જય જગનાથ !
આરતી
ડુંગર ટોચે દેવ વિરાજે, ખીણમાં ખદબદ માનવકીટ;
પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગત કિરીટ !
જય જગનાથ ! જય જગનાથ !
અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર :
ખીણમાં કણકણ કાજે મરતાં માનવજન્તુ રોજ હઝાર !
જય જગનાથ ! જય જગનાથ !
પ્રભુને નિત જરકશીના જામા : પલક પલક પલટાયે ચીર !
ખીણના ખેડું આબરૂ-ઢાંકણ આયુભર પામે એક લીર !
જય જગનાથ ! જય જગનાથ !
ખીણના ખાતર ખેડુ પૂરશે ધરતીમાં ધરબી કૃશ કાય;
ડુંગર દેવા જમી પોઢશે ઘુમ્મટની ઘેરી શીળી છાંય !
જય જગનાથ ! જય જગનાથ !
કીડી-કણ, હાથીનો હારો : સૌને સૌનું જાય મળી;
જગન્નાથ સૌને દેનારો : અર્ધવાણી તો આજ ફળી !
જય જગનાથ ! જય જગનાથ !
જગન્નાથનો જય પોકારો : કીડીને કણ પણ મળી રે’શે;
ડુંગરનો હાથી તો હારો, દ્યો નવ દ્યો, પણ લઈ લેશે !
જય જગનાથ ! જય જગનાથ !
(‘આલબેલ’)
![]()


એનું નામ જોન બોર્થવિક ગિલક્રિસ્ટ. ૧૭૫૯માં જન્મ, ૧૮૪૧માં અવસાન. પુસ્તકો લખ્યાં. બ્રિટનથી આવતા અંગ્રેજોને હિન્દુસ્તાનની ભાષાઓ શીખવતો. ધીમે ધીમે ગવર્નર જનરલ વેલેસ્લી સુધી પહોંચ થઈ. બ્રિટનથી આવતા સરકારી નોકરોને હિન્દુસ્તાનનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃિત, રીતરિવાજ, વગેરે શીખવવા માટે એક સંસ્થા શરૂ કરવાનું સૂચન તેણે ગવર્નર જનરલને કર્યું. વેલેસ્લીને વિચાર ગમી ગયો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેકટરોને પૂછ્યાગાછ્યા વગર જ તેણે કલકત્તાના ફોર્ટ વિલિયમ્સમાં આવી સંસ્થા શરૂ કરવાનું નક્કી કરી નાખ્યું. ૧૮૦૧ના એપ્રિલની દસમી તારીખે વેલેસ્લીએ જરૂરી કાગળિયાં પર સહીસિક્કા કર્યા, અને ચોથી મેએ તો કોલેજ શરૂ!