Opinion Magazine
Number of visits: 9456391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મને જીવતો જાગતો શ્વાસ લેતો માણસ દેખાય છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|24 April 2025

એક સવાલ : 

ચિ. જ્યોત્સનાને.

‘કોમવાદી હુલ્લડોમાં મુસ્લિમ બહૂલ વિસ્તારમાં ફસાઈ ગયેલા એક હિન્દુ પરિવારને બચવાની શક્યતા કેટલી?

(‘વ્હોટસએપ’માં આવેલ મેસેજ)

pastedGraphic.png

મારો જવાબ :

પૂરેપૂરી શક્યતા છે.

કારણ કે દરેક જાતિ અને ધર્મમાં રાક્ષસી તત્ત્વોની સાથે અમુક માનવવાદી લોકો હોય છે, પણ મારે બીજાની વાત નથી કરવી. હું મારા પરિવારની વાત કરું છું. ધ્યાનથી વાંચજો.

1992માં જ્યારે કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, જ્યારે મારો જન્મ પણ નહોતો થયો, ત્યારે મારો પરિવાર જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં પણ આની અસર થઈ હતી. મારા મોટાભાઈને જન્મના દોઢ વર્ષે પોલિયો થયો હતો, જેની સારવાર માટે મારા મમ્મી પપ્પા દરેક મંદિર, મજાર, બાબા અને મોલવી પાસે ભટકતાં હતાં. સાથે જ કોઈ હોસ્પિટલ કે દવાખાના પણ બાકી નહોતા રાખ્યા. ત્યારે કોઈએ કહ્યું હતું કે, તમારા દીકરાને તિરુપતિ બાલાજી લઈ જાવ, ત્યાં એક મોટી ચેરિટી હોસ્પિટલ છે ત્યાં ઇલાજ પણ ફ્રીમાં કરે છે અને લોકો સાજા થઈ જાય છે.

ડૂબતાને જાણે તણખલું મળ્યું હોય, એમ મારા પપ્પા મોટાભાઈને લઈને તિરુપતિ ઊપડ્યા અને પાછળ મારાં મમ્મી, મારી બહેન અને અન્ય નાના ભાઈ સાથે અહીં સુરતમાં હાજર હતાં. લગભગ 3 મહિના પપ્પા ત્યાં રહ્યા અને સારવાર કરાવી પણ કઈ ફરક ન પડ્યો અને તેઓ ત્યાંથી રવાના થયા પણ જેવા તેઓ તિરુપતિથી નીકળ્યા અને અહીં ગુજરાતમાં દંગા ચાલુ થઈ ગયા હતા.

ઘરે પત્ની અને બે બાળકો એકલાં અને પોતે એક અપંગ બાળકને ખંભે બેસાડી સુરત સ્ટેશન પર રઘવાયા થઈ, ઘરે જવા વાહન શોધી રહ્યા હતા. શહેરમાં અફરા તફરીનો માહોલ હતો.

હવે સાંભળો મુદ્દાની વાત, જે સ્થળે એમણે આ બાપ દીકરાને પહોંચાડ્યા એ સ્થળ એટલે સુરતમાં વેડ રોડ વિસ્તારમાં આવેલ મુસ્લિમ વસ્તી ધરાવતી વિજયનગર સોસાયટીની બાજુની સોસાયટી; જ્યાં બહારથી આવેલ ઝનૂની ટોળાએ ભારે કત્લેઆમ કરીને લોહી રેડ્યું હતું. (અહીંયા જાહેરમાં જણાવીશ કે એ ટોળું કયું હતું તો કેટલાયની લાગણી છોલાઈ જશે એટલે આટલું તમે જાતે કલ્પના કરી લેજો) એ સમયે વિજયનગરના મુસ્લિમો પોતાના ઘર અને સંપત્તિ છોડીને જીવ બચાવવા ભાગી ગયા હતા.

અહીંયા એ પણ જણાવી દઉં કે, કેટલાં ય સ્ત્રી અને બાળકોને ત્યાંથી રાંદેર જેવા મુસ્લિમ એરિયામાં સલામત પોહચાડવાની કામગીરી એ જ વિસ્તારના હિંદુ ભાઈઓએ કરી હતી. જેને ભરોસો ના હોય જાતે જઈને વિજયનગર જોઈ આવજો, ત્યાંનાં જૂના રહીશોને પૂછી લેજો અને જૂનાં મકાનોના નકશીકામ અને મસ્જિદ જોજો તમને ખ્યાલ આવશે કે ત્યાં 1992 પેલા કોણ રહેતું હતું અને આજે કોણ રહે છે

એ મુસ્લિમ રિક્ષા ચાલકને પણ ખબર હતી કે એ વિસ્તારમાં જવું કેટલું જોખમ ભરેલું છે જ્યાં એના જ સહધર્મીઓની લાશ રોડે રઝળતી હતી. કદાચ એનો પણ વારો આવી જાય, અથવા પોતાના ધર્મના લોકો સાથે જે થયું એનો બદલો એ ધારત તો આ એકલા નિહત્થા લાચાર પિતા પુત્રને નુકશાન પહોંચાડીને પણ લઈ શકત. પણ એણે પોતાના પર જોખમ લઈ બંનેને સહી સલામત ઘરે પહોંચાડ્યા.

આ કોઈ કહાણી નથી, હકીકત છે જે મારા પરિવારના મોઢે સાંભળેલી છે. તમે ચાહો તો મને મારી વિચારધારા માટે સ્યુડો સેક્યુલરનું બિરુદ આપી શકો છો. પણ મારી નજરમાં જ્યાં સુધી એ દૃશ્ય જીવતું રહેશે, જેમાં મારા પપ્પા પોતાના અપંગ દીકરાને ખંભે લઈને પોતાના અન્ય બાળકો અને પત્નીની ચિંતામાં રઘવાયા થઈ, સુરત સ્ટેશને મદદ માંગતા હતા અને એવા સમયે એક મુસ્લિમે એમને સહી સલામત પરિવાર પાસે ઘરે પહોંચાડ્યા ત્યાં સુધી મારી નજરમાં દરેક મુસ્લિમ ખરાબ નહીં જ બને.

તમારી નફરત તમને મુબારક; પણ મને દાઢી ટોપી કે ભગવા કપડાં પછી દેખાય છે, પેલા જીવતો જાગતો શ્વાસ લેતો માણસ દેખાય છે. તમારે જે બિરુદ આપવું હોય એ આપો, હું હજુ કહીશ કે, ‘આંતકવાદનો કોઈ ધર્મ હોતો નથી’ કારણ કે મારી નજરમાં ‘ધર્મ એ જ સૌથી મોટો આંતકવાદ છે !’ 

[સૌજન્ય : Jyotsna Ahir]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા.

સંજય સ્વાતિ ભાવે અને ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|24 April 2025

પ્રિય ઉર્વીશભાઈ,

ગઈ કાલથી મારા મનમાં જે પુષ્કળ ઘોળાઈ રહ્યા હતા તે તમે (અને હેમંતકુમાર શાહે પણ) ચોટદાર રીતે મૂકી આપ્યા. પહેલગામ પરના આતંકવાદી હુમલામાં a major security lapseની વાત સરકાર તો ન જ કરે, તમે નોંધ્યું છે તેમ non – critical narrative ઊભું કરે, લોકો ભરમાઈ જાય. પણ મારા નિરીક્ષણ મુજબ મોટો ફેલાવો ધરાવતા મુદ્રણ માધ્યમોએ પણ એ મુદ્દે સંપૂર્ણ ચૂપકીદી સેવી છે, જે આઘાતજનક અને લગભગ ગુનાઈત છે. 

સરકારની ભૂમિકા અને ચાલાકી પણ તમે બરાબર બતાવી છે. આતંકવાદને નાબૂદ કરવા નોટબંધી, કલમ 370, લશ્કર માટેનું બજેટ અને શાસ્ત્રો કાશ્મીર પર જબરદસ્ત જાપ્તો – આ બધાં પછી પણ આતંકવાદી હુમલા થતા રહ્યા છે. ઇસ્લામ સહિત તમામ સ્થાપિત ધર્મોની પ્રતિગામિતા અને હિંસકતા તો આપણે વખોડતા જ હોઈએ.

તમે જે કહ્યું છે તે કહેવામાં વ્યક્તિગત હિંમત, વૈચારિક સ્પષ્ટતા અને રજૂઆતની કુનેહ જોઈએ. તમને (અને હેમંતકુમાર શાને પણ)  આ મુદ્દા પરની પોસ્ટ માટે ખૂબ ધન્યવાદ. આવી પોસ્ટ બહુ લોકો સુધી પહોંચવી જોઈએ. Share કરું છું.

— સંજય સ્વાતિ ભાવે

URVISH KOTHARI ‘S FB POST

ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે. 

ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો. 

હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં  પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે. 

ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે — આવું સરળીકરણ સગવડિયું અને મહદ્દ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે. 

નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો — એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું  ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખૂલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી — હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું. 

માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી. 

ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.

Loading

હિંસાનો વિરોધ અહિંસાના સમર્થકો જ કરી શકે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 April 2025

હેમન્તકુમાર શાહ

પહેલગામની આતંકવાદી હિંસાની નિંદા કરનારા એ ભૂલી જાય છે કે હિંસાનો સંપ્રદાય દુનિયામાં બધે એકસમાન જ હોય છે. એમાં વ્યક્તિને મારવાનો અને એ થકી કોઈક વિચારને મારવાનો હેતુ હોય છે.

જરા જોઈએ આ બાબત :

(૧) નથુરામ ગોડસેએ ગાંધીને માર્યા. ગાંધી અહિંસાનો, લોકશાહીનો અને સર્વધર્મસમભાવનો વિચાર હતો. ગોડસે કટ્ટરતાથી ભરપૂર એવા હિંદુ રાષ્ટ્રનો અને એ થકી ભેદભાવપૂર્ણ રાજકીય અને સામાજિક વ્યવસ્થાનો વિચાર હતો. 

(૨) આતંકવાદ પણ એક વિચાર સાથે ચાલે છે. જે આતંકવાદીઓએ પહેલગામની દુર્ઘટનાને અંજામ આપ્યો તેમનો એક વિચાર છે. એ વિચાર ધાર્મિક કટ્ટરતા છે અને ભારતમાં ધર્મને આધારે  સામાજિક અને રાજકીય ભેદભાવ વધુ મજબૂત બને તે જ છે. 

(૩) ધર્મ એક અફીણ છે. એનો નશો બીજા કોઈ પણ નશા કરતાં વધુ ખતરનાક હોય છે. એને નામે સદીઓથી હિંસા થતી રહી છે. આજકાલ એને આતંકવાદને નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ધર્મનો છે, એના વાજબી અર્થનો છે. જે ધર્મ કટ્ટરતા, નફરત અને ઝેર ફેલાવવાનું શીખવે એ ધર્મ ચોક્કસપણે અધર્મ છે. 

(૪) એક ધર્મીઓની હિંસા બીજા ધર્મીઓને હિંસા કરવા તરફ લઈ જાય છે. સામસામી હિંસાનો કોઈ અંત આવતો નથી. અંતે અહિંસા જ સૌને જીવતા રાખી શકે. એ બધા ધર્મીઓએ શીખવું પડે. હિંસાને યાદદાસ્તમાં જાળવી રાખીને બેઠેલા ગમે ત્યારે બદલારૂપી હિંસા જન્માવે છે.

(૫) પોતાની હિંસા વાજબી છે એવું જ્યારે લાગે ત્યારે સમજવું કે એવું બીજાઓ પણ કહી શકે છે. હિંસા કોઈ પણ હિસાબે વાજબી ઠરી શકે નહીં. 

(૬) અત્યારે તો મુસીબત એ છે કે એક બહુ મોટો વર્ગ નથુરામ ગોડસેની હિંસાને યોગ્ય ઠરાવવાની તનતોડ મહેનતમાં લાગેલો છે; અને એ જ વર્ગ આતંકવાદીઓની હિંસાને જબરદસ્ત વખોડે છે. આશ્ચર્ય! જો એક હિંસક કૃત્યની તરફેણ કરો તો, બીજાઓ બીજી હિંસાની તરફેણ કરવા આવી જ જશે. હિંસા વચ્ચે તફાવત ન હોઈ શકે. એ નાની કે મોટી પણ હોતી નથી. હિંસા માત્ર ત્યાજ્ય છે. 

(૭) નથુરામ ગોડસે ગાંધીની હત્યા એટલે કરે છે કે એમનો વિચાર જુદો છે. વિચારનો મતભેદ હિંસા સુધી લઈ જાય તો બ્રહ્માંડમાં જીવ શોધનારા મનુષ્યની જિંદગીનું કોઈ જ મહત્ત્વ રહેતું નથી. મનુષ્ય જંગલી જ રહ્યો કહેવાય. વિકાસની પારાશીશી અહિંસા છે. 

(૮) યાદ રાખો, વ્યક્તિને મારવાથી એનો વિચાર મરતો નથી. ગાંધીવિચાર આજે પણ બોલ્યા જ કરે છે, દુનિયાભરમાં. ગોડસેને ફાંસી થયા પછી શું ગોડસેનો વિચાર મરી ગયો? એમ આતંકવાદીઓને મારી નાખવાથી આતંકવાદ ખતમ થઈ જાય છે એવું માનવું એ ભ્રમ છે. દુનિયાનો છેલ્લાં અનેક વર્ષોનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. આતંકવાદીઓના દિમાગમાં જે કુવિચાર છે એનો સફાયો કેવી રીતે થઈ શકે તે જ ખુલ્લા દિમાગે વિચારવું રહ્યું. 

(૯) કોઈ પણ ધર્મને નામે થતી હિંસા એ ખતરનાક હિંસા હોય છે. એમાં રાજ્ય ભળે તો દુનિયામાં ગમે ત્યાં હિટલર અને એના રાજકીય વંશજો જન્મે એ નક્કી છે. 

(૧૦) જગતમાં જે કોઈ વિકાસ દેખાય છે તે મનુષ્યની બુદ્ધિપૂર્વકની અહિંસાને આભારી છે, હિંસાને નહિ. માનવજાતનો ઇતિહાસ એની સાબિતી આપે છે. 

અને હા,

(૧૧) જેઓ પોતે હિંસા આચરે છે, અથવા હિંસાનું સમર્થન કરે છે; તેઓ હિંસાનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર ગુમાવી બેસે છે. 

अहिंसा परमो धर्म:

તા.૨૩-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...174175176177...180190200...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved