Opinion Magazine
Number of visits: 10082030
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

गोली की बोली 

कुमार प्रशांत|Opinion - Opinion|17 July 2024

कुमार प्रशांत

अमरीका में फिर बंदूक गरजी ! जो भी सुनेगा, पलट कर पूछेगा कि कब; क्योंकि वहां अकारण, असमय व सबसे अप्रत्याशित जगहों पर गोली बरसा कर दो-पांच-दस लोगों-बच्चों-महिलाओं को मार गिराना आम खबर की तरह होता है. यह अमरीकी समाज है जहां पागलपन सामान्य-सा बन गया है. लेकिन इस बार जो हुआ उसके निशाने पर पूर्व अमरीकी राष्ट्रपति डोनाल्ड ट्रंप थे. छटांक भर की दूरी से मौत उन्हें छू कर निकल गई – उनका कान मौत के रास्ते में आ गया तो वह बेचारा थोड़ा घायल हो गया. घटना को देखने व जाननेवाले और गोली खाने से बच जाने वाले ट्रंप बता रहे हैं कि यह ईश्वर ही था कि जो उन्हें बचा ले गया. कैसा विद्रूप है कि जब हमारी जान बच जाती है तब हमें ईश्वर की साक्षात उपस्थिति महसूस होती है, जब हम दूसरों की जान लेते हैं तब कहां का ईश्वर और कहां की उसकी साक्षात उपस्थिति ! दुख में सुमरन सब करैं / सुख में करे ना कोई / जो सुख में सुमरन करैं/ तो दुख काहे को होई ! इसलिए ट्रंप पर चली गोली के समर्थन या विरोध का सवाल नहीं है. सवाल गोली की इस बोली को समझने व समझाने का है.

अपने-अपने देश में गोली की बोली से बात करने में जो सभी सत्ताधीश हैं, वे सभी अमरीका में गोली की बोली की इस घटना से सदमे में हैं — कम-से-कम ऐसा दिखा तो रहे ही हैं !! हमारे प्रधानमंत्री मोदीजी को सदमा लगा है कि ‘मेरे मित्र ट्रंप’ के साथ ऐसा हादसा हुआ ! मोदीजी, अगर ट्रंप आपके मित्र नहीं होते तो ? फिर भी सदमा होता ? इतना होता कि आप बयान दे कर अपना सदमा जगजाहिर करते ? सोचिएगा ! आपने कहा कि राजनीति में हिंसा की कोई जगह नहीं है. अगर यह सच है तो हिंसा, घृणा, द्वेष, झूठ, हिंसक भाषा व हिंसक मुद्रा की छौंक से चलने वाली आपकी अब तक की राजनीति क्या है ? हिंसा के पनपने व फूटने की जमीन जितनी तरह से तैयार हो सकती है, उतनी तरह से पिछले 10 सालों में आपकी तरफ से तैयार की गई है.

दुनिया के दूसरे कुछ हुक्मरानों ने भी गोली की बोली पर ऐतराज उठाया है. इनमें इसराइल के बेंजामिन नेतन्याहू भी हैं और फ्रांस के मैक्रां भी. ये भी और दूसरे सारे भी कह रहे हैं कि हमारे सभ्य समाज में ऐसी हिंसा की कोई जगह नहीं है. किसी ने यह भी कहा कि लोकतंत्र में हिंसा नहीं चल सकती. ये सच में ऐसा मानते हैं, इसलिए कह रहे हैं; या कह रहे हैं कि हम सच में ऐसा मान लें कि ये सच में ऐसा मानते हैं ? मामला बहुत जटिल है, क्योंकि झूठ को सच बनाना और फिर उसे सच मानना बहुत-बहुत बड़ा झूठ है.

हिंसा घटना नहीं है. हिंसा मनोवृत्ति है. जब आप हिंसा को एक परिणामकारी रास्ता मानते हैं तब किसी गांधी की हत्या की लंबी साजिश रचते हैं और प्रार्थना के लिए जाते 80 साल के वृद्ध को, प्रार्थना-स्थल पर पहुंचने से पहले ही भगवान के पास पहुंचा देते हैं. हाथ भी नहीं कांपता है आपका, और इतने लंबे वर्षों में कभी प्रायश्चित का भाव भी नहीं उभरा आपमें ! हम कायर इतने होते हैं कि उस हत्या के 76 साल बाद भी, एक दशक से ज्यादा समय से सत्ता की चादर ओढ़े रखने के बाद भी, कायरता की धुंध इतनी घनी है कि हर संभव मौकों पर वे सब गांधी की विरुदावलि गाते हैं लेकिन यह कह नहीं पाते हैं कि यह हत्या हमने की है ! जो हिंसक होते हैं वे कायर ही होते हैं; याकि ऐसे कहें कि जो कायर होते हैं, वे ही हिंसक भी होते हैं.

मैं मणिपुर की हिंसा की बात न भी करूं तो भी यह तो कहना ही होगा न कि  मोदीजी की भारत सरकार न यूक्रेन की हिंसा के बारे में कभी कुछ बोली, न गजा की हिंसा के बारे में बोली. मित्रों की हिंसा हिंसा नहीं होती है, मित्रों पर हिंसा ही हिंसा होती है, नैतिकता की ऐसी परिभाषा कितनी हिंसक है, इसका हिसाब कोई गांधी ही लगा सकते हैं. भारत की यह चुप्पी और अब यह मुखरता राष्ट्रीय शर्म का सबब है. बेंजामिन नेतन्याहू को भी ट्रंप पर चली गोली से एतराज है, जब कि गजा में दनादन चलती अपनी अमानवीय गोलियों पर उन्हें कभी एतराज नहीं हुआ. फ्रांस में पिछले दिनों हुए विरोध प्रदर्शन को गोली की बोली से ही मैक्रां ने चुप कराया था. और जिस अमरीका में यह गोली चली, उस अमरीका में राष्ट्रपति बाइडन ने उन बच्चों के साथ क्या किया था जो फलस्तीनियों के लिए न्याय की आवाज लगाते हुए वहां के अधिकांश विश्वविद्यालयों में जमा हुए थे ?

डोनाल्ड ट्रंप खुद हिंसा भड़काने व नागरिकों को भीड़ में बदल कर, हिंसा के लिए उकसाने के सबसे बड़े अपराधी हैं. अमरीकी अखबार उनके बारे में लिखते रहे हैं कि वे बला के झूठे, सड़कछाप आदमी हैं जो संयोगवश राष्ट्रपति बन गया था. उन पर अमरीकी अदालतों में मुकदमे भी चल रहे हैं जिसे पूर्व राष्ट्रपति को मिले विशेषाधिकार की आड़ में ट्रंप धता बताने में लगे हैं. पिछली बार राष्ट्रपति का चुनाव हारने के बाद भी वे जिस तरह गद्दी छोड़ने को तैयार नहीं हुए उसने, और जिस तरह उन्होंने अपने समर्थकों को कैपिटल हिल्स में घुस जाने तथा हिंसा, लूटपाट मचाने के लिए ललकारा तथा उस सारे हंगामे को चालना दी उसने, अमरीकी लोकतंत्र का चेहरा खासा धुंधला कर दिया है. ट्रंप जब तक राष्ट्रपति रहे, व्हाइट हाऊस से सफेद चमड़ी का अहंकार, सत्ता की बदबू तथा दौलतमंदों का कुसंस्कार ही अमरीका की पहचान बना रहा. चुनाव जीतना व देश के सर्वोच्च पदों पर जा कर बैठ जाना जैसे भारत में किसी नैतिक श्रेष्ठता का प्रमाण नहीं है – बल्कि उल्टा ही है ! – वैसे ही अमरीका में भी है. मैं तो कहूंगा कि भारत और अमरीका नहीं, सारी दुनिया के लिए यही सच है.

आज अधिकांश अमरीकी नहीं चाहते हैं, न बाइडन की पार्टी ही चाहती है कि बाइडन फिर से राष्ट्रपति बनने की कोशिश करें. उनकी दूसरी योग्यताओं की बात न भी करें हम तो भी यह तो सभी जान व देख रहे हैं कि बाइडन शारीरिक रूप से राष्ट्रपति बनने लायक नहीं हैं. लेकिन बाइडन खुद को खुद ही सर्टिफिकेट देते जाते हैं कि मैं हर तरह से राष्ट्रपति बनने लायक हूं : “या तो मैं या भगवान ही इस बारे कोई दूसरा फैसला कर सकते हैं !” इसे लोकतांत्रिक हिंसा कहते हैं भाई !

असहिष्णुता, घृणा, अंधी स्पर्धा, झूठ, हिंसा आदि कुछ अलग-अलग वृत्तियां नहीं हैं. ये सब एक-दूसरे की संतानें हैं. समाज में अाप जैसी वृत्तियों को चालना देते हैं वैसी ही लहरें उसमें उठती हैं. अमरीका में चुनावी बुखार चढ़ता जा रहा है जिसे उन्माद में बदलने की कोशिश में डोनाल्ड ट्रंप लगे हैं. वे जानते हैं कि अमरीकी समाज के दूसरे कई घटकों के खिलाफ उन्माद व असहिष्णुता फैला कर ही वे व्हाइट हाउस में दोबारा प्रवेश पा सकते हैं. वे अपने मित्र से सीखते हों शायद कि यदि यही सब कर के तीसरी बार सत्ता पाई जा सकती है, तो दूसरी बार क्यों नहीं ?

सत्ता सबसे बड़ा सच है, तो हिंसा सबसे बड़ा हथियार है. इसलिए सारे सत्तावान इस सबसे बड़े हथियार पर अपना एकाधिकार चाहते हैं.

(16.07.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

અરુંધતી રોયને કેમ હેરોલ્ડ પિન્ટર સન્માન અપાયું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 July 2024

પ્રકાશ ન. શાહ

વાત આમ તો અનિરુધ્ધા અરુંધતી વિશે ને મિશે કરવાનો ખયાલ છે. અરુંધતી રોય 1997માં ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્ઝ’ લઈને આવ્યાં અને આ નવલકથાને બુકર પારિતોષિક સાથે વિશ્વપોંખાયાં. એ ગાળામાં એમને વિશે રમણલાલ જોશીના ‘ઉદ્દેશ’માં મનુભાઈ રાવળે જે લેખ લખ્યો એના શીર્ષકમાં એમણે અરુંધતીને અનિરુધ્ધા કહી હતી.

આ મનુભાઈ પણ હતા તો મળવા જેવા માણસ. એક કાળના કાઁગ્રેસપ્રમુખ ઢેબરભાઈના મંત્રી, અને પછીથી તો એમના ચરિત્રકાર પણ. એમને અરુંધતીમાં રસ પડવો તે એક સાથે એમની અને અરુંધતી બંનેની વિશેષતા સૂચવે છે.

પણ તેજછાયામાં અહીંતહીં ઝાઝો ફંટાઉં તે પહેલાં અરુંધતી પ્રકરણમાં આવી જાઉં. અરુંધતી રોય હમણાં એકદમ ચિત્રમાં આવ્યાં તે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ (એમના નામ પર તો વારી વારી જાઉં) તેર-ચૌદ વરસ પરનો કેસ સહસા ઉખેળ્યો એ કારણે, પણ બહુ ઝડપથી આખી ચર્ચાને એક નવો વળાંક મલે એવા સંજોગો પણ આવી મળ્યા : અરુંધતી રોયને ચાલુ વરસનું હેરોલ્ડ પિન્ટર સન્માન અપાયાની જાહેરાત થઈ. વિશ્વઘટના પર મટકુંયે માર્યા વિના નજર રાખનાર તરીકે એમણે અરુંધતીને જોયાં છે. હર કોઈ સત્તા-પ્રતિષ્ઠાનના એકે નાઝનખરા આ લેખિકા નથી ચૂકતાં એ તો સાચું સ્તો! 2019માં એમનો બેબાક લેખસંચય આવ્યો, એનું શીર્ષક હતું ‘માઈ સિડિશસ હાર્ટ’ (‘મારું રાજદ્રોહી હૈયું’).

અહીં નાટ્યકાર પિન્ટરનીયે એક, ખરી દૂંટીની વાત સંભારી લઉં. પિન્ટરને 2005નું નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એમણે જે સ્વીકાર અભિભાષણ કર્યું (મારી પાસેથી એની નકલ વાંચવા લઈ ગયા પછી પાછી આપતાં બકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે આ ભાષણના વાંચને અને એથી હું વલોવાયો એણે મને આગામી પરિષદ પ્રમુખના ભાષણની તૈયારીમાં બે દિવસ પાછળ પાડી દીધો છે.), એમાં પિન્ટરે ઊઘડતાં જ પોતાનાં 1958નાં વચનો સંભાર્યાં હતાં કે કોઈ બાબત અનિવાર્યપણે સાચી કે જૂઠી નથી, એ સાચી અને જૂઠી બંને હોઈ શકે. પછી, 2005ના ભાષણમાં એમણે ઉમેર્યું હતું : ‘આજેય સાહિત્યકાર લેખે હું એને વળગી રહું છું, પણ નાગરિક તરીકે નહીં. નાગરિક તરીકે મારે પૂછવું પડે : સાચું શું? જૂઠું શું.’ અરુંધતીનું કાળજું રાજદ્રોહી છે તે આ અર્થમાં, નાગરિક અર્થમાં.

અરુંધતી રોય

અરુંધતી વિશે ને મિશે મન ખાસાં મંથન-મનોરથમાંથી પસાર થતું હશે ને સ્ટેન સ્વામીનો સ્મૃતિ દિવસ આવ્યો, પાંચમી જુલાઈએ એ બરાબર આજથી ત્રણ વરસ પર ગયા. 2018ના કુખ્યાત ભીમા કોરેગાંવ કેસના સંદર્ભમાં 2020માં એમને પકડવામાં આવ્યા હતા. સ્ટેન સ્વામીનું મોટું કામ આદિવાસી સમુદાયને બંધારણના પાંચમા શિડ્યુલ મુજબની સઘળી સોઈ મળે એ માટેની લડતનું હતું. બિરસા મુંડાને પશ્ચાદવર્તી ધોરણે અંગીકારતા સત્તા-પ્રતિષ્ઠાનને નજર સામેનો આદિવાસી હામી સોરવાય શાનો? ભીમા કોરેગાંવ કેસ જે ફળદ્રુપ ભેજાએ ઊપજાવી કાઢ્યો એમાં પકડાયેલા 16 કર્મશીલ બૌદ્ધિકો દેશના મોટા હાકેમની સૂચિત હત્યામાં દેશદ્રોહી-રાજદ્રોહી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. એમને આતંક વિરોધી યુ.એ.પી.એ. અંતર્ગત પકડવામાં આવ્યા હતા. આ કાયદા અંતર્ગત જામીન મળવા અસંભવવત્ છે. પાર્કિન્સન પીડિત સ્ટેન સ્વામીને હાથમાં પવાલું ઝાલવાનીયે શક્તિ ન હોઈ સિપર સ્ટ્રો સારુયે જેલમાં લાંબી લડત આપવી પડી હતી. તબિયત ખાસી કથળેલી, પણ સારવાર સારુ બેલ મળે શાની? કોરટમાં તે માટેની કોશિશ ચાલતી રહી, ને એ પ્રભુને પ્યારા થઈ ગયા. એમનો સ્પિરિટ જોકે કાબિલે દાદ હતો. એ કહેતા કે ‘ભલે પિંજરે પુરાયું પણ પંખી ગાઈ તો શકે છે ને!’

આ કેસના એક પછી એક આરોપી હવે જામીન પર માંડ છૂટે છે, કેમ કે દેશની ટોપ એજન્સી આટલે વરસે પણ ચાર્જ ફ્રેમ કરી શકી નથી. સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા અકેકી દાસ્તાં યુ.એ.પી.ના ખુદના આતંકી સ્વરૂપની ગવાહી પૂરે છે – અને હવે સક્સેના વિનયપૂર્વક અરુંધતી રોયને યુ.એ.પી.એ. થકી આભૂષિત કરવાના મનોરથી છે.

આવે વખતે સાહિત્યકારે નાગરિક તરીકે કેમ વર્તવું-પ્રવર્તવું રહે? ફરી યાદ કરું પિન્ટરના નોબેલ વક્તવ્યને : ‘જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે લાગે છે કે પ્રતિબિંબ અદ્દલ છે. પણ એક દોરાવાર ખસો એટલે બિંબ બદલાય. આપણે વસ્તુત: પ્રતિબિંબોની નિરંતર હારમાળા જોઈએ છીએ, પણ ક્યારેક સર્જકે અરીસો ફોડવો પડે છે – કેમ કે, આપણી સામે તાકતું સત્ય અરીસાની બીજી બાજુએ હોય છે.’

દરમ્યાન, હિમાંશી શેલતની તરોતાજા નવલકથા ‘ભૂમિસૂક્ત’ (જૂન 2024) જોઈ તમે? અહીં તરોતાજા કહ્યું છે તે આ પ્રકાશન માંડ મહિના પહેલાંનું છે એટલા સારુ નહીં પણ એના વિષયવસ્તુની પસંદગીની રીતે. નવલકથાના લેખકીયમાં, કેવો સમર્પક પ્રયોગ કર્યો છે – ‘સ્વગત’માં, પહેલા જ વાક્યમાં હિમાંશીબહેને અરીસાનું ઓઠું જરી જુદી રીતે લીધું છે : ‘ચોમેર અરીસા છે જાતને જોવા માટે. જો દાનત હોય તો. જો કે, એમાં આંખ ઉઘાડી રાખવી પડે.’

તો, મુદ્દો ઉઘાડી આંખનો છે. પિન્ટર નિર્ણાયકોએ પણ અરુંધતીનો જે વિશેષ વર્ણવ્યો છે તે પણ ‘અનફ્લિન્ચિંગ ગેઝ’નો જ છે ને.

નવલકથાની વિશેષ ચર્ચામાં જવાનો અહીં મુદ્દલ ખયાલ નથી. પણ આપણે પૂર્વાર્ધમાં જે બધી ચર્ચા કરી એમાં સર્જક પક્ષે નાગરિક તરીકે સત્યાસત્ય વિવેકની અપેક્ષા અને કર્મશીલો પરત્વે સત્તા-પ્રતિષ્ઠાનની બેરહમીનો – એમને આંદોલનજીવી અને ‘વોક’માં ખપાવવાની તુચ્છ વૃત્તિનો ખયાલ આવે છે. ‘ભૂમિસૂક્ત’ કર્મશીલો અને કર્મશીલતાને, એમની પૂંઠે રહેલ ઋતને એક સર્જકની નાગરિક સિસૃક્ષાપૂર્વક હૃદયપ્રત્યક્ષ કરી આપે છે.

ગુજરાતી સર્જકતા અને નાગરિકતા વિશેનું મહેણું આમ ભાંગે એથી રૂડું શું.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર … 

સુમન શાહ|Opinion - Literature|16 July 2024

સુમન શાહ

આજકાલ આપણા અનુ-આધુનિક સાહિત્ય વિષે કેટલીક અધૂરી વીગતો પ્રસરી રહી છે, ત્યારે, સૌ પ્રથમ, એના પૂરેપૂરા ક્ષેત્રનો ખયાલ મેળવવો જરૂરી છે. એ ખયાલ આ પ્રમાણે છે : 

આપણે ત્યાં છેલ્લા દસકાઓમાં મુખ્યત્વે દલિત અને નારી તત્ત્વોને કેન્દ્રમાં રાખીને સર્જનો / લેખનો થયાં છે. માત્ર એને જ આપણે ‘અનુ-આધુનિક’ સાહિત્ય ગણીને ચાલ્યા છીએ. 

— પરન્તુ, આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, ન-દલિત અને ન-નારી તત્ત્વોને લક્ષ્ય કરતી અને વાચકો વડે અનુભવાતી સૃષ્ટિઓ પણ છે.

— દલિત, નારી, ન-દલિત, ન-નારી એ ચારેય તત્ત્વો દાખવતા આપણા અનુઆધુનિક સાહિત્યમાં, નવલકથાઓ, લઘુનવલો અને લઘુકથાઓ પણ છે — સમગ્ર કથાસાહિત્ય છે.

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય નથી; એમાં અછાન્દસ કાવ્ય, ગદ્યકાવ્ય કાવ્ય, કથનકાવ્ય, ગઝલ-કાવ્ય પણ છે — સમગ્ર કવિતાસાહિત્ય છે.

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય કે કવિતાસાહિત્ય નથી; એમાં લલિત નિબન્ધસાહિત્ય પણ છે. 

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય કે માત્ર લલિતનિબન્ધસાહિત્ય નથી; એમાં, એ અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં સમીક્ષાત્મક લેખનો  પણ છે. 

દાખલા તરીકે જુઓ, પ્રમોદકુમાર પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાલા, બાબુ સુથાર અને સુમન શાહનાં લેખનો અને પુસ્તકો. 

આપણે સમજવું જોઈએ કે અનુ-આધુનિકતાની પ્રકૃતિ પ્રસરણશીલ છે. જુઓ, એ મતલબનું પ્રકરણ મારા “અનુ-આધુનિકતા અને આપણે” પુસ્તકમાં. પ્રસરણના અર્થમાં, કેટલાંક સામયિકો; લાઇફ લિટરેચર રજૂ કરતાં સંસ્મરણો, વાર્તાલાપો; તેમ જ કેટલીક સંસ્થાઓનો પણ સમાસ કરવો જોઈશે. 

જેમ કે — 

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, કેટલાંક સામયિકો પણ છે. 

દાખલા તરીકે, ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ દ્વારા પ્રગટતું માત્ર મહિલા-લેખકો માટેનું સામયિક ‘વિશ્વા’. બાબુ સુથાર-સમ્પાદિત ‘સન્ધિ’ સામયિકમાં ‘ચૉતરેથી’ શીર્ષકે સાહિત્યિક પત્રકારત્વ દાખવતા કેટલાક લેખો, વાર્તા આદિના કેટલાક ભાવાનુવાદો. વિપુલ કલ્યાણી-સમ્પાદિત ‘ઓપિનિયન’, જેમાં સમસામયિક પત્રકારત્વના લાભ દર્શાવતાં કેટલાંક લેખનોનું પુન:પ્રકાશન પણ જોવા મળે છે.  

— અનુ-આધુનિક સાહિત્યમાં જીવનપરક સાહિત્યનો – લાઇફ લિટરેચરનો – મહિમા વધ્યો છે. 

એ જોતાં, જેમ એક જમાનામાં, નરોત્તમ પલાણ અધ્યાપકીય ડાયરી લખતા હતા, તેમ, દાખલા તરીકે, નરેશ શુક્લ જેવા અધ્યાપકો શૈશવનાં સ્મરણો લખે છે એવાં આત્મકથનોનો પણ સમાવેશ કરવો જોઈશે. એ સંદર્ભમાં, કાજલ ઓઝા વૈદ્ય કે જય વસાવડા વડે અવારનવાર રજૂ થતાં, જીવનમાર્ગમાં પ્રેરક વાર્તાલાપોમાં કે પ્રવચનોમાં પણ મને અનુ-આધુનિક ઉન્મેષ પરખાય છે.  

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય, માત્ર લલિતનિબન્ધસાહિત્ય, માત્ર સમીક્ષાત્મક લેખનો, માત્ર સામયિકો કે માત્ર લાઇફ લિટરેચર નથી, સોશ્યલ મીડિયા પરના કેટલાક બ્લૉગ્સ પણ છે. 

દાખલા તરીકે. એવા બ્લૉગર્સમાં મને પ્રભાવક લાગ્યા છે, સૂચક ફોટોગ્રાફ્સ રજૂ કરતા ઉમેશ સોલંકી. ગુજરાત અને દેશના દલિત સાહિત્યકારોના જન્મદિવસે કે અન્યથા એમનાં સર્જનોની વાત કરતા ગણપત વણકર. ‘માય મ્યુઝિયમ ઑફ મૅમરીઝ’ શીર્ષક હેઠળ દેશ-વિદેશના ફિલ્મમેકર્સ તેમ જ અન્ય કલાકારોનાં નૉંધ-સહિત પિક્ચર્સ મૂકતા અમૃત ગંગર. પશ્ચિમનાં પુસ્તકોની માહિતીથી જાગૃતિ ફેલાવતા બાબુ સુથાર કે ‘ફિલ્લમ’-ના આયોજક શક્તિસિંહ. પંચમ્ શુક્લ, નિસર્ગ આહીર, મયૂર ખાવડુ, અભિજિત વ્યાસ પણ જુદા જુદા હેતુથી ઉપકારક બ્લૉગ્સ ચલાવી રહ્યા છે. 

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય, માત્ર લલિતનિબન્ધસાહિત્ય, માત્ર સમીક્ષાત્મક લેખનો, માત્ર સામયિકો કે માત્ર બ્લૉગ્સ નથી, કેટલીક સ્વાયત્ત મંડળીઓ, સંગઠનો કે ફાઉન્ડેશનો પણ છે. 

દાખલા તરીકે, નારી, દલિત, ન-નારી, ન-દલિત એમ ચારેય તત્ત્વોને ઊંડણમાં લેતી વાર્તાકૃતિઓ માટે ભારે ઉમળકાથી શિબિરો યોજતું “સુજોસાફો”. દાખલા તરીકે, મહિલાઓના પ્રશ્નો માટેની “સ્ત્રિયાર્થ” મંડળી; ઉષા ઉપાધ્યાયની રાહબરી હેઠળ નારી તત્ત્વના કેન્દ્રમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતું સંગઠન “જૂઇ મેળો”. દર્શિની દાદાવાલાના નેતૃત્વ હેઠળ ‘સાહિત્યમિત્રો’-ને સજ્જ કરી અણજાણ એવા છેવાડાના ‘સહૃદય’-સમુદાયો સુધી સ્ટોરીઝ શૅઅર કરતું ‘વિમૅન લિવિન્ગ બાય લિટરેચર’-નો ધ્યાનમન્ત્ર ધરાવતું “સંવિત્તિ” ફાઉન્ડેશન. ગુજરાતી સાહિત્યનું નિત્યવર્ધમાન માતબર ઑનલાઇન ગ્રન્થાલય ચલાવતું અતુલ રાવલ-સંસ્થાપિત “એકત્ર ફાઉન્ડેશન”. વગેરે.

ક્રમશ: 
(15 Jul 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...742743744745...750760770...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved