Opinion Magazine
Number of visits: 9664845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી

સુમન શાહ|Poetry|22 January 2025

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૧)

Tyranny — જુલમ 

રે હૃદયહીન નારી, 

દોષ ભૂલી જનારી તારી જુલમી બુદ્ધિ, 

સુસજ્જ ચોખ્ખી બેપરવાઈ, 

હે આકાશપુત્રી, 

એ વડે 

મારા આ નિ:સંગ સમયમાં

મારી વ્હારે ધા. 

સાગર સમો સભર કાળ,

નવી ચીજ સમો વ્યગ્ર વ્રણ,

મારી ભાવનાની જિદ્દી જડને આવરીને

મારા સલામતી-કેન્દ્રને

કરકોલી રહ્મા છે.

ઊછળે છે હૃદયના ધબકાર,

અનેક મોજાં ભેગું જાણે એક મોજું.

ઊંચકાયેલું છે

કૂદીને મરી જવા નિરાશ 

મારું આ મસ્તક …

મારી અચળતામાં વિપરીત કશુંક 

ધ્રૂજે છે,

આંસુ ઊમટે એ તળિયેથી  

ઊગે છે,

અણિયાળા પાનવાળું 

સૂકું એક ઝાંખરું …

= = =

(2 March 99 – 19 Jan 25 USA)

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૨) 

Slaw Lament — મન્દ વિલાપ

સભર નિશામાં ધીમેશથી 

સરે છે નામ તારું …

જળ એનાં વહે છે અને 

પડીને તૂટે છે અને 

તૂટીને પ્રસરે છે 

શાન્તતામાં …

આછી ઇજા સારુ

પથ ભૂલેલા પથિકના 

સંભળાઇ જતા પદરવ સમું

પોતાના અપાર પણ 

ક્ષણિક સન્માનને સારુ …

અચાનક સમજાયેલું 

કશુંક ખિન્ન મનથી 

પ્રસરેલું 

ઉભરાય છે હૃદયમાં

ક્રૂર પાનખરના 

શમણા સમું …

પૃથ્વીનું જાડું મોટું પૈંડું, 

ટાયર એનું વિસ્મૃતિ-ભીનું 

ગબડે છે અને

કાપે છે સમયને 

ન મપાય એવાં અડધિયાંમાં. 

વરસાદી સરસરાટીમાં ફૅંકાતા 

કમજોર તેજ-તણખા.

એનાં કઠિન જળપાત્ર.

તારા સ્થાનભ્રષ્ટ હૃદયને 

આ ઠંડી ધરામાં 

ઢાંકે છે.

= = =

(3 March 99 -21 Jan 25 USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિંદુ ધર્મનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 January 2025

‘આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું’

પ્રકાશ ન. શાહ

જાહેર અવસરોએ શાસન તરફથી પ્રબંધન અલબત્ત અપેક્ષિત છે. પણ હમણાં જેને વરસ થયું તે રામ મંદિર નિર્માણ અને હાલ ચાલી રહેલ કુંભ પર્વ એક પ્રકારે સ્ટેટ સ્પોન્સર્ડ રૂપ પ્રગટ કરી રહ્યાં છે એ આપણા ધ્યાન બહાર ન જવું જોઈએ: વડા પ્રધાન વાજપેયીએ 2002માં જે અર્થમાં રાજધર્મની યાદ આપી હતી તે આ તો નથી.

વચ્ચે અહીં સાધ્વી ઋતંભરાની સાથે વાજપેયીનો ઉલ્લેખ ‘આધા કાઁગ્રેસી’ તરીકે (અને એથી પં. અટલ બિહારી નેહરુ તરીકે) કર્યો હતો. થાય છે, ધર્મ અને રાજધર્મ એ બધી ચર્ચા નિમિત્તે જવાહરલાલ વાસ્તવમાં ક્યાં ઊભા હશે?

કનૈયાલાલ મુનશી

આ પ્રશ્નના ઉત્તરની શોધમાં મને અલાહાબાદમાં 1954માં મળેલા કુંભ મેળા સંદર્ભે ક.મા. મુનશીએ કુલપતિના પત્રોમાં ટાંકેલ એક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે :

‘… 1954માં અલાહાબાદમાં કુંભ મેળો હતો. મેળાના બે દિવસ અગાઉ પંડિતજી અને હું બધો પ્રબંધ યોગ્ય છે કે નહીં તે જોવા ત્યાં ગયા હતા. અમે સંગમ પર પહોંચ્યા ત્યારે પંડિતજી જીપ અટકાવી નીચે ઊતર્યા. તેમણે અને મેં ગંગાના પવિત્ર જળથી પોતાનું મોં ધોયું. એક ખબરપત્રી અમારી જીપની જોડાજોડ આવતો હતો તેણે એવો અહેવાલ આપ્યો હતો કે પંડિતજીએ સંધ્યા કરી અને જનોઈ ધોઈ હતી. આ અહેવાલ એણે કલ્પનામાંથી ઊભો કર્યો હતો. સત્ય એ હતું કે પંડિતજી ગંગા નદી પ્રત્યે ભાવિક હિન્દુ જેટલાં જ આદર અને ભક્તિ ધરાવતા હતા. માત્ર એમના ‘વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ’ને કારણે તેઓ આ ભક્તિભાવને બીજું નામ આપતા હતા.’

આ પ્રસંગ સંભાર્યા પછી મુનશી નેહરુના વસિયતનામાને ટાંકે છે :

‘ભારતની જગજૂની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રતીક બની રહેલી ગંગા હંમેશાં નવતર રૂપ ધરતી રહી છે અને છતાં ય એ એની એ જ ગંગા છે. ગંગા મારે મન વર્તમાનમાં વહેતા અને ભાવિના મહાસાગરમાં ભળી જતા ભારતના ભૂતકાળના પ્રતીક અને સ્મૃતિ સમી બની રહી છે … આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું. હું એ સાંકળ છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતો નથી, કારણ કે હું એને મૂલ્યવાન લેખું છું અને એમાંથી પ્રેરણા મેળવું છું. મારી આ ઝંખનાના સાક્ષી તરીકે ભારતના સાંસ્કૃતિક વારસાને મારી અંતિમ અંજલિ તરીકે હું આ વિનંતી કરું છું કે મારા મૃતદેહના થોડા અવશેષો અલાહાબાદ પાસે વહેતા આ ગંગાના પ્રવાહમાં પધરાવજો – આ મહાનદી તેને ભારતના કિનારાઓને પખાળતા મહાસાગરમાં લઈ જશે.’

આ અવતરણ આપ્યા પછી મુનશી સટીક પૂછે છે : ‘જો આને ધર્મભાવના ન કહેવાય તો પછી કોને કહેવાય?’

1967ની આઠમી જાન્યુઆરીએ લખાયેલ ‘કુલપતિનો પત્ર’માંથી આ એક અંશ ટાંકી હું એના અનુસંધાનમાં 1967ની પહેલી ઓક્ટોબરના એમના પત્રમાંથી ટાંકવા માગું છું.

કોઈકે મુનશીને ‘વેદ, હિંદુઓ અને હિંદુ ધર્મ’ વિશે મોકલેલી પ્રશ્નાવલિ માંહેલો એક પ્રશ્ન આ છે :

‘એ (હિંદુ ધર્મ) રાષ્ટ્રીય છે કે સાર્વત્રિક ધર્મ છે?’

મુનશી એ સજ્જનને લખે છે :

‘હિંદુ ધર્મ એ સાર્વત્રિક ધર્મ છે, એનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે. બૌદ્ધ ધર્મ પણ સનાતન ધર્મમાંથી જ ઉદય પામ્યો છે.’

આ ઉત્તરમાંથી જે બે વાનાં ફલિત થાય છે એ નોંધ્યાં તમે? એક તો, સનાતન ને બિનસનાતન એવો જે વિવાદ યોગી આદિત્યનાથ વગેરે છેડી રહ્યા છે એનો અહીં છેદ ઊડી જાય છે. બીજું, હિંદુ ધર્મ ‘સાર્વત્રિક’ છે, નહીં કે ‘રાષ્ટ્રીય’ – આ ભૂમિકા સાથે રાષ્ટ્રને હિંદુ ઓળખમાં બદ્ધ કરવાપણું રહેતું નથી. એમાં હિંદુ અંશ બલકે સત્ત્વ અવશ્ય છે, પણ તે એમાં અને એથી સીમિત નથી.

જવાહરલાલ નેહરુ

વારુ, નેહરુને અભિમત શું હતું તે તરફ વળીએ જરી? 1948ના જાન્યુઆરી મહિનામાં એ અલીગઢ ગયા છે, ચહીને ગયા છે, દીક્ષાન્ત અભિભાષણ વાસ્તે. જે સમયગાળામાં એ ગયા છે તે પણ અક્ષરશ: ઐતિહાસિક એવાં મનોવૈજ્ઞાનિક પરિમાણોનો ગાળો છે. 17મી જાન્યુઆરીએ ગાંધીજીએ એમના અંતિમ અનશન પૂરા કર્યા અને 30મી જાન્યુઆરીએ ‘ગાંધીવધ’ થાય છે : એના વચગાળામાં નેહરુ અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા છે.

એમના સંબોધનના પૂર્વાર્ધનો આ અંશ સાંભળો :

‘હું અલીગઢ યુનિવર્સિટીમાં લાંબા સમય પછી આવ્યો છું … આપણે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે તમે બલકે આપણામાંથી મોટાભાગના ક્યાં ઊભા છીએ તે હું ચોક્કસ જાણતો નથી. ગમે તેમ પણ, આપણે ભાવિને સંવારવાનું છે અને વર્તમાનનો મુકાબલો પણ કરવાનો છે. શ્રદ્ધાના મજબૂત લંગર વગર આપણે અમથા જ ઢસડાયા કરીશું … આપણો ઉદ્દેશ્ય ઉચ્ચ આદર્શ અને ઉદાત્ત પુરુષાર્થને વરેલા મુક્ત ભારતના નિર્માણનો છે. એક એવું ભારત જેમાં વિચાર અને સંસ્કૃતિના નાનાવિધ પ્રવાહો મળીને પ્રગતિ ને આગેકૂચ શક્ય બનાવે. હું ભારત માટે ગૌરવ અનુભવું છું તે એના પ્રાચીન ભવ્ય વારસા માટે જ નહીં, પણ દિલોદિમાગનાં બારીબારણાં ખુલ્લાં રાખીને સુદૂરનાં તાજગીભર્યાં વહેણ ને વાયરા આત્મસાત કરવાની ક્ષમતા બદલ. હમણાં મેં કહ્યું કે ભારતને બૌદ્ધિક ને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ આણનાર વારસા ને પૂર્વજો વિશે મને ગૌરવ છે. તમે આ ભૂતકાળને કઈ રીતે જુઓ છો? તમને પણ લાગે છે ને કે તે જેટલો મારો તેટલો જ તમારોયે છે? તમે મુસ્લિમ છો, ને હું હિંદુ – પણ તેથી જે મારો એટલો જ તમારો પણ વારસો છે તે કંઈ હતો ન હતો થઈ જતો નથી.’

સ્ટેટ સ્પોન્સર્ડ શોર વચાળે આ એક સાંસ્કૃતિક પિછવાઈ, જરી હટકે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 જાન્યુઆરી 2025

Loading

પૂરી કરીશ બાકીની સફર

અનુવાદ : નંદિતા મુનિ|Poetry|21 January 2025

આજે પ્રિય કવિ Jyoti Deshmukhના એક કાવ્યનો ભાવાનુવાદ.

***

સહેલું નહોતું મારા માટે જરા ય

તને અલવિદા કહેવાનું 

ખરેખર તો મેં ક્યારે ય નથી કહ્યું અલવિદા તને.

દોડ્યા જ કર્યું તારા પડછાયાઓ પાછળ મેં 

તને પકડી પાડવા, તને રોકવા

અને જ્યારે જ્યારે લંબાવ્યો હાથ

ત્યારે મારો જ હાથ

મોં પર મને તમાચો બનીને વાગ્યો

તું ‘આવજો’નો હાથ હલાવતો

મારા હાથ વેરાઈ જતા,

દૂર પહોંચી જતા

રસ્તાના છેડે ઊભા રહી 

મારી સામે જોતા પાછું વળીને

હું સંમોહિત જાણે

દોડીને પહોંચતી તારા લગી

ને મારા પ્રેમ પરના એકાધિકારથી આશ્વસ્ત તું 

મને છોડીને પછી 

શામેલ થઈ જતો

દુનિયાની દોડધામમાં 

ને હું 

ખોટા નંબરનાં ચશ્માં જેવો

તારો પ્રેમ પહેરી રાખી

લથડતી

ઠેસ ખાતી

ચાલ્યા કરતી 

તારી પાછળ પાછળ 

મારી પાસે યાદોનો પટારો છે

તારી પાસેથી એક પોટલી તો ખરી

તારે દોડવું’તું બહુ તેજ, બહુ આગળ 

તો ક્યારેક ક્યારેક 

ભાર લાગ્યો હોય એવી યાદોને

તેં ભૂંસી નાખી

મારી ધીરજનો ઘડો

ભરાઈ ગયો છે હવે

એના વજનથી 

બેવડ વળી ગઈ છે મારી કાયા

યાદોના પટારાને ઊધઈ ચડી છે

કોતરાયેલા લાકડાની રજૂ

ખરીખરીને ભરાઈ ગઈ છે મારા નાકમાં 

ને શ્વાસ રૂંધાય છે મારો

હવે અહીં આટલે જ પડતો મૂકીશ 

આ પટારાને 

નહીં વેંઢારું એનો બોજો

પૂરી કરીશ બાકીની સફર

હાથ હલાવતા 

રસ્તાની બન્ને બાજુ ખીલેલાં ફૂલને

નિહાળતા નિહાળતા.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...413414415416...420430440...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved