखानों और अन्य सरकारी इमारतों पर पाकिस्तान का झंडा फहराया गया. भारत ने इस प्रस्ताव को स्वीकार नहीं किया.

बाद में पाकिस्तानी सेना के समर्थन से कुछ आदिवासी और पठान समूहों ने कश्मीर पर हमला कर दिया. बहाना यह बनाया गया कि चूंकि जम्मू में मुसलमानों के खिलाफ हिंसा की जा रही थी इसलिए उसका बदला लिया जाना जरूरी था. जम्मू में मुसलमानों के खिलाफ हिंसा स्वयं महाराजा द्वारा पोषित थी क्योंकि वे चाहते थे कि जम्मू-कश्मीर के कम से कम एक हिस्से में हिन्दुओं का बहुमत रहे. इस पाक समर्थित हमले के कारण हरिसिंह को भारत से सैन्य मदद मांगनी पड़ी. भारत ने यह शर्त रखी कि वह अपनी सेना तभी भेजेगा जब महाराजा हरिसिंह भारत सरकार के साथ विलय की संधि पर हस्ताक्षर करें, जिसमें रक्षा, संचार, मुद्रा और विदेशी मामलों को छोडकर, सभी शक्तियां राज्य की विधानसभा में निहित हों.

जहां तक अनुच्छेद 370 का प्रश्न है, इसे हरिसिंह के जोर देने पर लागू किया गया क्योंकि वे जम्मू एवं कश्मीर के लिए एक विशेष दर्जा चाहते थे. ‘‘कश्मीर सरकार और नेशनल कांफ्रेंस दोनों ने हम पर यह दबाव डाला कि हम इस विलय को स्वीकार कर लें और हवाई रास्ते से सेना कश्मीर भेजें. परंतु उनकी यह शर्त भी थी कि कश्मीर के लोग शांति और व्यवस्था पुनर्स्थापित होने के बाद इस विलय पर विचार करेंगे…” (जवाहरलाल नेहरू, कलेक्टिड वर्क्स, खंड 18, पृष्ठ 421). इस मुद्दे पर संविधान सभा द्वारा विचारोपरांत अनुच्छेद 370 लागू किया गया.

जहां तक युद्धविराम और मामले को संयुक्त राष्ट्र संघ के समक्ष ले जाने का प्रश्न है, ये दोनों निर्णय भारत सरकार द्वारा सामूहिक रूप से लिए गए थे ना कि अकेले जवाहरलाल नेहरू द्वारा. सरदार पटेल ने 23 फरवरी 1950 को नेहरू को लिखे अपने एक पत्र में कहा था, ‘‘जहां तक पाकिस्तान द्वारा उठाए गए कुछ मुद्दों का प्रश्न है, जैसा कि आप कह चुके हैं, कश्मीर का प्रश्न अब सुरक्षा परिषद के सामने है. भारत और पाकिस्तान दोनों संयुक्त राष्ट्रसंघ के सदस्य हैं और सदस्यों के बीच के विवादों को सुलझाने के लिए वहां जो मंच उपलब्ध है उसे दोनों ने चुन लिया है. इसलिए अब इस मामले में आगे कुछ भी करने की जरूरत नहीं है सिवा इसके कि हम उस मंच द्वारा मुद्दों के निराकरण का इंतजार करें.”

दरअसल समस्या यह थी कि साम्प्रदायिक ताकतें जम्मू-कश्मीर का भारत में तुरंत और जबरिया विलय चाहती थीं. नेहरू जबरदस्ती की बजाए कश्मीर के लोगों के दिल जीतने के हामी थे. सरदार पटेल भी ठीक यही चाहते थे. ऊपर उद्धत पत्र में वे आगे लिखते हैं, ‘‘कुछ लोग मानते हैं कि मुस्लिम बहुल इलाके आवश्यक रूप से पाकिस्तान का भाग होने चाहिए. वे चकित हैं कि हम कश्मीर में क्यों हैं. इसका उत्तर बहुत सीधा-सादा और स्पष्ट है. हम कश्मीर में इसलिए हैं क्योंकि कश्मीर के लोग चाहते हैं कि हम वहां हों. ज्योंहि ऐसा महसूस होगा कि कश्मीर के लोग नहीं चाहते कि हम वहां रहें, हम उसके बाद एक मिनट भी वहां नहीं रुकेंगे…परंतु जब तक हम वहां हैं तब तक हम कश्मीर के लोगों को निराश नहीं कर सकते.” (हिन्दुस्तान टाईम्स, अक्टूबर 31, 1948)

आगे जो हुआ वह ठीक इसके उलट था. धीरे-धीरे कश्मीर की स्वायत्ता में कटौती की जाने लगी. इससे कश्मीरी लोगों में अलगाव का भाव बढ़ा और असंतोष भी. विरोध शुरू हुआ और धीरे-धीरे बढ़ता गया. शुरूआत में इस विरोध का स्वरूप साम्प्रदायिक नहीं था. पाकिस्तान के हस्तक्षेप और असंतुष्टों को पाकिस्तान द्वारा प्रशिक्षित किए जाने के बाद हिंसा शुरू हुई. सन् 1980 के दशक में अलकायदा जैसे तत्व घाटी में घुस आए और उन्होंने कश्मीरी पंडितों को निशाना बनाना शुरू कर दिया. कश्मीर में आतंकी हिंसा के लिए अनुच्छेद 370 जिम्मेदार नहीं है. इसके लिए जिम्मेदार है कश्मीर की स्वायत्ता में निरंती कमी. आतंकी हिंसा की योजना बाहरी तत्वों ने बनाई और इसमें अमरीका द्वारा समर्थित कट्टरपंथी इस्लामिक संगठन शामिल थे. इन्हें अमरीका में तैयार किए गए पाठ्यक्रम के आधार पर पाकिस्तानी मदरसों में प्रशिक्षित किया गया था.

योगी आदित्यनाथ को यह समझना चाहिए कि अगर हिंसा का कारण अनुच्छेद 370 होता तो तीन साल पहले उसको हटाए जाने के बाद से कश्मीर में हिंसा समाप्त हो गई होती. अगर अनुच्छेद 370 ही सभी समस्याओं की जड़ होता तो उसके हटने के बाद कश्मीरी पंडित स्वयं को पूरी तरह सुरक्षित महसूस करने लगते. परंतु न तो आतंकी हिंसा खत्म हुई है और ना ही कश्मीरी पंडित चैन की बंसी बजा रहे हैं. इसका कारण यह है कि कश्मीर की समस्या की जड़ में वहां के निवासियों में अलगाव का भाव और लोगों के प्रजातांत्रिक हकों का दमन है.

रिजिजू कश्मीर समस्या के लिए केवल नेहरू को जिम्मेदार बताकर पल्ला नहीं झाड़ सकते. महाराजा हरिसिंह अपने राज्य को भारत का हिस्सा नहीं बनाना चाहते थे. उन्हें अनेक तत्वों का समर्थन प्राप्त था और उस समय वहां भारत समर्थकों को अच्छी निगाह से नहीं देखा जाता था. यह बात कई प्रमुख पत्रकारों और लेखकों ने अपनी-अपनी रचनाओं में कही है जिनमें बलराज पुरी की पुस्तक ‘कश्मीरः इनसर्जेंसी एंड आफ्टर’ शामिल हैं.

भाजपा नेता कश्मीर की स्थिति के लिए नेहरू और अनुच्छेद 370 को जिम्मेदार ठहराकर समाज को धु्रवीकृत करने का प्रयास कर रहे हैं. वे जानबूझकर तत्समय की अंतर्राष्ट्रीय परिस्थितियों को नजरअंदाज कर रहे हैं. पाकिस्तान से लेकर अफगानिस्तान तक फैले आतंकी नेटवर्क और अमरीका द्वारा अतिवादी इस्लामवादी समूहों का समर्थन भी इस स्थिति के लिए जिम्मेदार है. आज हमें कश्मीर के हालात को बिना पूर्वाग्रह और बिना किसी को कठघरे में खड़ा करते हुए समझना होगा. अपनी गलती छुपाने के लिए दूसरों पर आरोप लगाने की प्रवृति अच्छी नहीं है.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
(लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन् 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|20 December 2023

ડિસેમ્બર 1973, ડિસેમ્બર 2023 : નવનિર્માણ આંદોલનનાં પચાસ વરસ એ આગળ જવા સારુ પાછળ નજર કરવાનો અવસર છે. કાનૂની સાર્વભૌમ (સરકાર, કારોબારી, વિધાનગૃહ) પર રાજકીય સાર્વભૌમ(લોક)ની સત્તાનો સિદ્ધાંત એણે ઘૂંટ્યો હતો

પ્રકાશ ન. શાહ

તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ : 1974ના ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું છે અને ગુજરાત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં હરિવંશરાય બચ્ચનની આ સલામી પંક્તિઓ સાથે એક બુઝુર્ગે વાત માંડી છે. આરંભે કદાચ ક્ષીણ લાગતો આ અવાજ સામે છલકાતા છાત્રયુવા મહેરામણની આંખ શું આંખ પ્રોવતો એકદમ ખૂલવા લાગે છે, કેમ કે ખરી દૂંટીનો એ અવાજ જયપ્રકાશ નારાયણનો છે. એ જયપ્રકાશનો જેણે ગુજરાતની તરુણાઈના તેડ્યા સ્વરાજ આગમચ પાંચ જ દિવસ પર, દસમી ઓગસ્ટે, ગુજરાત કોલેજમાં શહીદ વીર વિનોદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકી હતી.

મનીષી જાની

શું હતું જે.પી.નું નિમિત્ત? નવનિર્માણ આંદોલનના વાસંતી ઉદ્રેક સાથે, જોઈએ તો જયપ્રકાશને હાઈજેક કરી લાવો એવા છાત્રયુવા સાદ સાથે, ‘રવિશંકર મહારાજનો સંદેશ એટલે આદેશ’, એવા હૃદયભાવ સાથે એ આવી પુગ્યા હતા. ગુજરાતના યુવજન સૌ રણે ચડ્યા એનો બુંગિયો અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડબિલના આકરા વધારા થકી (એમાંથી ઢેકો કાઢતા ભ્રષ્ટાચાર ને મોંઘવારીના એકંદર માહોલ થકી) બજ્યો હતો. પૂર્વે મોરબીની એન્જિનિયરિંગ કોલેજે પણ આવા કોક મુદ્દે યુવા અજંપો પ્રગટ કીધો હતો અને પોલીસ દમન વહોર્યું હતું. પણ અમદાવાદના કેન્દ્રવર્તી સ્થાને વ્યાપક ગુજરાતમાં વમળો જગવ્યાં હતાં અને યુનિવર્સિટી સિન્ડિકેટના વિદ્યાર્થી સભ્ય મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વમાં કંઈક સ્વયંભૂ એવો લોકઉદ્રેક પ્રગટ થવા લાગ્યો હતો. છાત્રયુવા અજંપો ને મધ્યમવર્ગી પ્રતિક્રિયા એકત્ર આવી રહ્યાં હતાં અને 14 ઓગસ્ટ શ્રમજીવી હિલચાલોનોયે એમાં હિસ્સો હશે સ્તો.

જરી પાછળ જઈને એકંદર સિનાર્યો સંભારીશું? 1971માં પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનની સાંસ્થાનિક પકડમાંથી મુક્ત કરી બાંગ્લાદેશનું નિર્માણ કર્યા બદલ ઇન્દિરા ગાંધીની પ્રતિમા ખાસી ઊંચકાઈ હતી ને ‘ગરીબી હટાવો’ના નારા સાથે નયી રોશનીની ચમકદમક પણ હતી. એમણે લોકસભાની મુદ્દતવહેલેરી ચૂંટણી નાખી અને જ્વલંત ફતેહ હાંસલ કરી. પણ વળતે વરસે ગુજરાત વિધાનસભા માટે કાઁગ્રેસી ઉમેદવાર પસંદગી બાબતે તેમ આંતરિક જૂથબંધીની સત્તામારી અંગે મધ્યમવર્ગની તીવ્ર પ્રતિક્રિયા હતી.

હજુ 1971માં તો લોકસભાની ચૂંટણી વખતે ઇન્દુલાલ યાજ્ઞિકે કાઁગ્રેસના નિશાન પર અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. પણ 1972ના માર્ચમાં લોકસભામાં એમણે જે વક્તવ્ય આપ્યું એમાં મોહભંગનાં લક્ષણો દેખાતાં હતાં. જુલાઈમાં તો એ ગયા અને ખાલી પડેલી બેઠક પર કાઁગ્રેસના ઉમેદવારને શિકસ્ત આપીને અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ માવળંકર ચૂંટાઈ આવ્યા તેમાં ઇન્દિરાજી સામે પડકારનો મિજાજ ચોખ્ખો વરતાતો હતો.

1972ની ચૂંટણીમાં કાઁગ્રેસે વિધાનસભામાં બહુમતી મેળ‌વી અને ઘનશ્યામ ઓઝા ઇન્દિરાનીમ્યા દંડનાયક પેઠે મુખ્ય મંત્રી બન્યા. એમની પ્રતિભા જરૂર સારી હતી પણ જેમ જૂની કાઁગ્રેસમાં ‘સર્વોચ્ચ’વાદ ચાલતો હતો તેવું આ નિમણૂકમાં જણાયું એથીયે લોકલાગણી કંઈક વંકાઈ. એને એક ઓર વળ અને આમળો ત્યારે મળ્યો જ્યારે પોતાના જ મુખ્ય મંત્રીને ઉથલાવીને ચિમનભાઈ પટેલે સત્તા હાંસલ કરી. એમણે બહુમતી ઊભી કરવા ને સાબિત કરવા જ્યાં ધારાસભ્યોને એકઠા કર્યા તે પંચવટી ફાર્મને લોકજીભે ઓળખ પણ ચોંટડૂક મળી, પ્રપંચવટી!

મોંઘ‌વારી, જૂથબંધી, ભ્રષ્ટાચારના આ માહોલ વચ્ચે એલ.ડી. એન્જિનિયરિંગ ઘટના ને પોલીસ પ્રતિક્રિયા સામે એકંદર જનરોષ બહાર આવ્યો અને જોતજોતામાં જંગલના દવની જેમ ગુજરાતવ્યાપી બની રહ્યો એની શરૂઆત ડિસેમ્બર 1973માં થઈ હતી. આજે, 2023માં, પાછળ નજર કરીએ ત્યારે એની પચાસીએ શું સમજાય છે?

યુવા ઉદ્રેકનું તત્કાળ નિમિત્ત જે પણ હોય, 1968માં યુરોપીય-અમેરિકી કેમ્પસો પરથી જે યુવા ઉન્મેષ પડમાં આવવા લાગ્યો હતો, કંઈક એની જેમ જ અહીં વર્તમાન સામે ફરિયાદ ને ભાવિ સુધારનો કાંઈક આંતરિક ધક્કો ખસૂસ હતો … કેવો મિજાજ હશે ત્યારે એનું એક ઉદાહરણ, કંઈક હટકે આપું? ‘જવાની દિવાની’ નામે ફિલ્મનું અવલોકન રાધેશ્યામ શર્માએ જુલાઈ 1973માં લખ્યું, એનું શીર્ષક હતું – ‘જવાની દિવાની’ : ખાનદાની ખૂન વર્સીસ યુવા વિદ્રોહ.’

વ્યાપક પ્રજાવર્ગની સહાનુભૂતિ સાથે છાત્રયુવા આંદોલનમાં અધ્યાપકોનું જોડાવું એ પણ એક મોટી વાત હતી. પણ આંદોલન જેવું આગળ ‌વધ્યું અને કાઁગ્રેસના જૂથગત નેતાપલટા માત્ર એણે અટકવું મુનાસીબ ન માન્યું ત્યારે અધ્યાપક મંડળ ખસી ગયું. એ પ્રજાકીય આંદોલન સાથે નહીં એટલું કાઁગ્રેસનો આંતરિક સત્તામારીમાં એક જૂથ સાથે હતું.

વિધાનસભાના વિસર્જનની માંગ એક નિર્ણાયક મુદ્દો હતો. માર્ચના બીજા અઠવાડિયામાં મોરારજી દેસાઈએ આંદોલનની માંગના સમર્થનમાં અને હિંસાના વિરોધમાં અનશનનો રાહ લીધો અને 15મી માર્ચે રાજ્યપાલના સલાહકાર સરીને એમને રૂબરૂ મળીને ખબર આપી કે કેન્દ્ર સરકાર વિધાનસભાના વિસર્જનમાં સંમત છે.

ખરું જોતાં બહુ જ ઉતાવળે અને કંઈક અછડતી વાત આ કરી છે. એંશી-પંચાસી દિવસના આ આંદોલનને ગોળીબારથી નીપજેલ ચાળીસથી વધુ મોત કે જાહેર નુકસાનીના આંકડામાં અગર તો ટૂંક સમયમાં ચારસોથી વધુ નવનિર્માણ સમિતિઓ કાર્યરત થઈ એવી વિગતમાત્રમાં ખતવી ન શકાય.

મુદ્દે, વિધાનસભા વિસર્જનની એની સફળ માંગે લોકશાહી રાજકારણમાં એક મહદ્દ સિદ્ધાંત સ્થાપી આપ્યો કે કાનૂની સાર્વભૌમ (સરકાર: પર આખરી સત્તા રાજકીય સાર્વભૌમ એટલે કે લોકોની છે. સાંકડા રાજકીય-શાસકીય માળખાની બહારથી આવેલી લોકપહેલનો આ ચમકારો તે જયપ્રકાશને મળેલો ‘પ્રકાશ’ હતો.

બિહાર આંદોલન ઉપડ્યું એના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા, ઓક્ટોબર 1974માં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વ હેઠળની રેલીમાં, ક્યારે ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી સાથે પગપાળા ચાલતા મિત્રોમાં વડનગરના વસંત પરીખે મજાનું સૂત્ર આપ્યું હતું :

‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ …’

એ બધી વાતો વળી ક્યારેક, યથાપ્રસંગ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 ડિસેમ્બર 2023

Loading

...102030...856857858859...870880890...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved