શત્રુ અદૃશ્ય હોય ત્યારે, છુપાઈને લડવું સારું કહેતા‘તા,
ને શત્રુ ભૂરાંટો થયો, ત્યારે જ ધકેલ્યો મેદાને મને ?
ભૂલી ગયા પેલું ? ‘જાન હૈ તો જહાન હૈ’, કહેતા‘તા તે !
હવે જાન અને જહાન બંને સાચવવાનું કહો છો મને ?
બહુ ખખડાવી, બહુ સળગાવી, કરી નૌટંકી કેવી ?
અઢાર દિ‘માં જીત્યા’તા, જીતશું યુદ્ધ, મારી’તી ફિશિયારી એવી !
‘ઘરમાં રહો સુરક્ષિત રહો’ કહેતા‘તા તે,
સઘળું ખોલી બેઠા? છોડી દીધા છુટ્ટા સૌને ફોડવા તમતમારું !
નથાયો નહિ કાળીનાગ, ને તોયે નાચવા લાગ્યા ?
શું મારી’તી ધાડ? તે ખાલી વાદળાં જેવું ગાજવા લાગ્યા !
પીઠ થપથપાવી પોરસાવાનું, પાડી દીધો છાકો !
ઊઠ ઊંઘણશી, જાગીને તું જો જરા, રાડો પાડે રાંકો !
મનની વાતમાં મેલ પૂળો, વડાં કરે તું વાતે,
આજીવન છે યુદ્ધ અહીં, લડવાનું બસ જાતે.
![]()



The Prime of Life આત્મકથામાં સિમૉંએ સાર્ત્ર અંગેની એક સરસ વાત મૂકી છે. સાર્ત્ર માનતા કે હ્યુસેર્લ વગેરે ફિલસૂફોને વિશેની પોતાની સમજ કરતાં સિમૉંની સમજ વધારે સારી છે. સાંભળીને સિમૉંને સારું લાગેલું. સાર્ત્ર અને સિમૉં લગ્ન કર્યા વિના પ્રગાઢ જીવનસાથી બનીને જીવેલાં. સાર્ત્રને મળતાં પહેલાં સિમૉંએ ફિલસૂફીનું અધઝાઝેરું અધ્યયન કરેલું. ફિલસૂફી અને સાહિત્યના સમ્બન્ધનું ખાસ્સું વિશ્લેષણ પણ કરેલું. પણ પછી સિમૉંએ તારવ્યું હતું કે પૂર્વકાલીન ફિલસૂફોને ન સમજીને જ સારા ફિલસૂફ થઈ શકાય છે ! જો કે, સરવાળે, સિમૉં ફિલસૂફ ન જ થયાં.