Opinion Magazine
Number of visits: 9846450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યથા  

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|24 October 2023

પ્રીતમ લખલાણી

શિલ્પકાર મિહિર આજે બહુ જ ખુશ હતો. લગભગ આજથી પાંચેક દાયકા પૂર્વે તેના શિલ્પકાર પિતા ચિત્રસેને જયપુરના મહારાજાના વિખ્યાત મહેલને અગણિત અદ્દભુત શિલ્પોથી સજાવી દીઘો હતો. ચિત્રસેનના ટાંકણાથી પ્રભાવિત થયેલ મહારાજાએ ચિત્રસેનને પોતાની આરસની ખાણમાંથી નીકળેલા એક કિંમતી આરસના ટુકડા સાથે સારી એવી એને મોટી રકમ ભેટ આપેલ. ચિત્રસેનની મનમાં એક ઈચ્છા હતી કે આ મૂલ્યવાન આરસના ટુકડામાંથી ભવિષ્યમાં પોતાના જ નગરમાં, એકાદ મંદિરમાં પોતાના હાથે આ સૃષ્ટિના સર્જનહાર પરમાત્માનું સુંદર અણમોલ શિલ્પ ઘડી, તેની પ્રાણ પતિષ્ઠા કરવી. કમભાગ્યે શિલ્પી ચિત્રસેનની આ ઈચ્છા મનમાંને મનમાં રહી ગઈ. તેમની આ ઈચ્છા પૂર્ણ થાય પહેલા તે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા. તેમના મૃત્યુના બે દાયકા બાદ, તેમના શિલ્પી પુત્ર મિહિરે, એ કિંમતી આરસના ટુકડામાંથી, પોતાના હાથે ઈશ્વરની પ્રતિમાનું સર્જન કરી. પોતાના નગરના એક મંદિરમાં આજે પોતાના જ હાથે પ્રાણપ્રતિષ્ઠા કરી પિતાના સ્વપ્નને સાકાર કર્યુ.

મિહિર છેલ્લા છ મહિનાથી આરસના ટુકડામાંથી ઈશ્વરની પ્રતિમાં બનાવવા રાત દિવસની દરકાર કર્યા વગર હાથમાં ટાંકણુ અને હથોડી લઈને ઘરના આંગણાના લીમડાના છાંયડે બેસી ગયો હતો. આજે ઈશ્વરની પ્રતિમાની મંદિરમાં વાજતે ગાજતે, પ્રાણપ્રતિષ્ઠા થઇ જતા, તે લગભગ છ મહિના બાદ નિરાંતે નિદ્રાદેવીના ખોળે બઘી ચિંતા મૂકીને સૂઈ ગયો હતો.

ઘડિયાળમાં બરાબર પરોઢના પાંચના ટકોરા થયા હશે, સપનાઓના ઢોલીએ ઘસઘસાટ ઊંઘતા મિહિરને સ્વપ્નમાં ઈશ્વર આવ્યા. સ્વપ્નમાં પ્રભુદર્શનમાં, ખુશખુશાલ મિહિર પ્રભુના ચરણમાં નમી પડ્યો. મિહિરને ચરણમાંથી ઊભો કરવા, પ્ર્ભુ જરાક નમ્યા ત્યારે મિહિરની પીઠ પર, પ્રભુની આંખેથી ટપકેલાં બે આંસુ સરી પડ્યાં.

મિહિર, આશ્ચર્યમાં ડૂબી ગયો. આભમાં કયાં ય એકેય વાદળ ફરકતું ન હોતું. સૂર્ય ચોમેર ઝળઝળી રહ્યો હતો. તો પછી આ વરસાદના બે ટીપાં કયાંથી તેની પીઠ પર ટપકી પડ્યાં. આ જાણવા તેણે જરાક માથું ઊંચું કરીને આભ સામે જોયું અને તેની નજર પ્રભુના ચહેરા પર પડી. તેનો ચહેરો પ્રભુના મુખને જોતા જ વિષાદમાં ડૂબી ગયો.

‘અરે! પ્રભુ તમારી નેહ નીતરતી આંખમાં આજે આંસુ, મને તો મનમાં એમ જ હતું કે તમે તો આજે બહુ જ ખુશ હશો. તેને બદલે તમારી આંખોમાં વ્યથાનો દરિયો!’

બે હાથ જોડી, મિહિર કરગરતો પ્રભુના ચરણમાં ઝૂકી પડ્યો, અને પછી ઘીમા સ્વરે બોલ્યો, ‘હે પ્રભુ, તમે મને માફ કરી દો, હું તો તમારું બાળક કહેવાઉં, તમારી પ્રતિમા ઘડવા મેં તમારા અંગે કેટલા ટાંકણાના અને હથોડાના પ્રહાર કર્યાં છે. તમને ઘણી પીડા થઈ હશે! પ્રભુ, તમે નહીં માનો, મને તો તે આરસના ટુકડામાં તમારું સર્પૂણ સ્વરૂપ દેખાતું હતું, પરંતુ આ જગત મારી આ વાતને કઈ રીતે સમજી શકે? ન છૂટકે મારે તમારું તે આરસના ટુકડામાંથી શિલ્પ ઘડવા, મારે મારી લાગણી પર પથ્થર મૂકી. તમારી મૂર્તિ ઘડવી પડી છે.’

‘હે વત્સ, તું આમ કારણ વગર દુ:ખી ન થા, મને ટાંકણા અને હથોડાના પ્રહારનું રતિ ભારનું એ દુઃખ નથી.’ આટલું કહેતા પ્રભુના હોઠ મૌનમાં ડૂબી ગયા.

‘પ્રભુ, તમે આમ એકાએક, વાત અઘૂરી મૂકી, મૌનમાં ડૂબી જાવ એ કેમ ચાલે? તમારે, તમારા આ ગાંડા ઘેલા નાદાન ભકત પાસે આજ મનમાં કોઈ સંકોચ રાખ્યા વગર હ્રદયની પછેડી ખોલવી જ પડશે!’

‘તો હે વત્સ, સાંભળ, તારા પિતાને જયપુરના મહારાજા તરફથી ભેટ રૂપે મળેલ આ આરસનો ટુકડો, તારી નજરમાં પડ્યો તે પહેલા, તે તારા બંગલાની ટેકરીના એક વિશાળ લીમડા તળે છેલ્લા કેટલા વરસોથી પડ્યો હતો. રોજ ઢળતી સાંજે, તારા બંગલાની સામેની ટેકરીમાં સૂર્ય ડૂબતો હોય ત્યારે શહેરથી પાછા ફરતો એક કાગડો. પોતાના માળે પરિવાર પાસે જતા પહેલાં તે આરસના ટુકડા પર આવી, નિરાંતનો વિશ્રામ લેતો. કહેવાતા આ પથ્થર પાસે તે હ્રદય મનની પછેડી કાંઉં કાંઉં કરતો ખોલતો અને પછી જ્યારે બઘી વાત કરીને હળવો ફૂલ જેવો થઇ જતો ત્યારે પરિવાર પાસે જવા હરખાતો ઊડી જતો.’

‘આજે સવારે તારા હાથે, મારી પ્રતિમાની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થતા, પહેલો કાગડો એટલો બઘો વ્યથિત હતો કે આખો દિવસ શહેરમાં જવાને બદલે, વહેલી સવારથી મારા મંદિરના શિખર પરના સોનાના કળશે બેસી, કા…કા..નો આકોશ વ્યકત કરતો રહ્યો. શરણાઇ અને ઢોલ નગારાની ઘમાલમાં, તેની કાંઉં કાંઉં કોઈના કાને કયાંથી પડે! કદાચ માન કે તેને ક્કળતા સાંભળ્યો હશે? તો પણ તેમણે તેને એક કાગડો સમજી આંખ આડા કાન કરી લીઘા હશે!’

‘વત્સ, તેની કાંઉં કાંઉંથી મારું મન ભરાઈ ગયું. મને પ્રતીતિ થઈ કે હું મંદિરમાં એક પ્રતિમા તરીકે ખોડાઈ ગયો. તેના કરતાં જો હું ટેકરી પર એક પથ્થર રૂપે હજી પડ્યો રહ્યો હોત તો?. તેના મનની વ્યથાને હું રોજ ઢળતી સાંજે, એક મિત્ર રૂપે સાંભળતો હોત! તું માન કે ન માન, તેની વ્યથાની સચ્ચાઈ, તેનું કાંઉં કાંઉં મારે માટે એક ભકતની પ્રાર્થના, આરતીથી વિશેષ હતી. દિવસ ભરનો વિષાદ મારી પાસે કરી તે રોજ સાંજે માળા તરફ ઊડાન ભરતો ત્યારે તેની પાંખમાં અને ચહેરા પર કેટલો આનંદ છલકાતો! કદાચ હું તેના સુખનો ફોટોગ્રાફ લઈ શકયો હોત તો? બસ તેનું આ દુઃખ આજ મારી આંખેથી બે આંસુ થઈને ટપકી પડયું છે.’

‘પ્રભુ, મને તમે માફ કરી દો. મને શું ખબર કે તમે આ પથ્થરના પાસાણમાં સમાયા હતા. હું પેલા કાગડાનો ઘોર અપરાઘી છું. મારા પિતાનું એક સ્વપ્ન સિદ્ઘ કરવા મેં નિર્દોષ પંખી પર કેવો મોટો જુલમ કરી નાંખ્યો છે!’

મિહિરે, પ્રભુના ચરણમાં પડી, બે હાથ જોડી પ્રભુની ક્ષમા માંગી, ત્યાં જ પત્ની સંગીતાએ, શયન ખડમાં આવી, તેની માથેથી ચાદર ખેચતા મિહિરને સ્વપ્નમાંથી જગાડતા કહ્યું, ‘અરે, હજી કયાં લગી આમ ઢોલીએ પડ્યા રહેશો. નગરના મકાનોના છાપરા સોનાના થઈ ગયા. જરા ઊઠી બારી બહાર નજર કરો તો ખબર પડે!’

બેડમાંથી આળસ મરડતા, ઊભા થતા મિહિરે બારી બહાર નજર કરી તો, ગઈ કાલે જે મંદિરમાં તેના હાથે પ્રભુની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. તે મંદિરના કળશ પર આંખો બંઘ કરીને, મૌનમાં ડૂબેલો એક કાગડો, કળશ ચાંચ ઘસતો આભમાં ઊડવા પાંખ ફફડાવતો બેઠો હતો.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

બે રચના

સાહિલ|Poetry|24 October 2023

થડકાની જેવું

જીવન સો ટકા છે ધબડકાની જેવું

છતાં મીઠું લાગે સબડકાની જેવું

શું લ્હાવો સૂરજ સાથેની મિત્રતાનો 

નથી માણ્યું ક્યારેય તડકાની જેવું

મળે સંકટોના ન ક્યાંયે પગેરું

છતાં જીવ જીવે છે ફડકાની જેવું

લૂટાઈ જવાની પછી બીક શાને

છે હોવું તો બિન્દાસ્ત કડકાની જેવું

ખખડધજ શી ખોલીમાં અવતાર વીતે

અને સ્વપ્ન શ્રીમંત લડકાની જેવું

ફરી કોઈ કવિને શૂળીએ ચડાવ્યો

શબદને થયું પાછું થડકાની જેવું

પળેપળ રહ્યા છીએ તરબોળ સાહિલ

રુવેરુવું છે તોય ભડકાની જેવું

°

ડરી રહ્યા છે

સ્વયંથી લોકો ડરી રહ્યા છે

ને કાંચળીમાં સરી રહ્યા છે

તમારા પગલાં ઝીલ્યાં છે જેણે

એ રસ્તા તમને સ્મરી રહ્યા છે

નશીબદારોની વાત ન્યારી

વમળની વચ્ચે તરી રહ્યા છે

ભલેને ભૂક્કા અહમ થયા પણ

ભરમની ઝોળી ભરી રહ્યા છે

જે લોકો પૂજી રહ્યા હરિને

હરિને પાછા હરી રહ્યા છે

કશુંક ભડકે બળે છે ભીતર

છતાંય શ્વાસો ઠરી રહ્યા છે

શૂળોનો માન્યું ધરમ છે કિન્તુ

ફૂલોય ખંજર ધરી રહ્યા છે

ચરણમાં છલકે છે થાક સાહિલ

ને પગલાં ક્યાં ક્યાં ફરી રહ્યા છે

નીસા ૩-૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com

Loading

નફરતની આંધી કેટલો વિનાશ નોતરશે ?

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|24 October 2023

અશ્વિનકુમાર ન. કારિયા

શાળાના દરેક પાઠ્યપુસ્તકમાં પ્રતિજ્ઞા લખેલી હોય છે, અને શાળાના કાર્યક્રમોમાં વિદ્યાર્થી મુખેથી તે બોલાવવામાં આવે છે કે દરેક ભારતીય મારાં ભાઈ-બહેન છે. બાળકો અરસપરસ ભાઈચારો અને સૌહાર્દ ભાવના કેળવે તે જરૂરી છે. પરંતુ એ કમનસીબ બાબત છે કે ભારતની બે મુખ્ય જાતિઓ વચ્ચે નફરત પેદા કરવા માટે ઝનૂનપૂર્વક પ્રયત્નો કરવામાં આવે છે.

હરિયાણાના નૂહમાં થયેલ એકપક્ષીય તોફાનો તેમ જ ઉત્તર પ્રદેશમાં આરોપી મુસ્લિમોના ઘર પર બુલડોઝર ફેરવ્યાની વાતો હવે જૂની થઈ ગઈ. પરંતુ જ્યાં બાળકોને સારા નાગરિકો બનવાની તાલીમ આપવાની વાત હોય, ત્યાં તેમનાં કુમળાં માનસમાં અન્ય જાતિ તરફ નફરત જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ આંધી દેશને વિનાશના કયા તબક્કે પહોંચાડશે ? બીજો પ્રશ્ન એ થાય છે કે શું તેનાથી મોંઘવારી કે ગરીબી ઘટશે, બેરોજગારી હટશે, અસ્પૃશ્યતા અટકશે, શિક્ષણ સસ્તું થશે, અંધશ્રદ્ધા નાબૂદ થશે, ગંદકી દૂર થઈ જશે ?

કેટલાંક ઉદાહરણો ચોંકાવનારાં છે. મુઝફરનગર જિલ્લાના કોઈ ગામે શિક્ષિકા તૃપ્તા ત્યાગીના કહેવાથી હિંદુ બાળકોએ મુસ્લિમ બાળકને લાફા માર્યા. પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે એકબીજાને ગળે લગાડ્યા. પરંતુ ‘બૂંદ સે બિગડી, હોજ સે નહીં સુધરતી’, કહેવતની માફક પીડિત બાળકના મનમાં કેવા ભાવો જાગ્યા હશે તેનો વિચાર નફરત પ્રચારકોએ કર્યો લાગતો નથી. શું આવા બનાવથી તેને હિંદુ ધર્મ તરફ પ્રેમ ઊભરાશે ? આવા બાળકના મનમાં ખુન્નસ પેદા થવાની સંભાવના છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે એક સમારંભમાં મુસ્લિમ બાળાને ઈનામ લેતાં અટકાવવામાં આવી હતી.

૧૫ ઑગસ્ટના રોજ ધોરણ ૧૦માં શાળામાં નંબર લાવનાર બાળકોને ઈનામ વિતરણનો કાર્યક્રમ રખાયો હતો. પ્રથમ ક્રમે મુસ્લિમ બાળાનો ક્રમ હતો. તેણી પ્રથમ ક્રમે હોવા છતાં, તેણીને બાકાત રાખી તેના પછીના ક્રમે આવનાર બાળકોને ઈનામ અપાયાં. સોશિયલ મીડીઆ તથા અખબારોમાં શાળાએ કરેલ ભેદભાવ સામે ખૂબ ઊહાપોહ થયો. શાળાના આચાર્યે અંતે માફી માગી અને પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે થોડા દિવસો બાદ ખાસ સમારંભ યોજીને પીડિત મુસ્લિમ બાળાને ઈનામ અપાયું. એમ કહેવાય છે કે તે શાળામાં નિશા નામની દલિત કન્યા પણ અગાઉના પ્રથમ નંબરે આવેલ હોવા છતાં, નથી તેણીની માફી માગવામાં આવી કે નથી તેણીને ઈનામ અપાયું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે તાજેતરમાં સમાન નાગરિક ધારા પર વ્યાખ્યાન યોજાયેલ. આ વિષયનાં બંને પાસાંઓ પર વાદ થાય તો આવકાર્ય છે. જાણવા મળ્યું છે કે વ્યાખ્યાનને નામે મુસ્લિમ વિરોધી વાતો કરવામાં આવી હતી. ઉપરાંત, હોલમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પાસે ‘જય શ્રીરામ’નો નારો ઉચ્ચારવામાં આવતો હતો. શું આ રીતે ભેદભાવભરી નીતિ અપનાવવાથી સુરાજ્ય સ્થપાશે ? આપણી સામે પાકિસ્તાન, સીરીઆ, અફઘાનિસ્તાન જેવા ધર્મ આધારિત દેશોની જે હાલત છે તેને કેમ નજરઅંદાજ કરીએ છીએ ?

કશ્મીરનો બનાવ પણ આંખ ઉઘાડનારો છે. કોઈ એક શાળામાં એક વિદ્યાર્થીએ બોર્ડ પર ‘જય શ્રીરામ’ લખ્યું. તેને લઈને બે મુસ્લિમ શિક્ષકોએ તેની પિટાઈ કરી. શિક્ષકોનું આ કૃત્ય અધમ, અમાનવીય અને અસ્વીકાર્ય છે.

કોઈપણ બાળકને તેણે ઉચ્ચારેલ પ્રતિજ્ઞા કરતાં વિરુદ્ધ વર્તન કરવા ફરજ પાડતા શિક્ષકો તરફ શું માનની લાગણી પેદા થતી હશે કે ગૌરવ પેદા થતું હશે ? તેના પર માનસશાસ્ત્રીઓએ પ્રકાશ ફેંકવો જોઈએ.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 20

Loading

...102030...979980981982...9901,0001,010...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved