કોરોનાએ સરજેલી જીવનપીડા બેજોડ છે. ઘરના એકાન્તમાં —
* સ્વજનના મૉતથી એકલાં પડી ગયેલાં કેટલાં ય એક અનોખી એકલતા સહી રહ્યાં છે.
* પ્રિયજનના વિરહથી એકલાં પડી ગયેલાં કેટલાં ય એક વિચિત્ર એકલતા સહી રહ્યાં છે. ચોપાસ દુ:ખદર્દ છે. કોઈ ઇલાજ હાથવગો નથી.
ત્યારે મને જર્મન કવિ રિલ્કેના આ શબ્દો પાસે જવાનું ગમે છે :
“તારા એકાન્તને ભેટ ને એને વ્હાલ કર.
એથી જનમતા દર્દને વેઠી લે.
ને ગાઈ જો એની જોડે જોશમાં.
કેમ કે તારી નજદીક હતાં તે હવે દૂર છે … ”
— રિલ્કે
(September 20, 2020: Ahmedabad)