જૂની માનવતાની યાદ અપાવે છે આ કોરોના
માણસને માણસથી દૂર ભગાવે છે આ કોરોના
કેટલાક ભૂખ્યા છે ને કેટલાક ઘરવિહોણા,
ને કેટલાકને વતનની રાહ બતાવે છે આ કોરોના
ઘણા દાતા, દાનવીર ને સેવકો છે મેદાને,
તો ઘણાને ભ્રષ્ટ પણ બનાવે છે આ કોરોના
પોલીસ, ડોકટર ને સફાઈકર્મી પણ છે સેવારત,
છતાં તેમને પણ રોજ સતાવે છે આ કોરોના
ચાહવા છતાં પણ નથી ચાહી શકતા પરિવારને,
કેવો આ સેવાનો ભેખ ધરાવે છે આ કોરોના
તમે જ ખુદ તમારા ઉદ્ધારક છો દોસ્તો,
ઘરમાં જે રહે છે તેને જ બચાવે છે આ કોરોના
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020
![]()


પ્રાણીચિકિત્સા(વેટરિનરી)માં માસ્ટર્સના અભ્યાસ માટે હું થોડા મહિના પહેલાં આસામ આવી, ત્યારે મને ખ્યાલ નહીં કે માનવજાત માટે સદીની સૌથી મોટી આફત ગણાવાયેલા કોવિડ-૧૯નો સામનો મારે ઘરેથી દૂર રહીને કરવાનો આવશે. છેલ્લા દોઢેક મહિનાથી હું દેશના એક ખૂણે ગૌહત્તીમાં આવેલી મારી હૉસ્ટેલના રૂમમાં સહીસલામત બેઠી છું. સલામત જ વળી. કેમ કે, ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતમાંથી ચાર રાજ્યો કોવિડ-૧૯ મુક્ત છે—અને કેમ ન હોય? કાતિલ સચ્ચાઈ ધરાવતી એક ટિપ્પણી વાંચી હતીઃ ‘બાકીના દેશે તો ઇશાન ભારત સાથે પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું?’
ભાવનગર અને વડોદરામાં અભ્યાસ દરમિયાન સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેવો, ટૂંકા સમય માટે જેલવાસ પણ ભોગવવો જેવા અનુભવોથી ઘડાયેલા તે પેઢીનાં કુંદનિકાબહેન આજની પેઢી કરતાં ય ઘણું આગળનું વિચારતા. તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ પણ કર્યો. ‘નવનીત'નાં સંપાદનનું સુકાન તેમણે 1962થી 1980 અને તે પહેલાં ‘યાત્રિક’નું સંપાદન 1955થી 1957 સુધી સંભાળ્યું હતું.