કાગડો ને કોયલ ને મોરલો ને શ્વાન
બધા આવી ગયા છે કાંઈ ગેલમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
હાલતાં ને ચાલતાં ડફણાં મારે
ના બેસવા દે ક્યાંયે નિરાંતે
એને તે દઈ જાણે શું રે થયું
એ તો પુરાયો પોતાની જાતે
ઝૂંપડી હતી એ ઝૂંપડી મહીં,
ને મહેલ હતો એ મહેલમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
માણસની પહેલાં જે ધરતી હતી
એની યાદ થઈ આંખોમાં તાજી
અમે કદી એવું ધાર્યું નહોતું
કે પલટાશે એક દિવસ બાજી
પાંજરાનો પોપટ કાંઈ ખંધુ હસે છે,
ને નદીઓ પડી છે જે ડેમમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
જોયો ને કુદરતનો વળતો જવાબ
પડવા ગયો તો એની સામે
આખી ધરા એના બાપની ના હો
જાણે કરવી હો પોતાને નામે
બેટા એ બેટા ને બાપ એ બાપ,
નહિ ફાવી શકીશ કદી ખેલમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020
![]()



ભારતમાં શીતળા માતાને ઓરી-અછબડા, ફોડલાની દેવી કહેવાય છે. ભારતમાં ૨૦૦ વર્ષ સુધી ઓરી-અછબડાની બીમારી રહી હતી. (૧૯૮૦માં વિશ્વ આરોગ્ય સંગઠને પૃથ્વી પરથી તેની સંપૂર્ણ નાબૂદીની જાહેરાત કરી હતી). એ ચેપી રોગ હતો, અને તેમાં બાળકોની ચામડી બળતી હતી અને ગરમ ફોડલા થતા હતા. રોગની કોઈ વૈજ્ઞાનિક સમજ ન હતી, એટલે તેને દેવી માતાનો પ્રકોપ માનવામાં આવતો હતો, અને દેવીને પ્રાર્થના કરવાથી શરીર ઠંડું થાય છે, તેવી માન્યતાથી રોગનું નામ શીતળાનો રોગ અને તેનો ઉપચાર કરાવનાર દેવીનું નામ (શીતળ પરથી) શીતળા માતા રાખવામાં આવ્યું હતું. સ્કંધપુરાણમાં હાથમાં લોટો, પંખો અને ઝાડું ધારણ કરીને ગદર્ભ પર બિરાજમાન દેવી તરીકે શીતળા માતાની કલ્પના કરવામાં આવી છે.
બીજી અને છઠ્ઠી સદીની વચ્ચે. રોમન સામ્રાજ્યમાં અનેક મહામારીઓ ફેલાઈ હતી. ઇસુ પૂર્વે ૧૬૫થી ૧૮૦ વચ્ચે અને ૫૪૧થી ૫૪૨ વચ્ચે યુરોપ અને એશિયામાં પ્લેગનો રોગ પ્રસર્યો હતો. પહેલામાં ૫૦ લાખ લોકો અને બીજામાં ૫ કરોડ લોકો માર્યા ગયા હતા. એમાંથી ભારતમાં દક્ષિણ એશિયાની પહેલી દેવી ‘હરીતી’નો ‘જન્મ’ થયો હતો. પ્રથમ સદીમાં આજના પેશાવરની આસપાસનો વિસ્તાર ગાંધાર કહેવાતો હતો (મહાભારતમાં જેના રાજા શકુની હતા. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી આ પ્રદેશની હતી), અને ત્યાં બૌદ્ધ પરંપરામાં ‘હરીતી’ની પૂજા શરૂ થઇ હતી. તે રાક્ષસી હતી અને નવજાત શિશુઓને ઉઠાવી જઈને તેમને ખાઈ જતી હતી. બુદ્ધે તેની ભ્રષ્ટ મતિને ઠીક કરી, પછી હરીતી ઓરી-અછબડાથી શિશુઓનું રક્ષણ કરનારી દેવી બની ગઈ.