જાહેર ગ્રંથાલય સપ્તાહની ઉજવણી ચૌદમી નવેમ્બરથી શરૂ થતી હોય છે…
મોતીભાઈ અમીને (૧૮૭૩-૧૯૩૯) ગુજરાતનાં આઠસો ગામડાંમાં જાહેર ગ્રંથાલયો શરૂ કરાવ્યાં. વાચન અને શિક્ષણના પ્રસારક મોતીભાઈની એક અજોડ અને અજાણી સેવાપ્રવૃત્તિને તેમના એક જીવન ચરિત્રકાર ઇશ્વરભાઈ પટેલ ‘પગરખાંની પરબ’ તરીકે ઓળખાવે છે. મહિલાઓ માટેની આ પરબો તેમણે વર્ષ ૧૯૧૫-૧૬ના અરસામાં શરૂ કરી હતી. એ જમાનામાં ચરોતરની એક પ્રમુખ કોમમાં મલાજા તરીકે બહેનોને પગરખાં નહીં પહેરવા દેવાની નીચ કુરુઢિ હતી. બહેનોને હટાણે કે કાણમોકાણે જવાનો સમય બપોરનો હોય. કેટલીક બહેનો રેલવેમાં જતી. ઇશ્વરભાઈ નોંધે છે : ‘ઉનાળાના બપોરે બાર વાગ્યે, એ સેવકનાં બે કાર્યસ્થળ – આણંદ અને વસો સ્ટેશને ગાડીઓ પહોંચતી. સ્વયંસેવકો પગરખાંની થેલી લઈ ત્યાં ઊભા રહેતા. ઉઘાડપગી બહેનને ચંપલની જોડ આપતા. ગાડીમાંથી ઊતરેલ સ્ત્રીમંડળ એ પગરખાંથી સજ્જ થઈ ગામ ભણી જતું. પેલા સ્વયંસેવકો ય સાથે ચાલતા. ગામભાગોળ આવતાં મંડળી થોભતી અને પગરખાં પાછાં થેલીમાં સ્થાન પામતાં, ને બીજી ગાડીની બહેનોની સેવામાં પહોંચી જતાં.’
આ ‘કરુણ દૃષ્ટાંત’ નોંધતાં અગ્રણી બૌદ્ધિક ડૉ. સુમન્ત મહેતાએ ‘સમાજ દર્પણ’ સંગ્રહના એક નિબંધમાં મોતીભાઈને ‘સમાજસેવાના શિરોમણી’ ગણાવ્યા છે.
નારી સન્માનની આ જે તીવ્ર ભાવના મોતીભાઈમાં હતી, તેનો વધુ સંઘર્ષમય કિસ્સો તેમની મોડી શરૂ થયેલી કારકિર્દીની શરૂઆતમાં શિક્ષક તરીકેની નોકરીમાં નોંધાયો છે. મોતીભાઈ 1902માં પાટણમાં શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓને પુસ્તકો અને અખબારો વાંચતાં કરનાર ઉત્સાહી ‘અમીન માસ્તર’ ઠીક જાણીતા થયા. ગામમાં એક કુરિવાજ તેમને ખૂબ ખટક્યો. હોળી પર શેરીએ શેરીએ સ્ત્રીનું એક નગ્ન પૂતળું ઊભું કરી તેની આસપાસ ઘેરૈયા બિભત્સ ચેષ્ટાઓ કરતા. બીજા વર્ષે પોલીસે ‘ઇલાજી’ નામની આ બદી અટકાવી દીધી, તેનું કારણ મોતીભાઈની તજવીજ હોવાની લોકોને ખબર પડી.
‘વાતાવરણ એટલું ગરમ બનેલું કે અમીન માસ્તર કેટલાક દિવસ સુધી ઘરની બહાર નીકળી શક્યા (નહોતા) … પાછળથી હોળીનાં તોફાનો સામે પ્રતિબંધ મૂકતો કાયદો આખા રાજ્યને લાગુ કરવામાં આવ્યો’, એમ પુરુષોત્તમ રસિકલાલ શાહ ‘મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય’ (૧૯૪૧) નામના સાતસો પાનાંના જીવનચરિત્રમાં લખે છે. પત્ની રૂપબાને ખોળે પુત્ર ન જન્મતો હોવાથી, પ્રચલિત રિવાજ મુજબ મોતીભાઈને બીજાં લગ્ન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. તેમના માતુશ્રીના નિધન પછી રોવા-કૂટવાનું બંધ રાખ્યું હતું, વરસીની રકમ કર્મકાંડને બદલે ધર્મશાળાની મરામતમાં વાપરી હતી. પત્નીનાં અવસાન પછી પણ ફક્ત ભજનકીર્તન માત્ર એક દિવસ માટે રાખ્યાં હતાં. બાળલગ્ન, પરઠણ, બારમાનું જમણ, રોવુંકૂટવું જેવા કુરિવાજોની સામે લડત આપવા તેમણે વિદ્યાર્થીઓને પણ પ્રેર્યા.
હજારો વિદ્યાર્થીઓને મોતીભાઈએ ઘડ્યા, એટલે તે ચરોતરમાં શિક્ષણના એક પ્રણેતા ગણાય છે. ગામડાંમાં શિક્ષક બનવાના સાફ ધ્યેયથી એમણે 1902માં વડોદરા રાજ્યની નોકરી છોડી હતી. પાટણ અને પેટલાદમાં શિક્ષક તરીકે જાણીતા બન્યા પછી એમણે વસોમાં પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલ સ્થાપ્યાં. ક્રમશ: ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં પહેલ કરી. પેટલાદમાં તેમણે મેટ્રિકનું ધોરણ બિનસરકારી રીતે શરૂ કર્યું. ચરોતરનું પહેલું બાળમંદિર તેમણે વસોમાં શરૂ કર્યું. છાત્રાલય પ્રવૃત્તિની જરૂર અને મહત્ત્વ બંને સમજનાર મોતીભાઈએ પેટલાદ, આણંદ અને વસોમાં બોર્ડીંગ્સ શરૂ કરી. આવાં કામો નિ:સ્વાર્થ નિષ્ઠા અને કુનેહથી સતત કરતા રહેવાને કારણે મોતીભાઈ વડોદરા રાજ્ય પાસેથી સહાય અને લોકો પાસેથી સખાવતો પણ મેળવી શક્યા. એમણે વિદ્યાર્થીઓને એવી રીતે ઘડ્યા કે તેઓ જાતે જ છાત્રાલયોનું સંચાલન કરી શકે.
મોતીભાઈ પ્રેરિત શાળાઓ અને છાત્રાલયો બંને ગ્રામીણ વિસ્તારો માટે ઔપચારિક શિક્ષણ ઉપરાંત અભ્યાસ મંડળો, ગ્રંથાલય પ્રવૃત્તિ, સુવાચન, સુલેખન, ચર્ચા, રમતગમત, પૂર્વ વિદ્યાર્થી મંડળ, સમાજસેવા અને સમાજસુધારાનાં કેન્દ્રો બન્યાં. ઈન્દુલાલ યાજ્ઞિકે મોતીભાઈને ‘ગ્રામશિક્ષણ અને ગ્રામસેવાના ગુરુપદે’ સ્થાપ્યા હોવાનું તેમની આત્મકથાના પહેલા ભાગમાં વાંચવા મળે છે. બીજા ભાગમાં ઈન્દુલાલે તેમને ‘સ્વપ્ન દૃષ્ટા’, ‘નિ:સ્વાર્થી અને વ્યવહારકુશળ કાર્યકર’, ‘સાધુચરિત ગુરુ’, અને ‘તીર્થરૂપ વસતીગૃહના ઉત્પાદક’ કહ્યા છે. તેમણે ૧૯૨૦-૨૧નાં વર્ષોમાં એમ પણ લખ્યું છે કે : ‘વસોમાં મોતીભાઈ અમીનની નવી ગુજરાતી શાળા મેં જોઈ ત્યારથી તેવી જ આદર્શ પ્રાથમિક શાળા અમદાવાદમાં સ્થાપવા હું આતુર થયો.’
અલબત્ત, ઇન્દુલાલ મોતીભાઈને ૧૯૧૫માં પહેલવહેલા મળ્યા, તે ‘પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા’ તરીકે. એ તેમની વ્યાપક ઓળખ છે. વસોની અંગ્રેજી માધ્યમની શાળામાં ચાલતાં ‘વિદ્યાર્થી મંડળ’ થકી અને ગામના શિક્ષિત પરિવારોમાંથી આવતા ત્રણેક મિત્રો થકી પુસ્તકોમાં રસ ઊભો થયો. તે વડોદરા હાઇસ્કૂલમાં વૃદ્ધિ પામ્યો. પોતાની ખિસ્સાખર્ચીના પૈસાથી ખરીદેલાં અને સંબંધીઓ પાસેથી એકઠાં કરેલાં પુસ્તકો તેમ જ મિત્રોનો સાથથી વડોદરામાં ‘સ્ટુડન્ટ્સ્ લાઇબ્રેરી’ કરી હતી. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો રંગ લગાડ્યો. પુસ્તકાલયને ‘લોકશિક્ષણની પાઠશાળા’ માનતા મોતીભાઈએ સ્વયંભૂ રીતે ગામે ગામ જાહેર ગ્રંથાલયો શરૂ કરવાનું ઊપાડ્યું.
તેમના કામની સુવાસ સયાજીરાવ ગાયકવાડ સુધી પહોંચી. રાજાએ તેમને પુસ્તકાલય પ્રવૃત્તિના નાયબ વડા તરીકે આમંત્રીને વડોદરા રાજ્યનાં પ્રાથમિક શાળા ધરાવતાં ગામોમાં પુસ્તકાલય સ્થાપવાની જવાબદારી સોંપી. એ તેમણે ખૂબ સક્ષમ રીતે બજાવી. પુસ્તકાલયનું કાર્ય પુસ્તકોની આપ-લે ઉપરાંત વ્યાખ્યાનો, મહિલા ઉત્કર્ષ, વાચન-લેખન સ્પર્ધાઓ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી વિસ્તાર્યું. સરકારી ખાતામાં તેમના વડા અને તેમને ગ્રંથાલય શાસ્ત્રની તાલીમ આપનાર અમેરિકન જાણકાર વિલિયમ ઍલન્સન બૉર્ડને ૧૯૧૩ના જૂનના એક પત્રમાં તેમને ‘લાઇબ્રેરી મિશનરી’ તરીકે બિરદાવ્યા. તેમના પછી આવેલા એન.એમ. દત્તે બાર વર્ષ પછી એક પત્રમાં લખ્યું છે કે ‘વડોદરા રાજ્યને દેશવિદેશમાં ખ્યાતિ અપાવનાર ગ્રામીણ ગ્રંથાલય પ્રવૃત્તિ એ લગભગ પૂરેપુરું મોતીભાઈ અમીનનું સર્જન છે.’
મોતીભાઈની ક્ષમતાનો વધુ લાભ લેવા સયાજીરાવે તેમની નિવૃત્તિવય બે વર્ષ વધારી. પણ તેના પગાર તરીકે માટે મોતીભાઈએ પેન્શન જેટલી જ રકમ સ્વીકારી હતી. રાજ્ય પાસે દોઢ હજારની થેલી સ્વીકારી હતી પણ સમારંભ માટે રાજાએ માણસો મોકલ્યા હોવા છતાં તે દરબારમાં ગયા ન હતા. લોકોએ આપેલા સન્માનપત્રોનો પણ તેમણે બંને વખત ઇન્કાર કર્યો હતો. દલિતો માટે કેટલાંક કામ કરનાર તેમ જ હાથશાળનાં કપડાં અને દેશી વસ્તુઓ જ વાપરનાર મોતીભાઈએ બીજી બે બાબતોનો પણ ઇન્કાર કર્યો હતો. એક લાંબા પત્રમાં તેમણે લખ્યું છે : ‘મારું વ્યક્તિસ્વાતંત્ર્ય હું કોઈપણ ભોગે સાચવવા ઇચ્છું છું … એ ખાતર હું અસહકારની પ્રવૃત્તિમાં નથી જોડાયો …. સૂતરને તાંતણે સ્વરાજ હું નથી સ્વીકારી શક્યો.’
નિવૃત્તિ પછી મોતીભાઈએ ‘પુસ્તકાલય’ ત્રિમાસિક, પુસ્તકાલય પરિષદ અને પુસ્તકાલય સહાયક સહકારી મંડળી એવા ઉપક્રમો થકી તેમણે જાહેર ગ્રંથાલય પ્રવૃત્તિનું વિસ્તરણ કર્યું. નિષ્ણાતોને સાંકળીને તેમણે ‘પુસ્તકાલય સર્વસંગ્રહ’ અને ‘આઠ હજાર પુસ્તકોની નામાવલિ’ ઉપરાંત પુસ્તકાલયશાસ્ત્રનું સાહિત્ય વિકસાવ્યું. અખિલ હિન્દ ગ્રામ પુસ્તકાલય પરિષદે ૧૯૩૩માં ચેન્નાઈમાં તેમને ‘ગ્રંથાલય ઉદ્યમ પિતામહ’ તરીકે નવાજ્યા. તે પહેલાં એક વાર સયાજીરાવે તેમને એક મુલાકાતમાં પૂછ્યું હતું : ‘હૅવ આઇ ડેકોરેટેડ યુ ?’ એટલે કે ‘શું મેં તમને માનથી નવાજ્યા છે ?’ જાહેર ગ્રંથાલયોની પ્રવૃત્તિ બહુ ઓછી હોય તેવા ગુજરાતમાં મોતીભાઈ અમીનની કદર બાબતે સયાજીરાવનો પ્રશ્ન સાંસ્કૃિતક રીતે આજે પણ પ્રસ્તુત છે.
++++++
૮ નવેમ્બર ૨૦૧૭
e.mail sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 નવેમ્બર 2017
![]()



1978ની એ સાલ હતી. મેં કોઈ છાપામાં એક ટચુકડી જાહેરખબર વાંચેલી: “નાટ્ય પ્રવૃત્તિમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને નાટકમાં કામ કરવું હોય તો ભારતીય વિદ્યા ભવનમાં પધારે.’’ બીજા દિવસે હું પહોંચી ગયો. બીજાયે ઘણા કલાકારો ભવનમાં ભેળા થયા હતા.
ઉષાબહેન પટેલે આરંભે જ કહ્યું, “મને વાત કરવાનો બહુ અનુભવ નથી. એટલે સંક્ષિપ્તમાં બોલું તો ક્ષમા કરજો. બાકી, મને નાટક કરવાનું કહો તો હમણાં જ કરી આપું. વિપુલભાઈએ મને કહેલું, ઉષાબહેન, તમારે નટુભાઈ વિશે બોલવાનું છે ત્યારે પળેક હું ગભરાઈ ગયેલી. ઘરના માણસ વિશે આપણે શું બોલી શકીએ? છતાં આજે મને બોલવા માટે તક આપી છે તો, I’ll take it as duty. આ સુંદર અવસરમાં નટુભાઈ વિશે બોલવાનું મને વિપુલભાઈએ ઈજ્જન આપ્યું એથી આનંદ તો થયો, પણ સાથે થોડી મૂંઝવણે મને ઘેરી લીધી હતી. નટુભાઈ વિશે બોલવું? શું બોલવું? ક્યાંથી શરૂ કરું? કારણ કે નટુભાઈનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને કેન્દ્રમાં મૂકીને બોલવું એટલે સૂરજ સામે દીવો બતાવવા જોવું છે. નટુભાઈ એટલી બધી ફિલ્ડ્ઝના માહેર છે કે તેને પૂરેપૂરા વ્યક્ત કરવા એ દુષ્કર કાર્ય બની રહે.
મારી આગળના બે ચાર વક્તા બોલી ગયાં કે હું વક્તા નથી તેમ મારે પણ કહેવું જોઇએ કે હું પણ વક્તા નથી. વિપુલભાઈને હું મામા કહું છું. અને ઘણાં વર્ષોથી ઓળખું છું. એમણે મને કહ્યું કે, નટુકાકાનું બહુમાન કરવાનું છે, ને તારે બોલવાનું છે ત્યારે ગુજરાતી ભાષાના વિશેષજ્ઞો સમક્ષ વકતા તરીકે રજૂ થાઉં છું, ત્યારે યુનિવર્સીટીની અંતિમ એક્ઝામ આપવાની હોય તે સહેલી હશે એવું માની લઉં છું. અને આ અવસર પર જો હાજર ના રહું તો મામાએ જે રીતે મને રિક્વેસ્ટ કરી અને તેમાં ભાગ ના લઉં તો ચોક્કસ પાછી પડું. એટલે મારી રીતે રજૂઆત કરું છું.
નટુભાઈ વિશે શું કહેવું? સવાલ કરી રમેશભાઈ પટેલે માંડણી કરી, મારી આગળના વક્તાઓએ એમના વિશે ઘણું બધું કહી દીધું છે, એટલે નટુભાઈ વિશે બોલવું એ મારા માટે મોરના ઈંડાં ચીતરવા જેવું છે. હું 1954માં યુગાન્ડા ગયો. 1956માં નટુભાઈ જ્યારે યુગાન્ડા આવ્યા, ત્યારે અમે સાથે ખૂબ ફર્યા છીએ. ખૂબ સાથે કામ કર્યું છે. પણ એમને નાટ્યપ્રવૃત્તિમાં રસ એટલે એ એકેડેમીમાં ચાલ્યા ગયા. આ દેશમાં તો એ મારી પહેલાં આવેલા, પરંતુ 1977માં જ્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં પાટીદાર સમાજનું સંમેલન થયેલું તેમાં અમે એક નાનકડું એકાંકી કર્યું હતું. એ દિવસોમાં નટુભાઈ પાસે બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ હતી નહિ. પણ ભારતીય વિદ્યા ભવન સાથે એમને સંપર્ક ખરો. અમે નટુભાઈને ત્યારે વિનંતી કરેલી કે, તમે સંમેલનમાં આવો અને આ નાટક જુઓ. એટલે એ આવ્યા હતા. નાટકમાં ભાસ્કર તો હતો જ. બીજા કલાકારો ય હતા. અમારો આ પ્રયાસ જોઈ એ ખુશ થઈ જતાં બોલેલા: “મેં જોયું કે, આ દેશમાં પણ નાટક થઈ શકે એમ છે. પણ આપણે તેમાં ભારતીય ભાવના લાવવી હોય તો?’’ મેં કહ્યું, “તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે.’’ અને એમણે આ બધા કલાકારોને કેળવીને નાટકોની શરૂઆત કરી.
મારો 1961થી લંડનમાં વસવાટ રહ્યો હોવાથી, નટુભાઈએ પાટીદાર સમાજની સ્થાપના કરી ત્યારથી એમને હું ઓળખું. નટુભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. એક વાત ઇન્ડો-બ્રિટિશ કલચરલ એક્સચેન્જ [Indo- British Cultural Exchange] વિશે કહી દઉં. પ્રફુલ્લભાઈ પટેલ ખૂબ એબલ પરસન, એટલે કોઈ પણ કાર્ય કરી શકે, પણ સમાજમાં તે બહુ પોપ્યુલર ન હતા. એટલે એકલા હાથે બધી સંસ્થાઓને ભેગી કરવી, તે તેમના વશની વાત ન હતી. પણ નટુભાઈ આ કામ કરી શકે એમ હતા. નટુભાઈની સહાય માગી.
નટુભાઈ એક એવા મહનુભાવ છે કે સમાજને શું આપવું, તેનો સતત વિચાર કરતા રહે છે, એટલું જ નહિ, તેનો અમલ પણ કરે છે. નાટક અને નૃત્યનાટિકા માટે એમણે ભેખ લીધો છે. બિઝનેસમેન તો ખરા, પણ એમની સાથે કામ કરતાં મેં જોયું છે કે એમનાંમાં એક એકટર, એક ડિરેકટર અને એક શોમેન પણ છુપાયેલો છે. Creativity & Entertainment એવું હોવું જોઈએ કે જેમાં નવી પેઢી સતત સંકળાયેલી હોય, ને માર્ગદર્શક નીચે જમીન ઉપર બેસીને સફળતાની સુખડી હસતાં હસતાં દરેક કલાકારની વચ્ચે વહેંચીને ખાતો હોય. નટુભાઈ પ્રોડક્શનના દરેક ડિપાર્ટમેન્ટના જાણતલ હતા. સાહિત્ય – કલા – સંગીત અને નાટ્યલક્ષી પ્રવૃત્તિઓમાં તો આખી લાઈફ તેઓ ઓતપ્રોત રહેનારા આર્ટિસ્ટ હતા. કલાકારો સાથે વિગતે નાટ્યચર્ચા કરતા અને રીહર્સલોમાં તદ્રુપ બની જતા, અને દિગ્દર્શન કરતી વખતે એમની અસાધારણ સૂઝ અને સમજને મેં પ્રત્યક્ષ જોયા છે.
‘આ દેશમાં મને 54 વર્ષ થયાં. પપ્પા પાસેથી શીખેલી કે લેંગવેજ એક માધ્યમ છે અને પપ્પાએ નાટ્યપ્રવૃત્તિને એક માધ્યમ દ્વારા પ્રયોજી નવી પેઢીને સંસ્કારવાનું એક બીડું ઝડપ્યું છે. નવી પેઢીમાં આપણા સંસ્કાર દૃઢીભૂત કરવા માટે એક માધ્યમ તરીકે નાટકનો વિનિયોગ કર્યો છે. મને થાય, નાટકમાં કંઈ નવીન્ય હોય તો નવી પેઢીને જરૂર આકર્ષણ થાય. મ્યુિઝક હોય, ડાન્સ કરવા મળે, જુવાનિયાઓ અને છોકરા-છોકરીઓ મળે, એટલે રિસ્પોન્સ ઘણો મળે. એમનું એક જ મિશન હતું કે આ દેશમાં આપણા સંતાનોમાં આપણી સંસ્કૃિતનાં પીયૂષ પાવાં હોય તો આપણી વિચારસરણી આકર્ષક રીતે એમની સમક્ષ મૂકવી જ પડે.
મને યાદ આવે છે બેલે ડાન્સ માટે અમે અમેરિકા ગયાં હતાં. મીનુબહેન, ઋતા અને બીજા છોકરાઓ પણ સાથે હતાં. અને ખૂબ અદ્દભુત રજૂઆત થઈ હતી. Never ever and no one ever has done such a marvellous performance! He took the whole group to America to perform the show. રાત્રે અમે બધાં બેસતાં અને ગીતો ગાતાં, નટુભાઈ અમને દોરવણી આપતા. આમ મારો નટુભાઈ સાથે તો ચાલીસ વર્ષથી પરિચય.
આ અવસરના એક અતિથિ, ભાસ્કરભાઈ પટેલે મંચ પર આવી સૌ પ્રથમ સહેજ મોડા પડવા બદલ શ્રોતાજનોની માફી માગી, પોતાની વાતની રજૂઆત કરતા જ્ણાવ્યું : ‘મને આ દેશમાં 17 વરસ થયાં. દેશમાં મારા ગામમાં નાટકો તો ઘણા કરેલાં. શોખ પણ બહુ હતો, પણ નાના ગામમાં પ્રોત્સાહન આપવાવાળું કોઈ ન હતું. પિતાજી આફ્રિકામાં હતા. કોઈને કદર પણ નહીં કે આ છોકરાને નાટકોનો આટલો ચસકો છે તો તેનો હાથ ઝાલીએ. ગામમાં બે ત્રણ મંદિરો હતાં. એક મંદિરમાં હાર્મિનિયમ હતું. હું એ લોકોને કહું, “હાર્મોનિયમ વગાડવાનો મને શોખ છે. મને વગાડવા આપો.’’ પણ કોઈ વગાડવાનું કહેતું નહિ.
એમના પછી બીજાં અતિથિ નંદિનીબહેન ત્રિવેદીનો વારો આવ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે જયંત પંડ્યાનો સારો ઘરોબો હતો. એમના પુત્રી નંદિનીબહેન આ પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. પત્રકારત્વની દુનિયામાં નંદિની ત્રિવેદીનું મોટું નામ છે. ઉપરાંત “મેરી સહેલી’’ સામયિકના સંપાદક છે. સભા સંચાલકશ્રીએ નંદિનીબહેનનો ટૂંક પરિચય કરાવી એમને બોલવા નિમંત્ર્યા હતા.

જગદીશ દવેએ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરતાં જણાવ્યું હતું: “થોડા દિવસો પહેલાં વિપુલભાઈનો ફોન આવ્યો હતો – આ જે કાર્યક્રમ કરવાનો છે તેનું સમાપન તમારે કરવાનું છે અને તમારા વિચારો પણ આપવાના છે. સમાપનમાં તો માત્ર મુદ્દાની જ વાત કરવાની હોય. અકાદમીએ આ કાર્યક્રમમાં મને ગોઠવ્યો એ માટે આભારી છું.