Opinion Magazine
Number of visits: 9954733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધી અને કાઁગ્રેસઃ  એક સાંધે ત્યાં તેર તૂટે એવા સંજોગોમાં પોતાનાં મૂલ્યો પારખી પાકા કરવાનો વખત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 December 2024

રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા

ચિરંતના ભટ્ટ

2019માં કાઁગ્રેસે ચૂંટણી હારી એ પછી રાહુલ ગાંધીએ એવો નિર્ણય જાહેર કર્યો કે પોતે કાઁગ્રેસ પ્રમુખની પદવી પરથી રાજીનામું આપી દઇને હારની તમામ જવાબદારી સ્વીકારી લેશે. એ વખતે પત્રકાર બરખા દત્તે એક ટિપ્પણી કરતાં લેખમાં એમ ટાંક્યું હતું કે આ રાજીનામાથી કાઁગ્રેસમાં કોઇ મોટો ફેર આવવાનો નથી કારણ કે કાબૂ તો ગાંધી પરિવારના હાથમાં જ રહેશે અને કાઁગ્રેસની કાર્યકારી સમિતિમાં ખરેખરની પારદર્શી ચૂંટણી થાય તો પક્ષને નવું નેતૃત્વ મળી શકે. વળી ત્યારે તેણે એમ પણ લખ્યું હતું કે સચીન પાયલટ અને શશી થરુર જેવા મોટા માથાઓ જે પક્ષમાં પરિવર્તન લાવી શકે છે તેમની તરફ આંખ આડા કાન કરાય છે. ટૂંકમાં પરિવાર જ્યાં સુધી પક્ષ પરથી કાબૂ જતો નહીં કરે ત્યાં સુધી કોઇ મોટા ફેરફાર આવવાના નથી. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું અને એ પછી કાઁગ્રેસ કાર્યકારી સમિતિમાં કોઇ પદ ન લીધું. વચગાળામાં સોનિયા ગાંધીએ એ પદ સંભાળ્યું અને હવે 2022થી મલ્લિકાર્જુન ખરગે કાઁગ્રેસ કાર્યકારી સમિતિના પ્રમુખ છે. કાઁગ્રેસ પક્ષ કાં તો સદંતર દિશા હીન છે અથવા તો એમણે એટલી બધી દિશાઓમાં કામ કરવાનું છે કે ક્યાંથી શરૂ કરવું એ સમજાય એમ રહ્યું નથી. જે કંઇ થોડો ઘણો અવાજ થાય છે, કોઇ કંઇ બોલે છે તો તે મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંભળવા મળે છે.

રાહલુ ગાંધીએ લોકો સુધી પહોંચવાની, લોકો સાથે જોડાવાની કોશિશ કરવામાં કોઇ કચાશ નથી છોડી, પણ કમનસીબે કાઁગ્રેસને ધાર્યું પરિણામ નથી મળતું. હા, લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના 400 પારના નારાને સાચો ન પડવા દીધો પણ મહારાષ્ટ્રની ચૂંટણીમાં કાઁગ્રેસે મ્હોં ભેર પછડાટ ખાધી. રાહુલ ગાંધી કંઇપણ કરે, પછી એ સ્ટ્રીટ ફૂડ ખાય કે પોડકાસ્ટ કરે કે પછી કંઇ બીજું કરે – તે ભારતના મતદારોને રિઝવી નથી શકતા. લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને ધક્કો મળ્યો તો ભા.જ.પા. સતર્ક થઇને વિધાનસભાની ચૂંટણીમાં બાજી હાથમાં રહે એ માટે મચી પડી પણ કાઁગ્રેસના પ્રયાસો ઠાલા નિવડી રહ્યા છે. રાહુલ ગાંધીએ લવ વર્સિસ હેટનું જે નેરેટિવ પકડ્યું તેને પણ ધારી સફળતા ન મળી અને લઘુમતી મતદારોને પણ એ વાતો ગળે ન ઉતરી. રાહુલ ગાંધી જે કરે છે એ પોતાનું સો ટકા આપીને કરવા માગે છે, પણ છતાં ય 2007 પછી જ્યારથી તેમણે કાઁગ્રેસનું સુકાન સંભાળ્યું છે, પક્ષનો ચહેરો બન્યા છે જાણે ગ્રહો જ આડા ચાલતા હોય એવી હાલત થઇ ગઇ છે. તાજેતરના પરિણામોની વાત કરીએ તો કાઁગ્રેસને ક્યાંક જોરદાર જીત મળી, જેમ કે કર્ણાટક તો ક્યાંક સરિયામ હાર મળી, જેમ કે મહારાષ્ટ્ર. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી તેમની છબી સુધરી, લોકોને લાગ્યું કે તેમને ગંભીરતાથી લેવા જોઇએ પણ છતાં પણ કાઁગ્રેસમાં એક પક્ષ તરીકે જે બદલાવ આવવા જોઇએ તે ન આવી શક્યા.

પ્રિયંકા ગાંધી

શું રાહુલ ગાંધીએ પોતાની બહેનને કાઁગ્રેસ સંભાળવાની પૂરેપૂરી જવાબદારી આપી દેવી જોઇએ એવી પણ એક શક્યતા ચર્ચાતી રહે છે. રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં વધારે આગળ પડતો ભાગ ભજવવાનું નક્કી કર્યું અને તે મહિલા મતદારો સાથે ખાસ કરીને કલ્યાણલક્ષી યોજનાઓને પગલે સારી પેઠે જોડાઇ શક્યાં છે. ઇંદિરા ગાંધીએ એક સમયે પ્રિયંકા ગાંધી માટે એમ કહેલું કે લોકોને તેમનામાં મારી છબી દેખાશે પણ આખરે તે રાજકારણને બદલશે. કાઁગ્રેસ પાસેથી થોડી ઘણી આશા રાખનારા લોકોનું પણ માનવું છે કે પ્રિયંકા ગાંધી હશે તો કદાચ વિખેરાયલી કાઁગ્રેસને કોઈ દિશા મળે. ભા.જ.પા.એ રાહુલ ગાંધીને ‘પપ્પુ’નું ઉપનામ આપ્યું અને પ્રિયંકા ગાંધીએ જ્યારે પણ રાજકારણમાં કંઇક આગળ પડતું કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભા.જ.પા.એ તેની પણ ટીકા કરી છે. પણ એ રાહલુ ગાંધી જેટલા ટાર્ગેટ થતા રહે છે તેની સરખામણીએ ઘણું ઓછું છે. વળી પ્રિયંકા ગાંધીની રાજકીય અપીલ છે. ભા.જ.પા.માં એક સમયે સુષમા સ્વરાજ જેવાં નેતાઓ હતાં, પણ આજે એક મજબૂત મહિલા અવાજની ભા.જ.પ.માં ચોક્કસ ખોટ છે એમ કહી શકાય. સ્મૃતિ ઈરાની જેવાં ચહેરાઓ ભા.જ.પા. પાસે છે એ ખરું પણ પ્રિયંકા ગાંધી તેની સામે ઝિંક ઝિલી શકે એમ અત્યારે તો લાગે છે. પ્રિયંકા ગાધી ધારે તો કાઁગ્રેસમાં ધરમૂળથી ફેરફાર લાવી શકે છે અને તેમ કરવામાં તેમણે રાહુલ ગાંધીનાં કોઇ મૂલ્યોને જતાં કરવાની જરૂર નથી.

આ તરફ રાહુલ ગાંધીમાં કાઁગ્રેસને બદલીને ફરી બેઠી કરવાની, મજબૂત બનાવવાની તાકાત છે એવું નેરેટિવ ખડું કરવામાં કાઁગ્રેસ કોઇ કચાશ નથી છોડતી.  તાજેતરમાં જ સંસદ સભ્ય રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી, તેમની કામ કરવાની શૈલી વગેરેને કેન્દ્રમાં રાખીને ‘રાહુલ ગાંધી – વ્યાકુલ મન કા નાયક’ પુસ્તકમાં સંજીવ ચંદને વિગતે વાત કરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કાઁગ્રેસની નિષ્ફળતાઓની પણ પુસ્તકમાં વાત કરાઇ છે. તેમના મતે રાહુલ ગાંધીમાં પિતા રાજીવની સાદગી અને નમ્રતા છે, માતા સોનિયા ગાંધીની સામાજિક-રાજકીય સંકલનની આવડત છે પણ દાદી ઇંદિરા ગાંધી જેવી હિંમત નથી, ખાસ કરીને રાજકીય પદ્ધતિઓ કે આદર્શોને મામલે –  આ બાબત સફળ રાજકારણી માટે અનિવાર્ય છે. રાહુલ ગાંધીએ લીધેલાં કેટલાક નિર્ણયો પણ કાઁગ્રેસની છબીને નબળી પાડવામાં મોટો ભાગ ભજવી ગયા છે, જેમ કે 2013માં લેજિસ્લેટિવ રિવર્સલ. રાહુલ ગાંધીને નેતૃત્વમાં સાતત્ય નથી જળવાતું, ક્યારેક તે શૂરવીરની જેમ ઝંપલાવે છે તો ક્યારેક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સમય વેડફતા દેખાઇ આવે છે તો ક્યારેક બોલવામાં ભગાં કરે છે. સરવાળે ગેરલાભ કાઁગ્રેસને જાય છે અને ગાંધી પરિવાર માટેનો અણગમો પણ વધતો જાય છે.

રાજકારણ ‘નેરેટિવ’ – કથાનક પર ચાલતો ખેલ છે. રાહુલ ગાંધીએ આ વખતે લોકશાહી બચાવો વાળા નેરેટિવને આગળ કર્યું તો ખરું પણ મોટા ભાગના ભારતીય મતાદાતાઓને નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.થી લોકશાહીને નુકસાન થાય છે એમ નથી લાગતું. વળી લોકસભાની ચૂંટણીમાં જરા બહેતર દેખાવ થયો એમાં કાઁગ્રેસ ગેલમાં આવી ગઇ અને માની લીધું કે ભા.જ.પા. – મોદી સરકારના નેતૃત્વ પર કાઁગ્રેસ અસર કરી શકે છે – આ આત્મવિશ્વાસ પણ કાઁગ્રેસને ભારે પડ્યો. હરિયાણાનો ફટકાને કારણે કાઁગ્રેસને તમ્મતર આવી ગયા. કાઁગ્રેસ જાતને આધારે વસ્તી ગણતરીની વાત કરવા ઇચ્છતી હતી પણ ભા.જ.પા.એ આખી વાતને વિભાજનકારી ગણાવીને મતદાતાઓનું મન બદલી નાખ્યું. કાઁગ્રેસના હવે એવા હાલ છે કે તેમણે દરેક રાજ્યમાં, દરેક સંગઠન કરનારા પક્ષ સાથે અલગ અલગ દૃષ્ટિકોણથી અને અભિગમથી કામ પાર પાડવું પડશે.

આખે આખી કાઁગ્રેસના નેતૃત્વએ પોતાની જવાબદારીઓનું સરવૈયું કાઢવું પડશે, એ દિશામાં કામ કરવું પડશે. સૌથી અગત્યનું તો એ કે આ બદલાવની શરૂઆત રાહુલ ગાંધી અને મલિલ્કાર્જુન ખરગેથી થવી જોઇ. કાઁગ્રેસ હતી ન હતી થઇ જાય એ પહેલાં નેતૃત્વમાં, પક્ષના બંધારણ અને અભિગમમાં બદલાવ એ તેમના સૌથી પહેલાં એજન્ડા હોવા જોઇએ. ઝારખંડના પરિણામને મહારાષ્ટ્રના પરિણામની સામેની કાઁગ્રેસની સિદ્ધિ તરીકે જોવાની ભૂલ કરનારાઓ સારી પેઠે જાણે છે કે આ એક પોકળ દલીલ છે અને આવા પોકળ મુદ્દાઓને નેવે મૂકીને કાઁગ્રેસે પોતાની ભૂંસાઈ રહેલી લીટી નવેસરથી દોરવાની દિશામાં કામ કરવું જોઇએ અને ભા.જ.પા.ની લીટી નાની કરવાના પ્રયાસો પડતા મુકવા જોઇએ.

બાય ધી વેઃ 

રાહુલ ગાંધી નક્કર નેતૃત્વ આપાવમાં નિષ્ફળ રહ્યા છે અને પક્ષના લોકો તેમની વાહવાહી કરીને રાજકુમારની માફક તેમને માથે બેસાડવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમના પ્રયાસોમાં નકરી સચ્ચાઈ હોવા છતાં તેઓ કંઇ બહુ પ્રભાવ નહીં જ પાડી શકે એ એક ન ગમે એવી હકીકત છે. પરિવારવાદ મતદારોને તો કઠ્યો જ પણ હવે તો કાઁગ્રેસનો હિસ્સો રહેલા નેતાઓએ પણ એ બાબતે પોતાનો અણગમો જાહેર કરી જ ચૂક્યા છે. વાયનાડમાં લધુમતિના મળેલા ટેકાને આધારે ભવિષ્યની વ્યૂહરચના બનાવવાની ભૂલ કાઁગ્રેસ ન કરે તો સારું. કાઁગ્રેસે વાસી મુદ્દાઓ પર દેકારા કરવાનું બંધ કરી, ભા.જ.પા.ના નારાઓનો જવાબ આપવાનું છોડી દઇને પોતાનાં મૂલ્યોને પારખી, તેમને પાકા કરી બેઠા થવું પડશે નહીંતર વધુ કપરો સમય જોવો પડે એમ થઇ શકે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે 89 ચૂંટણીમાં હાર વેઠી છે, આ આંકડો સો પર પહોંચે નહીં તેની જવાબદારી કાઁગ્રેસના સભ્યોની છે, તેમણે ગાંધી પરિવારની પાર અને પર જઇને વિચારવું પડશે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—265

દીપક મહેતા|Opinion - Opinion|1 December 2024

મુંબઈના લાખો લોકોને આજે પણ અજવાળું આપતું જમશેદજીનું સપનું 

 જમશેદજી તાતાની હયાતીમાં પૂરું નહિ થયેલું બીજું એક સપનું એવનના પોરિયા દોરાબજીએ પૂરું કીધું અને છેક આજ વેર મુંબઈમાં રહેતા મારા-તમારા જેવા લાખો લોકો એનો લાભ લે છે – વરસના બારે મહિના, અને દહાડાના ચોવીસે કલાક. એ સપનું તે કિયું?

એક વખત બનિયું એવું કે જમશેદજી જબલપુર તરફ સહેલગાહ કરવા ગયા. ત્યાં નર્મદા નદીનો ભેડા ઘાટનો ધોધ એવને જોયો. અને જમશેદજીના મનમાં વીજલીનો ઝબકારો થિયો: ધોધના આય પાનીમાં કેટલી બધી તાકાત છે! એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક પાવર કાંઈ પેદા નહિ થઈ સકે? તાબડતોબ પહોંચ્યા સરકારી દફતરે અને જોઈતી જમીન વેચાતી આપવા અરજ કીધી. પન એ ધોધની આસપાસની જમીન હુતી કોઈ સ્વામીજીની માલિકીની. સરકાર કહે કે તેઓ વેચે તો તમે ખરીદી લો. પણ સામિજી તો કહે કે મારી આ જમીન કબ્બી બી મી કિસીકો ભી દુંગા નહિ. એ વખતે ‘દેશી’ લોકોના ધરમ-કરમની બાબતમાં બને ત્યાં સુધી અંગ્રેજ સરકાર માથું મારતી નહિ. એટલે એ વાત તો ત્યાં અટકી.

જમશેદજીને જે વારે આય વિચાર આવીયો તે વારે આખ્ખી દુનિયામાં કેથે બી હાઈડ્રોલિક પાવર પેદા થતો હૂતો નહિ. એ વખતે જો જમશેદજી તે જગાએ પાવર પ્લાન્ટ નાખી સકિયા હોતે તો એ આખ્ખી દુનિયામાં એવો પહેલવહેલો પ્લાન્ટ બનીયો હુતે. જમશેદજીએ આય વિચાર કીધો તે પછી છ વરસે દુનિયાનો પહેલવહેલો હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ ૧૮૮૨માં અમેરિકાના વિસકોનસીન સ્ટેટમાં ચાલુ થિયો.

ઇજનેર ડેવિડ ગોસલિંગ

થોરા વખત પછી જમશેદજીની નજર તે વખતના પોર્ટુગીઝ ગોવા અને બ્રિટિશ મુંબઈ વચ્ચે આવેલા દૂધસાગર ધોધ પર પરી. અહીં વીજલી પેદા કરવી અને એને તારનાં દોરડાં વરે મુંબઈ લઈ જઈ ત્યાંનાં નાનાં-મોટાં કારખાનાંને વેચવી એવું તેમની વેપારી બુદ્ધિને સૂઝ્યું. જમશેદજીએ ડેવિડ ગોસલિંગ નામના એક જાણકારને રોક્યો. એવને એક કરતાં વધુ વાર દૂધસાગરની સફર કરી. પણ પછી જનાવિયું કે આ જગોએ પાવર પ્લાન્ટ નાખી સકાય એવું નથી. પન મુંબઈથી દૂધસાગર પૂના રસ્તે જતાં આવતાં ગોસ્લીંગની નજર લોનાવાલા નજીકની એકુ જગા પર પરી. સહ્યાદ્રીના ઊંચા ઊંચા ડુંગરોની વચમાં પાવર પ્લાન્ટ નાખી સકાય એવું એવને જણાવ્યું. પણ એકુ મુશ્કેલી હુતી: અહીં પાની તો પુષ્કળ હુતું, પન એવો ધોધ હૂતો નહિ જેનાથી ટર્બાઈન ચલાવી સકાય. આય સમજીને જમશેદજી કહે: ‘આપરે અહી એક મોત્તું પોંડ કહેતાં તલાવ બાંધી પાની ભેગું કરીએ અને પછી મોટ્ટા મોટ્ટા પાઈપ વરે તેને નીચે છોરીએ તો તેનાથી ટર્બાઈન ચાલે કે નહિ? ગોસ્લીંગ કેહે કે ચાલવા તો જોઈએ, પન આજ વેર કોઈએ કેથ્થે બી આવું કામ કીધું નથી છે. જમશેદજીનો જવાબ: તો તો આપરે કરીએ જ જ.

જમશેદજીએ પહેલાં થોરા દોસ્તારોને વાત કરી. પછી બ્રિટિશ અને પોર્ટુગીઝ સરકારો સાથે વાટાઘાટ કરી. પણ બધ્ધેથી એક જ જવાબ: ‘આજ સુધીમાં કોઈએ આવું કીધું નથી એટલે …’ જમશેદજી પહોંચ્યા સીધા સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ હેમિલ્ટન પાસે. એવનની વાત સમજિયા પછી સેક્રેટરી ઓફ સ્ટેટે બોમ્બેના ગવર્નર લોર્ડ નોર્થકોટને પૂછિયું. ગવર્નરે કહ્યું કે જમશેદજીએ ધારિયું હોસે તો કોઈ બી કામ પાર પડશે. એટલે સેક્રેટરી ઓફ સ્ટેટે બી લીલી ઝંડી બતલાવી. પણ એ પછી થોરા જ દહાડામાં ખોદાયજીએ બી જમશેદજીને લીલી ઝંડી બતાવી એટલે એવન વીજલી વેગે ખોદાયજી પાસે પૂગી ગિયા.

મુંબઈના ગવર્નર સિડનહામ

જમશેદજી બેહસ્તનશીન થયા પછી થોરા દહારે બોમ્બેના ગવર્નર બનિયા લોર્ડ સિડનહામ. ગવર્નર બનિયા આગમચ તે ધંધે ઇજનેર હૂતો. એટલે જમશેદજીની દરખાસ્તમાં કેટલું બધું પાની છે તે તરત પામી ગયો. દોરાબજીને બી ચાનક ચરી તે વલવણ અને ખંડાલા ઉપરાંત બીજાં બે તલાવ બી બાંધવાનું નક્કી કીધું. પન આટલું મોટું કામ કંઈ એકલે હાથે થાય નહિ. એટલે બીજા દેશોમાંથી પૈસા ઊછીના લીધા.

૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે મુંબઈના તારદેવ વિસ્તારમાં પહેલવહેલી કોટન મિલ શુરૂ કીધી: ધ બોમ્બે સ્પિનીંગ એન્ડ વીવિંગ કંપની. ૧૮૮૬ સુધીમાં તો મુંબઈમાં પચાસ જેટલી કોટન મિલ્સ ધમધમતી થઈ ગઈ હુતી. પન એ બધી જ ચાલતી કોલસાથી. એ રીત એક તો પરે મોંઘી, અને ચારે બાજુ પોલ્યુશન ફેલાવે. દોરાબજીએ બધી મિલોના માલિકો સાથે વાત કીધી. કોલસાને બદલે વીજલી વાપરવાથી કેટલા અને કેવા કેવા ફાયદા થસે એ બતાવિયું. પન એવનની આ વાત ફક્ત બે જ શેઠના કાનમાંથી દિમાગ સુધી પહોચી – સર ડેવિડ સાસૂન અને સર શાપૂરજી ભરૂચા. બંનેએ કીધું કે અમારી મુંબઈની મિલો માટે બધ્ધી ઈલેક્ટ્રિસીટી અમે તમારી વેરથી લઈશું. એ જ અરસામાં લોર્ડ સિડનહામ શોલાપુર ગિયા હુતા. તેથ્થે એક મિટિંગમાં એવન બોલિયા કે તાતાની આય દરખાસ્ત દેશને માટે ઘન્ની જ ઉપયોગી છે એટલે દેસી લોકોએ બી એમાં પૈસા રોકવા જોઈએ. અને આપરે ગયે અઠવાડિયે જોયેલું એમ મુંબઈમાં લોકોએ વહેલી સવારથી લાઈન લગાડી, ને તાતા પાવર કંપનીના શેર ગરમાગરમ ભજિયાંની જેમ વેચાઈ ગિયા.

તાતા પાવર કંપનીનો પહેલો પ્લાન્ટ

૧૯૧૧ના ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખ. મુંબઈના ગવર્નર નામદાર સર જ્યોર્જ સીડનહામ અને લેડી સીડનહામ લોનાવાલા પૂગિયા. મુંબઈના મોટ્ટા મોટ્ટા અમલદારો, વેપારીઓ, કારખાનાવાલાઓ, કઈ કેટલાયે લોક તે વારે ત્યાં હાજર હુતા. એ બધ્ધાને મુંબઈથી લોનાવાલા પુગડવા માટે બોરી બંદર સ્ટેશનેથી લોનાવાલા સુધી જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેએ બે ખાસ ટ્રેન દોરાવી આવી હુતી. પહેલી ટ્રેન સવારે સાડા નવ વાગે અને બીજી સવા દસ વાગે બોરી બંદરથી રવાના થઈ હુતી. બીજી ટ્રેનમાં નામદાર ગવર્નર અને લેડીસાહેબા હુતાં. બંને ટ્રેનમાં ખાસ રેસ્તોરાં કાર જોડવામાં આવી હુતી અને તેમાંથી મહેમાનોને ચાય-કોફી-નાસ્તો પીરસાતાં હુતાં. અઢી કલાકની ટ્રાવેલ કરિયા પછી મહેમાનો લોનાવાલા પૂગીયા. જ્યાં ઉદ્ઘાટન થવાનું હુતું તે ડેમની જગોએ તેમને લઈ જવા માટે લોનાવાલા સ્ટેશને મોટરોની હાર ખડી હુતી. મહેમાનો લોનાવાલા પુગીયા પછી બપોરનું ભોનું તાજ મહેલ હોટેલે બનાવીને પીરસીયું હુતું. અને એ વેલાએ એ જ હોટેલનું બેન્ડ સંગીતના સુમધુર સૂરો રેલાવી રહ્યું હુતું.

લોનાવલામાં ઉદ્ઘાટન સમારંભ

ઉદ્ઘાટન કાર્યક્રમ માટે મોટ્ટો સુશોભિત શામિયાનો ઊભો કીધો હૂતો. લન્ચ પછી સમારંભ સુરુ થિયો. નામદાર અને લેડી ગવર્નરની સાથે મૈસોરના નામદાર મહારાજા અને લીમડીના નામદાર ઠાકોરસાહેબ બિરાજ્યા હુતા. ભાવનગરના નામદાર મહારાજાએ પોતાના દીવાન સર પ્રભાશંકર પટ્ટનીને મોકલિયા હુતા. બરોડાના મહારાજા નામદાર ગાયકવાડ બી આવવાના હુતા, પન છેલી ઘડીએ કૈક અડચણ આવિયાથી પધારી શક્યા નહિ અને તે માટે દલગીરીનો તાર મોકલીયો હૂતો. સૌથી પેલ્લાં દોરાબજીએ ભાસન કીધું હુતું. માઈક્રોફોન કે લાઉડ સ્પીકર તો હુતાં નહિ, છત્તાં એવનનો અવાજ છેક છેલ્લી રો સુધી સંભલાયો હૂતો.

એ વેળાએ સર દોરાબજી તાતા અને બીજા માનવંતા મહેમાનો જે-જે બોલિયા હુતા તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 30 નવેમ્બર 2024)

Loading

नफरती भाषणों, अल्पसंख्यकों के दानवीकरण का तेजी से बढ़ता ग्राफ

राम पुनियानी|Opinion - Opinion|1 December 2024

राम पुनियानी

आरएसएस-भाजपा और उनसे जुड़े संगठन हर मौके का उपयोग अल्पसंख्यकों के दानवीकरण के लिए करते आए हैं. यद्यपि नफरत फैलाने वाले भाषण देना अपराध है, और उसके लिए सजा का प्रावधान भी है मगर अधिकांश मामलों में दोषियों के खिलाफ कोई कार्यवाही नहीं होती. पिछले एक दशक से एक सांप्रदायिक पार्टी के सत्ता में होने के कारण नफरत-भरी बातें खूब कही जा रही हैं. इससे धार्मिक अल्पसंख्यकों के बारे में आम लोगों में नकारात्मकता का भाव जड़ पकड़ रहा है. व्हाट्सएप समूहों में जिस तरह की बातें होती हैं और आम मानसिकता जैसा बनती जा रही है, उससे ऐसा लगता है कि अल्पसंख्यकों से नफरत करना एकदम सामान्य बात है. इसकी जड़ में है नफरत फैलाने वाला तंत्र, जिसके चलते नकारात्मक सामाजिक धारणाएं विकसित होती हैं और बंधुत्व व सामाजिक सद्भाव की अवधारणाओं – जो भारतीय संविधान के तीन मूलभूत आधारों में से एक हैं – को धक्का पहुँचता है.

कई नए मसले उठाए जा रहे हैं. बल्कि अब बात सिर्फ मसले उठाने तक सीमित नहीं रह गई है. अब तो सीधे कार्यवाही का आव्हान किया जा रहा है. जो बातें कही जा रही हैं वे गलत धारणाओं पर आधारित हैं और सामाजिक विभाजन को और गहरा करती हैं. “हम दो, वो पांच, उनके पच्चीस” और “राहत शिविर बच्चे पैदा करने की फैक्ट्रियां हैं” जैसे नारों और वक्तव्यों में इस तरह की धारणाएं जोड़ दी गईं हैं जैसे मुग़ल बादशाह बाहरी थे, उन्होंने हिन्दुओं के साथ अन्याय किया था, मंदिर तोड़े  थे और तलवार की दम पर इस्लाम फैलाया था. अब यह भी कहा जा रहा है कि मुसलमानों को उनके कपड़ों से पहचाना जा सकता है, कि वे हमारी गौमाता के हत्यारे हैं और यह कि वे लव जिहाद के ज़रिये हमारी लड़कियों और महिलाओं को अपने जाल में फंसा रहे हैं. अब तो जिहाद की पूरी सीरीज बन गई है जिसमें लैंड जिहाद और वोट जिहाद शामिल हैं.

सन 2024 के लोकसभा चुनाव के लिए प्रचार के दौरान मोदी ने नफरत फैलाने वाले भाषण देने में कोई कसर बाकी नहीं छोड़ी. ह्यूमन राइट्स वाच के अनुसार, चुनाव के दौरान मोदी ने नफरत फैलाने वाले 110 भाषण दिए. रिपोर्ट कहती है, “मोदी ने अपने भाषणों में इस्लामोफोबिक (इस्लाम के प्रति डर पैदा करने वाली) बातें कहीं. इसका एक उद्देश्य अपने राजनैतिक विपक्ष पर हमला बोलना था, जिसके बारे में मोदी ने कहा कि वह मुसलमानों के अधिकारों को बढ़ावा देता है. और दूसरा उद्देश्य दुष्प्रचार के द्वारा बहुसंख्यक हिन्दू समुदाय में मुसलमानों के प्रति डर का भाव पैदा करना था.

मोदी के भाषणों का एक और नमूना भी उतना ही डरावना है. मुसलमानों को आरक्षण देने के प्रस्ताव को कांग्रेस द्वारा मुसलमानों का तुष्टीकरण बताते हुआ मोदी ने कहा: “यह भारत के इस्लामीकरण और उसके टुकड़े-टुकड़े करने के घृणित प्रयासों का हिस्सा है. जब यूपीए सरकार सत्ता में आई, तब भी उसने ऐसे ही प्रयास किये थे. चाहे जस्टिस वर्मा समिति की रिपोर्ट हो या सच्चर समिति की. ये सब पिछड़ा वर्गों, अनुसूचित जातियों और अनुसूचित जनजातियों के आरक्षण को लूटने के कांग्रेस के प्रयास थे.”

हाल में झारखण्ड और महाराष्ट्र में हुए विधानसभा चुनावों में नफरत फैलाने वाले भाषणों ने सभी सीमाएं पार कर लीं. भाजपा के हेमंत बिस्वा सरमा के प्रचार का प्रमुख मुद्दा था राज्य में कथित तौर पर मुस्लिम घुसपैठियों का प्रवेश. भाजपा द्वारा जारी एक निहायत ही घिनौने विज्ञापन में दिखाया गया था कि एक बड़ा मुस्लिम परिवार, एक हिन्दू घर पर हल्ला बोल पर उस पर कब्ज़ा जमा रहा है. हम सब जानते हैं कि झारखण्ड की कोई अंतर्राष्ट्रीय सीमा नहीं है. फिर आखिर वे मुसलमान कौन हैं जो हिन्दू घर पर कब्ज़ा कर रहे हैं? अलबत्ता एक नयी चीज़ जो इस बार हुई वह यह थी कि चुनाव आयोग ने उस विज्ञापन को हटाने का आदेश जारी किया. मगर यह वीडियो उसके स्त्रोत (जहाँ से उसे हटा दिया गया) के अतिरिक्त अन्य स्थानों पर तो हो ही सकता है. एक अन्य भड़काऊ प्रचार यह था कि मुसलमान, आदिवासी लड़कियों से शादी कर आदिवासियों की ज़मीनों पर काबिज हो रहे हैं. इस आरोप को साबित करने के लिए कोई आंकड़े उपलब्ध नहीं थे. मगर इससे क्या? लोगों को बांटने का उद्देश्य तो पूरा हो रहा था. नारा यह दिया गया कि मुस्लिम घुसपैठिये, आदिवासियों से उनकी रोटी, बेटी और माटी छीन रहे हैं. और यह वक्तव्य हमारे प्रधानमंत्री का था!

इन चुनावों का मुख्य नारा योगी आदित्यनाथ की भाजपा को भेंट थी.  नारा था “बटेंगे तो कटेंगे”. सन्देश यह था कि हिन्दुओं को एक रहना चाहिए. उनकी बात का समर्थन करने हुए भाजपा के पितृ संगठन आरएसएस के दत्तात्रेय होसबले ने कहा, “महत्वपूर्ण बात यह है कि अगर हिन्दू एक रहेंगे तो यह सबके लिए अच्छा होगा. हिन्दू एकता स्थापित करने की संघ ने शपथ ली है.”

आदित्यनाथ के ‘बटेंगे तो कटेंगे’ के नारे को थोडा संशोधित करते हुए प्रधानमंत्री मोदी ने “एक हैं तो सेफ हैं” का नारा दिया. उनके कहने का मतलब यह था कि हिन्दुओं को अगर अल्पसंख्यकों, जो उनके लिए खतरा हैं, से सुरक्षित रहना है तो उन्हें एक होना होगा.

महाराष्ट्र के मुख्यमंत्री ने लैंड जिहाद और वोट जिहाद की बात की, और अन्य नारों के अलावा, यह भी कहा कि भारत जोड़ो यात्रा में अर्बन नक्सल और अति-वामपंथी लोग शामिल हुए थे.

इस सबके नतीजे में हुए सांप्रदायिक ध्रुवीकरण का मतदान पर जो असर हुआ वह साफ़ दिख रहा है. सामाजिक सोच में बदलाव भी सब देख सकते हैं. व्हाट्सएप समूहों और हिन्दू घरों के ड्राइंगरूमों में इन दिनों होने वाली चर्चा भी इसकी गवाह है.

क्रिस्टोफ़ जैफ़रलॉट एक मेधावी अध्येता हैं, जिन्होंने हिन्दू राष्ट्रवाद के उत्थान का गंभीर और बारीक अध्ययन किया है. उन्होंने मार्च-अप्रैल 2024 में सीएसडीएस द्वारा किए गए अध्ययन को उदृत किया है. इस अध्ययन में हिन्दुओं से मुसलमानों के बारे में उनकी राय पूछी गई थी. अध्ययन से सामने आया कि अधिकांश हिन्दू मानते हैं कि मुसलमान उतने विश्वसनीय नहीं होते जितने कि अन्य लोग होते हैं, उनका तुष्टिकरण हो रहा है, आदि, आदि. इस अध्ययन से पता चलता है कि हमारा समाज, मुसलमानों के बारे में नकारात्मक सोच रखता है. अध्येता शायद हमें यह भी बता सकें कि पिछले कुछ दशकों में यह नकारात्मकता और गहरी, और गंभीर क्यों हुई है.

मजे की बात यह है कि मोदी का दावा है कि वे सांप्रदायिक भाषण नहीं देते. चुनाव प्रचार में उनकी मुस्लिम-विरोधी टिप्पणियों के बारे में पूछे जाने पर मोदी ने पत्रकारों से कहा, “जिस दिन मैं (राजनीति में) हिन्दू-मुस्लिम की बातें करने लगूंगा, उस दिन मैं सार्वजनिक जीवन के लिए अयोग्य हो जाऊँगा. मैं हिन्दू-मुस्लिम कभी नहीं करूंगा. यह मेरा संकल्प है.” कथनी और करनी में कितना अंतर हो सकता है!

हिन्दुओं में व्याप्त गलत धारणाओं के कारण ही देश की फिजा में जहर घुल रहा है. इससे मुसलमान अपने मोहल्लों में सिमट रहे हैं और “दूसरे दर्जे के नागरिक” बनने के करीब पहुँच रहे हैं.

इस विभाजन से कैसे निपटा जाए? हमें एक वैकल्पिक नैरेटिव को लोगों के बीच ले जाना होगा. हमें लोगों को हमारे स्वाधीनता संग्राम के मूल्यों और हमारी साझा और बहुवादी संस्कृति के बारे में बताना होगा. हमें उन्हें बताना होगा कि सभी धर्मों के लोगों ने कंधे से कन्धा मिलाकर आज़ादी की लड़ाई लड़ी थी और उसी लड़ाई के मूल्य हमारे संविधान का हिस्सा हैं.

बुधवार, 27 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 केनेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...552553554555...560570580...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved