કોઈ સ્થાનક એવાં હોય છે
જ્યાં સ્તુતિ શહાદતની હોય છે,
ત્યાં ચરણરજ માથે ચઢાવી
બસ બાઅદબ ચાલવાનું હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 02
કોઈ સ્થાનક એવાં હોય છે
જ્યાં સ્તુતિ શહાદતની હોય છે,
ત્યાં ચરણરજ માથે ચઢાવી
બસ બાઅદબ ચાલવાનું હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 02
‘કીડીને કણ હાથીને મણ’
આહારવ્યવસ્થાની વાત નથી,
ભારવહનના કર્તવ્યની એક સામાજિક વ્યાખ્યા છે.
•
નિર્દોષ સંતાન પર સોટી પડે,
સોળ માભોમના તન પર ઊઠે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16
કવિતાના પ્રાણમાં
પ્રચ્છન્ન કે પ્રગટ પુછાતો પ્રશ્ન હોય છે,
સમાજને, સત્તાને, સ્વયમ્ સૌની સમજને.
*
વેદનાની સ્મૃતિમાંથી સરતા શબ્દો હૃદયસ્પર્શી હોય છે,
વ્રણમાંથી વહેતા શબ્દો વિરલ હોય છે,
માનવીય અસ્તિત્વનો આધાર હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16