Opinion Magazine
Number of visits: 9736682
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|26 December 2025

મહાત્મા ગાંધીની હત્યા થઈ પછી RSS પર પ્રતિબંધ મૂકાયો હતો. ઉપરાંત, RSSના દ્વિતીય સરસંઘચાલક એવા માધવ સદાશિવ ગોલવલકર ઉર્ફે ગુરુજી સહિત અનેક સંઘીઓની ધરપકડ કરવામાં આવી હતી. પછી તે સમયના કાયદા અનુસાર લગભગ છ મહિનામાં એ બધાને જેલમુક્ત કરાયા હતા. 

પરંતુ સરદાર પટેલ દ્વારા કે નેહરુની સરકાર દ્વારા RSS પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો નહોતો. ગોલવલકર  એ હટાવી લેવાય તેને માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ કે મહાત્મા ગાંધીની લગભગ દરેક વાતનો વિરોધ જે સંઘ કરતો હતો તેણે ગાંધીના સત્યાગ્રહનો રસ્તો પોતાના પરનો પ્રતિબંધ હટાવવા માટે અપનાવ્યો હતો!

તેમાં ચાલેલા દેખાવો અને જેલ ભરો આંદોલનમાં સંઘના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૬,૧૮૦ જણની ધરપકડ થઈ હતી. 

સરદાર પટેલ તે સમયે દેશના ગૃહ પ્રધાન હતા અને તેમના હાથ નીચે જ દિલ્હીની પોલિસ કામ કરતી હતી. આ દિલ્હી પોલિસના એક અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે, “વિદ્યાર્થીઓને તેમનાં માતાપિતાની સંમતિ વિના જ સત્યાગ્રહીઓ તરીકે મોકલી દેવામાં આવ્યા હતા અને કેન્દ્રીય પ્રાંત તેમ જ પૂર્વ પંજાબમાં અનેક સ્વયંસેવકોને પૈસા આપવાનું વચન આપીને સત્યાગ્રહમાં જોડવા માટે ભાડે રાખવામાં આવ્યા હતા.”

જો પોલિસનો આ અહેવાલ ખોટો છે એમ કહેવામાં આવે તો સરદાર પટેલની પોલિસ ખોટી હતી એવો એનો અર્થ થઈ જાય, નહીં? એવું તો કેવી રીતે કહેવાય હવે? 

આ વાંચીએ તો ખ્યાલ આવે કે RSSના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી તેમની સભાઓમાં શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને ફરજિયાત જોડે છે કેમ? અને વળી, પૈસા આપી આપીને લોકોને સભાઓમાં એકત્ર કરે છે કેમ? બહુ જૂની રીતરસમ અને હિન્દુત્વની પરંપરા લાગે છે પૈસા આપીને લોકોને ભેગા કરવાની!  

ગાંધીના સત્યાગ્રહમાં કોઈને પૈસા આપીને ભેગા કરવામાં આવતા નહોતા. જેમાં પૈસા આપવાનું વચન આપીને લોકોને બોલાવવામાં આવે તેને સત્યાગ્રહ કહેવાય ખરો? RSS જ જાણે! અને વળી, જેને સત્ય સાથે કશી લેવાદેવા જ નહીં, એ સત્યાગ્રહ શબ્દ વાપરીને આંદોલન પણ કરે તે RSS! 

જવાહરલાલ નેહરુએ તા.૦૫-૧૨-૧૯૪૮ના રોજ સરદાર પટેલના ગૃહ મંત્રાલયને લખેલી એક નોંધમાં લખ્યું હતું કે, “RSS……જે કંઈ કરે છે અથવા જાહેરમાં કહે છે એને એ જે કંઈ ખાનગીમાં કરે છે એની સાથે કોઈ સંબંધ હોતો નથી.” નેહરુએ ફરી કે વાર તા.૦૩-૦૨-૧૯૪૯ના રોજ પ્રાંતોના મુખ્ય પ્રધાનોને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “RSS એક એવું સંગઠન છે કે જે હંમેશાં બોલે છે કંઈક અને કરે છે કંઈક.”

તા.૨૬-૧૨-૨૦૨૫
સ્રોત:
‘Golwalkar: The Myth Behind The Man and The Man Behind The Machine’, લેખક: ધીરેન્દ્ર કે ઝા, પાના નંબર: ૨૪૮, ૨૫૦, ૨૫૧, ૨૫૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 December 2025

ચંદુ મહેરિયા

દેશના બે મહાનગરો, આઈ.ટી. હબ બેંગલુરુ અને આર્થિક રાજધાની મુંબઈમાં, આશરે પાંચ વરસથી મહાનગરપાલિકાની ચૂંટણી થઈ નથી. બેંગલુરુમાં ૨૦૨૧થી અને મુંબઈમાં ૨૦૨૨થી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બદલે રાજ્ય સરકારો નીમ્યા અફસરોથી શાસન ચાલે છે. વધતા શહેરીકરણને કારણે હાલમાં દેશની ૪૦ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૫૦ સુધીમાં અડધોઅડધ વસ્તી શહેરોમાં વસતી હશે એવું અનુમાન છે ત્યારે નગરો-મહાનગરોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટીઓને બદલે અધિકારી રાજ હોય તે લોકતંત્ર માટે ઘાતક છે.. 

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ પાછી ઠેલનાર રાજ્યો માત્ર મહારાષ્ટ્ર અને કર્ણાટક જ નથી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, કેરળ, ઝારખંડ અને  ઓડિશામાં પણ ચૂંટણીઓ યોજાઈ નથી. બિનસરકારી સંસ્થા ‘જનાગ્રહ’ના અભ્યાસમાં ૧૭ રાજ્યોનાં ૬૧ ટકા શહેરોમાં ચૂંટણીઓ તેના નિર્ધારિત સમયે યોજાઈ નથી. માત્ર નગરો-મહાનગરોમાં જ નહીં ત્રિસ્તરીય પંચાયતી રાજની ગ્રામ, પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ થઈ નથી. સત્તર રાજ્યોમાં સરેરાશ બાવીસ મહિનાનો વિલંબ જણાયો છે.

બંધારણના તોંતેરમા અને ચુમ્મોતેરમા સુધારાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિયમિત ચૂંટણીઓ કરવા જણાવવામાં આવ્યું છે. જો મુદ્દત પૂરી થઈ ગઈ હોય અને ચૂંટણીઓ થઈ શકે તેમ ન હોય તો વધુમાં વધુ છ માસ પછી ચૂંટણીઓ કરવી જોઈએ. પરંતુ હાલમાં તે જોગવાઈઓની ઉપરવટ જઈને રાજ્ય સરકારો લોકોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી વંચિત રાખે છે. 

હાલ ચૂંટણીઓમાં થઈ રહેલા વિલંબનું કારણ અન્ય પછાતવર્ગોને અનામત, પરિસીમન અને તેનાં કારણે થયેલા અદાલતી કેસો છે. પરંતુ ખરેખર તો રાજકીય વિલંબને કોર્ટ કેસ કે વહીવટી કારણોના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ચૂંટણીઓમાં વિલંબને બંધારણીય જોગવાઈઓનો ભંગ ગણાવીને પડતર અદાલતી કેસના બહાને ચૂંટણીઓ ન રોકવા જણાવ્યું છે. 

લોકતંત્રના પાયામાં રહેલી ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કે નગરો-મહાનગરોની પાલિકાઓની ચૂંટણીઓ સમયસર ન થાય તે લોકશાહીને હાણ પહોંચાડે છે. આમ નાગરિકના જીવનમાં સ્થાનિક સ્વરાજથી બદલાવ આવે છે. લોકોની રોજ બ રોજની જરૂરિયાતો જેમ કે પાણી, વીજળી, કચરો, નિશાળ, દવાખાનું, રસ્તા જેવા મુદ્દે પંચાયત કે પાલિકા કામ કરે છે. હવે જો ત્યાં ચૂંટાયેલું તંત્ર જ ન હોય તો તે ફરિયાદ કોને કરે? અને જો તેની ફરિયાદ ન સંભળે તો તે પોતાના વોટથી જેને બદલી શકે તેવી વ્યવસ્થા જ સાવ ગેરહાજર હોય તો લોકો જાય ક્યાં? એક રીતે આ વિલંબ જાણે કે બંધારણીય શૂન્યતાની સ્થિતિ સર્જે છે.

મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૧માં અન્ય પછાતવર્ગો (ઓ.બી.સી.) માટે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ૨૭ ટકા અનામત બેઠકોનો કાયદો કર્યો હતો. આ કાયદાને હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સર્વોચ્ચ અદાલતે ચૂંટણીઓ પર મનાઈ હુકમ આપ્યો હતો. પરંતુ મે-૨૦૨૫માં અદાલતે પૂર્વેની અનામત નીતિ પ્રમાણે (અર્થાત ઓ.બી.સી. અનામત વિના) ચાર મહિનામાં ચૂંટણીઓ યોજવા આદેશ કર્યો હતો. પરંતુ રાજ્ય ચૂંટણી પંચે અપર્યાપ્ત ઈ.વી.એમ. અને મતદાન કેન્દ્રોના બહાને ચૂંટણીઓ યોજી નહીં. હવે અદાલતે જાન્યુઆરી-૨૦૨૬ સુધીની નવી મુદ્દત આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અનિશ્ચિત સમયનો ચૂંટણી વિલંબ સરકાર ચૂંટણીઓ ઇચ્છતી જ નથી તે સ્પષ્ટ કરે છે. 

તમિલનાડુએ ગામ, તાલુકા, જિલ્લાઓનું પુનર્ગઠન અને નવેસરથી વોર્ડ રચના કે પરિસીમનનું કારણ બતાવી ચૂંટણીઓ યોજી નથી. સુપ્રીમ કોર્ટ તમિલનાડુ અને બીજી રાજ્ય સરકારોને સ્પષ્ટ કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મુદ્દત પૂરી થવાની હોય તે પૂર્વે જ પરિસીમનની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. વળી પરિસીમન કે મતવિસ્તારોનું પુનર્ગઠન સતત ચાલતી પ્રક્રિયા છે એટલે તેના બહાને ચૂંટણીઓ ટાળી શકાય નહીં. આ પ્રકારનાં કારણોને અદાલતે ચૂંટણી ટાળવાની રણનીતિ ગણાવ્યાં છે અને કોઈ પણ સંજોગોમાં નાગરિકોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ કામો કરવાની કે મતદાનનો અધિકાર છીનવી લેવાની સત્તા રાજ્યોને ન હોવાનું કહ્યું છે. પરિસીમન તો સતત ચાલતી પ્રક્રિયા છે એટલે તે કારણે ચૂંટણીઓ યોજવામાં વિલંબ ન થવો જોઈએ. 

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્વાયત્ત છે પરંતુ તેની પાસે નાણાંકીય આવકના સ્રોત મર્યાદિત હોવાથી તે રાજ્ય અને કેન્દ્રની આર્થિક સહાય પર નભે છે. રાજ્ય અને કેન્દ્રની સરકારો પાલિકા-પંચાયતની સત્તાઓ ઘટાડે છે, નવી જવાબદારીઓ આપતી નથી અને હવે તો લાંબા ગાળાથી ચૂંટણીઓ કરતી નથી. પાલિકાઓ પાસે અગાઉ જે આવકનાં સાધનો હતાં તે છીનવી લેવાયાં છે. એક અનુમાન અનુસાર પાલિકાઓ પોતાના ખર્ચના ૩૦ ટકા જ જાતે ઊભા કરી શકે છે. બાકીના ૭૦ ટકા માટે તેણે રાજ્ય સરકારની દયા પર રહેવું પડે છે એટલે તેની  સ્વાયત્તતા રહેતી નથી. તેને બદલે તે રાજ્યના તાબા હેઠળનું વહીવટી તંત્ર બની ગયું છે. નીતિ નિર્ધારણમાં પણ તેનો અવાજ સંભળાતો નથી. લોકતાંત્રિક વિકેન્દ્રીકરણની વ્યવસ્થા ઝડપથી કેન્દ્રીકરણ તરફ જઈ રહી છે.

પાલિકા-પંચાયતોમાં ચૂંટણીઓને બદલે રાજ્યસરકારના અધિકારીઓ તંત્ર ચલાવે તેનાથી સ્વશાસનની અવધારણા નબળી પડે છે. આમે ય તે નાણાં માટે સરકારોની દયા પર જીવે છે.  હવે તો તેના અસ્તિત્વ સામે જ સવાલો ઊભા થયા છે. ભારતના મહાનગરો-નગરોમાં આગામી વીસ વરસોમાં બુનિયાદી માળખા માટે ૫૫ અબજ ડોલરની જરૂર છે. હાલ તે માત્ર ૧૮ અબજ ડોલર જ મેળવી શકે એટલે બીજી ત્રણ ગણી આવક ઊભી કરવા પણ ચૂંટાયેલા તંત્રની જરૂર છે.

હાલની પરિસ્થિતિના વિવિધ ઉકેલ હોઈ શકે છે. અદાલતી કેસોના બહાને કોઈ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી રોકે નહીં તેવો કાયદો ઘડવો જોઈએ કે વર્તમાન કાયદામાં સુધારો કરવો જોઈએ. પરિસીમન અને ચૂંટણી માટેના પર્યાપ્ત ઈ.વી.એમ. જેવી બાબતોની તપાસ અને કાર્યવાહી પંચાયત-પાલિકાની મુદ્દત પૂરી થવાની હોય તેના છ મહિના પહેલાં કરી લેવી જોઈએ. રાજ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બાબતે અસીમિત સત્તાઓ છે તેવા કાયદા અંગે પુનર્વિચાર કરવો જોઈએ અને વર્તમાન સ્થિતિને અનુરૂપ સુધારા કરવા જોઈએ. લોકસભાથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે એકસમાન મતદાર યાદી હોવી જોઈએ. એટલે મતદાર યાદી તૈયાર કરવાના કારણોસર ચૂંટણી ટાળવી ન જોઈએ. રાજ્ય ચૂંટણી પંચની સ્વાયત્તામાં વધારો પણ ચૂંટણી વિલંબ ટાળી શકે છે. શહેરી વિકાસ રાજ્યનો વિષય છે. જો રાજ્ય અને પાલિકા-પંચાયતમાં અલગ રાજકીય પક્ષની સત્તા હોય તો પર્યાપ્ત નાણાં મળતાં નથી. તેને કારણે વિકાસ કામો થઈ શકતાં નથી. એટલે બંધારણમાં એક મજબૂત સલામતી તંત્ર તેમના માટે ઊભું કરવું જોઈએ. 

ન્યૂયોર્ક, પેરિસ અને લંડનના મેયર પાસે છે તેવી અને તેટલી સત્તા મુંબઈ, બેંગલુરુ, કોલકાત્તા કે અમદાવાદના મેયર પાસે હોવી જોઈએ. ચૂંટણીની લટકતી તલવારથી તે મુક્ત હોવા જોઈએ. તો જ ગાંધીજીનું વિકેન્દ્રીકરણનું સપનું સાચા અર્થમાં ચરિતાર્થ થઈ શકશે. સ્વતંત્રતાની પોણી સદી જૂની આપણી ચૂંટણી પ્રણાલીમાં થોડા અપવાદો બાદ કરતાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની સમયસર કે નિયમિત ચૂંટણીઓ થઈ છે. જેણે આપણા લોકતંત્રને મજબૂતી બક્ષી છે. આ મજબૂતી પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિલંબથી અસર પહોંચી છે. તે ઝટ દૂર કરવાની જરૂર છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 December 2025

હેમંતકુમાર શાહ

ભારતમાં સરકારનું ખાનગીકરણ હવે ખાસ્સી હદ વટાવી રહ્યું છે. જે રીતે સરકારી મિલકતોનું વેચાણ ચાલી રહ્યું છે એ જોતાં કોઈ પણ કલ્પના કરી શકાય તેમ છે. એક જોરદાર દાખલો જોઈએ:

મુંબઈમાં અંધેરી પશ્ચિમથી ગુંદવલી સુધીની યુ રૂટ ધરાવતી મેટ્રો ટ્રેન ૨૦૨૩થી ચાલે છે. તેમાં બે સ્ટેશનોનાં નામ આશ્ચર્યજનક રીતે બદલાઈ ગયાં છે. 

એક મેટ્રો સ્ટેશનનું નામ શિમ્પોલી હતું. શિમ્પોલી એ બોરીવલી વિસ્તારમાં આવેલો એક વિસ્તાર છે. એ નામ બદલી નાખીને હવે ‘આદિત્ય કૉલેજિસ શિમ્પોલી’ કરી નાખવામાં આવ્યું છે. આદિત્ય કોલેજ ગ્રૂપ એ ખાનગી કોલેજોનું એક જૂથ છે અને તેનું નામ આ રીતે મેટ્રો સ્ટેશન સાથે જોડી દેવામાં આવ્યું છે.

આવું જ એક બીજું મેટ્રો સ્ટેશન મલાડ વેસ્ટ હતું. પણ તેનું નામ બદલીને ‘મોતીલાલ ઓસવાલ મલાડ વેસ્ટ’ કરી નાખવામાં આવ્યું છે. મોતીલાલ ઓસવાલ એ શેરબજારની મોટી રોકાણ દલાલ કંપની છે અને તેનું નામ સ્ટેશનના નામ સાથે જોડી દેવામાં આવ્યું છે. 

મેટ્રો ટ્રેનમાં તમે બેસો તો તેમાં સ્ટેશન આવવાનું હોય ત્યારે અંદર પ્રવાસીઓ માટે જે જાહેરાત થાય છે તેમાં પણ આ ખાનગી કંપનીઓનાં નામ સાથે જ સ્ટેશનોનાં નામ બોલવામાં આવે છે. એટલે કે એ માત્ર જાહેરખબર તરીકે સ્ટેશનો પર લખવામાં આવ્યાં છે એવું નથી, સ્ટેશનોનાં સત્તાવાર નામ છે.

આ મેટ્રો ટ્રેન ચલાવનાર છે MMRDA એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી. એ સરકારની સંસ્થા છે કે જેમ ઔડા, સુડા કે વુડા છે. આદિત્ય કોલજિસ જૂથ દ્વારા કે મોતીલાલ ઓસવાલ કંપની દ્વારા પૈસા આપવામાં આવ્યા હશે એટલે જ સ્ટેશનોનાં નામ બદલાઈ ગયાં છે. કેટલી રકમ MMRDAને તેમના તરફથી મળી એની ખબર નથી.

હવે જરા વિચારો: ગૌતમ અદાણીની પોતાની અને મુકેશ અંબાણીની પોતાની સંપત્તિ આશરે ૨૨ લાખ કરોડ ₹ છે અને ભારત સરકારનું ચાલુ વર્ષનું બજેટ લગભગ ₹ ૫૦.૬૫ લાખ કરોડ છે.  અદાણી અને અંબાણીના પરિવારોના સભ્યોની સંપત્તિ તો જુદી! 

જો ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી ભારત સરકારને અબજો રૂપિયા આપે અને દેશનું નામ બદલી નાખીને પોતાનું નામ એમાં રાખવાની શરત મૂકે તો શું નરેન્દ્ર મોદીની સરકાર ભારતનું નામ બદલીને અદાણી ભારત કે અંબાણી ઇન્ડિયા કરી શકે? મોદી હૈ તો ઐસા ભી મુમકિન હૈ?

તા.૨૩-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...63646566...708090...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved