Opinion Magazine
Number of visits: 9554856
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુકસ્ટોર પણ સત્તાનો પ્રતિકાર કરી શકે !

રમેશ સવાણી|Opinion - Opinion|24 October 2025

પુસ્તકોની દુકાનો પણ સત્તાની સામે લડી શકે ખરી? કોઈએ આ વિશે ઝાઝું વિચાર્યું હોય એવું લાગતું નથી. અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડીસન શહેરમાં એક નાનકડો બુકસ્ટોર છે. એ લોકો પ્રતિકારનું સાહિત્ય વેચે છે. દેખીતી રીતે જ, યુવાનો એ દુકાનની વાંરવાર મુલાકાતે જતા હોય છે. હું જ્યારે પણ મેડીસીન ગયો છું ત્યારે મેં એ દુકાનમાંથી પુસ્તકો ખરીદ્યાં છે. એ જ રીતે, એ જ શહેરમાં એક ફિમિનિસ્ટ બુકસ્ટોર પણ છે. ખાસો મોટો છે. એ લોકો પિતૃસત્તાક સમાજને પડકારતાં પુસ્તકો વેચે છે. એટલું જ નહીં, ત્યાં દુકાનમાં એ લોકો અવારનવાર feminist લેખકોનાં વાંચન પણ ગોઠવતા હોય છે. 

અમેરિકામાં લગભગ બધા જ કોર્પોરેટ બુકસ્ટોર્સ સત્તાને શરણે જતા હોય છે. એ લોકો અમુક પ્રકારનું સાહિત્ય ન રાખે. અને રાખે તો એ રીતે મૂકી રાખે કે કોઈની નજર પણ ન પડે. પણ, મોટા ભાગના ખાનગી બુકસ્ટોર્સ સત્તાની તરફેણ નથી કરતા. ઘણા ખાનગી બુકસ્ટોર્સ સરકાર વિરોધી સાહિત્યનો એક અલગ વિભાગ રાખતા હોય છે. એમને સરકારની કાંઈ પડી નથી હોતીલ. એમના માટે પુસ્તકો વેચવાં એટલે કે પ્રતિકારની પ્રવૃત્તિ કરવી.

ગઈ કાલે Peddler’s Village જેવા એક નાનકડા ગામમાં ગયેલો. ત્યાં એક નાનો બુકસ્ટોર હતો. એના દરવાજા પર એક બોર્ડ મારેલું હતું : ‘અમે પ્રતિબંધિત પુસ્તકો વેચીએ છીએ’. પુસ્તકો પર સત્તા પ્રતિબંધ મૂકે. પણ, બુકસ્ટોર કહેશે કે અમે તો વેચીશું. અમેરિકામાં ઘણાં પુસ્તકો પર પ્રતિબંધ છે. પણ એ પુસ્તકો વેચવા પર પ્રતિબંધ નથી હોતો. મોટે ભાગે એવાં પુસ્તકો સરકારી પુસ્તકાલયમાં ન જોવા મળે. આ બુકબુસ્ટોરે પોતાની રીતે એનો વિરોધ કર્યો છે.

હું જે કહેવા માગું છું તે એ કે પુસ્તકોની દુકાનો પણ એક ચોક્કસ પ્રકારની વિચારધારા પ્રગટ કરી શકે. એટલું જ નહીં, એ સરકારનો, સત્તાનો પ્રતિકાર પણ કરી શકે. પણ, એવી આવડત હોવી જોઈએ. 

[સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA]
22 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ફિરંગી  આચાર્ય 

સુરેશ જાની|Opinion - Opinion|23 October 2025

પહેલાં એના ફિરંગીપણાની વાત …

લશ્કરના ચબરાક સૈનિકોને ઈજનેરી જ્ઞાન આપતી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર તરીકે ઉત્તીર્ણ થઈને તેણે લશ્કરમાં પાંચ વર્ષ સેવા આપી હતી. પણ ત્યાંની ચીલાચાલુ કામગીરીથી કંટાળીને તેણે ઈજનેરીને તિલાંજલિ આપી દીધી અને શેર માર્કેટમાં સલાહ આપતી  કમ્પનીમાં ઝંપલાવ્યું. પણ ત્યાં ય એના અંતરની આગ ઓલવાતી ન હતી. અઢળક કમાતો હતો અને ઘણાની માન્યતા મળવા છતાં, તેને સુખ તો વેગળું જ લાગ્યા કરતું હતું.

 એટલામાં તેને સંતોષ વેલ્લુરી નામના યોગશિક્ષકનો પરિચય થયો અને તે યોગ શીખવા  લાગ્યો. થોડાક જ વખતમાં સંતોષને આ તરવરિયા વિદ્યાર્થીના અંતરનાં ભૂખ-તરસ વિશે જાણ થઈ ગઈ. તેણે તેને સૂચવ્યું કે, તેની ખરી જરૂરિયાત શારીરિક યોગ નહીં પણ, વેદાન્તનો અભ્યાસ કરવાની છે.

આમ ૨૦૦૪ની સાલમાં તેના માટે વેદાન્તના દ્વાર ફટાબાર ખૂલી ગયા. તેને સંસ્કૃત અને વેદાન્ત શીખવતી શિક્ષિકા પણ મળી ગઈ. ત્રણ વર્ષ આ અભ્યાસના અંતે, ૨૦૦૬ની સાલમાં તે અમેરિકાની મુલાકાતે ગયો. ત્યાં દયાનંદ સરસ્વતીને મળવાનો મોકો મળ્યો. હવે તો તેની અંતરની ભૂખ તેને ભારતમાં ખેંચી ગઈ. તે કોઇમ્બતુરના આર્ષવિદ્યા ગુરુકૂળમાં ભરતી થઈ ગયો.

ત્રણ જ વર્ષ બાદ માદરે વતનમાં પાછા ફરી, તે વેદાન્તનો શિક્ષક બની ગયો. તેણે ઘણા વિદ્યાર્થીઓને આ વિષયોમાં દોરવણી આપી છે. દોઢેક લાખ જેટલા તેના દેશવાસીઓએ તેની પાસે વેદાન્તનું શિક્ષણ લીધું છે. તેણે ઘણાં પુસ્તકો પણ પોતાની ભાષામાં લખ્યાં છે.

કોણ છે આ અલગારી ફિરંગી? લો આ રહ્યો …

બ્રાઝિલના રિયો-ડી-જાનેરો શહેરનો જોનાસ મસેટી હવે તો ભારતમાં ઘણો જાણીતો બની ગયો છે. ૨૦૨૫નો પદ્મશ્રી ઈલ્કાબ પણ તેને એનાયત થયો છે.

https://www.youtube.com/watch?v=E1V3IRXgJT4

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મનની વાત’ના એક મણકામાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. હવે તેનું બીજું એક નામ વિશ્વનાથ પણ છે.

Ref
https://en.wikipedia.org/wiki/Jonas_Masetti

https://theindianeye.com/2020/12/04/meet-jonas-masetti-an-acharya-of-vedanta-and-bhagwat-geeta-from-brazil-who-pm-modi-talked-about-in-his-mann-ki-baat-program/

E.mail : surpad2017@gmail.com

Loading

‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 October 2025

રમેશ સવાણી

વડા પ્રધાન મોદી / ગૃહ મંત્રી અમિત શાહ ‘ઘૂસપેઠિયા’ વિશે બોલે તો સમજવું કે ચૂંટણી સાવ નજીક છે !

આ ‘ઘૂસપેઠિયા’ એટલે કોણ? ભક્તો ‘ઘૂસપેઠિયા’નો શું અર્થ કરે છે? ‘ઘૂસપેઠિયા’ શબ્દ સાંભળતાં જ ભક્તોના માનસમાં કેવાં રાસાયણિક ફેરફારો થાય છે? તે મહત્ત્વનું છે. 1857માં દેશની પ્રથમ આઝાદીની ચળવળમાં અંદાજે 2 લાખ મુસ્લિમો શહીદ થયાં હતા. સ્વાતંત્ર્ય સેનાની અશફાક ઉલ્લાહ ખાનને 19 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી આપવામાં આવેલ. સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા લોકોમાંથી લગભગ 30% મુસ્લિમ હતા. તેમ છતાં ભક્તો તો દેશના બધા મુસ્લિમોને ઘૂસપેઠિયા જ માને છે ! જો કે આસામમાં ઘૂસપેઠિયા હિન્દુ પણ છે. ઘૂસપેઠિયા મ્યાનમાર, નેપાળ અને અન્ય દેશોમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે.

જમીન માર્ગે / જળ માર્ગે / હવાઈ માર્ગે દેશની બોર્ડર ક્રોસ કરીને કોઈ ન આવે તે માટે સુરક્ષા એજન્સી BSF-બોર્ડર સિક્યોરિટી ફોર્સ કેન્દ્ર સરકાર પાસે છે. બોર્ડરનું સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે છે. જો ‘ઘૂસપેઠિયા’ દેશમાં ઘૂસી જતા હોય તો તેની જવાબદારી રાજ્ય સરકારની નથી પણ કેન્દ્ર સરકારની છે. 

દેશમાં એક પણ ઘૂસપેઠિયો ન હોવો જોઈએ. એને દેશમાંથી કાઢીએ મૂકવા 11 વરસનો સમય ઓછો ન કહેવાય.

2024 પહેલા કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા હતા? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? 2014થી 2025 દરમિયાન કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા છે? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? આ વિશે ચોક્કસ આંકડાકીય માહિતી સરકાર જાહેર કરતી નથી !

2004માં, ગૃહ રાજ્ય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કહ્યું હતું કે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 12,053, 950 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસપેઠિયા છે. 2016માં, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ભારતમાં આશરે 20 મિલિયન બાંગ્લાદેશી ઘૂસપેઠિયા ગેરકાયદેસર રીતે રહે છે, જે ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલાં છે. અગાઉ, UPA સરકારે 2004માં 1.2 કરોડનો આંકડો આપ્યો હતો.

રાજ્ય મુજબ જોઈએ તો, પશ્ચિમ બંગાળમાં માન્ય દસ્તાવેજો વિના રહેતા ઘૂસપેઠિયાની સંખ્યા સૌથી વધુ 5.7 મિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. આસામ બીજા ક્રમે છે, આશરે 50 લાખ ઘૂસપેઠિયા છે.

22 ઓગસ્ટ 2025ના રોજ વડા પ્રધાન મોદીએ બિહારમાં કહ્યું હતું કે “દેશમાં ઘૂસપેઠિયાની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. બિહારના સરહદી જિલ્લાઓની વસ્તી વિષયક સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તેથી, NDA સરકારે ઘૂસપેઠિયાને દેશનું ભવિષ્ય નક્કી ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. અમે ઘૂસપેઠિયાને બિહારના યુવાનોની નોકરીઓ છીનવી લેવા દઈશું નહીં. આ ખતરાને પહોંચી વળવા માટે, મેં ડેમોગ્રાફી મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ખૂબ જ ટૂંક સમયમાં તેનું કાર્ય શરૂ કરશે.”

2011માં 6,761 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2012માં 6,537 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2013માં 5,234 ઘૂસપેઠિયાને તેમના દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા 2014માં કુલ 989 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2015માં 474 ઘૂસપેઠિયાને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2016માં 308 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને 2017માં 51 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા ! આ રીતે ‘ઘૂસપેઠિયા’ સામે કામ થાય તો સદીઓ વીતી જશે ! જો ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી છીનવી રહ્યા હોય તો તેમની સામે ગોકળ ગાય કરતાં પણ ધીમી ગતિએ કામ કેમ થઈ રહ્યું છે? શું વડા પ્રધાન / ગૃહમં ત્રીને નેહરુ રોકતા હશે? 

આ ઘૂસપેઠિયાઓને રોજગારી આપે છે કોણ? એ કાંઈ હવા ખાઈને જીવી શકે નહીં ! ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી કઈ રીતે છીનવી શકે? ઘૂસપેઠિયાઓને સસ્તા દરે કામે રાખનાર માલિક તો હિન્દુઓ જ છે ને? ઘૂસપેઠિયાઓ માટે જવાબદાર હિન્દુઓ કહેવાય કે નહીં?

વડા પ્રધાન મોદીજી કહે છે : “ઘુસપેઠ પર તાળું મારવાની NDAની પાક્કી જવાબદારી છે !” તો ગૃહ મંત્રી અમિત શાહ કહે છે : “મારી જવાબદારી છે ભાઈ, એક વખત દેશની સીમા જોઈને આવો. ત્યાંથી ઘૂસપેઠ કોઈ રોકી ન શકે !” આ બેમાંથી કોને સાચા માનવા? મોદીજીએ 11 વરસમાં ઘૂસપેઠિયાની સમસ્યા હલ કરી નથી હજુ ચાર વરસમાં આ સમસ્યા હલ થાય તેવા અણસાર નથી. 

આ ‘ઘૂસપેઠિયા’ મોદીજીને સત્તામાં ટકાવી રાખનાર મહત્ત્વનું પરિબળ છે. ‘ઘૂસપેઠિયા’ વિશે બોલનાર ઓટોમેટિક દેશભક્ત બની જાય છે. એટલે દેશભક્તિનો ‘ડોળ’ મતોનો ધોધમાર વરસાદ આપે છે. ‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે; જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ‘ઘૂસપેઠિયા’ આવે છે અને તે ભા.જ.પ.ને જીતાડીને ચાલ્યા જાય છે !

22 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...54555657...607080...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved