Opinion Magazine
Number of visits: 9964895
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકોને લોકતંત્ર જોઈએ છે, મજબૂત રાજકીય વિકલ્પ જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 December 2020

એક સ્વજને સવાલ કર્યો કે દેશ ફાસીવાદ તરફ આગળ વધી રહ્યો છે અને લોકતંત્રનો અસ્ત થઈ રહ્યો છે, ત્યારે કરવું શું? જેને બીજી જાગીર કહેવાય એ લોકપ્રતિનિધિગૃહોના કામકાજના સમયમાં કાપ મુકવામાં આવી રહ્યો છે કે જેથી શાસકોને ગૃહમાં જવાબ ન આપવો પડે. જેને ત્રીજી જાગીર કહેવાય છે એ ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલતના સ્તરે સુધ્ધાં પાણીમાં બેસી ગયું છે અને જેને ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે એ મીડિયા મહદ્ અંશે વેચાઈ ગયા છે. ચૂંટણીપંચ સહિતની લોકશાહી સંસ્થાઓ તેનો પ્રભાવ ગુમાવી ચૂકી છે. અત્યારે દેશમાં જયપ્રકાશ નારાયણ જેવા કોઈ શ્રદ્ધેય વ્યક્તિ રહ્યા નથી, ત્યારે કરવું શું?

‘ત્યારે કરવું શું?’ એ ટૉલ્સટૉયી સવાલ છે. માત્ર ભારતને આ સવાલ નથી કવરાવતો, જગતના ઘણા દેશોને આ સવાલ કવરાવે છે; ત્યારે કરવું શું? મેં એ મિત્રને પૂછ્યું કે તમારી નજરમાં કોઈ વિકલ્પ છે ખરો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે વિકલ્પ માત્ર રાજકીય જ હોઈ શકે એટલે દેશને અત્યારે રાજકીય વિકલ્પની જરૂર છે. રાજકીય વિકલ્પ એમ તમે જ્યારે કહો છો ત્યારે તેનું સ્વરૂપ શું હોઈ શકે એવા મારા સવાલના જવાબમાં તેમણે કહ્યું, મજબૂત વિરોધ પક્ષ. એ પછી તેમણે કૉંગ્રેસની અત્યારની અવસ્થા વિષે ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે કૉંગ્રેસ પાછી બેઠી થઈ શકે એવી કોઈ શક્યતા ખરી? કૉંગ્રેસ બેઠી ન થાય તો શું? બીજો કોઈ પક્ષ નજરે પડે છે? કોણ ફાસીવાદી શાસનથી આ દેશને બચાવશે?

મેં તેમને કહ્યું કે તમે ભારતના ભવિષ્ય વિષે જેવી ચિંતા ધરાવો છો એવી ચિંતા ધરાવનારા આ દેશમાં ઘણા છે. ઘણા છે એટલે થોડાઘણા નથી, એટલા બધા છે કે તેઓ બહુમતી ધરાવે છે. એ લોકોને સહિયારું ભારત જોઈએ છે. એ લોકોને બંધારણીય શાસન જોઈએ છે. એ લોકોને કાયદાનું રાજ જોઈએ છે. એ લોકોને અંગ્રેજોએ લખેલા ઇતિહાસના આધારે વેર વાળવાની જગ્યાએ ભૌતિક અને માનવીય વિકાસમાં રસ છે. એ લોકોને લોકતંત્ર જોઈએ છે. એ લોકોને નાગરિક સ્વાતંત્ર્ય જોઈએ છે. એ લોકોને પ્રત્યેક સ્ત્રી પુરુષની સમકક્ષ નહીં, પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પૂર્ણ માનવ તરીકે જીવી શકે એમાં રસ છે. એ લોકોને ન્યાયી સમાજ-રચનામાં રસ છે. એ લોકોને છેવાડાના માણસનો હાથ પકડવામાં આવે અને હૂંફ આપવામાં આવે એમાં રસ છે. એ લોકોને આ દેશમાં કોઈને પણ ઓળખના આધારે સતાવવામાં ન આવે એવું ભારત જોઈએ છે. એ લોકોને ભારતનો પ્રત્યેક નાગરિક નિર્ભયતાથી જીવે, નિર્ભયતાથી બોલે અને હક માટે નિર્ભયતાથી લડે એવું ભારત જોઈએ છે. જો કોઈને પોતાનો વિચાર પકડી રાખીને વિરોધી વિચારવાળા સાથે લડવું હોય તો લડવા મળે એવું ભારત એ લોકોને જોઈએ છે. આનું બોલકું ઉદાહરણ તો એ છે કે હિન્દુત્વવાદીઓને હિંદુ ભારત માટે પ્રચાર કરવાની અને લડવાની સ્વતંત્રતા એ લોકોની કલ્પનાના ભારતે આપી હતી.

એ લોકોને ધર્મની મર્યાદા જાળવવામાં આવે એમાં રસ છે. ધર્મની મર્યાદા જાળવવી એટલે દરેક અર્થમાં જાળવવી. આપણે બીજાના ધર્મની મર્યાદા જાળવીએ, આમન્યા રાખીએ. બીજો આપણા ધર્મની મર્યાદા જાળવે. આપણે ધાર્મિકશ્રદ્ધાને અંગત માનીને ધર્મને ઘરની અંદર મર્યાદિત રાખીએ અને ધર્મનો રાજકીય દુરુપયોગ કરવા જેટલી મર્યાદા ન ઓળંગીએ. આવી મર્યાદાનું નામ જ સેકયુલરિઝમ. તો આ દેશમાં બહુમતી ભારતીયો ધર્મની બાબતે આવી મર્યાદા જાળવવી જોઈએ, એમ માને છે.

અહીં ઉપરના બે ફકરામાં જેવા ભારતની કલ્પના કરવામાં આવી છે એને અંગ્રેજીમાં ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સહિયારું ભારત અને ન્યાયી ભારત. વેદોથી લઈને વિનોબા સુધીના મનીષીઓએ આવા ભારતની કલ્પના વિકસાવી છે અને એવા ભારતનો પદાર્થ વિકસાવ્યો છે. સાધારણપણે ઉપલબ્ધ પદાર્થના આધારે સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વિકસતી હોય છે, ભારત જગતનો એક માત્ર એવો અનોખો દેશ છે જેમાં મંગલ કલ્પનાઓએ પદાર્થ વિકસાવ્યો છે. ભારત નામનો મસાલો ભારત નામની કલ્પનાનું પરિણામ છે. ભારતીય સમાજ માનવીય સમાજનો વિરોધી નથી.

તો વાત એમ છે કે આજે પણ ભારતની બહુમતી પ્રજા આવા વિવેકી, સહિયારા અને ન્યાયી ભારતને વરેલી છે જેને હમણાં કહ્યું એમ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સામે જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે એ લોકો લઘુમતીમાં છે. લઘુમતીમાં એટલે ભારતની કુલ લોકસંખ્યામાં વીસ ટકા પણ નહીં હોય. એ લોકોની ખૂબી એ છે કે એ રાજકીય રીતે સંગઠિત છે. બુદ્ધિદરિદ્રતા અને તામસિકતા એટલી તીવ્ર છે કે તેઓ નથી વિચારી શકતા કે નથી વિવેક કરી શકતા. દલીલ કરશો તો સભ્ય હશે તો ચૂપ રહેશે અને જો તામસિકતા તીવ્ર હશે તો ગાળો દેશે અથવા દેશદ્રોહી કે કાઁગ્રેસતરફી જેવાં લેબલ ચોડશે. આનાથી આગળ તેઓ બે વાક્યમાં દલીલ ભલે નહીં કરી શકે, પણ પોતાની જગ્યા તો નહીં જ છોડે. માટે જેને હિંદુ ભારત જોઈએ છે તેમની સાથે દલીલમાં ઊતરવાનો કોઈ અર્થ નથી, એ દીવાલ સામે માથું અફળાવવા જેવું છે. જો મુસલમાનનું બુરું થતું હોય તો પોતાનું ભલે ધનોતપનોત નીકળી જાય એવું વલણ તેઓ ધરાવે છે.

તો વાતનો સાર એ કે આ દેશમાં ૮૦ ટકા નહીં તો કમસેકમ ૬૦ ટકા નાગરિકો એવા છે જેઓ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા છે અને માત્ર ૨૦ ટકા નાગરિકો આઈડિયા ઑફ હિંદુ ઇન્ડિયાને વરેલા છે. તેઓ સંગઠિત છે અને તેમની પાસે તેમનો મજબૂત રાજકીય પક્ષ છે. તેમને શંકા કરતા અને પ્રશ્ન પૂછતા આવડતું નથી, અને એમ નહીં કરવાની તેમને તાલીમ આપવામાં આવી છે. શંકા કરવી અને પ્રશ્ન કરવો એને તેઓ હિંદુદ્રોહ અર્થાત્ દેશદ્રોહ સમજે છે. ભારતીય જનતા પક્ષનું એ પીઠબળ ત્યાં સુધી તૂટવાનું નથી જ્યાં સુધી ફાસીવાદના વિનાશક સ્વરૂપનો તેમને અનુભવ નહીં થાય. સામે પક્ષે મારા મિત્રની પીડા એ વાતની છે કે ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો પાસે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ નથી.

ત્યારે કરવું શું?

આની ચર્ચા આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2020

Loading

ગાંધીના ‘હિંદ સ્વરાજ’માં ગ્રામચેતના

અશ્વિનકુમાર|Gandhiana|31 December 2020


ઈ.સ. ૧૯૦૯માં મો.ક. ગાંધીએ માતૃભાષા ગુજરાતીમાં 'હિંદ સ્વરાજ' લખ્યું. તેમણે તેનો અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન હોમ રુલ' નામે કર્યો. ઈ.સ. ૧૯૧૨માં ગોપાલકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે આ અનુવાદ જોયો. ગોખલેને ગાંધીનું આ લખાણ અણઘડ લાગ્યું. તેમને ગાંધીના આ વિચારો ઉતાવળે બાંધેલા લાગ્યા. ગોખલેએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે, હિંદમાં એક વરસ રહ્યા પછી ગાંધી જાતે જ આ પુસ્તકનો નાશ કરી દેશે. આજે ગોખલે હોત તો તેઓ કબૂલ કરત કે, તેમણે વર્ષો પહેલાં જે પુસ્તકનું ભવિષ્ય ભાખ્યું હતું તે તો ભવિષ્યનું પુસ્તક હતું! એક કાળે 'હિંદ સ્વરાજ' વિશે ગોખલેનો મત હતો કે, "આ મૂરખ માણસની કૃતિ છે." આજના કાળે ગોપાલકૃષ્ણ હોત તો મોહનદાસના 'હિંદ સ્વરાજ' વિશે આપણને કહેત : "મૂરખ, આ માણસની કૃતિ છે!" લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મહાદેવ દેસાઈ પાસે 'હિંદ સ્વરાજ'ની નકલ માગી હતી. લોર્ડ લોધિયને કહ્યું હતું : "ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે." ગાંધીવિચાર અને ગ્રામચેતનાને મૂળથી સમજવા માટે 'હિંદ સ્વરાજ'ને વધુ અને વધુ વખત વાંચવી-પચાવવી પડે એમ છે.


ગ્રામસમાજને માતૃભાષા સાથે એક જ સંબંધ હોય છે : સીધો! 'હિંદ સ્વરાજ'માં ગાંધી સ્વરાજ અંગે માંગણી કરે અને સ્વભાષા અંગે લાગણી વ્યક્ત ન કરે એ કેમ બને? તેઓ લખે છે : "આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત!" (પૃ. ૬૫) હિંદુસ્તાન સેંકડો, હજારો નહીં, પણ લાખો ગામડાંનો બનેલો મુલક છે. આથી, ગાંધી સઘળી પ્રાદેશિક ભાષાઓની ચિંતા કરતાં કહે છે : "મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે.” (પૃ. ૬૬) મો.ક. ગાંધીએ 'હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં લગભગ સોળ વરસનો સંગ અને સાન મેળવી ચૂક્યા હતા. આટલો લાંબો વખત વતનથી દૂર રહેવા છતાં તેમની માતૃભાષામાં ગ્રામીણ સંદર્ભ સચવાયેલો માલૂમ પડે છે. 'હિંદ સ્વરાજ'નાં લખાણમાં વપરાયેલાં કેટલાંક દાખલા-દલીલો, કહેવતો-રૂઢિપ્રયોગોમાં ગ્રામવાસ્તવનું ઠાલું ગૌરવ નહીં, પણ ઠોસ રવ સંભળાય છે. તેની સાબિતી આ રહી : "તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે', એ કહેવત યાદ રાખજો.” (પૃ. ૦૨); "હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે.” (પૃ. ૦૬); "મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તળિયે જઈએ.” (પૃ. ૪૮)

ગાંધી ખેતીના કામને ખાવાના ખેલ નથી માનતા! તેમનું એ મતલબનું માનવું છે કે, નિર્ભયતાનું પ્રમાણ આપવું એટલે ખેતરમાં પથારી કરવી! ગાંધી દૃઢપણે કહે છે : "જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેઓનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે, ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો.” (પૃ. ૨૩) ગાંધીના મતે હિંદુસ્તાનની ઓળખ એટલે ખેતીનો મુલક. ગાંધી હિંદુસ્તાનની ખેતીની વાત કરે અને ગાયનો મહિમા ન ગાય એ કેમ બની શકે? તેઓ કહે છે : "હું પોતે ગાયને પૂજું છું, એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે.” (પૃ. ૨૯) જો કે, ગાંધી કૃષિ અને ગોપાલનની ચર્ચામાં છેવટે તો એકતા અને અહિંસાને જ વધારે ગુણ આપે છે.

પૂર્વજોએ બાંધેલી હદનો ઉલ્લેખ કરતાં, ગાંધી ગામની વાત આ રીતે કહે છે : "તેઓએ વિચાર્યું કે મોટાં

શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.” (પૃ. ૩૯) 'ગામ'ની સાથે-સાથે 'આમ'ની વાત કરતાં તેઓ કહે છે : “આમ (સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું." (પૃ. ૪૦) 'શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું?' એવો સવાલ પૂછનાર વાચકને અધિપતિ જવાબ આપે છે : "તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેટલા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન તે કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.” (પૃ. ૫૮) આવું કહીને ગાંધી દેશનાં લાખો ગામડાંમાં વસતા કરોડો ખેડૂતોને દેશનું ચાલકબળ ગણાવીને ગ્રામચેતના પ્રગટાવે છે. આના અનુસંધાનમાં એક ગામનું ઉદાહરણ આપીને તેઓ સત્યાગ્રહ અને સ્વરાજને સાંકળતાં કહે છે : "મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈયતની માફી માંગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે. પણ તે મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે.” (પૃ. ૫૮-૫૯)


મો.ક. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રસ્કિનના 'અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકના વાચન-ચિંતન-મનનના પગલે પ્રગટાવેલા 'સર્વોદય'ના સિદ્ધાંતોને, 'હિંદ સ્વરાજ'ની ગ્રામ-ચેતનાના પૂર્વ સંદર્ભે ખાસ યાદ કરવા જેવા છે. તેઓ 'સત્યના પ્રયોગો'માં લખે છે : " 'સર્વોદય'ના સિદ્ધાંતો હું આમ સમજ્યો : (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (૨) વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. (૩) સાદું મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.” (ગાંધી, ૨૦૦૯, પૃ. ૨૭૫-૨૭૬) 'હિંદ સ્વરાજ'ના જન્મ આસપાસનાં વર્ષોમાં ગાંધીએ ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડી થકી ગ્રામજીવન શૈલીનો ડિલથી અને દિલથી સ્વીકાર કરી લીધો છે. આથી, ગાંધીના 'હિંદ સ્વરાજ'ની મૂલવણી કરતાં એક વ્યાખ્યાનમાં, સમાજ-રાજનીતિશાસ્ત્રી આદિત્ય નિગમ કહે છે : "It is worth bearing in mind that when he wrote Hind Swaraj, Gandhi, far removed for the world of politics in India, had already set the stage for this life-long drama. Reading John Ruskin's Unto This Last on an overnight train journey, his imagination had been so fired that he had decided to "change my life in accordance with the ideals of that book". The Phoenix Settlement that emerged as a result, in 1904, was an agricultural settlement, which was to be followed in 1910 by the Tolstoy Farm on a much larger area of land. These farms or settlements were meant to instantiate and preserve a way of life that Gandhi, like his soul-mates Ruskin and Tolstoy, saw to be under threat from modern civilization.” (Nigam, 2010, p. 18-19)

ગાંધીજી બળદગાડાનાં પૈડાં અને ચરખાનાં ચક્રોને ગતિમાં રાખવાનું કહે એટલે દુનિયાનો વિકાસ અટકી પડે? આધુનિક સુધારાની ટીકાઓની સમીક્ષા કરતાં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ નોંધે છે : "આધુનિક ઉદ્યોગો અને યંત્રો અંગેના ગાંધીના વિચારો વિશે મોટા પ્રમાણમાં ગેરસમજ થઈ છે. ગાંધીજી શું બળદગાડાં અને ચરખાની પ્રાચીન ટેક્નોલોજીને વળગી રહેવા માગતા હતા? તેમને શું દેશના ઉદ્યોગીકરણનો વિરોધ હતો? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ઉદ્યોગીકરણ અંગેની ગાંધીજીની દૃષ્ટિને સમજવી જરૂરી છે. ડેનિયલ હેમિલ્ટન પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે, "ઉદ્યોગીકરણના આધુનિક અર્થમાં ભારતને ઉદ્યોગીકરણની જરૂર નથી." પશ્ચિમમાં જે ઉદ્યોગીકરણ થયું તેમાં મૂડીપતિઓ અને મજૂરો એવા બે વિભાગોમાં સમાજ વહેંચાઈ ગયો હતો, કારણ કે યંત્રો વગેરે ઉત્પાદનનાં ભૌતિક સાધનો એટલાં મોટાં અને કીમતી બની ગયાં કે જેથી કામદારો તેના માલિક બનીને સ્વતંત્ર રીતે ઉત્પાદન ન કરી શકે. આ યંત્રોની માલિકી મૂડીપતિઓના નાના વર્ગ પાસે આવી ગઈ અને કામદારો રોજગારી માટે લાચારીની સ્થિતિમાં આવી ગયા." (શાહ, ૨૦૦૮, પૃ. ૨૮) આધુનિક સુધારની એક લાક્ષણિકતા ઉત્પાદન પદ્ધતિમાં આવેલ પરિવર્તન છે એવું કહીને ત્રિદીપ સુહૃદ નોંધે છે : ".. કૃષિ ઉદ્યોગ બને છે, તેમાં શરીર શ્રમનું યોગદાન ઘટે છે અને યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે. સાથે જ ઉત્પાદનમાં વૃદ્ધિથી મૂડીનો સંચય થાય છે. મૂડી સંચય વિના કૃષિથી કારખાનાંની મજલ કાપી શકાય નહીં. આધુનિક સુધારમાં શ્રમ અને મૂડી વચ્ચેનાં સમીકરણ બદલાય છે; મૂડીનો પ્રકાર બદલાય છે. જમીન અને શ્રમશક્તિ કરતાં મૂડી સંચયને પ્રાધાન્ય મળે છે અને મૂડીપતિ જે ઉત્પાદનનાં સાધનો અને શ્રમ ખરીદી શકે છે તેને અન્યના શ્રમનો લાભ મળે છે. સાથે, ઉત્પાદનના સ્થળમાં પણ ફેરબદલ આવે છે. શ્રમ કારખાનાંઓમાં એકત્રિત થાય છે અને ત્યાં શ્રમ વિક્રય થાય છે. .." (સુહૃદ, ૨૦૦૮, પૃ. ૭૯)


પ્રાચીન હિંદ અને ગ્રામીણ સંસ્કૃતિ સારુ ગાંધીજીએ 'હિંદ સ્વરાજ'માં રજૂ કરેલા વિચારો અંગે રમણ મોદી કહે છે : "પ્રાચીન હિંદના ઋષિમુનિઓએ તિતિક્ષાપૂર્વક ખીલવેલી પરાવિદ્યાને અને નિપજાવેલી હિંદની સંસ્કૃતિને લક્ષમાં લઈ ગાંધીજીએ કહ્યું : "રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરિયા(ઇજિપ્ત)ની બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તો પણ હિન્દુસ્તાન હજુ તળિયે મજબૂત છે." અહીં એમની પ્રબળ દેશભક્તિ દૃષ્ટિએ પડે છે, અને હૃદયમાંથી આવતી વાણીનું બળ અહીં દેખાય છે. શહેરી સભ્યતા અને સુધારા કરતાં વધારે ચિરંજીવી એવી ગ્રામસંસ્કૃતિની ભવ્યતા સમજાવતું ઋષિઓનું આર્ષદર્શન રજૂ કરતાં કહ્યું : "આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે. તેમાં જ તંદુરસ્તી છે.”" (મોદી, ૨૦૦૭, પૃ. ૭૯) અહિંસક સમાજરચનાની દિશામાં ગ્રામસ્વરાજ અંગેનું બીજ રૂપ ચિંતન આપણને 'હિંદ સ્વરાજ'માં મળે છે, એવું સ્પષ્ટપણે માનનાર કાંતિ શાહનો મત આ મુજબ છે : "આજે અહિંસક સમાજ-રચનાની આછી-પાતળી રૂપરેખા આપણી સામે આવી છે. ગાંધીએ બહુ પહેલાં એ વાત સમજી લીધી હતી કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણનો રસ્તો ખૂલી જશે તથા કેન્દ્રિત સત્તા ને કેન્દ્રિત સંપત્તિ આખી માનવજાતને પોતાની ગુલામ બનાવી લેશે. એટલા માટે જ એમણે ગ્રામસ્વરાજનો અને વિકેન્દ્રીકરણનો વિચાર મૂક્યો. એમણે કહ્યું કે ભારતે જો પોતાનો વિકાસ અહિંસાની અર્થાત અ-શોષણની અને ન્યાયની દિશામાં કરવો હશે, તો તેણે ઘણીખરી ચીજોનું વિકેન્દ્રીકરણ કરવું પડશે. તેને બદલે જો કેન્દ્રીકરણ કરવામાં આવશે, તો તેને કાયમ રાખવા માટે અને તેની રક્ષા કરવા માટે હિંસાનો આશરો લેવો અનિવાર્ય બની જશે. અહિંસક સમાજરચના સ્વાવલંબી અને સ્વાશ્રયી ગામોના આધાર પર જ ઊભી કરી શકાય.” (શાહ, ૨૦૦૮, પૃ. ૨૦૭) કાંતિ શાહ 'હિંદ સ્વરાજ'ને 'સર્વોદયનું ઘોષણાપત્ર' કહે છે, એ કેટલું સચોટ અને સૂચક છે!


સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ, 'ચેતના' એટલે (૧) ચૈતન્ય; જીવનશક્તિ અને (૨) સમજશક્તિ. આ અર્થમાં આંખો ઝીણી કરીને ભાળીએ તો, 'હિંદ સ્વરાજ'માં ગાંધી જગ-જડતા સામે ગ્રામચેતના પ્રગટાવે છે. શરીરશ્રમ ભલે શહેરની શરમ હોય પણ ગામનો ધરમ હોય છે. ગાંધીના મતે પરસેવાનું એક જ કરમ હોઈ શકે : વહેતા રહેવાનું! આથી, તેઓ ભારપૂર્વક કહે છે : "હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.” (પૃ. ૩૯) ગાંધીની ચિંતા 'આધુનિક સુધારા' સામે છે. તેમના મતે આ 'સુધારો' નહીં પણ 'કુધારો' છે. જે મુખ્યત્વે ગ્રામજગતનું ધનોત-પનોત કાઢી નાખવા પૂરતો સક્ષમ છે. ગાંધીનો વિરોધ યંત્રો સામે નહીં પણ યંત્રોની ઘેલછા સામે છે. ગામનું છત્ર, સત્ર અને તંત્ર વેરણ-છેરણ કરી નાખવું એ યંત્રની ટોળકીનો એક જ મંત્ર હોઈ શકે. ગામજનો હાથ-પગ હલાવતાં બંધ થાય એટલે છેવટે એમના હાથ-પગ તોડી શકાય! ગાંધીના 'હિંદ સ્વરાજ'ની ગ્રામચેતનામાં સંસ્કૃતિ અને સમભાવ, સ્વદેશી અને સ્વરાજ, સત્યાગ્રહ અને સર્વોદય સમાયેલાં છે. 'આર્યન પાથ' નામના અંગ્રેજી માસિકના સપ્ટેમ્બર, ૧૯૩૮માં પ્રગટ થયેલા 'હિંદ સ્વરાજ અંક' માટે મોકલેલા સંદેશામાં ગાંધીજી લખે છે: "વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો." આજે ભારતનાં મોટાં ભાગનાં ગામડાં ગૂમડાં બની રહ્યાં છે ત્યારે, ગાંધીએ 'હિંદ સ્વરાજ' થકી પ્રગટાવેલી ગ્રામચેતનાથી સાચું ગ્રામ સ્વરાજ આવશે. અને એ રસ્તે આગળ ચાલવાથી ખરેખર હિંદ સ્વરાજ થશે.


ભારત ગામડાંમાં વસે છે, શ્વસે છે. જો કે, સમાચારપત્રો, સામયિકો, પુસ્તકો જેવાં મુદ્રિત; રેડિયો, ટેલીવિઝન, સિનેમા જેવાં દૃશ્ય-શ્રાવ્ય; ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ જેવાં નૂતન માધ્યમોની ભરમાર છતાં ગ્રામીણ સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ જોઈએ તેવું ઝિલાતું નથી. કૃષિ અને પશુપાલન સામે ઉદ્યોગોનું દબાણ, ખેતીલાયક જમીન અને ગોચરમાં ઘટાડો, મોસમમાં આવતાં અકલ્પનીય પરિવર્તનો, રાસાયણિક ખાતરોનું ભયજનક પ્રમાણ, બિયારણમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇજારાશાહી, સિંચાઈ જળની અગવડ, ખેતપેદાશોના વેચાણ માટે પ્રતિકૂળ બજાર-વ્યવસ્થા, ખેડૂતોની વધતી જતી આત્મહત્યા, સંકોચાતી ગ્રામીણ બોલીઓ-ભાષાઓ, ગ્રામીણ સંસ્કૃતિ ઉપર શહેરીકરણનું આક્રમણ, જેવા અનેક સવાલો મોઢું ફાડીને ઊભા છે. આથી, આપણાં સાહિત્ય અને પત્રકારત્વમાં ગ્રામીણ ધબકાર સંભળાય એ અપેક્ષિત છે. આ સંજોગોમાં ગ્રામચેતના સંદર્ભે ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ સદાકાળ સાંપ્રત અને પ્રસ્તુત જણાય છે.

……………………………………………………………………………………………………………..

સંદર્ભ-સૂચિ



ગાંધી, મોહનદાસ કરમચંદ (૨૦૦૮). હિંદ સ્વરાજ (પહેલી આવૃત્તિ, ૧૯૨૨; પુનર્મુદ્રણ, ૨૦૦૮). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


ગાંધી, મોહનદાસ કરમચંદ (૨૦૦૯). સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પહેલી આવૃત્તિ, ૧૯૨૭; પુનર્મુદ્રણ, ૨૦૦૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


મોદી, રમણ (૨૦૦૭). ગાંધીજીનું સાહિત્ય (પહેલી આવૃત્તિ, ૧૯૭૧; પુનર્મુદ્રણ, ૨૦૦૭). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


શાહ, કાંતિ (૨૦૦૮). 'હિંદ સ્વરાજ’: એક અધ્યયન (પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭; બીજી આવૃત્તિ, ૨૦૦૮). વડોદરા : યજ્ઞ પ્રકાશન સમિતિ.


શાહ, રમેશ બી. (૨૦૦૮). હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ.

સુહૃદ, ત્રિદીપ (૨૦૦૮). હિંદ સ્વરાજ્ય વિશે. વડોદરા : પૂર્વ પ્રકાશ.

Nigam, Aditya (2010). Gandhi – the 'Angel of History’: Reading Hind Swaraj Today. Ahmedabad: Gujarat Vidyapeeth.

……………………………………………………………………………………………………………..


સૌજન્ય : 'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર) વર્ષ : ૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦

e.mail : ashwinkumar.phd@gmail.com

Loading

Extra-ordinary tales of the ordinary

Tushar Bhatt|English Bazaar Patrika - Sketches|29 December 2020

FROM ARCHIVES

Usha Shukla, a young school teacher in Ahmedabad, stood stunned. In her 30s, she was already a principal, a position that pupils regard as next only to the Almighty.

Less than an hour earlier,she had slapped an 8th Standard girl soundly on the face for not doing home work in the mathematics in a proper notebook. Mota Ben, as lady principals are respectfully called in Gujarat , are often stricter than the male of the species.

The teacher had felt pleased with herself in punishing the erring student who had not uttered a single word in self-defence. Usha was petrified. There was something missing and she felt inadequate to pinpoint it.It made her task all the more tough.

The frail pupil was clad in simple clothes,probably bought from a second-hand clothes vendor on a city foothpath . Middle class young teachers like Usha often realise it belatedly that keeping quiet in such situations did not mean that the student had nothing to say. It could mean more often that the pupil was helpless.

Usha finished the class and made her way to principal’s office,feeling euphoric and believing she has instilled fear of God in pupils Yet,an explicable uneasiness underlined the experience.

As she settled in her swivel chair, the school throne of power, the erring girl asked from the door way meekly :”May I have a word with you, Motaben?”

Curtly,the teahcer replied: “ Yes, what is it ? What the tiny girl had to stay left Usha contrite with remorse.

God has forgotten to give many things to teachers, but He has supplied them in abundance with the ability to empathise with the pupil .

The girl began softly, meekly and yet with a dignity the Almight gave the down-trodden to survive in the cruel world. However bad tempered they are, eventually teachers are also children of the Muse of Knowledge. The dictator in the teacher gave way to Saraswati as words rolled out of the distraught pupil.

“Ben, I have not prepared notebook for home work in not only the mathematics but no subject at all. I got second-hand books from a friend,but I cannot get notebooks. My parents are labourers who go out in the morning for work. The kitchen has nothing to cook so we come to study without food.There will be no food in the night too if the parents did not get any work.”Till I get a scholarship, there is no way to obtain notebooks.I know this is bad.”

She said in even tone that exploded on Usha like at atomic device. ” You can beat me every day, in every period and I will neither cry in the class nor stop coming to school.”

Despite brave words,tear rolled down her emaciated cheeks.

Usha Shukla was devastated by the impact. “Oh, my God. How could I be such an idiot? What kind of a taecher am I ? Am I a teacher? What a shame that I did not know about her plight? “

Instead of slapping the young student,she should have slapped herself, Usha thought furiouslylf. Who would think of her as anything but a snob?

As she remonstrated with herself, the pricipalalmost choked on her tears.Then,she decided to act.

She later told a jury of eminent citizens,led by retired chief justice of Gujarat High Court, B J Diwan who adjudged her best suited for an excellence award by the Eklavya Foundation: ” I decided to educate myself.I was nothing but a romantic dreamer.My colleagues said that there were a number of children in our school itself in similar predicament.”

Usha told them: ”Come what may, we will make a beginning. “ The girl who was a victim of Usha’s wrath, was provided with not only notebooks, but everything a pupil needed. Usha and her colleagues got extra lunch boxes from their homes which will be left in a room so that the needy could quietly go and eat,without anyone knowing and hurting their self-esteem.

For the middle class teachers this was not an easy effort. In the days of steady income and spiralling prices, it requires a Herculean effort to meet both the end meet.

If God had created everthing , He should also be accountable for everything. The Brave Motherly Hearts decided never to donate money hereafter to temples, mosques, gurudwaras,churches..every placewhere a cash box for His acolytes ‘ sustenace is found. Not happy with the way He performed his job, the teachers replaced Him with school children.In the entire existence there was nothing holier that children.

Sceptics may argue that despite such kodiyan(earthen lamps) burning themselves out the darkness in our education system continued.It was as if there was darkness at noon.But,there are some Good Samaritans contnue to furrow their lone plough, and support innovative Gurus. Every year since 1997, Eklavya gives several awards for excellence in education.For more two decades, teachers from Ahmedabad and Gandhinagar districts in Gujarat have been given these awards. Usha got it in 1998.

Said Sunil Handa,chairman of the trust,”we are trying to identify the finest,most hard-working and steadfast teachers who have made a significant diference in the lives of their pupils.” It was the jury’s job to find such teachers.

The battle-hardened jury was deeply moved by the extra- ordinariness of the ordinary, when Usha narrated the simple tale.She and her colleagues were without power ot means to bring about a massive change in India.However,they were honest teachers. Everything they attempted did not mean necessarily a success. They had not been able to prevent young girls dropping out when they reached marriageable age.The parents would not want their daughter to have a lot of education so that there would be out-qualidied their spouses.For years now, girls have been forging ahead while the boys fared poorly in ssc and other competitive exqminations.

Handa was aware that piecemeal efforts were not enough. " We need a large number of grassroot level teachers who make a difference. “

Since 1997, 13 annual awards have been given on September 5, Teachers Day. Every year award winning Gurus narrate their life story and experiences.Then,in 2009, a journalist,Neerja Choudhary, was the chief guest at the award ceremony. She heard a veteran teacher,Perin Lalkaka describe her life . The story-teller in the scribe sprang into action. In her speech, Neerja,suggested experiences of the award winners should be brought out in an anthology.

Handa and his colleagues took to the suggestion and a bilingual book, in Gujarati and English, Aviram Athak ( Joyful Path,Tireless Walk) comprising of life stories in 36 walks down the memory lane is the end-result. The 168-page volume ,priced at Rs.100 a copy. was released in 2010.Its charm lies in togetherness of daily-life experiences, tunring into an extra-ordinary boquet of tributes to the mission of teaching. Alone or together, they would not bag a Nobel prize for literature.

It will, however, bring home what ordinary citizens can do if they are are committed to a cause.A concerned and impressed parent neatly summed up: “No literary masterpiece has changed the world. But education has and will do so forever. Needed are committed teachers and a sensitive society.” We need good primary and secondary teachers. A Nobel prize can wait. A Gujarati idom says it all neatly:” Tipe Tipe Sarovar Bharay.” What is a lake of water but joining together of a vast number of drops of water?

[courtesy ; L.K. Sharma}

Loading

...102030...2,1582,1592,1602,161...2,1702,1802,190...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved