Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હે શ્રીમાન હર્ષ સંઘવી,

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|26 November 2025

હર્ષ સંઘવી

હાલ ચાલી રહેલા સંસ્કાર અને અસંસ્કારના વિવાદના સંદર્ભમાં આપને આ ખુલ્લો પત્ર લખવા પ્રેરાયો છું. 

(૧) કાયદાનું પાલન એ લોકશાહીનો સિદ્ધાંત તો ખરો જ, પણ એ લોકશાહીનો સંસ્કાર પણ છે. આ ‘સંસ્કાર’ શબ્દ હિન્દુ સંસ્કૃતિનો છે એટલે એ તમને બહુ ગમે અને સિદ્ધાંત વિશે કશી પતીજ તમને નહીં પડે તો ચાલશે. પણ સંસ્કાર કહો તો સંસ્કાર, એ હોવો તો જોઈએ ને! 

(૨) ગુજરાતમાં દારૂબંધી અંગે એક કાયદો છે. એ કાયદાની આપને જાણ હશે જ, રાજ્યના એક ગૃહ પ્રધાન તરીકે. કાયદાનું પાલન થાય તેની જવાબદારી સરકારની એટલે કે સીધી રીતે તમારી છે કારણ કે આપ ગૃહ પ્રધાન છો. કાયદાનું પાલન થાય અને ન પાલન કરનારને કાયદામાં લખેલી હોય તેવી સજા થાય એને લોકશાહી કહેવાય. એને લોકશાહીનો સંસ્કાર કહેવાય. 

(૩) આપ કેટલું ભણેલા છો એ તો મારે માટે મહત્ત્વનું છે જ નહિ. પણ વાયબ્રન્ટ ગુજરાતમાં અત્યારે ૧૦૦ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થાય તો કોલેજમાં જનારા માત્ર ૨૬ વિદ્યાર્થીઓ જ છે. તમે એક શહેરી, એકંદરે આર્થિક રીતે સમૃદ્ધ એવા જૈન પરિવારમાંથી આવો છો છતાં પણ એ ૨૬માં તમે નથી એનું આશ્ચર્ય પણ છે અને દુઃખ પણ છે. કયા સંસ્કારને કારણે આપ માત્ર પ્રાથમિક શિક્ષણ જ લઈ શક્યા  અને આગળ અભ્યાસ કરી શક્યા નહીં એ ખરેખર સમજાતું નથી. જો કે, આપ જેટલું ભણેલા છો એટલું જ ભણતર દેખાડો છો એ સુસંસ્કારની હું ભારોભાર પ્રશંસા કરું છું.

(૪) તમે ૨૦૧૨થી સુરત શહેરમાંથી ધારાસભ્ય છો. તમારા સુરતના મતવિસ્તારમાં દારૂના ગેરકાયદે અડ્ડા નથી એવી કોઈ ખાતરી તમે આપી શકો તો એને સંસ્કાર કહેવાય. ન આપી શકો તો એ અસંસ્કારી બાબત ન કહેવાય?

(૫) તમે ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી જ પ્રધાન છો. અને અનેક ખાતાં સાથે તમે ગૃહ પ્રધાન પણ છો. તો દારૂના ગેરકાયદે અડ્ડા આખા રાજ્યમાં ન હોય અને હોય તો તે બંધ થાય તેની તમે જવાબદારી નિભાવો તો એને સંસ્કાર કહેવાય. અને ન નિભાવો તો એ બાબત અસંસ્કારી ન કહેવાય? 

(૬) આપે ગૃહ પ્રધાન તરીકે આ સાત કરોડની વસ્તીવાળા ગાંધી અને સરદારના ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના કેટલા અડ્ડા બંધ કર્યા અને એ ચલાવનારને કેટલી સજા કાયદા હેઠળ થઈ તે જાહેર કરો તો એને લોકશાહી સંસ્કાર કહેવાય કે નહીં? 

(૭) જો તમે ગૃહ પ્રધાન તરીકે દારૂના અડ્ડા બંધ કરી શકતા નથી તેમ છતાં પણ આપ ગૃહ પ્રધાન તરીકે ચાલુ રહો તો એ કયા સંસ્કાર કહેવાય? સત્તા સંસ્કાર કહેવાય?

અને છેલ્લે, હા, દેશના વડા પ્રધાન તરીકે જે નરેન્દ્ર મોદી જુઠ્ઠાણું બોલતાં સહેજે શરમાતા નથી એમની જ પાર્ટીમાં તમે છો અને પાછા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પણ છો. આખી ભા.જ.પ. પાર્ટી અત્યારે જુઠ્ઠાણા પર ચાલે છે. એમાં તમે સુખેથી પ્રધાનપદું ભોગવો છો એ શું સંસ્કારી બાબત કહેવાય?

હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારની વાત આવે છે. આ અસત્ય એ ભા.જ.પે. ઊભો કરેલો સત્તરમો સંસ્કાર લાગે છે. તમને એ સંસ્કારમાં રાચવામાં મઝા આવતી લાગે છે. સત્તા બધા સંસ્કાર ભૂલવી દે છે એ તો હાલના ભા.જ.પ.ને જોઈને કોઈ પણ વ્યક્તિ, જો તેણે બુદ્ધિ ગીરવે મૂકી ન હોય તો, સમજી શકે. 

વળી, આપ જૈન છો એવી ખબર છે એટલે એની યાદ અપાવું કે જૈન ધર્મ એમ કહે છે કે કર્મના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તો આત્માના મોક્ષ થકી સત્ય મળે. તે એમ પણ કહે છે કે સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા વર્તનથી એ અંતિમ સત્ય પ્રાપ્ત થાય. હવે સવાલ એ છે કે સાચા વર્તન દ્વારા તમારે સત્ય પ્રાપ્ત કરવું છે? શું તમે એ સંસ્કાર સિદ્ધ કરો છો કે નહીં? આત્માના મોક્ષનો સવાલ છે હોં! 

સહેજ પણ હર્ષ વિના લખાયેલા આ પત્રને આપ સંસ્કારી રીતે જ જોશો એવી મને શ્રદ્ધા છે. 

તા.૨૫-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|25 November 2025

શ્વાસ વિફરીને થયાં છે આડા,
કેમ નીકળશે કઠણ દહાડા?

આબરૂ છે તો હજી ય સાચવ,
મેં કર્યાં છે વ્રણને ઉઘાડા.

શ્વાસ તડતડ થઈ ગયાં તપીને,
જ્યાં ક્ષણોના ધૂંધવ્યા નિંભાડા.

કોઈ  ક્યાં પકડી શક્યું ક્ષણોને,
હાથમાં આવે નહીં ધુમાડા.

ક્યાં ભરોસો થાય છે સમયનો,
આ સમય ઉર્ફે અકળ કુહાડા.

તા.25.11.25
વૃન્દાવન બંગલોઝ, 15-શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

સ્ફુલ્લિન્ગ (4) સાંસ્કૃતિક – સાહિત્યિક સ્મૃતિલોપ  

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|25 November 2025

સુમન શાહ

સ્મૃતિ ન હોય તો શું થાય? તમને યાદ જ ન આવે કે ગઇ કાલે રાત્રે શું જમેલા, કે મને યાદ જ ન આવે કે મારું નામ શું છે. લગભગ ગભરાઇ જવાય. 

આજકાલ આપણે ત્યાં બે અંગ્રેજી શબ્દ ખાસ જાણકારી વિના અને એના ગુજરાતી પર્યાય વિના બહુ સાંભળવા મળે છે : dementia અને alzheimer. સમજ્યા વિના પર્યાય શોધવા નીકળવું એ ભદ્રંભદ્ર જેવા પણ્ડિતનું કામ છે. આ બન્ને વચ્ચે ભેદ છે, પણ એમ પણ ખરું કે સરવાળે ભેદ નથી. 

dementia એક umbrela term છે. એ શબ્દગુચ્છની છત્રી હેઠળ સ્મૃતિભંશ, ચિત્તભ્રમ, ભૂલી જવાનો રોગ, વગેરેનો સર્વગ્રાહી નિર્દેશ છે.

alzheimer વિશિષ્ટ છે. મગજની અવ્યવસ્થિત દશા સૂચવે છે. એમાં ધીમે ધીમે સ્મૃતિનો ક્ષય થવા માંડે છે, વિચારવાની આવડત ઓછી થવા માંડે છે, ઉપરાન્ત, સાદામાં સાદાં કામો કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

સામ્પ્રત ગુજરાતમાં અને ગુજરાતી સાહિત્યમાં dementia અને alzheimer બન્નેનાં રોગચિહ્નો જોવા મળે છે. 

ભારતીય જ્ઞાનવારસાની યાદ નથી રહી એવી જણસો ઘણી છે : ગણિત જ્યોતિષ સ્થાપત્ય કે રાજનીતિવિષયક શાસ્ત્રો, અસ્તિત્વ ચેતના અને તર્કના વિષયમાં વેદાન્ત ન્યાય અને સાંખ્ય, વેદકાલીન ઋષિમુનિઓથી માંડીને ઉપનિષદો લગી પાંગરેલું ભારતીય દર્શન, અધ્યાત્મવિદ્યા, ભાષાના વૈજ્ઞાનિક સ્વરૂપનું પાણિનિનું વ્યાકરણ કે સાહિત્યકાર અને સાહિત્યસમાજને જેની સાથે ઘણી લૅણદેણ હોવી ઘટે એ સ્વયંસમ્પૂર્ણ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર — આ વારસો ભારતીય જ્ઞાન-પદ્ધતિઓ છે – indian knowledge systems; પણ આજે આપણે એથી વિચ્છિન્ન છીએ. 

હેમચન્દ્રાચાર્યથી માંડીને દયારામ, અને દલપત-નર્મદથી માંડીને ૨૦મી અને ૨૧મી સદીના વર્તમાન દાયકાઓની સ્મૃતિનો ખાસ્સો લોપ થયો છે. પૂછી શકાય કે – નર્મદના ઉત્તરજીવનમાં કેવાંક પરિવર્તન હતાં. બળવન્તરાય અગેય પ્રવાહી પદ્યરચનાથી શું કહેવા માગતા હતા. ગોવર્ધનરામે કેવા સ્વરૂપે પૂર્વીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો સમન્વય કલ્પ્યો હતો. ગાંધીજીના વિચારો અનુસારનું ચિન્તન કોણે કર્યું હતું. કિશોરલાલ મશરૂવાળાએ સમૂળી ક્રાન્તિનું કેવુંક સ્વરૂપ કલ્પ્યું હતું. આધુનિક યુગના કયા કવિઓએ અને વાર્તાકારોએ પ્રયોગશીલતાનો આશ્રય કરીને કાવ્ય અને વાર્તાસર્જનની દિશા બદલી હતી, ઘટનાતત્ત્વનો હ્રાસ શબ્દગુચ્છથી સુરેશ જોષી ખરેખર શું સૂચવતા હતા. પૂછી શકાય કે – અધ્યાપકોને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની પૂરેપૂરી જાણકારી છે ખરી? એટલે કે નૉંધનીય કૃતિઓ અને કર્તાઓ તેમ જ જે તે યુગની વિશેષતાઓની ચૉક્કસ છાપ ચિત્તમાં છે ખરી? વગેરે વગેરે.  

તાજેતરમાં જ બનેલી મહત્તાપૂર્ણ ઘટનાઓની મહત્તાનું સ્મરણ નથી રહ્યું. પ્રસિદ્ધિની ઉતાવળમાં એકધ્યાન નથી થવાતું, અમૂર્ત વિચારો જોડે પાનું પાડી શકાતું નથી. આ લેખક અઘરો છે એમ લેબલ મારીને ભાગી જઈ શકાય છે. સામાજિક અને સાહિત્યિક પરિવેશમાં જે કંઈ નિર્ણયો લેવાય છે એ ઘણા પછાત અને માયકાંગલા હોય છે. આયોજનોમાં પૂર્ણતાનો અભાવ હોય છે. દીપપ્રાગટ્ય જેવી પરમ્પરા એના સ્વ રૂપમાં નથી સચવાતી, ભલે, પણ એના સ્થાને કશું નવું પણ નથી સૂઝતું. પોતે લેખક કે સાહિત્યનો માણસ હોય તેમછતાં યોગ્ય શબ્દ બોલી કે લખી શકતો ન હોય એવા જનોની સંખ્યા મોટી થવા માંડી છે. રુચિનો વિકાસ થવાને બદલે એ-નું-એ જ ગમ્યા કરે છે, રૅક્ગનિશન માટેની ચિન્તા અહીંથી તહીં દોડાવતી હોય છે.

ઉપરના ફકરામાં વર્ણવેલાં બધાં વર્તનોમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક dementia અને alzheimerનાં લક્ષણો છે એમ કહી શકાય પણ ગ્રહણ કરનારા છે ખરા? 

= = = 

(241125A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...63646566...708090...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved