Opinion Magazine
Number of visits: 9559597
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુનું સંસ્મરણ

હમીદ કુરેશી|Gandhiana|25 June 2025

ગાંધીજીએ પોતાના જીવનમાં ત્રણ લડતો લડી. લુઈ ફિશર એ ત્રણ લડતો આમ ગણાવે છે : (1) બ્રિટિશ સામ્રાજ્ય સામે (2) ભારત સામે (3) જાત સામે. ગાંધીજી ત્રણેમાં મહાન યોદ્ધા પુરવાર થયા. એમણે આઝાદી અપાવી, પહેલી લડતના ફળરૂપે; બીજી લડતમાં એમણે ભારતમાં જ્યાં જ્યાં ખરાબીઓ જોઈ, બદીઓ જોઈ ત્યાં લડત આપી, અને સમાજ સુધારા કર્યા, જેના કારણે આપણે એમને રાષ્ટ્રપિતા કહીએ છીએ; અને ત્રીજી લડાઈમાં એમણે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો, સત્યના પ્રયોગો એમણે પોતાની જાત ઉપર કર્યા, જેથી આપણે એમને મહાત્મા કહીએ છીએ.

એ મહાત્માની અસર આજે ક્યાં ક્યાં છે ? ભારત આજે (1968) એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. મને ઘણી વાર ધન્યતા લાગે છે, કે પાકિસ્તાન જેવા ધર્મઆધારિત રાષ્ટ્રની પાસે જ આવેલા આપણા દેશમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે એક મુસ્લિમ વ્યક્તિ છે, આપણી વરિષ્ઠ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એક મુસ્લિમ સજ્જન છે. આ વસ્તુ ગાંધી વિચારધારાને કારણે જ શક્ય થઈ શકે.

ગાંધીજીના અંતેવાસી બનવાનું સૌભાગ્ય મને સાંપડયું નહોતું, કારણ કે અમે એ વખતે બહુ નાનાં હતાં. પરંતુ કાલક્રમે હું એકવાર પંચગનીમાં એમને મળવા ગયો હતો, અને અમારે ઘણી વાતો થઈ હતી. ત્યારે એક બૌદ્ધ સાધુ આવ્યા હતા એમની સાથે પણ ગાંધીજીએ ત્રણેક કલાક ચર્ચા કરી. ત્યાર પછી લૉર્ડ વેવેલનો બ્રોડકાસ્ટ થયો અને બીજા દિવસે પંડિત નેહરુ, મૌલાના આઝાદ, સરદાર, શંકરરાવ દેવ વગેરે છૂટવાના હતા, એવા સમાચાર આવ્યા. કેટલા ય પત્રકારો, કેટલી દોડાદોડ! અને બીજે દિવસે સવારે સરદાર પટેલ, શંકરરાવ દેવ વગેરે બીજા નેતાઓ આવી પહોંચ્યા. આખો દિવસ ધમાલ ધમાલમાં ગયો. ગાંધીજીએ એ દિવસે પેલા બૌદ્ધ સાધુને ફરી બોલાવ્યા હતા. પણ એ આવ્યા ત્યારે વાત તો ન થઈ શકી, ગાંધીજીએ એમને લખેલો એક કાગળ આપ્યો – કોને ખબર એ ધમાલમાં એમણે ક્યારે, કેવી રીતે એ લખ્યો!

મારે ત્યાંથી પાછા ફરવાનું થયું, બાપુજીને મેં જણાવ્યું હતું કે હું સાડા દશની બસમાં જવાનો હતો. દશ-સવા દશે એમણે મને બોલાવ્યો, કહ્યું કે વલ્લભભાઈના ડાહ્યાભાઈ આવ્યા છે, એની સાથે તું મોટરમાં મુંબઈ જજે. બાપુજી ભૂલ્યા નહિ. આશ્રમની દોઢસો વ્યક્તિઓમાંની એક નાની વ્યક્તિ (હું) જવાની છે, એને સાથ શોધી આપ્યો. ખૂબ કામમાં હોવા છતાં આ સાદી, નજીવી વાત ભૂલ્યા નહીં! (જો કે ડાહ્યાભાઈ ભૂલી ગયા, અને મારે તો બસમાં જ જવું પડ્યું!)

‘નિરીક્ષક’ 17-11-1968ના અંકમાંથી.
24 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 343

Loading

શું મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીનો અધિકાર છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 June 2025

ચંદુ મહેરિયા

હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૫૫ ટકા મોંઘવારી ભથ્થું (DEARNESS ALLOWANCE – D.A.) મળે છે. ગુજરાત સરકારના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે ૫૫ ટકા ડી.એ. મળે છે. પરંતુ પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓ-કર્મચારીઓને માત્ર ૧૮ ટકા જ મળે છે. એટલે પશ્ચિમ બંગાળના કર્મચારી યુનિયનો કેન્દ્રના દરોને અનુરૂપ  મોંઘવારી ભથ્થું મેળવવા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકારને રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો ઉપરાંત તેમણે અદાલતમાં ધા નાંખતા સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળ સરકારને ૨૦૦૯થી ૨૦૧૯ના ચડત મોંઘવારી ભથ્થાના ૨૫ ટકા ત્રણ માસમાં ચુકવી દેવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના હુકમથી વેતન સમાનતાના વિવાદમાં કર્મચારીઓને આંશિક રાહત જરૂર મળી છે, પરંતુ હજુ લડાઈ બાકી છે. 

મોંઘવારીમાં થતી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ૧૯૭૦ના દાયકામાં સરકારી કર્મચારીઓને અને પછી તેને પગલે પંચાયત કર્મચારીઓ, સરકારી અને અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક – બિન શૈક્ષણિક કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનો આરંભ થયો હતો. વેતન આયોગોએ પણ સ્વીકાર્યું હતું કે સતત વધતા ફુગાવાને લીધે વેતનનું વાસ્તવિક મૂલ્ય ઘટી જાય છે. એટલે પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ આપવું જોઈએ. વધતા ભાવોને પહોંચી વળવા મોંઘવારી ભથ્થા કે ડી.એ તરીકે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતી આ વધારાની મદદ છે. તે સરકારી કર્મચારીના પગાર કે પેન્શનરના પેન્શનનો મહત્ત્વનો હિસ્સો છે. વરસમાં બે વાર, જાન્યુઆરી અને જુલાઈએ તેમાં વધારો થાય છે. 

અખિલ ભારતીય ગ્રાહક મૂલ્ય સૂચકાંક(All India Consumer Price Index – AICPI)ના આધારે ડી.એ.ની ગણતરી થાય છે. ગ્રાહક મૂલ્ય સૂચકાંકમાં વૃદ્ધિ થાય ત્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. સામાન્યત: કર્મચારીઓ કે પેન્શનરોને મૂળ વેતન કે પેન્શનની એક ચોક્કસ ટકાવારી તરીકે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીના જીવન ખર્ચને પહોંચી વળવા ઉપયોગી છે. તેનાથી કર્મચારી-અધિકારીની કાર્યક્ષમતા વધે છે અને સંતોષમાં વધારો થાય છે. સામાજિક સલામતી, કર્મચારીઓને એકત્ર રાખવા, પ્રતિભાના સંરક્ષણ માટે પણ તે લાભદાયી છે. ડી.એ. કર્મચારીને મોંઘવારીમાં રાહત આપે છે અને આર્થિક સંકટમાં સહારો બને છે. 

ગુજરાત સરકારે એના સરેલા, દેસાઈ અને અહેમદી પે કમિશન પછી ૧૯૮૭થી કેન્દ્રનું ચોથું પગાર પંચ અપનાવ્યું છે અને ત્યારથી ગુજરાતના કર્મચારીઓને કેન્દ્રીય પગારપંચ મુજબ પગાર અને ભથ્થાં મળે છે. એટલે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પણ મળે છે. ૨૦૧૬થી કેન્દ્ર સરકારના સાતમા વેતન પંચ પ્રમાણેના પગારો ગુજરાતનો સરકારી કર્મચારી મેળવે છે. ગુજરાતની જેમ ઘણાં રાજ્યોએ કેન્દ્રના પગાર પંચને અપનાવ્યું છે. 

પશ્ચિમ બંગાળમાં પહેલું પે કમિશન ૧૯૭૧માં રચાયું હતું. તે પછી દર દાયકે તે રચાવું જોઈએ. તે પ્રમાણે ૧૯૮૧માં બીજું, ૧૯૯૦માં ત્રીજું, ૧૯૯૮માં ચોથું , ૨૦૦૯માં પાંચમું અને ૨૦૨૦માં છઠ્ઠુ પગારપંચ રચાયું હતું. જ્યારે કેન્દ્રના અને ઘણાં રાજ્યોના કર્મચારીઓ સાતમા વેતન પંચ પ્રમાણે પગારો મેળવે છે ત્યારે પશ્ચિમ બંગાળના કર્મચારીઓને તેનાથી એક પંચ પાછળ છઠ્ઠા વેતન પંચ મુજબ પગાર-ભથ્થાં મળે છે અને કેન્દ્રના કર્મચારીઓ કરતાં ૩૭ ટકા ઓછું મોંઘવારી ભથ્થું મળે છે. 

કેન્દ્રના ધોરણે પગાર નહીં તો કમ સે કમ મોંઘવારી ભથ્થું મળવું જોઈએ તેવી પશ્ચિમ બંગાળના કર્મચારીઓની માંગ સાથેના વિરોધ આંદોલનો બેઅસર રહ્યા તેથી કર્મચારી યુનિયનોએ કોર્ટ પાસે ન્યાય મેળવવાનો માર્ગ અખત્યાર કર્યો. પહેલા તેમણે સ્ટેટ ટ્રિબ્યુનલમાં પિટિશન કરી, પરંતુ ત્યાં તેમની વિરુદ્ધમાં નિર્ણય આવ્યો. એટલે તેમણે કલકત્તા હાઈકોર્ટ પાસે ન્યાય માંગ્યો. મે-૨૦૨૨માં કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને તેના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ડી.એ. ચુકવી આપવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટના જજમેન્ટને સ્વીકારવાને બદલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન કરી. અઢાર મુદ્દતો પછી મે-૨૦૨૫માં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે રાજ્ય સરકારને ત્રણ મહિનામાં ચડત ડી.એ.નો ચોથો ભાગ ચુકવી દેવા આદેશ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે તેના જજમેન્ટમાં મોંઘવારી ભથ્થાને કાનૂની અધિકાર ગણ્યો છે. તેમ જ ડી.એ.ને કાયદાકીય રીતે અમલ કરવા યોગ્ય હક કહ્યો છે. અગાઉ ૧૯૮૬ના એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું કર્મચારીનો અભિન્ન અધિકાર છે. ૨૦૨૧માં કેરળ હાઈકોર્ટે ડી.એ.ની ચુકવણી ન કરવી તે કર્મચારીઓ સાથે રાજ્યનો ભેદભાવ છે અને બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન છે, એમ જણાવ્યું હતું. ૨૦૨૨માં કલકત્તા હાઈકોર્ટે  ડી.એ.ને કાનૂની અધિકાર ઠેરવી સરકારી નાંણાકીય અક્ષમતા કે નાણાંના બોજની દલીલ સ્વીકારી નહોતી. પશ્ચિમ બંગાળ સરકારના કેસની વધુ સુનાવણી ઓગસ્ટ માસમાં સુપ્રીમ કોર્ટમાં થવાની છે. એ વખતે સંવિધાનના અનુચ્છેદ ૨૧માં જણાવ્યા પ્રમાણેના માનભેર આજીવિકા રળવાનો અને તેમાં સમયાંતરે વધારાનો અર્થાત મોંઘવારી ભથ્થાનો કર્મચારીને મૂળભૂત અધિકાર  છે કે કેમ તેની ચર્ચા અને  નિર્ણય થઈ શકે છે.

સર્વોચ્ચ અદાલતમાં પશ્ચિમ બંગાળ સરકારની દલીલ હતી કે ચડત ડી.એ.ના ૨૫ ટકાની ચુકવણી માટે પણ રાજ્ય પર રૂ.૧૦,૦૦૦ કરોડનો બોજ પડશે. સામે કર્મચારી યુનિયન વતી દલીલ થઈ હતી કે તેમના રૂ.૪૧,૦૦૦ કરોડ ડી.એ. પેટે રાજ્ય સરકાર પાસે લેણાં છે. મોંઘવારી ભથ્થાની ચુકવણીથી રાજ્ય પર નાણાંકીય બોજ પડે છે અને સરકારના ખર્ચમાં વધારો થાય છે, રાજકોષિય ખાધ વધે છે. તે સવાલ છે જ. બીજી તરફ મોંઘવારી ભથ્થાની ચુકવણીમાં સરકારો વિલંબ કરે છે અને કર્મચારીઓને તો મોંઘવારીનો માર સહન કરવો જ પડે છે. તેવો પ્રશ્ન કર્મચારીઓ ઉઠાવે છે અને તે વાજબી પણ છે. 

પહેલી જુલાઈ ૨૦૨૪નું ચડત મોંઘવારી ભથ્થું ચુકવવા ભારત સરકારે ઓકટોબર -૨૦૨૪ના અંતે આદેશ કર્યો હતો. તેન પગલે ગુજરાત સરકારે ડિસેમ્બર ૨૦૨૪માં ઠરાવ કર્યો હતો. પહેલી જાન્યુઆરી ૨૦૨૫નું ડ્યુ ડી.એ. કેન્દ્ર અને ગુજરાત સરકારે એપ્રિલ ૨૦૨૫માં ચુકવવા આદેશ કર્યો હતો. એટલે મોંઘવારી અને ફુગાવા સામે રાહત માટે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું ભારે વિલંબથી અને ક્યારેક તો છ મહિના પછી આપવામાં આવે છે. તેનું એરિયર્સ હપ્તે હપ્તે ચુકવવામાં આવે છે. તેથી ડી.એ.નો મૂળ હેતુ જળવાતો નથી. 

મોંઘવારી તો સૌ કોઈને નડે છે. પરંતુ તેની સામે રાહત તરીકે મોંઘવારી ભથ્થું માત્ર સરકારી કર્મચારીઓને જ મળે છે. વળી સરકારી કચેરીઓમાં જ કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ, ફિક્સ પગારદારો. પાર્ટટાઈમ એમ્પ્લોઈઝ વગેરેને તે મળતું નથી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું મળતું નથી. દેશના વિશાળ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદારો પણ કોઈ મોંઘવારી સામે આવી નાણાંકીય રાહત મેળવતા નથી. તે દિશામાં પણ ચિંતન અને ચિંતા કરવાની આવશ્યકતા છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

બાનું વસિયતનામું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|24 June 2025

ઉમેશભાઈ આમ તો રોજ સવારે છ વાગે ઊઠી જતા, અને નિત્યક્રમ પતાવીને ઓફિસે જતા; પણ આજનો દિવસ તેમને માટે ખાસ દિવસ હતો. આજે ઉમેશભાઈ સવારે ચાર વાગે ઊઠીને નિત્યક્રમ પતાવી, છ વાગે નીચે ડ્રોઈંગરૂમમાં આવ્યા. આજે ઓફિસે નહીં પણ બહારગામ, વારાણસી જવાનો પ્રોગ્રામ હતો. આજનો દિવસ તેમણે વારાણસી જવા માટે રિઝર્વ રાખ્યો હતો. આજના દિવસે આ સિવાય કોઈ કામ કરવાના નહોતા.

વિમળાબહેનને ખબર હતી કે આજે ઉમેશભાઈ વારાણસી જવા માટે છ વાગે તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં આવશે.

ઉમેશભાઈએ વિમળાબહેન સામે જોઇને પૂછ્યું, “કેમ, વિમળા, શું સમસ્યા છે? તારો ચહેરો કહી રહ્યો છે કે તારે કંઈક પૂછવું છે?”

“તમારું અનુમાન સાચું છે. મને તમારી ઉપર પૂરતો ભરોસો અને વિશ્વાસ છે પણ આજે જિજ્ઞાસાવસ એક સવાલ પૂછવાનું મન થાય છે. તમે નારાજ ન થાવ તો પૂછું?”

“અરે! એમાં નારાજ થવાની શું વાત છે. મને ખબર હતી કે તું એક દિવસ મારી આજના દિવસે વારાણસી જવા વિશે જરૂર પૂછીશ. હું, તું સામેથી એ વાત પૂછે તેની રાહ જોતો હતો. તારા પ્રશ્નના જવાબ માટે તારે મારી સાથે વારાણસી આવવું પડશે. તું જલદીથી તૈયાર થઈ જા. આપણે વારાણસી દશ વાગ્યા પહેલાં પહોંચવું પડશે.”

વિમળાબહેન જાણતાં હતાં કે એવી કોઈ વાત જરૂર હશે; જે વાત ઉમેશ મને બતાવીને સમજાવવા માંગતો હશે. વિમળાબહેન ફટાફટ તૈયાર થઈ ગયાં અને ઉમેશભાઈ સાથે કારમાં વારાણસી જવા માટે નીકળી ગયાં.

સાડા નવ વાગે ઉમેશભાઈની કાર વારાણસીમાં એક સોસાયટી વિસ્તારમાં એક નાના એવા ટેનામેન્ટ પાસે જઈને ઊભી રહી. ટેનામેન્ટ વન બેડરૂમ, હોલ અને કિચનવાળું હતી. ટેનામેન્ટ બહાર નેમપ્લેટ હતી, જેમાં ફક્ત ‘જમનાબા વિલા’ લખેલું હતું. ટેનામેન્ટને ફરતી કમ્પાઉન્ડ વોલ હતી અને આંગણામાં નાનો એવો બગીચો હતો. વિમળાબહેન નામ વાંચીને આશ્ચર્ય પામી ગયાં. આ નામ ક્યારે ય તેમણે ઉમેશભાઈના મોઢેથી સાંભળ્યું નહોતું કે તે વિશે કોઈની સાથે ચર્ચા કરતા કે વાત કરતા સાંભળ્યા નહોતા. પણ ત્યારે વિમળાબહેને કંઈ પૂછ્યું નહીં એમ માનીને કે જે હકીકત હશે એ ઉમેશ કહેશે.

વિમળાબહેન ઉમેશભાઈ સાથે ડ્રોઈંગરૂમમાં દાખલ થયાં. ડ્રોઈંગરૂમમાં એક મંદિર હતું અને મંદિરમાં ફૂલ સાઇઝનો એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્રીનો ફોટો હતો. થાળમાં મોંઘો ગુલાબનો હાર હતો. બાજુમાં મોટી દિવીમાં દિવો હતો. ડ્રોઈંગરૂમમાં થોડાક માણસો સફેદ વસ્ત્ર પહેરીને બેઠા હતા. સામાન્ય રીતે ઉમેશભાઈ સફેદ વસ્ત્ર નહોતા પહેરતા. તેમને સફેદ વસ્ત્રો પહેરવા બહુ ગમતા નહીં, પણ આજે એકદમ સાદા સફેદ વસ્ત્રો પહેર્યા હતા. વિમળાબહેનને સવારે નવાઈ તો લાગી હતી ત્યારે પણ તેમણે ઉમેશભાઈને કંઈ પૂછ્યું નહોતું.

ઉમેશભાઈએ વિમળાબહેનને કહ્યું, “અત્યારે દશ વાગ્યા છે આપણે જમના બાની પૂજા કરી લઈએ પછી તારે જે જાણવું હોય તે વિશે વાત કરશું.” બંને જમનાબાનાં ફોટા પાસે ગયા; જમનાબાને ફૂલસાઇઝનો અસલી ગુલાબનો હાર પહેરાવ્યો, પૂજા કરી વંદન કર્યાં. ત્યાં હાજર લોકોને પ્રસાદ પીરસવાની સૂચના આપી દીધી.

બધું કામકાજ પૂર્ણ કરી. બાનો પ્રસાદ લઈને ઉમેશભાઈ અને વિમળાબહેન ડ્રોઈંગરૂમમાં જમનાબાના ફોટા સામે બેઠા.

“વિમળા, તને સવાલ છે ને? આ જમનાબા કોણ છે? હું આજના દિવસે અહીંયા વારાણસી આવીને તેમની પૂજા શું કામ કરું છું? તો, સાંભળ…….”

“હું જ્યારે પાંચ વરસનો હતો ત્યારે મમ્મીપપ્પા સાથે વારાણસી ભોલેનાથના દર્શન કરવા ગયો હતો. વારાણસીમાં ઘણાં મંદિરો છે, એટલે પપ્પાની ઈચ્છા એવી હતી કે મુખ્ય મુખ્ય મંદિરે દર્શન કરીએ; પણ મમ્મી તો જે મંદિર રસ્તામાં આવે તેમાં દર્શન કરવા પહોંચી જતી હતી. એક મોટા મંદિરમાં હું આમથી તેમ આંટા મારતો હતો અને રસ્તો ભૂલી મંદિરમાં અટવાઈ ગયો. મને કોઈ રસ્તો જડતો નહોતો કે કંઈ સૂઝ પડતી નહોતી. મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં. હું રડતો રડતો મંદિરના એક ખૂણામાં ઊભો હતો, ત્યાં ગુંડા જેવી બે વ્યક્તિ આવીને મને ઢસડીને લઈ જતી હતી. મેં બૂમાબૂમ કરી મૂકી એટલે જમનાબા દોડીને આવ્યાં. એ પણ દર્શન કરવા આવ્યાં હતાં.”

“જમનાબાએ કહ્યું, `છોડી દ્યો એ છોકરાને, શું કામ તેને પકડ્યો છે?` એટલે એ ગુંડાએ કહ્યું, `તમે તમારું કામ કરોને, શું કામ બીજાના ઝમેલામાં પડો છો. આ છોકરો અમારા સંબંધીનો છોકરો છે. તેને પાછો તેના ઘરે લઈ જવા માટે પકડ્યો છે.` મેં હિંમત કરી કહ્યું, `આ લોકોને હું ઓળખતો નથી. મારું અપહરણ કરવાની દાનતથી મને પકડી જાય છે.`

ગુસ્સા સાથે જમનાબા અમારી પાસે આવ્યાં અને બંને ગુંડાને મારીને ભગાડી દીધા. પછી મને પૂછ્યું, `કે બેટા, તારા મમ્મીપપ્પા ક્યાં છે? તું કેમ તેમનાથી વિખૂટો પડી ગયો? ક્યાંનો રહેવાસી છો?` વગેરે વગેરે પ્રશ્ન પૂછ્યાં. પછી મમ્મીપપ્પાની રાહ જોતા મંદિર બંધ થાય ત્યાં સુધી મારી પાસે મંદિરે બેઠાં. પણ મમ્મીપપ્પા તો મને બહાર શોધતાં હતાં એ ફરી મંદિરમાં શોધવા ન આવ્યાં.

જમનાબાએ વિચાર્યું કે જો અત્યારે મને પોલીસ સ્ટેશને જઈને પોલીસને સોંપશે તો એ ગુંડાઓ જો બહાર ધ્યાન રાખતા હશે તો ફરીથી મને પોલીસ સ્ટેશનેથી પોલીસને અષ્ટમ પષ્ટમ સમજાવી કે બીજા કોઈ રસ્તા લઈને કે પોલીસ સાથે વાટાઘાટ કરી ઉપાડી જશે એટલે મને તેમના ઘરે લઈ ગયાં.

હું ખૂબ ડરી ગયો હતો. બીકથી ધ્રૂજતો હતો. મને ખૂબ જ તાવ ચડી ગયો. જમનાબા માથે ભીનાં પોતાં મૂકીને મારી પાસે આખી રાત બેસી રહ્યાં. બીજે દિવસે સવારે મને પોલીસ સ્ટેશને લઈ ગયાં. ત્યાં પપ્પાએ મારા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી એટલે મમ્મીપપ્પાને પોલીસ સ્ટેશને બોલાવી મને સોંપી દીધો.

મમ્મીપપ્પાએ જમનાબાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને અમે દિલ્હી પાછા આવતા રહ્યાં. હું મારા અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. સમય પસાર થતો ગયો. મેં પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. વચ્ચે વચ્ચે સમય મળે હું જમનાબાને વારાણસી મળવા જતો રહેતો. સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પછી મેં જમનાબાને મારી સાથે રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ ન માન્યાં. જમનાબા પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં. લગ્ન નહોતા કર્યાં. કુટુંબ જેવું કંઈ હતું નહીં પણ એકલા સ્વમાનથી જીવતા હતાં. તેમને સ્વમાનથી જીવવું ગમતું હતું એટલે જિંદગીભર એકલા જ જીવ્યાં.

છેલ્લે જમનાબાનો એક દિવસ ફોન આવ્યો કે તું તાત્કાલિક મળવા આવી જા. હું તુરત જ વારાણસી આવ્યો; જાણે જમના મારી જ રાહ જોતા હોય એમ મને એક કવર આપીને મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધાં. મેં અગ્નિ સંસ્કાર સાથે બધી જ ધાર્મિક વિધિ કરી અને જમનાબાએ આપેલ કવર ખોલ્યું તો તેમાંથી એક કાગળ નીકળ્યો, જેમાં લખ્યું હતું.

“બેટા, ઉમેશ.

“માતાપિતા સંતાનો માટે મિલ્કત છોડી જાય છે પણ હું આ વસિયતથી તને એક જવાબદારી સોંપતી જાવ છું. આ મકાન તારું જ છે. તું અહીંયા નહીં રહી શકે જ્યારે હું તો અહીંયા જ રહેવાની છું એટલે દરરોજ મકાનની સાફસૂફી થાય તેની અને મારી પુણ્યતિથિને દિવસે તારે આવીને મને હાર ચડાવીને દિવો કરવાનો; આખો દિવસ મારી સાથે પસાર કરવાનો. મને ખાતરી છે કે બેટા, તું આટલું જરૂર કરીશ.”

“જમનાબાના…આશીર્વાદ.”

જમનાબાના વસિયતનામાને આશીર્વાદ સમજી હું છેલ્લા પાંચ વરસથી નિયમિત અહીંયા આવું છું. સોસાયટીના લોકો સાથે પ્રસાદ લઈને આખો દિવસ જમનાબાના ફોટા પાસે બેસું છું અને જમનાબાની હાજરીની અનુભૂતિ કરું છું.

“તને એમ થશે કે આવી સામાન્ય વાત મેં તને કેમ ન કરી. તો હું તને વાત કરવા યોગ્ય સમયની રાહ જોતો હતો. મેં જો આ વાત તને પહેલાં કરી હોત; તું એ વાતને તું સામાન્ય વાત સમજત. મને ખબર હતી કે એક દિવસ તું મને મારા ચોક્કસ દિવસે વારાણસી આવવા માટેનું કારણ જરૂર પૂછીશ. આજે એ દિવસ આવીને ઊભો રહ્યો.”

“હા ઉમેશ, તમારી વાત સાચી છે. આજે મને જમનાબાનું વ્યક્તિત્વ સમજાયું તેમ જ તમારા જીવનમાં જમનાબાનું સ્થાન શું છે એ સમજાઈ ગયું.”

વિમળાબહેન ઊભા થયાં. જમનાબાના ફોટાને પગે લાગીને કહ્યું, “બા, તમારા વસિયતનામામાં સહભાગી થવા હું પણ આપની પુણ્યતિથિ પર ઉમેશ સાથે આવીશ. તમારી સાથે રહીને તમારી હાજરીની અનુભૂતિ કરીશ.”

ઉમેશભાઈને જમનાબાના ફોટામાં જમનાબાના મુખ પર આનંદની રેખા અંકિત થતી દેખાઈ. જાણે કહેતા હોય, હા દીકરા, મેં તો એક રાતનો ઉજાગરો કર્યો હતો પણ તેં તો મારા વસિયતનામાને સંપૂર્ણ પણે સ્વીકારી લીધું. 

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848gmail.com 

Loading

...102030...192193194195...200210220...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved