Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9379719
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓમ બિરલાનાં આંસુ મગરનાં આંસુ હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2023

રમેશ ઓઝા

રાહુલ ગાંધીની અપીલ પર ચૂકાદો આપતા સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોએ સુરતની ટ્રાયલ કોર્ટના જજને અને ગુજરાતની વડી અદાલતના જજને એક સરખો સવાલ પૂછ્યો હતો કે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને કાયદાપોથીમાં બતાવેલી પૂરેપૂરી (એક દિવસ પણ ઓછો નહીં) બે વરસની સજા કરવાનું શું કારણ? ન્યાયાધીશોને એટલી તો જાણ હશે જ કે સજા જ્યારે પ્રમાણબહાર કરાવામાં આવે ત્યારે એટલી સજા કરવા પાછળનાં કારણ આપવામાં આવે છે.

ન્યાયશાસ્ત્રમાં આને રૂલ ઓફ પ્રોપોર્શન કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિને જજ તરીકે નિયુક્ત કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં આ પ્રમાણસરની સજાનો સિદ્ધાંત શીખવાડવામાં આવે છે. જેવો અને જેટલો ગુનો એટલી સજા. કાયદાપોથીમાં બતાવેલી વધુમાં વધુ સજા કરવી જરૂરી નથી હોતી અને કરવામાં આવતી પણ નથી. લોકોની અંદર ડારો પેદા કરવા માટે કાયદામાં વધુમાં વધુ સજા કરવાની જોગવાઈ હોય છે, પણ આપવા માટે નથી હોતી અને જો આપવી જરૂરી લાગે તો તેની પાછળનાં કારણો આપવાં જરૂરી છે.

બને ત્યાં સુધી ઓછામાં ઓછી સજા કરવાની જજો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. હા, ગુનેગારે એકનો એક ગુનો વારંવાર કર્યો હોય, ચેતવણીની અવગણના કરતો હોય, જેલમાં કેદીઓ માટેની શિસ્ત તોડી હોય અને પોલીસ પાસે ગુનેગારનો એ રીતનો ઇતિહાસ હોય તો જજ ખાસ સ્થિતિમાં સજા વધારે છે અને વધારતી વખતે ઉપર કહ્યાં હોય એવાં કારણો આપે છે.

રાહુલ ગાંધીની બાબતમાં આ વાત લાગુ થાય છે ખરી? તેઓ શું રીઢા ગુનેગાર છે? અને જો આવી કોઈ વાત રાહુલ ગાંધીની બાબતમાં જોવા નથી મળતી તો શા માટે કાયદામાં બતાવેલી વધુમાં વધુ સજા કરવામાં આવી? જજો પાસેથી અપેક્ષા હતી કે તે પૂરી સજા કરવામાં પાછળનાં કારણો આપે.

પણ ઈરાદો જુદો હતો. રાહુલ ગાંધીને જો પૂરી બે વરસની જેલની સજા કરવામાં આવે તો તેમનું લોકસભાનું સભ્યપદ રદ્દ કરી શકાય. માટે સુરતની નીચલી અદાલતના જજે અને ગુજરાતની વડી અદાલતના જજે સરકારને તેના ઇરાદામાં મદદ કરી હતી. રહી વાત સજાનાં પ્રમાણની તો એ વિશે એ બિચારા શું કહે? ગુલામી અને ફરજપરસ્તી સાથે ન જઈ શકે. એટલે સર્વોચ્ચ અદાલતના જજોનો નીચલી બે અદાલતોના જજોને પૂછેલો સવાલ કાન આમળનારો છે. સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધીને કરેલી સજા સ્થગિત કરી છે. દરમ્યાન રાહુલ ગાંધીની સજા સામેની અપીલ એની જગ્યાએ કાયમ છે અને તે સર્વોચ્ચ અદાલતમાં ચાલશે.

અહીં લોકસભાના સ્પીકરની ભૂમિકા પણ વિવાદાસ્પદ હતી. સુરતની અદાલતે સજા સંભળાવી અને ચોવીસ કલાકમાં સ્પીકરે રાહુલ ગાંધીને લોકસભામાંથી બહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકરને વીનંતી કરી હતી કે પહેલાં તેમને સાંભળવામાં આવે. લોકસભામાં બોલવાની તક આપવામાં આવે. સ્પીકરે રાહુલ ગાંધીને એવી તક આપી નહોતી. લોકો દ્વારા ચુંટાયેલા સભ્યની વીનંતી ઠુકરાવી દીધી હતી. ઘ્યાન રહે વર્તમાન શાસકો સર્વોચ્ચ અદાલતના અધિકારને નકારવા માટે દલીલ કરે છે કે લોકો દ્વારા ચુંટાયેલા સભ્યોની સત્તા નિયુક્ત સત્તાધીશો કરતાં ઘણી વધુ છે.

હકીકતમાં રાહુલ ગાંધીએ લોકસભામાં નરેન્દ્ર મોદી અને અદાણી જૂથ સાથેનાં સંબંધો વીશે પ્રમાણો સાથે, તર્કબદ્ધ અને ધારદાર ભાષણ કર્યું અને તેને દેશવિદેશમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી એ પછી તેઓ ટાર્ગેટ હતા. તેમને લોકસભામાંથી કાઢવા હતા. માટે સુરતની અદાલતે એ સમયે ચૂકાદો આપ્યો હતો જ્યારે લોકસભાનું સત્ર ચાલુ હતું અને સ્પિકરને રાહુલ ગાંધીને બહાર કાઢવાનો મોકો મળે. બધું આયોજપૂર્વક કરવામાં આવ્યું હતું કે જેથી રાહુલ ગાંધીને અપીલમાં જવાનો મોકો ન મળે. વડી અદાલતમાં તો અપેક્ષા મુજબ ન્યાય મળ્યો નહોતો, પણ સર્વોચ્ચ અદાલતે આપ્યો. રાહુલ ગાંધીનું સભ્યપદ ફરી બહાલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ સ્પીકર પાસે નહોતો.

ગયા અઠવાડિયે લોકસભાના સ્પીકર ઓમ બિરલા દુઃખી થઈ ગયા હતા. તેમને લોકતંત્રની ચિંતા સતાવતી હતી. સભ્યો લોકસભામાં કામકાજ ચાલવા ન દે તો દેશમાં લોકતંત્ર બચશે કેમ? તેઓ સ્પીકરની ખુરશી છોડીને જતા રહ્યા હતા અને કહ્યું કે તેઓ લોકસભાનું નેતૃત્વ નહીં કરે. જો લોકતંત્ર અને માનમર્યાદાની આટલી બધી ખેવના છે તો એ રાહુલ ગાંધીની બાબતમાં કેમ જોવા ન મળી? બોલવા પણ ન દીધા! બીજું લોકસભામાં તેમની તટસ્થતા કેટલી છે અને પક્ષપાત કેટલો છે એ તો તમે જાણો જ છો. ઓમ બિરલાનાં આંસુ મગરનાં આંસુ હતાં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2023

Loading

10 August 2023 રમેશ ઓઝા
← Need to restore Harmony and Peace: Manipur, Nuh and Shooting in Train
બંધારણ સુધારાની સંસદની સત્તા અસીમિત નથી. →

Search by

Opinion

  • ગુરુદત્ત શતાબ્દીએ –
  • PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક
  • સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
  • ચલ મન મુંબઈ નગરી—297
  • ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

Poetry

  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved