In reference to my write-up on શુભ ઘડી : Loose Connection Series : one of my FB friends, Mr Devang Vaidya recommended me to refer ‘Aesthetic Validity of Marriage’ written by well-known philosopher Kierkegaard. Devang lives in London UK and a good reader of philosophy. I liked Kierkegaard as an Existentialist though he is a theist thinker. I went through the said portion in “Either / Or” and here put forward its ટૂંકો ભાવાર્થ into GujaratI for all :
++
લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા વિશે કિર્કેગાર્ડ વાચકને ‘મારા મિત્ર’ કહીને વાત માંડે છે. એટલે આપોઆપ કિર્કેગાર્ડ સાથે કે એ પ્રોટેગનિસ્ટ સાથે આપણો હળવો અનુબન્ધ રચાય છે. કહે છે :
મારા મિત્ર ! તું જોઈ રહ્યો છું એ આ લાઇનો હમણાં જ લખાઇ છે. એ વડે મારે તને એમ ઠસાવવું છે કે તું લગ્નનો શત્રુ નથી પણ એનો ઠઠ્ઠો કરવાને તું તારી વક્ર દૃષ્ટિ અને વ્યંગનો દુરુપયોગ કરતો હોઉં છું.
હું સમજું છું કે તું વાયવી વાતો નથી કરતો, બધું સરસ નીરખું છું, અને ક્યારેક તો વળી મૅદાન મારી જઉં છું. પણ હું એ કહીશ કે તું કદાચ ત્યાં જ ખોટો છું. તારી જિન્દગી ઍપ્રોચ-રન્સથી વિશેષ નથી, એટલે કે તું ઉપાડા બહુ લઉં છું. તું જેનાથી બ્હાવરો પડી જઉં છું એ છે પ્રેમનો પહેલપહેલો હરખ, હર્ષાવેશ. સુન્દર છોકરી તરફથી એકાદ સ્મિત કે નયનકટાક્ષ મળે … એ પાછળ લાગેલી હોય છે તારી કલ્પનાઓ.
હું અહીં તને લગ્નની સુન્દરતા, કલામયતા, બતાવવા માગું છું, અને મારે તને એ પણ બતાવવું છે કે જીવનની અનેકાનેક અડચણો વચ્ચે સુન્દરતાને શી રીતે ટકાવી શકાય.
તને મારી વાત કરું : હું ઈશ્વરનો ઋણી છું ને કહું કે સૌ પહેલાં હમેશાં મેં મારી પત્નીને ચાહી છે. અમે પહેલાપહેલા પ્યારનાં અડપલાં કે જાતીય ભોગને માટેના નુસખા નથી કરતા. અને સાચું કહું કે એ મને ચાહે છે ને હું એને ચાહું છું. અમારા સુસ્થિર લગ્નજીવનનું રહસ્ય એ છે કે સતત અમે અમારા પહેલા પ્યારને નવી નવી રીતે માણીએ છીએ. એ એક એવી ક્રિયા-પ્રક્રિયા છે જેમાં પાછલા પસ્તાવા-બસ્તાવા તો છે જ નહીં.
Picture Courtesy : Prime Magazine
જ્યારે તું મિત્ર ! બધું ઊલટું જ કરું છું – ચોરીચપાટી. લોક જાણે નહીં એમ તું લપકું છું ને એમના સુન્દર સુખદાયી સમયોને હરી લઉં છું. પછી એ ફૅન્ટમ-ઇમેજને, ભૂતિયા છબિને, ગજવે ઘાલીને ભમું છું ને જ્યારે જરૂર પડે, બધાંને દેખાડતો ફરું છું. એમાં, એ લોકોને તો કદાચ કશું ગુમાવવાનું છે નહીં, પણ તું તારો સમય, તારી શાન્તિ, તારું ધૈર્ય ઘણું ગુમાવું છું. તને તો ખબર છે જ કે તું કેટલો અધીરિયો છું.
આ પછી કિર્કેગાર્ડ સુભટોની, સાહસવીરોની અને નવલકથાકારોની વાત કરે છે – એ કે તેઓ સુખી શાન્ત લગ્નજીવનની આશ કરતા’તા ને કેવી કેવી, માન્યામાં ન આવે એવી, કસોટીઓ દાખવતા’તા. એમાં, સુન્દર કલામય તત્ત્વ તો પ્રેમ છે, કહો કે, પ્રેમને એ લોકોએ કામે લગાડ્યો છે. એક વાર જો પ્રેમમીમાંસાનો મહિમા ગળે ઊતરી જાય, પ્રેમસંઘર્ષ, વ્યથા, અને પ્રેમનો નીતિ કે ધર્મ સાથેનો સમ્બન્ધ સમજાઈ જાય, તો પછી પેલા કઠણ કાળજાના નિર્દયી બાપાઓ વગેરેની કે લગન વખતનાં પેલાં સખી-સખાઓની જરૂરત જ નહીં પડે.
કિર્કેગાર્ડ કહે છે કે પ્રેમની સહજ જરૂરિયાત જાગી હોય તો રોમાન્ટિક લવ તરત જ થઈ જાય છે. પણ અમર પ્રેમ, સાચા નીતિમય જીવનની જેમ, સૈન્દ્રિય હોય છે. એ રૂપે જ એને ચર્ચના આશીર્વાદ મળે છે. પણ કિર્કેગાર્ડ પાછા મહિમા તો કરે છે પ્રેમનો જ. કહે છે કે લગ્નજીવનમાં પ્રેમ જ ખરું તત્ત્વ છે. પણ પછી પૂછે છે : પહેલું શું? પ્રેમ કે લગ્ન? ઉત્તરાર્ધ શેનાથી સરજાવાનો?
કહે છે : પ્રેમ મારે મન બૅટલ-ક્રાય છે. ને વરસોથી પરિણિત છું એટલે પહેલા પ્યારની વિજય-પતાકા લ્હૅરાવતો લડું છું. પહેલો પ્યાર સ્વતન્ત્રતા અને જરૂરિયાતનું સંમિશ્રણ છે અને એ સ્વત: સિદ્ધ થઈ જતો હોય છે. મારા જુવાન મિત્ર ! લગ્ન ઈશ્વરને પ્રસન્ન કરે છે. જો કે અવિવાહિતો માટે શાસ્ત્રોમાં ક્યાં ય આશીર્વચનો મેં જોયાં નથી. એ ખરું કે શાસ્ત્રોની અનન્તતા કલા છે પણ એ અનન્તતાને સ-અન્ત કરી શકાય છે, તે અ-કલા છે. પોતાની જિન્દગીમાં માણસ એક જ વાર પ્રેમમાં પડે છે. લગ્ન એ કે હૃદય પહેલા પ્રેમને વળગી રહે …આ પછી કિર્કેગાર્ડ રોમાન્ટિક અને મૅરિડ લવની વાત છેડે છે. મૅરિડ લવ પઝેશનથી શરૂ થાય છે અને એક ઇતિહાસ સરજાય છે. એમાં વફાદારી હોય છે, જો કે, વફાદારી રોમાન્ટિક લવમાં પણ હોય છે. તો તફાવત શું છે? પતિ ધારો કે પંદર વર્ષ વફાદારીથી જીવે, કશું લાભતો નથી, સિવાય કે પઝેશન. જ્યારે, વફાદાર રોમાન્ટિક
પંદર વર્ષ રાહ જોઇ શકે છે, ને એ પછી એને એનો રીવૉર્ડ – પુરસ્કાર – મળે છે.
કિર્કેગાર્ડ ભારે વ્યંગમાં એમ જણાવે છે કે બધું છતાં પતિ કલામય જીવ્યો હોય છે કેમ કે એના માટે પઝેશન કશી મૃત વસ્તુ નથી હોતી, બલકે પઝેશન એણે નિરન્તર હાંસલ કર્યું હોય છે. એ મથ્યો હોય છે, કહો કે, લડ્યો હોય છે – સિંહો જોડે નહીં, માનવભક્ષીઓ જોડે નહીં, પરન્તુ મહા ભયાનક શત્રુ એવા પોતાના સમય સાથે. એ પ્રકારે, મૅરિડ લવનો શત્રુ સમયમાં વસે છે, એનો જય ગણો તો જય સમયમાં વસે છે.
પ્રેમને મિત્ર, તું અમુક ઉમ્મર સાથે જોડે છે, કોઈ એક વ્યક્તિના પ્રેમને અમુક સમયગાળાની ચીજ લેખે છે, ને પછી એ બધું તું તારી જિતને ખાતર અજમાવ્યા કરે છે, આમથી તેમ થયા કરે છે, વાંકોચૂંકો, ભલે; પણ તારે એ સત્ય સ્વીકારવાની જરૂર છે કે પ્રેમને હમેશાં સમયમાં સાચવવો જોઈશે. એમ કરવું જો તને અશક્ય લાગતું હોય તો સમજી લે કે પ્રેમ પણ એક અશક્યતા જ છે.
એકબીજાંને અંગેના ફરજપાલનને કે કર્તવ્યને તું જો પ્રેમનો શત્રુ ગણતો હોઉં તો તું જાણે, હું તો કર્તવ્યને પ્રેમનો મિત્ર ગણું છું. કેમ કે મારે મન કર્તવ્ય કંઈક ને પ્રેમ કંઈક એવું નથી. કર્તવ્ય મારા પ્રેમને પોષે છે, એ જ એનું પ્રોટીન છે. પ્રેમને માટે જે કંઈ હોય એ બધું પવિત્ર અને સારું જ હોય છે. અને પ્રેમને માટે ન હોય એ ગમે એટલું સુખદ કે લલચાવનારું હોય, નકામું છે.
મિત્ર ! મારાં પ્રેમમય અભિનન્દન સ્વીકારજે પણ એ સ્ત્રીનાં ખાસ સ્વીકારજે કેમ કે એનાં અભિનન્દનમાં મૈત્રી અને સાચકલાઇ ઘણી હશે. તું મને અનુકૂળ ને ગમતીલો મહેમાન છું. મારા ઘરે મળ્યાને તારે ઘણો વખત થઈ ગયો, આવજે ઇચ્છા થાય ત્યારે, રહેજે રહેવાય એટલું. જવું હોય ત્યારે જતો પણ રહેજે …
++
I opine this version of the work “Either / Or” is not in so good English. એ કારણે કે કદાચ મારે કારણે મને એટલું બધું કમ્ફર્ટેબલ ન લાગ્યું …
તેમ છતાં, કિર્કેગાર્ડ લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા પ્રેમમાં જુએ છે એટલું ચૉક્કસ, અને મને એ બહુ જ ગમ્યું છે.
જો કે એમણે આપણા જમાનાનાં લગ્ન કે લગ્ન પાછળની આપણી પ્રવર્તમાન વિવિધ માનસિકતાઓ જોઈ હોત તો શું કહેત એ પ્રશ્ન છે …
ભલે, જય પ્રેમનો છે એથી જુદું શું જોઇએ?
= = =
(June 23, 2021: USA)