Opinion Magazine
Number of visits: 9576440
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવલકથાના નિમિત્તે

ભરત મહેતા|Opinion - Opinion|3 December 2019

હાલમાં દેશને ખુશીનો ખજાનો મળી ગયો છે. આ દેશ વાજતેગાજતે હિંદુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યો છે! જે એની આડશે આવે તે બધા જ દેશવિરોધી! જે કોઈ એનો વિરોધ કરે એ રાષ્ટ્રદ્રોહી, પછી ભલે ને એને અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય! સંસદમાં અને સડક પર આ હિંદુરાષ્ટ્રના ઘડવૈયા ગોડસેને દેશભક્ત કહેતાં ય શરમાતા નથી. આવા વાતાવરણમાં જે.એન.યુ.ની યુવાપેઢી, વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણમાં વધતી જતી ફી સામે વાજબી આંદોલન કરે ત્યારે કાળાડિબાંગ અંધકારમાં રૂપેરી કોર મારા જેવાને તો દેખાય છે. આ આંદોલનને ખોરવવા શક્યતમ અફવાઓનું બજાર ફેસબુકના જગતમાં ગરમાગરમ છે. એમાં કેટલીકવાર ચતુરાઈથી ઘી હોમવામાં આવી રહ્યું છે.

કનૈયાકુમારે જે.એન.યુ.માં રહીને, બંધારણીય રીતે સરકારને જે રીતે પડકારી હતી એ નિઃશંક અભિનંદનને પાત્ર છે. તેમ છતાં આવા આંદોલનને વગોવતી એક નવલકથા હિંદીમાં લખાઈ. જેનું નામ છે ‘જે.એન.યુ.મેં આકાંક્ષા’ જેના લેખિકા છે અંશુ જોશી. જેમની ફેસબુક તપાસતાં એમને ભા.જ.પ. સાથે દૃઢ નિસબત છે. કોઈ લેખકને આવી નવલકથા લખવાનો અધિકાર છે, લખી શકે. આશ્ચર્યની વાત એ છે કે આ નવલકતાની હિંદી સાહિત્ય કે સમીક્ષાએ નોંધી લીધી જ નથી! આ પ્રકારની નવલકથાને એકાએક ગુજરાત સાહિત્ય અકાદમીને પ્રગટ કરી, જે ગુજરાત સાહિત્ય અકાદમી (સ્વાયત્ત/અર્ધસ્વાયત્ત/આપખુદ) એ ક્યારે ય કોઈ હિંદી નવલકથાનો અનુવાદ પ્રગટ કર્યો નથી!

જો કરવો જ હોય તો પ્રેમચંદજી, રેણુ, ભીષ્મ સહાની, યશપાલ, નિર્મલ વર્મા, રણેન્દ્ર શ્રીલાલ શુક્લ, વિનોદકુમાર શુક્લ કોઈપણને લઈ શકાત. જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથાને લઈ શકાત. કોઈ મોટી કૃતિને આવો લાભ નહીં અને લેખિકાની પ્રથમ કૃતિને આવો લાભ પ્રકાશકના બદઈરાદાને સ્વયં પ્રગટ કરે છે. વળી, કેવળ આર્થિક સહાય અનુવાદને અપાતી હોય છે તે યોજના હેઠળ નહીં પણ આ નવલકથા ખુદ અકાદમીએ જ પ્રગટ કરવાની હોંશ દાખવી છે. અત્યારે આ જે.એન.યુ. આંદોલન ગતિમાં છે ત્યારે જ એની ચર્ચા પણ રાખવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુભાઈને એમની મિત્ર અંશુ જોશીની આ નવલકથા એટલી પ્રિય છે કે એના પર ‘શબ્દસૃષ્ટિ’માં સંપાદકીય પણ ફટકારી દીધું!

સત્તાની ચાપલુસીનું આ અત્યંત પારદર્શક ઉદાહરણ છે. મને યાદ છે કે વિષ્ણુભાઈએ દક્ષિણની એક નાટ્યલેખિકાનું કટોકટીવાળાએ કસ્ટડીડૅથ થયેલું ત્યારે લખેલું. કટોકટી વખતનો એમનો સત્યાગ્રહ હવે સત્તાગ્રહમાં પલટાઈ ગયેલો લાગે. વળી, આ એકલા વિષ્ણુભાઈનો દોષ કેવી રીતે? ગુજરાત સાહિત્ય અકાદમીમાં માર્ગદર્શકમંડળ જેવું કંઈક બચ્યું છે. શું એ સાહિત્ય વિદ્વાનોને પણ આ કૃતિ અકાદમી દ્વારા પ્રગટ કરવાની અગ્રિમતા લાગી? જો એમ ન હોય તો ગુજરાત સાહિત્ય અકાદમી પ્રમુખની પેઢી બની ગઈ કહેવાય. વળી, આ કૃતિ એવી છે કે સત્તામાં બેઠેલાં પણ રાજી થાય.

હકીકતે, આ સંસ્કૃતિની વાતો કરનારાઓનો સંસ્કૃતિદ્રોહ છે. સ્વાયત્તતા છીનવાઈ જાય પછી સંસ્થાનું ધોવાણ કઈ હદે થાય એનું આ ઉદાહરણ છે. ક્રમશઃ ગુજરાતી સાહિત્ય અકાદમી ‘સરકારી વાજિંત્ર’નાં પરિવર્તિત થઈ ચૂકી છે એનું આ રોકડું ઉદાહરણ છે.

E-mail :bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 16

Loading

સરકાદમી અંગે વધુ. …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 December 2019

‘નિરીક્ષક’નાં સોળમી નવેમ્બરના અંકમાં ‘રે, સરકાદમી !’ વિભાગમાં (આવો વિભાગ પણ ‘નિરીક્ષક’ પાડી શકે) ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ સહુને પાઠવેલી નવાં વર્ષની શુભેછા અને ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પાઠવેલી પ્રતિ-શુભેચ્છા વાંચવા મળી .સુમન શાહે ગુજરાતી સાહિત્યજગતનાં ‘અણસરખાં વાતાવરણ’માં પ્રવેશેલા ‘મૂંગારા’ની ચિન્તા કરી. તેમણે અકાદમીની સ્વાયત્તતા માટેનો મુદ્દો હવે મન્દપ્રાણ બની ગયો હોવાની જિકર કરી. પણ નિષ્પ્રાણ, નિર્લેપ, નિર્સ્તિત્વ (પ્રકાશ ન. શાહના સરકારી + અકાદમી = સરકાદમી શબ્દની માફક નિઃ + અસ્તિત્વ માટે નિર્સ્તિત્વ શબ્દ સંપાદકશ્રી મંજૂર રાખે ?) હોવા કરતાં મન્દપ્રાણ હોવું ગનીમત ગણી શકાય. સુમનભાઈએ ‘હાલ અકાદમીમાં બે જ છે – મહામાત્ર અને અધ્યક્ષ !’ એવી પણ ટિપ્પણી કરી છે. સુમનભાઈએ આ હોદ્દેદારોના  નામ નહીં લખીને વ્યક્તિનિરપેક્ષ, તટસ્થ વગેરે રહેવાનું પસંદ કર્યું છે, ભલે. અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ છે અને અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. ‘નિરીક્ષક’નો અંક ૧૮-૧૯ તારીખે હાથમાં આવ્યો તે વખતે એક યોગાનુયોગ એ હતો કે અંકમાં પણ વિષ્ણુ પંડ્યા હતા અને ઝવેરચંદ મેઘાણી નિમિત્તે મારી નજરમાં પણ વિષ્ણુ પંડ્યા હતા.

વાત એમ હતી કે એ દિવસોમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ જયંત મેઘાણીના અભૂતપૂર્વ સંપાદન હેઠળ પ્રસિદ્ધ કરેલાં ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ના પંદર ગ્રંથોના પાનાં ફેરવવાનો (વાંચવાનું તો શું ગજું ?) મોટો આનંદ માણી રહ્યો હતો. અકાદમીએ સમગ્ર મેઘાણી સાહિત્યનાં કુલ ૭,૬૭૪ પાનાંના પંદર પુસ્તકો માત્ર રૂ.૨,૦૭૦/- રૂપિયામાં પ્રસિદ્ધ કર્યા છે. ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આ ગ્રંથો ગુજરાતી સંપાદનકાર્યનું એક સર્વોચ્ચ શિખર છે.

એ ગ્રંથોમાં વાંધાજનક બાબત એ છે કે તેમાંથી સાત ગ્રંથોમાં ‘અધ્યક્ષસ્થાનેથી’ એવાં મથાળા હેઠળ ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાનું પોતાનું, ખુદના હસ્તાક્ષરવાળી સહીથી આપેલું નિવેદન છે. તે મોટે ભાગે ઉઘડતાં જમણાં પાનાંમાંથી એક પાને ખાસ નજરે ચઢે એ રીતે મૂકાયું છે. વિરોધાભાસે સંપાદક જયંત મેઘાણીનું નિવેદન અચૂકપણે ડાબી બાજુના પાને ઓછું નજરે પડે એ રીતે મૂકાયું છે. એ કદાચ જયંતભાઈની લાક્ષણિક નમ્રતાભરી પસંદગી હોઈ શકે. અધ્યક્ષનું નિવેદન અધ્યક્ષની પોતાની પસંદગી જ નહીં, પણ એમનો આગ્રહ અને નિગ્રહ પણ જણાય છે. વિષ્ણુભાઈ પહેલાંના અકાદમીના કોઈ અધ્યક્ષે અકાદમીના કોઈ પ્રકાશનમાં આ રીતે નિવેદન લખ્યું નથી. દરેક ગ્રંથનું નિવેદન વિષયોચિત હોય તો પણ તેમાંથી મેઘાણી માટેના આદર કરતાં પ્રકાશન પર સત્તાની મહોર મારવાની વૃત્તિ વધુ જણાય છે.

અહીં પ્રસ્તુત આડ-વાત તરીકે યાદ આવે છે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ ભાવનાબહેન દવે. તેમને બોર્ડનાં પ્રકાશનોમાં પોતાના ફોટા સાથે નિવેદન મૂકવાની આદત છે. અનેક વિદ્વાન લેખકોના પુસ્તકોમાં પણ પુસ્તક ઉઘાડતાંની સાથે વાચકને પહેલો ઉપાધ્યક્ષનો ફોટો દેખાય, તેની સાથે તેમનું નિવેદન હોય અને પછી પુસ્તકનાં નામ અને લેખકના નામનું પાનું આવે. સર્જકતા કે જ્ઞાન કરતાં સત્તાને પહેલાં રાખવાની આ મનોવૃત્તિને – ઓછામાં ઓછું કહીએ તો ય – જાહેરજીવનના સંદર્ભે વાંધાજનક તો કહેવી જ પડે.

જયંત મેઘાણીનાં સંપાદનકાર્ય તરફ નજર કરતાં સ્વાભાવિક રીતે જ ગુજરાત સાહિત્ય અકાદમીએ અને અન્ય પ્રકાશકોએ બહાર પાડેલાં સંપાદનો યાદ આવ્યાં. અકાદમીએ વીતેલાં વર્ષોમાં, અને તાજેતરમાં પણ, જાણીતા સાહિત્યકારોનાં સમગ્ર કે ચૂંટેલાં સાહિત્યનાં ગ્રંથોના સંપાદનો પર નજર કરી. એ સંપાદનોની જયંતભાઈનાં મેઘાણી-સંપાદનો સાથે સહજ વિદ્યાકીય વૃત્તિથી સરખામણી થઈ ગઈ. કેટલાક સંપાદિત ગ્રંથો પર ગ્રંથાલયમાં નજર  ફેરવી. તેમાં ધ્યાનમાં આવ્યું કે એમાંથી બધાં નહીં તો ય ઘણાં સપાદનોમાં ઘણું ઓછું કામ થયું છે. એ સંપાદકોમાંથી લગભગ બધા, જે તે સમયના, અને અત્યારના સમયના પણ, અગ્રણી સાક્ષરો છે. તેમણે સંપાદનનો અર્થ જ બહુ સંકુચિત કરી નાખ્યો હોવાની છાપ ઉપજે છે. આ સંપાદકોમાં મોટા ભાગના ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકો પણ છે. કેટલાંકે તો સાહિત્યને લગતાં વિદ્યાકીય કાર્યોમાં (અને કેટલાંકે જાહેર જીવનમાં પણ) પ્રામાણિકતા, નિષ્ઠા અને ઊંચા ધોરણો વિષે વ્યાખ્યાનો તેમ જ લખાણોમાં ઊંચી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી છે. તો પછી અકાદમીનાં સંપાદનોમાં  કેમ આવું ? ઇતિ અલમ્‌ !

૨૮ નવેમ્બર, ૨૦૧૯ 

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13-14 

Loading

સર્વત્ર સદ્‌બુદ્ધિ પ્રવર્તો

ચંદ્રકાંત ટોપીવાળા|Opinion - Opinion|3 December 2019

‘નિરીક્ષક’(૧૬ નવેમ્બર, ૨૦૧૯)માં છપાયેલા સુમન શાહના પત્ર અંગે નુક્તેચીની કરતો એ જ અંકમાં આપનો પ્રત્યુત્તર પણ છપાયો એ યોગ્ય થયું છે. તમે મોઘમમાં પણ ઘણું ખુલ્લું કરી આપ્યું છે, તેમ છતાં બે-ત્રણ મુદ્દાઓ એવા છે, જે ખૂલીને પ્રગટ થવા જોઈએ અને એ જ કારણે હું આપને લખવા પ્રેરાયો છું :

૧. પહેલી વાત તો સુમન શાહે આશ્ચર્યજનક રીતે પોતાની ભૂમિકા બદલી છે. સાહિત્ય સાહિત્ય-૨ મુદ્દે પણ એમણે જાહેર કરેલું કે ‘હું એમ નથી માનતો કે ચૂંટણી હોય તો જ સ્વાયત્ત થવાય’ અને પછી ત્યાં સુધી ઉચ્ચારેલું કે ‘સરકાર મનઘડંત કરશે એમ માની લેવું પણ દુરાશય કહેવાય’ આ એમનું બચાવ-ઉચ્ચારણ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’માં એમણે સ્વીકારેલી એમની સક્રિય ભૂમિકામાંથી આવ્યું હતું. આજે કોઈ કારણસર, ગુજરાત સાહિત્ય અકાદમીથી પોતે ફારેગ થયા પછી અકાદમી પર હલ્લો કરાવવા તેઓ ઉત્સાહિત થયા છે, એ અત્યંત દુઃખદ બાબત છે.

૨. એમનો બીજો આક્ષેપ છે કે પરિષદના ‘પહેલા બે ય બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયાભાવ કરમાઈ ગયો હોય’. આ બાબતમાં તત્કાલીન પ્રમુખનો ‘પરબ’નો ‘સ્વાયત્તતા’ અંક જોઈ જવા એમને વિનંતી છે. એમાં પૂરી કામગીરીનો નકશો અપાયો છે. આ નિરાધાર વિધાન છે.

૩. આ જ પત્રમાં એમણે નિર્દેશ્યું છે કે ‘મેં એક-દોઢ વર્ષ પહેલાં પરિષદ પ્રતિ આ જ કૉલમમાં લખેલું કે લડત ચાલુ રાખો પણ ફતવો પાછો ખેંચી લો. અકાદમીને લખેલું કે કાર્યવાહક અને માર્ગદર્શક બંને સમિતિઓની નવરચના કરો, નહીં તો આપખુદ લાગશો.’ અહીં સ્વાયત્તતાની કોઈ પણ ભૂમિકાનો સ્વીકાર કર્યા વગર સુમન શાહે બે બાજુ થાપ લગાવવાનો પ્રયત્ન કરી સ્વાયત્તતાને હાંસીપાત્ર બનાવી છે. ખરી વાત તો એ છે કે પરિષદે જાહેર કરેલો એ ‘ફતવો’ નહોતો. કોઈ પણ સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો એ સંભવિત આલેખ હતો.

જાનફેસાની માટેનો આ જ સર્વોત્તમ સમય નથી, પણ જે ક્ષણે ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ કોરાણે મુકાયું, ત્યારે જ સુમન શાહ અકાદમી પક્ષે પ્રવૃત્ત થવાને બદલે અન્યથા પ્રવૃત્ત થયા હોત અને એમની જોડે અન્યો પણ જોડાયા હોત, તો ચિત્ર કાંઈક જુદું હોત, ખેર, હજી પણ સુમન શાહ લોકોને સક્રિય થવાની હાકલ કરવા સાથે પોતે પણ સક્રિય થાય અને એમના જેવા બીજા પણ સક્રિય થાય તો સાહિત્યજગતની સરકાર તરફથી થયેલી આ માનહાનિમાંથી જલદી ઊગરી શકાશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13

Loading

...102030...2,6032,6042,6052,606...2,6102,6202,630...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved