Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9292916
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાય મેળવવા અવરોધોની દીવાલ તોડવી પડશે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 August 2023

રમેશ ઓઝા

મંગળવારે સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને યોજેલા એક કાર્યક્રમમાં બોલતા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે દેશના અદના નાગરિકને ન્યાય મળે એ માટે ન્યાયમંદિરો ઉપલબ્ધ હોવાં જોઈએ, ખુલ્લાં હોવાં જોઈએ અને સહજપ્રાપ્ત હોવાં જોઈએ. અત્યારે દેશના ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર ન્યાય મેળવવામાં વચ્ચે આવતાં અવરોધ છે અને એ અવરોધોની દીવાલોને તોડવી પડશે.

ઘણીવાર નિરાશા અને ગ્લાનિની સ્થિતિમાં કોઈક સાંભળવી ગમે એવી ડાહી વાત કરે તો સારું લાગે. કાનને સુખ મળે અને સાંત્વના મળે. આ દેશમાં કાયદો, કાયદાનું રાજ અને ન્યાય સહજસાધ્ય નથી અને નાના માણસ માટે તો તે બિલકુલ નથી. દાયકાઓ સુધી ન્યાય મળતો નથી, ન્યાય નાના માણસને પરવડે નહીં એટલો મોંઘો છે અને હવે તો જજો પણ વેચાયેલા અને કરોડરજ્જુ વિનાના આવી રહ્યા છે. જેમ કે રાહુલ ગાંધીની ગુજરાતની વડી અદાલતમાં અપીલ સાંભળનારા જજને સર્વોચ્ચ અદાલતમાં પ્રમોશન મળ્યું છે. હજુ અઠવાડિયા પહેલા સ્વયં સર્વોચ્ચ અદાલતે એ જજની કારણ આપ્યા વિના રાહુલ ગાંધીને કરવામાં આવેલી બે વરસની પૂરેપૂરી સજા બહાલ રાખવા માટે ટીકા કરી હતી. જે ટીકાને પાત્ર છે અને એ બઢતીને પાત્ર પણ છે.

તો આવી નિરાશાજનક સ્થિતિમાં દેશના વિદ્વાન મુખ્ય ન્યાયમૂર્તિ ઊહાપોહ કરે તો થોડી સુવાણનો અનુભવ થાય, પણ એનાથી આગળ? અલગ અલગ ભાષામાં, અલગ અલગ ન્યાયમૂર્તિઓના મોઢે આની આ જ વાત હું દાયકાઓથી સાંભળતો આવ્યો છું. જો દેશના અદના નાગરિકને હેરાનગતી વિના સહેજે, ઝડપી અને તેનાં ખિસ્સાને પરવડે એ રીતે ન્યાય મળે એની સાચી ખેવના હોત અને તેમાં રહેલા અવોરોધોને દૂર કરવાની બાબતે ગંભીર હોત તો આ સમસ્યા દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગઈ હોત અને મુખ્ય ન્યાયમૂર્તિએ સંભવતઃ તેમના મુખ્ય ન્યાયમૂર્તિ પિતાએ સુદ્ધાં ચાલીસ વરસ પહેલાં કહેલી વાત દોહરાવવી ન પડી હોત. જો પડકારને પહોંચી વળતા જેટલી તાકાત ન હોય તો કમ સે કમ મહાન વાત તો કરો. લોકોને એ સાંભળીને પણ સારું લાગશે. પહેલાં મને પણ સારું લાગતું હતું, પણ હવે ગુસ્સો આવે છે.

સભ્ય સમાજમાં અદના નાગરિકને ન્યાય હેરાનગતી વિના, સહેજે, ઝડપી અને સસ્તામાં મળવો જોઈએ એ તો શાળાઓમાં નાગરિકશાસ્ત્રમાં ભણાવાય છે. ખરું પૂછો તો આ જ સભ્ય હોવાની પ્રાથમિક જરૂરિયાત છે. આમાં નવું શું છે? પણ આપણા દેશમાં સભ્ય સમાજ માટેની પ્રાથમિક જરૂરિયાત ઉપલબ્ધ નથી અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને બીજા કાયદાવિદો દાયકાઓથી એની જરૂરિયાત સમજાવે છે.

કોઈ પણ ચીજ જો આસાનીથી અને સોંઘી ન મળે તો સમજી લેવું કે કાં તો તેની અછત છે અથવા તે ન મળે એમાં કોઈનો સ્વાર્થ છે. ભારતમાં આ બન્ને છે. અછત હોય તો ન્યાય મોંઘો પડે, મેળવવો અઘરો પડે અને ન્યાય મોંઘો અને મેળવવો અઘરો પડે તો સામાન્ય આદમી અન્યાયને અને ગેરરીતિને પડકારી ન શકે. શાસકવર્ગનું આમાં સ્થાપિત હિત છે. માટે જેની દાયકાઓથી જરૂરિયાત બતાવવામાં આવે છે તેના પર અમલ કરવામાં આવતો નથી. ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યામૂર્તિ હતા ત્યારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રડતા રડતા, અક્ષરસ: ડુસકા ભરતા કહ્યું હતું કે સાહેબ દેશમાં અદાલતોની સંખ્યા વધારો, જજોની સંખ્યા વધારો, ન્યાય પ્રક્રીયા સરળ કરો અને જો એમ કરવામાં નહીં આવે તો આ દેશમાં સામાન્ય માણસનું જીવવું દુષ્કર થઈ જશે. એને અદાલત સિવાય સહારો કોનો છે? વડા પ્રધાને તેમના ભાષણમાં ન્યાયમૂર્તિ ઠાકુરની આજીજીનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. જેમાં શાસકોએ જવાબ આપવો પડે એવું જવાબદાર રાજ્ય કોઇને જોઈતું નથી. વખત છે ને જેલમાં જવું પડે.

ભારતનાં ન્યાયતંત્રને ચૂસ્ત દુરસ્ત કરવા માટે શું કરવું જોઈએ એની ભલામણ કરતાં અનેક અહેવાલો છેલ્લા પાંચ દાયકા દરમ્યાન બહાર પડ્યા છે અને એમાંથી એક પણ ભલામણને સ્વીકારવામાં નથી આવી. એવો ઈરાદો જ નથી. હા, વખતોવખત કાયદાના રાજાની વાત કરતા રહેવું જોઈએ, અભ્યાસ પંચો રચતા રહેવું જોઈએ કે લોકોને એમ ન લાગે કે શાસકો અસંવેદનશીલ છે.

આ વખતે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સર્વોચ્ચ અદાલતનું નવું મકાન બાંધવાની, અદાલતોની અને જજોની સંખ્યા વધારવાની વાત કરી છે. એવું બને તો પણ નીચલા સ્તરે ન્યાયદાનનું શું? અદનો નાગરિક સર્વોચ્ચ અદાલતમાં તો ત્યારે જશે ને જ્યારે નીચલી અદાલતમાં તેને સાચો કે ખોટો ન્યાય મળે. નીચે જ જો ન્યાય ન મળવાનો હોય તો સર્વોચ્ચ અદાલતમાં ગમે તેટલા જજો હોય તેને માટે તેનો કોઈ ખપ નથી. હા, કોર્પોરેટ કંપનીઓની તેમ જ પૈસાદારોની સ્પેશિયલ લીવ પિટિશન સાંભળવા માટે નવું મકાન, વધુ અદાલતો તેમ જ જજોને તજવીજ કરવામાં આવી રહી હોય તો જુદી વાત છે. આમ પણ સર્વોચ્ચ અદાલત આજકાલ તેનો ૯૦ ટકા સમય એસ.એલ.પી. સાંભળવા પાછલ ખર્ચી રહી છે.

લગે હાથ મુખ્ય ન્યાયમૂર્તિએ આજના શાસકોની મનમાની અને બુલડોઝર કલ્ચરની પણ ટીકા કરી છે. આનાથી તમને અહેસાસ થશે કે દેશમાં ન્યાયતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર છે. બાકી ઇલેક્શન બોન્ડ સામેની પિટિશન સર્વોચ્ચ અદાલત છ વરસથી હાથ ધરતી નથી. આ જોગવાઈ દ્વારા નરેન્દ્ર મોદીની સરકારે વિરોધ પક્ષોને બી.જે.પી. સામે પ્રચંડ માત્રામાં આસમાન સ્તરે મૂકી ધકેલી દીધા છે. ભારતનાં લોકતંત્રને સુરંગ ચાંપનારી આ જોગવાઈને પ્રાથમિકતા આપવી જોઈએ એ મુખ્ય ન્યાયમૂર્તિ નથી જાણતા?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑગસ્ટ 2023

Loading

17 August 2023 રમેશ ઓઝા
← Celebrating Independence: Why remembering Partition Horrors
ગુણવત્તાયુક્ત સમાવેશી ઉચ્ચ શિક્ષણ : આદર્શ અને અમલ →

Search by

Opinion

  • ‘ગુજરાત સમાચાર’ : હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!
  • મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 
  • ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  
  • વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો
  • પાયમાલ થઇ ગઇ… 

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved