Opinion Magazine
Number of visits: 9456927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Secularism: Indian Context?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|30 September 2024

Ram Puniyani

Indian freedom struggle was plural and strove towards secular and democratic values. This got reflected in our Constitution in its Preamble, which talks of Liberty, Equality, Fraternity and social justice in most of the articles. Equality here stands for equality as citizens, irrespective of caste, gender and religion. Most of its clauses were based on Secular values. The word secular was not there in the preamble, but all the provisions make it secular in essence. While it was drafted by Dr. Ambedkar had participation of diverse political groups and was implemented on 26th January 1950.

The Hindu nationalists stood to oppose it on the ground that the constitution did not reflect the age-old values inherent in our Holy Books, the hierarchy of caste and gender. RSS Organ Organiser on 19th 1949 wrote “But in our constitution there is no mention of the unique constitutional development in ancient Bharat. Manu’s Laws were written long before Lycurgus of Sparta or Solon of Persia. To this day his laws as enunciated in the Manusmriti excite the admiration of the world and elicit spontaneous obedience and conformity. But to our constitutional pundits that means nothing”.

Hindu nationalists kept calling our secular democratic republic as Hindu Rashtra and it was core part of the training in the RSS Shakhas. The ruling establishment kept trying to pursue secular policies and affirmative action for religious minorities. After the Shah Bano fiasco and with the rise of the strength of the Right wing, they started calling the secular formations as Pseudo-Secular and used other derogatory words like Siculars were gay abandon. Lately there are voices opposing Indian Constitution, first Vajpayee regime constituted Venakatchaliah Commission to review Indian Constitution. The commission submitted its report but due to popular protests it was not taken up seriously.

RSS’s K.Sudarshan in 2000, when he became the Sarsanghchalak stated that the Indian Constitution is based on Western values and should be replaced by one which is based on Indian Holy books. Change of Constitution became a plank for many BJP leaders, like Anantkumar Hegde openly started voicing that Indian Constitution needs to be changed. In the recently held General Election 2024, the slogan of 400 par (beyond) was linked with the aim of changing the Indian Constitution as well. One of the reasons for BJP getting a setback was that India alliance leaders put the Constitution book in their hands and said that their primary goal is to save the Indian Constitution.

It is in this background that Tamil Nadu Governor R.N. Ravi’s statement that “Secularism is not a Bhartiya concept, it is a European concept, let it be there, let them be happy with it. How can India be away from Dharma? ” T.N. governor said at the convocation of Hindu Dharma Vidya Peetham at Thiruvattar in Kanyakumari. He also tried to create a false binary between Nehru-Patel and Indira Gandhi. As per him the architects of Indian Constitution Nehru and Ambedkar did not want a secular Constitution, so the word was not there in the preamble of the Constitution. He goes on to say that since Indira Gandhi was insecure she brought in this word in the preamble. He is trying to show that Dharma which means religiously ordained duties and social organization into Varna-caste given in Hindu scriptures, particularly Manusmsriti, is different from religion. As such every religion has an aspect of moral preaching like Deen in Islam and Ethics in Christianity. So as per him secularism is opposed to Dharma. In a way he is right as Secularism stands for equality of all irrespective of Religion, caste and gender. Dharma in the Indian case upholds gross inequality.

 It seems the Governor seems to be ignorant of the fact that though the word secular was not there in the preamble, the whole Constitution is based on pluralism, secularism, diversity and quality of all religions. To say that it is a mere western value just shows where concept of secularism began. Surely it began with the industrial revolutions in the west along with elements of democracy and acceptance of plurality. It is in a way a modern concept, where industrialization; rise of Industrial class, working class and women’s longing for equality challenge the feudal authorities of Kings and Clergy alliance.

Ravi reduces secularism merely to the struggle between the powers of Church (Clergy) and the King. Incidentally the organization of clergy and its relation to kings was very clear-cut in the west. In other places also there were parallels. In Hindu ethos there is Raja-Raj guru; in Islam we see Nawab- Shahi Imam. This duo of King (Feudal Lord) and organized religion ruled the roost in feudal society. In Colonial states, particularly India as there was colonialism, on one hand the secular-plural social groups like Industrialists, Workers, Women and educated classes came up due to introduction of Industries and modern education. Secularism was the seed, nurtured by these classes.

The feudal classes were declining and threw up communal formations like Muslim League, Hindu Mahasabha and RSS. They wanted to preserve the facade of ‘divinely ordained’ superiority under the garb of religion. In India, the widely prevalent Hinduism is presented not as religion but as dharma, to confuse the people. To sound as the preserver of Religion, meant actually to preserve social hierarchies of caste and gender. The main agenda of such forces is pre democratic power structures (One man one vote versus divine power of the King to rule, promoted by the clergy).

Such forces do identify an enemy to consolidate themselves, like in India it is Muslims (And Christians) in many a gulf countries Women are targeted. Incidentally the organization ‘Muslim Brotherhood’ in that region also imposes that Secularism is the concept of West only. So while, Ravi has been criticized by many as unfit to remain as Governor with the present Constitution in place. So what has been his real motive? As per one leader it is an attempt to test the waters, whether those trying to remove secularism, to observe as to what will be the reaction to such an anti democratic norm in present times.

Today the main challenge is not just the increasing spiral against religious minorities but also to preserve secular values which is the other side of the coin of democracy!

 (First Published in The Wire)

Loading

ઝાંઝવાં પાછળ દોડે ભૈ માણસ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2024

રમેશ ઓઝા

જે દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો તેને બાંધવો હોય અને બાંધી રાખવો હોય તો શું કરવું જોઈએ? કેન્દ્રની જમણે હોય કે ડાબે, ભારતમાં દરેક લોકે આ વિષે વિચાર્યું છે અને પોતપોતાની રીતે જવાબ આપ્યા છે. આમાં અપવાદ સામ્યવાદીઓનો અને મૂળભૂતવાદી મુસલમાનોનો. સામ્યવાદીઓ એમ માને છે કે પ્રબળ અને નિર્ણાયક ઓળખ માત્ર બે જ છે; રહિત અને સહિત. શોષક અને શોષિત. બાકીની દરેક ઓળખોનો શોષણ કરવા માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. માટે તેઓ રાષ્ટ્રીયતાને માનતા નથી. જગતના શ્રમિકોની એક કોમ છે, એક ઓળખ છે અને માટે એક થાવ. મૂળભૂતવાદી મુસલમાનો માને છે કે જગતમાં માત્ર બે જ કોમ છે, એક એ જે અલ્લાહમાં અને અલ્લાહે મોકલેલા પયગંબરના વચનોમાં વિશ્વાસ ધરાવે છે એટલે મુસલમાન અને બીજા એ જે તેમાં નથી માનતા એટલે કે કાફિર. માટે તેઓ પણ કોઈ પ્રકારની રાષ્ટ્રીયતામાં નથી માનતા. વૈશ્વિક મુસ્લિમ બંધુતામાં તેઓ માને છે. પણ આ બે અપવાદ છોડીને ૧૮૫૭ પછી લગભગ દરેક લોકોએ વિચાર્યું છે કે જે દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો તેને કેમ બાંધવો અને બાંધી રાખવો.

ખમો. તમને કોણે કહ્યું કે આ દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો? વિનોબા ભાવે જેવાઓ આ પ્રશ્ન પૂછશે. કોઈ દેશ રાજકીય રીતે એકસૂત્રે જોડાયેલો હોય એ જ શું રાષ્ટ્રીય એકતાનો માપદંડ છે? મધ્યકાલીન ભારત રાજકીય રીતે ભલે અનેક ટૂકડાઓમાં વહેંચાયેલો હતો, પણ એક હતો. કોઈ કાવડમાં ગંગાનું પાણી લઈને રામેશ્વરમમાં શંકરની લિંગનું પ્રક્ષાલન કરે કે કોઈ કાવડમાં કાવેરીનું પાણી લઈને કાશીમાં શંકરની લિંગનું પ્રક્ષાલન કરે એ શું સૂચવે છે? ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે, પણ યુરોપની જેમ ભાષાવાર દેશ અલગ નથી. રાજકીય કરતાં સાંસ્કૃતિક એકત્વ વધારે મહત્ત્વનું છે. આપણે પશ્ચિમના પ્રભાવ હેઠળ રાજકીય રીતે સીમાબદ્ધ રાષ્ટ્રીયતાને વધારે મહત્ત્વ આપીએ છીએ અને એમાં એકંદરે નૈસર્ગિક (ઓર્ગેનિક) રાષ્ટ્રીયતાને નુકસાન પહોંચાડીએ છીએ. વળી સીમાબદ્ધ રાષ્ટ્રીયતા તેનું અસ્તિત્વ ટકાવી રાખવા લશ્કર પર આધારિત છે, જ્યારે નૈસર્ગિક રાષ્ટ્રવાદ લોકો પર આધારિત હોય છે. રાષ્ટ્રવાદની ચર્ચા કરતી વખતે આ દૃષ્ટિકોણ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. રાષ્ટ્રીયતાના નામે રાજ્ય રાષ્ટ્ર પર હાવી થઈ રહ્યું છે, ગળું ઘોંટી રહ્યું છે, પણ આપણે વળી તેનો મહિમા કરી રહ્યા છીએ.

ખેર, વિનોબા જેવાઓનું રાષ્ટ્રચિંતન કદાચ તમને આદર્શવાદી લાગશે. આટલી બધી આદર્શવાદી મોકળાશ પચાવવા જેટલા હજુ આપણે પરિપક્વ થયા નથી. આપણે શું, માનવસભ્યતા એટલી પરિપક્વ થઈ નથી. એ ભવિષ્યનો એજન્ડા છે જ્યારે જે તે પ્રજાઓનું માનવફૂળ (કોમનવેલ્થ ઓફ નેશન્સની જગ્યાએ કોમનવેલ્થ ઓફ કોમ્યુનિટીઝ) રચાશે. મને વિશ્વાસ છે કે એવું એક દિવસ બનશે. પણ પ્રારંભમાં કહ્યું તેમ ૧૮૫૭ પછીથી ભારતમાં લગભગ દરેક ચિંતક ચર્ચા કરતા રહ્યા છે કે જે દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો તેને બાંધવો કેમ અને બાંધી રાખવો કેમ? દેખીતી રીતે તેમનો રાષ્ટ્રીય એકતાનો અભિગમ સાંસ્કૃતિક કરતાં રાજકીય વધુ છે.

એવા ક્યા પદાર્થો છે જે આ દેશને જોડી રાખવામાં બાધારૂપ છે? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ કે શું એ ખરેખર બાધારૂપ છે? અને ત્રીજો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ કે એ કહેવાતા બાધારૂપ પદાર્થોથી ક્યારે ય મુક્તિ મળવાની છે? અને જો એ બાધારૂપ પદાર્થોનું હોવું અપરિહાર્ય છે, તેનાથી છૂટકારો મળે એમ ન હોય તો રાષ્ટ્રીયતાની વ્યાખ્યા ભારતનાં સંદર્ભમાં નવેસરથી કરવી જરૂરી નથી લાગતી? આ છેલ્લો પ્રશ્ન.

પહેલાં કહેવાતા બાધારૂપ પદાર્થોને ઓળખી લઈએ. એ છે; ધર્મ, જ્ઞાતિ, ભાષા અને પ્રદેશ. આ સિવાય પણ અનેક પદાર્થો છે, પણ આ ચાર મુખ્ય છે. આ ચારેયના અસંખ્ય પેટા કે ઉપ છે. પેટા સંપ્રદાય, પેટા જ્ઞાતિ, ઉપ પ્રદેશ અને બોલી ભાષાઓ.

પહેલાં ધર્મની વાત કરીએ. ભારતમાં અનેક ધર્મો સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. શું આટલા બધા ધર્મો રાષ્ટ્રીય એકતામાં બાધારૂપ છે? હિન્દુત્વવાદીઓ કહે છે કે ના બધા નહીં, પણ જે ધર્મોનો પાર્દુર્ભાવ વિદેશમાં થયો છે એ બાધારૂપ છે. દયાનંદ સરસ્વતી અને આર્યસમાજીઓ કહે છે કે જે ધર્મોનો અને સંપ્રદાયોનો પ્રાદુર્ભાવ ભારતમાં થયો છે એ પણ બાધારૂપ છે. વેદ સિવાય બીજા કોઈ પણ વિચાર પર આધારિત ધર્મ કે સંપ્રદાય અને ઓમકાર સિવાયની અન્ય ઉપાસના કરનારાઓ રાષ્ટ્રીય એકતા માટે બાધારૂપ છે. બન્ને હિંદુ, પણ બાધાઓની યાદી અલગ.

હવે બીજો પ્રશ્ન હાથ ધરો. શું એ ખરેખર બાધારૂપ છે? જો એમ હોત તો આ દેશ સદીઓ સુધી ટકી કેવી રીતે રહ્યો? હિંદુ અને મુસલમાનો વચ્ચે સિવિલ વોર થઈ હોય, હજારો અને લાખોની સંખ્યામાં લોકો માર્યા ગયા હોય, જાતિનિકંદન કાઢવામાં આવ્યું હોય એવી એકેય ઘટના ભારતમાં ક્યારે ય બની છે? જગતમાં આવી અનેક ઘટનાઓ બની છે અને બની રહી છે. આ દેશમાં હિંદુઓ અને મુસલમાનો સદીઓથી સાથે રહે છે, પણ વિસરી ન શકાય એવી અથડામણની એક પણ ઘટના નહોતી બની. જ્યારે હિંદુઓ અને મુસલમાન રાજવીઓ એકબીજા પર રાજ કરતા હતા ત્યારે આવી કોઈ ઘટના નહોતી બની. આયોજનપૂર્વકની વ્યાપક હિંસાની ઘટના ત્યારે બની જ્યારે દેશમાં ત્રીજો પક્ષ રાજ કરતો હતો અને હિંદુ અને મુસ્લિમ નેતાઓ વિભાજનવાદી કોમવાદી રાજકારણ કરતા હતા. તો સવાલ એ છે કે ઇસ્લામ અને મુસલમાન ખરેખર રાષ્ટ્રીય એકતા માટે બાધારૂપ છે કે પછી બાધારૂપ ચિતરવામાં આવી રહ્યા છે કે જેથી હિંદુઓને ડરાવીને સત્તા ભોગવી શકાય?

અને હવે મહત્ત્વનો સવાલ. જે લોકો જેને રાષ્ટ્રીય એકતા માટે બાધારૂપ માને છે તેનાથી ક્યારે ય મુક્તિ મળવાની છે? માત્ર હિંદુઓનો બનેલો મુસ્લિમ કોમ વિનાનો ભારત, માત્ર સનાતન ધર્મમાં માનનારો સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો વિનાનો ભારત, માત્ર બ્રાહ્મણોના આધિપત્યવાળો અન્ય જ્ઞાતિઓની હસ્તી વિનાનો ભારત, માત્ર આર્યાવર્તનો બનેલો દ્રવિડભૂમિ વિનાનો ભારત, માત્ર સંસ્કૃત અને હિન્દી બોલનારો અન્ય ભાષાભાષીઓ વિનાનો ભારત શક્ય છે? તમને લાગે છે કે એ ક્યારે ય અસ્તિત્વમાં આવશે?

અને જો એ શક્ય જ ન હોય તો ડાહ્યા માણસો શું કરે?

ડાહ્યાજનો વાસ્તવિકતાનો સ્વીકાર કરે. બીજાને વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની શીખ આપે. અથડામણ વિના સાથે જીવવાના રસ્તા શોધે, તેને માટે અનુકુળ ભૂમિકા રચે અને પ્રતિકૂળ પદાર્થોને દૂર કરવાનો પ્રયાસ કરે. કટુતાને ભૂલવાડવાનો પ્રયાસ કરે. વિનોબા ભાવે કહેતા એમ ભારતીય સંસ્કૃતિમાં જે જોડનારાં નૈર્સગિક તત્ત્વો છે તેનો મહિમા કરે. તેને ઘૂંટે. તેને વિવિધતા તરીકે ઓળખાવે. પણ આ બધા ડાહ્યાજનોનાં લક્ષણો છે.

તમે કોની વચ્ચે બેસવાનું પસંદ કરશો?

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 29 સપ્ટેમ્બર 2024

Loading

તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી …

સોનલ પરીખ|Opinion - Opinion|29 September 2024

સાથીની ગતિવિધિઓ પર વધારે જ નજર રાખવી, એ બહાર હોય ત્યારે દસ–દસ મિનિટે ફોન કે મેસેજ કરવા, તેના મોબાઈલ, ઈમેલ કે ફેસબુક અકાઉન્ટ ચેક કરતા રહેવા, એને એકલા કે મિત્રો સાથે કોઈ પ્રોગ્રામ કરવા ન દેવા એ ઈર્ષા અને માલિકીભાવની નિશાની છે. કેટલાક તો લોકેશન ટ્રેકિંગ એપ વાપરતા હોય છે. પ્રેમમાં હોય એને પણ પ્રાયવસીની જરૂર અને અધિકાર બંને હોય છે. એમાં ઈર્ષાળુ કે આક્રમક થવાની જરૂર નહીં 

ફિલ્મ ‘દિલ હી તો હૈ’નું ગીત ‘તુમ અગર મુઝકો ન ચાહો તો કોઈ બાત નહીં તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી’ આપણને ગમી ગયું છે. સાહિર લુધિયાનવીએ લખેલું અને રોશને સ્વરબદ્ધ કરેલું આ ગીત રાજ કપૂર અને નૂતન પર ફિલ્માવાયું હતું. ફિલ્મ હળવી, રોમેન્ટિક અને સંગીતમય હતી – આ ગીતનો પણ એ જ મિજાજ છે. રાજ કપૂર કવિ છે. નૂતનને ચાહે છે, પણ કહી શક્યો નથી. નટખટ નૂતન આ જાણે છે અને માણે પણ છે. એક મહેફિલમાં નૂતન એની સાથે પરણવા માગતા પ્રાણની સાથે આવી છે અને એને જોઈ રાજ કપૂર આ ગીત રૂપે મીઠી ઈર્ષા વ્યક્ત કરે છે. એ ઈર્ષા, એ નટખટપણું વારંવાર માણવાં ગમે, યાદ રહી જાય એવાં છે. 1963નું આ ગીત યાદ કરવાનું કારણ રાજ કપૂરની પુણ્યતિથિ અને નૂતનનો જન્મદિન છે.

આ બંને દિગ્ગજોને સલામ કરી આપણે એક સવાલ તરફ જઈએ – સવાલ એ છે કે પ્રેમ અને ઈર્ષા વચ્ચે કોઈ સંબંધ ખરો? ઈર્ષા પ્રેમની નિશાની હોઈ શકે? ક્યારે ઈર્ષા તંદુરસ્ત ગણાય ને ક્યારે નુકસાનકારક? અંગ્રેજીમાં ‘જેલસી’ અને ‘એન્વી’ એવા બે શબ્દો છે અને ગુજરાતીમાં ‘અદેખાઈ’ અને ‘ઈર્ષા’. થોડો ફરક છતાં આ શબ્દો એકબીજાની આવેજીમાં છૂટથી વપરાય છે. દ્વેષ શબ્દ પણ છે. બાઇબલ કહે છે કે ઈશ્વરે જે આપ્યું છે તે જોવાની અક્ષમતા અને કૃતજ્ઞતાના અભાવમાંથી ઈર્ષા જન્મે છે. વ્યવહાર કહે છે કે ઈર્ષા તેની જ થાય છે જે પોતાનાથી ચડિયાતું હોય અથવા એની પાસે એવું કંઈક હોય જે પોતાને ન મળ્યું હોય.

આપણે કોઈની ઈર્ષા ન કરીએ તો ઉત્તમ. પણ કોઈ આપણી ઈર્ષા કરે તો? તો ગુસ્સે થવાનું નહીં. ધન્યતા અનુભવવાની. દયા ખાનારા વધે તે કરતા ઈર્ષા કરનારા વધે એ ઈચ્છવા જેવું; કેમ કે ઈર્ષા કરનારે દુનિયાના લાખો માણસોમાંથી આપણી જ પસંદગી કરી એ એણે આપણામાં કોઈ વિશેષતા જોઈ હશે ત્યારે જ ને? માણસ જેની ઈર્ષા કરે તેના પ્રત્યે એના મનમાં છૂપો આદર હોય છે. એ રીતે ઈર્ષા અને આદર એક સિક્કાની બે બાજુઓ જેવા છે. ઈર્ષાને આદરનો નેગેટીવ ચહેરો કહી શકાય.

રોમેન્ટિક રિલેશનશિપમાં ઈર્ષાનું શું સ્થાન છે એની ચોક્કસ ખબર હોય કે નહીં, પણ બંને પાત્રો વચ્ચે ઈર્ષાનાં આછાંઘેરાં વહેણ વહેતાં જ હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે થોડી ઈર્ષા પ્રેમની મધુરતામાં વધારો કરે છે. કોઈ આપણને ખોવાનો ડર અનુભવે છે એ સંવેદન એક જાતનો આનંદ આપે છે. પ્રેમીઓ તો એવો દાવો પણ કરે કે ઈર્ષા એ જ કરે જે ચાહતા હોય. ઈર્ષામાં એક બિલોંગિંગનેસ, એક અધિકાર, એક મમ-ત્વ, એક ઝંખના જરૂર હોઈ શકે; પણ એનાથી દૂર રહેવું સારું કેમ કે ઈર્ષા એક આવેગ છે, એ વિચારશક્તિને ધૂંધળી કરે છે, એ વિધ્વંસક પણ બની શકે છે અને એને માલિકીભાવ કે અંકુશમાં રાખવાની વૃત્તિમાં પલટાઈ જતાં વાર લાગતી નથી. એટલે જ્યારે તમે તમારી પોતાની કે તમારા સાથીની ઈર્ષાથી પરેશાન હો ત્યારે સાચો રસ્તો તો એ છે કે બંનેએ મળીને તેને બેલેન્સ કરી લેવી. તે માટે ઈર્ષાનું અને પ્રેમનું મનોવિજ્ઞાન સમજી લેવું જોઈએ.

જેમ પ્રેમમાં ન પડ્યું હોય એવું ભાગ્યે જ કોઈ હોય તેમ જોઈ ઈર્ષાનો અનુભવ ન કર્યો હોય એવું પણ ભાગ્યે જ કોઈ હોય. આ બંને વૃત્તિઓ નોર્મલ છે, માનવસહજ છે. જે પોતાનું છે, તેને બીજા બધાથી બચાવી રાખવું છે. જે પોતાનું છે, તે પોતાની સાથે જ રહે, તેનું ધ્યાન પોતા તરફ જ રહે એ જોઈએ છે. પણ એવી સ્થિતિ કાયમ રહે એ શક્ય નથી. જો કે નાની નાની હળવી હળવી ઈર્ષા સંબંધને મજેદાર પણ બનાવે છે. એકબીજાની કિંમત કરાવે છે. ક્યારેક ભૂતકાળનો કોઈ અનુભવ કે આસપાસના લોકોની પ્રકૃતિને લીધે અવિશ્વાસ જન્મે છે. ક્યારેક પોતાના વ્યક્તિત્વમાં પૂરતું આકર્ષણ ન હોવાની શંકા પજવે છે. ક્યારેક અન્યનું વ્યક્તિત્વ કે બુદ્ધિમત્તા વધારે લોભવશે એવી આશંકા કનડે છે. ગમે તેમ, પ્રેમમાં થોડીક ઈર્ષાનું હોવું સહજ છે. પણ ઈર્ષા સંબંધ બગડવાનું કારણ બનવા લાગે ત્યારે ચેતી જવું. જો પોતાનાથી કાબૂમાં ન રહે તો કાઉન્સેલર પાસે જતાં પણ અચકાવું નહીં. એવી માનસિક કસરતો હોય છે જેનાથી તમે વધારે ખુલ્લા-ભલા બનો અને આત્મવિશ્વાસ અનુભવો.

ક્યારેક સ્પેસ ઇશ્યૂ પણ ઈર્ષાનું કારણ બનતા હોય છે. મોહિનીને તરંગનો 100 ટકા સમય જોઈતો હોય અને તરંગને થોડો સમય પોતાની જાત સાથે, શોખ સાથે, મિત્રો સાથે એટલે કે પોતાની સ્પેસમાં ગાળવો હોય એમ બને. કે પછી રાધાને સુનીલ દિવસમાં દસ વાર ફોન કરીને ક્યાં છે, શું કરે છે પૂછતો હોય – મોહનને એની ચિંતા હોય અથવા સિમ્પલી એની આસપાસ રહેવું ગમતું હોય પણ રાધાને એ જાસૂસી કરવા જેવું, જાપ્તો રાખવા જેવું લાગતું હોય. આવી બાબતો પર નિખાલસ વાતચીત કરી લેવાની અને સામી વ્યક્તિના ગમા-અણગમાનો આદર કરવાની આદત કેળવવી જોઈએ.

જો તમે સાથીની ગતિવિધિઓ પર વધારે જ નજર રાખતા હો, એ બહાર હોય ત્યારે દસ-દસ મિનિટે ફોન કે મેસેજ કરતા રહેતા હો, તેના મોબાઈલ, ઈમેલ કે ફેસબુક અકાઉન્ટ ચેક કરતા રહેતા હો, એને એકલા કે મિત્રો સાથે કોઈ પ્રોગ્રામ કરવા ન દેતા હો તો તમે ઈર્ષાનાં શિકાર બનતા જતા હોઈ શકો. કેટલાક લોકો તો લોકેશન ટ્રેકિંગ એપ પણ વાપરતા હોય છે. આ બધાથી સંબંધો કડવા, જટિલ બને છે. પ્રેમમાં હોય એને પણ પ્રાયવસીની જરૂર અને અધિકાર બંને છે. એમાં ઈર્ષાળુ કે આક્રમક થવાની જરૂર નહીં.

ઈર્ષા પૉઝિટિવ હોઈ શકે? હા. આપણામાં ઈર્ષાને ખરાબ અને નેગેટિવ માનવાનો સંસ્કાર ખૂબ દૃઢ થઈ ગયો હોય છે. પણ કેટલીક વાર ઈર્ષા એકદમ નોર્મલ અને રિઝનેબલ હોય છે એટલું જ નહીં, લાભદાયક પણ હોય શકે છે. આ વિષય પર પશ્ચિમમાં સંશોધન પણ થયું છે. જો એવું લાગે કે સાથી જે કરે છે તે મર્યાદાના ઉલ્લંઘન જેવું  છે તો ઈર્ષા આવી શકે. એની સાથે વાત કર્યા પછી, એનો પ્રતિભાવ જોયા પછી સંબંધ ક્યાં ઊભો છે તેનો ખ્યાલ આવે અને નિર્ણય કરવાની નોબત આવે તો સ્પષ્ટતા હોય. ઈર્ષાથી ઘણીવાર જરૂરી માહિતી પણ મળી શકે જે અન્યથા ધ્યાન દેવા જેવી ન લાગી હોય. ઈર્ષાથી તમને તમારા વ્યક્તિત્વ, પસંદગી, મૂલ્યો, પ્રાથમિકતાઓ વિષે પણ સ્પષ્ટતા મળે છે જેના પર સંબંધોની તંદુરસ્તી અમુક રીતે નિર્ભર હોય. ઈર્ષાથી તમને આગળ વધવાની, કશુંક સિદ્ધ કરવાની ચાનક ચડે એમ પણ બને.

પણ આપણે ફરી એ ગીત યાદ કરીએ: ફૂલ કી તરહ હંસો, સબકી નિગાહોં મેં રહો, આપની માસૂમ જવાની કી પનાહોં મેં રહો, મુઝકો વો દિન ન દિખાના તુમ્હેં આપની હી કસમ, મૈં તડપતા રહૂં તુમ ગૈર કી બાહોં મેં  રહો, તુમ જો મુઝસે ન નિબાહો તો કોઈ બાત નહીં, કિસી દુશ્મન સે નિબાહોગી તો મુશ્કિલ હોગી … આવી વહાલભરી ને નિખાલસ ઈર્ષાની પણ ઈર્ષા આવે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 જૂન  2024

Loading

...102030...414415416417...420430440...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved