Opinion Magazine
Number of visits: 9457194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધાને થોડા થોડા જીતાડ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|9 June 2024

રમેશ ઓઝા

કમાલનાં પરિણામો આવ્યાં છે. માત્ર એક વ્યક્તિના અહંકારને ચકનાચૂર કરવા માટે જાણે કે ઈશ્વરની કોઈ યોજના ન હોય! બી.જે.પી. જે મોરચાનો ઘટક છે એ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એન.ડી.એ.) સહેજે સરકાર રચી શકે એમ છે. સાદી બહુમતી તેને મળી છે. બી.જે.પી.ને ૨૪૦ બેઠકો મળી છે અને લોકસભામાં સૌથી મોટો પક્ષ છે. ૧૯૯૮ અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં બી.જે.પી.ને લોકસભામાં માત્ર ૧૮૦ બેઠકો મળી હતી. ૧૮૦ની તુલનામાં ૨૪૦ તો ઘણી મોટી સંખ્યા કહેવાય, પણ એ છતાં ય ત્યારે વાજપેયી વિજેતા હતા અને અત્યારે ૨૪૦ બેઠકો જીત્યા પછી પણ નરેન્દ્ર મોદી પરાજીત નેતા છે. વિજય કાઁગ્રેસનો થયો છે. તેની સંખ્યા લગભગ બેવડાઈ છે. કાઁગ્રેસ એક વાસ્તવિકતા તરીકે અને રાહુલ ગાંધી એક વિકલ્પ તરીકે સ્થાપિત થયાં છે. વિજય અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સ્તાલીનનો થયો છે. આ ચૂંટણીમાં શરમજનક પરાજય થયો છે નરેન્દ્ર મોદીનો, અમિત શાહનો અને યોગી આદિત્યનાથનો. તેમની આખલાઉધમ મચાવનારી રાજકીય શૈલીનો.

એક વાત નક્કી છે કે હવે પછી એ માણસ એ માણસ નહીં હોય જે ૩જી જૂન ૨૦૨૪ સુધી જોવા મળતો હતો. ચોથી જૂને પરિણામ આવ્યાં એ પછી પક્ષના કાર્યાલયમાં તેમને બોલતા સાંભળ્યા? તેમનો ચહેરો જોયો? ચહેરા પર ગર્વખંડનની વેદના સ્પષ્ટ નજરે પડતી હતી. ચહેરો વગર આંસુએ રડતો હતો. તેમણે કહેવું પડ્યું હતું કે બિહારમાં નીતીશબાબુના નેતૃત્વમાં એન.ડી.એ.ને વિજય પ્રાપ્ત થયો હતો. બીજાનો યશ આંચકી જનાર મોદીસાહેબને એ માણસને વિજયનો યશ આપવો પડ્યો હતો જે તેમને દીઠ્યો ગમતો નથી. તેમણે તેમનાં ભાષણમાં આંધ્ર પ્રદેશના તેલગુ દેશમ પાર્ટીના નેતા ચન્દ્રાબાબુ નાયડુને વિજયનો શ્રેય આપવો પડ્યો હતો. આનું કારણ એ છે કે આ બે માણસના હાથમાં ટ્રમ્પકાર્ડ છે. જો ત્રીજી વખત વડા પ્રધાન બનવું હોય તો આ બે જણને રાજી કરવા જરૂરી છે. મને આજે રમેશ પારેખની આલા ખાચર સીરીઝની કવિતાઓની યાદ આવે છે. જેમણે ન વાંચી હોય એ વાંચી જાય.

અભિમાન રાજા રાવણનું પણ ટક્યું નહોતું, પણ આ ત્રણ લોકોને એમ લાગતું હતું કે મૃત્યુપર્યંત કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. કોઈ બહુ પ્રભાવ ધરાવે છે? સતાવો અને નાખો જેલમાં. કોઈ નીડરતાપૂર્વક બોલે છે? કરો સંસદમાંથી બહાર. (રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રા) કોઈ પક્ષ રાજકીય શક્તિ ધરાવે છે? કરો તેના પક્ષમાં વિભાજન અને ખરીદો વિધાનસભ્યો અને તોડો સરકાર. અમે કાંઈ પણ કરીએ તમે બોલનાર કોણ? જો બોલ્યા તો ચલાવો બુલડોઝર. ઉત્તર પ્રદેશમાં તો યોગી આદિત્યનાથે બુલડોઝરનો આતંક મચાવ્યો હતો અને તેમનાં માથાભારે શાસનને નો નોનસેન્સ શાસન તરીકે ઓળખાવીને ગોદી મીડિયા આરતી ઉતારતા હતા. માટે કહેવાનું મન થાય છે કે ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધાને થોડાથોડા જીતાડ્યા, માત્ર આ ત્રણને પસંદ કરીને પરાજિત કર્યા અને તેમને તેમની જગ્યા બતાવી દીધી.

સત્ય, સંયમ, વિવેક, સભ્યતા, સંસ્કાર, નમ્રતા, મર્યાદા, સાદગી જેવા માનવીય ગુણો નબળાઈનાં લક્ષણો નથી, એકંદરે માનવીમાં હોવી જોઈતી માણસાઈનાં લક્ષણ છે. આટલી પાયાની વાત શાખાઓમાં કોઈએ શીખવી નહીં હોય? ના, નથી શીખવવામાં આવતી. શાખાઓમાં શીખવવામાં આવે છે કે સદ્દગુણ એ નબળાઈ છે. એટલે તો એ લોકો ગાંધીજી માટે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કહે છે. જે નિર્બળ હોય, મજબૂર હોય એ માણસાઈ બતાવે. આજે આટલા આટલા પ્રયત્નો પછી પણ “મજબૂર” ગાંધી મરતો નથી અને માત્ર દસ વરસમાં “બહાદુરો”ની કહેવાતી બહાદુરીનો પારો ઉતરી ગયો. કારણ કે એ બહાદુરી નહોતી, નાગાઈ હતી. માણસાઈનો અભાવ હતો. અમાનવીયતા હતી. બહાદુર હોત તો ચીનનો ચ ઉચાર્યો હોત. ખુલ્લી પત્રકાર પરિષદમાં પ્રેસનો સામનો કર્યો હોત.

આજે દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને  જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? બહુમતી નથી એટલે બીજાઓને પૂછવું પડશે, સાંભળવું પડશે, મર્યાદામાં રહેવું પડશે, મર્યાદા પાળવી પડશે, બોલવામાં સંયમ જાળવવો પડશે, આગળ શું બોલ્યા હતા એનું ધ્યાન રાખવું પડશે, રાતોરાત નોટબંધી અને લોકડાઉન જેવા નિર્ણયો નહીં લઈ શકાય, “મોદી મોદી”ની આરતી ઉતારીને નશો કરાવનારાઓ એકએક કરીને ભાગી જશે, ટ્રોલિંગ નહીં કરાવી શકાય, ભાઈબંધ ઉદ્યોગપતિઓની મદદ નહીં કરી શકાય, પ્રજાના પૈસે મોટા તાયફાઓ નહીં યોજી શકાય. ગુમાન ધરાશયી થઈ ગયું છે અને ત્યારે દરેક જણ રોજેરોજ ચોવીસે કલાક એ “સુવર્ણ દિવસો” અને અત્યારના “માઠા દિવસો”ની યાદ અપાવતા રહેશે. મનમાં થાય છે કે આનાથી વધારે મોટી સજા બીજી કઈ હોઈ શકે! શું પરિણામ આવ્યાં છે! નાસ્તિકને પણ ઈશ્વરમાં માનવાનું મન થઈ આવે!

તો દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને  જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? એવી તે કેવી સત્તાની લાલચ કે ભલે નીચી મુંડી કરવી પડે, ભલે સિંહમાંથી શિયાળ બનવું પડે, પણ વડા પ્રધાન તો બનવું જ છે. સત્તાની લાલચ તો છે જ. ઐશ્વર્ય માટે એ માણસ ઝૂરે છે. જવાહરલાલ નેહરુ તેમને બહુ સતાવે છે. નેહરુ ત્રણ મુદ્દત માટે વડા પ્રધાન બન્યા હતા એટલે મોદીસાહેબ પણ ત્રણ વખત વડા પ્રધાન બનીને તેમની પંક્તિમાં બેસવા માગે છે. તેઓ એક વાત ભૂલી જાય છે કે ૧૯૬૨માં નેહરુના નેતૃત્વમાં કાઁગ્રેસનો પરાજય નહોતો થયો. હા, બેઠકો ઘટી હતી. કાઁગ્રેસને લોકસભાની એ સમયની કુલ ૫૦૮ બેઠકોમાંથી ૩૬૧ બેઠકો મળી હતી. ક્યાં ૫૦૮માંથી ૩૬૧ અને ક્યાં ૫૪૩માંથી ૨૪૦! બીજું, કદાચ તેમને એમ લાગતું હશે કે સત્તા નામનું કવચ જતું રહેશે તો કદાચ દુ:શ્મનો સતાવશે. દરેક પાસે કારણ પણ છે, કારણ કે દરેકને સતાવવામાં આવ્યા છે. આ સિવાય રાફેલ, ઇલેક્ટરોલ બોન્ડ્સ, વેક્સીન જેવાં પ્રકરણો પણ છે. અને ત્રીજું કારણ માનસિક છે. નરેન્દ્ર મોદી અને એક સામાન્ય માણસ! લોકસભમાં સામેની બાજુએ બેસે! વળી એ કોઈ ડૉ. મનમોહન સિંહ તો છે નહીં કે સત્તા સિવાય પણ જીવવા માટે બીજાં કારણો હોય અને કરવા માટે બીજી પ્રવૃત્તિ હોય. માટે ભલે સિંહમાંથી શિયાળ થવું પડે, પણ સત્તા તો જોઈએ.

ઘણાં વર્ષો પહેલા ચક્રવર્તી રાજગોપાલાચારીએ મુંબઈમાં સંસ્કાર અથવા સંસ્કૃતિ વિષે ત્રણ વ્યાખ્યાન આપ્યાં હતાં. ત્રીજા દિવસે એ ત્રણ દિવસના વ્યાખ્યાનનો નીચોડ તેમણે માત્ર એક વાક્યમાં આપ્યો હતો. શું કહ્યું હતું તેમણે માત્ર એક વાક્યમાં? Culture is concern for others. જે પોતા સિવાય બીજાનો પણ વિચાર કરે, બીજાની પણ ચિંતા કરે એ સંસ્કાર.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024

Loading

ભારતના સેક્યુલર મતદાતાઓએ પરમાત્માને પરાજીત કર્યા છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|8 June 2024

રમેશ ઓઝા

પરમાત્માનો પરાજય. ભારતના સેક્યુલર મતદાતાઓએ પરમાત્માને પરાજીત કર્યા છે. પાંચમાં અને છઠ્ઠા ચરણની ચૂંટણી વચ્ચે પાળીતા પત્રકારોને મુલાકાત આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “હવે મને એમ લાગવા માંડ્યું છે કે હું યૌનસંતાન નથી, પરંતુ પરમાત્માએ મને ખાસ કામ માટે મોકલ્યો છે.” આવો વહેમ આ જગતમાં ઘણા આત્મમુગ્ધ તાનાશાહો ધરાવતા આવ્યા છે. આ કોઈ સાવ નવો નક્કોર દાવો નથી. તેનો પણ ઇતિહાસ છે, પણ એ વાત જવા દઈએ.

શું પરમાત્માએ પસંદ કરેલા દૈવીપુરુષને એમ કહ્યું હતું કે હું (એટલે કે પરમાત્મા) ભારતનાં મુસલમાનોના ચહેરા પર ડર જોવા માગું છું? મણિપુરની સ્ત્રીઓની લાજ ઉતરતી જોવા માગું છું? વિરોધ પક્ષને નેસ્તનાબૂદ થયેલો જોવા માગું છું? તેના નેતાઓને જેલમાં સબડતા જોવા માગું છું? ભારતનાં લોકતંત્રને રૂંધાતું જોવા માગું છું? યુવાનોને રોજગાર વિના રખડતા જોવા માગું છું? મોંઘવારીને કારણે ત્રાહિમામ્‌ પોકારી ગયેલી પ્રજાને જોવા માગું છું? જે તે માગણીઓ લઈને આંદોલન કરનારાઓને સબક શીખવાડવા માગું છું? ભારતની ભૂમિ પર કબજો કરનારા ચીનનો ચ નહીં ઉચારનાર કૃતનિશ્ચયી અને નીડર નેતાને જોવા માગું છું? ચોવીસે કલાક પોતાનો જયજયકાર કરાવનારા અને વિરોધીઓને બદનામ કરનારા એક અનોખા દિવ્યપુરુષને ભારતની ભૂમિ પર વિચરતો જોવા માગું છું? દેશમાં મોકળાશનો અંત અને ડરનું સામ્રાજ્ય જોવા માગું છું? કોઈ આવા ઉદ્દેશથી પરમાત્માએ નરેન્દ્ર મોદીના શરીરને પસંદ કર્યું હશે?

બને કે પરમાત્માને પણ જૂની યાદો સતાવવા લાગી હોય જ્યારે જગત આખામાં જે તે ધર્મના ઠેકેદારો આ બધું કરતા હતા. યુરોપમાં પુન:જાગરણ થયું અને એમાંથી જે મૂલ્યો વિકસ્યાં તેણે ધર્મના નામે “માપમાં રહો અને ડરીને જીવો”ના યુગને સમાપ્ત કરી દીધો. ભારતમાં પણ એનો ચેપ લાગ્યો અને ભારતની પ્રજાએ પણ “માપમાં રહો અને ડરીને જીવો”ની વ્યવસ્થા ફગાવી દીધી. ભારતની પ્રજાએ વ્યક્તિગત મોકળાશ, સ્વતંત્રતા, વ્યવસ્થામાં ભાગીદારી, ધર્મની જગ્યાએ સેક્યુલર બંધારણ દ્વારા શાસિત વ્યવસ્થા સ્વીકારી. આ બધું જોઇને કદાચ ભગવાનને થયું હશે કે કેવો એ સુવર્ણકાળ હતો જ્યારે ઈશ્વરને નામે અને એ ઈશ્વર સુધી લઈ જતા ધર્મને નામે કેટલાક લોકો પ્રજાને કચડતા હતા અને ડરાવીને રાખતા હતા. એ દરેક પોતાને ઈશ્વરે પસંદ કરેલા ખાસ દૈવી પુરુષ તરીકે ઓળખાવતા હતા. આપણે ત્યાં બ્રાહ્મણો પોતાને બ્રહ્માના મુખમાંથી પેદા થયેલા હોવાનો દાવો કરે છે અને પ્રજાને તેની મર્યાદા બતાવીને ડરાવી રાખતા હતા. કેવા એ વૈભવી દિવસો હતા! શું ઈશ્વર જૂની યાદોમાં સરકી પડ્યા હશે? માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લાહવો એમ કવિ કલાપીએ કહ્યું છે.

“માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના એક દાયકાના શાસનનો ધ્રુવમંત્ર હતો. પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા કે ભારતની પ્રજાએ પણ યુરોપના પુન:જાગરણનાં મૂલ્યોને અપનાવ્યાં છે. અપનાવ્યાં નથી, ઠીકઠીક પ્રમાણમાં આત્મસાત કર્યા છે. આ મૂલ્યો બંધારણ દ્વારા ભારતને મળ્યાં છે એ વાત સાચી, પણ વધારે સાચી વાત એ છે કે છેલ્લાં બસો વરસ દરમ્યાન ભારતની પ્રજાને મળેલાં અને પ્રજાએ સ્વીકારેલાં એ મૂલ્યોને બંધારણમાં સમાવવામાં આવ્યાં છે. સ્વીકૃત મૂલ્યોને બંધારણમાં આમેજ કરવામાં આવ્યાં છે. આઝાદી પછીના સાત દાયકા દરમ્યાન પ્રજાએ એ મૂલ્યો જીવ્યાં છે. વ્યક્તિગત મોકળાશ, સત્તામાં ભાગીદારી, જવાબદાર શાસન, લોકશાહી, પસંદગીનો અધિકાર, માગણીઓ કરવાનો અધિકાર, માગણી ન સંતોષાય તો લડવાનો કે આંદોલન કરવાનો અધિકાર, વગેરે વગેરે. ભારતની પ્રજાની ત્રીજી પેઢી “માપમાં રહો અને ડરીને જીવો”થી ઊલટું “મોકળાશથી જીવો અને આગળ વધો”ના જીવનમંત્ર સાથે જીવી રહી છે. ભારતીય રાષ્ટ્રનું જેમણે પાયારોપણ કર્યું એ પૂર્વસૂરિઓ પાસેથી મળેલો, પ્રજાએ સ્વીકારેલો અને જીવેલો વારસો છે.

પણ એની વચ્ચે ૨૦૧૪માં એક માણસનું અવતરણ થયું અને તેણે પ્રજાને કહ્યું કે માપમાં રહો અને ડરીને જીવો. ખૂબી એ વાતની છે કે જ્યારે અવતરણ થયું ત્યારે એ દૈવીપુરુષે કહ્યું હતું કે હું તો મહાન ભારતીય રાષ્ટ્રની વ્યવસ્થામાં પેઠેલા સડાને સુધારવા માટે આવ્યો છું. આ મહાન દેશની વ્યવસ્થા ભ્રષ્ટાચાર, સગાંવાદ, નોકરશાહી, અનિર્ણય-અવસ્થા, કૃતનિશ્ચયતાનો અભાવ, મૌલિકતાનો અભાવ વગેરેનો શિકાર બની ગઈ છે. એમાં મોટા સુધારાની જરૂર છે અને મોટા સુધારા માટે મોટું લોકસમર્થન ધરાવનારા નેતાની જરૂર છે. હું આવો એક માણસ છું અને આ બધું મેં ગુજરાતમાં કરી બતાવ્યું છે. (હા સાચી વાત છે, હા સાચી વાત છે એમ કહેનારા લોકોની એક ફોજ આ પહેલાં જ તૈયાર રાખવામાં આવી હતી.) લોકોએ એ દાવા પર વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી આપી. ૨૦૧૯માં હજુ વધુ મોટો સાથ આપ્યો. કાટ ખાઈ ગયેલી વ્યવસ્થાને સુધારવા માટે સમય તો આપવો જોઈએ.

આની વચ્ચે સમજદાર હિંદુઓનો એક વર્ગ સતત લોકોને ચેતવતો હતો કે તેમનો ઈરાદો વ્યવસ્થામાં સુધારા કરવાનો નથી, પણ સમૂળગી વ્યવસ્થા બદલી નાખવાનો છે અને તેની જગ્યાએ એવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો છે જેમાં મધ્યયુગીન વિશ્વમાં જોવા મળતું હતું એમ ધર્મના નામે પ્રજાની છાતી પર ચડી શકાય. ધર્મના નામે પ્રજાને પોરસાવો ડરાવો અને પછી કહો કે હું છું ને ડરવાની જરૂર નથી. ભયમુક્ત કરીને ભય દૂર કરવાના ગાંધીજીના માર્ગથી ઊલટું ભયભીત કરીને ભયમુક્ત કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મારી આંગળી પકડો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે કારણ કે આપણે મહાન પ્રજા છીએ અને તમારો નેતા ઈશ્વરી તાકાત ધરાવે છે. તેમને બસ આટલું જ જોઈએ છે અને તેને સાકાર કરવા બેશુમાર શક્તિ જોઈએ છે. એ બેશુમાર સાધનો ભાઈબંધ ઉદ્યોગપતિઓ પાસેથી મળે છે જેનાં દ્વારા પ્રજાને કેફમાં રાખવામાં આવે છે, કેટલાક લોકોને ડરાવવામાં આવે છે, વિરોધ પક્ષોને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે, વ્યવસ્થાતંત્રના મહત્ત્વના માણસો(જજો, અધિકારીઓ વગેરે)ને ખરીદવામાં આવી રહ્યા છે, ગોદી મીડિયા પ્રજાને કેફમાં રાખવાનું અને વિરોધીઓને બદનામ કરવાનું કામ કરે છે, પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને ઘોંઘાટ પેદા કરીને દબાવી દેવાનો પ્રયાસ કરે છે, આર્મી ઓફ ટ્રોલ્સ જંગલી કૂતરાઓની જેમ વિરોધીઓની પાછળ પડી જાય છે. ટૂંકમાં હિંદુઓનો ટેકો મળવો જોઈએ; બને ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક અને નહીં તો ડરીને.

આમ બે પક્ષે કામ થતું હતું. કેટલાક લોકો નરેન્દ્ર મોદીને મહાન ચીતરતા હતા અને કહેતા હતા કે દેશનું સૌભાગ્ય છે કે આપણને આવા મહાન પ્રતાપી નેતા મળ્યા છે. અને બીજા લોકો ડરાવવાનું કામ કરતા હતા. એક જમાત શ્રદ્ધાનું વાવેતર કરતી હતી અને બીજી જમાત ડરનું વાવેતર કરતી હતી. બધું જ આયોજનપૂર્વક થઈ રહ્યું હતું અને નરેન્દ્ર મોદીને એમ લાગવા માંડ્યું હતું કે હવે કોઈ માઈનો લાલ હાથ પણ લગાડી શકે એમ નથી. અને એ પછી જે તુમાખી શરૂ થઈ તેનો નજીકનો અને લાંબો ઇતિહાસ છે. પણ અભિમાન તેમ જ તુમાખીમાં એક જોખમ છે. તુમાખી ઉપરથી નીચે ઉતરે છે. વિકાસના લાભ નથી ઉતરતા, પણ તુમાખી ઉતરે છે. સ્થિતિ એવી બની કે ફેસબુકનો હિન્દુત્વવાદી વાચક પણ દાદાગીરી કરવા લાગ્યો. પ્રત્યેક હિન્દુત્વવાદી રાજાપાઠમાં રહેવા લાગ્યો. આપણે દૈવીપુરુષ હોવાનો થોડોથોડો અનુભવ દરેક કરવા લાગ્યા. તુમાખી, દાદાગીરી, અતિરેકો વધવા લાગ્યા અને લોકોએ એ પણ જોયું કે આમાં તો કોઈનો વાળ પણ વાંકો થતો નથી. “માપમાં રહો અને ડરીને જીવો” એ નરેન્દ્ર મોદીના શાસનનો ધ્રુવમંત્ર હતો.

આગળ કહ્યું એમ સમજદાર હિંદુઓ ધીરજ ગુમાવ્યા વિના સતત આ વાત લોકોને સમજાવતા હતા. તેઓ જે કહેતા હતા એ હવે પ્રત્યક્ષ જોવા અનુભવવા મળ્યું. ઓછામાં પૂરું બેકારી અને મોંઘવારીની તો કોઈ વાત જ નહીં કરવાની. ૨૦૧૪માં જે કહેવામાં આવ્યું હતું એ તો જાણે કે એક યુગ વીતી ગયો હોય એમ ભૂલાવી દેવામાં આવી. વિરોધ પક્ષો અધમુઆ હતા, મીડિયાનો સાથ નહોતો, ચૂંટણીપંચ ખિસ્સામાં હતું અને દરેક રીતે મદદ કરતું હતું, વહીવટીતંત્ર ભા.જ.પ.ની જીત માટે કામ કરતું હતું, પૈસા બેશુમાર હતા, વિરોધ પક્ષો પાસે ભા.જ.પ.ના એક રૂપિયા સામે દસ પૈસા પણ નહોતા અને ભયનું વાતાવરણ હતું. આવી અસમાન સ્થિતિમાં જે પરિણામ આવ્યું એ તમારી સામે છે. જો ચૂંટણી એક સમાન સ્થિતિમાં લડાઈ હોત તો બી.જે.પી.ને હજુ સો સીટ ઓછી આવી હોત. જગતના સંસદીય ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે સાવજ અને સસલાની લડાઈમાં સાવજનો પરાજય થયો, કારણ કે લોકોને વાસ્તવિકતા સમજાઈ ગઈ અને તેમણે ચૂંટણી પોતાના હાથમાં લઈ લીધી.

સમજદાર અને આંખ ઉઘડેલા ભારતીયો (મુખ્યત્વે હિંદુઓ) વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની આ લડાઈ હતી જેમાં નરેન્દ્ર મોદીનો પરાજય થયો છે. જયવિજયને તેમણે પોતે જ વ્યક્તિગત કરી નાખ્યો હતો, એટલે એન.ડી.એ. નામનો મોરચો સરકાર રચી શકે એમ છે કે પછી ભા.જ.પ. સૌથી મોટો પક્ષ છે એ ગૌણ છે, મુખ્ય છે નરેન્દ્ર મોદીનો પરાજય. જો ૨૦૧૯માં મળેલી ૩૦૩ બેઠકોનો શ્રેય તેમને જતો હોય તો ૬૩ બેઠકો ગુમાવવાનો અપયશ પણ તેમને જ મળવો જોઈએ. આખો પ્રચાર મોદીના નામે અને મોદી માટે કરવામાં આવ્યો હતો. “મોદી કી ગેરંટી.” વ્યક્તિગત રીતે વારાણસીમાં તેમને માત્ર દોઢ લાખ મતોની સરસાઈ મળી છે જે રાહુલ ગાંધી તો છોડો અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવનાર કિશોરીલાલ શર્મા કરતાં અડધી છે. એક સમયે તો તેઓ કાઁગ્રેસના ઉમેદવારથી પાછળ પણ હતા. તેઓ ૨૦૧૯માં ૪,૭૯,૫૦૫ મતોથી જીત્યા હતા. આ વખતે વારાણસીમાં કુલ ૧૧ લાખ ત્રીસ હજાર મત પડ્યા હતા અને અમેઠીમાં નવ લાખ ૭૬ હજાર.

નરેન્દ્ર મોદી(સાથે અમિત શાહ)ના અભિમાનનો પરાજય થયો છે, તુમાખીનો પરાજય થયો છે, તેમણે અપનાવેલી રાજકીય શૈલીનો પરાજય થયો છે. જો લાજશરમ જેવી કોઈ ચીજ હોય તો તેમણે પોતે જ વડા પ્રધાનપદ માટે દાવેદારી ન કરવી જોઈએ.

Loading

क्या दुनिया ने गाँधी को एटनबरो की फिल्म से जाना?

राम पुनियानी|Opinion - Opinion|8 June 2024

राम पुनियानी

एबीपी को 29 मई 2024 को दिए अपने एक साक्षात्कार में प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा, ‘‘क्या पिछले 75 सालों में हमारी यह जिम्मेदारी नहीं थी कि हम सारी दुनिया को महात्मा गांधी से परिचित करवाते? माफ कीजिये, मगर गांधीजी को कोई नहीं जानता था जब तक कि 1982 में उन पर बनी फिल्म रिलीज नहीं हुई थी.” वे जब यह कह रहे थे तब उनका साक्षात्कार ले रहे एबीपी के प्रतिनिधियों के चेहरे भावशून्य थे. उन्होंने प्रधानमंत्री के इस सफेद झूठ पर कोई प्रतिक्रिया व्यक्त नहीं की. इस अत्यंत लंबे चुनाव अभियान के अंतिम दौर में यह वक्तव्य दिए जाने के पीछे के उद्धेश्य का अनुमान लगाना कठिन नहीं है.

बेरोजगारी, महंगाई, किसानों की दुर्दशा, पेपर लीक, अग्निवीर योजना जैसे मुद्दों को लेकर उनके दस साल के शासनकाल की आलोचना बढ़ती जा रही थी. इन महत्वपूर्ण मुद्दों से लोगों का ध्यान कैसे हटाया जाए, यह उनकी चिंता का मुख्य विषय था. महात्मा गांधी को लेकर इस तरह की बात कहने का उद्धेश्य लोगों का ध्यान इन महत्वपूर्ण मुद्दों से हटाने के साथ-साथ यह भी था कि नेहरू और पहले की कांग्रेस सरकारों को दुनिया को गांधीजी के बारे में न बताने के लिए कटघरे में खड़ा किया जा सके.

लेकिन इससे नेहरू और अन्य कांग्रेस सरकारों तो कटघरे में नहीं खड़ी होतीं, उलटे गांधीजी के जीवन और उनके कार्यों, दुनिया में उनकी प्रतिष्ठा और दुनिया के उनके दुनिया के कई महान लोगों के प्रेरणास्त्रोत होने के बारे में मोदी कुछ नहीं जानते. इससे विश्व राजनीति पर 1930 के दशक से ही गांधीजी के असर के बारे में मोदी की अज्ञानता पता लगती है. गांधीजी को दुनिया रिचर्ड एटनबेरो द्वारा लुई फिशर की गांधीजी की जीवनी पर आधारित फिल्म बनाए जाने के बहुत पहले जानती और मानती थी.

दक्षिण अफ्रीका में उनके संघर्ष की वजह से गांधीजी रंगभेद-विरोधी प्रमुख नेता के रूप में उभर चुके थे. गांधीजी के भारत वापिस लौटने और किसानों के चंपारण आंदोलन का नेतृत्व करने के बाद उनके मित्र चार्ली एन्ड्रयूज ने चंपारण सत्याग्रह की अनूठी प्रकृति की बात सारी दुनिया में प्रचारित की. सत्य और अहिंसा पर आधारित उनके सत्याग्रह से कमजोरों और शोषितों की समस्याओं की ओर विश्व का ध्यान आकृष्ट हुआ.

बाद में उनके द्वारा छेड़े गए अन्य आंदोलनों – सविनय अवज्ञा एवं दांडी मार्च – को वैश्विक मीडिया में काफी कवरेज मिला. दुनिया में उनकी पहचान कायम होने से समाज की समस्याओें से साधारण जन को जुड़ने और न्याय के लिए संघर्ष करने की प्रेरणा मिली. उनके कार्यों की खबरें और और कथन बिजली की तेजी से सारी दुनिया में फैल गए. जहां एक ओर भारत में अंग्रेजों का दमन बढ़ता गया वहीं शांति, न्याय एवं अहिंसा जैसे मूल्यों का सम्मान करने वाले लोगों का ध्यान मानवतावाद के सिद्धांतों के सन्दर्भ में वैश्विक स्तर पर गांधीजी के योगदान की ओर गया.

शायद मोदी उस काल में गांधीजी के योगदान और दुनिया में उनके अत्यंत लोकप्रिय होने के बारे में न जानते हों, लेकिन उन्हें यह जरूर जानना चाहिए कि अंग्रेजी समाचार पत्र ‘द बर्लिंगटन हॉक आई’ ने रविवार, 20 सितंबर 1931 के अंक में पूरे एक पृष्ठ में उन पर सामग्री प्रकाशित की थी, जिसमें उन्हें ‘विश्व का सर्वाधिक चर्चित व्यक्ति’ बताया गया था. प्रतिष्ठित अमरीकी पत्रिका ‘टाईम’ ने उनकी तस्वीर अपने मुखपृष्ठ पर प्रकाशित की और उन्हें सन् 1931 का ‘मेन ऑफ द ईयर’ घोषित किया. दो अन्य अवसरों पर उनकी तस्वीर इस प्रसिद्ध पत्रिका के मुखपृष्ठ पर प्रकाशित की गई. इसी तरह टाईम की सहयोगी पत्रिका लाईफ ने भी गांधीजी पर केन्द्रित परिशिष्ट प्रकाशित किया.

दुनिया भर में अपने विचारों और कार्यों के माध्यम से न्याय और शांति के लिए प्रयासरत लोग गांधीजी की ओर आकृष्ट हुए. महान वैज्ञानिक अल्बर्ट आईंस्टाइन ने 1939 में लिखा “मेरा मानना है कि गांधीजी के विचार हमारे दौर के सभी राजनीतिज्ञों में से सबसे अधिक प्रबुद्ध थे. हमें उनकी भावना के अनुसार काम करने का प्रयास करना चाहिए: अपने उद्देश्य के लिए लड़ाई में हिंसा का प्रयोग नहीं करना चाहिए, बल्कि जिस चीज को आप बुरा मानते हैं उसमें भाग नहीं लेना चाहिए.” आइंस्टीन ने गांधीजी के बारे में लिखा, “आने वाली पीढियां शायद ही यह विश्वास करेंगी कि रक्त और मज्जा का बना कोई ऐसा आदमी इस धरती पर रहा होगा.”

चार्ली चैपलिन भी गांधीजी के आन्दोलन से प्रेरित थे. वे गांधीजी से मिले और गाँधीजी के मूल्यों का प्रतिबिम्ब चार्ली चैपलिन की फिल्मों ‘मॉडर्न टाइम्स’ और ‘द ग्रेट डिक्टेटर’ में दिखाई देता है. ‘द ग्रेट डिक्टेटर’ में वे गांधीजी और हिटलर के बीच विरोधाभास को दिखाते हैं. इसी तरह फ्रांसीसी नाटककार रोमां रोलां ने ‘यंग इंडिया’ के फ्रेंच संस्करण में लिखा, “अगर ईसा मसीह शांति के राजकुमार थे, तो गाँधी भी इस उपाधि के लिए कोई कम योग्य नहीं हैं.”

बीसवीं सदी के दो प्रमुख सामाजिक कार्यकर्ताओं मार्टिन लूथर किंग और नेल्सन मंडेला गांधीजी के संघर्ष से प्रेरित और प्रभावित थे और उन्होंने अपने संघर्ष के मार्ग का निर्धारण उसी आधार पर किया. सन 1959 में ‘द हिंदुस्तान टाइम्स’ में प्रकाशित अपने लेख में मार्टिन लूथर किंग ने लिखा, “मुझे बहुत शुरू में ही समझ आ गया था कि गाँधी की अहिंसा की शिक्षा और ईसाई धर्म की प्रेम के शिक्षा का संश्लेषण ही नीग्रो लोगों के स्वतंत्रता और मानव गरिमा के लिए संघर्ष के सर्वश्रेष्ठ हथियार है.”

नेल्सन मंडेला के महान और लम्बे संघर्ष का आधार वे मूल्य थे जो उन्होंने गाँधीजी के जीवन और उनकी शिक्षाओं से ग्रहण किये थे. उन्होंने महात्मा गाँधी की इस बात के लिए सराहना की कि उनमें “नैतिकता और सदाचार का संगम तो था ही. इसके साथ-साथ वे दृढ संकल्प वाले व्यक्ति भी थे और उन्होंने कभी भारत के दमनकर्ता ब्रिटिश साम्राज्य से समझौता नहीं किया.”

मोदी को यह पता होना चाहिए कि दुनिया के कई विश्वविद्यालयों में ‘गांधियन स्टडीज’ पाठ्यक्रम का हिस्सा है. कई स्कूलों में गांधीजी की शिक्षाएं पढ़ाई जातीं हैं. दुनिया के करीब 80 शहरों में गाँधीजी के नाम पर सड़कें हैं और उनकी मूर्तियाँ हैं

जहाँ तक फिल्मों का सवाल है, हमारे अपने फिल्म्स डिवीज़न ने गांधीजी पर डाक्यूमेंट्री बनाई थी, जिसका निर्माण विट्ठलभाई झवेरी ने किया था. यह फिल्म एटनबरो की फिल्म से बहुत पहले बनी थी. बल्कि एटनबरो ने यह फिल्म दो बार देखी थी और उन्होंने फिल्म के मुख्य पात्र बेन किंग्सले से कहा था कि गांधीजी के हावभाव और व्यवहार का तरीका समझने के लिए यह फिल्म देखें.

जहाँ तक मोदी के इस आरोप का सवाल है कि पुरानी सरकारों ने गांधीजी को विदेशों में लोकप्रिय बनाने के लिए कुछ नहीं किया, हमें यह नहीं भूलना चाहिए कि एटनबरो की फिल्म में भी भारत सरकार ने नेशनल फिल्म डेवलपमेंट कारपोरेशन के ज़रिये एक बड़ी राशि निवेशित की थी. मोदी की जानकारी के लिए, एटनबरो  की फिल्म को अन्यों के अतिरिक्त नेहरु को भी समर्पित किया गया है. नेहरु ने एटनबरो को यह सलाह दी थी कि वे अपनी फिल्म में गांधीजी को देवता न बनाएं बल्कि अपनी कमजोरियों के साथ एक मनुष्य के रूप में प्रस्तुत करें. गांधीजी को लोग उन पर बनी फिल्मों के कारण नहीं जानते बल्कि उन पर फिल्में इसलिए बनीं क्योंकि उन्हें दुनिया जानती थी. उन पर सैकड़ों पुस्तकें लिखी गयी हैं.

चुनाव ख़त्म हो गया है और गांधीजी पर यह बयान, जिसका उद्देश्य लोगों का ध्यान भटकाना है, का उपयोग हम राष्ट्रपिता और उनकी अमूल्य शिक्षाओं को एक बार फिर याद करने के लिए कर सकते हैं. सद्भाव और शांति की उनकी शिक्षाएं आज पहले से भी अधिक प्रासंगिक हैं.

6 जून 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं) 

Loading

...102030...545546547548...560570580...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved