Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકો સતત જૂઠ પચાવી રહ્યા છે; છતાં તેમને અપચો કેમ થતો નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|26 July 2025

રમેશ સવાણી

દેશના વડા પ્રધાનમાં ભલે કોઈ ચમત્કારિક શક્તિ ન હોય, વિશેષ આવડત ન હોય તો પણ ચાલે. માત્ર તે એક સારા નાગરિક હોય તેટલું પૂરતું છે. વડા પાસે અર્થતંત્રના નિષ્ણાતો હોય છે / વૈજ્ઞાનિકો હોય છે / ઉત્તમ શિક્ષણશાસ્ત્રીઓ હોય છે / સમાજશાસ્ત્રીઓ હોય છે / કાનૂન વિદ્વાનો હોય છે. એટલે વડા પ્રધાન જો માત્ર સારા નાગરિક બને તો પણ તેમની પાસેના વિદ્વાનો થકી પ્રચંડ કામ કરી શકે છે. 

પરંતુ વડા પ્રધાન કોઈની સલાહ લેવાને બદલે ‘હું બધું જાણું છું, હું સૌને સલાહ આપી શકું છું, હું બીજા કોઈની સલાહ પ્રમાણે ચાલું તો મારું દૈવત્વ ઝાંખું પડી જાય’; એવી માનસિકતા હોય તો પરિણામ બહુ ખરાબ આવે છે. આનું ઉદાહરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમણે આપેલ એક પણ વચન 11 વરસમાં પૂર્ણ થયેલ નથી. અચ્છે દિન આને વાલે હૈ – એવા સૂત્ર સાથે સત્તા પ્રાપ્ત કરી લીધી, પરંતુ દેશની હાલત વધારે ખરાબ કરી મૂકી. મોંઘવારી / બેરોજગારી ઘટવાને બદલે વધી ! શિક્ષણ અને આરોગ્ય ગરીબ અને મધ્યમ વર્ગ માટે અતિ મોંઘું બન્યું. ડોલરના મુકાબલે રૂપિયો સતત નબળો પડ્યો. પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસના ભાવો આકાશે આંબ્યા ! 2014માં 55 લાખ કરોડનું દેવું હતું તે દેવું 2025માં, 205 લાખ કરોડ સુધી વધારી મૂક્યું ! સ્માર્ટ સિટી / દત્તક ગામની યોજનાઓ અભરાઈએ ચડી. યૌન શોષણની ફરિયાદ નોંધાવવા છેક સુપ્રીમ કોર્ટ જવું પડે તેવી સ્થિતિ કરી મૂકી. ભ્રષ્ટાચારે તો હિમાલયને નાનકડો કરી મૂક્યો. જે નેતાઓ પર CBI / IT / EDની રેડ પડેલ તેમને પોતાની સાથે લઈને ભ્રષ્ટાચારને સર્ટિફાઈડ કરી દીધો ! જેટલો વધુ ભ્રષ્ટ નેતા એટલો વઘુ દેવદૂત; આ પોલિસી અમલમાં મૂકી ! 107 ગુનાના આરોપીને પ્રકાશ પ્રમુખ બનાવ્યા અને કેન્દ્રમાં મિનિસ્ટર પણ બનાવી દીધા. તડિપારને ગૃહખાતુ સોંપી સરદાર પટેલનું અપમાન કર્યું ! પોતાની આજુબાજુ માત્ર સ્તુતિ કરનારા / આંગળી ઊંચી કરનારા / તૈયાર ટ્વિટ ફોરવર્ડ કરનારાઓને રાખ્યા, પોતાના જ પક્ષના વિદ્વાન નેતાઓને સાઈઝ પ્રમાણે વેતરી નાખ્યાં ! પરિણામ એ આવ્યું કે ચારે તરફથી નિષ્ફળતાઓનો સામનો કરવાનો વારો આવ્યો. ગોદી મીડિયા ગમે તેટલી કલઈ કરે તે તરત જ ઉખડી જાય છે. ઢોળ હવે ચડતો નથી. ઢોળ ચડાવવા જાય છે પણ ગંદકી વધારે દેખાતી થાય છે. આ સ્થિતમાં વડા પ્રધાન સતત જુઠ્ઠું બોલી રહ્યા છે. વિશ્વના સૌથી જુઠ્ઠા વડા પ્રધાન બની ગયા છે !

21 જુલાઈ 2025ના રોજ, સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાને પત્રકારોને 18 મિનિટ એકતરફી ભાષણ આપ્યું તેમાં જૂઠાણાંનો પહાડ ઊભો કરી કહ્યું : “દેશમાં 2014 પહેલા મોંઘવારીનો દર ડબલ આંકડામાં રહેતો હતો. આજે 2 ટકાની આસપાસ આવતા દેશના સામાન્ય લોકોના જીવનમાં રાહત થઈ છે !”

ગોદી મીડિયા અને દૂરદર્શને આ ભાષણ પ્રસારિત કર્યું. પરંતુ લોકોને સવાલ એ થયો કે નોટબંધી કર્યા પછી અર્થતંત્રની કમર તૂટી ગઈ છે; નાના ઉદ્યોગો લાખોની સંખ્યામાં બંધ થયા છે અથવા બિમાર પડ્યા છે; ગરીબ / મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર ચલાવવા ફાંફાં મારી રહ્યાં છે; લોકો સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે; તે સંજોગોમાં ક્યા આંકડા આધારિત વડા પ્રધાન સાવ જુઠ્ઠું બોલી રહ્યા હશે? સત્તાપક્ષના પ્રત્યેક સંસદસભ્ય / ધારાસભ્ય મોદીજીના જૂઠાણાંને અમૃત તુલ્ય માને છે ! દેશના પ્રબુદ્ધ નાગરિકો પણ પદ્મશ્રી / પદ્મભૂષણની લાલચે મૌન સેવે છે. 

સવાલ એ છે કે વડા પ્રધાન સાવ / ભયંકર જૂઠું કેમ બોલે છે? કેમ કે તેમની પાસે સ્થિતિ સુધારી શકે તેવો બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. પક્ષના સમજદાર નેતા મૌન છે અને તેઓ માને છે કે આ જૂઠાણાનો ભાર વધુ સમય સુધી ટકશે નહીં. પક્ષમાં તો ભયંકર તાનાશાહી સ્થાપી દીધી છે, કોઈ આંખ ઊંચી કરીને જૂએ એટલે તરત જ તેને અપમાનિત કરી ખૂણામાં બેસાડી દે છે. કેશુભાઈ પટેલ / અડવાણી વગેરે અનેક ઉદાહરણો છે.

કોરોના કાળમાં ભારતમાં 47 લાખ લોકોના જીવ ગયા, મોતના આંકડા છૂપાવ્યા. મોદીજીએ સંસદમાં જૂઠનો મહાગોળો ફેંક્યો કે ‘એક પણ મૃત્યુ ઓક્સિજનની અછતના કારણે થયું નથી !’ લોકો આ જૂઠ પચાવી ગયા હતા. ‘મોંઘવારીનો દર આજે 2 ટકાની આસપાસ આવતા દેશના સામાન્ય લોકોના જીવનમાં રાહત થઈ છે !’ આ મહાજૂઠ પણ લોકો પચાવી જશે !

સવાલ એ છે કે વડા પ્રધાન સતત જુઠ્ઠું બોલી રહ્યા છે છતાં તેમને કોઈ ચિંતા કેમ થતી નહીં હોય? લોકો સતત જૂઠ પચાવી રહ્યા છે; છતાં તેમને અપચો કેમ થતો નથી? આવો ચમત્કાર કેમ થતો હશે? ધર્મ નામની જડીબુટ્ટી આ ચમત્કાર કરી શકે છે ! 

[કાર્ટૂન સૌજન્ય : આલોક / સતીષ આચાર્ય]
25 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાંચ વર્ષનો સૌથી નીચા ફુગાવા સાથે આવતો આનંદ અને ચિંતા 

નેહા શાહ|Opinion - Opinion|26 July 2025

નેહા શાહ

સામાન્ય માણસ માટે ફુગાવો રાક્ષસ બનીને આવતો હોય છે અને આર.બી.આઈ. માટે માથાનો દુખાવો. જ્યારે ફુગાવાનો દર ૨.૧ ટકા જેટલો નીચો ગયાના સમાચાર આવે છે, ત્યારે એક મોટી રાહતના સમાચાર લાગે છે. ભાવ ઘટ્યા નથી, એનો વૃદ્ધિ દર ઓછો થયો છે. જે ભાવ બે વર્ષ પહેલા છ ટકાથી પણ વધુ દરે વધતા હતા તે હાલમાં ૨.૧ ટકાના દરે વધે છે. સરકારી આંકડા પ્રમાણે છૂટક વસ્તુઓ અને ગ્રાહક વપરાશની વસ્તુઓ – ખાસ કરીને ખાદ્ય વસ્તુઓની કિંમતમાં નિયંત્રણ આવતા ફુગાવાનો દર ઘટેલો દેખાય છે જેને કારણે અર્થતંત્રને થોડી રાહત થઇ છે. 

૨૦૧૯ પછી પહેલી વાર કિંમતોનો વૃદ્ધિ દર આ સ્તરે આવ્યો છે, એટલે આર્થિક નિર્ણયો લેનારા સૌને રાહત થઇ છે. છેલ્લાં પાંચ વર્ષથી આર.બી.આઈ. ફુગાવાને કાબૂમાં લાવવા મથામણ કરી રહી છે. આ સમય દરમ્યાન એક પછી એક આવેલી આપત્તિઓને કારણે દુનિયાભરમાં ભાવમાં એટલો વધારો થયો કે સામાન્ય માણસ માટે જીવવું દુષ્કર બની ગયું. પહેલા કોવીડ લોકડાઉનનાં એ સમયમાં ન ઉત્પાદન શક્ય હતું કે ન વપરાશ. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વના પેટ્રોલનાં પુરવઠા પર અસર કરી ભાવને હલાવી દીધા. ત્યાર બાદ ગાઝા યુદ્ધ – જેને કારણે રાતા સમુદ્ર અને સુએઝ કેનાલના રસ્તે આવતો માલસામાન અટવાતા આયાતી વસ્તુઓની કિમતોને કારણે ફુગાવાનું દબાણ વધ્યું હતું. પાછલાં એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવ નિયંત્રણમાં રહ્યા છે અને ઘર આંગણે ખાદ્ય પદાર્થોનું ખેત ઉત્પાદન સારું રહ્યું છે. આ પુરવઠાનું પ્રમાણ વધતા ફુગાવો કાબૂમાં આવ્યો છે. દેશમાં બદલાતી કિંમતો પર નજર રાખવા માટે તૈયાર થતી છાબડીમાં ખાદ્ય પદાર્થોનું પ્રમાણ લગભગ અડધો અડધ છે. એટલે જ્યારે ખાદ્ય ચીજ વસ્તુઓની કિંમત ઘટે તો એની સીધી અસર ફુગાવાના દર પર દેખાય છે.  

ફુગાવાનો પ્રશ્ન પેચીદો છે. બહુ વધારે પણ નહિ સારો અને બહુ ઓછો પણ. ફુગાવાનો દર નીચો રહે એ ગ્રાહકોને સારું લાગે કારણ કે, ચીજ વસ્તુઓના ભાવ પોસાય તેવા રહે તો જીવન ધોરણ જળવાઈ જાય. આ સાથે એ પણ હકીકત છે કે નીચા ભાવનો મતલબ થાય ઓછી માંગ.  જ્યારે પુરવઠા કરતાં માંગ ઓછી હોય ત્યારે ઉત્પાદકો કોના માટે ઉત્પાદન કરે? જો ઉત્પાદન ઓછું હોય તો નવો રોજગાર પણ કેમનો ઊભો થાય? રોજગારના અભાવે આવક ન ઊભી થાય પરિણામે માંગમાં વધુ ઘટાડો થાય. ગ્રાહકની માંગ અપેક્ષિત સ્તરે વધી નહિ રહી એટલે જ એના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા નથી મળી રહી. આ ચિંતાનું કારણ છે. મંદી તરફ જતી સાયકલના પૈંડા ફરવાની શરૂઆત થવાની શક્યતા તરફ ઈશારો કરે છે. એટલે જ દુનિયાના કોઈ પણ દેશની કેન્દ્રીય બેંકનું લક્ષ્ય શૂન્ય ફુગાવો નહિ હોય પણ માફકસરનો ભાવ વધારો હશે – જે  ગ્રાહકની વધતી માંગની નિશાની છે. માપસરનો ભાવ વધારો ગ્રાહકને એ બોજારૂપ ન લાગે અને સાથે વ્યાવસાયિક પ્રવૃત્તિને પણ વેગ મળતો રહે. આર્થિક પ્રવૃત્તિમાં વધારો રોકાણને ખેંચી લાવે અને જેની સાથે રોજગારમાં પણ વૃદ્ધિ થાય. ભારતમાં આર.બી.આઈ. ચાર ટકા જેટલા ફુગાવાના દરનું લક્ષ્ય રાખે છે, જેમાં ઉપર નીચે બે ટકા જેટલી વધઘટ ચાલે. આજનો દર ૨.૧ ટકા હોય તો એ સ્વીકાર્ય તળેટીના સ્તરથી ખૂબ નજીક છે. એટલે એ જેટલાં રાહતના સમાચાર છે એટલા જ સાવચેત રહેવાનું એલાર્મ બેલ પણ છે. કારણ કે મંદીમાં સરી પડવાની શક્યતાની નજીક છીએ. 

ફુગાવાના દરનો ઘટાડાનું કારણ ખાદ્ય સામગ્રીના ઘટેલા ભાવ કહેવાય છે, જે સામાન્ય ગ્રાહક ને ફાયદો કરાવશે. પણ શું એનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પણ આ ઘટના એટલી જ સારી છે? અર્થતંત્રમાં આ વિરોધાભાસ હંમેશાં હોય છે. જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવ ઘટે છે ત્યારે કૃષિ અને ખેડૂત પર એની માઠી અસર દેખાય છે. ઉત્પાદનનો ખર્ચ ઘટતો નથી પણ, વળતર ઘટી રહ્યું હોય એવા સંજોગોમાં ખેડૂતને ઓછા પૈસા મળે તો એની ખરીદ શક્તિ પર અસર પડે. ગ્રામીણ ક્ષેત્રની ખરીદ શક્તિ આમ પણ નાજુક જ રહી છે. કૃષિમાં થોડો ધક્કો વાગે અને એ તાણમાં આવી જાય. રસ્તા પર આવીને ટામેટા વેરી દેતા ખેડૂતો આપણે જોતા આવ્યા છીએ. હાલમાં આર્થિક વૃદ્ધિ દર વધારવા માટે ગ્રામીણ વિસ્તારમાં માંગની વૃદ્ધિ જરૂરી છે. 

ફુગાવો કાબૂમાં આવતા આર.બી.આઈ.એ નાણાં નીતિ હળવી કરી છે, જેથી રોકાણ પણ વધે અને માંગ પણ વધે. પણ દેશનું અર્થતંત્ર જ્યારે અનેક અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે ત્યારે માત્ર નાણાં નીતિ કેટલો ફરક  લાવી શકશે?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બે ગઝલ

દિશિતા ભટ્ટ જોષી|Poetry|26 July 2025
[1]

શાહી પૂરી થઈ

કશું જ વિચારવું નથી શબ્દો કે તેના અર્થો વિશે,
કલમ કહે તો હું કરું વાત એક કોરા કાગળ વિશે.

ગણતરી કરીને હિસાબ લખવો હતો જિંદગી વિશે,
અંતે મને સમજાયું નહીં માણસની બાદબાકી વિશે.

સતત આવતા હતા મનમાં ઉલ્લેખો હકીકત વિશે,
અને વાત કરવી હતી મારે તો થોડાં સ્વપ્નો વિશે.

વાંચે કોણ જિંદગીના અમુક અટપટા વાક્યો વિશે,
મારે તો કહેવું હતું ધીરજની આ સીધી રેખા વિશે.

અનુભવ લખવો હતો ફક્ત ચાર જ અક્ષરો વિશે,
પણ શાહી પૂરી થઈ ગઈ લખવામાં જિંદગી વિશે.

[2]

ક્યારેક તો પૂછ તું!!

જીવનના આ સંગ્રામમાં સાથ વિશે ના પૂછ તું,
પરંતુ સમયાંતરે છૂટેલા હાથ વિશે તો પૂછ તું!

ક્યારેક સામે મળે તો મારા હાલ વિશે ના પૂછ તું,
પરંતુ પાછળથી લાગેલા ઘા વિશે તો પૂછ તું!

સાવ સીધા-સરળ દેખાતા રસ્તા વિશે ના પૂછ તું
પરંતુ વળાંકો વાળા અકસ્માતો વિશે તો પૂછ તું!

જિંદગી જીવવી હોય તો રાહત વિશે ના પૂછ તું,
પરંતુ આહત આ મનના સ્તરો વિશે તો પૂછ તું!

ઠીક છે, ચાલ, ભલે જિંદગી વિશે ના પૂછ તું,
પરંતુ ક્યારેક તો ખુદના હાલ વિશે તો પૂછ તું!

e.mail : parthdhjoshi@rediffmail.com

Loading

...102030...63646566...708090...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved