Opinion Magazine
Number of visits: 9689603
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાલેલકર સન્માન સ્વીકારતાં

કેતન રૂપેરા|Gandhiana|3 February 2017

યુવા સંપાદન સાથી કેતન વિશે શું કહીશું? લાગે છે, સંજય શ્રીપાદ ભાવેના શબ્દોમાં એમને ‘છપાયેલાં પાનાંની પાછળની પ્રતિભા’ (નિરીક્ષક ૧-૧-’૧૭) તરીકે ઓળખાવીએ તે ઠીક જ છે, અને આ છપાયેલાં પાનાંમાં ‘નિરીક્ષક’નો પણ સમાવેશ થાય છે તે અલબત્ત ઉમેરવાનું ન જ હોય. સ્વકલમે ચમકવું એ એક વાત છે, અને અન્ય સામગ્રીને પરિષ્કૃત-સંમાર્જિત રજૂ કરવી તે બીજી વાત છે. કેતન રૂપેરા લેખન અને સંપાદન બંને ક્ષેત્રે એક સરખી ગતિ કરી શકે છે એ અર્થમાં સવ્યસાચી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ના એમના વિશેષાંકોમાં તમને એની સાહેદી મળી રહેશે. કાકાસાહેબની એકસો પચીસી વિદ્યાપીઠ, નવજીવન, આશ્રમ, ગુજરાતી સાહિત્ય પરિષદ સૌ રૂડી પેરે ઊજવી શક્યાં હોત, પણ એ મહેણું ભાંગ્યું અક્ષરદેહના કાકાસાહેબની પ્રસ્તાવનાઓના વિશેષાંકે! આવા આ કેતનને, એમની સમજ મુજબનો પ્રથમ લેખ તેરચૌદ વરસ પર ‘નિરીક્ષક’માં પ્રકાશિત થતાં પોતાને લેખક થયાની લાગણી અનુભવાઈ હતી એવું એક સ્મરણ છે તે હૃદયપૂર્વક સંભારી, અહીં એમનું નવી દિલ્હી ખાતેનું કાલેલકર સન્માન વક્તવ્ય પ્રકાશિત કરતાં ‘નિરીક્ષક’ આનંદ અનુભવે છે. ઇચ્છીએ કે જેમ લેખન તેમ સંપાદન પણ સ્વતંત્ર શિસ્ત, હુન્નર અને કસબ છે એ એક વાત પણ આ નિમિત્તે અંકે થાય.

— "નિરીક્ષક" તંત્રી

સન્માન સ્વીકાર તસવીર, સ્થળ : ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ નજીક, જવાહરલાલ નેહરુ માર્ગ, નવી દિલ્હી

(વિગત : ડાબેથી કુસુમ શાહ (મંત્રી, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા), રમેશ શર્મા (ગાંધીમાર્ગી સમાજસેવક), પ્રેમપાલ (હિન્દી સાહિત્યકાર), સન્માન સ્વીકારતા કેતન રૂપેરા, મમતા કાલિયા (કવયિત્રી અને લેખિકા), અમરનાથ અમર (નિર્દેશક, દૂરદર્શન)

સાદગી, સહજતા ઔર સૌંદર્ય સે ભરે આજ કે સન્નિધિ સંગોષ્ઠિ સમ્માન સમારોહ કે મુખ્ય અતિથિ શ્રીમતિ મમતાજી (કવયિત્રી અને લેખિકા), વિશિષ્ટ અતિથિ ડૉ. અમરનાથજી (નિર્દેશક, દૂરદર્શન), સમારોહ કે અધ્યક્ષ પ્રેમપાલજી (હિન્દી સાહિત્યકાર), રમેશ શર્માજી (ગાંધીમાર્ગી સમાજસેવક), કુસુમબહેન (મંત્રી, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા), સભી મહાનુભાવ ઔર સબ કાકાપ્રેમી ઔર વિષ્ણુ પ્રભાકર પ્રેમી શ્રોતાગણ …

ગાંધીજી કે બાદ જિસકી લિખાઈ હંમેશાં સે પસંદ આયી હો ઔર બીસવીં શતાબ્દી મેં ન કેવલ દેશ કી અપિતુ વિશ્વ કી દો મહાન વિભૂતિ – મોહનદાસ કરમચંદ ગાંધી ઔર કવિવર રવીન્દ્રનાથ ટાગોર કે વ્યક્તિત્વ ઔર સાહિત્ય, દોનોં કે સુભગ સંયોજન કે સાથ અપની ભી એક સ્વતંત્ર પ્રતિભા પ્રાપ્ત હો ઐસે કાકાસાહેબ કાલેલકર કે સાથ અપના નામ જુડને સે બહોત હી હર્ષ ઔર આનંદ પ્રતીત કર રહા હું.

જબ યે સમ્માન કી ખબર મુઝે મિલી ઔર પહેલી બાર ઉસકા અભિનંદન પત્ર પઢા તબ ઇસ શરીર મેં સે એક લંબી હલકી ઝનઝનાહટ સી પ્રતીત હુઈ. ઔર ઇસે યોગાનુયોગ હી કહેંગે કી જિસ દિન હમને નવજીવન મેં સે કાકાસાહેબ કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક કી પીડીએફ પાઠકોં કો મેઇલ કી ઉસી દિન યે હર્ષ બરસાની વાલી મેઇલ ભી મુઝે મિલી. ઇસ કે લિયે ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ કા બહોત હી શુક્રગુઝાર હું.

ગુજરાત સે આયા હું તો ઇસ મૌકે પર કાકા ઔર ગુજરાત કે બારે મેં થોડા બહુત જાનને કી સબ કી જિજ્ઞાસા હોગી. તો ઉસે, મૈં અપને ખુદ કે અનુભવ સે હી બયાન કરું.

ગુજરાત મેં આજ ભી કોઈ ભી પુસ્તક મેલે મેં, જહાં નવજીવન કા બુક સ્ટોલ હોતા હૈ, વહાં ગાંધીજી કી આત્મકથા કે બાદ જિન પુસ્તકોં કી બિક્રી સબ સે જ્યાદા હોતી હૈ વો કાકા કી પુસ્તકેં હૈ. જ્ઞાનપીઠ પુરસ્કારપ્રાપ્ત કવિ ઉમાશંકર જોશી, જિસકા ગુજરાતી કવિ ઐસા પરિચય મેં નહીં દુંગા, ક્યું કી ઉન્હોંને હી કાકા કી વિશ્વભારતી કી સંકલ્પના કો અપને શબ્દો મેં યું રખા કી વો કૈસા ગુજરાતી, જો હો કેવલ ગુજરાતી. ઐસે ઉમાશંકર જોશીને અપને ‘સંસ્કૃિત’ સામયિક મેં કાકા કા ચરિત્ર લિખતે હુએ એક સમય કે ગુજરાત કે બારે મેં લિખા થા કી ગુજરાતની હવામાં એમની સંસ્કારમાધુરીનો સ્પર્શ હતો. – ગુજરાત કી હવા મેં કાકા કી સંસ્કારમાધુરી કા સ્પર્શ થા. ઔર આજ ભી જિન કા સાહિત્ય સે કોઈ નાતા ન હો ઐસી કિસી વ્યક્તિ કો તીન યા પાંચ સાહિત્યકાર કે નામ પૂછે જાયેં ઔર વે બતા પાયે, (હાં, આજ કે ગુજરાત મેં ઇતની શર્ત તો રખની હોગી) તો ઉસમેં અન્ય નામ ઇધર-ઉધર હો જાયે, યા આયે ના આયે લેકિન ‘કાકા કાલેલકર’ નામ જરૂર આયેગા.

પત્રકારિતા કે લિહાજ સે થોડી બાત કરેં તો વ્યક્તિગત રૂપ સે કઈ પત્રકાર અપને વિચાર-અભિવ્યક્તિ બડી હિમ્મત સે રખતે હૈ, વૃત્તાંત ઔર ગંભીર લેખ કે અલાવા વ્યંગ-કટાક્ષ કે માધ્યમ સે ભી અન્યાય, શોષણ યા ગૈરરીતિ કે વિરુદ્ધ મેં લિખતે હૈ લેકિન આખિર મેં ચિત્ર – હમ અપના કર્મ કરતે રહે, ફલ કી આશા મત રખેં, ઐસા ઉભર કર આતા હૈ. શાસનવ્યવસ્થા પર ઉસકી કોઈ જ્યાદા અસર નહીં પાઈ જાતી હૈ. ઉસ મેં જો કારણ હૈ વો કોઈ રાજ્ય યા સિર્ફ હમારે દેશ કે નહીં, શાયદ પૂરે વિશ્વ કે કારણ હૈ.

સન્માન સ્વીકારતા વક્તવ્ય આપતા કેતન રૂપેરા

વો કારણ બાજાર હૈ. જરૂરત કી બજાય લાલસા ઔર ઉપયોગ સે જ્યાદા વ્યય કી ઓર ખીંચે જા રહે ઈસ બાજાર સે હમેં તો બચના હી હોગા, સાથ સાથ નઈ પીઢી કો ભી ગાંધીજી કી ‘નઈ તાલીમ’ કી શિક્ષા કે રાસ્તે લે આના હોગા. કાકા, કૃપાલાની જૈસે આચાર્ય ને ઈસી શિક્ષા કો આગે બઢાતે હુએ કઈ રચનાત્મક કાર્યકર તૈયાર કિયે જો ગુજરાત ઔર દેશ કે ગાંવો મેં નીકલ પડે.

મૈં બહુત આનંદિત હું ઇસ બાત કે લિયે કી ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને ઇસ પથ પર આગે બઢતે હુએ ગ્રામશિલ્પી યોજના તૈયાર કી હૈ. કરીબન દસ સાલોં સે ચલ રહી હૈ. જિસ મેં વિદ્યાપીઠ કે સ્નાતક, શહર ઔર બાજાર કા શિકાર ન બનતે હુએ દૂરદરાજ કે કોઈ એક ગાંવ મેં જાકર બસતે હૈ, ઉસ ગાંવ કે લોગો કે સાથ મિલઝુલકર રહેતે હૈ ઔર ગાંવ કે લોગો કી જરૂરત એવમ્ ગાંધીવિચાર કે આધાર પર ગ્રામસુધાર કા કામ કરતે હૈ. વિદ્યાપીઠ કઈ સાલોં સે અપને સ્નાતકોં કો ગ્રામસેવા કે લિયે મહાદેવ દેસાઈ પુરસ્કાર દેતી હૈ. પહલી જનવરી મહાદેવ દેસાઈ કી જન્મતિથિ હૈ. ઇસ અવસર પર યે પુરસ્કાર અભી તક કે સબ સે નૌજવાન ઔર મેરી હી આસપાસ કે ઉમ્ર કે સ્નાતક જલદીપ ઠાકર કો મિલ રહા હૈ.

તો બાત થી હમારી શાસનવ્યવસ્થા યાની સરકાર ઔર બાજાર કી. વો અપના કામ કરેંગે હી લેકિન, ઔર શાયદ ઉસી કે કારણ હી હમે યાની ગાંધી કે સ્વરાજ વિચાર સે જુડી હુઈ સંસ્થાઓં કો અપને કામ ‘તારી હાક સૂની કોઈ ના આવે’ તો ભી કરતે હી રહેના હૈ.

ક્યોં કી યદી હમ કુછ કરને કા ઠાન લેતે હૈ, કહીં ન કહીં સે, કોઈ ના કોઈ, ઉસ કામ કો આગે બઢાને મેં અપના જો કુછ હો શકે વો પ્રદાન કરતા હૈ, ઐસા હમારા સબકા અનુભવ હોગા. ઐસે હી મેરે ઇસ પુરસ્કાર સે સમ્માનિત હોને કે પીછે જો લોગ હૈ ઉનકો યાદ કરુંગા.

પહેલે મેરે માતા-પિતા, બી.એસસી. કરને કે બાદ એમ.એસસી. કે બદલે મુઝે એમ.જે.એમસી., યાની માસ્ટર ઓફ સાયન્સ કે બદલે માસ્ટર ઑફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂિનકેશન મેં જાને કે લિયે હાં કહી. હાં, થોડી મસક્કત કરની પડી ઔર વહીં સે પત્રકારિતા શુરુ હો ગઈ. લેકિન ઉસકે કારણ માત્ર શિક્ષક બનને કે બજાય, આજ પત્રકારિતા ઔર શિક્ષા, દોનોં સે જુડ પાયા ઉન કે લિયે આભાર કે કોઈ શબ્દ નહીં હૈ, સિર્ફ વંદન હૈ.

એક અચ્છી બાત યે ભી બની કી જિસ તરહ ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ મેં પત્રકારિતા કા અભ્યાસ કિયા, ઉસી તરહ સ્નાતક કા અભ્યાસ ઐતિહાસિક ગુજરાત કૉલેજ સે હુઆ. જહાં ‘હિંદ છોડો’ આંદોલન કે દૌરાન રાષ્ટ્રધ્વજ લહેરાને પર ઇસ કૉલેજ કે છાત્ર વીર વિનોદ કિનારીવાલા ને અપની જાન ન્યોંચ્છાવર કી થી. ઉસી કૉલેજ મેં નિબંધ ઔર વક્તૃત્વ કે અધ્યક્ષ નીલાબહેન જોશી (વૈસે સંત જ્ઞાનેશ્વર ઔર સાને ગુરુજી પર ઉનકા ગહેરા અભ્યાસ હૈ ઔર ઉન પર લિખા ભી હૈ, લેકિન આજ વો ‘લગે રહો મુન્નાભાઈ’ કે સ્ક્રિપ્ટ રાઇટર અભિજાત જોશી કી માં સે ભી પહચાની જાતી હૈ) ઉનસે મેરી મુલાકાતેં ન બનતી રહેતી તો પત્રકારિતા મેં આને કા વિચાર ભી શાયદ મુઝે ન આતા. નીલાબહેન કો ભી મેરા વંદન.

હમ સબ જાનતે હૈ કિ ગાંધીજી કે જો પત્ર થે વો સમાચારપત્ર નહીં, વિચારપત્ર થે. ગુજરાત મેં ભી થોડે, લેકિન બડે મજબૂત વિચારપત્ર હૈ. પત્રકારિતા કે અભ્યાસ કે દૌરાન ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’, ‘ભૂમિપુત્ર’, ‘દલિત અધિકાર’ જૈસે વિચારપત્રોં એવમ્ ‘ગ્રામગર્જના’ જૈસે ગ્રામીણ અખબાર ઔર ઉસકે તંત્રીઓ કે સત્સંગ કે કારણ, મૈં અપને વિચાર યહાં રખ પાને લાયક બના હું. ઉનકા ધન્યવાદ કરુંગા તો કહેંગે યે હી તો હમારી પત્રકારિતા હૈ.

કિસી ભી વ્યક્તિ કે ઊંચે ઉઠને મેં ઉનકે જીવન મેં શિક્ષક કી બડી ભૂમિકા હોતી હૈ. સ્કૂલ મેં તો ઐસે શિક્ષક મિલે હી લેકિન પત્રકારિતા મેં અશ્વિનકુમાર (જો કાકા કે બડે અભ્યાસી હૈ. કુછ સાલ પહેલે ઉનકા યહાં સન્નિધિ મેં વક્તવ્ય ભી રખા ગયા થા) ઔર પ્રત્યક્ષ રૂપ સે શિક્ષક ન હો કર ભી શિક્ષક કી ભૂમિકા અદા કી ઐસે અંગ્રેજી કે અધ્યાપક સંજય શ્રીપાદ ભાવે ઔર ‘હિંદ સ્વરાજ મંડલ’ સંસ્થા કે વાસુદેવ વોરા કા બહુત બડા પ્રદાન હૈ.

જિસ જિસ અખબાર મેં મૈંને પત્રકારિતા કી ઉસકે તંત્રી-સંપાદક કામ કરતે કરતે હી દોસ્ત ભી બન ગયે ઔર કઈ દોસ્ત ભી ઐસે રહે જિન્હોંને મેરી લિખાઈ મેં સંપાદક કી ભૂમિકા અદા કી, ઐસે પત્રકારમિત્રોને મુઝે અપને રૂપ મેં લિખને-ખિલને કી ભૂમિકા નહીં અદા કી હોતી તો શાયદ પત્રકારિતા છોડ ચુકા હોતા. ઈસ લિયે ઉન સબકા ધન્યવાદ કરના મેરે લિયે ગૌરવ કી બાત હૈ.

આજ જિસ પત્રિકા સે જુડને મેં હી અપને આપ કો સમ્માનિત માનતા હું ઐસા, ‘નવજીવન પ્રકાશન મંદિર’ કા, ખાસ કર કે નઈ પીઢી કો ગાંધીવિચાર સે જોડને કે લિયે શુરુ કિયા ગયા સંપર્કપત્ર ઔર ગાંધીવિચાર કા પ્રસારપત્ર ‘नवजीवनનો અક્ષરદેહ’ કે તંત્રી વિવેક દેસાઈ ઔર પરામર્શક કપિલ રાવલને મુજ પર હંમેશાં વિશ્વાસ રખા હૈ. ઉસી કે કારણ શાયદ હી કોઈ સંપાદક કો પ્રાપ્ત હો ઐસી સ્વતંત્રતા સે સામગ્રી કા ચયન કર પા રહા હું, ઉસ કે લિયે ઉનકા ભી શુક્રિયાદા કરના ચાહુંગા.

ઔર આખિર મેં, મેરી ધર્મપત્ની જિગીષા ઔર પ્યારી બિટીયા ઋજુલ, જિન્હોંને બહોત બાર અપને હિસ્સે કા સમય મુઝે લિખને-પઢને મેં વ્યતિત કરને દિયા. ઉનકે કારણ હી આ જ ઇસ સમારોહ કે અમૂલ્ય અવસર પર ઉનકો સાથ લેકર આપ કે સામને ઉપસ્થિત હું.

એક બાર ફિર, ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ ઔર ઉસસે જુડે સભી વ્યક્તિ કા ધન્યવાદ, જો પૂરે દેશ કે અલગ અલગ હિસ્સે ઔર ક્ષેત્ર મેં અપની અચ્છી નજર બનાયે રખે હૈં. કાકાસાહેબ કી તરહ હમ મેં સે શાયદ હી કિસી ને કભી અપને કામ કે બદલે પુરસ્કાર કી કામના કી હોગી! ઇસી લિયે, યહાં ઉપયુક્ત શબ્દ રખા ગયા હૈ વહ ઍવૉર્ડ યા પારિતોષિક નહીં બલ્કી ‘પ્રોત્સાહન એવમ્ ઉપલબ્ધિયોં કે લિયે સમ્માન’ સમારોહ હૈ.

ઐસે વિચારહેતુ કે સુંદર સમારોહ મેં સમ્માનિત કરને કે લિયે આપ સબ કા બહોત હી ધન્યવાદ.

સન્નિધિ, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ નજીક, જવાહરલાલ નેહરુ માર્ગ, નવી દિલ્હી

તા. ૩૧-૧૨-૨૦૧૬

તા.ક.

તા. ૧-૧-’૧૭ના ’નિરીક્ષક’માં ’કદર અને નિસબત’ હેઠળ સંજય શ્રીપાદ ભાવેનો સૂક્ષ્મ અવલોકનો સાથેનો સંઘેડાઉતાર લેખ વાંચ્યો. કંઈક અંશે રેખાચિત્ર પણ કહી શકાય એવી આ કાર્યનોંધ વાંચીને ઘણા વડીલો-મિત્રોએ ફોન પર – રૂબરૂ રાજીપો વ્યક્ત કર્યો તો કેટલાક મિત્રોની આંખોના ખૂણા ભીંજવવા જેવી ઘટના પણ બની. આ પ્રતિભાવક માટે પ્રત્યક્ષપણે મિત્ર અને પરોક્ષરૂપે શિક્ષક એવા ભાવેએ જે વિગતો આવરી છે, તેમાં પત્રકારત્વ અને સંપાદન ઉપરાંત પુસ્તકનાં મુદ્રણ અને પ્રકાશનનો પણ સમાવેશ થાય છે. તેનાં બીજ વવાયાં વિદ્યાપીઠમાં પત્રકારત્વના અભ્યાસ (૨૦૦૩-૦૫) દરમિયાન જિતેન્દ્ર દેસાઈનાં વર્ગો ભરતા. તેમની લાક્ષણિક શૈલીમાં દાખલા, બનાવો, સંસ્મરણો અને અનુભવોની વહેંચણી કરતા કરતા લીધેલા વર્ગોએ મૂળરૂપે તો ’મુદ્રક અને પ્રકાશક ગાંધીજી’નો જ પરિચય કરાવ્યો. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ લખાણને વાચક સુધી અસરકારકપણે પહોંચાડવા માટે ટેકારૂપ થવાનો છે, એ પ્રાથમિક અને પાયાની સમજણ વિકસી. ત્યારની સમજણ અને અત્યારની અભિવ્યક્તિ કહી શકાય એવી દૃષ્ટિ સ્વતંત્રપણે કામ કરતા કરતા પુસ્તકના લેઆઉટ-ડિઝાઇન, પ્રિન્ટિંગ અને પબ્લિકેશનના કાર્યમાં પરિણમી તેમાં ઘણા વડીલો-મિત્રોનો ફાળો છે. શાર્દૂલ પ્રેસના નીતિનભાઈ, નવજીવનના કપિલભાઈ અને રાજેશભાઈ, યુનિક ઑફસેટના મેહુલભાઈ, ડિઝાઇનર મિત્ર ધીરેન પંચાલ અને સચીન પટેલ તથા ગાંધીવિચાર અને સંશોધનમાં સૂઝ ધરાવતા મિત્રો કિરણ કાપુરે અને સોહમ પટેલ સાથેના વખતોવખતના સંવાદે આ મૂળ વિચારને વળગી રહેવામાં સહકાર અને માર્ગદર્શન પૂરાં પાડ્યા છે. આ નિમિત્તે તેમનું સ્મરણ કરવું રહે છે.

Email : ket.rupera@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2017; પૃ. 18-19

Loading

ન્યૂ યોર્ક,૨૧ જાન્યુઆરી, ૨૦૧૭ની સાખે

ઋતા શાહ|Opinion - Opinion|2 February 2017

નવ નવેમ્બરનાં ચૂંટણી પરિણામો પછી આવનારા દિવસોમાં ટ્રમ્પ શાસનમાં શું થશે? આપણે રાષ્ટ્ર તરીકે/સમૂહ તરીકે શું કહી શકીએ એનાં વિચારોની આપ-લે સ્વાભાવિક ક્રમમાં શરૂ થઈ ગઈ. ચૂંટણી દરમિયાન ઉમેદવાર ટ્રમ્પે સ્ત્રીઓ વિષે કરેલા આકરા, અન્યાયી અને અસહ્ય વિધાનોનો વિરોધ તો કરવો જ પડે.

એના અનુસંધાનમાં હવાઈનાં દાદીમા ટેરેસા શુક, ન્યૂ યોર્કના જુવાન ફૅશન ડિઝાઇનર બૉંબ બ્લાન્ડ અને બીજા સંગઠનોએ મળીને WOMEN’S MARCH ON WASHINGTON નામની કૂચનું આયોજન કર્યું. અમેરિકા અને વિશ્વનાં ઘણાં દેશોમાં નાની-મોટી થઈને લગભગ ૭૦૦ જેટલી શાંતિ કૂચ થઈ. મુખ્ય કૂચ વૉશિંગ્ટન ડીસીમાં હતી તેમાં આગલા દિવસની પ્રમુખની શપથવિધિનાં પ્રસંગ કરતાં ત્રણ ગણાં લોકોએ ભાગ લીધો.

એમાં સ્ત્રીઓનો અવાજ ‘અમારું શરીર, અમારું મન, અમારી શક્તિ’નાં સૂત્ર દ્વારા પ્રગટ થયો, સાથે સાથે ‘સ્ત્રી હકો, માનવ હકો, સામાજિક ન્યાય, સમાનતા, સ્વતંત્રતાના નારા પણ સંભળાયા.’ ન્યૂ યોર્ક શહેર કે જેની ઓળખ ‘મેલ્ટિંગ પોટ’ તરીકેની છે; જ્યાં અલગ અલગ રંગના, જાતિનાં, દેશનાં, ધર્મના લોક સુમેળથી રહે છે, ત્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી દાગ હેમરશુલ્ડનાં ચોકથી નવા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પનાં રહેઠાણ સુધી કૂચ યોજાઈ. જે ખૂબ સૂચક હતું. દાગ હેમરશુલ્ડનું ડિપ્લોમેટ તરીકે ઈઝરાયેલ, આરબ દેશો, આફ્રિકાનાં દેશોમાં સુલેહ સ્થાપવાનું પ્રદાન છે અને તેના નામનો ચોક લોકો (પબ્લિક) માટે છે. ત્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ કે જેની નીતિ સ્ત્રીઓ, મુસ્લિમ મિત્રો, પર્યાવરણ વગેરે વિષે અણગમાની છે, તેનાં અંગત (પ્રાઈવેટ) મકાન સુધીની કૂચ હતી.

ન્યૂ યોર્કની કૂચની શરૂઆત શહેરનાં પ્રથમ નાગરિક-મેયર-નાં આફ્રિકન અમેરિકન પત્ની શારલીન મેકરેએ કરી. તેમણે કહ્યું, ‘ન્યૂ યોર્ક શહેર સ્ત્રીઓની ચળવળનું જન્મસ્થળ છે. આપણાથી આ અપમાન સાંખી ન લેવાય. આપણે નિયમિત રીતે કર (ટૅક્સ) ભરીએ છીએ. મહેનતથી પરિવારને પોષીએ છીએ. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે.’

મારી ૧૦ વરસની દીકરી સુરતા અને હું પણ ન્યૂ યોર્કના લગભગ ચાર લાખ મિત્રો સાથે જોડાયાં. મેં નારીવાદી આફ્રિકન અમેરિકન લેખિકા ઓડી લોર્ડનો વિચાર પોસ્ટર પર લખ્યો. “આપણી અલગતા (ડિફરન્સીઝ) આપણને બીજાથી અળગા નથી કરતી પણ આપણી અણસમજને કારણે આપણે બીજાને જાણી શકતાં નથી, માણી શકતા નથી અને સ્વીકારી શકતા નથી. અને આપણી વચ્ચે ભિન્નતાનો અનુભવ થાય છે.”

સ્કૂલમાં સુરતા સામાજિક ન્યાય વિષય પર પ્રોજેક્ટ કરે છે. એ ભૂમિકાને કારણે સહજતા અને ઉત્સુકતાથી સુરતા અને તેનાં મિત્રો કૂચમાં ભાગ લેવાં તૈયાર થઈ ગયેલાં. તેણે પોસ્ટર પર પોતાનો હાથ દોર્યો અને પાંચે આંગળીઓ પર પ્રેમ, શાંતિ, સમાનતા, ન્યાય અન સન્માનની અંગૂઠી પહેરી.

સુરતા લખે છે : “આ કૂચમાં લોકોના ટોળા હતાં – જાણે લોકોનું વાવાઝોડું દરેક શેરીમાં ફરી વળેલું – એક ચમત્કાર લાગે છે કે આટલાં બધાં લોકો આપણાં જેવું વિચારે છે. સહુ અવિરત સૂત્રો પોકારે છે. ગળું બેસી જાય ત્યાં સુધી સંદેશાત્મક પોસ્ટરો લઈને ઊભા રહ્યાં છે. હાથ દુઃખી જાય ત્યાં સુધી. પ્રતીકાત્મક પીન્ક પુસી હેટ પહેરીને ઊભાં રહ્યાં છે – પગ દુ:ખી જાય ત્યાં સુધી. મને ભૂખ લાગી હતી. થાક લાગ્યો હતો. પણ મને ખ્યાલ હતો આ તો હજી શરૂઆત છે.”

ખરું, આ તો શરૂઆત છે. આ લખું છું, ત્યારે ટ્રમ્પ શાસનનો હજુ તો ત્રીજો દિવસ છે. પણ એમનાં રાજનીતિનાં પગલાંના વિરોધમાં આજે વૉશિંગ્ટન સ્ક્વેરમાં મુસ્લિમ અને પરદેશી રહેવાસીઓના હક માટેની રેલી છે. તેમ જ ગ્રાન્ટ સેન્ટ્રલ ટર્મિનલમાં ડાકોટા ઍક્સેલ પાઈપલાઈનનાં વિરોધમાં રેલી છે.

Email : rutanyc@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 09

Loading

રાજરાજેશ્વરીનો રાગ દરબારી

રોહિત શુક્લ|Opinion - Opinion|2 February 2017

આપણા ચોથિયાને ગીત અને સંગીતમાં ખૂબ રુચિ, હાર્મોનિયમના સૂરના આધારે તાનપુરાની મેળવણી ચાલતી હોય કે તબલાંની, સિતાર મેળવાતી હોય કે સરોદ – તેને તો આવી બધી મેળવણીની પ્રક્રિયા જ જામી હતી. નિઃસ્પૃહભાવે હાર્મોનિયમ એક સ્થિર આધાર આપતું : કાળી ચાર કે સફેદ એક વાર સૂર વહાવતું હોય અને બાકીનાં જે – તે વાદ્યો ઠકઠક કે આઉ કરતાં મેળ બેસાડતાં હોય તે ઘટના જ તેને ભવ્ય લાગતી. આજે વળી ચોથેશ્વરી થોડાક નવરા પડ્યા હતા – શેરડીના સાંઠાનો એક હાથે ચઢ્યો ટુકડો લઈને તે અચાનક જ પ્રગટ થયા. ‘તને આ સંગીતના સૂરમાં ગતાગમ તો પડતી નથી અને આમ બાવરો-બાવરો શું જોયા કરે છે?’ તેમણે ચોથિયાને આવતાવેંત જ પોંખ્યો. ‘ચોથેશ્વરી, સાચું કહું? મને તો આ તમામ વાજિંત્રોનાં દિલમાંથી જાણે કે એક મહેચ્છા રેલાતી હોય તેમ જણાય છે – અમે પણ પેલી કાળી ચાર કે સફેદ એક જેવા ક્યારે થઈએ! તેમાં મને આ અદ્ભુત થવા મથી રહેલા ભારત નામના વિશાળ દેશની તમન્ના પડઘાતી હોય તેવું લાગે છે. મને લાગે છે કે પેલું અમ્મેિરકા અને ઓલું યુરોપ એટલે હાર્મોનિયમના કાળી ચાર અને સફેદ એક. આ દેશના તમામ યપ્પીઓની મહત્ત્વાકાંક્ષા યુરોપ-અમેરિકા થવાની જ હોય છે, તેમ મને પણ થાય છે – ક્યારે મારો દેશ પણ આવો મહાન બને! તેમાં ય પેલા ટ્રમ્પસાહેબે ‘અબ કી બાર ટ્રમ્પ શ-કા’ કહ્યું, ત્યારથી આ તો સૌના દિલ ધડામ કરતાને મતપેટીઓમાં જઈને ખાબક્યાં છે. આપણે પણ મુસલમાનોના જોઈને અને પેલા ચીનાઓને ને પાકલાઓને પાઠ ભણાવી દઈએ. આનું જ નામ ભાયડા.’ બાજુમાં આવી ઊભેલા યપ્પીએ માત્ર મૂંગાંમૂંગાં જ પોતાની સફાચટ મૂછને તાવ દીધો.

યપ્પીને ખાતરી થઈ હતી કે ‘આ મહાન રાજરાજેશ્વરને કારણે આજે ભારત જેવા દેશમાં ચંદ્રગુપ્ત મૌર્યના વારાનો સુવર્ણકાળ ફરી એકવાર પ્રગટ્યો ગણાય. તેની દૃષ્ટિએ ભારતની આઝાદી પણ ૨૦૧૪માં જ આવી ગણાય. તે પહેલાં આ દેશમાં કોઈ ‘અચ્છે દિન’ જ ન હતા. ખરેખર તો તે પહેલાં આ દેશ આઝાદ જ થયો ન હતો – દલીલ ખાતર – ૨૦૦૪ની આસપાસના ગાળામાં આ દેશ મુખૌટો પહેરીને પણ થોડોક-થોડોક જાગ્યો હતો ખરો. દેશનો સર્વોત્તમ સમય તો આઠમી નવેમ્બર, ૨૦૧૬થી જ આરંભાયો ગણાય. તે સમયે અમે દેશની અગ્નિપરીક્ષા લીધી અને આખ્ખેઆખ્ખા દેશે માત્ર અમારા જ રાજરાજેશ્વરના ચરણસ્પર્શ કરીકરીને ધન્યતા અનુભવી.’ યપ્પીના આ વિચારો અને વિકારોને ચોથિયો પામ્યો તો ખરો, પણ તે મૂળભૂત રીતે જ બાહોશ હોવાથી જણાતો હતો કે પેલા યપ્પી, સમૂહમાંથી કોઈ પણ કાંઈ પણ બોલે, બકે કે બબડે, તેનો પ્રતિવાદ કરાય જ નહીં. જો પ્રતિવાદ કરે અને લોકશાહી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા કે એવું કાંઈ પણ બોલવા જાય, તો દેશની ગુમનામ પિસ્તોલમાંથી બે-ચાર ગોળીઓ રમતી રમતી આવી જ જાય. પોતે ગોળી ખાઈને વીંધાઈને મરી તો જાય પણ તેથી પેલી પવિત્ર જી.ડી.પી. વધે કે કેમ તેની તેને ખબર જ પડતી ન હતી. ગોળી તેના લમણાની આરપાર નીકળી જ જાય, તો ભલે પણ તેને તેમાં ખરું દુઃખ તો દેશને થતા આર્થિક નુકસાનનું હતું. સર્જિકલ સ્ટ્રાઇક કે ‘સીમા પાર કા આતંકવાદ’ને ખાળવા માટે ખપમાં આવે તેવી મહામૂલી ગોળી પોતે લઈ જાય તે કદાચ દેશભક્તિ ન ગણાય. આ સમૂહના કોઈક વિચારકને તે પૂછવા માંગતો હતો કે (૧) કલબુર્ગી, પાનસરે અને દાભોલકરે જે કહ્યું-કર્યું અને જે આખરી અંજામ પામ્યા, તેને ‘દેશરાષ્ટ્ર અને ભક્તિ’ સાથે કેવી રીતે સાંકળી શકાય? અને (૨) આખરે આ દેશ, રાષ્ટ્ર અને તેની ભક્તિનો ક્યાં ય ઇજારો મળે ખરો? ક્યાંક તેનાં ટેન્ડર બહાર પડાતાં હોય તો ય જાણવા જોગ તો ખરું! પણ તેની બાહોશી હંમેશાં તેની સહાય કરવા તત્પર રહેતી અને તેથી આવા કોઈ પણ સવાલોને તે મનમાં જ ભંડારી દેતો.

પણ પેલા રાજરાજેશ્વરે તો હુકમ કર્યો – જાવ, બધા અગ્નિપરીક્ષા આપો. ચોતરફ લાકડાં ગોઠવીને નાની-મોટી લાખો ચિતાઓ ઊભી કરી દેવાઈ. માત્ર સાંઠીકડાં ગોઠવીને જે ચિતાઓ રચાઈ, તે તો દેશના ધનવાન, ફિલ્મ-કલાકારો, રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને જેમનાં નામ પનામા પેપર્સમાં ચમક્યાં હોય તેમના માટેની જ હતી. તેમાં કોઈ દાઝે તેમ હતું જ નહીં. બીજા પ્રકારની ચિતાઓ ઉપર માત્ર ઓઠકોઠિયા અને ભેજાંબાજોનો જ મહિમા હતો. જાતે બળવા કે દાઝવાનું દુઃખ શા માટે ભોગવવું તેમ માની તેમણે ગરીબગુરબાંને મદદ કરવાની શુદ્ધ ભાવના સાથે ચિતા ઉપર ચઢાવ્યા અને પોતે શિયાળામાં તાપણાં શેક્યાં. આખરે આ ભવ્ય ચિતાઓ ઉપર ચઢી જઈને અગ્નિપરીક્ષા આપવામાં તો દેશના નાચીઝ અને નાસમજ લોકો જ હાથે ચઢ્યા. અને આ લોકોની બહાદુરી તો જોઈ હોય તો જ જાણી શકાય. ના જોઈ રાત કે ના જોઈ વરત, ના જોઈ વય કે ના જોઈ તબિયત. ના જોઈ જાતિ કે ના જોઈ સ્થિતિ, બસ બધાને પેલી ચિતાઓ ઉપર ઝોંકી દીધા. અને આ અગ્નિપરીક્ષામાં મઝા પણ કેટકેટલી-એકસો વીસથી વધુ લોકો તો સીધા જ સ્વર્ગે સીધાવ્યા અને અમારું રુંવાડું ય ના ફરક્યું. લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા. ઘણાંનાં ઘરોમાં ભૂખમરો ડોકાયો. અનેક બીમાર અને અશક્ત લોકોનાં જીવન ટૂંકાં થયાં – પણ અમારા રાજરાજેશ્વર તે કાંઈ એમ વેવલા થોડા થાય! જે મર્યા કે બળ્યા તે જીવવાલાયક જ નો’તા એમ અમે સાબિત કર્યું. અને આમે ય તે પેટછૂટી વાત કરીએ, તો આ દેશના એકસો ત્રીસ કરોડ માથાંમાંથી પચીસ-પચાસ હજાર વધેરાઈ જાય તો તેમાં આટલી કાગારોળ શાને?

‘સ્પાર્ટા, મારા મિત્ર સ્પાર્ટાને સ્મરો. આજના જમાનામાં તમે સૌ પોચટ લોકો આઈ.એમ.આર. અને લાઇફ ઍક્સ્પેટન્સીની સાવ વાહિયાત વાતો ઝૂડે રાખો છો. અમે તો સ્પાર્ટામાં નવજાત શિશુઓને પહાડ પરથી ગબડતાં મેલી દેતાં. જે જીવતા તે જ જીવવાલાયક ગણાય. તમારે તો ભઈસા’બ ભારે આળપંપાળ. આ સહેજ દેશવ્યાપી અગ્નિપરીક્ષા યોજી તેમાં તે કેટકેટલી કાગારોળ મચાવી મેલી!’ આખરે મહાન નાયકના ચરણતલચાહક એવા યપ્પીએ ઊભરો કાઢ્યો. પણ ચોથેશ્વરીના હાથની શેરડીનો કે પછી તેમાંથી નીપજતી ગંડેરીને મહિમા ગણો – નોટબંધીને કારણે વસૂકાઈ ગયેલી ‘ચાય પે ચર્ચા’ની અવેજીમાં ‘ગંડેરી પે ઘમાસાણ’ જેવી ચર્ચા જામી પડી. શ્વેતકેશી, એકદંતગૂમ, ગુચ્છપુચ્છ, રક્તમુખ જેવા સૌ વાનરવીરો પોતપોતાના બાળગોપાળ સહ ઉપસ્થિત હતા. આવી વિદ્વત્સભા જામી ગઈ હશે, તેનો યપ્પીને પ્રથમ તો અણસાર જ નો’તો. પણ તેનાં વિચારોનાં મોજાં બધે પ્રસરી ચૂક્યાં હતાં. હંમેશની જેમ સૌથી પહેલું ઉપાસણ શ્વેતકેશીએ કર્યું. ‘બેટા યપ્પી, તારે તો ‘ઘટમાં ઘોડા થનગને’ જેવો ઘાટ છે. તારે આ દેશમાં વીર, બહાદુર, દેશભક્ત, શુદ્ધ-પરિશુદ્ધ, બુદ્ધિયુક્ત, પરંપરાવાદી, આધુનિક વિજ્ઞાનના પ્રણેતા શાસ્ત્રપ્રમાણિત આહાર-વિહાર-આચાર-વિચાર ધરાવનારાની ફોજ ઊભી કરવી છે – ખરું કે ? તો જરા આટલી વિમાસણ દૂર કરતો જા – આ તારી ફોજમાં જ વીર, બહાદુર અને નરબંકા સૈનિકોને સરખું ખાવા જ કેમ મળતું નથી? સૈનિકો તો સ્પાર્ટાનું ખડતલપણું ધરાવે જ છે – પણ મારા વા’લીડા એ તો કે’તો જા કે પેલું ‘રાશન’ કોને માલેતુજાર કરે છે ? જે નોટબંધીનો વાવટો ફરકાવીને તમારે ભ્રષ્ટાચાર દૂર કરવાનો છે, તે તો તમારાં અંગઅંગમાં વ્યાપી ચૂક્યો છે અને તમે નિષ્પાપ અને નિષ્કલંક હોવાનો ડોળ ધરે રાખો છો. નવી નોટો લોકો સુધી પહોંચે તે માટેની પૂરતી તૈયારી ના કરી, વારેવારે લૂગડાં બદલતા હો તેમ નિયમો બદલે રાખ્યા, પોલ ખૂલવા માંડી એટલે નવી જ વાત ઘુસાડી અને ‘કૅશલેસ’નો મુદ્દો ઊભો કરી દીધો.’

‘તમારા જેવા બુઝુર્ગોની આ જ મુશ્કેલી છે. તમારે બધું જૂનું-જૂનું યાદ રાખવા જોઈએ. તમને સત્તા શબ્દનો મર્મ જ સમજાતો નથી. સત્તા ત્યારે જ નીખરી ઊઠે કે જ્યારે તમામ ‘લોકો’ કે ‘જનતા’ માત્ર ‘પ્રજા’ બની રહે. અમારે નથી લોકશાહીની ચિંતા કે નથી જનતાના અવાજની હાયવૉય. અમે આજે જે કરીએ તે ખોટું હોય, તો તમારે તરત જ ભૂલી જવાનું. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે તે તમે માત્ર ‘પ્રજા’ છો. ‘પ્રજા’ની સામે ‘રાજા’ ગોઠવી શકાય છે,  એવી સગવડ પેલા ‘જનતા’ કે ‘લોક’ શબ્દમાં નથી. અને અમે કાંઈ એકલપેટા નથી. આ દેશના શહેરી, ઉપલા મધ્યમવર્ગના સવર્ણ પુરુષો બધા જ રાજા છે. એટલે તો ઓક્સફામ શોધ કરીને કહે કે ભારતમાં માત્ર એક ટકા લોકો પાસે દેશની સંપત્તિના અઠ્ઠાવન ટકા છે, ત્યારે અમે તો પોરસાઈએ છીએ. અમારે તો આ એક ટકાને જ સાચવવાના – બાકીના સૌને અગ્નિપરીક્ષાનો અણમોલ અવસર મળે જ છે ને!’

યપ્પીનો અવાજ જાદુભરેલી રણહાક જેવો જણાતો હતો. પણ ચોથેશ્વરીને નરવા કોઠે ભારે ઉકલત હતી. કકળથી આંતરડીએ ટામેટાં, બટાકા, રીંગણ, દૂધી ને વટાણા રોડ ઉપર ફેંકી ગયેલા પેલા પરથમીના પોઠીની બદદુઆ ક્યાંક પોતાને લાગી ન જાય તે લહાયમાં એકદંતગૂમ, રક્તાક્ષ કે ગુચ્છપુચ્છ બાજુમાં બેસી રહ્યા હતા. પણ પેલા રાતા પાણીએ રોતા ખેડૂતોનાં શાકભાજી ઉપર જ્યાફત ઉઠાવવા રાજી થતા ન હતા. પણ પેલા શહેરી, ઉપલા મધ્યમવર્ગીય અને સવર્ણ મહાનુભાવો એકરાંતિયાની પેઠે થેલા ભરી રહ્યા હતા. તેમણે યપ્પીને વાર્યો – “જો બાપ, આ તારી નજરે નોટબંધીનો ખેલ જોઈ લે. જેને હરખાં અંગઢાંકણ પણ નથી, તેમને તે કોશના ડામ દીધા. અને પેલા સ્વીસબૅંકવાળા, પનામા – પેપર્સવાળા, મલેશિયાની પી નોટ્સવાળા કે પછી છેવટે સીમા ઉપર ખડે- -પગે ચોકી કરનારાનું રાશન ચોરી જનારા તારી નજરે ચઢતા જ નથી. દેશમાં બેકારી વધી ગઈ, રત્નકલાકારોથી માંડીને લગનગાળામાં કે પછી ઉત્તરાયણના પતંગ-માંજાના કામ ઉપર વરહભરનું ગોતી લેનારાની માથે તમે ખાઈખપૂચીને ત્રાટક્યા – ના જોયું માદું કે ના જોઈ નવી-નવી મા બનનારીની વ્યથા. તમે કાળુ નાણું તો ચટણી જેટલું કઢાવી શક્યા અને ભ્રષ્ટાચારનો ‘ભ’યે ભાંગી ના શક્યા. તે તમે આટલા બધાને સતી અને સતા શીદને કીધા?’

એકદંતગૂમને તો આવા જ વખતે શૂળ ઊપડી આવતું હોય છે. તૂટેલા દાંતને કારણે મોંમાં પડેલી બખોલમાંથી શબ્દેશબ્દે સીટી વગાડતાં વગાડતાં તેણે કહ્યું, ‘પેલા પંદર લાખની વાત છોડો, ‘અચ્છે દિન’ના વાયદા પણ છોડો, પણ તમે કહેલું કે પચાસ દા’માં ઠેકાણું ના પડે તો ચોરે ઊભો કરજો, ભા તમે ‘ચાય પે ચર્ચા’ વખતે તો ચોરે ને ચૌટે જમાવટ કરતા ફરતા – હવે અમે તમને કયા ચોરે મળીએ – જરા સરનામું તો દેતા જાવ.”

હજુ તેની કહાણી યપ્પીના ઘનઘોર ભેજામાં ઊગે ત્યાં તો પેલો ગુચ્છપૂચ્છ હવામાં પૂંછડાનો ઝંડો લહેરાવતો ધસી આવ્યો. ‘મારા બાપ, આ તમે એક બાજુ જનધન અને એવી બધી પેરવીઓ વડે કાળાના ધોળા થવા દીધા, બીજી પા લાખોને બેકાર કરી મેલ્યા, ત્રીજી તરફ ખેડૂતોની આવતી ફસલ પણ બરબાદ કરી મેલી તો હવે એટલું તો કો’કે અમારાં છૈયાંછોકરાંવને અમારે ભણાવવું શું? તમે કાંક ડિપ્લોમાં ઇન બકરી ચારિંગ કે થ્રી યર ડિગ્રી કોર્સ ઇન ગાય દોહિંગ કે એવું કાંક દાખલ કરવાના છો? કારણ કે બાપ, પેલા એક ટકા વાસ્તે તમે અમ નવ્વાણું ટકાને તો કંધે મારવાના જ -પણ પછી જે પેલા એક ટકો બચ્યા તેમને દૂધ, ફળફળાદિ, શાક-પાંદડું, દાળ, ઘઉં, ચોખા કે તુવેર તો જોગવવાં પડવાનાં ને ! આ ધરતીના પટ ઉપરથી તમે આ ભરવાડ, ખેડૂત અને નાના કામદારને તો તારા-નક્ષત્ર ભેગાં કરી દેશો, પછી આ બધું ઊગવે ને પકવે તે હાટું ‘સ્કિલ ડેવલપમેન્ટ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ ને ‘વાઇબ્રન્ટ સમિટ’ને એવું બધું તો કરવું પડશેને. આ વખતના વાઇબ્રન્ટમાં તો તમે મોંઘેરા મહેમાનોને છ-છ હજાર રૂપિયાની ‘ડીશ’ જમાડી. આ જાહેર નાણાંની જયાફતનો હિસાબ તો આપશો ને. જો કે અમે રહ્યા ‘રૈયત’ એટલે આવા છ-છ હજારની ડિશની ઉચિતતાનો મુદ્દો તો અમારાથી શેં કરાય? એમાં લગીરે ભ્રષ્ટાચાર નહીં જ હોય એવું માનવા અમે રૈયત તરીકે બંધાયેલા જ ગણાઈએ ! પણ આવતે ફેરો, તેનાં શાકભાજીનાં ફળો કે દાલ-આટા ક્યાંથી લાવશો ? મહાત્મામંદિર ગમે તેટલું ભવ્ય હોય – તેની અગાશીમાં આ બધું પકવી શકે તેવા ‘મેન પાવર’, ‘હ્યુમન રિસૉર્સ’, ‘સ્કિલ દિડોવલપમેન્ટ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ ક્યાંથી લાવશો ?’

પણ આવા બધા પ્રશ્નોના ઉત્તર ખોળવાનું યપ્પીને કોઈએ શીખવ્યું ન હતું. આખરે તો તે પણ એક માણસ જ હતોને ! બે-ચાર ખિખવાટાં અને ડાચિયાં કરીને તેણે ઝાડ ધૂણી ઊઠે તેવી છલાંગો મારીને વિદાય લીધી.

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 10- 11

Loading

...102030...3,4973,4983,4993,500...3,5103,5203,530...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved