જાપાનીઝ કવિ તોમોત્સુને (14મી સદી)ના એક કાવ્યનો મારો અનુવાદ.
મંદિર સામે બરફ.
મંદિરની સુશોભિત વાડને
નહીં વટાવું હું.
ચોક્કસ ભગવાનને પણ
વાંધો હશે
પગલાં પડે એનો,
આ તાજા બરફ પર.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()
જાપાનીઝ કવિ તોમોત્સુને (14મી સદી)ના એક કાવ્યનો મારો અનુવાદ.
મંદિર સામે બરફ.
મંદિરની સુશોભિત વાડને
નહીં વટાવું હું.
ચોક્કસ ભગવાનને પણ
વાંધો હશે
પગલાં પડે એનો,
આ તાજા બરફ પર.
![]()
આકાશથી નીચેનાં અને
આકાશથી ઉપરનાં પાણી
જુદાં કર્યાં યહોવાહે*
નીચેનાં પાણીમાંથી
કોરી ભૂમિ જુદી કરી
પાણી અને ભૂમિ જુદાં કર્યા
નૂહ*ના જમાનામાં
માણસની ભૂંડાઈ મટાડવા
પૃથ્વી પર પાણીનું જોર ચાલવા દીધું.
મિસરીઓથી બચવા ઈસરાયેલીઓ સાથે
મૂસા નિકળ્યા
ડેરા તંબુ લઈને
સૂફ સમુદ્રના કાંઠે મૂસાને
સંકટમાંથી ઊગારવા
યહોવાહએ
મૂસાને હાથ લાંબો કરી
સમુદ્રને બે ભાગમાં વહેંચવાનું કહી
પાણી અને ભૂમિ જુદાં કર્યા.
ત્યારથી પાણી અને ભૂમિ વચ્ચે વેર મંડાયું
પછી તો
સમુદ્ર ચીરીને પૃથ્વીએ હિમાલય થઈ
માથું ઊંચક્યું
કીરીબાટી, ટુવાલુ, જેવા સમુદ્ર દ્વિપોને
આજ ગળું કાલ ગળું કરતા
સમુદ્ર વળતો ઘા મારે છે
આકાશમાં મેઘધનુષ જોઈ
ઋતુ પરિવર્તનના નિરાશ્રિતો કહેવાતા
ટાપુ નિવાસીઓ
નૂહ સાથેના યહોવાહના કરારને
વાગોળે છે.
![]()
મારું વસિયત નામું,
હું તો પુનર્જન્મમાં માનું !
જીવનનાં આ હિસાબકિતાબમાં,
ના મારી પાસે કોઈ, વસિયત નામું !
શ્વાસે શ્વાસે ઝીલી પ્રકૃતિને,
દેહ સમર્પિ, ભરું એનું તરભાણું,
પર્યાવરણનાં સોગંદ આપું,
અંતિમ મારી ઈચ્છા રાખું !
ચેહ દેવા આ દેહને,
ના ચંદન કે કોઈ કાષ્ઠ માંગુ !
ના કોઈ વૃક્ષને, કોઈ બહાને કાપું !
હું તો પુનર્જન્મમાં માનું,
જો પંખી બની અવતરું તો ?
મારો માળો ક્યાં હું બાંધું ?
![]()

