Opinion Magazine
Number of visits: 9843025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડા પ્રધાન એટલે શું? 

તન્મય તિમિર|Opinion - Opinion|3 September 2025

15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો, ત્યારે દેશનાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની એક કલ્પના હતી કે, દેશનાં એક પણ નાગરિકની આંખોમાં આંસુ ન હોય! 

દેશનાં નાગરિકોની આંખોમાં આંસું ન હોય તેને માટે સૌપ્રથમ પગલું દેશનાં વડા પ્રધાનની આંખોએ ભરવું પડે. એક એવી વ્યક્તિ કે જેની પાસે દુનિયાની તમામ આફતોની સામે લડવાની તાકાત હોય, અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ એ દેશના નાગરિકોને હિંમત આપી રહી હોય!

દેશના વડા પ્રધાનની આંખોમાં આંસુ હોવાં એ દેશના નાગરિકોને રડાવવા સમાન છે. એક ડરપોક અને નબળો માણસ પોતાને ટકાવી રાખવા માટે રડીને દેશના નાગરિકોને ઈમોશનલ બ્લેકમેઇલ કરે છે. દેશની સારી પરિસ્થિતિને પણ નબળી બનાવી દે છે.

ઇતિહાસ હંમેશાં એવી વ્યક્તિઓ સર્જી શકે છે, જેમની પાસે ભવિષ્યમાં દેશ કેવો હશે તેનું ચિત્ર હોય, અને એ વ્યક્તિ પોતાના શબ્દોથી દેશના નાગરિકોને એ ચિત્ર બતાવી શકતી હોય.

જે વ્યક્તિ માત્ર ભૂતકાળનું ચિત્ર બતાવીને દેશના નાગરિકોને ભ્રમિત કર્યાં કરે, અને ભવિષ્યની કલ્પના ન કરાવી શકે એવી વ્યક્તિ દેશની સાથે સાથે દેશના ઇતિહાસને પણ બરબાદ કરી નાખે છે.

વડા પ્રધાન એટલે એક એવી વ્યક્તિ જેની પાસે દૂરનું જોઈ શકવાની ક્ષમતા હોય, એવી આંખો જે આંખોમાં આંસુ નહીં પણ સપનાં આવતાં હોય દેશને દુનિયાના અન્ય દેશો સાથે ચલાવવાના, આગળ વધવાનાં! વડા પ્રધાન એટલે અન્ય દેશની ચાર પૈસાની ધમકીથી ડરીને ડાયપર ભીનું કરનાર વ્યક્તિ નહીં.

વડા પ્રધાન એટલે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજની સમજ ધરાવતી હોય, એવી નાગરિકોનાં શરીર અને મનની કેળવણી માટે મથતી વ્યક્તિ! નાગરિકોને ધર્મ અને અંધશ્રદ્ધામાં ડૂબોળી અંધકારનું સર્જન કરનાર નહીં.

વડા પ્રધાન શબ્દનો અર્થ સમજવા માટે નાગરિકોએ પોતાની જાતને અરીસામાં જોઈને સવાલ કરવો રહ્યો, કે આ આંખોમાં આંસુ લાવે એ વડા પ્રધાન કે, આંખોમાં આંસું ન લાવે તે? વડા પ્રધાન એટલે શું?

(03-09-2025)
સૌજન્ય : તન્મયભાઈ તિમિરની ફેઇસબૂક દીલાથી સાદર

Loading

બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 September 2025

ચંદુ મહેરિયા

આઝાદી પછી તરત જ બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ ઊઠી હતી. સૌ પહેલા ૧૯૪૮માં તેનો વિચાર થયો હતો. પરંતુ તેનો અમલ કરતાં બે દાયકા થયા. લગભગ છપ્પન વરસ પૂર્વે, ઓગણીસમી જુલાઈ ૧૯૬૯ના દિવસે,  ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણનો જે  નિર્ણય થયો હતો તે ખૂબ જ નાટકીય હતો. આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’માં મોરારજી દેસાઈ લખે છે : (૧૯મી જુલાઈ ૧૯૬૯ની) બપોરે ત્રણ-ચાર વાગ્યાના સુમારે (નાણાં મંત્રી તરીકેનું) મારું રાજીનામું એમણે સ્વીકારી લીધું છે,  એવો પ્રધાન મંત્રીનો (ઈન્દિરા ગાંધીનો) મને પત્ર મળ્યો. એનો જવાબ પણ મેં એમને લખી મોકલ્યો હતો. એ જ સાંજે એમણે (વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ) ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એની જાહેરાત પણ કરી હતી. (પૃષ્ઠ ૫૨૨) 

દેશે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી બિનજોડાણવાદી વિદેશનીતિ અને મિશ્ર અર્થતંત્રની આર્થિક નીતિ અપનાવી હતી. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને અવકાશ હતો. પરંતુ ખાનગી અને વેપારી બેંકોનો મુખ્ય ઉદ્દેશ નફાનો હતો તેના પર મોટા ઉદ્યોગપતિઓનું વચર્સ હતું. વળી તે શહેરો અને ઉચ્ચ વર્ગો માટે જ હતી. દેશના ગ્રામીણો અને ગરીબો જ્યારે નાનકડી રકમ માટે પણ શાહુકારો પર નિર્ભર હતા ત્યારે બેંકોની પ્રાથમિકતા ન તો ખેડૂતો હતા, ન ગરીબો, ન શ્રમિકો. આ સ્થિતિમાં બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ થવી સ્વાભાવિક હતી. 

બેંકોનું રાષ્ટ્રીયકરણ (Nationalisation) એટલે વેપારી કે ખાનગી બેંકોની માલિકી અને નિયંત્રણ સરકાર હસ્તક હોવું. બેંકોના રાષ્ટ્રીયકરણનો દીર્ઘ ઇતિહાસ છે. ૨૭મી જાન્યુઆરી ૧૯૨૧ના દિવસે ત્રણ બેંકો(મુંબઈ, બંગાળ અને મદ્રાસની પ્રેસિડેન્સી બેંકો)ને એકત્ર કરીને અખિલ ભારતીય સ્તરની ઈમ્પીરિયલ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી. ૧લી જુલાઈ ૧૯૫૫ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરીને ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવું નામકરણ કર્યું હતું. ૧૯૩૫માં સ્થાપિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ૧૯૪૯માં નેશનલાઈઝેશન થયું હતું. ૧૯૪૮થી સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણની માંગ કરતા હતા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ માથે હતી ત્યારે જ બેંકો અને વીમાના રાષ્ટ્રીયકરણની માંગ બળવત્તર બની હતી. મે-૬૭માં મળેલી કાઁગ્રેસ વર્કિંગ કમિટી(CWC)માં આ મુદ્દો ચર્ચાયો હતો. તત્કાલીન વિત્ત મંત્રી મોરારજી દેસાઈનો મત હતો કે તેઓ રાષ્ટ્રીયકરણને એક સિદ્ધાંત તરીકે માનતા નથી પરંતુ સાધન માને છે. ‘કાઁગ્રેસે મિશ્ર આર્થિક નીતિ સ્વીકારેલી છે અને વારંવાર તેની જાહેરાત કરી છે અને તેથી રાષ્ટ્રીયકરણને હું કોઈ સિદ્ધાંત તરીકે સ્વીકારતો નથી, તેમ જ રાષ્ટ્રીયકરણની જરૂર હોય તો હું એના પક્ષમાં છું’, એમ પણ તેમણે કહ્યું હતું. તરફેણ-વિરોધની લાંબી ચર્ચાઓ પછી સમાધાનરૂપે બેંકો પર સામાજિક નિયંત્રણની યોજના સ્વીકારવામાં આવી. જો કે તે લાંબુ ન ટકી અને રાષ્ટ્રીયકરણ થઈને જ રહ્યું. 

ઐતિહાસિક અને યુગપ્રવર્તક ઘટના ગણાતા બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય મોરારજીભાઈ પાસેથી નાણાખાતું પોતાના હસ્તક લઈને તરત જ ત્યારનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લીધો હતો. સંસદનું સત્ર મળવાને આડા અડતાળીસ કલાક જ હતા તો પણ વટહુકમ મારફતે તેમણે રૂ. પચાસ કરોડથી વધુની થાપણો ધરાવતી ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેનો હેતુ સ્પષ્ટ કરતાં સરકારે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય પ્રાથમિકતા અને ઉદ્દેશો સાથે સુસંગત રહીને અર્થતંત્રના વિકાસની આવશ્યકતાઓ વધુ સારી રીતે સંતોષી શકાશે’.  ૧૯મી જુલાઈ ૧૯૬૯ના આ વટહુકમની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી. પરંતુ તે સંસદમાં ચર્ચાઈને કાયદો બની ગયો. કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને ૧૦મી ફેબ્રુઆરી ૧૯૭૦ના સર્વોચ્ચ અદાલતના બહુમતી(૧૦ વિ.૧) ચુકાદાથી તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. જો કે કેન્દ્રે હાર ન માની અને ૧૯૭૦ના ફેબ્રુઆરીની ૧૪મીએ બીજા વટહુકમથી બેંકોના પુર્નરાષ્ટ્રીયકરણનો માર્ગ લીધો. સર્વોચ્ચ અદાલતે જે વાંધા લીધા હતા તેને તેમાં દૂર કરાતાં તે કાયદેસર બન્યો અને ૩૧મી માર્ચ ૧૯૭૦ના રોજ બેંકોના રાષ્ટ્રીયકરણનો વિધિવત કાયદો બની શક્યો. જો કે આ કાયદો પશ્ચાદવર્તી અસરનો હોઈ ખરેખર ૧૯મી જુલાઈ ૧૯૬૯થી બેંકોનું રાષ્ટ્રીયકરણ  માન્ય ગણાયું. ઇન્દિરા ગાંધીએ તેમના વડા પ્રધાન તરીકે ૧૯૮૦ના કાર્યકાળમાં  ૨૦૦ કરોડથી વધુ થાપણો ધરાવતી બીજી ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એટલે કુલ ૨૦ રાષ્ટ્રીયકૃત બેંકો થઈ. ૨૦૧૯-૨૦માં વર્તમાન સરકારે કેટલીક બેંકોનો અન્યમાં વિલય કરતાં હાલમાં ૧૨ નેશનલાઈઝ બેંક્સ છે.

બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકે રાષ્ટ્રીયકરણના ઉદ્દેશો અને બેંકોની વર્તમાન સ્થિતિ તપાસવા જેવી છે. વેપારી બેંકો કેટલાક મૂડીપતિઓએ સ્થાપી હતી અને તેના પર તેમનો કાબૂ હતો. તેથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હતું. પહેલા તબક્કે ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણ સાથે જ આ વર્ચસ તૂટ્યું હતું અને બેંકિંગ ક્ષેત્રનો લગભગ ૮૦ ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયો હતો. એટલે આર્થિક કેન્દ્રીકરણને તેણે નાબૂદ કર્યું હતું. 

બેંકોના વ્યાપનો હેતુ મોટાપાયે સફળ થયો છે. જુલાઈ ૧૯૬૯માં ૮,૨૬૨ બેંક શાખાઓ હતી. જે આજે ૯૦,૦૦૦ છે. એટલે બેંક શાખાઓમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ તેનું કારણ રાષ્ટ્રીયકરણ છે. નેશનલાઈઝેશન પહેલા ૧૯૫૧ થી ૧૯૬૮માં બેંકોના ધિરાણમાં ૬૮ ટકા ધિરાણ ઉદ્યોગોને અને માત્ર ૨ ટકા જ ખેતીને થયું હતું. હવે બેંક ધિરાણ તો વધ્યું જ છે પરંતુ તે નાના ખેડૂતો, સ્વરોજગાર ચાહતા લોકો, નાના અને મધ્યમ ઉદ્યોગોને મળી રહ્યું છે. અર્થાત બેંક રાષ્ટ્રીયકરણનો જે હેતુ હતો કે બેંકોની લોન ગરીબો, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને નબળા વર્ગોને મળી રહે તે હેતુ બર આવ્યો છે. 

નેશનલાઈઝેશન પછી જ બેંકિંગસ્ટાફમાં અનામતનીતિનો અમલ થયો છે. તેને કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બેંક કર્મચારીથી લઈને મેનેજર થવાની તક મળી છે. મૂડીપતિઓના વર્ચસ હેઠળની બેંકોમાં આ શક્ય નહોતું. ગ્રામીણ ક્ષેત્રે પણ બેંકો પહોંચી છે. જો કે હજુ અંતરિયાળ ગામડાં કે આદિજાતિ વિસ્તારો સુધી તેની પહોંચ નથી. બેંકો સરકારી યોજનાઓના અમલ માટે તો ધિરાણ આપતી થઈ છે પરંતુ સાધન સહાય પણ આપે છે. એટલે રોકડ આર્થિક  ધિરાણ ઉપરાંત ખેતી કે વ્યવસાયના સાધનો માટે બેંક લોન મળતી થઈ છે. બેંક મેનેજમેન્ટનું વ્યવસાયીકરણ થયું છે અને તેમાં સમાજના કથિત નિમ્ન વર્ગોને સ્થાન મળ્યું છે. ખાનગી બેંકો ફડચામાં જાય ત્યારે થાપણદારને માથે જોખમ આવતું હતું. પરંતુ સરકાર હસ્તક બેંકો હોઈ થાપણદારોનો એ ભય દૂર થયો છે એટલે લોકો પોતાની બચત અને થાપણો બેંકોના હવાલે મોટા પાયે કરે છે. આજે બેંકોમાં રૂ.૧૪૦ લાખ કરોડ જમા છે. બેંકો એટલે નાણાની લેવડ-દેવડ, ધિરાણ-થાપણ, લાભ-નફો, અમીરો-ઉદ્યોગો એ છાપ ભૂંસાઈ ગઈ છે. સમાજના ગરીબ, વંચિત, નબળા વર્ગોના લોકો તેનું પગથિયું ચઢતા થયા છે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનની ચિંતા સેવી તેને સક્ષમ બનાવવાવું કામ બેંકો કરતી થઈ છે.

જો કે રાષ્ટ્રીયકરણ પછી રાજકીય હસ્તક્ષેપ અને દબાણને કારણે ધિરાણો કરવામાં આવ્યા છે અને તે મોટા ધિરાણો પરત ન આવતાં એન.પી.એ. (નોન પરફોર્મિગ એસેટ્સ) વધી છે. વળી બેંક એમ્પ્લોઈઝ યુનિયનો મજબૂત હોઈ તેને કારણે કાર્યક્ષમતા અને કામની ગુણવત્તા જોખમાઈ હોવાની છાપ ઊભી થઈ છે. રાષ્ટ્રીયકરણે બેંકોના વહીવટમાં નોકરશાહી વલણો વધાર્યાં છે તે તેની મોટી મર્યાદા છે. એકંદરે ૧૯૯૧ના આર્થિક ઉદારીકરણ પછી અને ખાનગીકરણના વાયરા વચ્ચે બેંકોનું રાષ્ટ્રીયકરણ અકબંધ રહ્યું છે તે તેની મોટી સિદ્ધિ છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

તમારી માતા મા અને બીજાની માતા જર્સી ગાય?

રમેશ સવાણી|Opinion - Opinion|3 September 2025

રમેશ સવાણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “માતા આપણી દુનિયા છે. માતા આપણું સ્વાભિમાન છે. બિહારમાં રા.જ.દ., કાઁગ્રેસના મંચ ઉપરથી મારી માતાને ગાળો દેવામાં આવી. આ શબ્દો ખાલી મારી માતાનું અપમાન નથી. તે દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે. મને ખબર છે કે આ જોઈને બિહારની દરેક મા, દીકરી, ભાઈને કેટલું ખરાબ લાગ્યું હશે.”

બિલકુલ સહમત. કોઈપણ ઝઘડામાં / વાતમાં માતા / બહેનને ગાળો આપવી તે નિંદનીય છે જ. માણસ તિરસ્કાર દર્શાવવા / ક્રોધાવેશમાં ગાળો બોલે છે. ગાળો ન બોલવી / ન લખવી તે સભ્યતા છે. માતા વડા પ્રધાનનાં હોય કે ગરીબનાં, તેમનું અપમાન એ દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે.

પરંતુ રાષ્ટ્રીય સ્તરે શું જોઈએ છીએ? BJP IT Cell દ્વારા ગાંધીજીને / નેહરુને મુસ્લિમ તરીકે ચિતરે છે; આમ આ તેમની માતા માટે અભદ્ર ટિપ્પણી કહેવાય કે નહીં? સત્તાપક્ષને સમર્થન કરતા લાખો વોટ્સએપ ગ્રુપ, લાખો ફેસબૂક પેજ, લાખો ટ્વિટર હેન્ડલ દિવસ-રાત ગાળો લખે છે, બોલે છે. ટ્રોલ્સ સોશિયલ મીડિયામાં સતત મા-બહેનની ગાળો લખી રહ્યા છે. ટ્રોલ્સ સામે  ફરિયાદ કરનારાઓની FIR કેમ નોંધવામાં આવતી નથી? શા માટે ગાળો લખનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે? શું BJP IT Cellએ, ગાળો આપવા / ચરિત્ર હનન કરવા ફેક્ટરી ખોલી નથી? ટ્રોલ્સની માફક, મોદીભક્ત લેખકો સોશિયલ મીડિયામાં છૂટથી મા-બે’નની ગાળો લખે છે અને એનો ગર્વ કરે છે !

વડા પ્રધાનનાં માતાને ગાળ આપનારને તરત જ એરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ ગરીબ / વંચિત / મધ્યમ વર્ગની માતાને ગાળો આપનાર સામે FIR નોંધાતી નથી. શું તે દેશની માતા નથી? 

અરે, ખુદ મોદીજી માતા, બહેન, દીકરીનું અપમાન કરતા નથી? માનસી સોનીની જાસૂસી કરવી તે સભ્યતા કહેવાય? જાહેરમંચ પરથી લાખો લોકો સમક્ષ મોદીજીએ ‘જર્સી ગાય / કાઁગ્રેસની વિધવા / બારબાલા / 50 કરોડની ગર્લફ્રેન્ડ / સુર્પણખા / દીદી ઓ દીદી’ જેવા શબ્દનો પ્રયોગ કર્યા હતા, તો એ માતા / બહેનનું અપમાન ન કહેવાય? તે સમયે દેશની માતા-બહેનોનું અપમાન નહોતું થતું?

ગાંધીજી / સરદાર પટેલ / નેહરુ / ઇન્દિરાજી / મોરારજી દેસાઈ / રાજીવ ગાંધી / નરસિમ્હા રાવ / અટલ બિહારી વાજપેયી / મનમોહનસિંહ ક્યારે ય જાહેરમંચ પરથી કે સંસદમાં માતા-બહેનોનું અપમાન કરેલ હતું? ગાળો આપેલ? રાહુલ ગાંધીનાં માતાનું અપમાન મોદીજીએ કર્યું છતાં રાહુલ ગાંધી, મોદીજીની માતા વિશે કદી ય ઘસાતું બોલ્યા નથી. મોદીજીએ નોટબંધી વેળાએ પોતાની માતાને બેન્ક સમક્ષ લાઈનમાં ઊભા રખાવ્યાં હતા તે રાજનીતિ કહેવાય કે નહીં? 

મણિપુરની જે મહિલાઓની નગ્ન પરેડ થઈ / ગેંગ રેપ થયા તે કોઈની માતા કે બહેન હશે જ ને? મહિલા પહેલવાનોનું યૌન શોષણ થયું ત્યારે મોદીજીએ ભેદી મૌન ધારણ કરી યૌનશોષણ કરનારને છાવર્યો ! એ મહિલા પહેલવાનો કોઈની બહેન તો હશે જ ને? બળાત્કારીઓ / હત્યારાઓને જેલ મુક્ત કર્યા હતા; તે પીડિતા કોઈની દીકરી / બહેન તો હશે જ ને? સંસદમાં ભા.જ.પ.ના સભ્યો વિપક્ષના સભ્યોને ગાળો આપે છે તેમને ક્યારે ય રોક્યા? યુદ્ધમાં પરાજિત પક્ષની મહિલાઓ પર બળાત્કાર કરવાની સલાહ આપનાર સાવરકરને આદર્શ માનો છો, તેમાં મા-બહેન-દીકરીનું અપમાન નથી? જશોદાબહેન સાથે લગ્ન કરેલ છતાં ચૂંટણીપંચ સમક્ષ અપરણિત લખાવેલ તે કોઈની દીકરીનું અપમાન કહેવાય કે નહીં? કાયમ વિક્ટિમ-કાર્ડનો જ ઉપયોગ કરવાનો? મોંઘવારી / બેરોજગારી ઓછી કરો તેમાં કરોડો બહેન-દીકરીઓનું સન્માન જળવાય કે નહીં? મોદીજી ! તમારી માતા મા અને બીજાની માતા જર્સી ગાય? 

02 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...207208209210...220230240...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved