Opinion Magazine
Number of visits: 9955366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે પોતાના પર રાજ્ય કરે છે તે સમ્રાટોનો સમ્રાટ છે : મિલ્ટન

સોનલ પરીખ|Opinion - Opinion|20 December 2024

·       મૃત્યુ એ શાશ્વતનું દ્વાર ખોલવાની ચાવી છે

·       ન્યાય અને સત્ય પર ઊભા થયેલા આત્મગૌરવથી શક્તિશાળી બીજું કઈં નથી

·       જે પોતાના પર રાજ્ય કરે છે અને પોતાની લાલસા અને ભયને જીતે છે તે સમ્રાટોનો સમ્રાટ છે

·       મનને તેના પોતાના સ્થળકાલ હોય છે અને તે પોતાનામાં જ પોતાનાં સ્વર્ગ અને નર્ક સર્જે છે

·       એકાંત ક્યારેક શ્રેષ્ઠ મિત્ર પુરવાર થાય છે

— મિલ્ટન

જ્હોન મિલ્ટન

એક વાર સ્વર્ગમાં લડાઈ થઈ. વિદ્રોહી દેવદૂત લુસિફર અને તેના સાથીઓ હાર્યા. ઈશ્વરે તેમને નરકમાં મોકલી આપ્યા. આ લોકોએ ઈશ્વરના નવા સર્જન પૃથ્વી અને તેમાં વસતી માનવજાતને ભ્રષ્ટ કરવાનું નક્કી કર્યું. લુસિફર એટલે કે સેતાને સર્પનું રૂપ લીધું અને સ્વર્ગના બગીચામાં ગયો. ત્યાં આદમ અને ઇવ રહેતાં હતાં. સર્પે ઇવને જ્ઞાનવૃક્ષનું ફળ ખાવા લલચાવી. ઇવે ફળ ખાધું અને આદમ અને ઇવની નિર્દોષતા ચાલી ગઈ. એટલું જ નહીં, બંનેએ સ્વર્ગ ગુમાવ્યું …

આ છે સત્તરમી સદીના કવિ જ્હોન મિલ્ટનના મહાકાવ્ય ‘પેરેડાઈઝ લોસ્ટ’ની કહાણીનો અંશ. એ મહાકાવ્ય લખાયાને સાડાત્રણસો વર્ષ થઈ ગયાં છે, પણ આજે પણ એ એક ક્લાસિક કૃતિ તરીકે અડીખમ છે, અવિચળ છે. જ્હોન મિલ્ટને આ મહાકાવ્યનું સર્જન અંધ થઈ ગયા પછી કર્યું હતું. એ વખતે બ્રેલ લિપિ શોધાઈ ન હતી. મિલ્ટને આખું કાવ્ય બ્લેન્ક વર્સ એટલે કે અછાંદસ શૈલીમાં મનમાં રચ્યું હતું અને લખાવતો ગયો હતો.

આ જ્હોન મિલ્ટનનો જન્મ 09 ડિસેમ્બર 1608ના દિવસે થયો. તેના પિતાનું નામ પણ જ્હોન મિલ્ટન હતું. પિતા જ્હોન પ્રોટેસ્ટન્ટ ખિસ્તી બન્યા હતા એટલે પારિવારિક મિલ્કતમાંથી રદ્દબાતલ કરાયા હતા. આ વિદ્રોહ મિલ્ટનની રગોમાં પણ વહેતો રહ્યો. તેણે ત્રણ વાર લગ્ન કરેલાં. આ લગ્નોથી તેને થયેલાં સંતાનોમાં ચાર કે પાંચ દીકરીઓ હતી અને એક દીકરો હતો. એ દીકરાનું નામ પણ જ્હોન હતું. ત્રણ પેઢી સુધી એક જ નામ હોય એ જરા નવાઈની વાત તો ખરી.

એ વખતે ઇંગ્લેન્ડમાં ચાર્લ્સ-1નું રાજ્ય હતું. તે પછી ચાર્લ્સ-2 ગાદી પર આવ્યો. તેના નેજા નીચે અંગ્રેજ, સ્કોટીશ અને આઈરિશ રાજાઓ એક થયા અને પછી અંદર અંદર યુદ્ધ પણ થયાં. આ ઘટનાઓ વિશ્વઇતિહાસમાં રેસ્ટોરેશન નામથી ઓળખાય છે. મિલ્ટન આ બધાના સાક્ષી હતા.

કેમ્બ્રિજમાં અંગ્રેજી સાહિત્ય સાથે માસ્ટર્સ કરી મિલ્ટને ત્યાં જ ભણાવવાનું શરૂ કર્યું, હેમરસ્મિથમાંથી નિવૃત્ત થયા. એ દરમિયાન જુદા જુદા સ્થળે રહ્યા, પ્રવાસો કર્યા, કામો બદલ્યાં, વાંચ્યું-લખ્યું, વિખ્યાત વ્યક્તિઓને મળ્યા અને જબરદસ્ત બૌદ્ધિક વિકાસ સાધ્યો. ઘોડા પર ખૂબ ફરતા. સતત લખતા. લોકશાહી અને પ્રજાસત્તાક શાસનવ્યવસ્થા, ધર્મ, રાજનીતિ, સાહિત્ય જેવા વિષયો પર સતત લખ્યું. એ વખતે પણ મિલ્ટને ફ્રી સ્પીચ અને ફ્રીડમ ઑફ સ્પીચની વાત કરી હતી.

તેઓ સ્પેનિશ, ઇટાલિયન, લેટિન, અંગ્રેજી જેવી યુરોપની ભાષાઓ જાણતા અને એ દરેક ભાષામાં લખતા. અંગ્રેજીમાં ઘણા નવા શબ્દો પ્રયોજવાનો યશ એમને ફાળે જાય છે. બ્લેન્ક વર્સ એટલે કે અછાંદસ શૈલીના તેઓ જનક ગણાય છે.

‘પેરેડાઈઝ લોસ્ટ’ની વાર્તાની બે મુખ્ય ધારા છે. એક લુસિફર-સેતાનની અને બીજી આદમ-ઇવની. મિલ્ટનની ઇવ, આદમની આજ્ઞાંકિત ભાર્યા નથી, આદમ અને ઇવ બંનેમાં ઇવ વધુ બુદ્ધિમાન છે, વધુ કુતૂહલપ્રિય છે અને પોતાની જાત પ્રત્યે વધુ સભાન પણ છે. સુંદર અને ઉત્સુક છે. આદમને પ્રેમ કરે છે પણ એની સતત હાજરીથી ગૂંગળામણ અનુભવે છે. એના જ સૂચનથી બંને ઇડન ગાર્ડનના અલગ અલગ ભાગમાં વિચરતા હતા, ત્યારે સેતાને સર્પનું રૂપ લઈને ઇવને ભરમાવી હતી. આ ઉપરાંત ઈશ્વર અને ઈશ્વરપુત્ર આ બે પાત્રો પણ ‘પેરેડાઈઝ લોસ્ટ’માં છે. ઈશ્વર સર્વના પિતા છે, સર્વના સર્જક છે. પિતા-પુત્રના સંવાદ દ્વારા કવિએ ઈશ્વરની યોજનાઓ અને હેતુઓ વર્ણવ્યાં છે. ઈશ્વરપુત્ર ભવિષ્યમાં માનવદેહે પૃથ્વી પર જશે અને જિસસ તરીકે ઓળખાશે એવો સંકેત કાવ્યમાં મળે છે.

‘પેસેડાઈઝ લોસ્ટ’ પછી ત્રણ વર્ષે મિલ્ટને ‘પેરેડાઈઝ રિગેઈન’ નામનું કાવ્ય લખ્યું. એમાં મુખ્ય પાત્ર ઇસુ છે. સેતાન તેમને જુદી જુદી રીતે લલચાવે છે, પણ ઇસુ લલચાતા નથી અને જીત મેળવે છે. મિલ્ટનના ઇસુ બાઈબલના ઇસુ કરતાં વધારે માનવીય છે.

માત્ર 42 વર્ષની ઉંમરે મિલ્ટન અંધ બની ગયા હતા. તેમની તમામ પ્રસિદ્ધ રચનાઓ અંધત્વ બાદ સર્જાઇ. ‘ઓન હિઝ બ્લાઇન્ડનેસ’ નામનું પ્રસિદ્ધ સોનેટ મિલ્ટને પોતાના અંધત્વ પર લખ્યું છે. ‘મારો બધો પ્રકાશ ખર્ચાઈ ગયો અને હું અફાટ અંધકારવિશ્વમાં અટવાઈ ગયો’ એવું દુ:ખ વ્યક્ત કરતા કવિને ધૈર્ય માનવરૂપે મળે છે અને આશ્વસ્ત કરે છે આવું તેમાં વર્ણન છે. ‘જે શ્રદ્ધા રાખે છે, પ્રતીક્ષા કરે છે અને કામ ચાલુ રાખે છે તેને ઈશ્વર મદદ કરે છે.’ ધૈર્ય કહે છે. આ સોનેટ પેટ્રાર્કશાઈ પ્રકારનું છે, જે મોટે ભાગે પ્રેમ અને રોમાન્સની અભિવ્યક્તિ માટે વપરાય છે, પણ આમાં મિલ્ટને માણસનો ઈશ્વર સાથેનો અનુબંધ શોધવા પ્રયત્ન કર્યો છે. ‘અંધ થયો તો કામ અટકી જશે?’ એના જવાબમાં ધૈર્ય કહે છે, ‘બંધ તો બહારની આંખ થઈ છે. અંદરની શ્રદ્ધા જાગે છે, જુએ છે. કામ નહીં અટકે.’ તેને કહ્યું છે, ‘અંધત્વ અભિશાપ નથી. અંધત્વને સહેવાની અશક્તિ અભિશાપ છે.’

મિલ્ટનનો સમય અને મિલ્ટનનાં સર્જનોનો ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે. મિલ્ટન 1608માં જન્મ્યો. એ વખતે ભારતમાં મોગલોનું શાસન હતું. 1604માં ગુરુ ગ્રંથસાહેબની રચના થઈ હતી. 1612માં કૅપ્ટન બેસ્ટની આગેવાની હેઠળ અંગ્રેજોનાં બે વહાણો સૂરતમાં પ્રવેશવા દેવામાં આવ્યાં. 1613માં અંગ્રેજોને સૂરતમાં કાયમી કોઠી સ્થાપવાની પરવાનગી આપતું ફરમાન જહાંગીરે આપ્યું. 1652માં શાહજહાંએ લાલ કિલ્લો બંધાવેલો. દક્ષિણમાં મીનાક્ષી મંદિર અને ઉત્તરમાં તાજમહાલ બંધાયાં હતાં. શિવજીએ સિંધુદુર્ગ બાંધ્યો હતો. આઇઝેક ન્યૂટને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ શોધ્યું હતું. 1666માં શાહજહાંનું મૃત્યુ થયું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાનો પગ મજબૂત કરી ચૂકી હતી. અમેરિકામાં હજી યુરોપની વસાહતો હતી. તેને સ્વતંત્ર થવાને એક સદીની વાર હતી. 1679માં પ્રેશર કૂકરની શોધ થઈ હતી.

મિલ્ટન વિલિયમ બ્લેન્ક, વર્ડઝવર્થ અને થોમસ હાર્ડી જેવા પ્રખ્યાત કવિઓના એમનાથી ય વધુ પ્રખ્યાત પુરોગામી હતા. સાહિત્યસ્વરૂપ અને શૈલીમાં તેમણે અનેક નવા આયામો આપ્યા હતા. અંધત્વ આવ્યા પછી પણ છ વર્ષ તેમણે કોમનવેલ્થ કાઉન્સેલમાં સેક્રેટરી ઑફ ફોરેન ટંગ્સ તરીકે કામ કર્યું હતું. તેને ડેપ્યૂટીઓ આપવામાં આવ્યા હતા જેમના દ્વારા એ કામ કરતા. બહેન એનનાં સંતાનોને તેમણે ભણાવ્યાં હતાં એમાંના એક એડવર્ડે મિલ્ટનનું પહેલું જીવનચરિત્ર આપ્યું. બીજો જોન મિલ્ટનના સેક્રેટરી તરીકે કામ કરતો. બંને સારા લેખકો હતા.

1674માં 65 વર્ષની વયે મિલ્ટનનું મૃત્યુ થયું. લંડનમાં એમનું સ્મારક છે. મિલ્ટને લખ્યું હતું, ‘મૃત્યુ એ શાશ્વતનું દ્વાર ખોલવાની ચાવી છે.’ ‘ન્યાય અને સત્ય પર ઊભા થયેલા આત્મગૌરવથી શક્તિશાળી બીજું કઈં નથી.’ અને ‘જે પોતાના પર રાજ્ય કરે છે અને પોતાની લાલસા અને ભયને જીતે છે તે સમ્રાટોનો સમ્રાટ છે.’

‘મનને તેના પોતાના સ્થળકાળ હોય છે અને તે પોતાનામાં જ પોતાનાં સ્વર્ગ અને નર્ક સર્જે છે.’ આ તેની પ્રખ્યાત ઉક્તિ આજે પણ કેટલી સાચી છે! ‘એકાંત ક્યારેક શ્રેષ્ઠ મિત્ર પુરવાર થાય છે’ એ કહે છે …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 ડિસેમ્બર  2024

Loading

આંબેડકર માટે નથી ભા.જ.પ.ને હેત ઉભરાતું કે નથી કાઁગ્રેસને –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 December 2024

રવીન્દ્ર પારેખ

સંસદના શિયાળુ સત્રના 18મા દિવસે અને બંધારણ સ્વીકૃતિના અમૃત મહોત્સવ નિમિતે ઉજવણી તો ઠીક, હોબાળો થયો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સસદમાં એમ કહ્યું કે ‘આંબેડકર આંબેડકર’નું રટણ ચાલે છે, એટલું જો ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળ્યું હોત ! એ પછી આંબેડકરની સ્તુતિ કરતાં હોય તેમ ગૃહ મંત્રીએ આંબેડકરની ભા.જ.પે. ક્યાં ક્યાં પ્રતિમાઓ કરી તે ઉપરાંત  ઘણી વાતો કરી. જેમ કે, આંબેડકર અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના ભેદભાવથી, વિદેશનીતિથી, 370મી કલમથી અસંમત હતા, તેથી તેઓ કેબિનેટ છોડવા માંગતા હતા, પણ તેમને આશ્વસ્ત કરવા વચન અપાયું હતું જે પળાયું ન હતું ને તેમણે રાજીનામું આપ્યું હતું, પણ, વિપક્ષ તો શાહની ‘આંબેડકર, આંબેડકર, આંબેડકર ..’ની વાતે એટલો ઉશ્કેરાયો કે સંસદની અંદર અને બહાર ‘જય ભીમ’ અને ‘માફી માંગો’ના નારાથી વિરોધ વિરોધ કરી રહ્યો. વડા પ્રધાને શાહનો બચાવ કરતાં એ સ્પષ્ટ કર્યું કે કાઁગ્રેસે આંબેડકરનો વારસો ભૂંસવાની કોશિશ કરી છે, એટલું જ નહીં, એસ.સી.એસ.ટી.ને અપમાનિત કરવા રમત પણ રમી છે. પી.એમ.એ શાહની વિગતોથી કાઁગ્રેસ ગભરાઈને નાટક કરવા લાગી છે તેમ પણ કહ્યું. 

કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે એમ કહીને વડા પ્રધાને રાતના બાર પહેલાં તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ એવી માંગ કરી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ બાબા સાહેબનું અને બંધારણનું અપમાન વિપક્ષ નહીં સાંખી લે તેવું ઉમેર્યું. બ.સ.પા. પ્રમુખ માયાવતીએ પણ પરખાવ્યું કે ભા.જ.પ. અને કાઁગ્રેસ આંબેડકરને નામે રોટલા શેકવાનું બંધ કરી તેમનું સન્માન કરે. અન્ય વિપક્ષી સાંસદોએ પણ શાહે, આંબેડકરનું અપમાન કર્યું છે એ વાત દોહરાવી. 

પછી તો સામસામે બચાવ ને આરોપોની ઝડી વરસી. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે કાઁગ્રેસનો તો આંબેડકરનું અપમાન કરવાનો ઇતિહાસ છે. આજે તે ઢોંગ કરે છે. કેન્દ્રીય મંત્રી રિજિજુએ રાજ્યસભામાં કહ્યું કે અમિત શાહનાં નિવેદનની પોતાની તરફેણમાં આવતી ક્લિપનો અંશ બતાવીને, વિપક્ષ દેશને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આંબેડકર હતા ત્યારે તેમનું અપમાન કરવામાં કાઁગ્રેસે કૈં બાકી નથી રાખ્યું. તેમને વર્ષો સુધી ‘ભારત રત્ન’ ન જ અપાયો. તેમને આયોજન કરીને હરાવવામાં પણ આવ્યા. આમ કાઁગ્રેસ આંબેડકરની તરફેણમાં હોય તેમ ભા.જ.પ.ની સામે પડી છે, પણ હકીકત એ છે કે ભા.જ.પ. અને કાઁગ્રેસ આંબેડકરનો વિરોધ કરી ચૂક્યા છે. આ તો દલિતોના મત મળે એ હેતુ છે એટલે બંને આંબેડકર આંબેડકર કરે છે …

આંબેડકર પોતે ગાંધીજીના દલિત વિચારોને સગવડિયા માનતા હતા, પણ આંબેડકરનો દેશના દલિતો પરનો પ્રભાવ એવો હતો કે તેમને અવગણી શકાય એમ ન હતું. આંબેડકર પોતે ભારતની સંવિધાન સભામાં પોતાનું સ્થાન નિશ્ચિત ન કરાવે તો ભારતના કાયદા મંત્રી થવાનું મુશ્કેલ હતું. કાઁગ્રેસ આજે આંબેડકરની આરતી ઉતારે છે, પણ તે વખતે આંબેડકરને સંવિધાન સભામાં જોવા કાઁગ્રેસ બહુ રાજી ન હતી. 

ભા.જ.પ.ની તરફેણમાં એક વાત એ છે કે આંબેડકરનાં વખતમાં તેનું અસ્તિત્ત્વ જ ન હતું, પણ આર.એસ.એસ. ને જનસંઘ હતા. એને માટે આંબેડકરનો નકારાત્મક પણ ચોક્કસ મત હતો ને તે તેમણે તીવ્રતાથી વક્તવ્યોમાં ને લેખોમાં પ્રગટ પણ કર્યો છે. 1940માં ‘પાકિસ્તાન ઓર પાર્ટિશન ઓફ ઇન્ડિયા’ નામક પુસ્તકમાં આંબેડકરે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઈચ્છા રાખનાર સૌને શત્રુ ગણાવ્યા છે. હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતનો તો 1950માં સરદારે પણ વિરોધ કરેલો છે ને સ્પષ્ટ કહ્યું છે કે ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. એ સંદર્ભે આજની ભા.જ.પ.ની નીતિરીતિ તપાસવાની રહે. વર્ણવ્યવસ્થાનાં મૂળમાં આંબેડકરને ‘મનુસ્મૃતિ’ લાગતાં 1927માં તેની નકલ પણ સળગાવેલી ને તેના હિન્દુવાદીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા. આ બધાંને લીધે સંઘ અને જનસંઘને આંબેડકર સામે એટલો જ વાંધો હોય તે સમજી શકાય એવું છે. કાયદા મંત્રી તરીકે આંબેડકરે હિન્દુ મહિલાઓને સમાન હક આપતું હિન્દુ કોડ બિલ તૈયાર કરેલું, તેનો પણ તે વખતે સંઘ અને હિન્દુ સંગઠનોએ વિરોધ કરેલો ને બિલ પસાર ન થતાં આંબેડકરે કાયદા મંત્રી તરીકે રાજીનામું આપેલું. આ સ્થિતિ હોય ત્યાં ભા.જ.પ.ની માનસિકતા આંબેડકર સંદર્ભે કેવી હોય તે કહેવાની જરૂર નથી. 

આંબેડકરને નામે ભા.જ.પ.ના થઈ રહેલા વિરોધ બદલ કિરણ રિજિજુએ એ પણ ઉમેર્યું કે હું બૌદ્ધ છું ને મોદીજીએ એક બૌદ્ધને કાયદા મંત્રી બનાવ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પણ અમિત શાહના એ વીડિયોમાં કશું વાંધાજનક લાગ્યું નથી, પણ વિપક્ષોએ ઠેર ઠેર જાહેર વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં પણ શાહનાં આંબેડકર પરનાં નિવેદનનો અમદાવાદ, રાજકોટ, વડોદરામાં વિરોધ થયો છે. મહારાષ્ટ્રના આંબેડકરનું અપમાન થતાં શિવસેના(યુ.બી.ટી.)ના ઉદ્ધવ ઠાકરેએ પણ અમિત શાહ પર પસ્તાળ પાડી છે. એમ લાગે છે કે વિપક્ષોને તક જ જોઈતી હતી ને તેમણે કાગનો વાઘ કરવાનું શરૂ કરી દીધું છે. રાજકારણ કોઈનાં પણ નિવેદનને કેવી રીતે ચગાવી શકાય તેનું જ નામ છે ને વિપક્ષો એ ચગાવી રહ્યા છે.

એ ખરું કે અમિત શાહે આંબેડકરનાં વારંવાર લેવાતાં નામનો આ રીતે ઉલ્લેખ ન કર્યો હોત, તો ચાલે એમ હતું. ધારો કે વધારે વખત નામ લેવાયું તો પણ શું? વડા પ્રધાનનું નામ દીધા વગર ભા.જ.પ.ને ચાલે છે? જો એ ન ચાલતું હોય તો આંબેડકરના ચાહકોને પણ નામ દીધા વગર ન ચાલે એમ બને ને ! જો કે, આમ ભગવાનનું નામ દેવાથી સ્વર્ગ મળ્યું હોત એવું શાહને કેવી રીતે લાગ્યું તે સમજાતું નથી ને જો એ શક્ય હોય તો ભા.જ.પ.ના સભ્યોને પણ એ લાભ મળે એવું, ખરું કે કેમ? એ સાથે જ કોઈ પણ ટિપ્પણીનું એવું અવમૂલ્યન ન થવું જોઈએ કે કોઈ પોતાનો મત ઉચ્ચારે તે સાંભળ્યા વગર જ વિરોધીઓ ખાંડાં ખખડાવવાં લાગે. વિપક્ષો તો આંબેડકરનાં અપમાનનો મુદ્દો આગળ કરીને રાજકીય લાભ લેવા માંગે છે. અમિત શાહે એ નિવેદનમાં એમ પણ કહ્યું કે મંત્રીમંડળમાંથી આંબેડકરનાં જવાથી નહેરુને બહુ ફેર પડે એમ ન હતું. આ પણ સાચું નથી. એ ખરું કે નહેરુ અને આંબેડકર વચ્ચે ઘણા મતભેદો હતા, પણ તેમની પાસે એકબીજાને સમજવાની વૃત્તિ પણ હતી. બંનેએ લગભગ ત્રણ વર્ષ સંવિધાન સભામાં સાથે કામ કર્યું છે. આંબેડકરે તબિયતને કારણે રાજીનામું આપવાની વાત કરી તો નહેરુએ તેમને ટર્મ પૂરી થવા સુધી રોકાઈ જવાનો આગ્રહ કરેલો. આ અંગેનો પત્રવ્યવહાર જિજ્ઞાસુઓએ જોવા જેવો છે. આજે ભા.જ.પ. અને કાઁગ્રેસ વચ્ચે જેટલો વિરોધ છે એટલો તે વખતે નહેરુ અને આંબેડકર વચ્ચે ન હતો એ નોંધવું ઘટે.

વિપક્ષની બીજી ચિંતા બંધારણ બદલઈ જવાની છે. કાઁગ્રેસ ભલે આંબેડકરનું અપમાન થયાની વાત આગળ કરીને તકનો લાભ ઉઠાવે, પણ કાઁગ્રેસે કટોકટી વખતે બંધારણમાં કેવાં ચેડાં કર્યાં છે તે દુનિયા જાણે છે, એ સાથે જ કાઁગ્રેસે એના કાર્યકાળમાં આંબેડકર સાથે કેવું વર્તન કર્યું છે તે પણ ઇતિહાસમાં નોંધાયેલું છે જે કોઈથી છૂપું નથી. 

સાચું તો એ છે કે વાલને વખાણવા જેવો નથી કે ચણાને ચાખવા જેવો નથી. એથી વધારે મોટું અપમાન કાઁગ્રેસ માટે બીજું કયું હોય કે નહેરુ અને ઇન્દિરા ગાંધીને તેમના કાર્યકાળમાં જ ‘ભારત રત્ન’ મળી જાય ને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને એ સન્માન છેક 1990માં મળે? આજકાલ સંવિધાન સંવિધાન પણ બહુ ચાલી રહ્યું છે, પણ સંવિધાન બચાવવાની જરૂર 1975ના કટોકટી કાળમાં પણ ઊભી થઈ હતી ને સદ્દભાગ્યે ત્યારે જે.પી. જેવા સ્વતંત્ર સંગ્રામમાં ઘડાયેલા નેતા મોજૂદ હતા ને તેમની આગેવાનીમાં જનતાએ સંવિધાનને બચાવ્યું હતું. સંવિધાનમાં કટોકટી વખતે સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ શબ્દો દૂરંદેશી દાખવનાર સંવિધાનકર્તાઓનાં અપમાનથી વિશેષ કૈં ન હતા. આ ફેરફાર પણ એ સંસદે કર્યો જેના વિપક્ષી નેતાઓ જેલમાં સડી રહ્યા હતા. એનો કાર્યકાળ પણ બંધારણને મચડીને પાંચ વર્ષથી વધારીને સાત વર્ષ કરી દેવાયો હતો. છે ને કમાલ, એ વખતે બંધારણ મચડનારા આજે સંવિધાનના સંરક્ષક હોવાનો દાવો કરી રહ્યા છે. સત્તા ટકાવી રાખવા સંવિધાન સાથે થયેલો આવો અનાચાર કેવી રીતે ભુલાય? 

સંવિધાનમાં ભારતીય સંસ્કૃતિને દર્શાવતાં નંદલાલ બોઝનાં ચિત્રોનો પણ અમિત શાહે ઉલ્લેખ કર્યો. એ ચિત્રો બંધારણમાં નથી. આ ચિત્રો નહેરુના અનુરોધ પર બંધારણમાં મુકાયેલાં. બંધારણનાં રક્ષકોને એ આશ્ચર્ય નથી થતું કે બોઝનાં ચિત્રો એમાંથી ગાયબ છે? બોઝે બહુ ભાવપૂર્વક એ ચિત્રો મૂકેલાં. આજના બંધારણ રક્ષકોને એવું નથી થતું કે એ ચિત્રો ફરી બંધારણમાં દાખલ કરીને પ્રાયશ્ચિત કરીએ? એ દુ:ખદ છે કે કહેવાતા રક્ષકોને કે શાસકોને નથી તો બંધારણ માટે કોઈ આદર કે નથી આદર આંબેડકર માટે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ડિસેમ્બર 2024

Loading

संविधान के 75 साल: हम कहाँ हैं

राम पुनियानी|Opinion - Opinion|19 December 2024

राम पुनियानी

भारत की संसद ने दो दिन तक देश के संविधान पर चर्चा की. विपक्षी नेताओं ने कहा कि हमारे संविधान में समाज के कमज़ोर वर्गों और धार्मिक अल्पसंख्यकों की भलाई के लिए अनेक प्रावधान हैं मगर उसके बावजूद ये वर्ग परेशानहाल हैं. मुसलमानों को दूसरे दर्जे का नागरिक बना दिया गया है.

इसके विपरीत, सत्ताधारी भाजपा ने नेताओं ने संसद के अन्दर और संसद के बाहर भी कहा कि संवैधानिक मूल्यों पर हमले नेहरु (नफरत फैलाने वाले भाषण पर रोक लगाने के लिए संवैधानिक संशोधन) ने शुरू किये और यह सिलसिला इंदिरा गाँधी (आपातकाल) से होते हुए राजीव गाँधी (शाहबनो) और राहुल गाँधी (विधेयक को फाड़ना) तक चला. उन्होंने कहा कि सभी सामाजिक बुराईयों की जड़ में नेहरु-गाँधी परिवार है और उसी ने संविधान को नुकसान पहुँचाया है.

भाजपा नेता और हिन्दू राष्ट्रवादी चिन्तक लम्बे समय से कहते आए हैं कि भारत का संविधान पश्चिमी मूल्यों पर आधारित है, उसे औपनिवेशिक ताकतों ने हमारे समाज पर लादा है और वह भारतीय सभ्यता और संस्कृति से मेल नहीं खाता. उनका यह तर्क भी है कि कांग्रेस पार्टी ने मुसलमानों का तुष्टिकरण करने और उनका वोट बैंक बनाने के लिए संविधान का दुरुपयोग किया.

जैसा कि हम सब जानते हैं, संविधान उन मूल्यों का प्रतिनिधि है जो स्वाधीनता संग्राम के दौरान उपजे. संविधान तैयार करते समय हमारी सभ्यता की लम्बी परंपरा का ख्याल भी रखा गया. जिन लोगों ने स्वाधीनता आन्दोलन में भाग लिया और जो उसकी पीछे की विचारधारा में आस्था रखते थी, भारतीय सभ्यता की उनकी समझ, उन लोगों से बहुत भिन्न थी जो औपनिवेशिकता-विरोधी आन्दोलन से दूर बने रहे और ब्रिटिश शासकों के आगे नतमस्तक रहे. जहाँ आज़ादी का आन्दोलन भारत को समृद्ध विविधताओं वाला एक बहुवादी देश मानता था वहीं स्वाधीनता आन्दोलन से दूर रहने वाले उसे हिन्दू सभ्यता मानता था. ऐसे लोगों को बहुवाद पसंद नहीं है और वे मानते हैं कि बहुवाद को शिक्षित, आधुनिक नेताओं ने देश पर थोपा है.

संघ परिवार यह भूल जाता है कि भारतीय सभ्यता को हिन्दू सभ्यता बताना, हमारी सभ्यता में जैन, बौद्ध, ईसाई और सिक्ख धर्मों व इस्लाम के योगदान को नकारना है.  हिन्दू राष्ट्रवादियों के सबसे प्रिय भगवान राम को देखने के भी अलग-अलग तरीके हैं. कबीर के लिए राम सर्वव्यापी निर्गुण हैं तो गाँधी के लिए राम सभी धर्मों के लोगों के रक्षक हैं. गाँधी कहते थे ‘ईश्वर अल्लाह तेरो नाम’. जवाहरलाल नेहरु ने अपनी प्रसिद्ध पुस्तक “भारत: एक खोज” में लिखा है कि “भारत एक प्राचीन स्लेट है, जिस पर कई परतों में अलग-अलग कालों में विचार और भावनाएं दर्ज की गईं मगर कोई नयी परत, पिछली परतों को न तो पूरी तरह ढँक सकीं और न मिटा सकी.” नेहरु बड़े गर्व से सम्राट अशोक के शासनकाल को याद करते हैं, जिन्होंने अपने कई शिलालेखों में वैदिक हिन्दू धर्म, जैन धर्म, बौद्ध धर्म और आजीविकों के साथ एक-समान व्यवहार करने की बात कही है.

संघ परिवार और उसके चिंतक जहाँ भारत को विशुद्ध ब्राह्मणवादी हिन्दू देश मानते हैं वहीं गाँधी, नेहरु इत्यादि इसे सभी भारतीयों का देश मानते थे. भारत की संविधान सभा मोटे तौर पर उस धारा का प्रतिनिधित्व करती थी, जो राष्ट्रीय धारा थी, जो वह धारा थी जिसने अंग्रेजों के खिलाफ संघर्ष किया था. इसके विपरीत, भारत को ब्राह्मणवादी हिन्दू राष्ट्र मानने वाला आरएसएस हाशिये की धारा थी. दोनों धाराओं का यह अंतर, भारत के संविधान का मसविदा तैयार होने के समय से ही परिलक्षित होने लगा था.

अम्बेडकर और नेहरु का यह स्पष्ट मत था कि देश की सरकारों को यह सुनिश्चित करना होगा कि संविधान के मूल ढांचे से कोई छेड़छाड़ न की जाए और उसे पूरी तरह से लागू किया जाए. मगर 1998 में तत्कालीन प्रधानमंत्री अटल बिहारी वाजपेयी ने संविधान के समीक्षा के लिए वेंकटचलैया आयोग का गठन किया. उस समय राष्ट्रपति डॉ के.आर. नारायणन ने बहुत सामयिक टिप्पणी की थी. उन्होंने कहा था कि, “संविधान के कारण हम नाकाम नहीं हुए हैं, बल्कि हमनें संविधान को नाकाम किया है.” यह बात मोदी सरकार के कार्यकाल के सन्दर्भ में एकदम सही है. इस दौर में संविधान में कोई बदलाव नहीं किये गए मगर संघ परिवार के कई सदस्यों ने ऐसा करने की इच्छा और ज़रुरत बताई और उन्हें शीर्ष नेतृत्व द्वारा फटकारा नहीं गया. “अब की बार चार सौ पार” का नारा इसी इच्छा का प्रतीक था. भाजपा चाहती थी कि उसे लोकसभा में 400 से ज्यादा सीटें हासिल हों ताकि वह संविधान को बदल सके.

देश में नफरत फैलाने वाले भाषण देने और बातें कहने वालों की संख्या में तेजी से इज़ाफा हुआ है. इसका सबसे ताज़ा उदाहरण हैं इलाहबाद उच्च न्यायालय के न्यायाधीश शेखर कुमार यादव, जिन्होंने विश्व हिन्दू परिषद् के एक कार्यक्रम में कहा कि “भारत बहुसंख्यकों की मर्जी के अनुसार चलेगा.”

जस्टिस यादव मे “समान नागरिक संहिता: एक संवैधानिक आवश्यकता” विषय पर बोलते हुआ कहा, “केवल वही स्वीकार किया जाएगा जो बहुसंख्यकों की भलाई और प्रसन्नता के लिए फायदेमंद हो.”

इससे भी ज्यादा बुरी बात यह है कि उत्तरप्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने यादव के कथन का समर्थन किया. यह अच्छा है कि सुप्रीम कोर्ट ने यादव के सांप्रदायिक और नफरत फैलाने वाले भाषण का संज्ञान लिया है. मगर आदित्यनाथ के यादव को समर्थन का कौन संज्ञान लेगा?

वर्तमान स्थितियों पर एक सटीक टिप्पणी में जस्टिस अस्पि चिनॉय ने कहा, “भाजपा केंद्र में सरकार में है और उसके पास संसद में पूर्ण बहुमत है. मगर उसे भारत और उसके संविधान के धर्मनिरपेक्ष चरित्र को कानूनी तौर पर बदलने की कोई ज़रुरत महसूस नहीं हो रही है. राज्य और उसके विविध तंत्र उसके नियंत्रण में है और वह कानूनी तौर पर भारत के धर्मनिरपेक्ष चरित्र को बदले बिना, उसके धर्मनिरपेक्ष संविधान को कमज़ोर करने और हिंदुत्व पर आधारित राजकाज कायम करने में कामयाब रही है.”

भाजपा के पूर्ववर्ती जनसंघ के सांप्रदायिक चरित्र का खुलासा उस समय ही हो गया था जब संविधान का मसविदा जारी किया गया था. इसके कुछ दिन बाद, आरएसएस के गैर-आधिकारिक मुखपत्र आर्गेनाइजर ने 30 नवम्बर 1949 के अपने अंक में लिखा, “भारत के नए संविधान के बारे में सबसे बुरी बात यह है कि उसमें कुछ भी भारतीय नहीं है….भारत के प्राचीन संवैधानिक कानूनों, नामकरणों और भाषा का इसमें नामोनिशां तक नहीं है.” मतलब यह कि भारत के संविधान के निर्माताओं ने ‘मनुस्मृति’ को नज़रअंदाज़ किया!

लोकसभा में बहस में भाग लेते हुए, हिन्दू राष्ट्रवादी राजनीति के पितामह वी.डी. सावरकर को उदृत करते हुए विपक्ष के नेता राहुल गाँधी ने कहा, “भारत के नए संविधान के बारे में सबसे बुरी बात यह है कि उसमें कुछ भी भारतीय नहीं है. हमारे हिन्दू राष्ट्र में वेदों के बाद मनुस्मृति सबसे पूजनीय ग्रन्थ है, जो प्राचीन काल से हमारी संस्कृति, रीति-रिवाजों, विचारों और आचरण का आधार रही है. सावरकर का कहना था कि मनुमृति की हमारे देश का कानून है.

अगर हम संविधान की मसविदा समिति के मुखिया डॉ अम्बेडकर और आरएसएस के एक सरसंघचालक के. सुदर्शन की तुलना करें तो पूरी बात समझ में आ जाएगी. अम्बेडकर ने मनुस्मृति का दहन किया था और आरएसएस के मुखिया ने भारत के संविधान को पश्चिमी मूल्यों से प्रेरित बताते हुए जहा था कि हमें मनुस्मृति पर आधारित भारत का संविधान बनाना है.

बुधवार, 18 दिसम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...532533534535...540550560...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved